લેખક: Arvind Adalja

I am sr citizan retired and fond of reading of all kind of books and also thinking on many subjects from various angles and discuss with my friends.I am not that religious but god fearing person and down to earth.I like to discuss on many issues which I felt 1 must have intrepete in present social environments etc.

અંગદાન’ અંગે અભીવ્યક્તી

શ્રીગોવિંદભાઈ, ખૂબ જ સરસ લેખ. દરેક માટે પ્રેરણાદાયી ! અભિનંદન !

‘અભીવ્યક્તી’

‘અભીવ્યક્તી’ બ્લૉગ પર રજુ થતી ‘અંગદાન’ની વાતો સાથે “India’s Best Dramebaaz” શોની વાર્તાવસ્તુને, સત્યઘટનાને અનાયાસે સાંકળી આ લેખ દ્વારા અત્રે એ જ સંદેશ આપવાનો હેતુ છે કે મૃત્યુ પછી ખોટા ક્રીયાકાંડો અને અન્ધશ્રદ્ધાઓમાંથી બહાર આવીને જો સમાજ,‘અંગદાન’તરફ વળે તો કેટલાંય લોકોનેનવજીવન મળે છે. આવી વાતોનો ફેલાવો જુદી જુદી રીતે થતો રહેવો જ જોઈએ.

