વિશ્વધર્મ સંગોષ્ઠિ—ધર્મ સંવાદ !!!!! શ્રી મોરારિબાપુનો સ્તુત્ય પ્રયાસ !!!

વિશ્વધર્મ સંગોષ્ઠિ—ધર્મ સંવાદ !!!!!

શ્રી મોરારિબાપુનો સ્તુત્ય પ્રયાસ !!!

 

મહુવા મુકામે શ્રી મોરારિબાપુએ અલગ અલગ ધર્મના પ્રતિનિધિઓની મંગલમય એકતાનો એક નવો વિચાર વહેતો કરવાનો સંનિષ્ઠ પ્રયાસ હાથ ધર્યો છે. કદાચ આ પ્રયાસ સૌ પ્રથમ વાર આપણા દેશમાં થઈ રહ્યો છે.અને તે માટે શ્રી મોરારિબાપુને લાખલાખ ધન્યવાદ. આ પ્રયાસ આપણાં દેશમાં આવનારા સમયમાં કોમી એકતા સ્વરૂપે પ્રગટે અને કોમ કોમ વચ્ચેના વિખવાદ અને વૈમનસ્ય ખત્મ કરશે તેવી આશા રાખવી અસ્થાને નહિ ગણાય્ આ સંવાદ વખતે મોરારિબાપુએ કદાચ સાચું જ કહ્યુ કે અમે તો બીજ ફેંકી રહ્યા છીએ પછી તો વાદળ જાણે અને વસુંધરા ખરી વાત છે આમ જોવા જઈએ તો આવો પ્રયાસ આજ સુધી કોઈ એ પણ કર્યો જાણ્યો નથી. આ તદન મૌલિક વિચાર છે અને તેને વહેતો કરવા એવી પ્રતિભા અને શક્તિ જો સાથે સંયુકત રીતે પ્રયાસ કરે ત્યારે સફળતા મળવી ભલે મુશ્કેલ જણાતી હોય પણ અસંભવ તો નથી જ અને મોરારિબાપુમાં આ બને સાથે છે તેમાં કોઈને પણ શક નથી.>

*** મહુવા જેવા નાના શહેરમાં અનેક ધાર્મિક અને આધ્યાત્મિક હસ્તીઓને અમુક ચોક્કસ સમય ગાળામાં એકઠી કરવા માટે તમામ પાસેથી સહમતિ મેળવવી અને તેમની રહેવાની-ખાવા-પીવાની અને સલામતિની આયોજન બધ્ધ વ્યવસ્થા કરવી તે અત્યંત મુશ્કેલ જ નહિ પણ ખર્ચાળ પણ બની રહે જ્ તમામ ધર્મના વડાને એકજ મંચ ઉપર લાવવા અને પ્રશ્નોતરીમાં જવાબો પણ મેળવવા અત્યંત કઠિન હોવા છતાં મોરારિબાપુ તે કરી/કરાવી શક્યા તે માટે ફરી એકવાર લાખ લાખ ધન્યવાદ્!!!

*** બીજી એક વાત બાપુ એમ કહી ના છ્ટકી જઈ શકે કે અમે તો બી ફેંકયું છે અને હવે વાદળ જાણે અને વસુંધરા. જે બી ફેકેં તે બી ફાલે ફૂલે અને વટ વૃક્ષ બને તે માટે જરૂરી પાણી અને ખાતર ઉપરાંત નાની માટી જીવાતો અને જનાવરોથી રક્ષણ પણ કરવું જ રહે અને તે ઉતરદાયિત્વ નીભાવવુ જ રહે. અને તે માટે આવા પ્રયાસો માત્ર એકજ વારના ના બની રહે અને અવાર-નવાર આવા સંવાદોનું આયોજન થયા કરે તો એક દિવસ એવો જરૂર ઉગશે કે જ્યારે ધાર્મિક કટ્ટરતાની નિર્ર્થકતા આપોઆપ સમજાશે અને એક સુમેળ ભર્યું વાતાવરણ સમ્રગ દેશમાં પ્રસ્થાપિત થશે.

*** હું તો એક સામાન્ય માનવી છું. મેં કોઈ વેદ-ઉપનિષદ કે શાસ્ત્રો વાંચ્યા નથી. ગીતા કે શ્રીમદભાગવત કે રામાયણ કે મહાભારત પણ એટલાં ઉંડાણ પૂર્વક વાંચ્યા નથી કે અભ્યાસ પણ કર્યો નથી. હાઅલબત મને વાંચવાનો શોખ છે અને જે કાંઈ વાંચુ કે સાંભળુ તે સ્વીકારતા પહેલા મનોમન દ્વંધ કરવાની આદત છે. કોણ જાણે કેમ મને ચીલા ચાલુ અર્થ સ્વીકારી લેવાની આદત નથી અને એટ્લે મનોમન મનમાં ઉઠેલી શંકાઓનું સમાધાન કરવાની એક અનિવાર્ય આદત જાણ્યે-અજાણ્યે કેળવી બેઠો છું. અને એટ્લે આ તબક્કે મારાં મનમાં લાંબા સમય થયા ઉદભવતા કેટ્લાક પ્રશ્નો મોરારિબાપુને પૂછવાની લાલચ રોકી શક્તો નથી.. હું જાણું છું કે હું વાઘના મોઢામાં માથું નાખી રહ્યો છું.કારણ કે હું તો નથી કોઈ વિષયનો અભ્યાસુ- લેખક -સાહિત્યકાર્ કે ચિંતક હું તો માત્ર કાંઠે બેઠેલો છ્બછબીઆ કરનારો સામાન્ય માનવી છું.

( 1 )મારો પ્રથમ પ્રશ્ન આમ તો તદન સામાન્ય કક્ષાનો છે. મારાં ધારવા પ્રમાણે આપણાં દેશમાં છેલ્લા 20-25 વર્ષમાં ઠેર ઠેર કાં તો ભાગવત કથા-રામાયણ- ગીતા ઉપરના વ્યાખ્યાનો અને બીજા અનેક ધાર્મિક ગ્રંથોના વ્યાખ્યાનો યોજાયા છે અને આ વ્યાખ્યાનો સાંભળવા જે તે પ્રદેશની માનવ મેદની હજારોમાં નહિ પણ લાખોમાં ઉમટટી આપણે જોઈ છે. અરે ! ક્યારે ક તો એમ લાગે છે કે આ દેશમાં ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનું સુનામી જેવા મોજા ઉછ્ળતા હોય તેવો ભાસ થતો રહે છે. તેમ છતાં કોઈના પણ વર્તનમાં કોઈ પ્રકારનુ આમૂલ પરિવર્તન આવેલુ જણાતું નથી. નર્યો દંભ અને પાખંડ વધ્યા જણાય છે. અરે ! અપ્રમાણિકતા ભ્રષ્ટાચાર લાંચ્-રુશ્વત ચારિત્ર્યહિનતા ,બળાત્કાર ,લુંટફાટ ,ખાધ્યચીજોમાં ભેળસેળ અને અનેક પ્રકારની ગુન્હાહિત પ્રવૃતિઓ વધી છે. જાણે એનું પણ સુનામી જ ઉછળી રહ્યું છે.આમ કેમ થાય છે ?

( 2 ) લગભગ તમામ સંપ્રદાયોના આશ્રમો અને તેના વડાઓનો વૈભવ અને ઠાઠ માઠ 5-7 સ્ટાર હોટેલોથી પણ ચડિયાતો હોય છે. તો આવી આવક ક્યાંથી અને કોની પાસેથી કઈ પ્રવૃતિમાં થી આવતી હશે ?

( 3 ) સંપ્રદાયોના વડાઓને વિદેશમાં જવાની અને એનઆરઆઈ અનુયાયીઓ મેળવવાની ભયંકર લાલસા હોય છે અને તે દિન પ્રતિ દિન વધતી રહે છે.

( 4 ) પારવગરની મંદિરોની અને આશ્રમોની વધતી જતી આમદાની અને સંપત્તિ અનિવાર્ય રીતે અનેક દૂષણો લાવે છે. કોઈ કોઈ વાર સંતોની હત્યા સુધી પણ આ સંપત્તિ અને સ્થાન મેળવવાની લાલચ થતી આપણે જોઈએ છીએ અને સમાચાર પત્રોમાં વાંચીએ છીએ. આવા સંપ્રદાયોના આશ્રમોમાં અને મંદિરોમાં માત્ર ધનિકોને જ આગવા સ્થાન મળતા પણ જોઈ શકાય છે જ્યારે  સામાન્ય વર્ગમાંથી આવતા ખરેખરા શ્રધ્ધાળુ કર્મનિષ્ઠ અને આધ્યત્મિક ભક્તોને ઠોકરે દેવાતા હોય છે.

*** હું ધારું છું કે બાપુના મનમાં પણ આવા પ્રશ્નો ઉદભવતા હશે અને તેના જવાબ મેળવવા કોશિશ પણ કરતા જ હશે. મને ક્યારેક એવો વિકૃત વિચાર આવી જાય છે કે આ કથાઓ-વ્યાખ્યાનો-પ્રવચનો અને આવા બધા દુષણો એક જ સીક્કાની બીજી બાજુ તો નથીને ?

