મારા વિષે (About)

હું  વરિષ્ઠ નાગરિક ( Sr. Citizan ) છું અને 78 ઉંમર છે.બી.એ.,એલ એલ બી. સુધીનો અભ્યાસ કર્યો છે  વિધુર છું મારા પત્ની 18 વર્ષ પહેલાં કેંસરની બીમારીથી મૃત્યુ પામ્યા છે અને લગભગ તે જ સમયથી એકલા રહેવાની આદત કેળવી છે

બે પૂત્રીઓ અને એક પુત્ર પણ છે બધા તેમના સંસારમાં સેટ થઈ ગયા છે અને સુખી છે

હું નિવૃત બેંક મનેજર છું  મારી પત્નીના મૃત્યુ બાદ રાંધતા શીખ્યો અને મારા માટે જમવાનું હું જ બનાવું છું અને મારા સંતાનો અને મિત્રોને અવાર-નવાર જમવા પણ નોતરું છું મારી એક દીકરી અને જમાઈ કોમ્પ્યુટર એંજીનીયર છે અને હાલમાં યુએસએથી પરત આવી અહિ વડોદરામાં સ્થાયી થઈ રહ્યા છે.હું તેઓના અમેરિકાના વસવાટ દરમિયાન ત્યાં જઈ આવ્યો છું અને ત્યારે જ મારી દીકરીએ મને કાન પક્ડી કોમ્પ્યુટર વાપરતા ધરાર શિખવ્યુ અને પરિણામે આજે મારો ઘણો સમય તેના થકી પસાર કરી રહ્યો છું આજે આ બ્લોગ પણ તેનું જ પરિણામ છે.

હું ક્યારેય કોઈ પણ પ્રકારનું ટાઈપીંગ શિખ્યો નહિ હતો પણ ગુજરાતીમાં  બ્લોગ શરુ થતા હું ગુજરાતી ટાઈપ પણ શીખી ગયો અને  વિવિધ વિષય ઉપરના મારાં વિચારો મૂકવા લાગ્યો છું. હું જામનગર ગુજરાતમાં જન્મયો અને મોટો થયો ભણ્યો પણ બેંકની નોકરીને કારણે અન્ય સ્થળે પણ બદ્લીઓને કારણે જવાનું થતા ખૂબ જ ફર્યો પણ છું અને હાલમાં જામનગરમાં જ મારું નિવૃત જીવન વીતાવી રહ્યો છું.

આમ તો મારાં સ્કૂલના દિવસોથી જ વાંચવાનો શોખ ધરાવું છું તમામ વિષયો વિષે વાંચવાનું પસંદ છે.અને જે વાંચ્યુ હોઈ તેના ઉપર વિચારવાનું-અર્થાત્ ઢંવ્ધ કરી નવું વિચારવાનું ગમે છે.ચીલા-ચાલુ અર્થ સ્વીકારવાનુ ઘણીવાર મન થતું નથી.અને તેથી મારી રીતે વિચારી તર્ક્-બધ્ધ નવી રીતે વિચારવાનું બનતું હોઈ મારાં મત સાથે કે મેં તારવેલા અર્થ સાથે કોણ સહમત થાય છે તે જાણવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે.

WORDPRESSસે ગુજ્રરાતી બ્લોગ બનાવી વિચારોના આદાન-પ્રદાન માટે  આ સુંદર વ્યવસ્થા ઉભી કરી છે તેનો લાભ લઈ મેં પણ મારો  બ્લોગ બનાવી અન્યોના  વિચારો જાણવા જુદા જુદા વિષયો ઉપર મારાં વિચારો પ્રસિધ્ધ કર્યા છે. મેં  બ્લોગ ઉપર   મારાં વિચારો આપ સૌના મત/ અભિપ્રાય /પ્રતિભાવ માટે પ્રસિધ્ધ કર્યા છે/અવાર નવાર કરતો રહુ છું

હું વાંચવાનો શોખ ધરાવું છું પરંતુ હું ,મેં કોઈ વેદ-ઊપનિષદ કે પુરાણો વાંચ્યા હોવાનો દાવો કરતો નથી. માત્ર મેં જે કોઈ પુસ્તકો વાંચ્યા છે અને મારાં ચિત્તમાં જે પ્રશ્નો ઉપસ્થિત થયા તેના ઉપર વિચાર કરતા મને જે જવાબો મળ્યા તે જણાવ્યા છે એટ્લે મારાં વિચારો સાથે ઘણા સહમત ના પણ થઈ શકે તેમ બનવાની શક્યતાઓ રહેલી છે.ટુંકમાં હું કાંઠે ઉભી છબ છબીયા કરનારાથી વિશેષ નથી. મારું અલ્પ જ્ઞાન અન્યો સાથે શેર કરવાનો મારો નમ્ર પ્રયાસ છે.

ઉપરાંત હું કોઈ સાહિત્યકાર કે લેખક પણ નથી અને એટ્લે શક્ય છે કે મારો બ્લોગ વાચનારને કદાચ મારી ભાષા  અને શૈલી  તેમના જેવી -સાહિત્યકાર કે લેખક જેવી-સમૃધ્ધ ના પણ લાગે. આ તો એક સામાન્ય વાચકનો બલોગ છે અને તેના વિચારો પોતાની સરળ અને સાદી ભાષામાં રજૂ કરવાનો  પ્રયાસ માત્ર છે તે સતત યાદ રાખવા વિનંતિ છે. મારા બ્લોગની મુલાકાત બાદ  શક્ય છે આપના   વિચારો  મારા વિચારોથી વિપરીત  પણ  હોઈ શકે તો તેનું પણ સ્વાગત છે કારણ તે મારાં જ્ઞાનમાં ચોક્કસ પણે વધારો કરશે. આપ આપના વિચારો ગુજરાતી કે ENGLISH માં રજુ કરશો તો પણ  આવકાર્ય છે.

370 comments

  1. હાય
    હુંય હમણા બુઢાપામાં પગલાં પાડતો નવજુવાન બુઢ્ઢો છું(55 વર્ષ).
    જામનગરમાં રહું છું વાંચવાનો શોખ છે, રસોઈ પણ હાથે જ બનાવું છું.(વાંઢો છું)

    Like

    1. ભાઈશ્રી હિતેન, આપે બ્લોગની મુલાકાત લીધી. આભાર ! આપ જામનગરમાં જ રહો છો ત્યારે આપનો વધુ પરિચય આપશો તો જરૂર ગમશે. આપ કયાં રહો છો ? શું પ્રવૃતિ કરો છો? વગેરે જનાવવા વિનંતિ. ફોન ઉપર પણ વાતો કરી શકાય, ખરું ને ?

      Like

        1. ભાઈશ્રી હિરેન, આપે બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપે આપના ફોન નંબર તથા શરનામું જણાવ્યું છે તે બદલ પણ આભાર ! આ ઉપરાંત બ્લોગ ઉપરના અન્ય લેખો વાંચી આપના પ્રતિભાવ જણાવશો તો મને ખૂબ જ આનંદ થશે. આપ જામનગરના જ વતની છો તો ક્યારેક ફોન ઉપર કે રૂબરૂ મુલાકાત જરૂરથી થશે ત્યારે ખૂબ જ ખુશી થશે. ફરીને આભાર !
          આપનો સ્નેહાધીન
          અરવિંદ

          Like

  2. વડિલ પૂ. અરવિંદભાઈ… દિકરીનું ….કન્યાદાન ન હોય..ખૂબ જ સરસ લેખ …આજના આ યુગમાં આવું પરિવર્તન ખૂબ જરૂરી છે.. આ મોંઘવારી ના સમય માં સાદગી થી રજીસ્ટર્ડ મેરેજ વ્યવસ્થા માટે દરેક સમાજે પ્રયત્નશીલ થવું પડશે…. અને લોક માનસ માંથી કન્યાદાન શબ્દ જ નિઃશેષ થવો જોઈએ. આ માટે સંવેદનશીલરહિત વેસ્ટર્ન કલ્ચર ને (બોલીવુડ ) ઇગ્નોર કરવું પડશે.. કે જેમા તું ચીજ બડી હૈ …વિ. અશ્લીલતા હોય છે… આભાર.. એન.બી.ઠક્કર

    Like

    1. ભાઈશ્રી નિર્મલ,
      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને આપને મારાં કન્યા દાન વિષેના વિચારો ગમ્યા, જાણી આનંદ થયો, મુલાકાત માટે આભાર ! ફરી મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવો જણાવતા રહેશો તો વિષેશ આનંદ થશે. ફરી આભાર !
      શુભેચ્છાઓ સાથે,
      આપનો સ્નેહાધિન
      અરવિંદ

      Like

  3. માનનીય શ્રી અરવિંદભાઈ,
    મારા બ્લૉગ ‘મુક્તપંચિકા અને લઘુલિકા’ની લઘુલિકા પર આપ દ્વારા તારાંકિત ‘લાઇક’ને ફોલો કરી આપના બ્લૉગ પર પહોંચ્યો છું.
    જીવનને ઢાળવાની, નવું શીખવાની અને મૌલિક વિચારો વ્યક્ત કરવાની આપની વાતોને સલામ…. કાંઈ શીખવા માટે અમુક જ પુસ્તકો કે અમુક જ ફિલોસોફીનો આધાર લેવો તેવું તો હોતું નથી! આપ આપની કોઠાસૂઝથી આગવી રીતે વિચારી શકો છો. આપણે આમ કરી શકીએ છી, તેથી જ આપણે મનુષ્ય છીએ. … વિચાર હશે, ત્યાં મતભેદ હશે. તેમાં ખોટું શું છે? બે વ્યક્તિ વચ્ચે વિચારભેદ હશે તો વિચારશક્તિ વધતી જશે, વિચારો પરિપક્વ થતા જશે અને સમાજને ફાયદો થશે. આપણે મનુષ્ય તરીકે બુદ્ધિમાન જીવ છીએ, તેથી હંમેશા સહિષ્ણુતાથી અન્યોન્યના વિચારોને સમજવા પ્રયત્ન કરીશું. ભલે કદાચ સંમત ન થતાં હોઈએ તે અલગ વાત છે. પણ તેનાથી આપણા સ્નેહભાવમાં ખોટ આવવાની નથી. અન્યનું અહિત કર્યા વિના સૌને પોતપોતાની રીતે વિચારો ધરાવવાની છૂટ છે, વ્યક્ત કરવાની પણ છૂટ છે.
    આપે જે રીતે જીવનના પડકારોને સ્વીકાર્યા છે તે માટે આપ માટે માન થાય છે.
    આપ આપના જીવન અનુભવો વિષે વિસ્તૃત લખતા રહેશો તો ગમશે.
    શુભેચ્છા સહ – હરીશ દવે

    Like

    1. ભાઈશ્રી કુમાર,
      આભાર બ્લોગની મુલાકાત માટે. આપને સુંદર લાગ્યો જાણી આનંદ થયો. અન્ય પોસ્ટ ઉપર પણ આપના પ્રતિભાવની અપેક્ષા રાખું કે ?
      સ-સ્નેહ
      અરવિંદ

      Liked by 1 person

  4. પ્રિય અરવિંદ ભાઈ
    તમારા વિષે હું જયારે જયારે વાંચું છું ત્યારે કૈક નવીનતા જોવા મળે છે . તમારી લખવાની રીત મને ગમે છે .

    Like

  5. આદરણીય
    આત્મીયજન
    શ્રી અરવિંદસર
    …આપનો પ્રતિજવાબ મળ્યો, આનંદ એથી વિશેષ શું હોઇ શકે કે હું એક સવાયા સદાચારી વ્યકિત નાં સંપર્ક માં આવ્યો.
    ખૂબજ ગમયું.
    હું 36 વર્ષીય એક સામાન્યજન ગાંધીધામ તાલુકાના કિડાણા ગામમાં ઇલેકટ્રીક કામનો વ્યવસાય કરુ છું.
    લેખક કે સાહિત્યકાર સાથે આ પહેલાં કોઈ દૂર દૂર સુધી વારસો નથી.
    આપશ્રી જેવા મહાનુભાવો થકી વાંચન નો શોખ ધરાવું છું. એજ
    આપના સારા સવારછય ની શુભકામના સાથે…
    ફરી મલકાતા મને મળતા રહેશું.

    Like

  6. પ્રિય પાપાજી
    જી હા સંબોધન કદાચ અજુગતું લાગશે પણ આજે આ દુનિયામાં મારા પાપા નથી… એમની વાણી ની અમીટ છાપ આપના લખાણ મા તાદશ જોવા મળી, માણી અને હૃદય ને કંઈક સપૃસતા જણાઇ.
    ખૂબ જ સરસ લખાણ છે આપનું
    આભાર સહ
    ધન્યવાદ

    Like

    1. ભાઈશ્રી સુરેશ,
      આપને મારાં લખાણમાં આપને આપના પાપાની વાણીની અમીટ છાપ જોવા મળી તે જાણ્યું. મને પણ આનંદ થયો. પરંતુ આપે જે આ પ્રતિભાવ લખ્યો સાથે જ આપનો પરિચય પણ લખ્યો હોત તો વધુ ગમત. ખેર, હવે આપનો પરિચય જણાવશો.

      Like

  7. પ્રિય અરવિંદભાઈ
    તમારો વાંચન શોખ તમને વૃદ્ધ થવા નહી દે . તમારા વિચારો મને ગમે છે . તમે વેદ ઉપનિષદ પૂરનો વાંચ્યા નથી તેથી શું થઇ ગયું . લખો વાંચો અને વિચારો . તમારા જ્ઞાનમાં વધારો થતો રહેશે .

    Like

    1. મુરબ્બી આતાભાઈ, આપ મારાં બ્લોગ ઉપર પધારી ખરે જ મને પ્રોત્સાહિત કરો છો જે મને ખૂબ જ ગમે છે. કેટલાક સમય થયા ના દુરસ્ત તબિયતને કારણે નવું કંઈ લખી શક્તો ના હોય માફ કરજો. પરંતુ આપ લખો છો તે વાંચવું ખૂબ જ ગમે છે. અવાર નવાર પધારતા રહેશો. આભાર !
      અરવિંદ

      Like

  8. માનનીય અરવીંદભાઈ,
    મારા બ્લોગને આપની લાઇક મળી, તે પરથી આપના બ્લોગની લીંક મળવાથી આજે આપના બ્લોગની મુલાકાત લીધી. સરસ બ્લોગ છે. પછી નિરાંતે બીજી પોસ્ટ વાંચીશ, પરંતુ તમારો પરિચય વાંચી અભિનંદન આપ્યા સિવાય રહેવાશે નહિ. તમે ઘણી મોટી ઉંમરેય સ્વયંપાકી છો, કોમ્પ્યુટર શીખીને આટલો સરસ બ્લોગ ચલાવો છો, અને આટલા એક્ટીવ છો, તે બદલ ખુબ ધન્યવાદ.

    હું પણ તમારી જેમ નિવૃત બેંક મેનેજર છું અને નિવૃત્તિ પછી શોખ ખાતર લખવાનું શરુ કર્યું છે. બાળપણની યાદગીરીરૂપે “સંભારણાં” નામની નાની પુસ્તિકા પ્રકાશિત કરી છે, જે મારા બ્લોગ પર પણ ઉપલબ્ધ છે. છતાં આપ કહેશો તો પુસ્તક આપને પોસ્ટથી મોકલાવીશ, તો આપનું સરનામું જણાવશો..

    તમારી જેમ હું પણ કોઈ લેખક નથી અને જેવું બોલીએ છીએ, તેવું લખવું જોઈએ, તેમ માનુ છું, તેથી સરળ ભાષામાં જ લખવાનો પ્રયત્ન કરું છું. પણ મારા પુસ્તકના મોટાભાગના વાચકોએ સરળ લેખનશૈલીને આ પુસ્તકનો પ્લસ પોઇન્ટ ગણ્યો છે, જે આપની જાણ માટે.

    અનુકુળતાએ મારા બ્લોગની મુલાકાત લઇ તમારો અભિપ્રાય અને સલાહ સૂચન આપવા વિનંતી છે.

    આભાર,
    -સુરેશ ત્રિવેદી
    અમદાવાદ
    http://www.sctwav.wordpress.com
    sctwav@gmail.com

    Like

    1. આભાર સુરેશભાઈ આપે બ્લોગની મુલાકાત લીધી ફરી પણ લેતા રહેશો. અલબત્ત થોડા સમય થયા સતત નાદુરસ્ત તબિયતને હિસાબે મારું બ્લોગ ઉપર લખવાનું ઓછું થઈ ગયું છે. ત્મ્મ છતાં અન્ય બ્લોગરના લેખો વાંચતો રહું છું અને મારા વિચારો સાથે સમાનતા જણાય તો મારા બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. આપ પણ બેંકના નિવૃત અધિકારી છો તે જાણી વિશેષ આનંદ થયો.મારું શરનામું અલગથી આપની મેલ ઉપર મોકલી આપીશ. ચાલો ત્યારે, ફરી મળતા રહીશું. આભાર ! આવજો !

      Like

  9. આદરણીય અરવિંદ દાદા….

    મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ ખુબ…ખુબ…આભાર..
    હુ આ બ્લોગ ની દુનીયા માં નવો નવો જ છુ. અને હમણા હમણા જ મારા વિચારો લખવાનુ શરુ કર્યુ છે. આથી તમારા જેવા વડીલ ની સલાહ તથા સુચન આવકાર્ય.
    આમ ને આમ સમય મળ્યે મુલાકાત લેતા રહેસો તો મને પ્રોત્સહન મળશે..

    Like

  10. આદરણીય શ્રી,
    જય ગિરા ગુર્જરી, સહર્ષ જણાવાનું કે ૧૩ જાન્યુઆરીનો દિવસ ગુજરાતી લેક્સિકનના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણકે વર્ષ ૨૦૦૬માં આ જ દિવસે ગુજરાતી લેક્સિકનનું લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું.
    ગુજરાતી ભાષા પ્રત્યે આપેલા પોતાના યોગદાનને ‘પાશેરામાં પહેલી પૂણી’ માનનાર ગુજરાતી લેક્સિકનના સ્થાપક, જાણીતા ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ શ્રી રતિલાલ ચંદરયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના સાથોસાથ આ પ્રસંગે ‘રતિલાલ ચંદરયા સ્મૃતિ પારિતોષિક’ પ્રતિભાશોધ સ્પર્ધાના પારિતોષિકનું વિતરણ કરવામાં આવશે.
    વિગતો :
    તારીખ : ૧૩ જાન્યુઆરી ૨૦૧૫, મંગળવાર
    સમય : સાંજે ૫.૩૦ થી ૭.૦૦
    સ્થળ : ગુજરાત વિશ્ચકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ.

    આ પ્રસંગે આપને ઉપસ્થિત રહેવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે

    નોંધ: કાર્યક્રમમાં પ્રવેશ માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે જેથી આપના નામની નોંધણી આજે જ info@gujaratilexicon.com પર કરાવવા વિનંતી.

    Like

  11. શ્રી રતિલાલ ચંદરયા સ્મૃતિપર્વ ઉજવણી નિમિત્તે પ્રતિભાશોધ સ્પર્ધાઓ
    ગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર–પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એક માત્ર ધ્યેય માનનાર હૃદયસ્થ શ્રી રતિલાલ ચંદરયાની 13 ઑક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે. વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને જ ચિર વિદાય લેનારા રતિકાકા ગુજરાતીલેક્સિકન થકી લોકોના અંતરમનમાં સદાય જીવંત છે. રતિકાકાએ જીવનનો અમૂલ્ય – 25 વર્ષ કરતાં વધુ – સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે. તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ગુજરાતીલેક્સિકન પરિવાર તથા સમગ્ર ભાષાપ્રેમીઓ ખૂબ જ આદર, સન્માન અને અહોભાવની ભાવના વહાવે છે.

    તેમના સ્મૃતિપર્વ નિમિત્તે ગુજરાતીલેક્સિકન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રચાર–પ્રસાર તથા ગુજરાતી ભાષાના પ્રતિભાશાળી સર્જકોને બિરદાવવા માટે બે પ્રકારની પ્રતિભાશોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

    (1) નિબંધલેખન સ્પર્ધા
    (2) નવલિકા (ટૂંકી વાર્તા).
    આ સ્પર્ધાની વિગતો નીચે મુજબ છે :

    પ્રતિભાશોધ સ્પર્ધા: 1

    નિબંધલેખન : આશરે 1500થી 1700 શબ્દોમાં

    નિબંધલેખનના વિષયો
    ગુજરાતી ભાષાનું ભવિષ્ય ભાષાની આજ અને આવતી કાલચાલો, ભાષાનું ગૌરવ વધારીએ આપણી ભાષા – આપણી સંસ્કૃતિ આપણે અને આપણી માતૃભાષા ગૌરવવંતા ભાષાવીરો પ્રથમ ઇનામઃ 25,000 રૂપિયાદ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા
    પ્રતિભાશોધ સ્પર્ધા : 2

    નવલિકા (ટૂંકી વાર્તા) : આશરે 1700થી 2000 શબ્દોમાં

    પ્રથમ ઇનામઃ 25,000 રૂપિયાદ્વિતીય ઇનામઃ 15,000 રૂપિયા
    કૃતિ મોકલવાની અંતિમ તારીખ : 30 નવેમ્બર 2014

    કૃતિ મોકલવાનું સ્થળ અને સરનામું :

    303 – એ, આદિત્ય આર્કેડ,

    ચોઇસ રેસ્ટોરાં પાસે, સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ–380 009 ગુજરાત, ભારત.

    ફોન : +91-79-4004 9325

    ઇ–મેઇલ : info@gujaratilexicon.com

    પરિણામ જાહેર થવાની તારીખ : 13 જાન્યુઆરી 2015

    સ્પર્ધાના સામાન્ય નિયમોઃ

    આ સ્પર્ધાઓ માટે વયમર્યાદા નથી. રસ ધરાવતા દરેક ગુજરાતી સાહિત્યપ્રેમી મિત્ર ભાગ લઈ શકે છે. દરેક સ્પર્ધક એક જ કૃતિ મોકલી શકશે અને એ રચના ‘અગાઉ ક્યાંય પ્રકાશિત થઈ નથી’ તેવું લખાણ સાથે બીડવું જરૂરી રહેશે. રજૂ કરેલ કૃતિ મૌલિક હોવી જોઈએ. જો કૃતિ અન્ય કોઈની નકલ કરેલી માલૂમ પડશે તો તે કૃતિ સ્પર્ધામાંથી રદબાતલ કરવામાં આવશે.

    કૃતિ – ‘સાર્થજોડણી’ના નિયમો પ્રમાણેની હોવી જોઈએ તથા નિશ્ચિત સમયમર્યાદામાં સૉફ્ટ કૉપીમાં કે હાર્ડકૉપીમાં મળેલી કૃતિઓ સ્પર્ધા માટે માન્ય ગણાશે. (જો રચના ઇમેઇલ દ્વારા મોકલવામાં આવે તો તે વર્ડ ફોર્મેટમાં જ મોકલવાની રહેશે)

    કૃતિ મોકલનારે પોતાનું પૂરું નામ, પીનકોડ સાથેનું સરનામું, ઇમેઇલ આઈડી, સંપર્ક નંબર વગેરે લખીને, પોતાના પાસપોર્ટ સાઈઝના એક ફોટા સાથે કૃતિ મોકલવાની રહેશે. અધૂરી વિગત કે અપૂરતી માહિતીવાળી કૃતિ માન્ય ગણાશે નહીં.

    સ્પર્ધાનાં પરિણામો અને વિજેતા અંગેનો આખરી નિર્ણય અમારી નિર્ણાયક સમિતિને હસ્તક રહેશે જેને દરેક સ્પર્ધકે માન્ય રાખવાનો રહેશે.

    દરેક સ્પર્ધામાં બે વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

    કોઈ કારણસર જો સ્પર્ધાની મુદતમાં લંબાણ થાય કે કદાચ બંધ પણ રહે તો તેના સર્વ હક્કો આયોજકો પાસે અબાધિત રહેશે.

    Like

  12. ખુબ સુંદર પ્રસ્તુતિ . આશા છે આપના લખાણો વધુ ને વધુ તાર્કિક રહે. આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે આહલેક જગાવી રહ્યા છો તેજ કામ પ્રતિલિપિ ( Students of FMS, Delhi (MBA)& Bits Pilani (M.Tech)) ભારતની લગભગ બધી જ ભાષાઓ માટે કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. એક મહિનાનાટૂંકા ગાળામાં અમે હિન્દી , ગુજરાતી અને તમિલ ભાષાઓની શરૂઆત કરી દીધી છે. અમે આપ જેવા કુશળ અને બુદ્ધિમાન બ્લોગર્સને ફ્રી microsites આપી રહ્યા છીએ અને દરેક ભાષાકીય પ્રતિમાઓને એક મંચ પર જોડી રહ્યા છીએ.

    આપને જણાવતા ગર્વ અનુભવું છુ કે 14મી સપ્ટેમ્બરના રોજ પ્રતિલિપિના Beta versionનું સફળ લૌંચ થઇ ચુક્યું છે. 1000 જેટલા ક્લાસિક તથા recently published પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ ( હિન્દી તથા ગુજરાતી ભાષા ) તદ્દન નિઃશુલ્ક આપ વાંચી શકો છો. આપ આપના સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત પણ કરાવી શકો છો. તદુપરાંત આપ પ્રકાશિત રચનાઓનું વેચાણ પણ પ્રતિલિપિના માધ્યમથી કરી શકો છો. હાલમાં પ્રતિલિપિ સાથે 200થી વધુ બ્લોગર્સ ( ફક્ત ગુજરાતી ) અને 500+ auhtors જોડાઈ ચુક્યા છે.