View original post 830 more words

“ગણેશોત્સવ સાથે મનાવીએ “ વડિલ અભિવાદન દિન ! “

” ગણેશોત્સવ સાથે મનાવીએ “ વડિલ અભિવાદન દિન ! “

આ દિવસોમાં “ ગણેશ “- “ ગણપતિ “ નો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ પહેલાં આપણે “જન્માષ્ટમી “ અર્થાત “ગોવિંદા આલારે “ ઉજવી ચૂકયા છીએ. ત્યારે આ તબક્કે મને દેશભરના યુવાઓંને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે, આપણે સૌ પશ્ચિમની સંસ્કૃતિથી પ્રભાવિત થતા રહીએ છીએ અને અનેક” ડે “ તેમની સાથે ઉજવવા ઝુકી પડીએ છીએ. આ “ ડે “ અર્થાત “મધર્સ ડે”, “ ફાધર્સ ડે”, “ગ્રાંડ-પા/મધર્સ ડે “, “ ફ્રેંડશીપ ડે “ વગેરે નું અનુકરણ કરતા રહીએ છીએ. આપણે સામાન્ય રીતે “ અનુકરણપ્રિય પ્રજા “ તરીકે ઓળખાઈએ છીએ ત્યારે આપણું પોતાનું આગવું વિશિષ્ટ વ્યક્તિત્ત્વ-પ્રતિભા ઉપસાવવા કેમ ઈચ્છા જાગૃત નહિ થતી હોય ? શું આપણે કંઈક અનોખું, સર્વેથી અલગ તરી આવે તેવું કંઈ પણ કરવા સક્ષમ નથી ? આપણે વિશ્વને આપણાં કોઈક એવા તહેવારની ભેટ ના આપી શકીએ કે જે સમગ્ર પરિવારને એક ગાંઠે બાંધતો હોય અને પશ્ચિમના દેશોને પણ આનું અનુકરણ કરવા દોરે/પ્રેરે ?
આપણે વર્ષો વર્ષ અનેક ઉત્સવો પરંપરાગત રીતે ઉજવતા આવ્યા છીએ ત્યારે કોઈ એક ધાર્મિક તહેવારને ધાર્મિક તહેવાર સાથે જ સામાજિક તહેવાર શા માટે ના બનાવી શકાય ? આવો ! યુવાઑં ! આપણે સાથે મળી આત્મમંથન કરીએ અને “ ગણેશ “ અર્થાત “ ગણપતિ “નો તહેવાર ઉજવવાની પાછ્ળ રહેલા તર્કને સમજવા પ્રયાસ કરીએ. આપણે ગણેશને વિવિધ નામ જેવા કે “ સિધ્ધિ વિનાયક “, “વિઘ્ન હર્તા “ દેવ તરીકે પણ ઓળખીએ છીએ.
મારી સાદી અને સરળ સમજ પ્રમાણે “ ગણેશ “ કે “ગણપતિ” એટલે “ગણ” એટલે “ટોળૂં” અને પતિ એટલે “ વડો”. ગણનો વિસ્તૃત/વિશાળ અર્થ કરતા “ પરિવારથી શરૂ કરી વિશ્વ “ કરી શકાય અને જેનું જે તે ઉપર પ્રભુત્વ હોય તે “ પતિ” /વડો તેમ સમજવું રહ્યું. અને જેનો પતિ/વડો મજબૂત, સમર્થ અને શક્તિશાળી સાથે, બુધ્ધિવાન, ચતુર અને ઉદાર પણ હોય, તે જ નાયક બની શકે અને રિધ્ધિ-સિધ્ધિ પ્રાપ્ત કરી શકે પછી તે કુટુંબ, ગામ, શહેર કે રાજ્ય કે દેશ હોઈ શકે છે. હવે જો ગણેશ કે ગણપતિના સૂક્ષ્મ/સંકુચિત અર્થમાં સ્વીકારી આ દિવસે ગણેશની સાથે જ પરિવારના વડિલનું અભિવાદન ઘેર ઘેર,તમામે તમામ પરિવારમાં યોજાય તેવો સંદેશો વિશ્વમાં શા માટે ના આપી શકાય ?
આ તહેવારને ધાર્મિક અને સામાજિક ના બનાવી શકાય ? એટલું જ નહિ, આપણાં દેશમાં સમગ્ર સમાજ ધર્મ-કોમ, જ્ઞાતિ વગેરેનો ભેદભાવ ભૂલી ઘેર ઘેર ઉપરાંત પોતાના લતા કે વિસ્તારમાં પણ આ તહેવાર યોજાતો રહે, તે રીતે પ્રયોજી શકાય !
આવું સુચન કરનારો હું એક નાનો-નગણ્ય સામાન્ય કક્ષાની વ્યક્તિ હોવાની સભાનતા સાથે આપ સૌ સમક્ષ નમ્ર સુચન કરી રહ્યો છું, તેથી રખે ને આવું સુચન, કોઈ સંપ્રદાયના વડા, સાધુ, સંત, ગુરૂ કે કથાકારનું ના હોય, ફગાવી નહિ દેતા, ગંભીરતાથી વિચારવા મારી હાર્દિક અપીલ છે.
એક વાત યુવાઓં યાદ રહે કે પશ્ચિમના દેશોમાં ઉજવાતા કે પ્રદર્શિત તમામ “ ડે “ માત્ર ઔપચારિક/ઉપલકિયા બની રહે છે. જેમાં મોટા ભાગના લોકો કાર્ડ ( કોઈકના લખેલા શબ્દો સાથે પ્રિંટ થયેલા) કે પુષ્પ ગુચ્છ અને તે પણ કુરીયર દ્વારા પોતાના માતા –પિતા કે દાદા-દાદી વગેરે વડિલોને પાઠવી ઈતીશ્રી મનાવવામાં આવે છે. ભાગ્યે જ એવા લોકો હશે કે જે ખરેખરા અંતરના ઉંડાણમાંથી પ્રગટતા અહોભાવ દ્વારા, રૂબરૂ મળી, લાગણીનું આદાન-પ્રદાન કરતા જોવા મળતા હોવાની સંભાવના રહે છે જ્યારે આપણાં ભારતીય સમાજમાં આજે પણ મોટાં ભાગના પરિવારોમાં એક-બીજા પ્રત્યે અંતરના ઉંડાણ ભર્યા ઉષ્માભરી લાગણીના સંબંધો જળવાઈ રહ્યા છે, તે વધુ સુદ્રઢ કરવા અને તેને નવું પરિમાણ આપવા, આવો ! આપણે સૌ સાથે મળી, એક સમગ્ર ભારતીય સમાજને એક આહ્વાન ભર્યો સંદેશ પાઠવીએ કે ,ગણેશોત્સવ માત્ર ધાર્મિક તહેવાર પૂરતો મર્યાદિત નહિ રહેતા સામાજિક તહેવાર પણ બની રહે ! “ વડીલ અભિવાદન દિન “ તરીકે ઓળખવાનો અને ઓળખાવવાના શ્રીગણેશ કરીએ !
અને ઓહ ! મારા યુવા દોસ્તો, ! આ દિવસે ઘેર ઘેર ગણેશની સાથે જ પોત પોતાના વડિલનું અભિવાદન કરી પોતાનું અસ્તિત્વ, વડિલો વગર સંભવીત નહિ હોવાના સત્યનો સ્વીકાર કરી, તેમના તરફની કૃતજ્ઞતા વ્યકત કરીએ ! ઉપરાંત આ દિવસ વર્ષો વર્ષ દેશ ભરના તમામ પરિવારોમાં વડિલ અભિવાદન દિન તરીકે ગણેશ સાથે જ મનાવવાની એક નવી પ્રણાલિકા/પરંપરાના મશાલચી બની રહીએ !
યાદ રહે સંયુકત પરિવારોને વિભાજીત કરનારા અનેક પરિબળો સમાજમાં જોવા મળતા હોય છે, તેમ છતાં મત-ભેદ મિટાવી મનનું અને લાગણીનું પુનઃસંધાન કરી આ વડિલ અભિવાદન દિનની નિષ્ઠા પૂર્વક ઉજવણી રચી શકાય તો સંબંધો જોડવાનું ભગીરથ કાર્ય સિધ્ધ થઈ શકશે તેવી મને શ્રધ્ધા છે.
મને વિશ્વાસ છે કે, આપણું આ કદમ વિશ્વભરના દેશ-વિદેશના યુવાઑંમાં વડિલો પ્રત્યેના સંબંધો વધુ ગાઢ અને નિકટના બનાવી માત્ર ઔપચારિક બની ગયા/રહ્યા છે તેને ફરીથી ઉષ્મા ભરી લાગણીના તંતુથી બાંધવા અને દિલો દિલના સંબંધોનું પુનઃસ્થાપન માટેનો સંદેશો બની રહેશે !
આ તહેવાર એક એક ઘેર ગણેશ સાથે જ કઈ રીતે ઉજવી શકાય તે વિષે કેટલાક સુચનો:- @@@ પરિવારના વડિલને ગણેશની મૂર્તિની બાજુમાં બેસાડી તીલક કરી દીપ પ્રગટાવી સંયુકત આરતી ઉતારી શકાય ! તેમની અભિરૂચી જાણી ભેટ પણ આપી શકાય જેવી કે આધ્યાત્મિક/ધાર્મિક પુસ્તક, વોકીંગ સ્ટીક,માળા વગેરે.
@@@ કેટલાક પરિવારોમાં વડિલો-કે માતા-પિતા અલગ વસવાટ કરતા હોય તો આ દિવસે એ જ શહેર કે ગામમાં હોય તો ઘેર નિમંત્રી વંદન કરી કોઈ ઉપર દર્શાવેલ છે તેવી અથવા તેમની અભિરૂચી જાણી તે પ્રમાણે ભેટ કે પુષ્પ ધરી અભિવાદન કરાય ! @@@ વડિલો- કે માતા-પિતા બહાર ગામ રહેતા હોય તો ફોન દ્વારા ‌( અનૂકુળ હોય તો રૂબરૂ જઈ શકાય, તેમને પણ નિમંત્રી શકાય ) ફોટાને તીલક કરી પુષ્પ અર્પી શકાય !
@@@ કેટલાક પરિવારમાં માતા કે પિતા બેમાંથી એક જ હયાત હોય ત્યારે જે હયાત હોય તેની સાથે વિદાય થયેલાની છબી રાખી પુષ્પ અર્પી બંનેનું અભિવાદન કરી શકાય !
@@@ બંને માતા કે પિતા હયાત ના હોય તો જે વ્યક્તિને વડિલ તરીકે માન મોભો આપતા હોઈએ તેમને આપણે ઘેર નિમંત્રી અથવા તેમને ઘેર રૂબરૂ મુલાકાત લઈ કોઈ ભેટ કે પુષ્પ અર્પી અભિવાદન પ્રયોજી શકાય ! તેઓને ભોજન માટે પણ નિમંત્રી શકાય ! કેટલાક સ્થળૉએ પોતાના રહેણાકના લતામાં કે વિસ્તારમાં ગણેશ સ્થાપી લતા/વિસ્તાર વાસીઓ સંયુકત રીતે પણ ગણેશ ઉજવી રહ્યા હોય, તેવા કિસ્સામાં જે તે લતા/વિસ્તારમાં વસતા સૌથી મોટી ઊંમરના વયસ્ક વડિલોનું ગણેશ સ્થાપના માટે પધરાવાય ત્યારે તેની સાથે અથવા અન્ય અનુકૂલ દિવસે તે જ મંડપમાં ગણેશની બાજુમાં બેસાડી પુષ્પ ગુચ્છ અર્પી અભિવાદન યોજી શકાય. આવા વયસ્ક વડિલોનું વર્ષો વર્ષ અભિવાદન કરવા માટે કોઈ નિશ્ચિત ઉંમર વિચારી શકાય જેથી એ ઉંમરે પહોંચતા દરેક વડિલોનું વર્ષો વર્ષ અભિવાદન કરવું શકય બને ! ( વિકલ્પે આવા વિસ્તારના લોકો સાથે મળી કોઈ સર્વ ગ્રાહી નિયમો પણ બનાવી શકે ! )
આ પ્રસંગે વડિલ અને ગણેશજીની સન્મુખ પરિવારના/લતા વાસીઓના પાન-ગુટકા-તમાકુ-ધુમ્રપાન વગેરે વ્યસનો ધરાવતા અને ગમે તે સ્થળે કે ચાલુ વાહને થુકી/પીચકારી મારનારાઓને ગંદકી સબંધી જાણકારી આપી આપણો વિસ્તાર સાફ-સ્વચ્છ બનાવી શહેર ભરમાં એક આદર્શ અને નમુનેદાર વિસ્તાર કાં ના બનાવીએ ? આપણાં સ્વજનોને વ્યસન મૂકવા પ્રેરી શકાય. આ ઉપરાંત ગંદકી કરનારા, પોતાનું આંગણું સાફ કરી જાહેર માર્ગો ઉપર કચરો/એઠ્વાળ ફેંકનારા/ પાણી ઢોળી રાહદારીઓને ચાલવામાં અસુવિધા ઉભી કરનારાઓને પણ સમજાવી શકાય !
જાહેર સ્થળોમાં આ ઉત્સવ મનાવતી વખતે જાહેર માર્ગ ઉપર મંડપ વગેરેનું આયોજન અને રચના એવી સુંદર રીતે કરીએ કે જેથી વાહનો અને રાહદારીઓ વગેરેની સહેલાઈ અને સરળતાથી અવર જવર ચાલુ રહી શકે ! ઉપરાંત માઈકનો વધુ પડતો ઉપયોગ ટાળી સમગ્ર વિસ્તાર માંદા અને વયસ્ક વડિલોને તથા બાળકોના અભ્યાસને ખલેલ ના પહોંચે તેની પણ દરકાર કરવી રહી ! આપણી નિષ્ઠા અને પ્રબળ ઈચ્છા શક્તિ આ ધાર્મિક તહેવારને “ સામાજિક તહેવાર/ઉત્સવ તરીકે દેશ ઉપરાંત વિદેશોમાં પણ ઉજવવા/માણવા માટે વિદેશીઓને પણ આકર્ષી શકે તેવી ભરપૂર શકયતાઓ મને જણાય છે.
આવો, મિત્રો ! આપણે સૌ સંકલ્પ બધ્ધ થઈએ, અને આ તહેવારને સામાજિક જાગૃતિ અને તૂટતા જતા સંયુક્ત પરિવારોને બચાવી લેવા એક મશાલચી/ચીનગારી બની રહીએ અને આવનારા દિવસોમાં પ્રેમ-લાગણી અને ઉર્મી ભર્યા ભીના ભીના સંબંધો મજબુત બનતા/બનાવતા રહીએ -ઢીલા પડેલા સંબંધોમાં ફરીને અંતરની લાગણી પ્રગટાવી, મજબુત બનાવી, અરસ પરસ અને એક બીજા સાથે સુખ-દુઃખમાં સહભાગી બનવા ઉષ્મા ભર્યા સંબંધોનું સર્જન કરવા મચી પડીએ !
તો આવો, મિત્રો ! પશ્ચિમના દેશોને આપણે એક એવા સામાજિક તહેવારની ભેટ આપીએ કે ત્યાં પણ પરિવારની હુંફ-લાગણી અને પરસ્પરની ઉષ્મા સાચા અર્થમાં સમજાય અને આપણો તહેવાર ઉજવવાનું અનુકરણ કરવાની તેઓને પણ લાલચ થાય ! અસ્તુ !