*** જેમ આવા કથા-વ્યાખ્યાનો અને પ્રવચનો વધ્યા છે તેજ રીતે મંદિરો અને સંપ્રદાયો પણ બિલાડીના ટોપની જેમ વધી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે આપણાં દેશમાં 45 લાખ મંદિરો છે અને જેમાં અનેક જ્ઞાતિ કે પરિવારના કુલદેવતા- કુળદેવી-સુરાપોરા કે અદા માબાપને નામે ઓળખાતા મંદિરોનો સમાવેશ નથી થતો. એજ રીતે અંદાજે 25000થી પણ વધુ સંપ્રદાયો છે અને તેની સંખ્યા પણ વધતી જે રહે છે. આમ છેવટ ના આદમી સુધી આપણે ધર્મને નામે વિભાજીત છીએ અને વધુ વિભાજીત થતા રહીએ તેવી તમામ કોશિશો માત્ર રાજકારણીઓ જ નહિ પણ સંપ્રદાયના વડા પણ કરતાજ રહે છે. અને આ અબુધ અને અભણ અને અતિ ધાર્મિક અને અંધશ્રધ્ધાળુ પ્રજા આનો જાણ્યે-અજાણ્યે ભોગ બની રહી છે. શું આ વિભાજન થતું અટકાવવા માટે આ જ પ્રકારની ગોષ્ઠિ મંદિરોના વડા અને સંપ્રદાયોના વડાની ના યોજી શકાય ? જોકે આપણા દેશનો ઈતિહાસ તપાસીએ તો વિભાજન એ જાણે આપણી પ્રકૃતિ કે ચારિત્ર્ય જણાશે. સામાન્ય મત પ્રમાણે લોકોને વિભાજિત રાખવામાં કે કરવામાં રાજકારણીઓને વધારે રસ હોય તેવી એક માન્યતા છે પણ તે કરતા પણ મને તો સંપ્રદાયોના વડા વધારે સક્રિય હોય તેમ જણાય છે

*** ઉદાહરણ તરીકે છેલ્લા કેટ્લાક વર્ષથી સંપ્રદાયો વચ્ચે અનૂયાયીઓ મેળવવા ગળાકાપ હરિફાઈ થઈ રહેલી આપણે જોઈ રહ્યા છીએ. આ કહેવાતા કોઈ પણ ધર્મ હિન્દુ હોય કે જૈન પણ આ તત્વ બધામાં સામાન્ય જણાય રહ્યું છે. અને એટ્લેજ એક વ્યક્તિ જ્યારે બીજી કોઈ વ્યકતિને મળે કે ફોન કરે ત્યારે વાતની શરૂઆત કરતા પહેલા અને પછી જે તે સંપ્રદાયના વડાએ આપેલી સુચના પ્રમાણે “જય શ્રી કૃષ્ણ “,”જય યોગેશ્વર”,” જય સ્વામિનારાયણ” ,”જય જિનેન્દ્ર “,”નમો નારાયણ”,”જય ભગવાન”, “બાપા સીતારામ ” કે એવાજ અન્ય સુત્રોનું ઉચ્ચારણ કરી બાદ જ વાત કરવાની શરૂઆત થતી હોય છે. આ ઉચ્ચારણોથી જે તે વ્યકતિ ક્યા સંપ્રદાયની છે તે ઓળખ છતી થતી રહે છે. પરિણામે આ અંધશ્રધ્ધાળુ અનુયાયીઓ વિવેક બુધ્ધિ વગર ઈશ્વરનું નામ ગમે ત્યારે ગમે ત્યાં લેતા થતા રહે છે અને કેટ્લીક વાર તો હાસ્યાસ્પદ બની રહેતા હોય છે !

*** આ તબક્કે મને એક પ્રસંગ યાદ આવે છે હું મારા એક સગાના મૃત્યુ બાદ વંચાવવામાં આવતી ગીતા અન્ય લોકો સાથે સાંભળી રહ્યો હતો ત્યારે ગીતા વાંચનાર મારાજે એકવેપારીનુ ઉદાહરણ આપ્યું અને તેના અંતમા કહ્યું કે આવા સટ્ટાકીય કારણોથી આખરે તે વેપારીનુ જે શ્રી કૃષ્ણ( ઉઠમણું/દેવાળુ) થઈ ગયું !! તમામ શ્રોતાઓએ આ સાંભળી ખડ ખડાટ હાસ્ય કર્યું. પરંતુ મારાથી આ સહન નહિ થતાં મે મારાજને આગળ કથા કહેતા અટકાવી પૂછ્યું કે આપ જેશ્રીકૃષ્ણ થઈ ગયું તે કયા સંદર્ભમાં કહો છે એની આપને સમજ છે ખરી ? અને કૃષ્ણ કોણ હતા અને આ સૌ શ્રોતાઓ ના એ આરાધ્ય દેવ છે તે આપ જાણૉ છો ?એટ્લું જ નહિ આપ કોઈનું ઉઠમણું/દેવાળુ નીકળે તેને જેશ્રી કૃષ્ણ થઈ ગયું કહો છો મને તમારી દયા આવે છે કે તમે કથાકારને પણ એટ્લી સમજ નથી કે કૃષ્ણ જેવી વ્યકતિનું નામ એટ્લું સસ્તું કે હલકું નથી જ નથી કે તે ગમે તે સંદર્ભમાં અને ગમે ત્યારે ગમે તે જગ્યાએ લઈ શકાય્. મારાજે બહુજ ભોંઠ્પ અનુભવી અને શ્રોતાઓની માફી માંગતા વચન પણ આપ્યું કે હવે પછી તેઓ આ બાબત બરાબર ધ્યાન રાખશે અને અન્ય કથાકારને પણ આ વિષે સુચના અને સલાહ આપશે. આ વિષે ધ્યાન દોરવા મારો આભાર પણ માન્યો.

*** આવો જે એક પ્રસંગ હમણાં જ બન્યો જેમાં કથાકાર ગીતા વાંચતા અર્જુનને સંબોધી ભગવાન કૃષ્ણ જે કહે છે તે સાંભળનાર શ્રોતાઓ કદાચ એમ સમજે છે કેગીતામાં  કહેવાતી ઉપદેશાતમ્ક અને સલાહ્-સુચનો ભરેલી તમામ બાબતો તો અર્જુનને સંબોધી કહેવાઈ હોય તે અર્જુને અમલમાં મુકવાની રહેલી હોઈ આપણે ગ્રહણ કરવાની કોઈ જરૂરિયાત નથી.

*** આ સંપ્રદાયોની હરિફાઈ  તેના કહેવાતા સંતો કઈ કઈ રીતે સામાન્ય લોકોના અજ્ઞાન અને ભોળપણ અને શ્રધ્ધાનો ગેર-ઉપયોગ કરી રહ્યા છે તે બાપુથી અજાણ્યું ના જ હોઈ શકે.મારી સમજ પ્રમાણે  આમ થાય છે કારણ કે સંપ્રદાયના વડાઓ અત્યંત મહત્વાકાંક્ષી અને લાલચુ બની રહ્યા છે.પોતાની વ્યકતિગત કીર્તિ માટે તે ગમે તે કરવા તત્પર બને છે. અને આપણે અવારનવાર સમાચારો વાંચીએ છીએ કે સંપ્રદાય ઉપર પ્રભુત્વ મેળવવા જે તે વડાની તેના જ શિષ્યોએ હત્યા કરાવી નાખી. કે સંપત્તિ માટે અદાલતમાં કેસો કરવામાં આવી રહ્યા છે અને જો તેમાં નિષ્ફળતા મળે તો જે તે શિષ્યો પોતાનો નવો સંપ્રદાય સ્થાપે છે અને અનુયાયીઓને ગેર માર્ગે દોરી પોતાના પંથમાં ભેળવવા જનુન પુર્વક મચી રહે છે.

*** મંદિરો અને સંપ્રદાયોની મિલક્તો અબજો રૂપિયા થવા જાય છે અને તે મેળવવાની સ્પર્ધા થતીજ રહે છે. અરે વાર્ષિક આમદાની પણ કોઈ કોર્પોરેટ કંપની કરતાં અનેક ગણી વધારે હોવાથી કોઈ પણ આવી મિલકતો કે જે મેળવવા કોઈએ કોઈ પ્રકારની મહેનત કરી નથી અને ભવિષ્યમાં પણ કરવાની રહેતી નથી તે આમ સહેલાઈ થી મળી જતી હોય તો તે માટે અનુયાયીઓને જ અંદરોઅંદર લડાવી શા માટે ના મેળવી લેવી તેવી વૃતિ સંપ્રદાયોના શિષ્યમાં દિન પ્રતિ દિન વધી રહી જણાય છે.

*** વધુમાં આ રીતે દાનમાં મળતી રકમ દાન કરનાર પોતાની કઈ અને કેવી પ્રવૃતિમાંથી મેળવી દાનમાં આપે છે તે પણ ચકાસવાની આ દાન મેળવનાર સંપ્રદાય કે મંદિર ક્યારે ય  જરૂરિયાત ગણતો નથી અને પરિણામે અનીતિ અને અનૈતિક પ્રવૃતિમાંથી મેળવેલ આવક આવા કહેવાતા દાનેશ્વરીઓ પોતાની કીર્તિ વધારવા આપતા રહેતા હોય છે. અને બાદમાં પોતાના ધંધા-ઉધ્યોગ માટે આ વગનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આવી અનીતિ અને અનૈતિક પ્રવૃતિમાથી મેળવાયેલી કોઈ રકમ ભલે તે વ્યાખ્યાન કે પ્રવચન માટે વપરાતી હોય પણ તેની કોઈ અસર શ્રોતાઓ ઉપર થતી હોતી નથી. અને એટલે જ આવા પ્રવચનો કે વ્યાખ્યાનો બાદ શ્રોતાઓ કોરા-ધાકોળ જ રહે છે.

*** રાજકીય પક્ષો સતા મેળવવા લોકોને ભરમાવી વિભાજીત કરતા રહે તે તો સમજી શકાય તેવી બાબત છે પરંતુ જ્યારે આવા ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનાં આંચળા હેઠળ આવા પોતાની જાતને ધાર્મિક વડા તરીકે ઓળખાવતા આ સંતો સમાજનું શું કલ્યાણ કે ભલું કરી રહ્યા છે તે સમજી શકાય તેમ ના હોય તેમને ઉઘાડા પાડી લોકોને આવા લેભાગુ તત્વોથી રક્ષણ આપી અને બચાવવા જરૂરી લાગે છે અને તે માટે બાપુ જેવી હસ્તી જ આવું ભગીરથ કાર્ય સમાજના સમગ્ર હિત અને કલ્યાણ માટે હાથ ઉપર લઈ યોગ્ય દોરવણી આપી શકે તેમ હું મક્ક્મ રીતે માનુ છું.

*** સમગ્ર દેશમાં રહેલા તમામ સંપ્રદાયોનું એક મંચ ઉપર એકત્રિત થવાનું આ પહેલા ક્યારેય નહિ હતું તેટ્લુ મારા મતે અનિવાર્ય જણાય છે કારણ કે આ તકવાદી અત્યંત લાલચુ અને અપ્રમાણિક અને સ્વાર્થી શાસકો સામે જો કોઈ પરિબળ સંયુકત રીતે અવાજ ઉંચો કરી શકે તો તે માત્ર આ આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયો જ છે.