    હું આપને જોડાવા અને મુલાકાત લેવા આમંત્રિત કરું છુ.www.pratilipi.com

    Liked by 2 people

    1. SISTER VERY NICE, I OFTEN READ SHRI ARVINDBHAI. I ONLY LOVE READING AT 92 YRS. LATE RATIKAKA TOLD ME TRY TRY AND TRY BUT SORRY I CANT IN GUJARATI SO SORRY TO DEVELOP WRITING SO ENJOY GUJ.READING.AGAIN IN USA. WILL CONTINUE TO ENJOY MANY GUJ BLOGS TILL GOD BLESS EYES AND LIFE..OR ATMA A PARTICLE OF GOD GOES BACK OR ANY WHERE I DONT KNOW ..PRAFUL SHAH(pvshah1923@yahoo.com)

      Like

  13. namaskar,
    sir hu surat ni aek shala ma teacher chhu. ane mare apni pase thi thodi mahiti joi ti hati k mare students ne taiyar karava mate 1. 2025 ma bharat 2. nari sasktikaran 3. shu janta ni apexa puri kari sakse modi sarkar? aa 3 vishay par mahiti joi 6. jo apni pase koi avi speech hoy to tamara blog par ap muksho aevi aapne nivedan.

    Like

  14. *ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*

    વિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
    વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
    નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
    સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
    ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
    ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.

    *નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *

    * વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
    વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
    ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.

    * નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો

    બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
    ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
    વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
    ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
    છે.

    * વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર

    ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
    ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
    શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
    શીખવી સરળ બની જશે.

    * નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
    વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
    ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
    મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
    તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.

    ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
    “ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
    રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
    રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
    કટિબદ્ધ છે.

    ગુજરાતીલેક્સિકોનના સલાહકાર શ્રી અશોક કરણિયા આ પ્રસંગે જણાવે
    છે,”ગુજરાતીલેક્સિકોનનું લોકાર્પણ 13 જાન્યુઆરી 2006ના રોજ થયું. ત્યારબાદ,
    2009 અને 2011માં તેમાં નવા ફેરફારો કરી વેબસાઇટને અદ્યતન બનાવવામાં આવી અને
    આજે ફરીથી તેનાં કલેવર બદલવામાં આવ્યાં છે અને આ સ્વરૂપે પરમ પૂજનીય રતિકાકાને
    શ્રદ્ધાંજલિ આપવાનો એક નાનો પ્રયાસ અમે કર્યો છે. છેલ્લાં આઠ વર્ષથી અવિરત
    લોકચાહના પામીને ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું નામ બની ચૂક્યું છે. આ
    માટે અમે સૌ ભાષાપ્રેમીઓના આભારી છીએ. જૂન 2013માં રજૂઆત પામેલી
    ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ઍપ્લિકેશનને સારો લોકપ્રતિસાદ મળ્યો છે. અમને ખાતરી
    છે કે ગુજરાતીલેક્સિકોનનો નવો અવતાર સૌ ભાષાપ્રેમીઓને જરૂરથી ગમશે.”

    આ પ્રસંગે વધુ માહિતી આપતાં ગુજરાતીલેક્સિકોન પ્રોજેક્ટ મેનેજર સુશ્રી મૈત્રી
    શાહ જણાવે છે, નજીકના ભવિષ્યમાં હજુ ઘણા બધા નવા ફેરફારો આપ ગુજરાતીલેક્સિકોન
    વેબસાઇટ ઉપર જોઈ શકશો. તાજેતરમાં જ અમે અમારા લિટરેચર વિભાગમાં ‘GL Goshthi’
    નામના એક નવા પેટાવિભાગની રજૂઆત કરી છે જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓના
    માતૃભાષા તરફની તેમની લાગણીઓ તથા તેમના વિચારો, પસંદગી વગેરે વિવિધ બાબતોની
    જાણકારી આપ મેળવી શકો છો. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં અમારા વિશેષતમ લર્નિગ
    પ્રોગ્રામ દ્વારા કોઈપણ વ્યક્તિ સરળતાથી ગુજરાતી ભાષા શીખી શકશે અને તે સિવાય
    સ્વાહિલી – ગુજરાતી શબ્દકોશ અને નવી મોબાઇલ ઍપ્લિકેશનનો ખજાનો પણ અમે
    ભાષાપ્રેમીઓ માટે ઉપલબ્ધ કરાવીશું. ગુજરાતીલેક્સિકોન વેબસાઇટ ફેરફારોના બીજા
    તબક્કામાં અમે સૌ ભાષાપ્રેમીઓને એક કમ્યૂનિટી પોર્ટલ દ્વારા એકસૂત્ર કરવાની
    ઇચ્છા ધરાવીએ છીએ.

    *ગુજરાતીલેક્સિકોન વિશે : *

    45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
    ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
    સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.

    *http://www.gujaratilexicon.com *વેબસાઇટની
    મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
    વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.

    ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
    લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
    *) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
    (*http://global.gujaratilexicon.com/
    *)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
    ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
    છે.

    ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
    ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
    આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
    લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
    ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
    રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
    વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
    સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.

    *અર્નિઓન ટેક્નોલૉજીસ વિશે*

    અર્નિઓન ટેક્નોલૉજીસ એક નવીન વિચારો ધરાવતી સોફ્ટવૅર ઍપ્લિકેશન ડેવલપમેન્ટ
    કંપની છે જે વેબ ઍપ્લિકેશન, ડિજિટાઇઝેશન, લોકલાઇઝેશન અને બિઝનેસ સપોર્ટ સર્વિસ
    જેવાં ક્ષેત્રોમાં વિશેષ આવડત ધરાવે છે. અમે અમારા ક્લાયન્ટની જરૂરિયાત સમજી
    તેમના માટે શ્રેષ્ઠ ઉપાય શોધી તેમની માંગને સંતોષવાનો સંકલ્પ રાખીએ છીએ.. અમે
    શ્રેષ્ઠતા અને નવીનતા માટે અનંત શક્યતાઓ પૂરી પાડવા વચનબદ્ધ છીએ. કંપનીનો
    મુખ્ય શબ્દપ્રયોગ છે : Exceed Expectations

    અર્નિઓન એક મજબૂત બૌદ્ધિક કૌશલ્ય, ઉત્તમ અભ્યાસ અને મૂલ્યવાન સિદ્ધાંતો પર
    આધારિત એન્ટરપ્રાઇઝ છે. જેનું મુખ્ય કાર્યાલય ભારતના મહાનગર અમદાવાદ ખાતે
    આવેલું છે.

    વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
    શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો

    સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
    Phone : +91 79 40049325 / +91 9825263050

    Like

  15. શ્રી અરવિંદ ભાઈ,
    આપનો બ્લોગ છે તેની મને જાણ હતી પણ કોઈ વાર તેમાં જઈને વાંચવાનું બન્યું નથી.
    એક વાંચક તરીકે કોઈ પણ સારી લેખ હોય તે ગમે અને તેમાં કઈ નવું હોય તો વધુ ગમે.
    હવે ગુજરાતીમાં ઇન્ટરનેટ પર સારા એવા પ્રમાણમા લખાણ અને સાહિત્ય પીરસાતું હોય છે અને
    જે લોકો ઈમેલનો ઉપયોગ કરેછે તેમને આવા બ્લોગ પર રજિસ્ટર્ડ કરવાથી બ્લોગના પ્રકાશક
    પણ નિયમિત રીતે બ્લોગ પર મૂકાતા વાંચકને ઈમેલ કરી મોકલે છે જેથી લેખો વાંચવાનું સરળ બને છે.આમ હવે ગુજરાતીમાં જેમને વાંચવાની હોંશ હોય ટેમેન કોઈજ “દુકાળ” નથી!
    તમે મોકલેલ લેખ બદલ આભાર.

    Like

    1. શ્રી પ્રભુલાલભાઈ,

      આપણે અગાઉ indian ની સાઈટ ઉપર અવાર નવાર મળતા અને એક બીજાના પ્રતિભાવો જાણતા. એ સાઈટ કેટલાક સમય થયા બંધ થઈ ગઈ હોય ત્યાં પોસ્ટ મૂકવાનું થતું નથી. ઉપરાંત મારી ના દુરસ્ત તબિયતને કારણે હું બ્લોગ ઉપર પણ અનિયમિત થઈ ગયો હતો અને તેથી મિત્રોને મેલ દ્વારા નવી પોસ્ટ માટે જાણ કરી શકવાનું લગભગ બંધ થયેલું. પરંતુ આ મહાદેવના દૂધ વિષે મને જાણવાની ઉત્કંઠા હોઈ ફરી શ્રાવણ આવતા અને તબિયત પણ થોડી સુધરતા મેલ કરાવાની શરૂઆત કરી છે જેમાં આપનું મેલ એડ્રેસ તો હતું તેથી અન્ય મોત્રો સાથે આપને પણ મોકલેલી. આપનો પ્રતિભાવ જાણવા ખૂબ જ ઉત્સુક છું. જરૂર જનાવશો અને હવે બ્લોગની મુલાકાત પણ લેતા રહેશો તો ગમશે.
      આભાર સાથે
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી પ્રવીણ,

      આપે બ્લોગની મુલાકાત લીધી, આભાર. આપ કેટલાક લેખો આપના બ્લોગ ઉપર મૂકવા ધારો છો તે જાણ્યું. આપ મારા નામ અને બ્લોગના રેફ્રર્ન્સ સાથે જરૂર મૂકો. આપ પણ મારાં લેખો ઉપર આપના પ્રતિભાવ જણાવતા રહેશો તો આનંદ થશે.

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  16. i visit your blog and read your article of 2010 about Swaminarayan Santo. I want to tell you one thing that this is only one religion which is very pure. You could not write anything about it .
    u are free and not fear to write about anything it because you know this is only one religion accept bad and good people. so decide what you are?
    Arvind Adalja

    Like

  17. અરવિંદભાઈ,

    બહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.

    ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.

    વધારે માહિતી: http://www.dhoomkharidi.com/books પર મળી રહેશે

    આપ આપના વાંચકો માટે અમારી સાઈટ ની માહિતી આપતી કોઈ પોસ્ટ લખશો તો વધુ ગમશે અને વધારે ગુજરાતી મિત્રો સુધી માહિતી પહોંચી શકશે.

    ધર્મેશ વ્યાસ

    Like

  18. માનનીય શ્રી,

    ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિકાકાની સ્મરણાંજલિ સભા અમદાવાદ ખાતે 21 ઑક્ટોબર 2013ના રોજ સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ભવનમાં રાખવામાં આવેલ છે.

    સરનામું : ગુજરાત વિશ્વકોશ ભવન, રમેશપાર્ક સોસાયટી, વિશ્વકોશ માર્ગ,
    ઉસ્માનપુરા, અમદાવાદ – 380 013. ફોન : 079 – 2755 1703

    ઉપસ્થિત રહેવા આપને હૃદય પૂર્વકનું આમંત્રણ.

    આભાર,
    ગુજરાતીલેક્સિકોન ટીમ.

    Like

  19. ગુજરાતીલેક્સિકોન, ભગવદ્ગોમંડલ, લોકકોશના સ્થાપક અને ભાષાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેનાર શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકા જેઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમના સંપર્કમાં આવતાં દરેક લોકોને માટે એક પ્રેરણાસ્રોત સમાન રહ્યા છે તે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી. વિજયાદશમીને દિવસે જન્મેલા રતિકાકાએ વિજયાદશમી (13 ઑક્ટોબર 2013)ને જ પોતાના જીવનનું અંતિમ બિંદુ બનાવ્યું છે. રતિકાકા એક જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હતા.

    શ્રી પ્રેમચંદ ચંદરયા અને શ્રીમતી પૂંજીબહેન ચંદરયાના પનોતા પુત્ર શ્રી રતિલાલ ચંદરયાનો જન્મ 24 ઓક્ટોબર, 1922ના થયો હતો. પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે નૈરોબી અને મોમ્બાસામાં લીધું હતું. શૈક્ષણિક કાળ દરમ્યાન તેઓ યુવા પ્રવૃત્તિઓ, રમતગમત, યોગવિદ્યા વગેરે પ્રવૃત્તિમાં સક્રિય રીતે જોડાયેલા હતા. શરૂઆતના દિવસોમાં તેઓ જૈન યુથ લીગ, નૈરોબીના એક સભ્ય હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સપરિવાર તેમણે ભારતમાં સ્થળાંતર કર્યું. આ સમયગાળા દરમ્યાન પોતાનો અભ્યાસ ચાલુ રાખવાને બદલે તેમણે પરિવારના પરંપરાગત વ્યવસાયમાં જોડાવવાનું નક્કી કર્યું. ભારતમાં તેમણે ઘણાં નવાં ઔદ્યોગિક સાહસોની સ્થાપના કરી અને પોતાની દૂરંદેશી અને સૂઝબૂઝથી આયાત–નિકાસનો ધંધો વિકસાવી તેનું વિસ્તરણ પણ કર્યું.

    નૈરોબીમાં જન્મેલાં વિજ્યાલક્ષ્મીબહેન સાથે તેમનાં લગ્ન, ઈ.સ. 1943માં જામનગર મુકામે થયાં. એક પુત્રી, ત્રણ પુત્રો અને આઠ પૌત્ર–પૌત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓનો બહોળો પરિવાર તેઓ ધરાવે છે. 1946માં તેઓ નૈરોબી પાછા ફર્યા અને સક્રિય રીતે પોતના વ્યવસાયમાં જોડાયા અને વ્યાવસાયિક કારણોસર તેઓ અવારનવાર પૂર્વ અને મધ્ય આફ્રિકાની સફર ખેડતા રહ્યા. તેમની પચાસીના શરૂઆતના વર્ષોમાં તેમના પરિવારજનોએ કેન્યા અને બીજા દેશોમાં વ્યાવસાયિક વિસ્તરણ કરવાનો રસ દાખવ્યો. તેમણે 1960માં દાર-એ-સલામમાં વસવાટ કર્યો અને ત્યારબાદ 1965માં યુરોપીય દેશોમાં વ્યાપારના વિસ્તરણ માટે લંડન ખાતે વસવાટ કર્યો. લંડનના વસવાટ દરમ્યાન અમેરિકામાં ધંધાકીય શક્યતાઓ તેમણે ચકાસી. દક્ષિણ-પૂર્વ એશિયામાં ધંધાકીય વિસ્તરણ કરવા માટે સિંગાપોરમાં તેમણે 1975માં વસવાટ કર્યો તે પહેલાં ટૂંકા ગાળા માટે તેઓ જીનીવા રહ્યા હતા. સ્થાનાંતરણ અને વિસ્તરણના સમગ્ર ગાળા દરમ્યાન તેઓ એક સશક્ત ઉદ્યોગસાહસિક તરીકે ઊભરી આવ્યા અને તેમણે વિવિધ ખંડો અને દેશોમાં પોતાની પારિવારિક મૂડી અને સંપત્તિનું રોકાણ કર્યું.

    વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સિવાય તેઓ છેલ્લાં 65 વર્ષથી આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, કેનેડા, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે મહાત્મા ગાંધી એવોર્ડસ, ભારતીય જીમખાના, જૈન સેન્ટર, જૈન ફેલોશીપ સેન્ટર વગેરેમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. સમાજના પુનુરુત્થાન માટેની પ્રવૃત્તિઓ માટે પોતાનો સમય અને બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરવાના તેઓ હંમેશાં હિમાયતી રહ્યા છે.

    આ સિવાય તેમનું પ્રદાન નીચે જણાવેલી અન્ય સંસ્થાઓમાં પણ રહ્યું છે :
    1972માં તેઓ યુગાન્ડામાંથી નિર્વાસિત લોકોના કલ્યાણ માટે નિર્મિત એમ્પ્લોયમેન્ટ વર્કિંગ પાર્ટી ઑફ કો–ઓર્ડિનેટિંગ કમીટીના એક સભ્ય હતા.
    1972માં ભારતીય વિદ્યા ભવનની એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય તરીકે નિમાયા.
    1973માં તેઓ બે વખત ઓશવાલ એસોશિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા
    ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના વાઇસ ચેરમેન પદેથી તેઓ 1975માં રિટાયર્ડ થયા ત્યાં સુધી ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના તેઓ જનરલ સેક્રેટરી, ચેરમેન તરીકેની ફરજો નિભાવી છે
    ઈ.સ. 1980માં સંગમ, એસોશિયેશન ઑફ એશિયન વુમેનના ટ્રસ્ટી.
    1982માં ભારતીય જીમખાનાના ટ્રસ્ટી અને 1985માં તેના ચેરમેન બન્યા.
    ડિસેમ્બર 1991માં ભારતીય તહેવારો ટ્રસ્ટના ટ્રસ્ટી અને તહેવાર કમિટીના મેમ્બર બન્યા.
    એસોશિયેશન ઑફ એશિયન ઇન યુકેના ફાઉન્ડર ચેરમેન
    ઓશવાલ એસોશિયેશન યુકેના ચેરમેન અને બોર્ડ ઑફ ટ્રસ્ટી તરીકે બે વખત ચૂંટાયા
    ‘ઇન્ટરનેશનલ ફોરમ ઑફ ઓવરસીઝ ઇન્ડિયનસ’ના સ્થાપક
    ‘ઇન્ડિયન સ્પોર્ટસ અને ફિઝિકલ ફાઉન્ડેશન’ના સ્થાપક ટ્રસ્ટી
    ‘ઇન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલોજી, લંડન અને અમદાવાદ’ના સ્થાપક અને ચેરમેન
    ‘ઇન્ટરનેશનલ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ, લંડન’ના ટ્રસ્ટી
    પાલીતાણા ખાતે આવેલ ‘ઓશવાલ યાત્રિક ગૃહ’ના ટ્રસ્ટી.
    જામનગર સ્થિત ‘હાલારી વિશા ઓશવાલ દેરાસર ટ્રસ્ટ’ના ટ્રસ્ટી 

    ગુજરાતી ભાષાના સ્રોત તરીકે રજૂ કરવામાં આવેલ ગુજરાતીલેક્સિકોનના સ્થાપક તરીકેની તેમની ઓળખ સૌથી વધુ પ્રચલિત છે. ‘મારે મારી માતૃભાષા માટે કંઈક કરવું છે’ બસ આ એક જ લગની તેમને આ પ્રકલ્પ સુધી લઈ આવી અને માટે તેમણે 25 વર્ષ કરતાં વધુ સમય તેની પાછળ આપ્યો છે. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને રુચિ ધરાવનારા લોકો માટે ગુજરાતીલેક્સિકોનને એક સેતુ સમાન બનાવવાની મહેચ્છા દાખવતા હતા. તેમની ભાષા માટે કંઈક કરી છૂટવાની ઘેલછા અને ઉત્સાહની મહેંક આજે વિવિધ ખંડો અને સંસ્થાઓમાં પ્રસરી ચૂકી છે. 13 જાન્યુઆરી 2006ના દિવસે ગુજરાતી ભાષાના સૌથી મોટા પોર્ટલ તરીકે ગુજરાતીલેક્સિકોનની રજૂઆત થઈ. સમયાંતરે સરસસ્પેલ ચેકર, ભગવદ્ગોમંડલ, લોકકોશ, ડિજિટલ સાર્થકોશ, ક્રોસવર્ડ, ક્વિક ક્વિઝ, રમતો, બાળકો માટેની રમતો અને મોબાઇલ એપ્લિકેશન વગેરે વિભાગો થકી ગુજરાતીલેક્સિકોન વધુ સમૃદ્ધ બન્યું. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, સીડેક અને બીજી અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને ગુજરાતીભાષાના પ્રચાર અને પ્રસારના ઘણા પ્રકલ્પોમાં ગુજરાતીલેક્સિકોને પોતાનો ફાળો આપ્યો છે. તેમણે ગુજરાતીભાષાના ઐતિહાસીક સીમાસ્તંભ સમાન ભગવદ્ગોમંડલને ડિજિટાઇઝ કરી તેની વેબ આવૃત્તિ ભાષા પ્રેમીઓ માટે રજૂ કરી છે. યુએસ કૉગ્રેસ ફેડરલ લાઇબ્રેરીના કેટલોગમાં ગુજરાતી ભાષાના સીમાચિહ્ન રૂપી કાર્ય તરીકે આ વેબ આવૃત્તિને સ્થાન આપવામાં આવ્યું છે.

    એક સફળ અને સશક્ત ધંધાકીય સાહસના સ્થાપક શ્રી રતિકાકાનું જીવન કોઈપણ વ્યક્તિને પ્રેરણા પૂરી પાડનારું રહ્યું છે. તેમણે તેમના જીવનમાં ઘણાં મોટા લક્ષ્યાંકો અને સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના સમકાલીન લોકો અને મિત્રો હંમેશાં તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા રહ્યા છે.

    તેઓ તેમની પાછળ એક સમૃદ્ધ વારસો મૂકતા ગયા છે.

    જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત
    જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા

    Like

  20. માનનીય શ્રી અરવિંદભાઈ, સાદર વંદન. હું પણ ૭૪નો થયો. ૧૯૬૮માં સુરત છોડ્યું. હું સાહિત્યકાર નથી. નિવૃત્તિની પ્રવૃત્તિ તરીકે વાર્તાઓ લખું છું. આજે પહેલી વખત જ આપના બ્લોગની મુલાકાત લીધી. હજુ ઘણું વાચવાનું બાકી છે. આવતો રહીશ અને આપની પાસે જરૂરી માર્ગદર્શન મેળવતો રહીશ.

    Like

    1. શ્રી પ્રવીણભાઈ,
      આપણે બંને સમવયસ્ક છીએ. આપે બ્લોગની મુલાકાત લીધી આભાર ! નિવૃતિમાં સમય પસાર કરવા માટેનું બ્લોગ બહુજ સુંદર અને રચનાત્મક માધ્યમ છે અને તેના દ્વારા આપણાં વિચારો અન્ય મિત્રો સાથે શેર કરી શકાય છે અને તેમના પ્રતિભાવો દ્વારા ઘણું સમજવા અને વિચારવા પ્રેરતા રહે છે. આવજો ! મળતા રહીશું ! — અરવિંદ

      Like

  21. ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટૅક્નૉલૉજીના યુગમાં નવીન ટૅક્નૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ પાંચ મોબાઇલ એપ્લિકેશન રજૂ કરી છે.
    આ એપ્લિકેશન એન્ડ્રોઇડ, એપલ આઇઓએસ અને બ્લેકબેરી ધરાવતા મોટાભાગના સ્માર્ટફોન અને ટેબલેટમાં પણ રમી શકાશે.

    ગુજરાતીલેક્સિકોન દ્વારા રજૂ થતી પાંચ ઍપ્લિકેશનની માહિતી નીચે પ્રમાણે છે :

    1. GL Dictionary – અંગ્રેજી-ગુજરાતી, ગુજરાતી-અંગ્રેજી, ગુજરાતી-ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશો ઉપરાંત આજનો શબ્દ અને આજનો સુવિચારનો સમાવેશ

    2. GL Plus – ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ માટે એક શબ્દ, પર્યાયવાચી શબ્દો અને કહેવતોનો સમાવેશ

    3. GL Special – અગત્યનાં પૌરાણિક પાત્રો, છંદ વિષયક, પક્ષી વિષયક અને વનસ્પતિ વિષયકનો સમાવેશ

    4. GL Games – ગુજરાતી ક્વિક ક્વિઝ અને ક્રોસવર્ડનો સમાવેશ

    5. Lokkosh – લોકોના સાથ અને સહયોગથી ચાલતો શબ્દકોશ જેમાં નવા ઉમેરાયેલા શબ્દો, શબ્દમિત્ર બનો અને શબ્દ સૂચવો તથા જૂની મૂડીના શબ્દોનો સમાવેશ

    ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટની જેમ જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ઍપ્લિકેશન કાર્ય કરે છે. ચાલો ત્યારે, મોબાઇલ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

    · Android – play.google.com/store/search?q=gujaratilexicon

    · Blackberry – appworld.blackberry.com/webstore/search/gujaratilexicon/?

    · iPhone – Coming Soon !

    આપનાં અમૂલ્ય પ્રતિભાવો અમને info@gujaratilexicon.com ઉપર મોકલાવી શકો છો અથવા ફોનથી 079-4004 9325 ઉપર સંપર્ક કરી શકો છો.

    જય જય ગરવી ગુજરાત !

    Like

  22. અરવિંદ ભાઈ , તમારી બ્લોગ ની કોમેન્ટ્સ મને રેગ્યુલર ઈમેઈલ માં મળે છે, પણ ઘણા મિત્રો ને હજુ ગુજરાતી માં ટાઈપ કરતા નથી આવડતું, એમના માટે એક બહુ જ સરસ પ્રિન્ટ સ્ક્રીન સાથે નો લેખ બનાવેલો છે (નીચે લીંક છે) , આશા રાખીશ કે બધા ગુજરાતી મિત્રો ને ઉપયોગી નીવડે
    http://www.techtiptricks.com/download-gujarati-typing-software-for-computer-pc-laptop-free/

    Like

  23. priy arvindbhaai
    tamara vishe ghanu janva malyu tame ekla rheva chhataa jmvanu pan jate banaavine paradhintaane thoker maari didhi e badal tmne hu shabashi aapun chhu .
    gujrati axaromaa koi karan sar nathi lakhi shakyo . તમારો ઘણો આભાર અરવિંદ ભાઈ હવે કમ્પ્યુટર સરખું ચાલ્યું ગુજરાતી લખવા દીધું

    Like

    1. આપે મારા બ્લોગ ઉપર આવી મને ધન્ય બનાવ્યો ! ખૂબ ખૂબ આભાર ! પેલી કહેવત છે ને કે,
      necessity is mother of invention અર્થાત જરૂરિયાત એ સંશોધનની મા છે તે પ્રમાણે હું પણ રાંધતા શીખી ગયો કારણ કે મને જે જમવાનું મન કે રૂચી હોય તે જ હું જમી શકું. ટિફિન કે દીકરીને ઘેર જે બન્યું હોય તે જમી લેવું પડે ! ઉપરાંત હું માનું છું કે દરેક વ્યક્તિમાં સ્કીલ તો હોય જ છે તે સ્કીલને હું મારાં બેંકના કામમાં વાપરતો હતો તે રસોઈ બનાવવામાં માત્ર વાળી ! ફરીને આભાર ! મળતા રહેશું. આપના સુચનો અને પ્રતિભાવો જણાવતા રહેશો તો મને અત્યંત આનંદ થશે.