ગણેશોત્સવ……હરીફાઈ—ભક્તિની કે ભપકાની ?

strong>ગણેશોત્સવ…..હરીફાઈ–ભપકાની — ભક્તિની કે
ગણેશોત્સવ…..હરીફાઈ— ભક્તિની કે ભપકાની ?

ગણેશોત્સવ દેશભરમાં ધુમ મચાવી રહ્યો છે. આ ગણેશોત્સવની શરૂઆત લોક માન્ય તિલકે અંગ્રેજોના શાસન દરમિયાન કે જ્યારે લોકોને એકઠાં કરવાની મનાઈ હતી ત્યારે અને ધાર્મિક ઉત્સવમાં અંગ્રેજ સરકાર દરમિયાનગીરી કરતું નહિ હોવાથી તેનો લાભ લઈ, મહારાષ્ટ્રમા, પૂનાથી રાજકીય ગતિવિધિઓથી જનસમૂહને અવગત કરવા શરૂઆત કરેલી. આ જાતનો ઉત્સવ સ્વતંત્રતા માટેની ચળવળ માટે આમ જનતામાં જાગૃતિ લાવવા ખૂબ જ ઉપયોગી થયેલ.

સમયજતાં આ ગણેશોત્સવ સમગ્ર મહરાષ્ટ્રમાં તથા દેશના મોટા ભાગમાં યોજવાનું શરૂ થઈ ગયું.મુંબઈમાં આ ઉત્સવ “ લાલ બાગના રાજા ” સિધ્ધિ વિનાયકને નામે ઉજવાય છે. અને તમામ ક્ષેત્રોની મોટા ભાગની ” સેલીબ્રીટીઓ” ની હાજરી જનતાનું આકર્ષણ બની રહે છે.

આ ઉત્સવમાં ધીમે ધીમે હરીફાઈનું તત્વ ઉમેરાતું ગયું અને આજે મોટાભાગના શહેરો અને ગામડાઓમાં પણ શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ આ ઉત્સવ ઉજવાતો નજરે પડે છે, એટલું જ નહિ પરંતુ ક્યા વિસ્તારનો ગણેશોત્સવ શ્રેષ્ઠ ગણાય તેની હરીફાઈ યોજવામાં આવતી રહે છે.

પરિણામ સ્વરૂપે ગણેશની મૂર્તિઓ વધુ અને વધુ મોટી, આકર્ષક અનેક પ્રકારના શણગારોથી સજ્જ તથા પેંડૉલ જાત જાતની લાઈટીંગ તથા અન્ય ડેકોરેટીવ આઈટેમોથી શણગારવાની મૂક સ્પર્ધા લાગે છે .ઉત્સવની શરૂઆતથી જ પ્રથમ નંબર મેળવવાની હોડ લાગી હોય અનેક પ્રકારના ગતકડાં કરવામાં આવતા નજરે પડે છે. આવા વધતા જતા ખર્ચને પહોંચી વળવા જે તે વિસ્તારના લોકો પાસેથી ફંડ એકઠું કરવામાં આવે છે. ક્યાંક કયાંક તો મોટી રકમ મેળવવા અનેક જાતના દબાણો લોકો ઉપર થતાં નજરે પડે છે. પરિણામે એક જ વિસ્તારમાં વસતા લોકોમાં જાણ્યે-અજાણ્યે વિખવાદ અને વૈમનસ્ય પણ પેદા થઈ જાય છે.

ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનો અને યુવતીઓમાં ભક્તિ નહિ પણ ભપકો કરવાની માનસિકતા પેદા થતી જોવામાં આવે છે. અને તે માટે તેઓ પોતાના પરિવારમાં વડિલો સાથે નાના મોટા ઘર્ષણમાં આવી પડે છે. જે તે વિસ્તારના અમીર લોકો આ પરિસ્થિતિનો પોતાની ધાર્મિક હોવાની પ્રતિષ્ઠા ઉભી કરવા સક્રિય રીતે મચી પડતા હોય છે.ઉત્સવ કેમ અને કેવી રીતે વધુ અને વધુ ભપકાદાર બનાવી ઉજવવો તેનું પ્રભુત્વ મેળવી લઈ યુવા ધનને પોતાના વિચારો સ્વીકારવા ફરજ પાડે છે.

આજના આ સખત મોઘવારીના સમયમાં જ્યારે બે છેડા ભેગા કરવા પણ અત્યંત મુશ્કેલ જણાતા હોય ત્યારે ફાળો આપવામાં ગરીબ અને મધ્યમ વર્ગને તકલીફ તો પડે જ ત્યારે પી.ઓ.પીની ગણેશની મસમોટી મૂર્તિઓ પાછળ ખર્ચાતા નાણાં અંગે જીવ તો બળે જ, ઉપરાંત દિવસના મોટા ભાગના સમયમાં અત્યંત મોટે અવાજે વગાડવામાં આવતા માઈકો પણ ઘોંઘાટનું પ્રદુષણ પણ પેદા કરે જે, અનેક વૃધ્ધો, માંદા લોકો અને નાનાં બાળકો તથા અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ માટે એક મોટી ખલેલ ઉભી કરતું હોવા છતાં સહન કરી લેવું પડતું હોય છે. ઉપરાંત એક પ્રશ્ન પણ ઉદભવે કે શું ગણેશ બહેરા હશે ? આ ઉપરાંત ગણેશ પધરાવવાની અને વિસર્જન માટેની સવારીઓને કારણે પણ ટ્રાફિક જામ અને ધુમાડા દ્વારા પણ પ્રદૂષણ પેદા થતું રહે છે જે આખરે તો નાગરિકોના શ્વાછોશ્વાસમાં જઈ અનેક રોગોને નિમંત્રે છે.

