દેશમાં જે પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેમાં રાજકારણ અને રાજકારણીઓને ઉમેરી દો તો પૂર્ણ ચિત્ર ઉપસે !
–રોહીત શાહ
ક્યારેક તો એવો વહેમ પડે છે કે ગ્લૅમરની દુનીયા હોય કે અધ્યાત્મની દુનીયા હોય, એમાં હવે જરાય છેટું રહ્યું નથી. બન્નેમાં ગરીબોને કોઈ સ્થાન નથી. બન્નેમાં કરોડોના કારોબાર ચાલે છે. ગ્લૅમરની દુનીયામાં સ્થાન મેળવવા અને સ્થાન પર ટકી રહેવા માટે મહીલા કલાકારોએ કાસ્ટીંગ–કાઉચનો શીકાર બનવું પડે છે. અધ્યાત્મજગતમાં મોક્ષપ્રાપ્તી માટે અથવા મનની શાંતી માટે મહીલાઓએ ‘ગુરુ’ને રાજી રાખવા તેમની હવસનો શીકાર બનવું પડે છે. ગ્લૅમરની દુનીયાના લોકોને રાજનેતાઓ સાથે ખાનગી નાતો હોય છે, અધ્યાત્મના ગુરુઓનેય પોતાના કાર્યક્રમોમાં રાજનેતાઓને સામે ચાલીને બોલાવવાની ચળ ઉપડેલી રહે છે.
એક સવાલનો જવાબ સાવ ઠંડા દીમાગથી વીચારો. આસારામ પાસે અત્યારે જેટલી કુલ સમ્પત્તી છે એટલી સમ્પત્તી કોઈ પણ પ્રામાણીક માણસ દર વર્ષે સરકારને ઈન્કમ–ટૅક્સ સહીતના તમામ ટૅક્સ ચુકવીને કેટલાં વરસમાં ભેગી કરી શકે? મોટા ભાગના લોકો કહેશે કે પ્રામાણીક રહીને વ્યક્તી એક ભવમાં આસારામ જેટલી સમ્પત્તી કદીયે ભેગી ન કરી શકે. એનો અર્થ એ જ થયો કે જેને લખલુટ સમ્પત્તી જોઈતી હોય, જેને…
View original post 870 more words
વહાલા અરવીન્દભાઈ,
‘ગ્લૅમર અને અધ્યાત્મ હવે એક સરખાં જ’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
–ગો. મારુ
LikeLike