      Like

  24. નમસ્કાર!
    આપનો બ્લોગ ”અરવિંદ અડાલજાનો બ્લોગ” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

    Like

  25. ગુજરાતી વ્યાકરણ માટે કંઇક શોધતો હતો અને તમારો બ્લોગ થોડો વાંચ્યો પૂર્ણ અભ્યાસ નથી કર્યો, હું પણ બેંક ઓફ બરોડાનો નિવૃત્ત મેનેજર છું. તા: ૧ ૫ ૨૦૧૩ ને દિવસે રૂડી ગુજરાતી વાણી અને ભાષાની ગુજરાત રાજ્ય સ્થાપનાં દિવસ નિમિત્તે એક હરીફાઈ રાખી છે ગુજરાતી માધ્યમનો પ્રચાર અને પ્રસાર સાથે અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ કેવી રીતે મેળવવું તે માટે ખુબ ફરું છું. મારી પોતાની લખેલ ‘બેઝીક ઈંગ્લીશ” નામની ચોપડીની ૧,૦૮,૦૦૦/ ઉપર નકલો લોકસહકારથી ગુજરાતના વિધાર્થીઓને વિના મુલ્યે આપી છે. આપનું સરનામું જણાવશો તો રેફરન્સ માટે મોકલીશ.

    Like

  26. અરવિંદ દાદા..
    કેમ છો ? મઝા માં.. તમારા મોટાભાગના બ્લોગ્સ વાંચ્યા.. ખરેખર આનંદ થયો.. ને વાંચવાની ખૂબ જ મઝા પણ આવી.. દાદા હું પણ જામનગર નો જ છું.. ને જામનગર માં જ છું.. હમણાં હમણાં મેં પણ બ્લોગ લખવાના ચાલુ કર્યા છે.. તો આપ મુલાકાત લઇ ને અમને કઈ સલાહ સુચન આપજો..
    http://amitkalsariya1987.wordpress.com

    best regards..

    Like

  27. વહાલા અરવિંદ દાદા, તમારો બ્લોગ વાંચી ખરેખર મે મારા નેગેટિવ વિચારોને મારા માનસપટ પરથી ખસેડીને પૉસેટિવ વિચારોને આમંત્રિત કરું એવી કંઈક પ્રેરણા મને મળી ખરેખર તમારા જેવા વડિલો સામાન્ય ના કહેવાય કે જેઓ લાલિયા લુટારામાંથી વાલ્મિકી જેવા મહાન બનવાની પ્રેરણા આપે.તમારા વિચારો એ જ મારુ પરિવર્તન એવો તમારો બ્લોગ મને ખૂબજ ગમ્યો.

    Like

  28. arvindbhai !
    sadar namskar.
    aaj pratham var aapna blogni mulakat leta anhad anand thayo.maru nam maganbhai.patel
    chhe.aap (usa) chhodi ne india chalya gaya.hu pan tamari jem karva magto hato parntu
    ichchha hova chhata (usa) chhodi na shakyo.kher ! jevi ishavar ne ichchha.25 years thi
    hu ahi padyo chhu.tamari jem hu pan retied time computer par vitavu chhu.maro abhyas
    tamara jetlo nathi hu gujarti shala no master hato.tethi mane pan tamari jem vanchva-lakhva no shokh chhe. computer nu maru gnan ziro chhe.topan jate-jate shikhu chhu
    mane maro blog kevi rite kholay teni samaj aapva krupa karsho.
    aapno
    maganbhai.patel(usa)

    sadar pranam.

    Like

  29. Respected Arvind Dada,
    Read your blog it is very inspirational and motivational.Your thoughts are very heplful to Youngsters like us. As I had spend time with senior citizens for my project on remarriages of senior citizens so I know they have lot many inspiring thoughts which help us to live life motivatedly and confidentaly.

    With regards,
    Prarthana Vaidya Sikenis

    Like

  30. અરવિંદભાઈ,

    “જ્ઞાન સાથે ગમ્મત” પર મળેલા આપના પ્રેમ અને સહકાર જોઈને મોજેમોજ.કોમ ના નામ થી વેબ બ્લોગ શરુ કરેલ છે.

    આશા રાખીશ આપનો સહકાર ત્યાં પણ મળતો જ રહેશે.

    આપની બ્લોગ ઉપર મુલાકાત અને અભિપ્રાય મને અનુરૂપ ફેરફારો કરવામાં મદદ કરશે.

    http://www.mojemoj.com

    ધર્મેશ

    Like

  31. અરવિંદદાદા આપનો બ્લોગ વાંચીને ઘણો જ આનદ થયો તમારા જેવા વડીલો જો એમના વિચારો આ રીતે અમારી સુધી પહોચડતા રહે તો અમે જીવનમા ઘણા સાહસ ં કરી શકીએ અને જિંદગી ને જીવતા પણ શીખી શકીએ…શીખી

    Like

    1. હીનાજી,
      આપ બ્લોગ ઉપર આવ્યા અને વાંચી આનંદ થયો જાણી મને પણ ખુશી થઈ. ફરીને પણ અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવો જણાવતા રહેશો તો વધુ ખૂશી થશે ! આભાર ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  32. આપને શું સંબોધન કરું તે સમજાતું નથી?
    મારા ખયાલ થી અરવિંદદાદા યોગ્ય રહેશે.આપાનો બ્લોગ વાચ્યો ખુબ જ સરસ છે આપના વિચારો તેમજ લખવા માં વિનમ્રતા કમાંલ ની છે.
    આપણે બ્લોગ દ્વારા મળતા રહીશું…………..

    Like

    1. ભાઈશ્રી ધ્રુવ,
      આપે બ્લોગની મુલાકાત લાધી, આભાર ! ફરીને પણ અનૂકુળતાએ મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો તો મારા માટે પ્રેરણા સ્તોત્ર બની રહેશે ! આપને દાદાનું સંબોધન યોગ્ય લાગ્યું તે જાણી આનંદ થયો ! આપ જરૂરથી દાદા તરીકે સંબોધી શકો છો !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  33. તમારા વિષે જાણીને ખૂબ જ આનંદ અને સંતોષ થયો. ક્યારેક ક્યારે તમે મારા બ્લોગની મુલાકાત લ્યો છો તે આપની કોમેંટ પરથી જાણ્યું તે બદલ આભાર

    ગોપાલ

    Like

    1. શ્રી મણીલાલ ભાઈ,
      આપે બલોગની મુલાકાત લીધી આભાર ! ફરી અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ જનાવશો તો મને આનંદ થશે. કુશળ હશો.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  34. SHRI ARVINDBHAI, THANKS TO KNOW YOU AND YOUR many CAPTIONS of BLOG–MANY ARTICLES AND LONG LISTING OF COMMENTS AND REPLIES. I AM EXTREMLY HAPPY. KNOWING ALL THESE AND WILL TAKE TIME TO GO THROUGH MANY OR NEARLY ALL AS INTERESTED TO LEARN FROM THESE GREAT WORK YOU ARE DOING SINCE YOU ARE DOING .CONGRATULATIONS, BEST USE OF LIFE, NOT RETIRED BUT RE-TIRED AND RUNNING AS NEW CAR. I am doing the same.
    NOW ABOUT ME i AM FROM PETLAD born and raised and work upto 75 years and now in USA, staying with late daughter’s family, and after 11 yrs.job NYS IN ENVIRON.COSERVATION,as clerk for part time 3 days at minimum wage earned s.s. and medicare now on unemployment since May 2011 getting wkly for 73 weeks. but fighting for my right for loss of one day in every week during 2000 to 2011 as law of the nation, as was not worked for 4 days and not got more than $405/-per week. my claim is legal and valid just and fair ,but law and rule says i have to claim in each next wek for the week in which i had not work. As i am old immiegrant and not knowing my eligibility nor aware of the un-Emp..insurance act , also not informed by my employer till terminated for no work, i could not claim and certify as required and lossing amount. so i am now before board of appeal. JUSTICE IS MORE IMPORTANT THAN LAW OR RULES AND PROTECTION OF RIGHT OF EMPLOYEE FOR WHOM TAX IS PAID BY MY EMPLOYERS. i have to PROVE to get JUSTICE.
    iAM 88 AND STILL ENJOY LEARNING COMPUTER AND DOING GUJ. BUT ONLY BY TRANSLITRATE AND PRACTISING , AFTER TRYING FOR LAST TWO YEARS JUST LAST MONTH. I WAS INSPIRED BY RATIBHAI CHANDERIA OF MY AGE. I AM ACTIVIST FOR CONSUMER.RTI,IN INDIA WORKED AS TEXTILE MILL AS CLERK TO SECRETARY AND CO.OP. WORKER, SMALL INDUSTRIES AND RED CROSS AS SECRETARY , ALL AS HOBBY.IN INDIA AND HERE FOR SENIORS. AND COMMUNITY.
    Let go I will take time to talk if you give T.No. ON E.MAIL or 631-471-7799. Thanks

    Like

    1. શ્રી પ્રફુલ્લ ભાઈ,

      આપ મારાં બ્લોગ ઉપર પધાર્યા અને પ્રતિભાવ કરતાં પણ વધુ પ્રીતિભાવ જણાવ્યો હોય તેવું લાગ્યું. આપ મારાથી 18 વર્ષ મોટા હોવા છતાં હજુ યુવાનીથી થનગનતા હો તેવું જણાય છે. લગે રહો ! આપ ન્યાય માટે જે લડી રહ્યા છો તેમાં સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવું છું સાથે આપની અનુકૂળતાએ અન્ય વિષયો ઉપરની પોસ્ટ વાંચી આપના પ્રતિભાવ જનાવતા રહેશો તેવી આશા સાથે-

      આપનો

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  35. મુ. અરવિંદભાઈ,

    શ્રી ભીખુભાઈ મિસ્ત્રી ,TX મારફતે આજે તમારા બ્લોક ની જાણ થઇ. હજુ વાંચવાની શરૂઆત કરી છે.
    મારો પણ તમારા જેવો જ પ્રયત્ન છે. હું પણ બેંક [SBI ] માંથી ૮ વર્ષ પહેલા વડોદરા થી retired થયો..
    અવારનવાર ,જ્યારે સમય મળે, ત્યારે મારા બ્લોગ http://kps0715.wordpress.com/ અને http://kps0715.blogspot.com/ ની મુલાકાત લેજો તથા તમારા સર્કલ માં જણાવશો, તમારો અભિપ્રાય પણ … ફરી મળીશું..

    કિશોર શાસ્ત્રી

    Like

    1. શ્રી કિશોરભાઈ,
      આપનું મારાં બ્લોગ ઉપર સ્વાગત છે. આપના બ્લોગની અનુકૂળતાએ જરૂર મુલાકાત લઈશ. આપ પણ અવારનવાર મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવ પણ જણાવતા રહેશો— ચલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  36. ૧૭.૦૩.૨૦૧૨ , ઉદયપુર.

    મુ. અરવિંદભાઈ,

    કૃષ્ણાયન ધીમી ગતિએ વંચાઈ રહી છે. આજે પાના ૧૦૫ પર આવ્યો છું. છેલ્લો ફકરો … કૃષ્ણના જીવનમાં રુકમણી અને રાધા … પત્ની અને પ્રેમિકાની ભૂમિકા તેમજ સંબંધોની સ્પષ્ટતા વર્તમાન સમયના પ્રત્યેક પુરુષે વાચવા જેવા છે.

    બે ત્રણ વાર ફોન પર્ સપર્ક કરી જોયો પણ સફળતા ના મળી. તમારો પ્રતિ ઉત્તર ન મળ્યો એટલે ફેસબુક અને હવે તમારા બ્લોગ પર્ આ સ’દેશો કોપી પેસ્ટ કર્યો છે. બસ, આટલું જણાવવા જ આ મેઈલ કરી હતી

    … અખિલ.

    Like

  37. અરવિંદભાઈ,

    મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આભાર… મેં તમારા બ્લોગ ની મુલાકાત આજે પ્રથમ વાર લીધેલ છે, ખરેખર સરસ લેખો છે, બધા લેખ વાચવાનો સમય નથી મળ્યો પણ હવે અચૂક વાંચતો રહીશ…

    આભાર
    ધર્મેશ

    Like

  38. અરવિંદભાઈ અડલજા હાલ સ્પેનમાં છે અને કોઈ માવાલીએ તેમને
    પૈસેટકે લુંટી લીધા છે,તેમને મદદ કરવાની ધા નાખી છે તમને
    તેમનો સંપર્ક કરવો હોય તો તેમના ઇમેલ થકી કરી શકશો.

    Like

    1. Dear Bharadiabhai,
      I give hereunder about this e-mail which is absolutly forged I am at Jamanagar only so please dont send any amount asked thr’ e-mail.
      arvind
      All my blogger friends,

      It is understood that One fictitious mail is sent to all my contacts stating me held up in Spain and lost my wallets etc; and as such send me some amount. Please do not open the mail as it must contain vairous delete it immediately. Due to such vairous in yahoo mail my all address book is also lost and hence not able to send you individual mails. Sorry for the inconvenience to you all.
      Yours truly.
      Arvind Adalja

      Like

  39. આદરણીય શ્રી અરવિંદ જી
    તમારો બ્લોગ ખુબ જ સુંદર અને પ્રેરણા સ્તોત્ર છે
    તમે મારા બ્લોગ ની મુલાકાત લીધી એ બદલ ખુબ ખુબ આભાર
    તમને દિવાળી ની ખુબ જ શુભેચ્છા

    Like

  40. વડીલ શ્રી અરવિંદભાઈ આપના સાગરની મુસાફરી કરી, ગુજરાતી ભાષા ઉપર ઘણું સારું પ્રભુત્વ છે આપનું…..
    આપના વિશાળ દરિયો એટલે કે https://arvindadalja.wordpress.com/ માંથી અમારા જેવા ઉભરતા નાવિકો ને મુસાફરી દરમ્યાન ઘણું બધું શીખવા મળશે…

    Like

    1. ભાઈશ્રી અશોક,
      આપે બ્લોગની મુલાકાત લીધી અને સાગર સાથે સરખાવી અતિશયોક્તિ કરી તે બાત હજમ ના હુઈ ! અરે, મારા ભાઈ, મારાં કરતા અનેક ઘણાં વિદ્વાન-વિચારક-ચિંતક બ્લોગ જગતમાં હાજર છે તેમના બ્લોગની પણ મુલાકાત લેતા જ હશો તેમ ધારુ છું. હું તો નવો નિશાળીયો છું. માત્ર મારા નિજાનંદ અને મનમાં ઘોળાઈ રહેલા વિચારોને એક સ્થળે શબ્દસ્થ કરવા બ્લોગ લખી રહ્યો છું. જેમાં માત્ર એક સાધારણ વ્યક્તિના વિચારો સિવાય કશું જ હોતું નથી. તેમ છતાં આપને ગમ્યું તે જાણી મને પણ હરખ થયો. ફરીને પણ મુલાકાત લઈ આપના પ્રતિભાવ જણાવી મને પ્રોત્સાહિત કરતા રહેશો તેવી આશા વધારે નહિ ગણાય. અલબત્ત આપના પ્રતિભાવનો પ્રત્યુત્તર મોડો લખાયો છે તે માટે મારી થોડી અસ્વસ્થ તબિયત કારણ ભૂત બની છે તો દરગુજર કરશો. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  41. respected shri arvindbhai saheb
    my self mr shailesh jani i am a director of one higher education institute sir we are going to publish one magazine with the name of geetanjali utkarsh it is registered magazine we will get registraton nomber very soon i read all of your article your thinking process is remarcable and appriciable i request you to write an article for my magazine as per your code of conduct. kindly talk with us on 9825935475 mr shailesh jani director geetanjali college of cmputer science and commerce rajkot

    Like

    1. ભાઈ શ્રી શૈલેશ,

      આપે બ્લોગની મુલાકાત લીધી અને મારાં લેખો ગમ્યા તે જાણી આનંદ થયો, આપને મારી સાથે ફોન ઉપર વાત કરવા ઈચ્છા છે તો મારો ફોન લેન્ડ લાઈન ઉપર હોઈ આપ સામાન્ય રીતે સવારના 10-30 થી 12-30 દરમિયાન અથવા બપોરે 2-30 થી 4-30 સુધીમાં અથવા રાત્રે 10-00થી 11-00 સુધીમાં વાત કરી શકશો. તેમજ આપે ક્યા વિષય ઉપર આર્ટીકલ જોઈએ તે જણાવવા વિનંતિ. ઉપરાંત મારાં બ્લોગ ઉપર મૂકેલા છે તે પૈકી કોઈ પસંદ પડે તો મને જાણ કરી પ્રસિધ્ધ કરશો.આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી હિતેશ,
      આપે બ્લોગની મુલાકાત લીધી અને મારાં લેખો ગમ્યા તે જાણી આનંદ થયો, આપને મારી સાથે ફોન ઉપર વાત કરવા ઈચ્છા છે તો મારો ફોન લેન્ડ લાઈન ઉપર હોઈ આપ સામાન્ય રીતે સવારના 10-30 થી 12-30 દરમિયાન અથવા બપોરે 2-30 થી 4-30 સુધીમાં અથવા રાત્રે 10-00થી 11-00 સુધીમાં વાત કરી શકશો. આપ શું પ્રવૃતિ કરો છો અને ક્યાંથી છો તે જણાવ્યું નથી તો જણાવવા વિનંતિ. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી પ્રણવ,
      આભાર ! બ્લોગની મુલાકાત માટે ! એક વાત નહિ સમજાઈ સાહેબ અને વળી શ્રી અરવિંદભાઈનું સંબોધન ! હું સાહેબ નથી મને અરવિંદ કે અરવિંદભાઈ સંબોધન વધુ પસંદ છે. ખેર ! આપે જૂના લેખો વાંચ્યા આપને મજા આવી પરંતુ એક પણ લેખ ઉપર પ્રતિભાવ નહિ જણાવ્યો તે આળસ ગણું કે પ્રર્તિભાવ યોગ્ય નહિ જણાયા તેમ માની લઉં ! આવજો મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  42. આદરણીયશ્રી.અરવિંદભાઈ સાહેબ

    આપનો બ્લોગ ખુબજ સુંદર છે, સાહેબ

    ખુબજ જાણવા અને માણવા લાયક બ્લોગ છે,

    આપ આ ઉંમરે પણ ક્મ્પ્યુટર શીખ્યા તે જાણી યુવાનોને શરમાવો એવી બાબત છે, સાહેબ

    જોકે શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી,

    આપ વડીલ છો સાહેબ……………એટલે

    અમોને આશીર્વચનો પાઠવશોજી,

    વચ્ચે અમેરિકા નિવાસી શ્રી. ગોવિંદભાઈએ આપના વિશે માહિતી આપી

    હતી કારણ કે મારે દીકરીનો મેડીકલ પ્રવેશ માટે તમારા વિસ્તારમાં આવવાનું હતુ

    મને કોઈ ઓળખતુ ન હતુ, એટલે શ્રી. ગોવિંદભાઈ ( સ્વપ્ન -જેસરવાકર ) એ તમારો સંપર્ક કરવા

    જણાવેલ.

    સાહેબ આ બ્લોગ જગતમાં હુ હજુ નવો જ છું. પરંતુ મારા વિચારો ભંગી તુટી ભાષામાં રજુ કરતો રહું છું.

    આપના બ્લોગમાં ભરપુર જ્ઞાનનો ખજાનો છે. અનેક મોતી જેવા વિચારો છે.

    અવારનવર મળતા રહીશું.

    ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

    Like

    1. શ્રી કિશોરભાઈ,
      આપ બ્લોગ ઉપર પધાર્યા આપને બ્લોગ પસંદ આવ્યો જાણી આનંદ થયો. અલબત્ત આપણે રૂબરૂ મળ્યા નથી તેમ છતાં આપ અને આપની દીકરી અત્રે આવ્યા હોત તો જરૂર ગમત ! ગોવિંદભાઈ પણ રૂબરૂ મળ્યા નથી છતાં એક અદ્રશ્ય લાગણીનું બંધન ઉભું થયું છે અને તે માટે ગોવિંદભાઈની નિખાલસતા કારણભુત છે. અમો બંને બ્લોગ ઉપર અવારનવાર મળી વિચારોની આપ લે કરતા રહેતા હોય જીવંત સંપર્ક બની રહ્યો છે. આપ ક્યાંથી છો ? મેડીકલ પ્રવેશ માટે અત્રે આવવાનું થયું હતું કે કેમ ? ફરી ક્યારેય અત્રે આવવાનું થાય તો નિઃસંકોચ જણાવશો. મારાથી શક્ય હશે તે સહાય કરીશ. કુશળ હશો. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  43. Dear Arvinbhai,

    Congratulations on COMPLETING THREE-YEARS of BLOGGING..!!

    But,like RUNNING-MARATHON ie THOSE WHO HAVE HAD STRONG-BODY,I BELIEVE that WE WHO were ABLE/CAPABLE/TALENTED/EDUCATED etc would ACHIEVE IN LIFE,ANYWAY..!!

    However,I BELIEVE that,it was OK to ACHIEVE IN LIFE,IF WE COULD..!!

    Because,there were VERY-FEW-CHARACTERS in WORLD-HISTORY in general and INDIAN-HISTORY in particular eg like GANDHIJI, SWAMI-VIVEKANANDA,SWAMI-RAMKISHNA-PARAMHANSA,JESUS-CHRIST,MOTHER-TERESA etc WHO eventhough THEY WERE ABLE/ CAPABLE/TALENTED/EDUCATED etc;but like OURSELVES VOLUNTARILY-DID-NOT-WANT to ACHIEVE in LIFE..!!

    In short,a HORSE BORN AS HORSE,can not be MADE an ASS and VICE-VERSA by CLOBBERING IT..!!

    Therefore,I BELIEVE that eventhogh THEY have had been BORN not as an ASS;but THEY VOLUNTARILY-SACRIFIED THEMSELVES for US-HUMANS..!!

    In short,like OURSELVES THEY DID NOT even CARED FOR THEMSELVES;let alone THEIR NEAR and DEAR ie ME or MINE..!!

    However,I BELIEVE THAT THOSE WHO HAVE HAD NOT-STRONG-BODY ie THOSE WHO WERE DISABLE/INCAPABLE/UNTALENTED/UNEDUCATED etc would be STRUGGLING TO ACHIEVE IN LIFE;even if THEY wanted to ACHIEVE..!!

    But I BELIEVE that IT WAS NOT THEIR FAULT THAT WHY THEY WERE BORN LIKE THAT that is WHY THEY WERE UNABLE TO ACHIEVE IN LIFE..!!

    Therefore,I BELIEVE that,not only WE must CARE FOR OURSELF and OUR NEAR and DEAR,but also UNACHIEVERS IN LIFE..!!

    But WE-HUMANS in general and WE-INDIANS in particular,IRONICALLY like INSECTS, BIRDS,BEASTS,BRUTES or ANIMALS;CARE FOR ONLY OURSELF and or ONLY OUR NEAR and DEAR ie ONLY ME or MINE..!!

    Therefore,I BELIEVE that WE-HUMANS in general and WE-INDIANS in particular were NOT-ONLY-SAME as INSECTS,BIRDS, BEASTS,BRUTES or ANIMALS;BUT-ALSO-WE were even LOWER than THEM..!!

    Think about that for a moment..!!

    rkpatel,
    wn,nz.

    Like

  44. મારે ઇજ જાણવુ છે કે જો નેતા ને બિક લાગે છે તો કેમ રાજકારણ મા આવે છે..ને તે ચુટાણા પછી કેમ અબજોપતી બની જાય છે મારા જાણવા મુજબ આપ ધણા ખરા નેતા વખાણ કરીયા તો આપ ખોટા શો કેમકે દેશ ની કે રાજય સેવા તો બાજુ મા રાખો જો તમે તમને સારો લાગે મતલબ ઇમાનદાર જે ને પ્રજા નિ સેવા કરવી છે. તે નેતા મને આપો હુ ખાલી મારા ગામ નિ સેવા કરાવીશ તમારે ખાલી પાચ મહિના પછી આવજો તે નેતા ચિથરે હાલ ને આખુ ગામ તેની પાસે પૈસા માગતુ હશે. આપ ચાહે નરેન્દ મોદી કે મન મોહનસિગ કે તમારી નજરે જો કોઇ સેવા કરનારા નેતા હોય તો મને કહેજો પણ એક પણ નેતા સૈવા માટે ભાષણ કરશે પણ તમને કોઈ હા નહી પાઙે કે મારે પ્રજા ની સૈવા કરવી છે.કોઇ પણ નેતા હા પાઙે તો મને જાણ કરજો..ખાચર.જશુભાઇ.એમ
    મુઃબરવાળા
    જીઃઅમદાવાદ
    પિનઃ382450

    Like

    1. ગુજરાતમા ઘણા એવા લોકો છે કે જેઓ આજની તારીખમાં પણ ગામડાઓમાં ગાંધી માર્ગે લોકોની સેવા કરે છે.
      રહી વાત રાજકીય નેતાઓના રક્ષણની. આ લોકોને રક્ષણ એ માટે જોઇએ છે કે તેમના નિર્ણયો સ્થાપિત હિતોને નુકશાન કરતા હોય છે.
      ૧૩૪ વ્યક્તિઓ જેઓએ આરટીઆઈ એક્ટ હેઠળ માહ્તી માગી હતી અને તેમના ખૂન થયેલ.
      સર્વોદયવાદી પણ બાબુભાઈ જશભાઈ પટેલના પ્રધાન મંડાળમાં પ્રધાન રહી ચૂકેલ શ્રી ભીમાભાઈ રાઠોડને ટ્રક અકસ્માતમાં મારી નાખવામાં આવેલ.
      ગાંધીજીએ કોઈનું શું બગાડેલ. તેમણે કદી કોઈને મળવાની ના પાડેલ નહતી.
      પણ તેમનું ખૂન થયેલ.
      નાના લોક સેવકોના પણ ખૂન થાય છે. પણ લોકોને ખબર પડતી નથી. અથવા ભૂલી જાય છે.
      લોકસેવા દહીંદૂધમાં પગરાખી થતી નથી. સત્યનો માર્ગ અસ્ત્રાની ધાર ઉપર ચાલવાનો હોય છે. આત્મહત્યા અને બલીદાન અલગ અલગ છે.