સામાન્ય સમજની બહાર એક વાત રહે છે કે આ પી.ઓ.પી.ની મૂર્તિઓ આખરે કોના માટે બેસાડવામાં આવે છે ? મોટી મૂર્તિ શું મોટા આશીર્વાદ આપતી હશે ? નાની મૂર્તિઓ કે નાના મંદિરોમાં પધરાવેલ મૂર્તિઓ આશીર્વાદ નાના આશીર્વાદ કે બિલકુલ આશીર્વાદ આપતા જ નહિ હોય ?

વળી મોટી મૂર્તિ પધરાવ્યા બાદ નાની તો પધરાવવી જ પડતી હોય છે. અને સાચું પૂછો તો પૂજા કે અર્ચના નાની મૂર્તિઓની જ થતી હોય છે, જ્યારે મોટી તો માત્ર શોભા માટે જ રાખવામાં આવેલ હોય છે.

આવા સંજોગોમાં એક પ્રશ્ન મારા જેવાના મનમાં ઉપસ્થિત થતો રહે છે કે, ભક્તિ શું ભપકા વગર ઉગતી જ નહિ હોય ? સાદાઈ અને શ્રધ્ધા સાથે સામાન્ય માનવી દ્વારા કરવામાં આવતી ભક્તિ ગણેશ નહિ સ્વીકારતા હોય ? શું ગણેશ ભપકાના જ ભોગી હશે ?

અત્યંત શણગારાયેલ ગણેશ અને પેંડોલ જ્યારે કોઈ સેલીબ્રીટી આવે ત્યારે સામાન્ય વ્યક્તિ ભલે તે વિસ્તારનો સંન્નિષ્ઠ કાર્યકર હોય તો પણ પાછળ ધકેલાય જતો જોવા મળે છે. આમ જાણે ગણેશ માત્ર અમીરોના જ હોય તેવો માહોલ સર્જાતો નજરે પડે છે.

કોઈપણ ઉત્સવ ધાર્મિક કે સામાજિક સાદાઈથી અન્યને ખલેલ પહોંચડ્યા સિવાય કે કોઈ પ્રકારના પ્રદૂષણ પેદા કર્યા વગર ઉજવી જ ના શકાય ?

દેશનું યુવાધન આ વિષે ક્યારે ય નહિ વિચારે ? હવે આ 21મી સદીમાં દેશનું અને માનવજાતની પ્રગતિનું સુકાન સંભાળવા યુવા ધન ક્યારે સક્ષમ બનશે ?

આવો ! મિત્રો, આવનારા દિવસોમાં ભપકાને વિદાય આપી આવી બેહુદી હરીફાઈનો ત્યાગ કરીએ ! અને ખરા સ્વરૂપમાં ગણેશને વિઘ્નહર્તાના સ્વરૂપમાં પ્રાપ્ત કરીએ !

આપો…..આપો….જરૂર આપો…. અનામત…માત્ર પાટીદારો ને જ નહિ….સમગ્ર સવર્ણ/ઉચ્ચ જ્ઞાતિ ને !

આપો…..આપો….જરૂર આપો…. અનામત…માત્ર પાટીદારો ને જ નહિ….સમગ્ર સવર્ણ/ઉચ્ચ જ્ઞાતિ ને !

આપો…..આપો….જરૂર આપો…. અનામત…માત્ર પાટીદારો ને જ નહિ….સમગ્ર સવર્ણ/ઉચ્ચ જ્ઞાતિ ને !

અંદાજે અઢી માસ થયા ગુજરાતમાં પાટીદારો પોતાને અનામતમાં સમાવવા આંદોલન ચલાવી રહ્યા છે જે કયારે ક શાંત તો ક્યારે ક આક્રમક બની રહ્યું છે.

આથી પાટીદારોને શાંત પાડવા ગુજરાત સરકારે આર્થિક પછાત લોકો માટે સહાય કરવા એક પેકેજ જાહેર કર્યું. જેનો પાટીદાર કોમના આક્ર્મક આગેવાનોએ આ પેકેજને ” લોલીપોપ ” ગણાવી સમગ્ર પાટિદારોને ” લોલીપોપ” ચખાડી ! સરકાર આર્થિક પેકેજ જાહેર કરતી વખતે એક મૂળભુત વાત કદાચ વિસરી ગઈ કે પાટીદારો આર્થિક રીતે પછાત નથી. તેઓ અત્યંત ઉંચા સ્થાને બિરાજે છે ! અને સુકા મેવા અને ઘીથી લસબસતા લાડુ ખાનારા છે. તેઓને ” લોલીપોપ ” ના ખપે ! કે ના સંતોષે !!

પાટીદારોની માંગણી અને આંદોલનથી પ્રેરાઈ અન્ય સવર્ણ/ ઉચ્ચ જ્ઞાતિઓ પણ અનામત મેળવવા ગંભીર બની છે અને કટિબધ્ધ થઈ પોત પોતાની જ્ઞાતિઓને અનામતમાં સમાવવાની માંગણી કરવા સભાઓ કરી આ આદોલનમાં જોડાઈ, વધારે તીવ્ર બનાવવા વિચાર કરી રહ્યાનું જાણવા મળે છે.

તો, સામે પક્ષે, દલિત/પછાત જાતિઓ તેમની સાથે આ ઉચ્ચ વર્ણની જાતિઓને સમાવવાનો વિરોધ કરવા તલવાર ખેંચી રહી છે.

ગંભીર રીતે વિચારીએ તો ગુજરાત વર્ગ-વિગ્રહ તરફ ધસી રહ્યું હોય તેમ જણાય છે. પરંતુ આ જ વાતને જો પૂ. ગાંધીજીના વિચારોના પરિપ્રેક્ષ્યથી વિચારીએ તો જે બાબત તેમના જીવનકાળમાં શક્ય ના બન્યું તે કદાચ, આ સમયમાં વર્ગ-વિગ્રહને બદલે, સામાજિક સમાનતામાં પરિણમે તેવી ભરપૂર સંભાવના અમોને જણાય છે.

એક વાત તો સ્પષ્ટ છે કે, જ્યાં સુધી સમાજના તમામ સ્તરે ઉચ્ચ -નીચ વર્ણ વ્યવસ્થા જન્મથી નક્કી થતી જ્ઞાતિ કે કોમનો ધ્વંસ નહિ થાય, ત્યાં સુધી ઉંચ-નીચ ટકી રહેવાના, આ પરિસ્થિતિ નાથવા અમોને પૂ.ગાંધીજીની વાત કે જે કોઈ વ્યક્તિ ગાંધી આશ્રમમાં રહેવા પરવાનગી માંગતી ત્યારે તે વ્યક્તિ સાથે ગાંધીજીની પૂર્વશરત રહેતી કે, આશ્રમમાં રહેવા આવતી વ્યક્તિએ તમામ પ્રકારની ગંદકી -પાયખાના સહિતની સફાઈ કરવાનું સ્વીકારવું ફરજિયાત હતું.