*** સંપ્રદાયો રાત્રે ના વધે તેટ્લા દિવસે વધે છે અને દિવસે ના વધે તેટ્લા રાત્રે વધતા રહે છે તેના કારણમાં તો આ કહેવાતા આધ્યાત્મિક સંતોમાં રહેલો અહંકાર અને કીર્તિની ભૂખ અને સહેલાઈથી મળતી સંપત્તિ જ મુખ્ય હોય છે. આ સંતો અને વડાઓ અત્યંત મહત્વાકાંક્ષી માલુમ પડે છે અને તેમના જ્ઞાનનો ભયંકર અહંમ ધરાવનારા હોઈ નાના મતભેદો પણ સહન કરી શકતા ના હોય પોતાનો વાડો અલગ કરતા રહે છે અને અનુયાયીઓને પણ વિભાજીત કરતા રહે છે. આ કોઈ પણ સંજોગામાં અટકાવી શકાય તો જ સામાન્ય લોકોમાં અવિભાજ્ય એકતા સર્જી શકાય અને તો જ સર્વ ધર્મ સમભાવ માટે યોજેલા સંવાદની સિધ્ધિ પ્રાપ્ત થાય તેમ મારુ દ્રધ રીતે માનવું છે. કારણ જો આપણાં પોતા વચ્ચેજ સંપ્રદાયોની( એકજ હિન્દુ ધર્મ હોવા છતાં ) હરિફાઈ અને એક બીજાના ટાંટિયા ખેંચ ચાલી રહ્યા હોય તો આપણે કયા મોઢે અન્ય ધર્મના વડાઓને સમભાવ રાખવા સમજાવી શકીએ ??

*** સંપ્રદાયો વચ્ચે એકતા સિધ્ધ કરવા આપણા ગુજરાતમાં રહેલા અને લગભગ આવા જ વિચારો ધરાવનાર શ્રી સ્વામિ સચ્ચિદાનંદ, સુપ્રસિધ્ધ વિચારક અને ચિંતક સર્વશ્રી ગુણવંત શાહ ,નગીનદાસ સંઘવી ,મોહમ્મ્દ માંકડ ,કાંતિ ભટ્ટ ,વર્ષા અડાલજા યુવાનોના પ્રતિનિધિ જય વસાવડા ,કાજલ ઓઝા-વૈધ અને બીજા અનેક લેખકો અને સાહિત્યકારો અને ચિતકો અને સમાન વિચાર ધરાવનાર અમારા જેવા સામાન્ય નાગરિકોનો સહયોગ મેળવી શકાય અને આ કામ મોરારિબાપુ સિવાય કોઈ ના કરી શકે તેમ મારું દ્રધ માનવું છે.

*** બાપુએ જે વિચાર વિશ્વ ધર્મ સંગોષ્ઠિ અને ધર્મ સંવાદ માટે વહેતો કર્યો છે તે જ રીતે આ વિચાર પણ જો જોર શોરથી અને લબ્ધ પ્રતિષ્ઠિત સાધુ-સાહિત્યકારો-ચિંતકો-લેખકો સામુહિક રીતે વહેતો કરશે તો હું તો માનું છું કે આપણા દેશ ઉપર મોટો ઉપકાર થશે કારણ આ પ્રયાસથી વધતુ જતું વિભાજન તો ચોકકસ અટકશે અને આવનારા દિવસોમાંઆપણી એકતા અતૂટ મજ્બૂત અને દ્રધ બનશે. આવનારા દિવસોની એજ માંગ છે. અને આ એકતા જ આપણાં શાસકોની શાન પણ ઠેકાણે લાવશે.

*** મોરારિબાપુ મારા આ વિચારો કદાચ આપને યોગ્ય ના જણાય્ અને આપની લાગણી જાણ્યે અજાણ્યે મારાથી દુભાઈ હોય તો તો મને ઉદાર દિલે માફ કરવા વિનંતિ કરું છું.

*** અંતમાં ફરી એક્વાર મોરારિબાપુને એક તદન નવો વિચાર વહેતો કરવા લાખ લાખ ધન્યવાદ અને મને શ્રધ્ધા છે કે આપના આ પ્રયાસને આવનારા દિવસોમાં અવશ્ય સફળતા પ્રાપ્ત થશે જ.

વિશેષ નોંધ- અભિયાન સાપ્તાહિકના 24/01/2009ના અંકમા આપની આ વિચાર ગોષ્ઠિ વિષે એક ડાયરી પ્રસિધ્ધ થઈ છે. જેમાં છેલ્લો કટોરો ના મથાળા હેઠળ એક મરેલું કૂતરું આ ગોષ્ઠિના સ્થળે પહોંચવાના માર્ગ ઉપર સતત ત્રણે દિવસ જેમ હતું તેમ જ પડ્યું રહેલ અને તે વિષે કદાચ કોઈએ દરકાર નહિ કરેલી તેવો ઉલ્લેખ છે. અને ડાયરી લખનાર  શ્રી હિમત કાતરિયાએ વેધક અને અણિયાળો સવાલ કર્યો છે કે ધર્મસંવાદમાં એક્ઠા થયેલા ધર્માચાર્યો આ દુર્ગંધ મારતા કૂતરાના મૃત દેહને ત્રણ દિવસમાં હઠાવી લેવાની કોઈ ચેષ્ટા ના કરી શક્યા હોય તો વૈશ્વિક સિમ્ફ્ની સર્જવાની વાતો કેમ કરે છે ? કેમ સાંભળે છે ?

*** આપણાં મંદિરો અને કથાના સ્થળો ગંદ્કી ગિર્દી અને ઘોંઘાટથી ભરપુર રહેતા હોય છે. આ ગંદ્કી > ગિર્દી અને ઘોંઘાટથી લોકો એટ્લી હદે ટેવાઈ ગયેલા છે કે અમુક પ્રકારની ગંદ્કી ગિર્દી અને ઘોંઘાટ તેમને કોઈ પ્રકારની ખલેલ પહોંચાડતી નથી. આ વિષે આપ સૌએ વિશેષ ધ્યાન આપી લોકોને કેળવવાનું અભિયાન હાથ ધરવું આવશ્યક નથી લાગતું ? કારણ હું સમજું ત્યાં સુધી આપના જેવી વિભૂતિઓ તરફથી આવી ગંદકી ગિર્દી અને ઘોંઘાટ બંધ કરવાનો આદેશ નહિ મળે ત્યાં સુધી લોકો તેનું યોગ્ય પાલન કરવાના નથી જ . માટે આપ જેવા સૌએ સંયુકત રીતે એક આદેશ પ્રસિધ્ધ કરવો જોઈએ એમ મારું માનવું છેં

28 comments

  1. Shri Arvindbhai,
    Hearty congratulations for this article. Tamara chintan ane manan na fal rupe lakhaelo aa satya lekh ankh ughadnaro chhe.
    me mara introductionma lekho vishe vaat kari chhe. Aape vigate analysis karine aankh ughadnari vaato asarkarak rite lakhi che. Mare jagyani (Space) limitma rahine lakhavanu thai chhe. Parantu tame je prashno ni charcha kari chhe tej prashno tukma lakhine vaachakne pote vicharine javabo sodhava preru chhu.
    Tiranga in New Jersey ane Gujarat Darpan banne masik prakashan chhe. Tiranga bilingual che…English & Gujarati. Both are circulated FREE.
    You are like my elder brother to me and I am learning a lot from your blog. I have many articles to read yet.
    I have the official copies of the letters written on ANTERDESHIYA PATRA by Murari Bapu to Arunbhai & his family. These letters give us a historical past of M.B. Today I know it is bit difficult for the Gandhi family to be near the saint….M.B. M.B. is very very very bussy. I had written one article on M.B. in Tiranga about 4 years ago.
    It is true that slow and steady win the race. Let us continue our efforts to give the TRUTH about human life to millions of our brothers and sisters.
    Thanks. Aabhar ane Namashkar.

    Amrut(Suman)Hazari.

    Like

    1. ભાઈશ્રી અમૃત
      આપ બ્લોગ ઉપર પધાર્યા અને પ્રતિભાવો પણ આપ્યા મને ખૂબ જ આનંદ થયો. આભાર ! આપ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં ડોક્ટર છો અને ગુજરાતી સાહિત્ય અને ગુજરાતના વિકાસમાં અમેરીકામાં બેઠા બેઠા સક્રિય રસ લઈ રહ્યા છો તે જાણી વધુ આનંદ થયો. આપ્ની જેમ જ હું પણ નવચેતન-કુમાર-અખંડ આનંદ-નવનીત સમર્પણ નો ચાહક હતો અને હજુ છું અલબત્ત હવે પહેલાંની માફ્ક નિયમિત વાંચી શકતો નથી. કુમાર ફરી શરૂ થયું છે તેનું લવાજમ મોકલવાનું છે.હાલ તો સ્વામી સચ્ચિદાનંદ-ઓશો-ગુણવંત શાહ-મોહમ્મ્દ માંકડ-જય વસાવડા-મધુ રાય-કાજલ ઓઝા-વૈધ અને બીજા અનેક લેખકોના પુસ્તકો વાંચી રહ્યો છું.સાથો સાથ આ બ્લોગ ઉપર મારાં વિચરો મૂકી રહ્યો છું. આપ જેવા અનેક મિત્રો પ્રોત્સાહિત કર્યા કરે છે અને હું મારી રીતે અનુકૂળતા પ્રમાણે લખ્યા કરું છું. અનેક લોકોને મારાં વિચારોથી વિપરીત પણ વિચારતા હોય છે તેમને અવગણતો નથી અને ખેલદિલી પૂર્વક વાંચું છું તેઓના મુદાઓ સમજવા કોશિશ કરતો રહુ છુ. આમ મારો નિવૃતિનો સમય નીજાનંદમાં સરસ રીતે પસાર થાય છે.આપે મુરારેબાપુ વિષે જે માહિત્તિ આપી તે હું જાનતો નહિ હતો. તેઓ જુનાગઢમાં પ્રાથમિક શાળામાં ભણતા અને બોર્ડિંગમાં રહેતા ત્યારે પણ બાળકો સમક્ષ રામ કથા કહેતા તેમ મને મારા જૂનાગઢના વસવાટ દરમિયાન મિત્રો દ્વારા જાણવા મળેલું. મારા મતે જો સામાજિક સુધારા કરવા હોય તો હાલના જે કોઈ સંપ્રદાયના ગુરૂ-સંતો-સ્વામીઓ-મહંતો વગેરે એ પોતાના સંકુચિત ખ્યાલો છોડી એકતા કેળવી એક મતે દેશ ભરમાં ઝુંબેશ શરૂ કરવાની અનિવાર્ય આવશ્યકતા છે પણ યક્ષ પ્રશ્ન એ છે કે આ તમામ પોતાના સ્થાપિત હિતો જતા કરી સમાજ માટે કોઈ કાર્ય કરવા પહેલ કરશે ખરા ? ખેર ! આવજો ! મળતા રહીશું ! આપના મારાં અન્ય લેખો ઉપરના પ્રતિભાવોની હું પ્રતિક્ષા કરીશ !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  2. અરવિંદ ભાઈ !!
    તમે વડીલ છો તમારા બ્લોગ માં ઘણું બધું જાણવા મળે તેવા લેખો તમે રજુ કરવાનો પૂરો પ્રયાસ કરો છો, તમારી ઘણી વાતો વાંચીને મને મારું જામનગર યાદ આવી જાય છે. આજથી પંદર વર્ષ પહેલા મેં પણ પત્રકારત્વમાં પગ માંડેલા પાંચ વર્ષ સુધી પત્રકારત્વ કરેલું, પહેલા ભૂમિ દૈનિક અને પછી નોબત દૈનિકમાં કામ કરેલું. છેલ્લા દશ વર્ષ થી કેનેડામાં છું એમ સમજોને કે આજે આ પત્રકારત્વ હૃદયને તમારા લેખોએ પાછું ધબકાવ્યું છે, તમારા લેખોથી હું ખુબ ખુબ પ્રભાવિત છું.