      Like

    2. ભાઈશ્રી ખાચર,
      આપે કદાચ મારાં બ્લોગની પ્રથમ વાર જ મુલાકાત લીધી છે, આભાર ! રસ પૂર્વક વાંચી પ્રતિભાવ જણાવવા માટે પણ આભાર ! આપના પ્રતિભાવના જવાબમાં ભાઈ શિરીષ દવેએ સુંદર વાત લખી છે આપે વાંચી જ હશે તેમ ધારું છું અને તેથી પુંરાવર્તન કરતો નથી. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    3. પ્રિય ભાઈ શ્રી ખાચર ભાઈ
      તમારી વાત અમુક અંશે સાચીતમારી થોડીક વાત માનવી પડે એમ છે મારું એક કટાક્ષ ભજન (રાજકીય જનતો તેનેરે કહીએ )વાંચવા માટે ની લીનક હું ઇંગ્લીશમાં બીજી વખત લખીશ જરૂર વાંચજો અને અભિપ્રાય આપવા કૃપા કરશો હિંમતલાલ જોશી

      Like

  45. Dear Arvind bhai,

    Saras lekh but I feel it is one sided. Most of the things you wrote is the reflection of the news appeared on one of India’s prominent TV channel (Aaj Tak). If Rahul Gandhi, Chidambaram
    or Digvijay Singh say that it is impossible policing every nook and corner of India what’s wrong in it? If Sonia Gandhi suggest that far right organisations of majority should also be probed then what’s wrong in it? It is true that US has not witnessed any blasts in the last Ten years but as we all know it is living constantly under the shadow of threat.

    Whenever any bomb blast takes place anywhere in India why the organisations belonging to Minority is always suspected? Why not the organisations of the Majority? Have we forgotten who were involved in Ajmer Dargah, Malegaon and Samjhouta Express blasts? Sadhvi Prgya and Col. Purohit are in jail. What about others? They are roaming free.

    I know it is very difficult to find non-bias media nowadays. Every newspaper and TV channel is for or against some or the other person or party. We as readers should not fall prey to such bias news coverage.

    Terrorist have no religion. Just because of their names it will be mistaken to identify them with one or the other community or the religion. They have only one religion and that is to terrorize innocents. They have only one colour ‘Blood.’ We should not follow a practice of dividing between ‘We’ and ‘They.’ India and Indians need unity.

    Recent Mumbai blasts were slaps on the face of our intelligence department and police. Let all of us take them to the task. There is a law in India that says if any government employee, willfully or due to negligence, causes any damage to the life and/or property of government and citizens he/she must be held responsible and the amount of the damage must be recovered even from the pension. How many time this law has been implemented? If not, why not? Let’s ask government and ministers as to how many police and intelligence people have been booked?

    Latest news is (Yet to be confirmed) that Ammonia Nitrate used in Mumbai bomb blasts were stolen from police in Selvasa in Gujarat!! (Mumbai Samachar, July 19, 11).

    Last but not the least. Let all of us bear in mind that terrorism is there to stay for a long time. We got live with it. whether we like or not but this is the truth.

    Firoz Khan
    Sr. Editor
    Hindi Abroad weeekly
    Toronto, Canada.

    Like

    1. Dear Mr. Firoz Khan,

      It is not the time to defend Muslims by isolating terrorists from Islam. It gives wrong message to Hindus.

      If you can say “It is true that US has not witnessed any blasts in the last Ten years but as we all know it is living constantly under the shadow of threat.” Then we should say “living constantly under the shadow of threat is better than loss of lives of out beloved. And such situation is first step towards removal of terrorism.

      CongI leaders use to give message inherent with vote politics. Earlier to 2009 Mumbai blast Cong had issued instructions to be lenient in checking the boats at Arabian Sea. That caused the smooth passage of terrorists to enter western sea coast for 26/11.

      Terrorists do have religion. Because they have religion, they are terrorists.

      It is a fashion of secular and irresponsible minority leaders, to quote Ajmer Dargah, Malegaon, Samjhouta Express, Sadhvi Prgya and Col. Purohit etc… If they have information and if they have convinced them selves by that information they should go to court of law and submit the evidence.

      It gives political and wrong message to Hindus. The Muslims must know that Hindus are not terrorists and they are secular by definition of their religion.

      The meaning of religion for Hindus is quite different than the meaning of religion adopted by Muslims and Christians.

      For Hindus religion is the accepted duty to serve the society. If you are a doctor perform the duty of doctor as you have accepted it. don’t leave it while you are operation theater. Region Means you perform your social duty .

      In Hindus you have a liberty in philosophy, God and universe. You can define and worship God in any form you like, because after all God is beyond your capacity to understand. They say “God is “not like that” “na iti” न इति = नेति … नेति ”

      One must know that Hindus are secular by their philosophy. Inspite of many bad Mogul rulers Hindus had supported Bahadur Shah Jaffar and they had decided to re-establish the Mogul Empire in India in 1857.

      Why this mind set got changed? It was not only due to British. It was due to the Muslim leaders. Muslim leaders should have courage to tell spade a spade.

      Think of a situation if the 80 percent majority react and revolt against minorities vwhat would be the condition of minority viz. Muslims? Do you think that simply 9 terrorists can take Mumbai on ban without help of Indian Muslims? Whome do you blame for Hindus driven out from Kashmir of India. Why do you not react? Is there a single instant of that quantum in India for Muslims?

      Majority of the Hindus know that all Muslims are not terrorists. That is why Muslims have decided to live in India instead of going to Muslim Pakistan.

      Better you read what Subranian Swami said as to what is expected by Hindus from minorities.

      Like

      1. ભાઈશ્રી ખુશ્બુ
        આપે મારાં બ્લોગ ઉપર આવી રસ લઈ ભાઈશ્રી ફિરોઝખાનને જે જવાબ આપ્યો છે તે ખૂબ જ સુંદર અને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જણાય છે. આપનો ખૂબ ખૂબ આભાર ! મેં પણ ભાઈશ્રી ફિરોઝખાનને જવાબ લખ્યો છે તે આપની જાણ માટે અત્રે પ્રસ્તુત કર્યો છે જે વાંચી આપ આપનો પ્રતિભાવ જનાવશો તેવી આશા છે. આવજો ! મળતા રહીશું !
        સ-સ્નેહ
        અરવિંદ

        Like

      2. ભાઈશ્રી ખુશ્બુ,
        આપે મારાં બ્લોગ ઉપર પધારી મારો લેખ વાંચી તથા ભાઈશ્રી ફિરોઝને જે જાવબ આપ્યો છે તે ખૂબ જ સુંદર ઉપરાંત આજના ખરા પરિપ્રેક્ષ્યમાં છે. આપનો ખૂબ ખૂબ આભાર ! મેં પણ ભાઈશ્રી ફિરોઝખાનને અલગથી જવાબ આપ્યો છે જે આપની જાણા માટે અત્રે પ્રસ્તુત કરું છું જે વાંચી પાનો પ્રતિભાવ જણાવવા વિનંતિ. આભાર ! આવજો ! મળતા રહીશું !
        સ-સ્નેહ
        અરવિંદ
        ભાઈશ્રી ફિરોઝખાન,
        આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ‍! થોડી નાદુરસ્ત તબિયત તથા નેટ અને પાવરની સમસ્યાને કારણે જવાબ દેવામાં વિલંબ થયો છે તો તે બદલ દરગુજર કરશો. આપનો પ્રતિભાવ વાંચતા જણાય છે કે આપે મારો લેખ બરાબર વાંચી તપાસ કઈ તરફ કરવા અંગુલીનિર્દેશ કર્યો છે તે સુચન કે સંકેત કદાચ જીલ્યા નથી. રાહુલને માત્ર વંશીય લાભ વડે આ દેશના વડાપ્રધાન પદે બેસાડી દેવા જે હિલચાલ ચાલે છે ત્યારે જો તેનામાં ખરેખર એક ટકો પણ આ સર્વોચ્ચ હોદા ઉપર બેસવાની લાયકાત હોય તો, આવા નામર્દાનગી ભરેલા નિવેદનો ના કરે ! આ દેશનો વડોપ્રધાન મર્દાનગી ભરેલો અને આતંકવાદી પરિબળોને લલકારી ખાતમો બોલાવી શકે તેવો હોવો જોઈશે ! નિર્દોષ વ્યક્તિઓનો ભોગ ક્યાં સુધી અને કેટલો લેવાતો રહેશે ? મોટી સંખ્યામાં પોતાની ચોતરફ સીક્યોરીટીના કાફલા સાથે ફરનારાઓને આવા હુમલાના ભોગ બનેલા પરિવારોની વેદના ક્યારેય ના સમજાઈ શકે ! મર્દ હોય અને હિમત હોય તો સીક્યોરીટી છોડી આમ સમુદાય જોડે ખભેખભા મેળવી લોક લાગણી જીતવી પડે ! તાજા સમાચાર પ્રમાણે આવો દાખલો બંગાળના નવા મુખ્યપ્રધાન મમતાજીએ પૂરો પડ્યો છે. છે આવી ખુમારી કે હેસિયત આ અમુલબેબી કે તેના ચમચા દિગુભામાં ? આ ભારોભાર બાયલા અને કાયરતા ભર્યા ચમાચાઓ તપાસને એક ચોક્ક્સ દિશા તરફ ધસડી જવા પ્રયાસ એટલા માટે કરી રહ્યા છે કે તપાસની સોય તેમના તરફ ના ફંટાય ! વળી એક વાત ખૂબ જ સ્પષ્ટ છે કે દિગુભા જેવો બફાટ-બકવાસ સોનિયા અને રાહુલના આશીર્વાદ-સુચન-સંકેત વગર કરી શકવાની કોઈની હેસિયત નથી તે આ દેશના લોકો સમજી ચૂક્યા છે. એટલું જ નહિ હવે કોંગ્રેસના પ્રવક્તા પણ આ વિવાદમાંથી કોંગ્રેસને બહાર કાઢવા “દિગ્વિજયના નિવેદનો તેમના અંગત છે, તેની સાથે પક્ષને કોઈ લેવા દેવા નથી, માટે તેમના નિવેદનોનો અર્થ કે સંદર્ભ તેમને જ પૂછો !” એવા નિવેદનો કરી હાથ ખંખેરવા લાગ્યા છે. જે શું સુચવે છે ? મારા મત પ્રમાણે દિગુભા કોંગ્રેસના મહાસચિવનો હોદો ધરાવે છે તે આવા અશિસ્ત ભર્યા અને પક્ષને મુંઝ્વણ થાય તેવા નિવેદનો કરે તો પક્ષની ફરજ શું હોઈ શકે ? અશિસ્ત મૂંગે મોઢે ચલાવી લેવી ? કે તેમને હોદા અને પક્ષમાંથી આવા બેજવાબદાર નિવેદનો કરવા બદલ હકાલપટી કરવી ? પરંતુ જો પક્ષ આવા કોઈ પગલાં અનેક વખત કરવામાં આવેલા નિવેદનો પછી, પણ ના લે તો સામાન્ય જનને શું સમજવું ?
        જ્યાં સુધી બોમ્બ ધડાકાની તપાસને લાગે-વળગે છે ત્યાં સુધી મારાં મતે ચો-તરફથી ભ્રષ્ટાચાર-લોકપાલ આંદોલન-કાળું નાણું- સ્વીસ બેંકમાં પડેલું કાળું નાણું-નિરંકુશ બનેલી મોંઘવારી-ભેળસેળ-સર્વોચ્ચ અદાલતની વારંવાર પડતી સરકારની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા માટે લપડાક વડે ઘેરાયેલી અને સતત ભીંસ અનુભવી રહેલી આ સરકાર અને કોંગ્રેસ પક્ષની આબરૂનું થઈ રહેલું ધોવાણ વગેરે આમ આદમીના મન ઉપર સવાર થઈ રહ્યું છે તે અટકાવવા અને સરકારની અને કોંગ્રેસ પક્ષની આબરૂ બચાવવા આ બોમ્બ ધડાકા જેવી અમાનવીય અને અત્યંત હલકી કક્ષાની હરકતો મારફત લોકોનું ધ્યાન અન્ય દિશામાં વાળવા કોંગ્રેસના ઉચ્ચ વડાઓના કાંધ્યા અને ચમચાઓ દ્વારા જ કરવામાં આવતી હોવાની સંભાવના વિષે પણ તપાસ એજંસીઓને કામે લગાડવી જોઈએ ! અલબત્ત આ કરે કોણ ? તે યક્ષ પ્રશ્ન બની રહે છે ! મારો પ્રયાસ તપાસનો દોર આવા તત્ત્વો તરફનો હતો પરંતુ આપ કદાચ તે લઘુમતિ કે કોમવાદ તરફનો સમજયા હો તેવું જણાય છે.
        આ સિવાય અન્ય બે બ્લોગર મિત્રોના આપના પ્રતિભાવના પ્રત્યુત્ત્રરમાં આવેલા જવાબો પણ જોઈ જવા વિનંતિ છે.
        ચાલો આવજો ! મળતા રહીશું !
        સ-સ્નેહ
        અરવિંદ

        Like

    2. ભાઈશ્રી ફિરોઝખાન,
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ‍! થોડી નાદુરસ્ત તબિયત તથા નેટ અને પાવરની સમસ્યાને કારણે જવાબ દેવામાં વિલંબ થયો છે તો તે બદલ દરગુજર કરશો. આપનો પ્રતિભાવ વાંચતા જણાય છે કે આપે મારો લેખ બરાબર વાંચી તપાસ કઈ તરફ કરવા અંગુલીનિર્દેશ કર્યો છે તે સુચન કે સંકેત કદાચ જીલ્યા નથી. રાહુલને માત્ર વંશીય લાભ વડે આ દેશના વડાપ્રધાન પદે બેસાડી દેવા જે હિલચાલ ચાલે છે ત્યારે જો તેનામાં ખરેખર એક ટકો પણ આ સર્વોચ્ચ હોદા ઉપર બેસવાની લાયકાત હોય તો, આવા નામર્દાનગી ભરેલા નિવેદનો ના કરે ! આ દેશનો વડોપ્રધાન મર્દાનગી ભરેલો અને આતંકવાદી પરિબળોને લલકારી ખાતમો બોલાવી શકે તેવો હોવો જોઈશે ! નિર્દોષ વ્યક્તિઓનો ભોગ ક્યાં સુધી અને કેટલો લેવાતો રહેશે ? મોટી સંખ્યામાં પોતાની ચોતરફ સીક્યોરીટીના કાફલા સાથે ફરનારાઓને આવા હુમલાના ભોગ બનેલા પરિવારોની વેદના ક્યારેય ના સમજાઈ શકે ! મર્દ હોય અને હિમત હોય તો સીક્યોરીટી છોડી આમ સમુદાય જોડે ખભેખભા મેળવી લોક લાગણી જીતવી પડે ! તાજા સમાચાર પ્રમાણે આવો દાખલો બંગાળના નવા મુખ્યપ્રધાન મમતાજીએ પૂરો પડ્યો છે. છે આવી ખુમારી કે હેસિયત આ અમુલબેબી કે તેના ચમચા દિગુભામાં ? આ ભારોભાર બાયલા અને કાયરતા ભર્યા ચમાચાઓ તપાસને એક ચોક્ક્સ દિશા તરફ ધસડી જવા પ્રયાસ એટલા માટે કરી રહ્યા છે કે તપાસની સોય તેમના તરફ ના ફંટાય ! વળી એક વાત ખૂબ જ સ્પષ્ટ છે કે દિગુભા જેવો બફાટ-બકવાસ સોનિયા અને રાહુલના આશીર્વાદ-સુચન-સંકેત વગર કરી શકવાની કોઈની હેસિયત નથી તે આ દેશના લોકો સમજી ચૂક્યા છે. એટલું જ નહિ હવે કોંગ્રેસના પ્રવક્તા પણ આ વિવાદમાંથી કોંગ્રેસને બહાર કાઢવા “દિગ્વિજયના નિવેદનો તેમના અંગત છે, તેની સાથે પક્ષને કોઈ લેવા દેવા નથી, માટે તેમના નિવેદનોનો અર્થ કે સંદર્ભ તેમને જ પૂછો !” એવા નિવેદનો કરી હાથ ખંખેરવા લાગ્યા છે. જે શું સુચવે છે ? મારા મત પ્રમાણે દિગુભા કોંગ્રેસના મહાસચિવનો હોદો ધરાવે છે તે આવા અશિસ્ત ભર્યા અને પક્ષને મુંઝ્વણ થાય તેવા નિવેદનો કરે તો પક્ષની ફરજ શું હોઈ શકે ? અશિસ્ત મૂંગે મોઢે ચલાવી લેવી ? કે તેમને હોદા અને પક્ષમાંથી આવા બેજવાબદાર નિવેદનો કરવા બદલ હકાલપટી કરવી ? પરંતુ જો પક્ષ આવા કોઈ પગલાં અનેક વખત કરવામાં આવેલા નિવેદનો પછી, પણ ના લે તો સામાન્ય જનને શું સમજવું ?
      જ્યાં સુધી બોમ્બ ધડાકાની તપાસને લાગે-વળગે છે ત્યાં સુધી મારાં મતે ચો-તરફથી ભ્રષ્ટાચાર-લોકપાલ આંદોલન-કાળું નાણું- સ્વીસ બેંકમાં પડેલું કાળું નાણું-નિરંકુશ બનેલી મોંઘવારી-ભેળસેળ-સર્વોચ્ચ અદાલતની વારંવાર પડતી સરકારની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા માટે લપડાક વડે ઘેરાયેલી અને સતત ભીંસ અનુભવી રહેલી આ સરકાર અને કોંગ્રેસ પક્ષની આબરૂનું થઈ રહેલું ધોવાણ વગેરે આમ આદમીના મન ઉપર સવાર થઈ રહ્યું છે તે અટકાવવા અને સરકારની અને કોંગ્રેસ પક્ષની આબરૂ બચાવવા આ બોમ્બ ધડાકા જેવી અમાનવીય અને અત્યંત હલકી કક્ષાની હરકતો મારફત લોકોનું ધ્યાન અન્ય દિશામાં વાળવા કોંગ્રેસના ઉચ્ચ વડાઓના કાંધ્યા અને ચમચાઓ દ્વારા જ કરવામાં આવતી હોવાની સંભાવના વિષે પણ તપાસ એજંસીઓને કામે લગાડવી જોઈએ ! અલબત્ત આ કરે કોણ ? તે યક્ષ પ્રશ્ન બની રહે છે ! મારો પ્રયાસ તપાસનો દોર આવા તત્ત્વો તરફનો હતો પરંતુ આપ કદાચ તે લઘુમતિ કે કોમવાદ તરફનો સમજયા હો તેવું જણાય છે.
      આ સિવાય અન્ય બે બ્લોગર મિત્રોના આપના પ્રતિભાવના પ્રત્યુત્ત્રરમાં આવેલા જવાબો પણ જોઈ જવા વિનંતિ છે.
      ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  46. Friends,
    I have a request. Please read a book named…” ADHOGATINU MUL….VARNAVYAVASTHA…by…Swami Sachhidanand. Please do not just read. Read & Think and try to relate the truth during the vaidik age Vs 21st Century. Give your HONEST opinion having digested the text.

    Regarding West Vs East….Please have personal extensive study and experience of both the cultures,( East And West ) e.g.society, science, Personal attitude, humanity, % honesty,discipline, Civility, and so many other aspects of life which concerns human life or animal or plant kingdom. Please consider that no society is 100% good or 100% bad. There is some percentage( plus or minus) bad in each society. If, we are smart and wise, why not grab good parts of others and let go bad parts of our own life or society ? It is not wise to scold others without studying and understanding others life and society.

    Your friend,

    Amrut ( Suman ) Hazari.

    Like

    1. મારે હિસાબે ભારત ૧૦૦૦૦ કરતાં વધુ વર્ષજુની સંસ્કૃતિ ધરાવે છે. મુસ્લિમોએ દેશની અધોગતિ કરી નહતી. અંગ્રેજો ન આવ્યા હોત તો મુસ્લિમો પણ શક, હુણ અને પારસીઓની જેમ ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયા હોત. અધોગતિ ચાલુ થઈ મોગલ અને મરાઠાઓના પતન પછી. અને અંગ્રેજોએ કબજો જમાવ્યા પછી. ગાંધીજીએ વર્ણ વ્યવસ્થા વિષે શું કહ્યું તે પણ જાણવું જરુરી છે. વર્ણ વ્યવસ્થા મુડીવાદી સમાજ અને સામ્યવાદી સમાજમાં રહેવાની જ. ફક્ત વર્ણના નામ બદલાય છે. એટલે જ કૃષ્ણભગવાનના મુખે ઈશ્વરે કહ્યું કે વર્ણ વ્યવસ્થા મેં (પ્રકૃતિએ) સૌ સૌ ના સ્વભાવ અને કાર્ય પ્રમાણે સર્જી છે.
      જો જન્મના સંબંધથી જ વર્ણવ્યવસ્થા ઈશ્વરે સ્થાપી હોત તો કૃષ્ણભગવાન એમ કહેત કે
      ચાતુર્વર્ણં મયા સૃષ્ટં જન્મ-લગ્નસંબનાત્‌

      “આંધળાઓ અને હાથી” બહુ જુની રમુજી વાર્તા છે. અને પુનરાવર્તનની જરુર નથી. સ્વામી સચ્ચીદાનંદ નો અંધશ્રદ્ધા ઉપરનો પૂણ્ય પ્રકોપ પ્રસંશનીય છે. ….
      મારી વાત ગંભીરતા પૂર્વક ન લેતાં હળવા મનથી નીચેનું વાંચો.

      “ચોક્ખું ઘી” અને “હાથી”

      Like

      1. ભાઈશ્રી દવે,
        બ્લોગની મુલાકાત અને સુંદર પ્રતિભાવ માટે આભાર ! આપે આપેલી લીંક જરૂર અનુકૂળતાએ જોઈશ ! હાલમાં તો થોડી નાદુરસ્ત તબિયત તથા નેટ અને પાવરની તકલીફ હોઈ નિયમિત રીતે મારા બ્લોગ ઉપર આવેલ પ્રતિભાવોના જવાબ પણ આપી શકાતા નહિ હતા ! આપને પણ આ વિલંબ માટે દરગુજર કરવા વિનંતિ છે. આવજો ! મળતા રહીશું !
        સ-સ્નેહ
        અરવિંદ

        Like

    2. શ્રી અમૃતભાઈ
      મુલાકાત સાથે સુંદર પ્રતિભાવ માટે આભાર ! આપે સુચવેલ પુસ્તકમેં વાંચેલ છે અને વસાવેલ પણ છે. સ્વામી સચ્ચિદાનંદના વિચારો મને ખૂબ જ પસંદ છે અને મારા ઉપર કદાચ તેમના વિચારોનો પ્રભાવ પણ હોઈ શકે ! સાથો સાથ ઓશોના વિચારો મને ગમે છે અને તેમના પુસ્તકો પણ હું વાંચતો અને વસાવતો રહુ છું. ફરી ને આભાર ! જવાબ લખવામાં નેટ,પાવર અને નાદુરસ્ત તબિયતને કારણે વિલંબ થયો છે તો દરગુજર કરશો. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી રાજ,
      આપે બ્લોગની મુલાકાત લીધી અને આપને પસંદ પડ્યો તે જાણી ખૂબ આનંદ થયો. આભાર સાથે ફરી પધારતા રહેવા વિનંતિ ! નેટ, પાવર અને નાદુરસ્ત તબિયતને કારણે જવાબ લખવામાં વિલંબ થયો છે તો દરગુજર કરવા વિનંતિ. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  47. Dear Sir

    Read Gujarati

    aap aapna blog ma je lakho te pan pahela jaror vichar karjo ke hu Hundu Chu. To Marathi aatlu Lakhay Ke Na Lakhay : aakhi Duniya Ma Koy Evo Muslim Ke Sikh Ke Anya Dharm Joy jovo to koy pan potana dharm vishe avlu bolse ke lakhse nahi To Priya Saheb Je jevu karm kare chhe tene tevu Fal Male Chhe Mate Aapne to Duniya ne nava vichar temaj Vysan,Vishay,Fashon Thi bache ane dharm na Marge Vale Ej Aasha sate PRANAM

    Like

    1. શ્રી ગોવિંદભાઈ,
      આપે બ્લોગની મુલાકાત લીધી પ્રતિભાવ પણ આપ્યો ખુબ ખુબ આભાર ! કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના હોવાથી તે વિષે જો કંઈ ખોટું થતું નજરે પડે અને જો મૌન રહીએ તો તે મારી દ્રષ્ટિએ ગર વ્યાજબી ગણાય ! તમામ ધર્મના લોકોએ પોતના ધર્મ વિષે આત્મ પરિક્ષણ કરતા રહેવું જ જોઈએ કોઈ ના કરતા હોય તેથી મારે પણ મૌન રહેવું તે જરૂરી નથી. મારી વાત આપ યોગ્ય સંદર્ભમાં સમજી શક્શો તેમ ધારું છું. અસ્તુ ! નેટ,પાવે અને નાદુરસ્ત તબિયતને કારણે આપજે જવાબ મોડો લખાયો છે તો દરગુજર કરશો.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. શ્રી પુરુજી
      આપની બ્લોગની મુલાકાત અને ગમ્યો તે જાણી આનંદ સાથે આપનો આભાર. નેટ પાવર અને થોડી અસ્વસ્થ તબિયતને કારણે આપને જવાબ લખવામાં વિલંબ થયો છે તો દરગુજર કર્શો તેવી આશા છે. આપે ફેસ બૂક ઉપર બ્લોગ વાંચવા ભલામણ કરી છે તે જાણી વિશેષ આનંદ. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

        1. શ્રી પુરુ,
          આભાર બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપ પણ બ્લોગ ચાલુ કરી રહ્યા છો તે જાણી આનંદ થયો ! આપના બ્લોગને સફળતા મળે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે-
          સ‌સ્નેહ
          અરવિંદ

          Like

  48. http://www.aapnugujarat.co.cc

    આ વેબસાઈટ પર તમારી પોતાની કોઈપણ સાહિત્ય કૃતિ જેમકે કવિતા, ગઝલ, શાયરી, વાર્તા, મુક્તક, કહેવતો વિગેરે…પબ્લીશ કરવા ઈચ્છતા હોવ તો નીચેના ઈ-મેઈલ પર કૃતિ અને લેખકની સંપૂર્ણ માહિતી, અરજી સાથે મેઈલ કરો.
    (નોંધ: બીજા દ્વારા રચિત કૃતિ માટે ની અરજી સ્વીકારવામાં આવશે નહી. કૃતિ મેઈલ કરનારની જ હોવી જોઈએ.)

    info@aapnugujarat.co.cc

    Like

    1. dear ashvin mavani
      maru naam himmatlal joshi chhe maru upnam ataai chhe hu junagadh jillana manavadar talukana gam deshinga maa apri15 1921 naaroj thayo chhe haal hu 37 varas karta vadhu samay thi amerika maa vasu chhu ane 15 varas karta vadhu samay thi arizona state na phoenix shaher maa maari potani maliki na gharmaa eklo rahu chhu me ek bhajan kabir na name banavyu chhe te hindi bhasha maa chhe pan me ghana urdu shabdo mukya chhe aa bhajn hu hindi axaro maa tamaara email upar lakhun chhu aapne yogy laage to chhapi ne maaro utsah vadharsho thank you

      Like

  49. My Dear Shri Arvindbhai,
    I am touched with various comments on your Blog and also thought provoking ideas put forward by you through Blog, please keep it up.
    I am also retired Bank Manager from Bank Of India and moved through Vadodara-Madhyapradesh-Surat. I am native of Surat and presently residing at Canada with my sons. I am also science graduate but attached to GUJARATI SAHITYA-SANGIT and enjoying my retired life with grand children. I am also visiting Surat-Gujarat at intervals and hope to talk to you or if happen to visit Saurashtra I will try to meet you as I have also started learning computer for last about ten years well before retirement. It is really good company even when you are at abroad. I will be happy to see your Blog on & often.
    With Best Wishes,
    Maheshchandra Naik

    Like

    1. ભાઈશ્રી મહેશચંદ્ર
      આપની બ્લોગની મુલાકાતથી મને ખૂબ જ આનંદ થયો.આ આનંદ બેવડાયો જાણી કે આપ પણ બેંકર છો અને ગુજરાતના જ છો. હું દેના બેંકમા હતો અને સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય ગુજરાતમાં ફર્યો નથી. અલબત્ત જ્યારે બેંક યુનિયનની પ્રવૃતિમાં સક્રિય હતો ત્યારે સંગઠન માટે ગુજરાતનો પ્રવાસ કર્યો છે. બેંક ઓફ ઈંડિયાના જે.એમ.વ્યાસ, બાપુજી ધોળકિયા,અમુભાઈ ગણાત્રા, અમદાવાદના ભાનુકાંત પરીખ વગેરેના નિકટના પરિચયમાં આવેલો આજે તો મોટા ભાગના સ્વર્ગવાસી બની ગયા છે. આપ પણ કોમપ્યુટર જાણો છો તે જાણી આનંદ થયો. આપ જ્યારે પણ અહિ આવો ત્યારે મળવાનું રાખશો તો ખૂબ જ ગમશે. કુશળ હશો-છું. આપ આપની અનુકૂળતાએ બ્લોગની મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો તો મને ખૂબ જ ગમશે. ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  50. Salaam n Namaste, Arvindbhai,
    Manishbhai dhvara tamara lekh Ratri bhojan n blogni mulakat thai.
    em nathi lagtu k tame lakhvama navaa n bin anubhavi hoy. ghani kusharta n nikhalasta tamara blog ma n tamara lekho ni pasandgima dekhay 6. Aavuj lakhta raho evi shubhechchha sathe Abhinandan.

