મંદિરોની સમૃધ્ધિ – 2

મંદિરોની સમૃધ્ધિ ——- ( 2 ) —— – – થોડું વિશેષ ******* !!!!!!

આ પહેલા મેં મંદિરોની સમૃધ્ધિ વિષે મારા બ્લોગ ઉપર લખેલું છે અને તેના અનુસંધાને આ લેખમાં થોડી વિશેષ માહિતી આપવાની કોશિષ કરું છું. તાજેતરમાં જ કેટ્લાક મંદિરોની અંદાજીત વાર્ષિક આમદાની વિષે માહિતી મળેલ હોઈ જે આપ સૌને જાણવામાં રસ પડ્શે તેમ ધારું છું.

આપણા દેશમાં કેટ્લાક અબજો પતિ મંદિરો છે અને જેની વાર્ષિક આમદાની કરોડો રુપીયા થવા જાય  છે તેની વિગતો નીચે આપી છે.

(1) શિરડીનું સાંઈબાબાનું મંદિર- વાર્ષિક આવક 100 કરોડ થી પણ વધારે-2008ના જાન્યુઆરીમાં એક ભક્તે એક્લાએ જ 100 કરોડ રૂપીયાનું દાન કરેલ છે.

(2) વૈષ્ણોદેવી –વાર્ષિક આવાક 001 એક કરોડ્થી વધારે-

(3) શ્રી સબરીમાલા મંદિર—વાર્ષિક આવક રૂપીયા 100 કરોડથી વધારે

(4) મોટા અંબાજી—વાર્ષિક આવક રૂપીયા 40 કરોડથી વધારે-

(5) શ્રી સિધ્ધિ વિનાયક –વાર્ષિક આવક રૂપીયા 30 કરોડથી વધારે-

(6) પાલાની દેવ્સ્થાનમ્—વાર્ષિક આવક રૂપીયા 150 કરોડથી વધારે-

(7) શ્રી નાથ દ્વારા—વાર્ષિક આવક રૂપીયા 30 કરોડ જેટલી ગણાય છે-

(8) તિરુપતિ બાલાજી- દુનિયાભરનું ધનાઢ્ય મંદિર ગણાય છે.—વાર્ષિક આવક રૂપીયા 1000 કરોડ અંદાજાય છે.

ઉપરોક્ત મંદિરોની આવક જોતાં દ્વારકા- ડાકોર-સોમનાથ્ –પુષ્કર્-મદુરાઈ- મથુરા-ગોકુલ –વૃન્દાવન અને ગિરીરાજ –હરદ્વાર-ઋષિકેશ અને બીજા અનેક નાના-મોટા મંદિરો તો ઉપરોક્ત મંદિરોની આમદાની પાસે ગરીબ લાગે છે.આ ઉપરાંત અન્ય સંપ્રદાયોના દેવ-સ્થાનો-મંદિરો-જેવાકે સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરો-જૈનના મંદિરો કે દેરાસરો- અને અનેક સંપ્રદાયોના વડાઓના આશ્રમો વગેરેની આમદાનીની  ગણત્રીને જો ધ્યાનમાં લેવાય તો આ દેશને ગરીબ ગણવો તે વાસ્ત્વિકતાનો અનાદર નથી લાગતો ? આ લખતી વખતે મને યાદ આવે છે કે કોઈ એ કહેલું છે કે હિન્દુસ્તાન ગરીબ લોકોનો ધનાઢ્ય દેશ છે. આ જ વાત ને બીજી રીતે પણ મૂકી શકાય કે આ દેશ ગરીબ લોકોના ધનિક ભગવાનનો દેશ છે.

મંદિરોની આટ્લી મોટી રકમની આમદાની કોઈ દીન દુખીયાને સહાય રૂપ થતી હોવાનું જાણવામાં નથી આવ્યું.આ આમદાનીથી અનેક ઉધ્યોગો સ્થાપી શકાય-નવા ધંધા શરૂ કરી શકાય કે જે આ દેશના લોકોને રોજગારી આપી ભીખ માંગતા બંધ કરી દેશની આમદાની વધારવામાં જોતરી શકાય્. ઉપરાંત સસ્તા દરની નિશાળો –કોલેજો અને હોસ્પિટલો પણ શરૂ કરી શકાય કે જ્યાંથી આવા જરૂરિયાત વાળા લોકોને કેળવણી –સારવાર મળી રહે. અને આમ જોઈએ તો મંદિરોમાં દાન આપતાં દાનવીરોનો પણ મુખ્ય ઉદેશ અને હેતુ પોતાની રકમ પરમાર્થે વપરાય તેજ હોય છે ને ? આ મૂળભુત હેતુ આ મંદિરોના ટ્ર્સ્ટીઓ કે વહિવટ કરનારાઓ ક્યારે સમજશે ?