    આ વખતે મારે મારા ગુરુ શ્રી ચંદ્રકાંતભાઈ ભટ્ટને જરૂર ને જરૂર યાદ કરવા પડે નહીતો હું નગુણો ગણાવ. અહી કેનેડામાં ગુજરાતી મેગઝીને બહુ ઓછા મળે છે, જામનગરના સમાચાર તો દુવા દયો આ નોબત.કોમને પણ તમારા બધાના આ બ્લોગએ NRI ના હૃદયમાં કંઇક જુદુંજ સ્થાન પ્રાપ્ત કર્યું છે. દશ વર્ષ પછી ગુજરાતીમાં લખવાનો મોકો મળ્યો છે, તો કોઈ ભૂલ થાય તો માફ કરી દેજો. આ વિષય એવો છે કે ક્યારેક વડીલોને પણ સલાહ આપાઈ જતી હોઈ છે, પણ આમાં કોઈને સલાહ આપવાનો પ્રયાસ છે જ નહીં.

    આ લેખ માં તમે એંક પ્રશ્ન પૂજ્ય શ્રી મોરારીબાપુને પૂછયો છે કે હજારો માણસ તમારી કથા સંભાળે છે અને સાંભળ્યા પછી પણ માણસ કેમ ગુન્હાહિત પ્રવર્તિઓ કરે છે ?
    આ પ્રશ્નનો જવાબ તમને જરૂર ને જરૂર મળશે જો તમે મોરારીબાપુની કથા પૂરે પૂરી સાંભળી હોઈ તો, આજે કથા એક વ્યવહાર બની ગયો છે કોઈપણ પ્રવક્તાની કથા કેમ ના હોઈ કોઈ આમંત્રણ આપે એટલે પહલો વિચાર નવ દિવસની કથા છેને એક દિવસ જઇ આટો મારી આવશું, આ કથા એક આવરા જાવરાનો વ્યવહાર બની ચુકી છે, આ મોરારીબાપુના સંવાદ એક પ્રયાસ કે પ્રયોગ નથી આ એક “યોગ” છે, જે થવું જ જોઈએ.!!

    ગાંધીબાપુ જયારે સોઉથ આફ્રિકા થી પાછા આવ્યા ત્યારે પ્રથમ પ્રવચનમાં બહુજ સંક્ષિપ્તમાં આપ્યું હતું, ઘણાબધા આ પ્રવચન ને સમજી શક્યા નહતા. ગાંધીબાપુની જે વાત હતી એ તે વખત ના સમાજ ની હતી ત્યારની પરિસ્તિતિ પર આધારિત હતી.

    મોરારીબાપુએ જે વાત કરી એ આત્યારની પરિસ્તિતિ પર આધાર રાખે છે.

    હવે રહયો તમારો પ્રશ્ન !!!

    એક સત્ય ઘટના પર આધારિત વાત છે કે એક લાખોપતિ માણસ છે તેને તેમના ગુરુ ઉપર અત્યંત શ્રધા છે, ગુરુની બધી વાતને માને તેમનું માનવું હતું કે તે લાખોપતિ છે તો તે ગુરુના પ્રતાપે છે, એક વાર ગુરુ સાથેની ચર્ચામાં તેમને ગુરુને પ્રશ્ન પૂછયો કે આજે માણસ કેમ પાપ કરી રહયો છે ? અપ્રમાણિકતા ભ્રષ્ટાચાર લાંચ્-રુશ્વત ,બળાત્કાર ,લુંટફાટ માણસ કેમ કરી રહયો છે ?

    આ જે લાખોપતિ માણસ હતો એ પણ એવી પ્રવુતિ કરવામાંથી બાકાત ન હતો, આ ગુરુ ની ભ્રુકુટી બદલાઇ અને કહયું કે બીજું બધું છોડ આજે અગ્યારસ છે અને આવતી અગ્યારસના બરાબર બપોર ના બાર વાગ્યે તારું મોત મને દેખાઈ છે.

    આ લાખોપતિ માણસ એ જાણી લીધું કે તેમની પાસે ખાલી એક મહિનો છે, આ માણસે બધી ખરાબ વસ્તુ ને ત્યાજીને ભજન કીર્તન અને સારી વસ્તુ નું અનુસરણ કરવા લાગ્યો. સત્ય બોલવાનું શરુ પ્રભુ ના ગુણ ગાવા સિવાયનું કઈ ના કર્યું. એમ કરતા અગ્યારસ આવી, આ લાખોપતિ માણસે જમણવાર રાખેલો બરાબર બપોરનો સમય થયેલો તેમાં તેને સામેથી ચાલી આવેલા તેમના ગુરુ જોયા. દોટ મૂકી પગ પકડી લીધા કહું કે સારું થયું ગુરુ તમે મારા અંત સમયે આવી ગયા.

    ત્યારે ગુરુએ કહું અરે તારા ઉપરથી તો તદ્દન ઘાત ગઈ , તને કશુજ નથી થવાનું !! હવે તારું મૃત્યુ નથી થવાનું !! આ સાંભળી આ લાખોપતિ માણસ ઉછાળા કુદ કરવા લાગ્યો ત્યારે ગુરુ એ તેમને પૂછ્યું હવે તું મને કહે કે તે આ મહિના માં કેટલા પાપ કર્યા ? ત્યારે આ માનસ કહે છે કે મે એક પણ પાપ નથી કર્યું, તો કે કેમ ? કેમ કે મને મારું મોત દેખાતું હતું, મને ડર હતો. તો કે તે મને પૂછેલો પ્રશ્નનો જવાબ તેમાજ છે.
    ભાવેશ કોટેચા

    Like

    1. ભાઈશ્રી ભાવેશ
      આપ જામનગરના છો તે જાણી ખૂબ જ આનંદ થયો ! આપ બ્લોગની મુલાકાતે આવ્યા અને પ્રતિભાવ પણ જણાવ્યા ખૂબ ખૂબ આભાર ! આપે જે મોરારીબાપુની કથાને ગાંધીજીના પ્રવચન સાથે સરખાવી તે મારા ગળે ઉતરતી નથી કારણ કે ગાંધીજીના વિચાર-વાણી અને આચરણમાં કોઈ વિરોધાભાસ ના હોવાને કારણે તેમના વચનમાં વિશ્વાસ રાખી લોક તેમની સાથે આવતું હતું. આપ જાણતા જ હશો કે ગાંધીજી આફ્રિકાથી આવ્યા બાદ પૂરા દેશના પ્રવાસે નિકળી પડ્યા હતા અને તેમણે જે દારુણ ગરીબી જોઈ કેટલાક પરિવારોમાં ઝુંપડ પટીમાં રહેતી સ્ત્રીઓ વચ્ચે માત્ર એક જ સાડી પરિધાન કરવા માટે રહેતી અને જે બહાર જાય તે આ સાડી ધારણ કરે બાકીની સ્ત્રી ઘરની ચાર દિવાલો ઓઢી નગ્ન રહે ! આ નક્કર વાસ્ત્વિકતા જોયા બાદ ગાંધીજીએ પોતે પણ એક નાનું એવું પંચીયું ધારણ કરવું શરૂ કર્યું અને તેવા જ વેશ સાથે ગોલમેજી પરિષદમાં ભાગ લેવા બ્રિટન પણ ગયા અને છતાં ક્યારે ય લઘુતાગ્રંથી અનુભવે નહિ હતી ! મોરારીબાપુની કથામાં જે કહેવામાં આવે છે તે અને તેમના આચરણમાં આસમાન-ધરતીનો ફેર છે અને તેથી જ ગમે તેટલી કથાઓ કરવામાં આવે તેમના વડે કે અન્ય કથાકારો કે કરોડો જ નહિ પણ અબજોની આમદાનીમા આળોટતા તમામ સાધુ-સંતો કે મહંતો કે ગુરૂઓના કોઈ પણ વચનનો પ્રભાવ શ્રોતાઓ ઉપર ના જ પડે તે મારા મતે નિર્વિવાદ છે. ઉપરાંત આપે એક શેઠનો દાખ્લો આપ્યો જેમને તેની ગુરૂએ કહ્યું કે તારું મોત આવનારી અગિયારસના છે અને તેથી તે શેઠે મૃત્યુના ભયને કારણે આ દિવદો દરમિયાન કોઈ પાપચાર ના કર્યો તેનું કારણ ગુરૂએ દર્શાવેલ મોતનો ડર હતો નહિ કે ગુરૂનો ઉપદેશ ! ગુરૂ તો વર્ષો થયા પાપચાર નહિ કરવા બોધ આપી રહ્યા હતા પરંતુ તેની કોઈ અસર મોતનો ભય દેખાડવામાં આવ્યો ત્યાંસુધી થઈ નહિ હતી ! તે શું સાબિત કરે છે ? ટૂકમાં મારું દ્રઢ માનવું છે કે જે વ્યક્તિના વિચાર-વાણી અને વર્તન અર્થાત આચરણમાં એક સંવાદિત-એક વાક્યતા ના હોય તેવી કોઈપણ વ્યક્તિના ઉપદેશની કોઈ અસર શ્રોતાઓ ઉપર ના પડે ! હા સરસ પહાડી અવાજ હોય કથા કરવાની અગવી શૈલી હોય તો અસંખ્ય શ્રોતાઓ જે રીતે સારા અમિતાભ જેવાના મુવીને માણનારા મળે છે તે જ રીતે આવા કથાકારોને શ્રોતાઓ મળી રહે ! શ્રોતાઓ કથા સાંભળતા પણ કથાકારની વાણી અને આચરણ વચ્ચે રહેલા વિરોધાભાસની અંદરો અંદર ટીકાઓ કરતા રહેતા હોય છે. ખેર ! ફરીને બ્લોગની મુલાકાત માટે આભાર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  3. एक स्वप्न से जागा हूं। जागते ही एक सत्य दिखा है। स्वप्न में मैं भागीदार भी था और द्रष्टा भी । स्वप्न में जब तक था, द्रष्टा भूल गया था, भागीदार ही रह गया था। अब जागकर देखता हूं कि द्रष्टा ही था, भागीदार प्रक्षेप था।
    स्वप्न जैसा है, संसार भी वैसा ही है। द्रष्टा, चैतन्य ही सत्य है, शेष सब कल्पित है। जिसे हमने ‘मैं’ जाना है, वह वास्तविक नहीं है। उसे भी जो जान रहा है, वास्तविक वही है।
    यह सबका द्रष्टा तत्व सबसे मुक्त और सबसे अतीत है। उसने कभी कुछ किया है, न कभी कुछ हुआ है। वह बस ‘है’।
    असत्य ‘मैं’, स्वप्न ‘मैं’ शांत हो जाये, तो ‘जो है’, वह प्रकट हो जाता है। इस ‘है’ को हो जाने देना मोक्ष है, कैवल्य है।