    Like

    1. ભાઈશ્રી શબીર
      આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવો પણ જણાવ્યા આભાર ! આપની શુભેચ્છા માટે પણ આભાર !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  51. અરવીંદ ભાઈ તમારા શિક્ષણ ઉપર ના લેખ પરથી એક નવો લેખ મે લખ્યો છે. અને જે વાત મને યોગ્ય લાગિ તે મારા બ્લોગ ના લખાણ પર કોપી કરી છે. ( આ વાત નો ઉલ્લેખ મારા બ્લોગ ના હેડીંગ મા પણ કર્યો છે. મારા બ્લોગ ની મુલાકત લેશો અને તમારા અભિપ્રાય આપશો.

    મનિશ શાહ
    http://www.alplimadiwala.wordpress.com

    Like

  52. Dear Shri Arvindbhai,
    Let me give my background.
    We met on Shri Govind Maru’s blog, today. I am very happy to read the text you wrote. With your invitation to attend your Blog, I have started to read it. It is of my taste and of the same thinking pattern.
    I live in ISELIN township in New Jersey in USA, since last 20 years. ( Born on Oct 31, 1944, the day, people in America celebrates as Halloween day… like our KALI CHAUDAS. And in India it is the birthday of Vallabhbhai Patel) I have Ph.D degree in Organic Chemistry and have worked with Atul Products Ltd in production at a very high position.

    I had interest in reading Gujarati sahitya and was contributing to Sandesh, Navchetan ( Ahmedabad) and Science Reporter ( New Delhi ) regularly, when I was studying in Ahmedabad.

    Having come to USA, I started writing for (1) Tiranga in New Jersey under the title of SAMAJ DARPAN. I also write for Gujarat Darpan, monthly, being published from 7 to 8 cities in the USA and also from Nadiad in India. Here I review books written by our writers, under the title of ” Gujarat Darpan Gnan Parab” Though I haveeducation in science the interest and study in Gujarati literature helps me. Readers like the revolutionary thoughts expressed there.
    Dr. Raman Pathak is my idol. His thoughts on our samaj and the application of our interpretations of Dharmic teachings or prechings, were thought provoking and that has lead me to revolutionary thinking and basic application of science and its proven principles.

    I know that if your thinking is ahead of the common man, you are rejected and punished. Like Socretes.

    Thanks.

    We will be meeting on your blog as well as on Shro Maru’s blog.

    Yours Amrut(Suman)Hazari.

    Like

  53. માનનીય શ્રી અરવિંદભાઈ,

    વીતતી વયમાં તમે જે પ્રવૃત્તિ કરી રહ્યા છો તેમાંથી સિનિયર સિટિઝનોએ ઘણું શીખવા જેવું છે. મંદિરના ઓટલે બેસીને ગામ આખાની કુથલી કરીને મંદિર અને મનમંદિરને અભડાવવા કરતાં સિનિયર સિટિઝનો તમારી જેમ શબ્દબ્રહ્મની ઉપાસના કરતા થાય તો તેમને તો નિજાનંદનો લાભ થાય જ પણ સાથોસાથ અન્યોને પણ તેમના વિશાળ અનુભવોનો લાભ મળે. એટલું જ નહીં તેઓ પોતાના જ પરિવારમાં હડેહડે થતાં પણ બચે.

    તમારો બ્લોગ નિરાંતે જોતાં એક એવી છાપ ઊભી થાય છે કે તમારી આ પ્રવૃત્તિ એક રીતે ‘ડાયજેસ્ટ’ પ્રકારની છે. જાતજાતનાં ફૂલ ભેગાં કરીને તમે આ થાળ સજાવ્યો છે અને ફૂલો વીણવાનું નિરંતર ચાલુ જ છે. ફૂલોની વિવિધતા ખાસ ધ્યાન ખેંચે છે.

    તમારાં પુત્રી પણ ખાસ ખાસ ધન્યવાદને પાત્ર છે જેમણે તમને એક રચનાત્મક કાર્યની દિશા આપી.

    चरैवेति चरैवेति.

    શુભેચ્છુ મુનિ મિત્રાનંદસાગર.

    Like

    1. આદરણીયશ્રી મિત્રાનંદસાગરજી
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી, પ્રતિભાવ જણાવી મને અનુગ્રહિત કર્યો તે બદલ આપનો ખરા હ્યદયથી આભાર ! આપના પ્રતિભાવ ઉપરથી જણાય છે કે આપે મારાં દ્વારા લખાયેલા તમામ લેખોની નોંધ લઈ બ્લોગને ” ડાયેજસ્ટ ” પ્રકારનો ગણાવ્યો જે બ્લોગનું આબેહુબ પ્રતિબિંબ જણાય છે. ફરીને આભાર ! આપની અનુકૂળતાએ ફરી મુલાકાતે પધારતા રહી યોગ્ય માર્ગદર્શન આપતા રહેશો તેવી આશા રાખું છું. આવજો !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  54. Hello Arvid Unlce, Kem 6o? Aam to me ghana divas pehla j Gujarati.nu par account banavelu pan koy divas access notu karyu, aaje thodi navarash mali to surfing karva lagyo ane tyathi tamara blog ni link mali atle aa blog-a avine atkyo, pehla to thyu ke chalo ne java dai-a avu Gujarati kon vanche pan me jyare fakt tamaro parichay vanchyo tyare mane undu javanu man thayu. Tamari saral bhasha joy ne mane khubaj anand thayo, kemke amari aaj ni generation ne bau Gujarati avadtu no hoy ane amay lekhako aghara aghara talpada shabdo vapare, pan ahi tamro intro vanchi ne lagyu k tame Nikhalas 6o. Ane hovu j joy-e-a. Hu bhale nano hau pan vicharo to “MOTA” manso jevaj 6.

    Ane tamne jem knowlede share karvu game 6, tema apdo nature same 6. Actually I am hungry for Knowledge. So if you have facebook account than click on https://www.facebook.com/PNT.Peacelover.Natural.Talented
    there is also my fanpage http://www.facebook/itooons
    And if you are not so tired by reading my long comment please visit my blog which is related to technology(mainly) but contains other things too, give yout kind suggestions there and Keep Smiling

    Like

    1. ભાઈશ્રી મેઘલ
      આપની બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! આપે ભૂલથી આપના બ્લોગના નામને બદલે મારાં બ્લોગનું નામ મુલાકાત લેવા માટે લખી નાખ્યું છે. ખેર ! અનુકૂળતાએ બ્લોગનુ નામ મોકલશો જરૂર મુલાકાત લઈશ ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  55. અરે વાહ, ખૂબ સરસ બ્લોગ બનાવ્યો છે સાહેબ,

    આમ તો આપનો બ્લોગ જોવામાં હું ખૂબ મોડો પડ્યો છું, પણ જાગ્યા ત્યારથી સવાર એમ જાણી આપના બ્લોગની ઘણીખરી પોસ્ટ જોઈ ગયો. આપના વિચારો વિચારતા કરી દે એવાં છે, અભિપ્રાય નિખાલસ છે અને લખવાની પદ્ધતિ સચોટ છે, એટલે આંખોને જ નહીં, મનને પણ ગમે છે.

    લખતા રહેશો….

    આભાર.

    Like

    1. ભાઈશ્રી જિગ્નેશ
      આપને બ્લોગ ગમ્યો તે જાણી આનંદ થયો. અનુકૂળતાએ મુલાકાત લેતા રહી આપના કિમતી પ્રતિભાવ પણ જણાવશો તો મને ગમશે અને જે મને નવા નવા વિષય ઉપર લખવા પ્રેરણા આપશે ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  56. મુ.અરવિંદભાઈ,

    આમ તો વર્ષાબેન અડાલજાનું નામ જાણીતું છે એટલે આપનો બ્લોગ અડાલજા વાંચીને જોયો. આપની નિખાલસતા મને ખુબ જ ગમી. તુષારભાઈએ તો સહજાનંદ સ્વામીજીનું પણ અપમાન કર્યું છે. શીક્ષાપોથીમાંથી આવા અપશબ્દો શીખ્યા? તુષારભાઈ તમારા જેવા સ્વામીનારાયણ ધર્મમાં હશે તો તે કેટલો ચાલશે?

    મેં પણ તમારી જેમ મોટી ઉંમરે કમ્પ્યુટરનું જ્ઞાન મેળવ્યું. કમ્પ્યુટર ઓન કેમ કરવું તે પણ ખબર નહોતી. મારા બ્લોગનું નામ http://suratiundhiyu.wordpress.com છે. સુરતી હોવાથી અને બ્લોગમાં પણ ઊંધિયાની જેમ બધીજ વેરાયટી મુકવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. રીટાયર્ડ એન્જીનીયર હોવાથી ભાષા પર ખાસ કાબુ નથી ( જોકે બીજા થોડા બ્લોગોવાળા ગુજરાતી ભાષાના તારણહાર હોય તેમ લખે છે) . મેં જોયું કે પાવર પોઈન્ટની ગુજરાતીમાં સ્લાઈડો નહીવત છે એટલે એને વધારે પ્રાધાન્ય આપ્યું છે.

    સુવિચારો ભેગા કરીને એક પ્રયાસ કર્યો છે. તમારે લખતા લખતા પ્રભુ ભજન સાંભળવા હોય તો સતત એક કલાકના ભજનો,જૈનો સતત માંટે ૨.૫ કલાકની નવસ્મરણ મંત્ર, જુના ગુજરાતી ગીતો,ગરબા વગેરે એક કલાક સતત વગાડી શકો છો. આરોગ્યની એક “રોગ એક દેશી ઉપાયો અનેક” કરીને ભેગા કરેલા નુંસ્કાઓ છે. બીજી પણ આરોગ્યની ઘણીજ ટીપો છે. જે બીજી કોઈપણ વેબ સાઈટ ઉપર જોવા નથી મળ્યું. બીજી તો ઘણી જ વસ્તુઓનો સમાવેશ છે. આપ એક મુલાકાત લઈને આપનો અભિપ્રાય જરૂર આપશો.

    Like

    1. શ્રી વિપુલભાઈ
      આપ વર્ષા અડાલજાના નામથી પ્રભાવિત હોઈ મારાં બ્લોગની મુલાકાતે આવી ચડ્યા તે મારાં સદભાગ્ય ગણું છું. આ સાથે જ મને વિશ્વાસ છે કે આપને મારા બ્લોગના લખાણૉએ ભરપૂર નિરાશ કર્યા હશે ! ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી ? ખરું ને ? ખેર ! આપને આભાર દર્શાવતી મેલ તો કરી છે. આપના બ્લોગની અનૂકુળતાએ જરૂર મુલાકાત લઈશ અને આપને જણાવીશ ! આપનો બ્લોગ વિવિધ વિષયો ઉપરની ટીપ ધરાવે છે તે જાણી આનંદ. મારા બ્લોગ ઉપર વિવિધ વિષયો ઉપરના મારાં પ્રમાણિક અને નિખાલસ વિચારો મૂકતો રહુ છું જે કેટલાક્ને પસંદ પડે છે તો કેટલાક નાખુશ પણ થતા રહે છે. વિચારોમાં મતભેદ તો સહજ ગણાય ! મારાં માટે મારો બ્લોગ એક આદર્શ પ્રવર્તિ બની રહી મને વ્યસ્ત રાખે છે અને નવા નવા મિત્રો મેળવી આપે છે જેને હું મારી એકલતામાં આશીર્વાદ ગણૂં છું. ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

      1. ઈશ્વરે કોઈને અન્યાય નથી કર્યો. વર્ષાબેન એમના વિભાગમાં શ્રેષ્ઠ છે તો તમે તમારા કાર્યક્ષેત્રમાં. મનુષ્યમાં કોઈ રાજા નથી અને કોઈ ગાંગો તેલી નથી. મેં વર્ષાબેનનું નામ સાંભળ્યું છે, એમના કોઈ લેખ વાંચ્યા નથી તો તમારું નામ નહોતું સાંભળ્યું અને લેખ વાચ્યો ….બધું બરાબર જ છે. તમારી જેમ જ આ કમ્પ્યુટરને લઈને અમેરિકાપણ વખત નથી મળતો એ જાણીને ઘણાને આશ્ચર્ય થાય છે. પ્રત્યુતર બદલ આપનો ખુબ ખુબ આભાર.

        Like

  57. Priya bhaishree Arvindbhai ! Namaskar !Aaje tamara
    blogni biji vakhat mulakat lau chhu.Te pan Utavale !
    Be shabdo :Aashwasan(patni hayat na hova badal);
    Abhinandan;Aapnu vadodarama rahi Uttam sarjan).
    Hu vadodara Nov.2011 ma aavish tyare malava mate
    prayatna karish.Aapno vadhu parichay apexit chhe.
    Aa blogni mulakat mara ketlak snehi mitroe pan kari
    chhe te dhaglabandh comments joi vanchi janyu.
    comments sivayna bakina lakhan have vaanchish.
    Avjo ! Jai Shree Krushna !Mane aol par uttar lakhsho ?

    Like

    1. શ્રી માનવંતજી
      આપ બ્લોગ ઉપર આવ્યા પ્રતિભાવો પણ જણાવ્યા ખૂબ ખૂબ આભાર ! આપ જ્યારે પણ આવો ત્યારે પ્રત્યક્ષ મળવાનું મને પણ ગમશે ! આપને મેલ પણ મોકલી છે એઓએલ ઉપર જે મળવામા હશે ! ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  58. જય શ્રી ક્રુષ્ણ,

    આમ તો આપ ને શું કહેવું વડીલ, માનનીય સર કે આદરણીય કાકા અંતે મને દાદા કહેવું યોગ્ય લાગ્યું તો હું તમને દાદા કહી ને સંબોધું છું ને વાત આગળ વધારું છું.

    આપની કલમ ને સથવાર નવા નવા લેખ મળી રહે ને મારા જેવા યુવાનો ને એક માગૅદશૅન મળી રહે તેવી આશા રાખુ છું

    હું એક લીમીટૅડ કંપની માં ક્યુ.એ – ડૉક્યુમેન્ટ એઝ્ક્યુટીવ છું. મારા પિતાશ્રી એક સરકારી ઓફિસર હતા ને તેઓ હાલ રીટાયૅડ છે. તેઓ એલ.એલ.બી હોવા ને નાતે એક ફૅમ માં વકીલ તરીકે કામ કરે છે.

    તેઓ કહે છે કે માણસ કદી રીટાયૅડ થતો નથી જયાં સુધી તેના વિચાર યુવાન રહે.

    હાલ માં એક બ્લોગ બનાવી રહ્યો છું ગુજરાત ઇતિહાસ ને લગતી માહીતી પર જે હાલ પ્રક્રિયા ચાલુ છે.
    આર્શીવાદ પાઠવશોજી.
    http://www.gujaratvisit.wordpress.com

    Like

    1. ભાઈશ્રી કૌશલ

      આભાર બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે પણ ! આપના પિતાશ્રીની વાત સત્ય છે
      વ્યક્તિ ક્યારે ય વૃધ્ધ થતી નથી જો પ્રકૃતિથી પોતાની જાતને મન ગમતા કાર્યોમાં પ્રવૃત રાખી પરોવી શકે તો ! આર્થિ ઉપાર્જનની જરૂરિયાત હોય તો તેવી પ્રવૃતિ કરાવાની ફરજ પડતી હોય છે અને નહિ તો પોતાને મન ગમતી પ્રવૃતિમાં પરોવાઈ જવુ રહ્યું. મારા મત પ્રમાણે નિવૃતિ એટલે પ્રવૃતિનું પરિવર્તન ! ખેર ! આવજો ! આપના પિતાશ્રીને વંદન ! આપ નવો બ્લોગ તૈયાર કરી રહ્યા છો તે જાણી આનંદ સાથે સફળતા માટે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી શૈલેશ
      આભાર મુલાકાત માટે અને પ્રતિભાવ માટે પણ. આપને આ વિષે મેલ મોકલેલ પરંતુ પરત આવી છે કારણ સમજાયું નથી. આપે લખેલી મેલ આઈડી ઉપર જ મોકલેલી.

      Like

  59. આદરણીયશ્રી.અરવિંદભાઈ સાહેબ

    આપનો બ્લોગ ખુબજ સુંદર છે, સાહેબ

    ખુબજ જાણવા અને માણવા લાયક બ્લોગ છે,

    આપ આ ઉંમરે પણ ક્મ્પ્યુટર શીખ્યા તે જાણી યુવાનોને શરમાવો એવી બાબત છે, સાહેબ

    જોકે શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી,

    આપ વડીલ છો સાહેબ……………એટલે

    અમોને આશીર્વચનો પાઠવશોજી,

    અવારનવર મળતા રહીશું.

    ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

    Like

  60. વડીલશ્રી અરવિંદભાઈ,
    આજે આપનો બ્લોગ જોયો. એમાં કાશ્મીરમાં ત્રિરંગાવાળો લેખ પણ વાંચ્યો. બહુ જ સરસ. તમારા બીજા લેખોનાં ટાઈટલ પણ જોયાં. એ બધા લેખો હવે વાંચીશ.
    મેં તો હમણાં જ બ્લોગ લખવાનું શરુ કર્યું છે. આપ મારો બ્લોગ જોઈ જરૂરી સુચનો જરૂર કરજો.
    pravinshah47.wordpress.com

    Like

    1. ભાઈશ્રી પ્રવીણ
      આપે બ્લોગની મુલાકાત લીધી અને આપને મારાં વિચારો/લેખ ગમ્યા તે જાણી આનંદ થયો. આપના બ્લોગની અનુકૂળતાએ ચોક્ક્સ મુલાકાત લેવાનું રાખીશ અને આપને જણાવીશ પણ ખરો. ચાલો આવજો હવે તો અવાર નવાર બ્લોગના માધ્ય્મ વડે મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  61. આદરણીય શ્રીઅરવિંદભાઈ,

    આપના બ્લોગની આજે અનાયાસે મુલાકાત લીધી. હું આપના શ્રીકાંતિભાઈ ભટ્ટના `આતંકવાદ`ના લેખથી પ્રભાવિત થયો અને અહીં આવી ચઢ્યો, આપનું બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત છે. આપના તરવરાટને ઈશ્વર અમરતા બક્ષે, તે સાથેજ આપની સારી તંદુરસ્તીની શુભેચ્છાઓસહ.

    માર્કંડ દવે.

    માર્કંડ દવે.

    Like

    1. શ્રી માર્ક્ન્ડભાઈ

      આપ અનાયાસે જ બ્લોગ ઉપર આવી ચડ્યા અને બ્લોગની મુલાકાત લીધી માટે આભાર ! આપને બ્લોગ અને મારી પ્રવૃતિ ગમી તે જાણી આનંદ થયો. ફરી પણ મુલાકાત લેતા રહેશો અને મેં મૂકેલા વિવિધ લેખો ઉપર આપના પ્રતિભાવ દર્શાવી મને પ્રોત્સાહિત કરતા રહેશો તેવી આશા રાખું છું ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી હરેશ
      આપની મુલાકાત માટે આભાર! આપના બ્લોગની મુલાકાત લીધેલી આપ તો કવિ છો યાર ! મને કાવ્યોમાં જાજી સુઝ પડતી ના હોય તેમ છતાં આપના કાવ્યો વાંચવા ગમ્યા ! ફરી અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો તો મને ગમશે !
      આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  62. પ્રિય અરવિંદભાઇ,
    સ્ટેમીના જાળવી રાખવા બદલ અભિનંદન. આપના સંતાનોને પણ અભિનંદન કે તેમણે તમને જીંદગીને રસમય બનાવવામાં મદદ કરી.
    આપણને જે યોગ્ય લાગે તે લખવું જરુરી છે.

    Like

  63. મુ. શ્રી અરવિંદભાઈ, શ્રી ગોવિંદભાઈના બ્લૉગ પર આપ સાથે મુલાકાત થાય જ છે. ઉંમર વધતાં માણસ ઈશ્વર તરફ વળે; આપે સમાજ તરફ વળવાનો માર્ગ લીધો. સમાજને આનાથી લાભ જ છે. આપના
    જ્ઞાન અને અનુભવનો લાભ સૌને મળે છે.