હવે જ્યારે પાટીદાર અને અન્ય ઉચ્ચ વર્ણની કોમ અનામત માંગી રહી છે ત્યારે ગાંધીજી જેવી જ પૂર્વ શરત સરકારે તમામ ઉચ્ચ વર્ણના પરિવારો કે જેઓ અનામતનો લાભ મેળવવા ઈચ્છુક હોય તેમના પરિવારના પુખ્ત વયના એક સભ્યે છ માસ માટે જાહેર માર્ગો ઉપરની ગંદકી તથા જાહેર પાયખાનાઓની સફાઈ કરવી પડશે ( અલબત્ત આવી સેવા માટે જે તે સમયે પ્રવર્તમાન વેતન સફાઈ કામદારોને ચૂકવવામાં આવતું હશે તે સરકારે આપવું રહે ) અને જે કોઈ આ ફરજ ખંત, નિષ્ઠા અને વફાદારી પૂર્વક બજાવશે તેની બે પેઢી સુધી અનામતનો લાભ મેળવવા પાત્ર ગણાશે તેવી જાહેરાત કરવી જોઈએ.

આ લખતી વેળાએ એક બીજો પ્રસંગ યાદ આવે છે, પૂ. ગાંધીજીએ, એક દક્ષિણના યુવકે આશ્રમમાં રહેવા આવવાની અનુમતિ માંગેલ, ત્યારે યુવકની અને તેના માતા પિતા તથા પરિવારની ઈચ્છા વિષે પૂરેપૂરી તપાસ-ચકાસણી કરવા સાથે, આશ્રમનું કઠિન અને કઠોર જીવન જીવવાની યુવકની તૈયારી વિષે જાણવા જણાવેલ કે આશ્રમમાં એક સુંદર કન્યા છે. આશ્રમમાં રહેવા આવ્યા બાદ તેણી સાથે મૈત્રી સંબંધ કેળવશે તો તેમને ગમશે, અને જો આ કન્યા યુવકને પસંદ કરે અને મૈત્રી લગ્નમાં પરિણમે તો વધુ ગમશે. યાદ રહે ! આ યુવક જન્મે બ્રાહ્મણ હતો અને કન્યા હરિજન હતી.

ઉચ્ચ વર્ણના કોઈ પરિવારના યુવકો કે યુવતીઓ આ રીતે દલિત વર્ણના યુવતી કે યુવાન સાથે લગ્ન જીવનથી જોડાવા તૈયાર થાય તો તેવા પરિવારોને પેઢી દર પેઢી અનામતનો લાભ મેળવવાનો અબાધિત અધિકાર સરકારે આપવો જોઈએ.

આ ઉપરાંત ઉચ્ચ વર્ણ અને દલિતો એક જ વિસ્તારમાં વસતા થાય, તેમની વચ્ચે વાટકી વ્યવહાર શરૂ થાય, જે સમય જતાં જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગરનો સામાજિક સમાનતા સાથેનો સમાજ બની રહેશે. પરિણામે ગંદકી કરનાર ઉચ્ચ વર્ણનો અને ગંદકી સાફ કરનાર દલિત/નીચ જાતિનો તેવા ભેદભાવનો ધ્વંસ થશે અને કોઈ પ્રકારનું કામ હલકું ના ગણાય તેવી સમજણ સાથે એક નવા સમાજનો સોહામણો સૂર્યોદય થવા સાથે જ પૂ.ગાધીજીએ સેવેલું સ્વપ્ન, સામાજિક સમાનતા વિષેની, ક્રાંતિનું સાકાર થાય અને આવનારા દિવસોમાં જન્મથી નક્કી થતી જ્ઞાતિ કે કોમનો ધ્વંસ સંભવ બને.

તો આવો મિત્રો ! આ આંદોલન, સમગ્ર સમાજને એક નવી દિશા તરફ દોરી જાય અને અનામતના ભૂતનો પણ હંમેશ માટે ખાત્મો થાય, તેવી સમજણ, પાટીદારોના તથા અન્ય ઉચ્ચ વર્ણના આગેવાનોમાં પ્રગટે તેવી પરમ કૃપાળૂ પરમાત્મા સૌને પ્રેરણા અને શક્તિ આપે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ.
Posted in Prakirna on ઓક્ટોબર 9, 2015. 2 ટિપ્પણીઓ › સંપાદન કરો

એક અજાયબ સ્વપ્નની વાત !!! મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે મહાત્મા ગાંધીજીનો પુનર્જન્મ ! ? !

એક અજાયબ સ્વપ્નની વાત !!!

મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે મહાત્મા ગાંધીજીનો પુનર્જન્મ ! ? !

મારા “પરમ મિત્ર,વ્હાલા સખા અને દિલોજાન દોસ્ત” નો આજે ( જન્માષ્ટમી) ભગવાન કૃષ્ણનો જન્મદિન હતો. અમારા સમસ્ત પરિવાર સાથે અતિ ઉમંગ, ઉત્સાહ અને પ્રેમ સાથે આ શુભ દિન મનાવી રહ્યા હતા. ખૂબ આનંદૌત્સવ સાથે રાત્રિના 12 વાગ્યાની શુભ પળે અમે સૌ આ પળ માણવા હર્ષોલ્લાસ સાથે ખૂબ નાચ્યા-કુદ્યા અને ” નંદ ઘેર આનંદ ભયો ! જય કનૈયાલાલકી ” ની ધુન મચાવતા તેમની મૂર્તિ સામે ધરાવેલ પ્રસાદ સામગ્રી આરોગી રહ્યા.અને સંતોષ સાથે સર્વે એક પછી એક પોતાના શયનખંડમાં પ્રવેશી નિંદ્રાને શરણે થયા.

આ જન્મદિનની ઉજવણીની તૈયારીઓ કરવામાં લાગેલ થાકે સૌ ઘેરી નિંદ્રામાં પોઢી ગયા.હું પણ મારા શયનખંડમાં નિંદ્રાવશ થઈ ગયો. અચાનક કૃષ્ણ અને બૃહ્માને મેં તેમના બેઠક ખંડમાં સિંહાસન ઉપર બેઠેલા જોયા.અંને તેમની તદન નજીક કોઈ એક વ્યકતિ પણ બેઠેલી જોઈ.તેનો ચહેરો હું ઓળખી ના શક્યો. ત્રણે કોઈ અગત્યની વાત-મંત્રણામાં મશગુલ જણાયા.

અચાનક ત્રીજી વ્યક્તિએ તેનો ચહેરો મારા તરફ ફેરવતા હું આશ્ચર્યમાં ડૂબી ગયો, મેં તેમને ઓળખી કાઢ્યા-તેઓ હતા આપણાં દેશને અહિંસક રીતે સ્વતંત્રતા અપાવનાર મો.ક. ગાંધી અર્થાત ” મહાત્મા ગાંધી “. હું ફાટી આંખે તેમની સામે જોઈ રહ્યો.પરંતુ તેઓ તો ફરી વાતોમાં પરોવાઈ ગયા..

આ ત્રણે એવી તો કઈ મંત્રણા કરી રહ્યા હશે તે જાણવાની મને ઉત્સુકતા થાય તે સ્વાભાવિક હોઈ મેં મારા કાન વધુ સરવા કર્યા.અને મેં સાંભળ્યું કે મો.ક.ગાંધીનો સ્વરગારોહણનો 71 વર્ષનો સમય પૂરો થતો હોઈ તેઓને પુંનર્જન્મ આપવા માટેની વાતચીત થઈ રહી હતી.