    Like

  4. સરસ લેખ અને યોગ્ય પ્રશ્નો. પરંતુ આનો જવાબ તમને પૂ. મોરારીબાપુ પાસેથી મળ્યો કે કેમ?

    ધર્મ એ આંતરિક શુધ્ધિનો માર્ગ છે. પણ લોકો તો અહીં પણ બિઝનેસ જ કરે છે. છતાં કોઇ એને રોકી શકતું નથી? તમારા જેવાં સિનિયર વડિલો આટલું સ્પષ્ટ વિચારે છે અને રજુ કરે છે એનાથી ઘણાં લોકોની આંખ ખુલશે જ, આવાં સંપ્રદાયના નામે ધર્મને વિભાજિત કરીને આપણને કયો વિકાસ આપણે કરીશું?

    Like

    1. હીરલજી
      આપે બ્લોગની મુલાકાત લીધી પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપે કહ્યું તેમ લોકોની આંખ ખોલવાનું કામ તો હવે આપ જેવા યુવાનો/યુવતીઓએ કરવા રહે છે અમે તો ઉમરલાયક થયા ક્યારે ઈશ્વરનું તેડું આવી જશે તે ખબર નથી તેમ છતાં અમારા વાચને અનુભવે જે વિચાર દ્ર્ષ્ટિ આપી તે વિચારો અત્રે રજૂ કરતો રહુ છું અને તે પણ મુખ્યત્વે મારા પોતાના નીજાનંદ માટે અને જો કોઈને યોગ્ય લાગે અને એ વિષે વિચારી સમાજમાં ધર્મને નામે વ્યપેલા દૂષ્ણો દૂર કરવા કંઈક નક્કર પગલાં ભરશે તેવી આશા સાથે પ્રયાસો કરતો રહુ છું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  5. શ્રી અરવિંદભાઈ

    વિવીધ વિષય પરના વિચારો આપના બ્લૉગની મુલાકાતથી જાણવા મળ્યા.
    ભાષા પરનું આપનું પ્રભુત્વ સરાહનીય છે.

    એક સુચન…
    આપની પૉસ્ટ પ્રિંટ થઈ શકે તેવી વ્યવસ્થા કરશો જેથી અનુકુળતાએ વાંચી શકાય.

    શ્રી મુરારિદાસ હરિયાણીએ ગુજરાતી લેખકોની વૈચારિક નસબંધી કરી છે.
    કાઠિયાવાડની હરીયાળી વનરાજી વચ્ચે ચાર-પાંચ દિવસના જલસા કોને ના ગમે ?
    જે માણસ કાળાં ચશ્માં પહેરી આંખોના ભાવ છુપાવતો હોય તેનો વિશ્વાસ ના કરી શકાય.
    વિશ્વાસ પ્રતિપાદીત કરવાનું પ્રથમ સોપાન આઈ-કૉનેટેક છે..!!

    શ્રી હરીયાણીના સાનિધ્યમાં થતું લેખકોનું એકબીજાનું સારંગીવાદન ના સમજાય તેવું છે.
    એક લેખક બીજા લેખકનું સારંગીવાદન શા કારણે કરે છે તેના વિષે આપ કંઈક પ્રકાશ પાડશો ?

    Like

    1. ભાઈશ્રી જય
      આપે બ્લોગની મુલાકાત લીધી પ્રતિભાવ પણ જણાવ્યો અભાર ! આ લેખોની પ્રિંટ થતી જ હોવી જોઈએ આપને કરાવવી હોય તો કરાવી શકો છો મને કોઈ તકલીફ કે વાંધો નથી. ફરીને મુલાકાત આપની અનુકૂળતાએ લેતા રહેશો અને પ્રતિભાવ દ્વારા પ્રોત્સાહિત કરતા રહેશો ! ચાલો આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  6. હું અભિયાન મેગેજીન તરફથી આ ઇવેન્ટ કવર કરવા ગયો હતો. મેં અભિયાનમાં અને મારા બ્લોગમાં આ મુદ્દે “મહુવા મઘ્યે વિશ્વધર્મસંવાદ” નામે લેખ લખ્યો હતો. આખો લેખ અને લીંક અહી મુકુ છું.

    મારૂ ગામ(ભાદ્રોડ) મોરારીબાપુના ગામ તલગાજરડાથી માત્ર ૪ કિલોમીટર દુર છે. નાનપણથી અત્યાર લગી મોરારીબાપુની કથાવાર્તામાં ડઝન કરતા વધારે વખત ઉપસ્થિત રહ્યો છું. અહી બદલાતા કાલચક્ર સાથે ભિંત, ખોરડા, માણસો… બધુ બદલાતું જોયું છે. મોરારીબાપુ છેલ્લા કેટલાક વર્ષોથી રામકથાના ગાનની સાથે સાથે સ્વાન્તઃ સુખાય ઘણી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ગોપીગીત પઠન, અસ્મિતા પર્વ, સંસ્કૃત પર્વ, વગેરે દ્રારા. એમાં તારિખ ૬થી ૧૧ જાન્યુઆરી ૨૦૦૯ દરમિયાન વિશ્વધર્મ સંગોષ્ઠિનું આયોજન કરીને પ્રવૃતિઓના ઝુમખામાં વધુ એક છોગુ ઉમેર્યુ હતું. મહુવાની માલણ નદીના તટે આવેલા કૈલાશ ગુરૂકુળમાં ‘વર્લ્ડ રિલિજિયન્સ ડાયલોગ એન્ડ સિમ્ફની ઃ ઘર્મસંવાદ’ના બેનર નીચે બૌધ્ધ, સુફી, ખ્રિસ્તિ, ઝેન, જૈન, મુસ્લિમ, હિન્દુ, શિખ, પારસી ધર્મના વડાઓને ભેગા કરીને પરસ્પર ધર્મસંવાદ રચવાનો કાર્યક્રમ હતો. અહી તારિખ ૬થી ૮ જાન્યુઆરી સુધી ત્રણ દિવસની મારી હાજરીમાં મેં અહી જે જોયુ, જાણ્યુ તેનાથી વાચકોને અવગત કરવાનો પ્રયત્ન કરૂ છું. …અને કૈલાસ ગુરૂકુળ તિબેટિયન છાવણીમાં ફેરવાયું