સામાન્ય રીતે દરેક તકલીફમાં આપણે સરકાર તરફ નજર કરતા હોઈ એ છીએ અને લોક કલ્યાણનુ કાર્ય માત્ર સરકારે જ કરવું જોઈએ તેમ આપણી માન્યતા રહી છે તેમાં સમૂળગો ફેરફાર કરવાની અને આવા મંદિરોએ આવી પ્રવૃતિઓમાં લક્ષ્ય કેન્દ્રિત કરવાનો સમયનો તકાજો સમજ્વો જ રહ્યો. નહિ તો મને ભય છે કે આવનારા દિવસોમાં ફરીને ઈતિહાસનું પુનરાવર્તન થશે. આમેય આપણે અવાર-નવાર સમાચારો વાંચતા અને સાંભળતા હોઈએ છીએ કે અમુક-તમુક મંદિરોમાંથી ભગવાનના ઘરેણાં કે કિમતી આભૂષણો ચોરાયા વગેરે.માનવી જ્યારે મજ્બૂર બની જાય ત્યારે જ તે આવી અનૈતિક પ્રવ્રુતિમાં સંડૉવાતો હોય છે તે આપણે સગવડતા પૂર્વક ભૂલી જતા હોઈ એ છીએ અને આવા ચોરી કરનારને મહા પાપી ઠરાવી દેતા હોઈ એ છી એ.

એટલું જ નહિ મંદિરમાં આવેલું કોઈનું દાન પણ કેટ્લીક વાર આવી કે અન્ય પ્રકારની અનૈતિક કે અનીતિ દ્વારા પ્રાપ્ત થયેલ ધનરાશીનો જ એક ભાગ હોય છે પણ દાન કરનાર -અને તે પણ મોટી રકમનુ –ને આપણે અહોભાવથી વધાવી લઈ બહુમાન કરતા હોઈએ છીએ. એવું મંદિર કે ધાર્મિક સ્થળ કે જ્યાં દાન સ્વીકારતા પહેલાં આ રકમ કોઈ અનૈતિક કે અનીતિ પ્રવૃતિમાથી મેળવાય છે કે કેમ તેની ચકાસણી કરાતી હોય તેવા મંદિરો કે આશ્રમો વિષે જાણવાની મને તીવ્ર ઈચ્છા છે.

હું જાણું છું કે મંદિરોની સમૃધ્ધિ વિષેના મારાં આવા સ્ફોટ્ક વિચારો એ માત્ર અરૂણ્યરૂદન જ છે કારણ આપણા દેશના અજ્ઞાન-અબુધ અને અભણ લોકોમાં અંધશ્રધ્ધા એટ્લી હદ સુધીની કહેવાતા સાધુ-સંતોએ ધરબી દીધી છે કે  તે માત્ર ભાગ્યને અને ભગવાને ધાર્યું હશે તેમ જ થશે તેવું સહેલાઈ અને સરળતા અને સહજતાથી સ્વીકારી લેવાની માનસિકતા ધરાવનારો બની ચૂક્યો છે..અને પોતાના કર્મને દોષ દેતો બની પોતાને જ કોષ્યા કરતો બની રહે છે . કોઈ પૂરુષાર્થ કરવા કે ખરી વાત સમજવા પહેલ નહિ કરે અરે ! પેટે પાટા બાંધી ઘરમાં બાળકોને ભૂખ્યા રાખી તે પણ મંદિરમાં દાન કરવા દોડશે ! પૂણ્ય મેળવવા આંધળી દોટ મેલશે ! ખેર !