દેશમાં સ્વતંત્રતા મળ્યા બાદ તમામ ક્ષેત્રે દંભી-ભ્રષ્ટાચારી- નાલાયક-નપાવટ અને અપ્રમાણિક લોકોએ યેનકેન પ્રકારેણ કબ્જો/પ્રભુત્વ મેળવી લીધેલ હોવાથી સામાન્ય જનતાની હાલત બ્રિટિશ રાજ કરતાં પણ વધુ દયાજનક અને કરૂણ બની ગયેલ હોઈ અત્યંત દુઃખી જણાતા હતા.

અરે ! ધાર્મિક સંસ્થાઓ-મંદિરો અને અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ આવા લોકોના કબ્જામાં જણાતી હતી.પોતાના હિત અને સ્વાર્થ માટે ગમે તેટલી હલકી કક્ષાએ આવા લોકો જતા અચકાતા નહિ હતા. ખૂન/લૂંટ અપહરણ વગેરે જાણે રોજિંદી હકિકત બની ચૂકી જણાતી હતી.અદાલતો ઉપર પણ આવા રાજકિય તત્વોનું પ્રભુત્વ સ્થપાય ગયેલું જણાતું હતું.

મો.ક. ગાંધી આથી અત્યંત દુઃખ અનુભવી રહ્યા હોય તેમ તેમના અવાજ અને ચહેરાના હાવભાવ જોઈ શકાતા હતા.
આથી ઈશ્વરને પ્રાર્થના કરતા કહેતા હોઈ તેમ મને સંભળાયું.કે હે ,પ્રભુ ! મારાં દેશના લોકોની તથા દેશની આટલી હદ સુધીની દુર્દશા થશે તેવું મેં ક્યારે ય વિચાર્યું નહિ હતું, મારી સાથે રહેલા પ્રથમ હરોળના લગભગ તમામ આગેવાનોને બાદ કરતા બીજી કે ત્રીજી કે તે પછીની હરોળના અને આજે થઈ પડેલા લોકો તો સત્તાધારી રાજાશાહીથી પણ બદતર પુરવાર થઈ રહેલા જણાય છે.અને મને મનોમન બ્રિટનના જે તે સમયના વિરોધ પક્ષના નેતા ચર્ચીલના શબ્દો યાદ આવે છે કે જો ” હિંદુસ્તાનને આઝાદ કરશો તો દેશ લૂંટારા-પિંઢારા અને ચાંચીઆઓના હાથમાં ચાલ્યો જશે ” જાણે હાલના મોટા ભાગના નેતાઓ અને સરકારી અમલદારો આ શબ્દો સાચા ઠેરવી રહેલા જણાય છે, . તેમ છતાં મને ઊંડે ઊંડે આશા છે કે આવા થઈ પડેલા નેતાઓનો લોકો એક સંપ થઈ અને સાથે મળી એક દિવસ જરૂર ધ્વંસ કરશે. અને ફરી દેશ મેં સેવેલા સ્વ્પન જેવુ દુનિયાનો સર્વ શ્રેષ્ઠ દેશ બની રહેશે.

ભગવાને કહ્યું આપ આશાવાદી છો તે જાણી આનંદ થયો. પરંતુ આપની આશા ના ફળી તો શું ?

આ ઉપરાંત એક વાતની સ્પષ્ટતા કરી આપને જણાવવાનું કે તમારો પુનર્જન્મ આપવા માટેનો સમય થઈ ગયો હોઈ અને તે પ્રમાણે અમારે નિર્ણય કરવો જ રહ્યો. તેમ છતાં તમારી સત્યનિષ્ઠા,વફાદારી અને દેશ અને દેશના લોકો તરફની હમદર્દી અને લાગણીને લક્ષમાં રાખી નિયમોમાં અપવાદ કરી આપની ઈચ્છા જાણવા કે દેશના ક્યા વિસ્તારમાં આપ પુનર્જન્મ લેવા ઈચ્છો છો તે જાણવા આજની આ બેઠકનો મુખ્ય હેતુ છે. તો તમે નિઃસંકોચ આપની ઈચ્છા બ્ર્હ્માજીને જણાવશો કારણ કે જન્મ-મરણ આપવા-લેવાની ફરજ એમને બજાવવાની હોય છે.

ગાંધીજીને જવાબમાં કહેતા મેં ખૂબજ આતુરતાથી સાંભળ્યા કે, હે પ્રભુ ! જ્યારે આપ મારા માટે આટલી લાગણી રાખી આપના નિયમોમાં અપવાદ કરી મને પૂછો છો તો મને કહેવાદો કે હજુ બીજા 5 થી 7 વર્ષ અહીં રહેવાની મને રજા આપો, જેથી આવનારા 5-7 વર્ષમાં દેશની કાયા પલટ થઈ મારો દેશ દુનિયાભરમાં આદર્શ દેશનું મોડેલ બની રહેશે તેવી મને હજુ ઊંડે ઊંડે આશા છે. અને જો તેમ ના થાય તો મને ( હિંદુસ્તાન ) ભારતમાં મારા જ રાજ્ય ગુજરાતમાં જન્મ આપશો.

વિશેષમાં જન્મ સાથે જ મને ના ખૂટે તેવી બૂલેટ અને ધારું ત્યાં અને ધારું તે વ્યકતિને ઠાર કરી શકું તેવી અદભૂત શક્તિ મારાં મન -ચિત્ત-અને દિલમાં અર્થાત સમગ્ર શરીરમાં મૂકવા આપને મારી હાર્દિક પ્રાર્થના છે. અને આપને સોગંદ પૂર્વક ખાત્રી આપું છું કે કોઈપણ વ્યક્તિથી ડર્યા વગર કે શેહમાં આવ્યા વગર, (કદાચ મારાં વંશજો પણ આવા તત્વોમાં સામેલ હોય તો તેમનો વધ કરતાં આ ગાંધી નહિ અચકાય તેની ખાત્રી રાખશો)

આવા તમામ અસામાજિક તત્ત્વો અને નપાવટ રાજકારણીઓ -અધિકારીઓનો હું ખાત્મો બોલાવી દઈશ અને ત્યારે જૂના મો.ક. ગાંધીને ભૂલાવી દઈશ.

દેશમાં લોકો સુખી-સંતોષી બને રહે અને દેશને આગળ લઈ જાય તેવી સતત પ્રેરણા આપતો રહીશ. અને આવા કામ માટે જૂનો અહિંસક ગાંધી ના ચાલે, પરંતુ આ નવો ગાંધી હિંસક બની તમામ પ્રકારના અસામજિક-શોષણખોર ગમે તેવા અને કક્ષાના રાજકારણી કે સરકારી અમલદારો ઉપર કોઈ જાતની દયા દાખવ્યા વગર ત્રાટકીશ .

શક્ય છે કે દુનિયાભરમાં મારાં આવા કૃત્યથી હા–હા—કાર મચી જશે. આજે ગાંધીના નામનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તે હવે પછીના સમયમાં ” પેલો હિંસક ગાંધી ” તરીકે ભલે ઓળખાય.