    ‘વિશ્વ ધર્મસંગોષ્ઠિ’નું ઉદ્દઘાટન દલાઈ લામાના હસ્તે તુલસીના છોડને ગંગાજળ પાઈને કરવાનું હતું. દલાઈ લામા સાથે સેંકડો તિબેટીયનોનો કાફલો પધાર્યો હતો. વાતાવરણ એવું હતું કે જાણે તમે તિબેટ કે ધર્મશાલા મધ્યે વિહરી રહ્યા છો. ઉદ્દઘાટન વક્તવ્યમાં દલાઈ લામાએ કરેલી ત્રણ વાતો ટાંકુ છું ‘સાયન્સ અને અૌધોગિક વિકાસ ચરમસીમાએ છે પણ અધ્યાત્મિક વિકાસ નથી થતો તેનું કારણ એ છે કે અધ્યાત્મિક વિકાસ પાંચ ઈન્દ્રિયોની પરે છે. પશુંના સુખદુખ ભૌતિક વિકાસથી શક્ય છે કારણ કે તેમની પાસે મન નથી. મનુષ્ય મનોભુમિમાં વિચરણ કરે છે તેથી તેના સુખદુખનો ઈલાજ ભૌતિક વિકાસથી શક્ય નથી.’ ‘ભૌતિક વિકાસથી ક્યારેક ઉંધો પ્રભાવ પડે, અતિ ભૌતિક વિકાસથી માનવીની તૃષ્ણા અને લોભ વધે છે. અને તેની પુર્તિ માટે તે મન, શરીર, વચનથી વધુ ભૌતિક ક્રિયાઓમાં વધુ મચી પડે છે અને સરવાળે દુખી જ રહે છે.’ ‘મન સ્થિર હોય તે સુખી રહે છે એમ આજનું દાક્તરી વિજ્ઞાન પણ કહે છે અને મનની સ્થિરતા અને એકાગ્રતાનું નિયમન ભૌતિક વસ્તુઓથી થઈ શકતું નથી. જે કુટુંબમા મૈત્રી, કરૂણા, સંતોષ હોય તે કુંટુંબ, પરિવારમાં વધુ શાંતિ રહે છે તે વાત સ્પષ્ટ છે. મૈત્રી, કરૂણા એ ચિત્તની દેણ છે, તેને કારખાનામાં ઉત્પાદિત કરી શકાતી નથી, સ્વયં ઉત્પાદિત કરવી પડે છે.’ દાર્શનિક મતભેદો ઉદ્દભવવા અંગે લામાએ લાજવાબ વાત કરી હતી. તેઓ કહે છે કે મનુષ્યની ચિત્તવૃત્તિ, ક્ષમતા, વાસના ભિન્નભિન્ન હોય છે. તેથી રૂચિ અનુસાર દર્શન સંભળાવીને મૈત્રી કરૂણા ઉત્પન્ન કરવાનો બુદ્ધનો ઉદ્દેશ રહ્યો છે. ધર્મ અને રાજનિતિના ગઠબંધનની પણ લામાએ ખબર લઈ નાખી, રાજનિતિક અને આર્થિક અસંતુલન સર્જાય ત્યારે રાજનિતિ ધર્મને સાથે લઈને હેતું અંકે કરે છે. અંતમા લામાએ ધર્મસભાને ચુંટલી ખણતા સંભળાવી દીધુ કે આ સભા ભાષણબાજી અને ડોક્યુમેન્ટનું સ્વરૂપ બનીને અટકી ન જાય. લામાની ભિતિ સાચી ઠરી એમ કહી શકાય? ખેર, દલાઈ લામાના ગમન સાથે તિબેટિયનો પણ અદ્દષ્ય થઈ ગયા. બે નેતાઓની વાત પુરી થઈ અને ધર્મચર્ચાનો પહેલો દિવસ સમાપ્ત થયો. હવે દેશી શ્રોતાઓ વધ્યા હતા. નગીનદાસ સંઘવીએ ‘ધર્મસંવાદનું મથાળું બાંધતી વખતે કહ્યુ કે વ્યક્તિ અને સમાજને યોગ્ય આકાર આપવામાં મુખ્ય ફાળો ધર્મનો રહ્યો છે અને ધર્મ બધા રિવોલ્યુશનનો મુખ્ય પાયો રહ્યો છે. નગીનદાસે આ સાથે કાંચીપીઠના શંકરાચાર્ય ધર્મસભામાં નાદુરસ્ત તબિયતને કારણે હાજરી આપી શકે તેમ નથી એમ કહીને સભામધ્યે શંકરાચાર્યનો સંદેશ વાંચી સંભળાવ્યો. મોરારીબાપુએ પ્રાસંગિક પ્રવચનમાં સંવાદ માટે વિવેક, વૈરાગ્ય અને વિચારની આવશ્યકતા ગણાવી. બાપુને દલાઈ લામાની ભાષણબાજી અને ડોક્યુમેન્ટના નામે લીધેલી ચુંટણી જરા અકારી લાગી હશે કે મુઠ્ઠી પછાડીને કહી દીધુ કે અમે તો બીજ ફેંકી રહ્યા છીએ પછી તો વાદળ જાણેને જાણે વસુંધરા. પહેલા દિવસે સાંજે ૬ વાગ્યે ધર્મસભા વિખેરાઈ એ પહેલા જાહેરાત કરવામાં આવી કે આવતીકાલથી દરરોજ સવારે ૧૧થી ૧૨.૩૦ કલાક સુધી પ્રશ્નોતરીકાળ રહેશે. એમાં એક શ્રોતાએ બાપુ ઉપર પસ્તાળ પાડી અને બીજા દિવસે પ્રશ્નોતરીકાળમાં પ્રશ્ન ઉઠાવ્યો કે બાપુને માલુમ થાય કે વિવેક, વૈરાગ્ય અને વિચાર માનવમાં જે માનવમાં હોય તેને સંવાદની જરૂર જ ક્યાં છે?

    બાપુ કુટીરે મહેફિલ મંડાણી
    રાત્રીભોજ લઈને ઉતારે ગયો ત્યા સંદેશ મળ્યો કે બાપુની કુટિરમાં ડાયરો જામ્યો છે. સાંકડ મુકડ ગોઠવાયેલા શ્રોતાગણમાં હું પણ જઈ બેઠો. બાપુ હિંડોળા ખાટે મંદ ગતિએ ઝુલતા હતા. કવિગણો બાપુના સાનિધ્યે કવિતમાં ઝુલતા હતા. બાપુભક્તો બાપુ તરફે ટકટકી લગાવીને સમીપસુખ માણ્યાની ધન્યતા અનુભવતા હતા. કવિત રસિક શ્રોતાગણ વાહ, વાહ કરીને કવિઓને પાનો ચડાવતું સાહિત્ય મસ્તીમાં ઝુમતું હતું. એવામાં આઈસક્રિમના કટોરાઓ ફરતા થયા, જાણે સોનામાં સુગંધ ભળી. ઘણી ઉંમરે ઝાઝું લખતા કાન્તિ ભટ્ટ બાપુની જમણી પા બેઠા ભિખુદાન ગઢવીને થાવા દ્યો કરતાકને ચારણી સાહિત્યને બે બોલમાં નવાજતા હતા. કશીક ઉતાવળમાં હોઈ ભટ્ટ બાપાએ ડાયરાને વચ્ચેથી રામ રામ કરીને કુટિર છોડી. ભિખુદાનભાઈને પહાડી ગળાને ચારણી ઢાળમાં દદડતું મુક્યું. કવિ માધવ રામાનુજે ગોપીભાવને પ્રગટ કરતા કવિત લલકાર્યા એવામાં જલન માતરી પધાર્યા એટલે રામાનુજે ખુરસી ખાલી કરીને માતરીને ધરી અને પોતે પછવાડે બેઠા. રામાનુજે ખુરસીએથી ઉભા થઈને જલન માતરીનો ટુંક પરિચય આપ્યો. બાપુની અને બાપુની આસપાસ બિરાજેલા અન્યોની ફરમાયેશના આધારે જલન માતરીએ ખિસ્સામાંથી ડાયરી કાઢીને ‘હું એટલા માટે નાસ્તિક નથી થયો જલન કે અલ્લાહ હશે તો કોક દિ કામ આવશે’…એક પછી એક ગઝલ છેડી. છેવટ કવિત અને આઈસ્ક્રિમનો બેવડો સ્વાદ માણતા સુવા માટે સૌ છુટા પડ્યા.

    સવાલ જવાબોની છુટ્ટી મારામારી
    પશ્નકાળ દરમિયાન મુમુક્ષુઓ પ્રશ્નો પુંછવા માટે અને મહાનુભવોમાં લાંબા જવાબો આપવા માટે તલપાપડ જોયા. નગીનદાસજીએ સંચાલક તરીકેના અધિકારનો ઉપયોગ કરીને ધર્મગુરૂઓને ‘પ્રશ્નનો ટુંકમાં જવાબ આપવા જેથી વધુમાં વધુ સવાલો સમાવી શકાય’ એવી વારંવાર અપીલ કરવી પડી. પણ એનું પરિણામ અમે કાંઈ જોયુ નહી. અમુક ધર્મગુરૂ સવાલનો જવાબ આપવો પડતો મુકીને અમથી અમથી વાતોમાં અડધો કલાક કાઢી નાખતા હતા અને કરગરતા સુરે નગીનદાસે ટુંકમાં જ જવાબો આપવાની પ્રાર્થનાનું પુનરાવર્તન કર્યે રાખ્યું હતું. નિમંત્રણ આપીને બોલાવેલા અતિથિઓ સાથે અવિવેક ન કરવો ઘટે એમ માનીને. મોટાભાગના કેટલાક પ્રશ્નકર્તા પણ ચાલાક નિકળ્યા, જવાબ પોતે જાણતા હોય છતા નેતાગણની કસોટી કરવા સવાલ પુંછતા હતા. સંવાદ ક્યાંય નહોતો, હમામમે સબ નંગે જેવો ઘાટ અમને જણાતો હતો. કાન્તિ ભટ્ટે ખિસ્તિ વડાને તાકીને સવાલ કર્યો કે હાલ ઘણા ઇસાઈઓ ઈસ્લામ તરફ વળી રહ્યા છે, આવું કેમ થઈ રહ્યુ છે? રાજકોટથી પધારેલા વલ્લભ કથિરિયાએ સ્વ પરિચય આપીને પ્રશ્ન કર્યો કે એક જ ધર્મ ‘માનવ ધર્મ’ અને બાકી બધા પંથો છે એવું રિઝોલ્યુશન પાસ કરીએ તો કેમ? મુંબઈથી પધારેલા રમેશ ઓઝાએ ક્લેશ ઓફ સિવિલાઈઝેશનને લઈને સવાલ કર્યો. કોઈએ સુફી વડાને પુછ્યુ કે જેહાદ અને કાફિર શબ્દનો અર્થ સમજાવવામાં આવે. જૈન મુનિએ બિશમને પ્રશ્ન કર્યો કે મુંબઈમાં મારી પાસે ઘણી બહેનોએ આવીને જણાવ્યું હતું કે અમને મિશનરી સ્કુલોમાં કપાળે તિલક, હાથમાં બંગડી અને મહેંદી લગાવવા દેવામાં આવતી નથી. જવાબમાં બિશપે આવી કોઈ પ્રથા અસ્તિત્વમાં હોવાનો ઈન્કાર કર્યો હતો અને મુંબઈના વડા સાથે વાત કરીને આ પ્રથા દુર કરવાની બાંહેધરી આપી હતી. મેં પણ એક ચિઠ્ઠિમાં સવાલ લખી મોકલ્યો હતો ઃ બધા ધર્મગૂરૂઓ વારાફરતી તેમના ધર્મમાં ઘુસેલા દુષણો ગણાવે. મારો સવાલ પુંછાયો નહોતો અને સભાનો રંગ જોતા એનો રંજ રાખવા જેવો નહોતો.