રખે માનતા કે ઉપરોક્ત આમદાનીના અંદાજો મંદિરની કૂલ અસ્ક્યામતો છે. આ આંકડા માત્ર એક વર્ષની આવકના જ છે. કૂલ અસ્ક્યામતો તો કદાચ અબજો રૂપીયામાં હોવી જોઈએ જે કોઈ મલ્ટી નેશનલ મોટામાં મોટા ઉધ્ધ્યોગથી પણ અનેક ગણી વધારે હોઈ શકવાની શક્યતાઓ નકારી ના શકાય. મંદિરોની અમર્યાદ વધતી જતી આમદાનીએ અનેક સાધુ-સંતોને મંદિરો બનાવી મંદિરોને જ વ્યવસાય બનાવી દીધો છે અને પોતેજ તેવા મંદિરોનો વહિવટ હાથ ઉપર રાખી વૈભવી જીવન જીવી રહ્યા છે મંદિરને જ સંલગ્ન પોતાનો વૈભવી 5/7 સ્ટાર હોટેલોને પણ શરમાવે તેવા આશ્રમ ઉભા કરી દે છે અને સામાન્ય અને અબુધ લોકોને ભોળવી પોતાના તમામ મોજ-શોખ ભૌતિક સુખના આધુનિક સાધનો વસાવી ભોગવી રહ્યા છે. કરૂણતા તો એ છે કે દિન પ્રતિદિન આવી પ્રવૃતિ વૃધ્ધિ પામી રહી છે અને કોઈ વિરોધ કરે તો ધાર્મિક લાગણી દુભાઈ જતી હોય છે અને ભોળી પ્રજા નો જ આવા વિરોધ કરવામાં હથિયાર તરીકે  ઉપયોગ કરાતો જોવા મળે છે. આ પરિસ્થતિ ક્યારેય નહિ બદ્લી શકાય ? આપ શું વિચારો છો ?

15 comments

  1. Mr.arvind jo desh ni ane garibi ni bahu chinta hoy to pls contact on 9998995007 number. Aapake sare savalo ka solution mil jayega. Hindu na pete janma laine mandiro nu khandan karata tamane saram nathi aavati. I think tamane hindu hovano spirit nathi. Jo bahu kranti kari vicharo aavi gaya hoy ane garibi ni chinta hoy to mandiro na kharcha ni vat side ma muki ne filmo ma thata kharcha vise vicharo. Mandiro ma aavi loko dharmik bane ane potanu vyasan, dushan muke ane garibi mathi bahar aave 6.mandir is important to us.

    Like

  2. कुछ युवकों ने मुझ से पूछा : ”पाप क्या है?” मैंने कहा, ”मूर्च्‍छा” वस्तुत: होश पूर्वक कोई भी पाप करना असंभव है। इसलिए, मैं कहता हूं कि जो परिपूर्ण होश में हो सके, वही पुण्य है। और जो मूच्र्छा, बेहोशी के बिना न हो सके वही पाप है।
    मेरे देखे पाप और पुण्य मात्र कृत्य ही नहीं हैं। वस्तुत: तो वे हमारे अंत:करण के सोये होने या जागे होने की सूचनाएं हैं। जो सीधे पापों से लड़ता है, या पुण्य करना चाहता है, वह भूल में है। सवाल कुछ ‘करने’ या ‘न करने’ का नहीं है। सवाल तो भीतर कुछ ‘होने’ या ‘न-होने’ का है। और, यदि भीतर जागरण है, होश है, स्व-बोध है, तो ही तुम हो, अन्यथा घर के मालिक के सोये होने पर जैसे चोरों को सुविधा होती है, वैसी ही सुविधा पापों को भी है।

    Like

  3. બને લેખ ગમ્યા…મંદિરોની સમૃધ્ધિ હકીકતે સમાજકલ્યાણના અનેક કાર્યોમાં વપરાવી જોઇએ..પાંચ દસ ટકા નહીં…95 % એમાં જ વપરાવી જોઇએ એમ માનું છું…ભગવાનને કયાં પૈસાની ખોટ છે ? જનસેવા એ જ પ્રભુસેવા થ ઇ શકે તો ઉત્તમ..પણ…

    આપના વિચારો ઉમદા હોય છે એ વિશે બેમત નથી જ..દરેક વિષયની છણાવટ આપ સારી રીતે કરી શકો છો..અને કરતા રહો છો..એ બદલ અભિનંદન…

    Like

    1. નિલમજી
      આપે સમય કાઢી બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપ જેટલો સિધ્ધ હસ્ત લેખક કે સાહિત્યકાર નથી પરંત્તુ નિજાનંદ માટે મારાં જુદા જુદા વિષયો ઉપરના વિચારો બ્લોગ ઉપર લખ્યા કરું છું જે આપ જેવાને પસંદ પડે તો મને આનંદ સાથે સદભાગી ગણતો રહું છું. ફરીને અનુકૂળતાએ મુલાકાત લેતા રહી પ્રોત્સાહિત કરતા રહેશો તેવી અપેક્ષા અસ્થાને નહિ ગણાય ! ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. શિલ્પાજી
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપ પણ મારા વિચાર સાથે સહમત છો તે જાણી વધુ આનંદ થયો ! ચાલો આવજો મળતા રહીશું !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  4. Shri Arvindbhai,

    Thanks for your reply.
    You can visit one of this website for more information.
    http://www.annalakshmi.com.au/mission/
    Annalakshmi, the food is prepared and served with love and the undiminished notion of service to humanity. Volunteer staff strives to touch the hearts of our guests everyday.