મને આપનામાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રધ્ધા છે કે આપ મારો દેશના લોકો તરફની મારી લાગણી -પ્રેમ વગેરેનું યોગ્ય મૂલ્યાંકન કરી મને યોગ્ય નિર્ણય કરી યોગ્ય સમયે પુનર્જન્મ આપશો

ભગવાન કે બ્રહ્માજી જવાબ આપે તે પહેલાં જ મારાં રૂમની કોલબેલ વાગતા મારું સ્વપ્ન અધુરું રહી ગયું
વાચક મિત્રો આ લેખ કોઈ પણ વ્યક્તિ કે સમૂહની લાગણી દુભાવવા લખ્યો નથી પરંતુ દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈ લખ્યો છે છતાં કોઈની લાગણી દુભાઈતો મને ઉદાર દિલે માફ કરશો.

અલબત્ત આપનો પ્રતિભાવ જો સ્વપ્ન સાચું પડે તો દેશમાં કેવા સંજોગો અને પરિસ્થિતિ ઉભી થાય તે તથા સામાન્ય લોકોના પ્રત્યાઘાત જાણવા હું અત્યંત આતુર રહીશ.

મારાં બ્લોગના વાચક મિત્રો મી.ચર્ચીલના મૂળ શબ્દો વાંચી શકે તે માટે નીચે રજૂ કર્યા છે.

EXACT WORDS OF MR. WINSTON CHURCHILL
Dear friends,
I here under reproduce the Exact Words of Mr. Winston Churchill, who said in and wrote to British Parliament while discussing the bill for ascending INDEPENDENT TO INDIA ( our country ) which has come true.

Sir, Winston Churchill…

“Power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low calibre & men of straw. They will have sweet tongues & silly hearts. They will fight amongst themselves for power & India will be lost in political squabbles. A day would come when even air & water would be taxed in India.”

[He wrote this 64 years ago]

We are incredible; we have worked very hard and we proved him right….

‘નેત્રદાન’ની સમજણ તથા વર્ષા વેદનો પ્રેરક કીસ્સો

‘અભીવ્યક્તી’

‘નેત્રદાન’ કઈ રીતે કરી શકાય? કોણ કરી શકે અને દાન કરેલી આંખ કોને કામ લાગી શકે? તેની સમજણમેળવવા તથા  સુશ્રી. વર્ષાબહેન વેદ ફુલટાઈમ અકાઉન્ટન્ટમાંથી આઈ–ડોનેશન કૅમ્પેનને લાઈફ–મીશન બનાવી ફુલટાઈમ પ્રચારક કેવી રીતે બની ગયાં? તે જાણવા ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.

View original post 1,789 more words

महाभारत Paintings of an Italian painter “GIANPAOLO TOMASSETTI …

નીરવ રવે

महाभारत Paintings of an Italian painter “GIANPAOLO TOMASSETTI …

2 days ago – Uploaded by Narendra kumar नरेन्द्र

These are the paintings of an Italian painter “GIANPAOLO TOMASSETTI”. He took 5 years to understand the …

*These are the paintings of an Italian painter “GIANPAOLO TOMASSETTI”.He  took 5 years to understand the Epic “MAHABHARAT”and 12 years to complete the paintings.Tremendous effort.*

View original post

ભલે આવ્યો શ્રાવણ ! હર હર મહાદેવ ! મહાદેવને દૂધનો અને બીલી પત્રોનો જ અભિષેક શા માટે ?

ભલે આવ્યો શ્રાવણ ! હર હર મહાદેવ ! મહાદેવને દૂધનો અને બીલી પત્રોનો જ અભિષેક શા માટે ?
ભલે આવ્યો શ્રાવણ ! હર હર મહાદેવ ! મહાદેવને દૂધનો અને બીલી પત્રોનો જ અભિષેક શા માટે ?

આપ સૌ જાણો છો કે, આગામી થોડા દિવસોમાં જ શ્રાવણ માસ આવી રહ્યો છે આ શ્રાવણ માસ આપણાં દેશમાં અદકેરું અને વિશેષ મહત્વ ધરાવે છે. મહાદેવ અર્થાત શિવને લગતા ઘણાં બધા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં શ્રાવણમાં મહાદેવને દૂધ
અને બીલી પત્ર ચડાવવામાં આવે છે જે થકી.પૂણ્ય મેળવી લેવાની અભીપ્સા રહેતી હશે.

છેક ઓગષ્ટ ૨૦૦૯થી મેં એક કરતા વધુ વાર, મારાં વિધ્ધવાન બ્લોગર મિત્રો સમક્ષ મારાં મનમાં ઉદભવેલો પ્રશ્ન રજૂ કરતો રહ્યો છું કે, મહાદેવને દૂધ તથા બીલી પત્રો શા માટે ચડાવવામાં આવે છે ક્યા સમયે, કોણે આ પ્રયોજયું હશે અને તેની પાછળનો તર્ક, કાર્ય-કારણ અર્થાત રેશનલ શું હોઈ શકે ?

જ્યારે અસંખ્ય બાળકો દૂધ વગર ટળવળતા હોય, એક ટીપું પણ તેમના ભાગ્યમાં નસીબ ના થતું હોય ત્યારે. આજે 21મી સદીમાં. આ દૂધનો અભિષેક અંધશ્રધ્ધા નથી ? આજ દૂધ. દૂધ વંચિત બાળકોને પાવાથી પૂણ્ય ના મળે ? અલબત્ત કેટલાક વિસ્તારોમાં આવું દૂધ બાળકોને પીવડાવવાની શરૂઆત થઈ હોવાના સમાચાર ક્યારે ક મળે છે જે સીલ્વર લાઈન જણાય છે.
આ વિષે આદરણીય સ્વામી સચ્ચિદાનંદે કહ્યાનું મને યાદ આવે છે કે, “આપણે ત્યાં મહાદેવને દૂધ ચડાવી પૂજા કરવામાં આવે છે તે જો શક્ય હોય તો પૂરેપૂરી રીતે બંધ કરી અને આ દૂધ ગરીબ બાળકો વચ્ચે વહેંચી દેવું જોઈએ પણ જો શ્રધ્ધાળુને દૂધ ચડાવવું જ હોય તો ભલે દૂધ ચડાવે પણ આ દૂધને નીકમાં વહી જવા દેવાને બદલે એક કુંડી/વાસણમાં એકઠું કરી રીસાયકલથી શુધ્ધ કરી, ગરીબ બાળકોને પીવા આપવું જોઈએ.”

આ સૂચન કેટલા લોકોએ સ્વીકાર્યુ તે જાણવામાં આવ્યું નથી. મહાદેવના મંદિરમાં આ દૂધ જે નીકમાં વહેતું હોય છે તે સ્થળે તીવ્ર દુર્ગન્ધ આવતી હોય છે કે કોઈ વ્યક્તિ ત્યાં 1-2 મિનીટ પણ ઉભી ના રહી શકે. પંરતુ આપણી અંધ શ્રધ્ધા એટલી પ્રબળ હોય છે કે ગંદ્કી આપણને કોઠે પડી ગઈ છે . આપણાં ઈશ્વરે પણ આનો સ્વીકાર કર્યે જ છૂટ્કો, કારણ ભક્તો રાખે તેમ ભગવાને પણ રહેવું પડે છે.