    સિતારો ચમકી ગયો
    ધર્મસભામાં ધર્મશાળાથી આવેલા બૌધ્ધ ધર્મની વજ્યાન શાખાના વડા પ્રો. સામધોંગ રિમ્પોચ સૌનું દિલ જીતી ગયા. હું અને ધર્મસંવાદ સધાશે એવી આશા લઈને આવેલા લોકો પૈકી મહદઅંશે મારી આ વાત સાથે સંમત હશે. રિમ્પોચે લોકોના હદયને સ્પર્શી ગયા. ધર્મના નામે થતા ડખા વિશે રિમ્પોચેએ કારણ આપ્યુ હતું, ‘મોટાભાગના ડાયલોગ મોનોલોગ બનીને રહી જાય છે. કહેવાવાળો પોતાની વાસના મુંજબ કહેવું છે તે કહી દે છે અને સાંભળવાવાળો વાસના મુંજબ સાંભળી લે છે. બુદ્ધ ઉપદેશ આપતા પહેલા ચેતવણી આપે છે કે હું જે કંઇ કહેવા જઈ રહ્યો છું તેને સુવર્ણની જેમ તપાવીને તપાસીને પરિક્ષણ કરો. વિવેકથી પરિક્ષણ કરીને માનો. એવું નહી કે બુદ્ધે કહ્યુ તેથી સાચુ હશે એમ માની લેવું. કેટલીક શુક્ષ્મ વાતો સરળ શબ્દોમાં રજુ કરતા રિમ્પોચેએ કહ્યુ હતુ કે લાલ, પિળા વસ્ત્રો પહેરેલા વૃદ્ધે કહેલું સાચુ હશે એમ માની નહી લેતા. એ વિવેકશીલનું લક્ષણ નથી. ધર્મહાનિ વિશેનો રિમ્પોચેનો ઉમદા વિચાર ઃ બુદ્ધ મુર્તિઓને તોડી નાખવાથી બૌધ્ધધર્મ નષ્ટ નથી થઈ જતો, મૈત્રી, કરૂણાને તોડવાથી નષ્ટ થાય છે. પોતાના ધર્મમાં પ્રતિષ્ઠિત થઈ ગયા પછી તેને બીજા ધર્મમાં દોષ દેખાતો નથી. ટોલરન્સ નહી, સમભાવ રાખવો જરૂરી છે. ધર્મગૂરૂઓ પુરા દિવસ રોકાતા નહોતા, મોટાભાગના તેમનું ભાષણ પતે એટલે નિકળી જવાનું ઉચીત સમજતા હતા. રિમ્પોચેની વિદાય સાથે ત્રીજા દિવસે ઓડિયન્સની હાજરીમાં પણ ઘટાડો નોંધાયો હતો. ઘણાને તો ખાનગીમાં એમ કહેતા સાંભળ્યા કે રિમ્પોચના જવા સાથે ધર્મ સંવાદ અહી પુરો થાય છે. તાઓ ધર્મના પ્રતિનિધિ ડો. શુ હિકોસાકાએ ભાષણ માટે ૧૨ પાનાનું વૃતપત્ર તૈયાર કર્યુ હતું. એમાં ૧૦ પાના હિરોશિમા અમે નાગાસાકી શહેર ઉપર થયેલા અણુપ્રયોગ અને તેની અસરો વિશેના હતા. બે પાનામાં ધર્મોપદેશ તૈયાર કર્યો હતો. ધર્મો પદેશમાં તેઓ વિવિધ સંતોના અવતરણો અને ફિલસુફી ટાંકીને લાવ્યા હતા. મને અણુપ્રયોગ વિશેના નિબંધમાં રસ પડતા તેમની પાસેથી વૃતપત્રની એક કોપી મેળવી લીધી હતી.

    છેલ્લો કટોરો…
    અંતે વાત ભલે સુગાળવી લાગે તોપણ એ વાત કરવી પડે તેમ છે. કૈલાસ ગૂરૂકુળ માલણ નદીના કાંઠે આવેલું છે અને માલણ નદી મહુવાના શિમાડે સુકી પડી છે. મહુવાથી કૈલાસ ગૂરૂકુળ જતા નદી વળોટવી પડે છે. પહેલા દિવસે નદી વળોટતા જોયું તો મહુવા તરફના નદી તટે રસ્તાની બાજુમાં એક મરેલું કુતરૂ પડ્યું હતું. અતિ દુર્ગંધ વર્તાતી નહોતી તેથી માન્યુ કે કુતરૂ તાજેતરમાં મર્યુ હોવું જોઈએ. ત્રીજા દિવસે ગુરૂકુળ છોડ્યું ત્યારે એ કુતરાનો મૃતદેહ યથાવત ત્યાંજ પડ્યો હતો. એ ક્ષણે એક કંપારી સાથે તીવ્ર વિચાર ઘુમરાયો ઃ બધા ધર્માચાર્યો અને શ્રોતાજનો ધર્મસંવાદ માટે આ રસ્તેથી જ પસાર થાય છે. ત્રણ દિવસના ધર્મસંવાદમાં બધા ધર્માચાર્યોએ એક વાત કોમન કહી હતી કે અમારો ધર્મ પ્રેમ, દયા, કરૂણા, પરોપકાર, મૈત્રી શિખવે છે. અને મુમુક્ષુઓએ આ વાત પર તાળીઓ પાડી હતી. કુતરાના મૃતદેહને ત્રીજા દિવસે એજ સ્થાને પડેલો જોઈને થયુ કે આને ગતિ ન આપી શક્યા તેઓ વૈશ્વિક સિમ્ફની સર્જવાની વાતો કેમ કરે છે? કેમ સાંભળે છે?
    http://himmatkataria.blogspot.com/search?updated-max=2009-03-19T22:24:00-07:00&max-results=7

    Like

    1. ભાઈશ્રી હિમંત
      આપ મારાં બ્લોગ ઉપર પધાર્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપના તથા અભિયાનના નામના ઉલ્લેખ સાથે જ આપે જણાવેલો મુદ્દો મરેલા કૂતરાની લાશ બાબતનો મારા બ્લોગમાં મેં જણાવેલ છે જે આપે જોયું હશે ! આ ઉપરાંત પણ મેં કેટલાક મુદાઓ વિષે શ્રી મોરારીબાપુને પ્રશનો પણ કર્યા છે. તે પણ આપે વાંચ્યા જ હશે. આ ઉપરાંત મારો એક લેખ ગંદકી વિષેનો છે અને તે માટે મેં શ્રી મોરારીબાપુ શ્રી રમેશ ઓઝા સ્વામી સચ્ચિદાનંદ તેમજ અહીંની અર્થાત જામનગરમાં આવેલ ધાર્મિક સંસ્થાઓ મંદિરો અને શાળાઓ અને કોલેજોને તથા સુધરાઈ કલેકટર ડીડીઓ વગેરેને એક પત્ર સાથે આ લેખની નકલો પણ મોકલેલ છે અને વિનંતિ કરેલ છે કે ગંદકી ના થાય માટે સૌ સહિયારો પ્રયત્ન કરે તો એક બહુ જ મોટું કાર્ય સિધ્ધ થઈ શકે !
      સર્વ ધર્મ સમભાવ મારી દ્રષ્ટીએ બહુ મોટું કાર્ય છે પણ જો આપણાં દેશના 25000 થી પણ વધારે સંપ્રદાયો વચ્ચે એક રાગતા કેળવી શકાય અને સ્પર્ધા નીવારી સૌનો ઈશ્વર એક જ સ્વરૂપનો વિચારી શકાય તો ભગીરથ કાર્ય સંપન્ન થઈ શકે તેમ મારું દ્રધ માનવું છે. સંપ્રદાયોની સ્પર્ધાને કારણે આપણે વધુ અને વધુ વિભાજીત થઈ રહ્યા છીએ તે તો નિઃશંક વાત છે ! આપણે સૌ જાણીએ છીએ કે આજના રાજકારણી/સત્તાધીશો જનસમુદાયનું કોઈ કલ્યાણ કરવાના નથી તો તેવા સંજોગોમાં આવા આદરણીય સાધુ-સંતો-સ્વામીઓ-મહંતો-ગુરૂઓ અને કથાકારોની જનસમુદાયને માત્ર બોધ અને ઉપદેશ આપવા સીવાય્ પણ અન્ય ઉતરદાયિત્વ છે અને તે કોઈની શેહ્-શરમમાં આવ્યા સીવાય નીભાવવાની જવાબદારી આ તમામ લોકોની બને છે ! આપ શું માનો છો ? ફરીને આપનો આભાર ! મળતા રહીશું !
      આપના અન્ય લેખ ઉપરના પ્રતિભાવોની હું આતુરતા પૂર્વક રાહ જોઈશ ! આવજો !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  7. મોરારી બાપુ પોતે રામ કથાનો ધંધો લઈનેજ બેઠેલા છે.બીજા લોકો કરતા વધારે ચાલક છે.માટે વરસ માં એકજ વાર ગુરુપૂનમ ના દિવસે સામટું ધન ભેગું કરી લે છે.ગુરુ બનવાની જરૂર જ શી છે?આટલા બધા ગુરુઓ ઓછા પડે છે?જુદા જુદા વાડાઓના વડા ઓ ને ભેગા કર્યા.પણ એકેય વાડો ઓછો કર્યો?કે ભાઈ ૨૫૦૦૦ સંપ્રદાયો ની શી જરૂર છે?ચાલો બે ચાર એક થઇ જાવ.ચાલો એક જ સહજાન્નંદ સ્વામીનારાયણ ની ચાર પાચ શાખાઓ થઇ ગયી છે તો એક જ કરીદો.ના એવું તો શક્ય જ નથી.તો ભેગા થઇ ને શું કરવાનું?ખાલી નામ કમાવાનું?વૈષ્ણવો માં જેટલા ગુરુ એટલા વાડા છે.મોરારી બાપુ તો ઠીક ભગવાન નીચે ઉતરે તો પણ એક થવાના નથી.મુલે એક થવું જ નથી.એક થવા દેવા માં ગુરુઓના જ હિત જોખમાય છે.હવે સુંદરકાંડ નું ચાલ્યું છે.આખી કથા કોણ સાંભળે?એકલા સુંદર કાંડ થી સ્વર્ગ મળી જતું હોય તો?બાપુના વાદે પેલો ગરબા ગાયક કાળી કામળી ભર ઉનાળામાં ખભે લઈને સુંદર કાંડ ગાયા કરે છે,જો જો થોડા દિવસ પછી એનો પોતાનો સંપ્રદાય બની જવાનો.બાપુ એને કેમ રોકાતા નથી કે મારા વાદ લેવાનું બંધ કર તારું કામ નહિ.ત્યાં લોકશાહી આવી જશે.બાપુ પોતે કુંભ ના મેલા માં ૧૫લાખ ની વ્યાસ પીઠ પર બિરાજેલા.કોના પૈસા?અને એક લાખ ના તંબુ માં રહેતા હતા.કાકાશ્રી આ બધા પૈસા કોણ આપે છે?મોરારી બાપુ ગાંધીજી ની જેમ કેમ જીવતા નથી?એ ૧૬ લાખ ની સાથે બીજા કેટલા રૂપિયા વાપર્યા હશે?ચાલો હું સાદા લાકડાના મંચ પર બેસીસ ને નાની ઝુપડી માં રહીશ એ ૧૬ લાખ ગરીબોને કામ માટે વાપરો.એવું કેમ ના કર્યું?એમની સાદગીનો વૈભવ જેવો તેવો નથી.ક્યાં સુધી આપણે એમની ચાલાક વાતોમાં ભોળવાઈ મૂરખ બનતા રહીશું?મોટા સાક્ષરો એમની વાતોમાં ભોળવાઈ ચુક્યા છે.તો આપણે તો કિસ ખેત કી મુળી?