    The Hindu monk behind the wonder that is Annalakshmi is Swami Shantanand Saraswathi (or Swamiji), who has inspired us to serve you our dear guests. They have branches and i visited few places and really they are doing wonderful job.

    ” pada na vaanke palakhi ne dando na maray”

    If few temples are involved in bad activity then you can not blame all temple… be specific about word and name….

    As outside india , indian people have some bad image it doesnt mean all indian ppl are bad but due to some bad indian people or bangladeshi people ( for other race indians / bangladeshi / pakistani… no difference .. they just count all of them as indian….. and due to that other indinas are suffering ) if you are one of them tell me how you feel….. so point is when expressing thoughts or feelings be specific about word , with example and also show good and bad side ….

    your thoughts are good and impressive but my main concern is dont blame it to all temple.

    Hope i dun hurt any1’s feelings.

    by the way how is your health now… get well soon…

    warm regards from Gujarati

    Like

  5. સ્નેહી શ્રિ અરવીંદભાઈ,
    તમારા મંદીર ની સમ્રુધી વિશે નો લેખ વાચ્યો. પણ તમે જે લખ્યુ છે તેનુ બરાબર અધ્યયન કર્યુ નથિ.
    ફક્ત તમને મંદીર મા આવતા દાન દક્શ્રી ના નુ ગ્યાન છે. મંદિરો જે સારા કાર્ય કરે છે તેના થી આપ અજાણ લાગો છો.

    Like

    1. ભાઈશ્રી ગુજરાતી
      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ જણાવ્યો આભાર. આપની વાત કદાચ સાચી હોઈ શકે ! આપે જો જે જે મંદિરો સારા સમાજોપયોગી કાર્યો કરતા હોય તેની માહિતિ પણ આપી હોતે તો મારાં ઉપરાંત અન્ય વાચકોને પણ વધારે જાણવા મલ્યું હોત ! ખેર આપ હજુ પણ આ વિષે માહિતિ આપશો તો હું આપનો આભારી થઈશ્ આપને જવાબ મોડો લખાયો છે કારણમાં મારી નાદુરસ્ત તબિયતને કારણે હું મારા બ્લોગની પણ મુલાકાત લઈ શક્તો નહિ હતો અને તેથી તમામ મિત્રોને જવાબો લખવાના બાકી રહી ગયા છે. આપના તરફથી માહિતિની હું આતુરતા પુર્વક રાહ જોઈશ ! આપે મારાં મંદિરની સમૃધ્ધિને લગતા અન્ય વિચારો પણ વાંચ્યા જ હશે તેમ ધારું છું.
      ચાલો આવજો ! ફરી મળીશું !
      સ-સ્નેહ
      અરવિંદ્