    Like

    1. શ્રી દીપકભાઈ
      શ્રી ગોવિંદભાઈના બ્લોગ ઉપર મુલાકાત તો નથી થતી પણ એક બીજાના નામથી પરિચિત અવશ્ય થતા રહીએ છીએ આપ સમય ફાળવી મારા બ્લોગ ઉપર આવી પ્રતિભાવ જણાવ્યો ખૂબ ખૂબ આભાર. આપના વિચારો સાથે આપનું જે તે વિષય ઉપરનું ચિંતન અને અર્થઘટન મારા જેવા કાંઠે ઉભી છબછબીયા કરનારને ખરા જ્ઞાનનું પાન કરાવતું રહે છે જેથી ખૂબ આનંદ આવે છે. અગાઉ કહ્યું તેમ હું મારાં મનમાં જે કોઈ વિષય ઉપર વાચન કર્યા બાદ પ્રશ્નો ઉદભવે અને મને જે ઉતરો મળે તે મારાં નીજાનંદ માટે વ્યકત કરતો રહુ છું અને આત્માના અવાજને વફાદાર રહી નિર્દંભ જીવન જીવવા પ્રયાસ કરું છું. ઉપદેશ આપવા કરતાં જરૂર જણાય ત્યારે ટકોર કરું છું અને જો કોઈ સ્વીકારે તો આનંદ અનુભવુ છું. ટૂંકમાં મારા નીજાનંદ માટે અને મારે અનુભવવી પડતી એકલતા અને ખાલીપામાં આ પ્રવૃતિ મને ખૂબ જ આશીર્વાદ રૂપ બની રહી છે. બ્લોગની શરૂઆત કર્યા બાદ આપ જેવા અનેક શુભેચ્છક મિત્રોનો પરિચય થતાં તેમના વિચારો સાથે મારાં વિચારો શેર કરતા મને ખરા અર્થમાં સેર લોહી ચડે છે. હનુમાનને તેલ અને સીંદુર શા માટે ચડાવવામાં આવે છે તે વિષે જાણવાનું કુતૂહલ મફદ અંશે ભાઈ ભુપેન્દ્રસિંહના બ્લોગ ઉપરથી સંતોષાયું છે. આ વિષે મેં વર્ડપ્રેસ તથા ગુજરાતી ઉપર ચર્ચા શરૂ કરેલી પણ કોઈ તાર્કિક જવાબ મને સંતોષ થાય અને મારા મનમાં જે જવાબ હતો તેની સાથે મેચ થાય તેવો આજ સુધી કોઈએ જણાવ્યો નહિ હતો. આપ શું માનો ?
      નેટની 4-5 દિવસ થયા તકલીફ હોવાથી અને છેલ્લા 2 દિવસ થયા બિલકુલ બંધ રહેતા આપને પ્રત્યુત્તર આપવામાં વિલંબ થયો છે.
      આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

        1. ભાઈશ્રી તુષાર
          આપે બ્લોગની મુલાકાત લીધી પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! ફરી પણ અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો. વધુમાં હું મારા વિચારોમાં જડ નથી મને જે સત્ય જનણાય છે તે કોઈની પણ શેહ શરમમાં આવ્યા સિવાય વ્યક્ત કરતો રહુ છું સંભવ છે કે જે કોઈ પોતાની અંગત માન્યતાથી વિરુધનો મત ધરાવતા હોય તેવાઓને સહન ના કરી શકતા હોય અને આપની જેમ શાપ આપવા પ્રવૃત થતા હોય ! થોડાક સાચાબોલા અને આત્મ વિશ્વાસથી ભરેલા મારા જેવા લોકોથી કદાચ ઓછી સમજ ધરાવનારા અને આત્મવિશ્વાસ અને આત્મગૌરવ વિહોણા આપ જેવા સ્વામીનારાયણનો ઉપદેશ સાચા અર્થમાં નહિ સમજનારા કે નહિ પચાવી શકનારા અંધ વિશ્વાસુ લોકો શાપ આપે તેનાથી ડરનારો ક્યારે ય સત્ય ઉચ્ચારી ના શકે ! અંતમાં ગુજરાતીમાં એક કહેતી છે આપ જાણતા જ હશો કે સતિ શ્રાપ આપે નહિ અને સંખણીના લાગે નહિ ! ખેર !
          ફરીને આભાર મુલાકાત માટે ! મળતા રહીશું ! આવજો !
          સ-સ્નેહ
          અરવિંદ

          Like

  64. ૨૯.૦૯.૨૦૧૦
    માનનીય સ્નેહી શ્રી અરવિદભાઈ,
    અપના બ્લોગ ની મુલકાત લીધી ઉંમરે આપ ઘણુંજ સુંદર કાર્ય કરી રહ્ય છો.
    આમતો હું સાહિત્યકાર ,કવિ કે લેખક નથી. પરંતુ બચપણ થી સાહિત્યનનો શોખ ખરો.
    નેટ યુગ માં મરો એક બ્લોગ બનવાનો પ્રયાસ પણ કરેલ છે. અલબત તેમાં વાંચવાલાયક ,વિચારવા લાયક સાહિત્ય મુકવા પ્રયત્ન કરું છું. મારા બ્લોગ ની લીંક….. http://vatsalya-nirupam.blogspot.com
    મારા પુત્ર જગતે પણ તેનો બ્લોગ બનવ્યો છે અને તેમાં તેનું મૌલિક સાહિત્ય પણ છે તેની લીંક -http://vicharjagat88.wordpress.com છે.
    આપને શુભેચ્છાઓ સહ અભિનંદન.
    નિરુપમ અવાશિયા

    Like

    1. ભાઈશ્રી નિરૂપમ
      આપની મારા બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! આપ જેમ સાહિત્યકાર કે લેખક નથી તેમ હું પણ નથી. માત્ર મારાં નિજાનંદ માટે મનમાં ઘોળાતા વિચારો રજૂ કરવાની આ શ્રેષ્ઠ સુવિધા મળતા લખ્યા કરું છું અને સદભાગ્યે આપ જેવા અનેક સ્નેહીઓ અને મિત્રો આ પ્રવૃતિથી મળતા રહે છે જેને કારણે મન સતત વ્યસ્ત અને પ્રફુલ્લિત રહે છે અને તે જ તો જીવનનો હેતુ.ઉદેશ છે ને ?
      ફરીને આભાર ! આપ બંનેના બ્લોગની અનુકૂળતાએ જરૂર મુલાકાત લઈશ ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી નરેશ
      બ્લોગની મુલાકાત લીધી અને ગમ્યો તે જાણી આનંદ ! વળી પણ અનુકૂળતાએ મુલાકાત લેતા રહી પ્રતિભાવ પણ જણાવતા રહેશો તો મને વધુ આનંદ થશે ! આવજો !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. શ્રી ચન્દ્રકાંતભાઈ
      આભાર મુલાકાત માટે. આપને મેલ દ્વારા મારો વડોદરાનો નંબર તથા વાત કરવા માટે નો સમય વગેરે મોકલ્યા છે. મને પણ આપના જેવા મિત્રો સાથે વાતો કરવી ગમશે તો આપની અનુકૂળતાએ ફોન કરશો.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  65. આદરણીય વડીલ ,
    આપના બ્લોગ ઉપર આપના વિશે જાણી અને અત્યંત આનંદ થયો છે. મારા પપ્પા પણ આપ ની જેમ જ એમની ૭૦ વર્ષ ની ઉમરે કોમપ્યુટર શીખ્યા અને ઈંગ્લીશ અને ગુજરાતી ભાષા માં ટાઈપીંગ પણ શીખ્યા.
    અરે હવે તો બીજું પણ ઘણું નવીન કરતા રહે છે …. મારો ૧૩ વર્ષ નો દીકરા સાથે આખો દિવસ કંઈ ને કંઈ વાતો અને માથાકૂટ ચાલતીજ રહે…. બધું પાછુ ફોન ઉપર … અમે રાજકોટ અને તેઓ બરોડા .
    આપ લોકો નું આ ઉમરે નવું શીખવું અને પ્રવૃતિમય રહેવું તે ખુબ જ પ્રેરણાદાયી છે. સાચેજ આપ જેવા સ્વનિર્ભર વડીલો પ્રત્યે આદર થી મસ્તક નમી જાય છે.
    આપે મારા બ્લોગ ઉપર મુલાકાત લીધી અને કોમેન્ટ આપી તે માટે આપનો અત્યંત આભાર. અવાર નવાર મુલાકાત લેતા રહેશો અને આપના આશીર્વાદ વર્ષાવતા રહેશો . આપ પણ બસ આમજ લખતા રહેશો .

    Like

    1. શ્રી પીયુની
      આપના પિતાશ્રી પણ મારી જેમ 70 ન્ર્ર ઉમરના છે અને કોમપ્યુટર સાથે અંગેજી અને ગુજરાતી ટાઈપ પણ શીખ્યા તે જાણી મને પણ ખૂબ જ આનંદ થયો. વ્યક્તિએ કંઈ પણ શીખવા માટે ઉમર નો બાધ નહિ રાખવો જોઈએ. ઉપરાંત જે ઝ્ડપથી સમય સાધનો અને સંજોગો બદલાઈ રહ્યા છે તે પરિવર્તન સમજી દરેકે પોતાનામાં પણ સમયાનુકૂળ પરિવર્તન સ્વીકરવા સતત તૈયાર રહેવું જોઈએ કે જેથી પરિવારમાં એકલા ના પડી જવાય ! આપના પિતાશ્રીને બ્લોગ પણ બનાવી આપો ( જો બનાવ્યો ના હોય તો ) જે તેઓને પોતાના વિચારો ઠાલવી હળવા થવા સુંદર મોકો આપશે !
      આભાર મુલાકાત માટે ને પ્રતિભાવ માટે પણ !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. બહેન સીમા
      આપની બ્લોગની મુલાકાતથી ખૂબ જ આનંદ થયો ! ફરી અવાર નવાર મોલાકાત લેતા રહી અન્ય લેખો પણ જરૂર વાંચવાનું રાખશો અને આપના પ્રતિભાવો પણ જણાવતા રહેશો ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. સંગીતાજી

      આપ બ્લોગ ઉપર પધાર્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપને બ્લોગ પસંદ પડ્યો તે જાણી વિશેષ આનંદ ! મારાં અન્ય વિષય ઉપરના વિચારો ઉપર આપના પ્રતિભાવની અપેક્ષા રાખું છું ! આપશો ને ? ચાલો આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી મહેન્દ્ર
      આભાર આપની લાગણી માટે અને પ્રતિભાવ માટે પણ ! આપના કાર્ટુન માનતો રહુ છું ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  66. Dear sir,

    i like your thoughts and the way you look situation.but what is the meaning if it only published on this blog.I would like to suggest you to put it on Narendra Modi website..i think he will do something to brake this Congress journey of corruption.I know that they are Mama-Masi brothers and sisters but it will at least it creates some awareness.I know that it will also increase the burden of next election cost on us and they are spending there lots of time to save their government instead of doing something good for public anf this country.

    Thanks,

    Mihir Shah

    Like

    1. ભાઈશ્રી મિહિર

      આપ બ્લોગ ઉપર પધાર્યા અને પ્રતિભાવ જણાવ્યો આભાર ! શ્રી નરેન્દ્ર મોદીની સાઈટ ઉપર પણ કેટલાક લેખો મોકલતો રહુ છું. તેમની સાઈટ ઉપર લખવા માટે શબ્દોની મર્યાદા હોવાથી લાંબા લેખો મોકલવા શકય બંનતા નથી તેમ છતાં મુદાઓ ઉપર ટૂંકાણમાં જણાવવાની કોશિશ કરતો રહુ છું .અને આમ જનતાની વાત તેમના સુધી પહોંચતી હશે કે કેમ તે જાનતો નથી કારણ આ સાઈટ પણ શ્રીમોદીના કોઈ સેક્રેટરી જ ચલાવતા હશે તેમ ધારું છું. સામન્ય જન સમુદાય આજ ના આ કોઈ પણ રાજકારણીઓ/સત્તાધીશો પાસેથી કોઈ પ્રકારની આશા રાખી શકે તેમ હું માનતો નથી આ તમામ યેન કેન પ્રકારેણ સત્તા ઉપર રહેવા ઈચ્છતા હોય છે જેમની પાસે નથી તે ગમે તેમ કરી મેળવવા માંગે છે. આ કડ્વું સત્ય જાણતો હોવા છતાં મારા જે કોઈ વિચારો હોય છે તે બ્લોગ ઉપર મૂકતો રહુ છું અને મારી જાતને હળવો અનુભવું છું ! ચાલો આવજો ! ફરી ને આભાર ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  67. આપનો લેખ વાંચ્યો અને બ્લોગ જોવા પ્રેરાયો.. ખરેખર આપ જેવા વડિલો ભારતવર્ષનું ગૌરવ છે. આવતી કાલની ઉગતી પેઢી માટે આપ મીસાલ છો; કારણ કે જે વ્યક્તિ નિવૃત્ત થયા પછી ગુજરાતી લખતા શીખે.. કોમ્પ્યુટર શીખે અને પછી સચોટ રીતે સાંપ્રત સમસ્યાઓ ઉપર તેમના વિચારો પ્રગટ કરી શકે એ અદભૂત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અવારનવાર તમારા બ્લોગની મુલાકાત લેતો રહીશ.
    હું મૂળ તો પત્રકાર હતો…એટલે એક પખવાડિક નામે પ્રેરણાપીયૂષ ચલાવ્યું.. પછી વકિલાત કરી અને હવે ગુજરાત સરકારમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું; તેથી પત્રકારિત્વ છૂટી ગયુ છે.. પરંતુ મારો બ્લોગ જોશો તો તમને ગમશે. બાકી વધુ પરિચય ફરી ક્યારેક..

    Like

    1. ભાઈશ્રી ધર્મેન્દ્રસિંહજી
      આપે બ્લોગની મુલાકાત લીધી પ્રતિભાવ પણ જણાવ્યો ખૂબ ખૂબ આભાર ! આપે આપના બ્લોગ ઉપર મુલાકાત લેવા જણાવ્યું છે પરંતુ કદાચ બ્લોગની લીંક આપવાનું ભૂલાય ગયું જણાય છે તો જરૂર જણાવશો મારી અનુકૂળતાએ અવશ્ય મુલાકાત લેવાનું રાખીશ ! ચાલો આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  68. KHUBAJ SARAS TAMARA 2 Blog ME VACHYA KHUBA J SARAS VICHARO CHE AAPNA AAVA VADHU BLOG AAJ NA YUVANO NE GAME TEVA VISHAY NA AAPO TEVE VINANTI CHE JEMKE AAP 1 BENK MENEGAR HATA TO AAJ NA NAVA MNC BENKING,CREDIT CARD PAN JANTA NE LUTE CHE YUVANO NE JOB MA PAN TENA VISHE KASHUK GYAN AAPO.
    THANKS.

    Like

    1. ભાઈશ્રી આકાશ
      આપે બ્લોગની મુલાકાત લીધી પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપ જે જાતની માહિતી માટે સુચવો છો તે હાલ ચાલી રહેલા બેંકીંગ માટે મારી પાસે ના હોય કારણ મને નિવૃત થયા 15 વર્ષ જેટલો સમય થયો અને આજે અમારા સમયમાં જે બેંકીગ હતું તેમા આમુલ ફેરફારો થઈ ગયા છે. અમારા સમયમાં તમામ કામ કાજ મેન્યુઅલી થતું આજે કોર બેંકીગ થઈ ગયું છે. ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  69. આદરણિય અરવીન્દભાઈ
    આપના બ્લોગ ની મારી આ પ્રથમ મુલાકાત છે. આપની ઓળખ વાચીને ખૂબ આનંદ થયો. આપ જે રીતે ક્મ્પ્યુટર શિખ્યા અને બ્લોગ બનાવ્યો લોકોને માટે ઉદાહરણ છો. વ્યક્તિ આપની ઉંમર માં એકલો પડે ત્યારે હતાશ થઈ જતો હોય છે. લાચાર થઈ જાય છે. પરન્તુ જો દિશા મળે તો શું ના કરી શકે. મને આપને માટે દિલથી માન અને આદરની લાગણી થઈ છે જેને માટે શબ્દો વામણા લાગે. મારી અંતર મન થી શુભકામના.
    સમય મળે આપની બીજી પોસ્ટ પણ જરૂર વાંચીશ.
    આપ મારા બ્લોગ્ની મુલાકાત લેશો
    http://www.kirtidaparikh.wordpress.com
    kirtida dubai

    Like

    1. કીર્તિદાજી
      બ્લોગની મુલાકાત માટે આભાર ! પ્રતિભાવ માટે પણ ! સમય અને અનુકૂળતાએ આપના બ્લોગની જરૂર મુલાકાત લઈશ ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  70. આપના બ્લોગની મુલાકાત અગાઉ પણ લીધેલ અને આપનો પરિચય પણ વાંચેલ. ઘણીવાર કોમેંટ લખવા જેટલો સમય નથી હોતો. આજે તમારો પરિચય ફરી વાંચ્યો. ઘણાએ પ્રેરણા લેવા જેવી આપની રીટાયર્ડ લાઈફ છે. પરિવાર સાથેના સંઘર્ષો અત્યારે ખુબ વધી રહ્યા છે. બધા જ સારા હોય તો પણ સમયના ઝડપી પરિવર્તનને કારણે જનરેશન ગેપ ખુબ મોટો થઈ ગયો છે. વડિલો નવી પેઢીની સમયની સમસ્યાઓ નથી સમજી શક્તા અને નવી પેઢી વડીલોની લાગણીની સમસ્યાઓ નથી સમજી શક્તી. ત્યારે પોતાની રીતે સ્વતંત્ર જીવન ગોઠવવું આ જમાનામાં આવશ્યક થઈ રહ્યું છે. આટલી ઉંમરે તમે જાતે રાંધવાનું અને ટાઈપ કરવાનું પણ શીખ્યા તેના માટે નમન કરૂં છું. વડિલોએ એમની સમસ્યાઓ જાતે ઉકેલવાનો આ જમાનો છે.

    Like

    1. રેખાજી
      સમય ફાળવી મુલાકાત લીધી આભાર ! પ્રતિભાવ માટે પણ ! આપે વડિલોએ પોતાની સમ્સ્યાઓ પોતાની રીત ઉઅકેલવાની જે વાત કરી તે ખુઉબ જ સમય સુચક છે. ઝ્ડપથી પરિવર્તન પામતો સમય સાથે તાલ મેલ મેળવી ચાલવું તેમજ સંતાનોની અપેક્ષાઓ સમજવી આ સમયમાં ખૂબ જ જરૂરી બન્યું છે અને હું તેવી કોશિશ કરતો રહુ છું. ઈશ્વરની કૃપાથી શારીરીક રીતે સક્ષમ અને તંદુરસ્ત હોઈ વધુમાં મારી પત્નીના મૃત્યુ બાદ વધારે સંવેદનશીલ અને સ્વમાની જાણ્યે અજાણ્યે બની ગયો છું. માનશો મને અમારા બાલકો અને અંગત મિત્રોને મારા હાથે રસોઈ બનાવી જમાડવામાં ખૂબ જ આનંદ આવે છે અને ત્યારે મને ઘણી વાર વિચાર આવે છે કે કદાચ મારા સ્વભાવ અને પ્રકૃતિનો કબજો મારી પત્નીએ લઈ લીધો છે ! અને આવું નિરીક્ષણ અમારા સંતાનો અને મિત્રો પણ કરી મને જણાવે પણ છે ! ખેર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  71. વાહ કેટલી ઉચ્ચ છતાં નિખાલસ વાતો!
    બ્લોગ એ ખરેખર ખુબ સુંદર વસ્તુ છે,
    હું બીઝી ડોક્ટર છું. ખુબ વાંચેલ. પણ ચર્ચા કરવા કે લખેલું કોઈ વાંચે તેવું આ બ્લોગ માંજ શક્ય બન્યું!

    Like

    1. શ્રી ભરતભાઈ
      આપ ડૉકટર છો અને આપના ટાઈટ અને વ્યસ્ત સમયમાંથી સમય ફાળવી મારા બ્લોગ ઉપર પધારી મને આભારી કર્યો છે. આપને મારા વિચારો પસંદ પડ્યા અને આપે રસ પૂર્વક વાંચવા સમય ફાળવ્યો તો મારી એક વધુ આશા/અપેક્ષા પણ પૂરી કરવા હાર્દિક વિનંતિ કરું છું ! મારા અન્ય વિષયો ઉપરના વિચારો વિષે આપના પ્રતિભાવોની હું રાહ જોઈશ ! આમ તો આ માંગણી આંગળી દેતા પોંચો પકડવા જેવી લાગશે તેમ છતાં મને વિશ્વાસ છે કે આપ આપની અનુકૂળતાએ પ્રતિભાવો જણાવી મને પ્રોત્સાહિત કરતા રહેશો ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. શ્રી માધવભાઈ
      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને તેમાં મૂકેલા વિચારો આપને વાંચવા ગમે છે તે જાણી આનંદ સાથે મને એક પ્રકારના સંતોષની લાગણી પણ અનુભવાય છે. આપના બ્લોગની અનુકૂળતાએ અવશ્ય મુલાકાત લઈશ. આપ ક્યાંથી છો ? આપને રૂબરૂમાં વાતો કરવી છે તે જાણી પણ આનંદ થયો પરંતુ આપ ક્યાંથી છો તે જણાવ્યું નથી તો જણાવવા વિનંતિ. ચાલો આવજો ! ફરીને મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. આભાર બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે ! પ્રત્યુત્ત્રર કેટલાક કારણોથી મોડો લખાયો છે તો દરગુજર કરવા વિનંતિ ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  72. “જે વાંચ્યુ હોઈ તેના ઉપર વિચારવાનું-અર્થાત્ ઢંવ્ધ કરી નવું વિચારવાનું ગમે છે.ચીલા-ચાલુ અર્થ સ્વીકારવાનુ ઘણીવાર મન થતું નથી.અને તેથી મારી રીતે વિચારી તર્ક્-બધ નવી રીતે વિચારવાનું બનતું હોઈ મારાં મત સાથે કે મેં તારવેલા અર્થ સાથે કોણ સહમત થાય છે તે જાણવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે.”

    — બહુ સરસ વાત છે..really liked it !! 🙂

    Like

    1. શ્રી કાર્તિકભાઈ
      આપે બ્લોગની મુલાકાતે પધાર્યા અને પ્રતિભાવ જણાવ્યો આભાર ! ફરી પણ અનુકૂળતાએ પધારતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવશો ! અલબત્ત પ્રત્યુત્તર આપાવામાં થયેલા વિલંબ માટે દરગુજર કરશો ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી મેહુલ
      આપ બ્લોગ ઉપર પધાર્યા અને પ્રતિભાવ જણાવ્યો આભર ! અન્ય વિષયો ઉપરના આપના પ્રતિભાવોની અપેક્ષા રાખુ છું ! ચાલો આવજો ! મળતા રહીશું ! પ્રત્યુત્ત્રરમાં વિલંબ માટે દરગુજર કરશો !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈ સોહમ
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપના બ્લોગની લીંક આપી માટે આભાર ! આપનું બ્લોગ જગતમાં સ્વાગત સાથે આપે આપ એંજીનીયર અને તે પણ કોમ્પ્યુટર ક્ષેત્રના તે આપના બ્લોગની ડીઝાઈન ઉપરથી સમજી શકાય છે. આપને વાર્તાઓ લખવાનો શોખ છે અને મને વાંચવાનો ! અલબત્ત આજે કોઈ વાર્તા વાચી નથી પછી અનુકૂળતાએ ફરી બ્લોગની મુલાકાત લઈશ ત્યારે જરૂરથી વાંચી આપને પ્રતિભાવ જણાવીશ ! આપનો પ્રતિભાવ સ્પામ મેલમાં કેમ ગયેલો તે ચોકસાઈ કરશો ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  73. અરવિંદભાઈ…..તમારા બ્લોગ પર આવી ફરી અનેક “પ્રતિભાવો” વાંચી આનંદ !…..કોઈ ફરી ફરી પધારી લખે તે વાંચી વધુ આનંદ જરૂર થાય, જ્યારે એ આગળ લખેલું તેના કરતા જુદી જ “વિચારો” દર્શાવે….પ્રભુ તો નિહાળે છે ને !>>>>ચંદ્રવદન.

    Like

    1. I am revisiting your Blog..Read all the Comments. Nice words by so many..and nice to read your response of “thanks”….I know you had visited my Blog Chandrapukar in the Past & posted some comments..I had the pleasre of talking to you on the Phone & knowing you better..Just recently we talked & enjoyed.
      All the Best to you & your Blog.
      DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
      http://www.chandrapukar.wordpress.com
      Hope to see you on Chandrapukar, when the time permits you !

      Like

    1. ભાઈશ્રી જીતેન્દ્રસિંહ

      આપે બ્લોગની મુલાકાત લીધી અને ગમ્યો તે જાણી આનંદ થયો ફરી પણ મુલાકાતે પધારતા રહેશો અને આપના પ્રતિભાવો મારા માટે પ્રોત્સાહિત બનતા રહેશે તો અન્ય પોષ્ટ ઉપરના પ્રતિભાવોની હું આતુરતા પૂર્વક રાહ જોઈશ ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  74. selfishness in general could never be wiped out from your psyche… if it were to, you’d either die or become mad the same moment….

    it is real selfishness that leads to all growth; ours and of our environment. only selfishness that comes out of a small heart and a small mind hinders a person and his environment.

    Like

    1. શ્રી મુકુંદ ભાઈ
      આપે બ્લોગની મુલાકાત લીધી પ્રતિભાવ જણાવ્યો આભાર ! ફરી પણ અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો તો મને ગમશે ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  75. Snehi Shri Arvindbhai,

    What a wonderful thoughts, you have enlightend me with your
    beautiful writings. Age is no barrier in expressing thoughts
    it is upto the people who should grasp the best and discard the rest.
    kep it up, I will always go through your BLOG.
    I am also a retired banker ( USA ) and for me reading and digesting is the
    only entertainment. I and my entire family tahnk you
    for your uncompromised writing and bringng to others who are
    interested in thoughtful reading.

    KHUB KHUB ABHAR SATHE PRANAM.

    DINBANDHU

    Like

    1. શ્રી દિનકરભાઈ

      આપે બ્લોગની મુલાકાત લીધી પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપ પણ નિવૃત બેંકર છો તે જાણી વધુ આનંદ થયો. આપની વાત સાચી છે કોઈ પણ પ્રવૃતિ માટે કે કંઈપણ નવું શીખવા માટે ઉમર બાધા નહિ બની રહેવી જોઈએ. સમય સાથે તાલ મીલાવી જીવવાની મજા જ કંઈ ઓર છે. અને તેમાં ય આ ઈંટર નેટે તો દુનિયા એક નાના ગામડાં જેવી બનાવી દીધી છે. સમગ્ર દુનિયા ઘરના એક ખૂણામાં સમાઈ જાય તેટલી નાની બનાવી દીધી હોય અને આપણે તેનો અનુભવ ના કરીએ તો કંઈક ગુમાવ્યાની લાગણી થયા કરે ! હું તો મારી દીકરીને લગભગ રોજ ધન્યવાદ સાથે આશીર્વાદ આપતો રહુ છું કે જેણે મને કાન પકડી કોમ્પ્યુટર તો શીખવ્યું જ પણ તેને કારણે અંગ્રેજી અને ગુજરાતી ટાઈપ પણ શીખ્યો ! અને તેને કારણે જ આ બ્લોગ બનાવી મારાં વિચારો બ્લોગ ઉપર મૂકતા શીખ્યો અને આપ જેવા મિત્રો પણ મળવા લાગ્યા ! ખૂબ જ આનંદ આવે છે જ્યારે કોઈ બ્લોગ વાંચી પોતાનો પ્રતિભાવ જણાવે ત્યારે પછી ભલેને તે મારાં વિચારો સાથે સહમત ના પણ થતા હોય ! એક લાગણી ભરી હુંફ જાણે મળી રહે છે.
      આપનો ફરી આભાર ! વળી પણ અનુકૂળતાએ બ્લોગની મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો. આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  76. jai shri krishna uncle,

    aje hu ane mara husbund net par surfing karta karta gunvantshah na blog parthi tamara blog sudhi pahochi gaya.amne tamara jevicharo ane abhipryo che te bahu gamya.amne tamara taraf thi thodi detail joie che wordpress ma gujrati ma typing kevi rite thay che teni mahiti apva vinnati.