આજે હજુ પણ મોટાભાગના લોકો અંધ્શ્રધ્ધાથી દોરવાઈ અરે ! પોતાના બાળકને પણ દૂધથી વંચિત રાખી દૂધનો અભિષેક કરતા જોવા મળે છે. આવા લોકોના મનમાં ક્યારે ય ” દૂધ જ શા માટે ?” તેવો પ્રશ્ન ઉપસ્થિત નહિ થતો હોય ? કોઈ ગુરૂ-સ્વામી કે સંતો સમક્ષ રજૂ કરી કેમ નહિ પૂછતા હોય ?.

આથી જ્યારે શ્રાવણ માસ દરવાજે ટકોરા મારી રહ્યો છે ત્યારે મને ફરીને એક વાર મારાં બ્લોગર મિત્રો અને વડિલો કે જે અત્યંત વિધ્ધ્વાન, અભ્યાસુ અને ચિંતક છે તેમની સામે ઉપસ્થિત થઈ મારાં મનમાં ઉભરેલા અને પ્રત્યુત્તરની ચાર વર્ષ થયા રાહ જોઈ રહેલા પ્રશ્નો દોહરાવી રહ્યો છું.
( 1 ) મહાદેવને દૂધ શા માટે ચડાવવામાં આવે છે ? તેની પાછળ રહેલ તર્ક-રેશનલ કે કાર્ય-કારણ જણાવો. સાથે બીલી પત્રોના અભિષેક વિષે પણ જણાવવા વિનંતિ.

( 2 ) કયા સમયે અને કયા કાળમાં, કોણે આ દૂધ ચડાવવાની પ્રથા શરૂ કરી અને તેની પાછળ શું પ્રયોજન હોઈ શકે ? અને આજની આ 21મી સદીમાં આ પ્રથા કેટલી પ્રસ્તુત ગણી શકાય ? માત્ર બીલી પત્રો જ શા માટે ?

( 3) મહાદેવના મંદિરમાં મહાદેવની સામે” નંદી” અને નંદીના અગ્રભાગમાં “કાચબો” મૂકવામાં આવ્યા છે તેની પાછળનું રહસ્ય શું હોઈ શકે ? આ ” નંદી ” અને ” કાચબો ” શાના પ્રતિક છે અને શાનો સંકેત કરે છે ?
મને વિશ્વાસ છે કે, આ વર્ષે મને અચુક જવાબ મળશે, ભલે છેલ્લાં ચાર વર્ષ થયા ના મળ્યો હોય તો પણ ! મારાં વિધ્ધવાન બ્લોગર મિત્રો મને નિરાશ નહિ કરે તેવી આશા સાથે‌‌‌‌‌‌‌‌‌‌‌‌………..

જીવનદાન (Donate Life)

શ્રી ગોવિંદભાઈ ! ખૂબજ સુંદર લેખ અન્યોને પ્રેરણા મળે તેવો લેખ. મારાં બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. આભાર અને ધન્યવાદ !

‘અભીવ્યક્તી’

જીવનદાન(Donate Life)

લોકોને જીવવા યોગ્ય અને બહેતર વીશ્વ બનાવવાના દૃઢ નીર્ધાર સાથે ડીસેમ્બર 4, 2014ના રોજ સુરતમાં ‘ડોનેટ લાઈફ’ની સ્થાપના કરવામાં આવી છે. આ બીન નફાકારક સ્વૈચ્છીક સંસ્થાના મુખ્ય બે હેતુઓ જોઈએ :

(1)કેડેવર ઓર્ગન ડોનેશન(બ્રેઈનડેડ વ્યક્તીનાઅંગદાન)ની આખી પ્રક્રીયાને સરળતાથી સમજાવીને ‘અંગદાન’ અંગે લોકજાગૃતી ફેલાવવી.

(2) ભારતભરમાં કીડની અને યકૃત જેવા અંગોના દરદીઓની નીષ્ફળતાની સંખ્યા અને ‘અંગદાન–દાતા’ઓની સંખ્યા વચ્ચેનો તફાવત ઓછો કરી, વધુમાં વધુ દરદીઓને નવજીવન અપાવવું.

ભારતમાં 20 લાખથી વધુ દર્દીઓ કીડનીની બીમારીથી પીડાય છે અને તેઓ કીડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. જેમાં દર વર્ષે 2 લાખ દર્દીઓનો ઉમેરો થાય છે. એની સામે વર્ષ દરમીયાન 4,000 કીડનીઓ ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એ પૈકી માત્ર 1 ટકોકેડેવેર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. હૃદય, લીવર, સ્વાદુપીંડ અને  નેત્ર સમ્બન્ધીત રોગોની સંખ્યા પણ આઘાતજનક છે. દર વર્ષે પાંચ લાખ લોકો ‘અંગદાન’ના અભાવે મૃત્યુ પામે છે. આ ચીન્તાજનક પરીસ્થીતીમાંથી…

View original post 843 more words

‘અંગદાન’ના ચાર સાચા કીસ્સા

આ સત્યક્થાઓ અનેકને પ્રેરણા આપે અને અંગદાન વડે નવજીવન પ્રાપ્ત કરતા રહે તેવી શુભેચ્છાઓ સાથે, ગોવિંદભાઈ આપને ધન્યવાદ આવી સત્યવાતો બ્લોગ ઉપર મિત્રો સાથે શેર કરવા માટે ! મારાં બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. આભાર !

‘અભીવ્યક્તી’

કીડનીદાન મહાદાન

– અલ્પા નીર્મલ

જીતુ અને રક્ષા શાહ

પત્નીની કીડની સાથે એક જ ટકો મૅચ થતી હોવા છતાં પત્નીને ધરાર પોતાની એક કીડની ડોનેટ કર્યા પછીયે નૉર્મલ અને હેલ્ધી જીવન જીવી રહેલા પતીને મળીએ. ‘સપ્તપદી’ના ફેરા ફરતી વખતે યુગલ એકબીજાનું પોષણ કરીશું, વીકાસ–વૃદ્ધીમાં પરસ્પર મદદગાર રહીશું, સમૃદ્ધી વધારીશું અને સાચવીશું, સંવાદીતા–સમજણ સાથે સહજીવન ગાળીશું, એકબીજાની જવાબદારી નીભાવવામાં સહકાર આપીશું, સન્તાનોનો સારો ઉછેર કરીશું અને દરેક પરીસ્થીતીમાં એકબીજાને સાથ આપીશું જેવાં વચનોથી બન્ધાય છે. જો કે સાંતાક્રુઝમાં રહેતા જીતુ શાહ સપ્તપદીથી એક સ્ટેપ આગળ વધ્યા છે. તેમણે પોતાનાં ધર્મપત્નીને પોતાની કીડની આપીને તન્દુરસ્ત અને આરોગ્યમય જીવન આપવાનું આઠમું વચન નીભાવ્યું છે.

મુમ્બઈ યુનીવર્સીટીમાં જૈનોલૉજીનાં લેક્ચરર અને મેક્સીકો, સ્પેન, ઑસ્ટ્રેલીયામાં પાર્લમેન્ટ ઑફ વર્લ્ડ રીલીજીયનમાં જૈન ધર્મના પ્રતીનીધી તરીકે જઈ આવનારાં રક્ષાબહેન કહે છે, ‘1994માં રુટીન બૉડી ચેકઅપમાં મને ખબર પડી કે મારું ક્રીએટીન–લેવલ હાઈ છે. ડૉક્ટરોએ કહ્યું કે બે–ત્રણ વર્ષમાં કીડની–ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે, પણ બીઈંગ અ નેચરોપૅથ, મને થયું કે હું…

View original post 1,727 more words