      Like

    2. ભાઈશ્રી
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર. મારી નાદુરસ્ત તબિયતને કારણે આપને જવાબ દેવામાં વિલંબ થયો છે તો દર ગુજર કરશો. આપની વાત સાથે હું સહમત થઈ શકું તેમ નથી. મને જાણ છે ત્યાં સુધી કોઈ મંદિરો કે સાધુ-સંતોના આશ્રમોની અબજો રૂપિયાની વાર્ષિક આમદાનીમાંથી બહુજ ક્ષુલ્લક રકમ ભાવિકો કે અનુયાયીઓને જમાડવામાં ખર્ચાય છે અને તેનાથી પણ નાની રકમ ક્યારેક સમાજ માટે ખર્ચવામા આવે છે પણ તેની જાહેરાત એવડી મોટી કરવામાં આવે છે કે જાણે લાખો-કરોડો રૂપિયા સમાજ માટે વાપરવામાં આવી રહ્યા હોય ! જ્યારે વાસ્તવમાં કુલ આમદાનીનો 2 થી 3 કે વધુમાં વધુ 5% રકમ વાપરવામાં આવે છે.અને આ ઉપરાંત મારાં વિચારોને લાગે વળગે છે ત્યાં સુધી માત્ર જમાડવાની પ્રવૃતિ એ કોઈ સામાજિક ઉત્થાનની પ્રવ્રતિ ના ગણી શકાય. વળી આપનુ ધ્યાન દોરું કે આવી પ્રવૃતિ ગુજરાતમાં વીરપુર જલારામ મંદિરના ટૃષ્ટીઓ વર્ષો થયા કરે છે અને તેમની પાસે દાન દ્વારા મળતી રકમ ખુબ જ મોટી થઈ જતાં દાન સ્વીકારવાનું બંધ કરેલ છે અને તેમ છતાં આ પ્રવૃતિ ચાલુ જ છે. કદાચ દુનિયા ભરમાં આ એક જ મંદિર હશે કે જે દાન સ્વીકારવાનો ઈંકાર કરતું હોય. આપે જે લીંક મોક્લેલી તે મેં જોઈ અને તેમાં માત્ર જમાડવાની પ્રવૃતિ થતી હોવાનું જણાયું છે. સારી વાત છે. પરંતુ આ સિવાય અન્ય પ્રવૃતિ હાથ ધરવાનું આ સાધુ-સંતોને કેમ સુઝતું નહિ હોય તેનું મને તો આશ્ચર્ય થાય છે. આપને જાણ હશે કે શિક્ષણ્ અત્યંત મોંઘું બન્યું છે અને બની રહ્યું છે. મધ્યમ વર્ગના મારાં અને તમારા જેવા લોકો પણ પોતાના બાળકોને આ શિક્ષણ અપાવવું દોહ્યલું બની ચુક્યું છે. ઉપરાંત મેડીકલ સારવાર પણ મધ્યમ વર્ગ માતે અત્યંત મોંઘી બનતી જાય છે તો નીચલા થરના-છેવટના લોકો- તો શિક્ષણ વિષે કે સારવાર માટે વિચારી પણ ના શકે તેવા દિવસો આવી ચુકયા છે ત્યારે આવા મંદિરો અને આશ્રમો સામાન્ય જન હિતાર્થે કંઈક એવું ના વિચારી શકે કે જેનાથી આ લોકોની હાડમારી અને દર્દ કંઈક અંશે ઓછા કરી શકાય.
      આપનુ હમણાના એક તાજા બનાવ વિષે ધ્યાન દોરું કે બાલાજી મંદિરની દુનિયાભરમાં ધનાઢ્ય મંદિર તરીકે ગણના થાય છે તે મંદિરના મુખ્ય પૂજારી એ પોતાની પુત્રીના લગ્ન ખર્ચને પહોંચી વળવા મંદિરના ઘરેણાંઓની ચોરી કરી. લગભગ અખબારોના અહેવાલ મુજબ 4 લાખ-12 લાખ સુધીની. આ ચોરી તેને કેમ કરવી પડી ? તે વિષે કોઈએ વિચાર્યું ખરું ? મારા મતે તેનો સીધો સાદો અર્થ એ થાય કે ઈશ્વરના મંદિરમાં કાર્ય કરતાઓની પણ જે રીતે ઉધ્યોગ પતિઓ અને ધંધાદારીઓ ઓછા પગારો આપી શોષણ કરતા હોય છે તેવું જ મંદિરના કર્મચારીઓનું પણ શોષણ થતું રહે છે કારણ કે મંદિરોના વહિવટ દારો આવા જ વર્ગમાંથી આવતા રહે છે. અને ક મંદિરોમાં ચોરીઓ થાય છે અને થતી રહે છે તેવું જ જ દેરાસરોમાં પણ્.થોડો સમય ગોકીરો કરી બધું જ થાળે પડી જતું હોય છે.સમય પ્રમાણે બધું જ પરિવર્તન માંગે છે અને તે કરવાની પહેલ માટે અત્યંત હિમત હોવી તે પૂર્વ શરત હોય છે.
      આપ લખો છે કે અન્ય લોકો એક ખરાબ વ્યક્તિ વિષે વાંચી બધા માટે તેવું વિચારે તો તે તેમની વૈચારીક નબળાઈ ગણાય. પણ તે સાથે એ વાત પણ એટલી જ સત્ય છે કે વાસ્તવિકતાનો ઈંકાર તો શાહમૃગ વૃતિ ગણાય ! આપણાં મંદિરો અને કહેવતા આશ્રમો તમામ પ્રકારની બદીના જન્મ સ્થાનો છે તેમાં મારા મતે કોઈ અતિશયોક્તિ થતી હોય તેમ માનવા તૈયાર નથી. કરોડો રૂપિયાની આમદાની મેળવતા આ મંદિરોની કે આશ્રમોની આ દેશના લાખોલોકો તરફ કોઈ ઉતરદાયિત્વજ ના હોય તે મારા મતે તો અત્યંત બિભત્સ માનસિકતા ગણાવી જોઈએ ! મંદિરો અને આશ્રમોની આમદાની જ વારસદારોના સવાલો પેદા કરે છે અને તે માટે અનેક કોર્ટ-કબાલા તો થતા રહે છે પણ અનેક સાધુ-સંતોની હત્યા સુધી પણ થતી આપણે જોઈએ છીએ.
      માફ કર્જો મારાં વિચારો આત્યંતિક લાગે અને કદાચિત આપની લાગણી પણ દુભાય તો ! પણ હું કોઈ વસ્તુ કે મારાં વિચારો ઢાંકી અને કોથળામાં પથ્થર નાખી રજૂ કરી શક્તો નથી. જે સત્ય છે તે છે જ મારા કે અન્યના ઈંકાર કે અસ્વીકારવાથી સત્ય સત્ય મટી જતું નથી.
      મને આશા છે કે આપ મને જવાબ દેવમાં વિલંબ માટે દરગુજર કરશો. મારી તબિયત સુધરતી જાય છે પણ આ સમય દરમિયાન જ મેં મારાં એક અંગત મિત્ર કે જેમના માટે મને મારાં મોટાભાઈ જેવી લાગણી હતી તે ગુમાવ્યા અને એક બીજો મિત્ર પણ બીમારીને કારણે હોસ્પિટલમાં સારવાર માટે હોઈ હું તેમના માટે મારો સમય ફાળવતો રહ્યો અમે બ્લોગ ઉપર મારી પોતાની મુલાકાત પણ નહિવત બનેલી અને અન્ય વિષય ઉપર લખ્વાનું પણ ઘણાં દ્દિવસો થયા બિલકૂલ બંધ થય ગયું હોઈ ફરી 2-4 દિવસોમાં કરી શકીશ તેમ ધારું છું.
      ફરીને એક વાર આપની લાગણી જાણ્યે-અજાણ્યે દુભાવાય ગઈ હોય તો મને માફ કરજો. ! અસ્તુ !
      સ-સ્નેહ
      અરવિંદ્