    Like

    1. ભાઈશ્રી ભુપેન્દ્રસિંહ

      આપનો રોષ સાચો છે હું આપની સાથે જ છું. તેમ છતાં હું મારી વાત મારી રીતે સાદી ભાષામાં વ્યકત કરતો રહુ છું જે આપે મારા અન્ય લેખોમાં વ્યકત કરેલા વિચારો વાંચ્યા હશે તો સમજી શક્યા હશો૴ મોરારીબાપુ વિષેના લેખમાં પણ મારો મુખ્ય મુદો આપ જે કહો છો તે જ રહ્યો છે કે વિશ્વના ધર્મો એક થાય કે ના થાય આ દેશમાં જે અનેક સંપ્રદાયો ફાલ્યા-ફુલ્યા છે તેની વચ્ચે એકતા સાધવા નક્ક્રર પ્રયાસો કરવા લાગવું જોઈએ ! પણ તેમાં કોઈને રસ નથી કારણ કે સૌ સાધુ-સંતો-બાવાઓ-ગુરૂઓ અને કથાકાર -વ્યાખ્યાનકર્તાઓના સ્થાપિત હિતો ઉભા થઈ ગયા છે અને ધાર્મિકતાને નામે જે વૈભવી જાહોજ્લાલી વાળું જીવન છોડવું કોઈને ના જ ગમે અને તે પણ પારકે પૈસે મળતી વૈભવી જીવન શૈલી ! મોરારીબાપુની વૈભવી સાદાઈ ( ?) તો અબુધ-અસમજ-અભણ જ પૂરી નથી કરતા પરંતુ અંધશ્રધ્ધાળુ અને તેમના પ્રભાવમાં અંજાઈ જનારા સારું એવું ભણેલા પણ ભરમાઈ અનુયાયી બની જતા હોય છે.

      આપે કહ્યું કે હવે સુંદરકાંડ ઉપરના વ્યાખ્યાનો શરૂ થયા છે લોકો જેમ એકજ પ્રકારના સીનેમા જોઈ કંટાળે છે તેમ આ કથાકારો પણ શ્રોતાઓની નાડ પકડી સમયે સમયે નવા વિષયો લાવવા લાગ્યા છે. માત્ર સુદરકાંડ જ નહિ હમણાં જ મેં વાંચેલુ કે કોઈ કથાકાર માત્ર હનુમાનજીની કથા કરવાના છે આ પહેલા ગાય ભક્તોને ગૌ-કથા સંભળાવવાની તો ક્યારની ચાલુ થઈ ગઈ છે !

      લોકો રામાયણ્-ભાગવત-ગીતા વગેરે ઉપરની કથાઓથી થાક્યા છે અને તેની જાણ આ ચાલાક કથાકારોને આવી જતા પોતાના શ્રોતાઓ અન્ય પાસે શ્રવણ કરવા ના ચાલી જાય તે માટે વિષયો બદલી રહ્યા છે ! મને ખાત્રી છે કે આપ મારા અન્ય લેખો વાંચસો તો આપણાં બંનેન વિચારોમાં બહુ જ નજીકની સમાનતા અને સામ્યતા નજરે પડશે ! હા વિચારો રજૂ કરવાની શૈલી અલબત્ત અલગ પ્રકારની જણાશે ! ખેર ! આવજો !

      મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી ગૌતમ

      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! વળી પણ આપની અનુકૂળતાએ પધારતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો તો મને પ્રોત્સાહન મળતું રહેશે ! આવજો ! મળતા રહીશું.

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

    1. ભાઈ અશ્મી
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી આભાર્. આપનો પ્રતિભાવ બરાબર સમજી શક્યો નથી કે આપને મારાં વિચારો પસંદ પડ્યા છે કે નહિ તો ખુલાસો કરશો તો આભારી થઈશ. ઉપરાંત અન્ય વિષય ઉપરના પણ મારા વિચારો વાંચી આપના પ્રતિભાવો જરૂર જણાવશો હું આતુરતા પૂર્વક રાહ જોઈશ્
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  8. મને તો આ ક્ષણે સો વરસથી યે વધુ સમય પહેલાના સ્વામી વિવેકાનંદના શબ્દો યાદ આવે છે. ” સ્વામી વિવેકાનન્દ અને ધર્મ ” આ લેખ મેં મારા બ્લોગ પર પણ ઘણાં સમય પહેલા મૂકેલ…અનુકૂળતાએ વાંચશો તો આજે પણ એ કેટલી સાચી વાત છે તેની પ્રતીતિ જરૂર થશે.

    તેમણે કહેલ ” સાચો ધર્મ અસ્તિત્વમાં છે જ…જો ઠોડો સમય મુલ્લાઓ, મહંતો અને પાદરીઓ..કોઇ પણ ધર્મગુરુઓ મૌન રહે તો વિશ્વધર્મની ઝાંખી જરૂર થાય..

    વિગતવાર આખો લેખ આપને જરૂર ગમશે જ. ધર્મ વિશે મારા ખ્યાલ મુજબ આનાથી ઉત્તમ લેખ બીજો કોઇ નહીં મળી શકે.
    http://paramujas.wordpress.com

    thanks

    Like

  9. વડાપ્રધાન-રાષ્ટ્રપતિ ને ઠઠારા હોય ! બાપુને કેમ નહિ ? ભેગી થયેલી લક્ષ્મી તેનો રસ્તો કરે છે. મંદિર અને મિલ્કત એ બીમાર સમાજની દેન છે.વધારે મંદિરોવાળું શહેર એ માનસિક રોગના દર્દીનું શહેર હોઈ શકે છે. જેને આત્મશ્રધ્ધા નથી તેને ટેકાની જરૂર છે.લેખકે દર્શાવેલા લક્ષણો ગંદકી-ગિર્દી-ઘોઘાટ સમાજની માનસિક સ્થિતિ અને તેના ઉછેરની ખામી છે. ભૂંડને ગંદકી ગમે.ગિર્દી ગમે. ઘોંઘાત ગમે. બધુ સાહજીક લાગે છે.આ બધા માટે સમાજ પોતે જ જવાબદાર છે.સીંગાપુરની સ્વચ્છતા ગમે.લંડનની શિસ્ત ગમે.કારણ કે તેની જવાબદારી તેના નાગરિકોની છે આપણે નહિ ! આપણને જોવું ગમે-સાંભળવું ગમે. પરંતુ આચરણ-અમલ કરવાનો આવે તો બાપુનો મગજ જાય.
    વ્યવસ્થા માટે દરેક કુટુંબ-સમાજ અને પરંપરા જવાબદાર છે. અને તમે પોતે પણ્ તમારી ગિર્દી-કચ્રો-અને ઘોઘાટ કરવાની 100 વર્ષ જૂની આદત કાલે બદલશો ? આજે નહિ !!! વાહ ભાઈ વાહ !!!!

    Like

      1. રાજેન્દ્રભાઈ

        આપનો ખૂબ ખૂબ આભાર્.તુલસીદલની મુલાકત લીધી. બ્લોગ ખૂબજ સરસ છે. ફરી નિરાંતે મુલાકત લઈ પ્રતિભાવ પણ મોકલીશ્ ફરીને એક વાર આભાર્
        આવજો-
        સ-સ્નેહ
        અરવિંદ

        Like

  10. આ લેખની એક નકલ શ્રી સ્વામી સચ્ચિદાનંદજીને ટપાલમાં મોક્લેલી તેઓશ્રીએ ટ્પાલથી મને જવાબ લખ્યો છે જે મને આજે મળેલ હોય મારા બ્લોગની મુલાકાતીઓના લાભાર્થે અહિ શબ્દશ: રજૂ કરેલ છે.
    “Swami Sacchidanand,Dantali-Petlad. Dist.Anand Gujarat 388450.”
    12/02/09
    ‘”ભાઈશ્રી અરવિદ ભાઈ
    હરિ સ્મરણ
    પત્ર વાંચી આનંદ થયો.હું મહુવા આવ્યો નહિ હતો. પણ ટીવી અને સમાચાર પત્રોથી સમાચાર જાણ્યા હતા.
    ધાર્મિક એકતા અત્યંત જરૂરી અને મહત્વની બાબત છે. પણ મારી દ્રષ્ટિએ તેના ત્રણ ભેદ છે.
    1. બાજરી-જુવાર-મકાઈ જેવી આ બધું એક સાથે વાવ્યું હોય તો બધું ઉગે અને સાથે રહે.
    2. યાત્રાળુઓના સંઘ જેવી. જેમાં સૌ શક્તિ પ્રમાણે આગળ-પાછળ ચાલતા હોય છે.
    3. બાજરી અને ખડ-નીંદામણ જેવી. જેમાં ખડ જોત જોતામાં એટલું વધી જાય છે કે બાજરી સમાપ્ત થઈ જાય છે.
    આ ત્રીજો પ્રકાર ખતરનાક છે. ખડે કશું જ કરવાનું નથી માત્ર સમય જ પસાર કરવાનો છે.ખડ સાથેની એકતા બાજરી માટે આત્મ વિનાશક થઈ શકે છે.
    સૌએ વિચારવું હિતાવહ છે.

    સચ્ચિદાનંદ”

    મારા લેખમાં ઉલ્લેખ કરેલા અને જેમના પોસ્ટલ શરનામાં મને મળ્યા અને જેમની ઈ-મેલ આઈ ડી મળેલી તે સૌને આ લેખની નકલ મેં મોક્લેલી હતી તેમાંથી સૌ પ્રથમ સ્વામીજીએ પ્રતિભાવ મોકલી આપ્યો છે. આજ મને ખૂબ આનંદ છે કે સ્વામીજી પોતાના અત્યંત વ્યસત સમયમાંથી પણ થોડો સમય ફાળવી મારા જેવા એક સામાન્ય વિચારકને પ્રતિભાવ લખે જે માટે હું સ્વામીજીનો ઋણી છં અને મારી કૃતજ્ઞતા વ્યકત કરુ છું. કાશ અન્ય આદરણીય તત્ત્વ ચિંતકો અને લેખકો અને સાહિત્યકારો પણ આવો સીલ સીલો અપનાવી મને પ્રત્યુતર આપે તેવી મારી અંતરની ઈચ્છા છે.

    Like

    1. હા ભાઈ તેજસ આ લેખની નકલ મોરારિ બાપુ-સ્વામિ સચ્ચિદાનંદ્-ગુંણવંત શાહ્-નગીનદાસ સંઘવી-જય વસાવડાને મોક્લી આપી છે અને તેઓના પ્રતિભાવની રાહ જોઈ રહ્યો છું. આવશે તો આપને ચોક્કસ જણાવીશ્ આભાર્.

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s