    Like

    1. શ્રી મિત્તલ
      આપ મારા બ્લોગ ઉપર આવ્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપને ગુજરાતી ટાઈપ જાણવું છે તે જાણી વધુ આનંદ થયો. આ માટે મારી દીકરીને લખ્યું છે અને તેણી તમોને આ વિષે માર્ગ દર્શન આપશે ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી પુનિત
      મારે ખોટું લગાડવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. મને કહેવા દો કે આપે પણ ખુલ્લા મનથી બધું જ વાંચવાની આદત કેળવવી જ જોઈએ કોઈ પણ જાતના પૂર્વગ્રહ્થી કોઈ મત કે અભિપ્રાય બાંધી ના લેવાય ! અને તેવા મતથી લીડ પણ ના થવાય ! સંસાર અને સમાજ્માં એવું તો ઘણું બંને છે જે આપણને ગમે કે ના ગમે બન્યા કરે છે ! બહુ બહુ તો આપણે તે આપણને સ્પર્શતું નાહોય તો આંખો બંધ કરી લઈએ કે ના ગમે તેવું ના વાચીએ ! પણ કોઈને આપણે તેણે શું લખવું અને કેવું લખવું તે વિષે ફરજ ના પાડી શકીએ ! આટલી સપષ્ટતા મને આશા છે કે આપ માટે પૂરતી થશે !
      આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

      1. arvind kaka..tamari vaat sachi che k na game to na vachiye…may kavya vachij nathi…aato krishna no sabd vachyo etle ek liti vachva gayo k tarataj…mane lagyu k aa kalyug na vicharo par aadharit lakahi che….ane jene pan lakhi che a vyakti ne bhagvan uper sanka che…bhagvan ni satta ne lalkare che…..ek vaar ahi farithi kehvu che k kans mama bhagvan ni satta ne lalkarta hata…to joyu ne suthayu emnu….krishna a to aa pruthvi uper ek divya murti mukine gaya che….k jene aapde prem karvani che aapde..nathi lalkarvani…..

        krishna parmatma che….
        jsk

        Like

      2. dear kaka…mare kehvanu bas etluj che…jo kai krishna vise lakho to prem ni vyakhya lakhjo…krishna to prem ni divya murti che…ane krishna mate koi vivad na thay….baki karela krishna na karyo…. to hu kahis balkrishna thi laine krishna-arjun sudhi ane prabhu a jyare potano dehtyag karyo tyasudhi nu badhuj mane khabar che…mari bhul tahi k may krishna uper tamne prashna puchya….

        bolo jsk…..

        Like

  77. I BELIEVE that without KNOWING WHO is GOD or WHAT IS GOD WHOM WE-INDIANS have KNOWN for AEONS as BHAGAVAN PARAMAATMAN,
    ALL OUR KNOWLEDGE of BEINGS and THINGS of the WORLD or UNIVERSE has ABSOLUTELY-NO-USE at all,because eventually it will DESTROY US..!!

    Think about that for a moment..!!

    rkpatel,
    wn,nz.

    Like

  78. વડિલ્શ્રી, હુ ઘણા દિવસથી આપની ટીપ્પ્ણીઓ તો હતો, પણ ડિસ્ટન્સ રાખતો હતો, કે રખેને કોઈને… પણ આજે જ્યારે આ પેજ વાંચ્યુ ત્યારે આપને લખ્યા વગર રહિ શક્યો નહિ. હુ આપની રાય જાણવા માંગુ છુ, મારા બ્લોગ વિશે, બધા જ પાના વાંચીને મને આપનો અમુલ્ય વિચાર જણાવશો પ્લીઝ..

    Like

    1. I BELIEVE that ALL-KNOWLEDGE ie SCIENTIFIF-KNOWLEDGE or KNOWLEDGE of ALL-HUMANS,ALL-BEINGS,ALL-THINGS etc called the WORLD or the UNIVERSE as well as RELIGIOUS-KNOWLEDGE ie KNOWLEDGE-OF-GOD is or was USEFUL..!!

      But because WE have NO-UNDERSTANDING of KNOWLEDGE ie WE DO NOT UNDERSTAND WHAT WE KNOW or KNEW,therefore NO-MATTER HOW PROFOUND KNOWLEDGE WAS,but it has ABSOLUTELY NO USE at all..!!

      I BELIEVE that WE-HUMANS JUST KNOW..!!

      That is,WE-HUMANS DO NOT UNDERSTAND WHAT WE KNOW or KNEW..!!

      Think about that for a moment..!!

      I BELIEVE that WE-HUMANS CAN NOT have LOVE for OTHER-HUMANS,OTHER-BEINGS,OTHER-THINGS etc called WORLD or UNIVERSE by KNOWLEDGE..!!

      That is,I BELIEVE that KNOWLEDGE can BORN-FROM LOVE,but LOVE can not BORN-FROM KNOWLEDGE..!!

      I BELIEVE that LOVE IS RELATIONSHIP..!!

      That is,I BELIEVE that to LOVE is to CARE FOR the OTHER.

      I BELIEVE that LOVE IS GOD..!!

      I BELIEVE that GOD was or is ETERNAL,therefore LOVE was ETERNAL too..!!

      I BELIEVE that GOD has RELATIONSHIP with US-HUMANS,ALL-BEINGS and ALL-THINGS;but WE have NO-RELATIONSHIP with neither the WORLD or the UNIVERSE ie with EACH-OTHER ie OTHER-HUMANS,OTHER-BEINGS and OTHER-THINGS;nor with GOD,WHOM WE-INDIANS have KNOWN for AGES as BHAGAVAN..!!

      Think about that for a moment..!!

      rkpatel,
      wn,nz.

      Like

    2. ભાઈશ્રી રાજેશ
      આપ મારાં બ્લોગની મુલાકાત લેતા રહો છો તે જાણા આનંદ થયો. આપે આપના બ્લોગની મુલાકાત માટે નિમંત્રણ પાઠવી મારો મત જણાવવા કહ્યું તે મારા અહોભાગ્ય ગણું છું. મારો મત આપતા પહેલા એક પ્રામાણિક અને નિખાલસ કબુલાત કરી આપને જણાવું છું કે મેં આપના જેટલા કોઈ પુસ્તકો વાંચ્યા નથી. અલબત્ત મને વાચનનો શોખ છે વાંચ્યા કરું છું અને મારા વિચારોમાં અનુભવ થતા રહે તેમ પરિવર્તન પણ કરતો રહું છું. કોઈ પણ વિચાર કે પુસ્તક કે કોઈ પણ સાધુ-સ્વામી-ગુરૂ-મહંત-મૌલાવી કે પાદરીના કથનોથી પ્રભાવિત થતો નથી. હું અમુક નિશ્ચિત માન્યતા કે વલણનો કેદી નથી મને મારું મન ખુલ્લુ અને ઉદાર રાખવાની આદત છે. ક્યારે ય મારા વિચારો ( PRE CONDITIOND ) ના બને તેની કાળજી રાખું છું. સમયના તકાજા સાથે સતત પરિવર્તનશીલ રહેવાની જીવન શૈલી મેં અપનાવી છે. મેં શાસ્ત્રો કે પુરાણો વાંચ્યા નથી. અલબત્ત ગીતા અને ભાગવત મારાં શાળાના દિવસો દરમિયાન વાંચ્યા છે. મહાભારત અને રામાયણ સંક્ષિપ્તમાં વાંચ્યા છે અને આ બંને ગ્રંથો મને અદભુત લાગ્યા છે. મહાભારતમાં વ્યક્તિના જીવન દરમિયાન જે કોઈ સમસ્યા કે પ્રશ્નો ઉપસ્થિત થાય તો તમામ સમસ્યા અને પ્રશ્નોનું નિરાકરણ મળી રહે છે. કૃષ્ણ જેવું ચારિત્ર્ય દુનિયાના કોઈ પણ સાહિત્યમાં હોય તેવું હું માનતો નથી. કૃષ્ણ થઈ ગયા કે નહિ તે વિવાદમાં મને રસ નથી. મને તે એક કાલ્પનીક પાત્ર હોય તો પણ ખૂબ જ પસંદ છે. વળી રામાયણ અને મહાભારત બંને જાણે એક બીજાના અંતિમો હોય તેવું જણાય છે. રામાયણ ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ રાજગાદી જતી કરી શકે તો મહાભારતમાં રાજ ગાદી મેળવવા તમામ છળ-કપટનો ઉપયોગ વર્જ્ય ના ગણાય ! મેં બાઈબલ કે કુરાન વાંચ્યા નથી એટલે તે વિષે કશું કહી શકું તેમ નથી.
      આપનો પરિચય અને આપના બે ક લેખ વાંચી મારા ઉપર એવી છાપ પડી છે કે આપ ઈશુથી ખૂબ જ પ્રભાવિત થયા છો અને તેના સિવાય તમામ ક્ષુલ્લક કે છેતરનાર જણાયા છે. આપને ઈશુ અને તેના અનુયાયી દ્વારા કરવામાં આવેલા ચમત્કારો સ્વીકાર્ય છે પણ આપણાં દેશના કોઈને નામે આવા જ કે તેથી વધારે ચમત્કારો જોડવામાં આવે તો તે સ્વીકાર્ય નથી. એક વાત કહું, માફ કરજો,, આપણાં દેશના કેટલાક લોકોની અન્યનું બધું જ શ્રેષ્ઠ અને આપણું હલકું તેવી એક જડ માન્યતા ઘર કરી ગઈ છે. આપણી જ કોઈ પણ વાત વાયા પશ્ચિમ થઈ આવે તો એ સ્વીકાર્ય છે પણ આપણાં જ દેશમાં આ વાત કોઈ કરે તો તે માન્ય નથી. આ આપણાં દેશની ગુલામી માનસિકતા છે. આપણું સ્વમાન. આત્મ-સન્માન. અને સ્વત્વ વિષે આપણે બિલકુલ સભાન નથી. એક બીજી વાત આપે ક્યારે ય વાંચ્યું કે હિન્દુ ધર્માચાર્યોએ કોઈનું ધર્મ પરિવર્તન કરાવ્યુ ? ધર્મ પરિવર્તન માટે કોઈ પ્રલોભનો આપ્યા કે જનુન પૂર્વક આમ કર્યું ? અરે યાર ! મને કહેવા દો કે, ક્યારે ક તો આપણે જાણે કાયર અને નપુંસક હોઈએ તેવી છાપ ઉભી થાય ત્યાં સુધી જુલ્મો સહન કર્યા છે. ક્યારે ય કોઈ દેશ ઉપર આક્રમણ પણ કર્યું નથી. હિન્દુમાં જે બીન સાંપ્રદાયિકતા-સહિષ્ણુતા-સમતા-અને જતુ કરવાની ભાવના જોવા મળે છે તે અન્ય કોઈ કોમમાં નહિ મળે ! પોતાનો જ ધર્મ સાચો અને દુનિયાભરના લોકોએ તે જ અપનાવવો જોઈએ તેવી રૂઢ માન્યતા અને તે માટે ધર્મ પરિવર્તન કરાવવા અપાતા પ્રલોભનો અને કરાતી બળજબરીથી સૌ પરીચિત છે. મને કહેવાદો આજે આપણાં દેશમાં જે મુસ્લીમો છે તેનો ઈતિહાસ તપાસાય તો 99% તેમની અગાઉની પેઢીમાં હિન્દુ હોવાનું જણાશે પણ જે મુસલમાનોના આક્રમણો થયા અને જનુન પૂર્વક હિન્દુમાંથી ધર્મ પરિવર્તન કરાવી મુસલમાન બનાવેલા તે જણાશે. તેવું જ આપણાં અનેક રાજ્યોમાં હિન્દુઓને અનેક પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન દ્વારા ખ્રિષ્તી બનાવ્યા જણાશે !
      બાઈબલ મારાં જાણવા પ્રમાણે ઈશુએ લખ્યું નથી પરંતુ તેમના મૃત્યુ બાદ તેના અનુયાયીએ લખ્યું હોવું જોઈએ અને તો તેમાં લખનારના વિચારો તેનો મત તેના પૂર્વગ્રહો તેની માન્યતાઓ વગેરે વ્યકત થયા વગર ના જ રહે અને તેના વિચારો ઈશુને નામે ચડાવી દેવા સરળ પણ પડે ! અને તેથી બાઈબલમાં જે લખાયુ તે તમામ ઈશુએ જ પ્રમાણ્યું હોય તેમ હું ના સ્વીકારી શકું !
      તેમ છતાં એક વાત તો ખુઉબ જ સ્પષ્ટ છે કે તમામ ધર્મોનો મુખ્ય હેતુ કે ઉદેશ એક જ છે કે સદકર્મો કરવા, પ્રમાણિક રીતે જીવવું, કોઈનું અહિત કે અક્લ્યાણ ના કરવું અને સૌથી મહત્વનું માણસે માણસ બની જીવવું ! દયાભાવ રાખવો ! સ્વાર્થી નહિ બનતા અન્યની પીડા-વેદના-કે વ્યથા પ્રત્યે હમદર્દી દાખવવી યથા શક્તિ દીનને સહાય કરવી વગેરે !
      અંતમાં ક્યારે ય પોતાના અંતરાત્માના અવાજની વિરુધ્ધ કોઈ કાર્ય નહિ કરવું ! ક્યારે ય અંતરાત્માના અવાજને નહિ છેતરવો ! એક વાત કહું, ક્યારે ય પણ કોઈ પણ વ્યક્તિ કંઈક ખોટું કરવાનું વિચારે છે ત્યારે, અંદર રહેલો માંહ્યલો તેમ નહિ કરવા સંદેશો આપતો જ હોય છે, પરંતુ દુનિયા આખી આમ જ કરે છે, માટે હું પણ કરું, તો કંઈ ખોટું નથી તેમ માંહ્યલાને સમજાવી-પટાવી ટાપલી મારી શાંત કરી ખોટું કરે છે અને પછી અપરાધ ભાવથી પીડાયા કરે છે અને તેથી જ દાન-ધર્મ કરવા નીકળે છે અને તેમાં પણ પોતાનું નામ રહે તેવી પેરવી કર્યા કરે છે.
      રહી વાત મોક્ષની હું તો એમ માનું છું કે મૃત્યુ સાથે જ જીવનનો અંત આવે છે છતાં કેટલાકને મતે પુનર્જન્મમાં માને છે અને કર્મ પ્રમાણે ફરીને જન્મ જે તે યોનિમાં મળે છે. જો પુનર્જન્મ થતો જ હોય તો મારે મોક્ષ નથી જોઈતો મને તો આ ધરતી ઉપર એક વિશિષ્ટ લગાવ અને લાગણી પેદા થઈ છે તેથી મને વારંવાર જન્મવું ગમશે ભલે તે જન્મ ઈશ્વર ગમે તે યોનિમાં આપે મને મંજૂર છે.
      આ ઉપરાંત મારો એક પત્ર મેં મારા 70મા જન્મદિનના અનુસંધાને મારા મિત્રો અને સ્નેહી સગાઓને લખેલ તે આ સાથે મોકલું છું જે વડે આપ મારાં વિચારો વધારે સ્પષ્ટતાથી સમજી શકશો તેમ ધારું છું.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  79. આપ શું ઓરિજિનલ સોફ્ટવેર વાપરો છો.તમારે સૌ પ્રથમ તમારા બ્લોગ પર તમે ઓરીજીનલ ખરીદેલ સોફ્ટવેર ની માહીતી આપવી જોઈએ અને માહીતી ન આપો તો પણ તમારાં આંતર મન ને પૂછજો કે પાયરેટેડ થી કોપી પેસ્ટની ચર્ચા કરવી યોગ્ય છે અને જેઓ વાપરતાં હોય તેઓ બિન્દાસ્ત કોપી પેસ્ટનો વિરોધ તમ તમારે ચાલુ રાખો.

    Like

  80. સ્નેહીશ્રી અરવિંદભાઈ,

    જેમ તમને ‘હું’ જડ્યો, તેમ ‘તમે’ પણ મને જડ્યા! ભલે, બેત્રણ વર્ષ જ મારાથી મોટા હશો, પણ મારા ‘વડીલ’ નહિ તો ‘મોટાભાઈ’ તો ખરા જ. જોડિયા ભાઈઓમાં પણ એકાદ મિનિટ જ મોડા પડેલા પેલા પાછળવાળાએ મોટાની પત્નીને ભાભી જ કહેવું પડે. થોડોક થોડા સમય પૂરતો ગંભીર બનીને કહું તો તમને સ્વયંપાકી થએલા વાંચીને હૃદયકંપનો હળવો આંચકો અનુભવ્યો. બંદા તો ચાખીચાખીને પણ સરસ ચા તો બનાવી લે છે, કૉઈકવાર અડધી રાતે ઘરના સ્ત્રીવર્ગને ઊંઘતા રાખીને! નીચેના તમારા શબ્દોમાં તમારી નમ્રતા છેઃ “ઉપરાંત હું કોઈ સાહિત્યકાર કે લેખક પણ નથી અને એટ્લે શક્ય છે કે મારો બ્લોગ વાચનારને કદાચ મારી ભાષા અને શૈલી તેમના જેવી -સાહિત્યકાર કે લેખક જેવી-સમૃધ્ધ ના પણ લાગે. આ તો એક સામાન્ય વાચકનો બલોગ છે અને તેના વિચારો પોતાની સરળ અને સાદી ભાષામાં રજૂ કરવાનો પ્રયાસ માત્ર છે તે સતત યાદ રાખવા વિનંતિ છે.” પણ મારું તમારી રચનાઓનું પ્રથમદર્શી અવલોકન તો મને એમ કહેવાની ફરજ પાડે છે ક્રે ‘You are the gem in the rags’!

    એક બેંકર તરીકે સમગ્ર નોકરીજીવન દરમિયાન ૦ to 9 ના આંકડાઓ સાથે જ રમનાર ખેલાડી આટલી સરસ રીતે Alphabets (બારાખડી)ના મૂળાક્ષરો સાથે પણ રમી શકે તે આનંદદેય વાત છે. અભિનંદન. પહેલી મુલાકાતે ‘બે જ શબ્દો!’ બસ છે. (‘બે’ કહેવાનો વ્યવહાર છે, બાકી ગણ્યા નથી !!!) પ્રસંગોપાત આ માધ્યમે મળતા રહીશું. તમારા સ્વભાવને પૂરો જાણ્યા વગર હળવાશથી અનુચિત હરકત કરી બેઠો હોઉં તો Unapprove – edit નો અધિકાર બ્લોગાધિપતિઓએ દરેકને આપી દીધો જ છે, એટલે તેનો ઉપયોગ કરવામાં કોઈ સંકોચ અનુભવશો નહિ.

    કુશળતાપ્રાર્થી,

    વલીભાઈ મુસા

    Like

  81. Dear Arvinbhai,

    I FIRMLY BELIEVE that almost all our PROBLEMS will DISAPPEAR IN A MOMENT,if WE WERE SELFLESS or UNSELFISH in our RELATIONSHIP with OTHER-HUMANS,OTHER-BEINGS and OTHER-THINGS called the WORLD, VISWA,DOONIYAA,SANSAAR,UNIVERSE etc..!!

    That is,I FIRMY BELIEVE that WE HAVE PROBLEMS,because WE were or WE are SELFISH ie WE-HUMANS in general and WE-INDIANS in particular LOVED or CARED FOR ONLY OURSELF or ME or MINE..!!

    That is,WE-INDIANS in particular DID NOT CARE FOR ANYTHING-ELSE or ANYBODY-ELSE;EXCEPT FOR ONLY OURSELF or OUR NEAR and DEAR.

    Think about that for a moment..!!

    rkpatel,
    wn,nz.

    Like

  82. Dear Arvindbhai,

    Since WE HAVE BODY-BRAIN-INTELLECT-MIND etc ie OURSELF;therefore OBVIOUSLY we will NEED to CARE FOR IT;but if it was TRUE that REALLY WE WERE NAMELESS-FORMLESS-BODYLESS-SELFLESS-UNSELFISH and therefore LIVED ETERNALLY ie LIVED FOREVER;then WHY DON’T WE BELIEVED that and LIVED as if WE HAVE HAD NO-BODY ie be SELFLESS
    or UNSELFISH in our RELATIONSHIP with OTHER-HUMANS,OTHER-BEINGS and OTHER-THINGS called the WORLD or the UNIVERSE..!!

    Think about that for a moment..!!

    rkpatel,
    wn,nz.

    Like

  83. Dear Arvindbhai,

    If I were yourself,I would READ the below MESSGAE,THINK about it and IF IT MADE SENSE then I would write NOTHING-ELSE,but only about our AGE-OLD NAMELESS-FORMLESS-BODYLESS-SELFLESS-UNSELFISH-BHAGAVAN PARAMAATMAN,WHOM the WORLD KNOWS as GOD..!!

    If WE-INDIANS were RELIGIOUS ie if WE KNEW GOD,which WE DON’T or if WE WANTED TO KNOW NAMELESS-FORMLESS-BODYLESS-SELFLESS-UNSELFISH-BHAGAVAN PARAMAATMAN or TRUTH WHO IS BELIEVED TO BE ETERNAL,which WE DON’T WANT TO KNOW and that NAMES and FORMS were UNTRUE or UNTRUTH ie NOT-ETERNAL ie as NAMES and FORMS or BODY-BRAIN-INTELLECT-MIND etc ie WE DID NOT LIVE FOREVER,which WE DON’T WANT TO or DID NOT WANT TO KNOW; therefore IRONICALLY WE -HUMANS in general and WE-INDIANS in particular WERE not only SAME as INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS;but also WE WERE EVEN LOWER THAN THEM..!!

    IRONICALLY,it was POSSIBLE to have KNOWLEDGE only in HUMAN-BODY-BRAIN-INTELLECT-MIND etc,let alone APPLY KNOWLEDGE in RELATIONSHIP with OTHER-HUMANS,OTHER-BEINGS and OTHER-THINGS called the WORLD or the UNIVERSE..!!

    That is,it was neither POSSIBLE TO KNOW,nor POSSIBLE to APPLY KNOWLEDGE in RELATIONSHIP with the WORLD or UNIVERSE of NAMES and FORMS ie US-HUMANS,OTHER-BEINGS and OTHER-THINGS;in the BODY-BRAIN-INTELLECT-MIND etc of INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS..!!

    Think about that for a moment..!!

    rkpatel,
    wn,nz.

    Like

  84. તમારા બ્લોગની પહેલીવાર મુલકાત લીધી યુવાધન જાગો લેખ ખુબ ગમ્યો હું માટુંગા ગુજરાતી સેવા મંડળ નો પ્રમુખ છું અમારા ૧૬૦૦ ગુજરાતી મેમ્બરો છે તે દરેકને તમારો લેખ મોકલાવેલ છે બીજા આપણા લેખો હોય તો મને E MAIL થી જણાવશો માહિતી મોકલવા વિનંતી આભાર

    Like

  85. આદરણીય શ્રી અરવિંદભાઈ
    નમસ્કાર,
    આપના બ્લોગપર ‘પરિચય’ વાંચ્યો. –
    મેં આયુર્વેદ યુનિ. -ધન્વન્તરી મંદીર’- ૧૯૭૩ થી ૭૮ સુધી B.S.A.M. કર્યું છે.
    છેલ્લા ત્રીસેક વર્ષ રાજકોટંમાં ક્લિનીક ચલાવ્યું.બન્ને દિકરાઓ+વહુ દિકરીઓ કેલિફોર્નીઆ-અમેરિકા સ્થાયી થયા છે.”અમે બન્ને” ૬ મહિના એમની પાસે અમેરિકા અને ૬ મહિના રાજકોટ-પરિવારસાથે રહીએ છીએ.
    અત્યારે અમેરિકા છીએ,આપની જેમ જ મારો ય મોટાભાગનો સમય નૅટ પર પસાર થાય છે.
    મારો ગુજરાતી ગઝલો લખવા અને પ્રકાશીત કરવાનો શોખ , અત્યારે મારા બ્લોગ
    ૧- http://www.navesar.wordpress.com – મારો ત્રીજો ગઝલસંગ્રહ છે જે મેં ઈન્ટરનેટ પર પ્રકાશીત કર્યો.
    ૨- http://www.drmahesh.rawal.us – જેમાં મારી અત્યારે નવી લખાતી ગઝલો મૂકું છું
    એમાં જ SHABDASWAR લખ્યું છે ત્યાં ક્લિક કરવાથી મારી કેટ્લીક ગઝલો આપ મારા જ અવાજ્માં સાંભળી શક્શો.
    આપના પ્રતિભાવ અવશ્ય જણાવશો.
    તબીયત સાચવશો.
    મળતા રહેશું,-આવજો……

    Like

    1. ભાઈશ્રી મહેશ

      આપ જામનગરમાં અભ્યાસ કરી ડૉક્ટર થયા છો તે જાણી આનંદ થયો ! ઉપરાંત આપના વ્યવસાય સાથે ગુજરાતી સાહિત્યનો પણ અને તેમાંય કાવ્યો અને ગઝલોનો શોખ છે અને તમો પોતે પણ લખો છો તે જાણી વિશેષ આનંદ અને આશ્ચર્ય પણ થયું ! ખૂબ જ સરસ ! આપના બ્લોગની અનુકૂળતાએ જરૂર મુલાકાત લઈશ અને પ્રતિભાવો પણ જણાવીશ ! હુ& તો અહીં જામનગરમાં જ સ્થાયી થયેલો છું તો જ્યારે પણ રાજકોટ આવો અને જામ્નગર આવવાનું થાય તો અવશ્ય મળવાનું રાખશો મને ખૂબ જ આનંદ થશે ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી પાર્થ
      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને વિચારો ગમ્યા તેવા પ્રતિભાવ જાણી આનંદ થયો ! ફરીને અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવતા રશેશો તો મને ખૂબ જ ગમશે ! આભાર ! ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    2. I BELIEVE that ALL-KNOWLEDGE is PUNY or TINY,let alone the KNOWLEDGE OF GUJARATI-LANGUAGE in COPARISION to the KNOWLEDGE of GOD,WHOM WE-INDIANS have had KNOWN for AGES as BHAGAVAN PARAMAATMAN..!!

      And therefore I BELIEVE that if WE-HUMANS DID NOT KNOW GOD or BHAGAVAN,than WE were or are SAME AS INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS..!!

      And that if WE-HUMANS DID NOT WANT TO KNOW GOD
      or BHAGAVAN PARAMAATMAN then WE-HUMANS were not only like INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS;but also WE-SO-CALLED-HUMANS were even LOWER than THEM..!!