      Like

  6. ME KYAK VANCHELU TE AHIYA LAKHU CHU ” MANDIR ME TANGI ‘BRAHMCHARYA KE NIYAM’KI PHOTOFRAM KE PICHE 1 CHIDIYA GARBHVATI HO GAYI” …..ARE AAJ NA ABUD MANVI O VICHARO E KESHVANAND JE DWARKA MA THI PAKDAYELO ANE VICHARO E SWAMINARAYAN NA SADHU NI VIDEO CASSATE ANE BIJA TO HAJARO UDAHARAN CHE CHATA AAJE ANKH NA ANDHLAO POTANI MA-BEN VAHU BETI NE AVA DHARMIK VADA MA DHARMA NA NAME BALI CHADAVTA JARA TO VICHARO …JYA HOI VDHARE DHAN ANE JYA HOI VADHARE MANAV MAHERAMAN TYAN BADHU YANI BADHU J SARU ANE KHARAB KARYA THAI CHE.BAKI JETLO SAMAY DHARMA DHYAN MA KADHO CHO TETLO SAMAY KUTUMB MA RAHELI VYAKTI SATHE KADHO TO JAROOR TENA DIL SUDHI POHANCHI SAKSO.

    Like

    1. ભાઈ શ્રી સંજય

      આપે મારા બ્લોગની મુલાકાત લીધી-આભાર. વળી પણ અનૂકુળતાએ લેતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવશો !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  7. I read two blogs of “Mandiro ni Samrudhi”. You have been very bold to express your opinions. People of India are blind with their open eyes; may be they do not want to see it. Some are involved as their own bread and butter others are with their ego and rest are full with andh-shradha. Every one knows but no one has courage and /or fear of taking fight against big bully pandits and thier (we all) supporters.
    Thank you

    Geeta Vora

    Like

Leave a comment