      Think about that for a moment..!!

      rkpatel,
      wn,nz.

      Like

  86. આદરણીય શ્રી અરવિંદભાઇ,
    આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કર્યો તે બદલ આભાર સાથે વંદન.
    આગળ પર મુલકાત લેજો અને જરૂર લાગે ત્યાં સુચનો આપી પ્રોત્સાહિત કરજો.
    આવજો ,બ્લોગ ફરી મળતા રહીશું.

    Like

    1. ભાઈશ્રી રુપેન
      આભાર ! અવાર-નવાર બ્લોગની અરસ-પરસ મુલાકાત લેતા રહીશું અને વિચારોની આપ-લે કરતા રહીશું બરાબર ? ચાલો આવજો !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  87. મુરબ્બી અરવિંદભાઇ,

    જય શ્રી કૃષ્ણ.જય જલારામ

    અમારા બ્લોગ પર પ્રતિભાવ મોકલ્યા બાદ અને તમારા બ્લોગની જાણ થતાં આપશ્રીના બ્લોગ ઉપર ગયો અને આપનો પરિચય અને આટલી ઉઁમરે પહોંચ્યા પછી પણ એક લગન અને તળવળાટ જાણીને એક અનોખી પ્રેરણા મળી.

    આપશ્રીને અમારા વંદન…..

    પ્રફુલ ઠાર

    Like

    1. ભાઈશ્રી પ્રફુલ
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપને મારી લગન અને તરવરાટ ગમ્યા એ માટે ખૂબ ખૂબ આભાર ! મારાં જેવા એકલા માટે તો મારી દ્રશ્ટીએ ખૂબજ સુંદર પ્રવૃતિ છે પોતાના વિચારો વ્યકત કરવા અને નીજાનંદ માણવા માટે ! ચાલો આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી ગૌતમ

      આપ મારાં બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવતા રહેશો ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  88. જય શ્રી કૃષ્ણ દાદા,

    મેં સમય ના અભાવે વધારે નહિ પણ ખાલી ઉપર ની બે ચાર વાત વાંચી… મેં હજી હમણાજ મારો બ્લોગ શરુ કર્યો છે.. ને સમય ના અભાવે હું વધારે પોસ્ટ કરી શકતો નથી. પણ તમારા જેવા વડીલો ને જોઈ મારો જુસ્સો દિવસે દિવસે બુલંદ થતો જાય છે.

    હજી મારી ઉમર ૨૪ વર્ષનીજ છે ને પ્રેરણા માટે તમારા જેવા વડીલો ના આશીર્વાદ ની જરૂર છે..

    મારા બ્લોગ ની પણ મુલાકાત લેશો ને મને કૈક સુચન આપી શકો તો આપનો આભારી થઈશ.

    vimeshpandya.wordpress.com

    Like

    1. ભાઈ શ્રી વિમેશ
      આપ મારાં બ્લોગ ઉપર આવ્યા અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! આપના બ્લોગની મુલાકાત અનુકૂળતાએ અવશ્ય લઈશ અને આપને પ્રતિભાવ પણ જણાવીશ. ચાલો આવજો ! મળતા રહીશું !

      સ્-સ્નેહ
      અરવિદ

      Like

  89. સ્નેહિ શ્રી અરવિંદભાઈ,
    ૨, ઓક્ટોબર ૨૦૦૮ ના રોજ મેં પણ મારો બ્લોગ બનાવ્યો… બાકિની વિગત http://bhajman-vartalap.blogspot.com/ અહિંથી જોવા મળશે.
    રીડ ગુજરાતી પરની કોમેંટ્સ વાંચતાં નોંધ્યું કે ઘણા વાચકો છુટથી સ્વાભિપ્રાય આપે છે. પરન્તુ વિચરોનુ આદાનપ્રદાન મુક્ત રિતે કરવા માટેની એ સાઇટ નથી.
    આથી મારા બ્લોગ પર ચર્ચા, વાર્તાલાપ , સંવાદ, પરિસંવાદ માટે સહુને open invitation છે.
    મારી વાર્તાઓને પણ મુકવાનુ વિચાર્યું છે. આમ તો આશરે ૧૮ વર્ષથી કોમ્પુટર વાપરું છું. પણ ગુજરાતી type કરવાનો મહાવરો બિલકુલ નથી.
    ક્રુપા કરી આપ મને મારા ઈમેલ bhajman@yahoo.com અથવા bsnanavaty@gmail.com જવાબ આપશો તો અભારી થઈશ.

    આપનો
    ભજમન નાણાવટી

    Like

    1. ભાઈશ્રી ભજમન
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી જાણી ખૂબજ આનંદ થયો. આપ તો 18 વર્ષ થયા કોમ્પયુટર વાપરો છો જેથી આપને ગુજરાતી ટાઈપ ઝડપથી ફાવી જ જશે જે નિઃશંક છે. જો મારા જેવા કે જેને માટે કોમ્પ્યુટર તો ખરું જ સાથે ટાઈપ પણ અંગ્રેજી કે ગુજરાતીની જાણકારી કપણ નહિ હતી તે ધીમે ધીમે શીખાય ગયું તો તમને કોઈ તકલીફ નથી જ પડવાની. આપની વાત સાચી છે રીડ ગુજરાતી ઉપર વિચારોના આદાન પ્રદાન માટે કોઈ અવકાશ નથી. તેમ છતાં સાઈટ ખૂબ જ સુંદર છે અને ભાઈ મૃગેશ તેનું સંચાલન પણ સુંદર રીતે અને નિષ્ઠા પૂરવક કરી રહ્યા છે. આ ઉપરાંત એક ગુજરાતી નામની સાઈટ ભરત સુચક ચલાવે છે તે પણ ખૂબ જ સુંદર છે અને તેના ઉપર જુદા જુદા વિષયો ઉપર ચર્ચા કરવાનો અવકાશ પણ ઉપલબ્ધ છે. આપ તે સાઈટ ઉપર પણ પ્રયાસ કરશો. ચાલો ફરી આભાર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈ હાર્દિક
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર. પ્રતિભાવ જણાવતા આપે મારાં માટે વોરા સર જેવુ ઉલ્લેખ કર્યો છે તે સમજાયું નહિ. મારું નામ અરવિદ અડાલજા છે અને બ્લોગ પણ એ જ નામનો છે. એવું તો નથી બન્યું ને કે કોઈ બીજા માટે લખેલ પ્રતિભાવ ભૂલથી મને મોક્લી આપ્યો હોય ! જરા ચકાસી લેશો ! આભાર આપના બ્લોગની મુલાકાત અનૂકુળતા એ જરૂર લઈશ !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  90. આદરણીય અરવીંદભાઈ, મોટી ઉમરે કોમ્પ્યુટર અને ટાયપીંગ શીખ્યા અને બ્લોગની શરુઆત થતાં આપના વીવીધ વીચારો બ્લોગ ઉપર મુક્યા એટલે આ કોમેન્ટ આપ અને જેમણે આના માટે પ્રોત્સાહન આપ્યું એ દીકરી માટે આ કોમેન્ટ લખી છે.

    આપના ઘણાં વીચારો નીંગની ગુજરાતી સાઈટ ઉપર વાંચેલ છે. કોમ્પ્યુટર અને ઈન્ટર નેટની દુનીયા ખરેખર અજબ ગજબની છે.

    આપના પરીચયમાં આપે લખેલ છે કે આપ કોઈ સાહીત્યકાર કે લેખક નથી. અરે ! અરવીંદભાઈ સાહીત્યના પ્રખર પંડીતો ભેગા થઈ જુએ તો તરત જ ખબર પડી જાય કે નરસીંહ મહેતા અને મીરાબાઈને વ્યાકરણ, જોડણી અને સાહીત્યની બીલ્કુલ ગતાગમ ન હતી. દાખલા તરીકે જાગને જાદવા, લેને લાકડી ને કામડી અને ઠેર ઠેર બાઈ મીરા કહે પ્રભુ ગીરીધર નાગર. આતો જેણે લખ્યું એ લેખક અને સાહીત્યકાર.

    હું તો એથીએસ્ટ છું એટલે ભગવાન, ધર્મ, આસ્તા, પુજા, પ્રાર્થનાના વીરોધમાં જ્યાં અને જેવો મોકો મળે ત્યાં ઝાપટ મારું છું. નાથદ્વારાના નાથજીના ઝાપટીયાની જેમ. હટો અહીંથી – અમારા ઠાકોરને નજર લાગશે.

    Liked by 1 person

    1. ભાઈશ્રી વોરા
      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી આભાર ! આપના તરફથી એક જ પ્રકારના બે પ્રતિભાવો મળેલા જેમાંથી એક મેં ડીલીટ કરેલ છે. આપ ફરી પણ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવતા રહેશો ! આભાર !
      સ-સ્નેહ
      અરવિંદ

      Liked by 1 person

    1. હે પિંકી
      આભાર બ્લોગની મુલાકાત માટે. કયા કયા લેખો વાંચ્યા અને તે વિષે પણ પ્રતિભાવો જણાવશો તો વધુ આનંદ થશે !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  91. આદરણીય શ્રી અરવિંદ ભાઇ,

    મને તો જરા પણ આશા ન હતી કે મારા બ્લોગ નો આટ્લો જલ્દી કોઇ પ્રતીસાદ મળ્શે અને એ પણ તમારા જેવા વડીલ તરફથી. તમે મને સારુ એવુ પ્રોત્સાહન આપીને બ્લોગ આગળ વધાર્વાની પ્રેર્ણા પુરી પાડી છે.તે બદલ ખુબ ખુબ આભાર. આ તો ફ્ક્ત શરુઆત જ છે જે ઘણ્ી સારી થઇ છે. મારે ઘણુ બધુ લખ્વુ છે પણ ગુજરતી મા પહેલી વાર લખી રહ્યો હોવાથી ઘણ્ી તક્લીફ પ્ડી રહી છે છતા પણ પ્રયત્ન ચાલુ રહેશે.

    તમારા બ્લોગની મુલાકાત લીધી. તમે બ્લોગ મા બહુ જ સારી રીતે બધી વાતે ને વણી છે. મને ખરેખર ગમ્યુ. આપનો બ્લોગ ખુબ આગળ વધે એવી પ્રભુ નેે પ્રાથના.

    મારા બ્લોગની મુલાકાત કરી મારી ખામીઓ ને ઉજાગર કરશો તે ગમશે. આપ જેવા વડીલોનુ માર્ગદર્શન મળતુ રહે એ જ આશા રાખુ છુ.

    ફરી એક વાર આપનો ખુબ ખુબ આભાર.

    જય શ્રી કૃષણ…

    Like

  92. Dear Arvindbhai,

    I just read your artical about woman, specially regarding Atmiya college and Swaminarayan Community, I really like someone’s honesty about this people. I am biggest critics of these people from the childhood as I born and brought up in a family where main religion is Swaminarayan and believe me or not I never go to their temple or anything. I do speak about these as I use to write and give lactures in Rajkot for some years. My mother oppose these people in a big event where She was chief guest and they ask her to come down becoz Some TV swami was coming and she did oppose in front of 2000 people and she did not left the stage and at the end “so called TV Swami” sit downstairs on first raw. I believe the reson of this critisisom of woman is happening everywhere in india and the only reason is that we etach our gals from the starting only that they have to compromise. We dont teach our girls to fight against wrong thing, woman are meant to be suffer in india, weahter they are some good businesswoman or CEO or housewife one or in other way they do suffer just becoz they are woman.

    I still remember when I was a little girl and use to go to temple with my dad and mum the swami’s use to see me or any woman with soo much lust only, the only thing about woman in swaminarayan is lust…..and trust me i dont blaim them they are normal person they got feeling for woman but the basis of whole swaminarayan dharma is wrong, they also dont do pooja of mataji which shows hights of lust and cheapness.

    its been so nice see your artical today and that just remind my old days in india, I will surely give comment on your artical as that thing kept my skills alive as well.

    Cheers.
    Sonu

    Like

  93. અરવિંદભાઈ, નમસ્કાર..આપના બ્લોગની મુલાકાત લીધી પ્રથમ તો આપના વિષે વાંચ્યું..જે સરળતા સચ્ચાઈ આપના લખાણમાં દેખાય છે તે મૂલ્યવાન છે..મારી દૃષ્ટિએ પ્રત્યેક વ્યક્તીનું મૂલ્ય છે કેમ કે જીવનની ભેટ પરમાત્માએ આપણને આપી છે તે જ અણમોલ છે અને જીવન આપણને ઘણું શીખવે છે વળી આપણને જે અનુભવ થાય તે આપણએ અવશ્ય બીજા સાથે શેર કરવો જોઈએ જેથી અન્યને પણ લાભ મળે અને આપણને પણ પ્રોત્સાહન..આ રીતે વ્યકિત વ્યકિતનું ઘડતર થઈ શકે કોઈ એકાદ ગુરુ પર આધાર ના રાખવો પડે આવતી કાલે ગુરુપૂર્ણિમા છે…અત્યારે સાચા ગુરુઓ ક્યા હોય છે ?..પ્રવચન કરી શિષ્યો વધારી સંપત્તિ વધારી પૂંજીપતિ બની ભોગવિલાસમાં રાચતા રહે છે..ઉછીના ધર્મ જ્ઞાન અને સંસ્કૃતીના નામે તેની ક્રેડીટ લઈ તાગડધિન્ના કરે છે…હું આપના વિષે વાંચી ખુબ ભાવવિભોર થયો છું…અને પ્રેરણા પામ્યો છૂં આ મારું અંત;કરણ કહે છે…ફરી મુલાકત લઈ હું આપના બ્લોગ પર આવીશ તમે પણ મારા બ્લોગ પર આવજો તો તરત એકબીજાના વિચાર વામ્ચી સમજી શકાય…કહેવાતા સાહિત્યકારો કવિઓ પણ આપબડાઈ અને અહંકારથી ગંધાતા રહે છે…કવન સાથે જીવન અગત્યનું છે…મેં સાહિત્યના નામે પૈસા લઈ પોતાના અંગત સ્વાર્થ્મા વાપરી નાંખનારા અને પોતે જ પોતાને એવોર્ડ આપી મહાન કરનારા ઘણા જોયાં છે….
    અરવિંદભાઈ આપ એકલા નથી આપનો પરિવાર આત્મા પરમાત્મા અને ને આખી સૃશ્ટિ આપણા માટે જ છે આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે અને ખુશ્બુ બ્લોગ દ્વારા ફેલાતી રહે તેવી શુભેચ્છા રસાથે વિરમું છું.

    Like

    1. શ્રી દિલિપભાઈ

      આપે તો મારા ઉપર વખાણ કરી પુષ્પોનો વરસાદ વરસાવી દીધો. મેં તો માત્ર મારી જીવન તરફની દ્ર્ષ્ટિ અને બે જાતનું જીવન નહિ જીવવાની માત્ર વાત કરેલી છે. મેં મારું જીવન મારાં વિચારો પ્રમાણે જ જીવવાની ભરપૂર કોશિષ કરી છે અને હજુ પણ કરતો રહું છું. એક વાત તો બહુજ સ્પષ્ટ છે કે પોતાના વિચારો પ્રમાણે જીવનશૈલી જે જીવતા નથી હોતા અને માત્ર ઉપદેશ આપ્યા કરે છે તેના વ્યાખ્યાન કે પ્રવચનોનો કોઈ ચીંરજીવ પ્રભાવ પડતો નથી.ક્ષણિક આવેગમાં જેમ કોઈ સારા હીરોનું મુવી જોઈ સીનેમાની બહાર નીકળતા જ બધું ભૂલાય જાય છે તેવું જ આ વ્યાખ્યાન કે કથા-વાર્તા કે પ્રવચનો સાંભળી લોકોમાં થતું રહે છે. આપણાં દેશમાં છેલ્લા 20 વર્ષમાં ભાગવત કથા-રામાયણ -અને ગીતા ઉપરના વ્યાખ્યાનોનું સુનામી આવેલુ છે કે જે ને કારણે આ દેશના તમામ સામાન્ય નાગરિકો અને સત્તાધીશો સહિત ખરા અર્થમાં ધાર્મિક અને આધ્યાત્મિક બની જવા જોઈતા હતા પરંતુ થયું એ થી ઉલ્ટું આ સમય દરમિયાન લૂટ્ફાટ્-ખૂનામરકી-બળાત્કારો-ભેળસેળ અને કરચોરી-વ્યભિચાર વગેરે ખૂબ જ વધ્યા છે અને તેથી મને તો ઘણી વાર વિચાર આવે છે કે કથા-વાર્તા-વ્યાખ્યાન વગેરેની આ બીજી બાજુ તો નથી ને ? એક જ સીક્કાની બીજી બાજુની જેમ ! અર્થાત હું તો એવો અર્થ ઘટાવું છું કે લોકોને ક્ષણિક જેમ સીનેમા જોઈ પોતાની પીડા-વ્યથા ભૂલી જાય છે તેમ આવી કથા-વાર્તા સાંભળતી વખતે ક્ષણિક પોતાની પીડા કે વ્યથાનું વિસ્મરણ કરી સમય પસાર કરવા આવતા રહે છે. લોકો કથાકારની જીવનશૈલીથી અજાણ હોતા નથી તેની જાણ કથાકારોને કદાચ નહિ હોતી હોય ! પોતાના પ્રવચનો કે બોધ દાઈ વ્યાખ્યાનોની લોકોના માનસ ઉપર કેમ કોઈ અસર થતી નથી તેવું આત્મપરીક્ષણ આમાંના કોઈ કથાકારે કર્યું હોય તેવું જાણવામાં નથી. ટૂકમાં આ એક ગાડરિયો પ્રવાહ છે જેની અસરકારકતા માટે કોઈ ગંભીર હોતા નથી સૌ પોતપોતાના તાનમાં મસ્ત રહે છે. આચાર અને વિચાર એક સરખા ના થાય ત્યાં સુધી કોઈ પ્રવચનો કે વ્યાખ્યાનોની કોઈ અસર કોઈ ઉપર ક્યારેય ના જ થાય. અસ્તુ.
      જવાબ લાંબો થયો નહિ ? ખેર ! ફરી મળીશું ! મળતા રહીશુ ! આપની વાત સાચી છે કે મળતા રહીએ તો જ એક બીજાના વિચારોનું આદાન-પ્રદાન થઈ શકે અને એક બીજાને સમજી શકાય.
      ચાલો આવજો. ફરી એક વાર આભાર્
      સ-સ્નેહ
      અરવિંદ્

      Like

    1. ભાઈશ્રી ભરત
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને મારાં વિચારો ગમ્યાં તે જાણી આનંદ. આભાર અને ધન્યવાદ! આપને મારોં ગંદ્કી માટે કોણ જવાબદાર્ લેખ પણ ગમ્યો તે જાણી વિશેષ આનંદ તો આપે લખેલી કાવ્ય પંક્તિ વાંચી થયો. માર અન્ય વિષય ઉપરના વિચારો વિષે પણ આપના પ્રતિભાવો જરૂર જણાવતા રહેશો. ફરી ને એક વાર આભાર્

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  94. આદરણીય અરવિંદ ભાઇ.
    આપના બ્લોગ પર આવી ને ખુબજ આનંદ થયો કારણ કે આપના બ્લોગ પર આવી એક નવો ઉત્સાહ જોવા મળ્યો. જુવાન દિકરા-દિકરીઓ જે નિરાશ થઇ જાય છે તેમણે અહિં જરૂર પધારવું જોઈએ.આ બ્લોગ એક શિક્ષક છે. નિવ્રુત્તિ માં પણ પ્રવ્રુત્તિ એજ આ બ્લોગ નો સાર છે.
    આપની કમેન્ટ્સ બદલ આભાર.

    Like

    1. આભાર રઝિયાજી
      આપે પણ મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને ગમ્યો તે જાણી આનંદ ! વળી પણ આપની અનૂકુળતાએ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવો પણ જણાવતા રહેશો.

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  95. આદરણીય શ્રી અરવિંદભાઇ,
    આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કર્યો તે બદલ આભાર સાથે વંદન.

    હિરેન અંતાણી

    Like

  96. તમારા બ્લોગ ની વીઝીટ કરી વાચવાની સરુઆત પછી કરીસ ,
    આટલી ઊમરે પણ તમે બ્લોગ લખો છો જાણી આણદ થયો ,સામાન્ય રીતે નેટ ઉપર યુવાધન ફરતુ હોય છે..પણ આજે તમને અહિયા જોઈને ખુબ આણદ થયો…કેટલાય સિ.સિટઝન કેલ્ક્યુલેટર પણ વાપરતા ખચકાય છે જ્યારે તમો કોમ્યુટરનો સદૌપયોગ કરો છો…તમને મારા લાખ લાખ પ્રણામ
    aapnuumreth.wordpress.com

    Like

    1. આભાર પ્રવીણ ભાઈ આપે મારા બ્લોગની મુલાકાત લીધી એ માટે મારા અન્ય વિષયો ઉપરના આપના પ્રતિભાવોની ઉત્સુકતા પૂર્વક રાહ જોઈશ જરૂર જણાવશો.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  97. Arvindkaka,
    I visited your blog…. its too good… We were not knowing till now that you are such a good writer.
    Really nice to know that you are doing such a good & constructive work to society in your free time.
    Please give me your email address.
    Warm Regards,
    TIKHI (That is what you use to tell me)
    Jigna Mori

    Like

    1. જીજ્ઞા
      આભાર મારા બ્લોગની મુલાકત માટે. અન્ય વિષય ઉપરના વિચારો માટે તારા પ્રતિભાવોની રાહ જોઉં છું. આવજે.
      સ-સ્નેહ
      અરવિંદકાકા

      Like

  98. શ્રી અરવિંદભાઇ,
    હ્યુસ્ટનથી પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ.
    આપને મળેલ મા સરસ્વતીની કૃપાને કલમદ્વારા રજુ કરો છો તે માટે
    ધન્યવાદ.કલમ અને કાગળનો સંબંધ સાચવે તે જ સાચો માનવ.સંસ્કાર તો
    ગુજરાતીઓની ગળથુથીમાં છે.સાચવવા તે તમારા હાથમાં છે.
    લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા
    હ્યુસ્ટનના લેખક પરીવારના જય શ્રી કૃષ્ણ.

    Like

    1. શ્રી પ્રદીપ ભાઈ
      આપે સમય ફાળવી મારા બ્લોગની મુલાકાત લીધી તે બદલ ખૂબ ખૂબ આભાર. વળી પણ આપની અનુકૂળતાએ મારાં અન્ય વિષયો ઉપરના વિચારો વાંચી આપના પ્રતિભાવો જણાવતા રહેશો તેવી અપેક્ષા રાખું છું. જે મને પ્રોત્સાહિત કરશે. ફરી એક વાર આભાર.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  99. પુ. વડીલ શ્રી

    આજે બહુ વખત પછી મારા બ્લોગ પર જઇ શક્યો અને તમારી મારા બ્લોગ ની મુલાકાત જોઇ
    તમારો પ્રતિભાવ વાચી ખુબ જ આનન્દ થયો – જવેલરી ની શોપ હોવાથી છેલ્લા થોડા સમય થી બ્લોગ પર બેસાતુ ના હતુ – લખવાનુ બધુ ભેગુ થઇ ગયુ છે હવે જલ્દી થી લખાઇ જશે.
    ફરી થી મલીશુ
    જય શ્રી ક્રિશ્ના

    Like

  100. શ્રી અરવિંદકાકા,
    આપે મારા બ્લોગની મુલાકાત લીધી તે બદલ ખુબ આભાર.
    મેં પણ આપના ખુબ જ સારા બ્લોગની મુલાકાત લીધી છે.બહુ જ સારી રીતે
    બધી વાતે ને વણી છે. મને ખરેખર ગમ્યુ.આપનો બ્લોગ દિનપ્રતીદિન આગળ
    વધે એવી પ્રભુ પાસે પ્રાથના.
    મારા બ્લોગની મુલાકાત કરી મારી ખામીઓ ને ઉજાગર કરશો તે ગમશે. આપ જેવા વડિલોના માર્ગદર્શન મળતા રહે એ જ આશા રાખુ છુ.
    ફરી એક વાર આપનો ખુબ ખુબ આભાર.

    નીશીત જોશી
    http://nishitjoshi.wordpress.com

    Like

    1. ભાઈ શ્રી નિશિત

      આભાર્ આપને મારો બ્લોગ પસંદ પડ્યો તે જાણી આનંદ અને અવાર નવાર મુલાકાત લેત રહેશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો. અભિનંદન અને આભાર્

      આપનો

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી સુધીર
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને ગમ્યો અને મજા આવી જાણી મને આનંદ થયો. આભાર. આપના બ્લોગની અવશ્ય મુલાકાત લઈશ અને આપને મારા પ્રતિભાવો પણ મોકલીશ. આપે મારા વિચારો વિષે પ્રતિભાવો મોકલ્યા હોત તો મને વધારે આનંદ થાત. ખેર ફરીને આપની અનૂકુળતાએ મુલાકાત લેવાનું રાખશો અને પ્રતિભાવો પણ જણાવશો. ફરીને આભાર.
      આપનો
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  101. માનનીય શ્રીમાન અડાલજા,
    તમારુ લેખનકાર્ય જોઇ આનંદ થયો. મને વાચવાનો શોખ. અને તમારા વિચારો વાચતા રહેવુ મને ગમશે. તમે મારા બ્લોગની મુલાકાત લીધી એ બદલ આભાર. સરળ ભાષામા આજે જ લખાયેલી એક કવિતા તમારી સમક્ષ રજુ કરુ. આપની અનુકુળતાએ http://tejshah.wordpress.com/ પર “સરનામુ” વાચવા વિનંતિ.

    -તેજસ

    Like

    1. ભાઈ તેજસ
      આભાર. આપને વાંચવાનો શોખ છે તો જરૂર મારા બ્લોગ ઉપરના મારાં વિચારો વાંચી આપના પ્રતિભાવો જણાવશો હું આતુરતા પૂર્વક રાહ જોઈશ.

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  102. આપના બ્લોગ પર ઘણી રસપ્રદ માહિતી મળી..જિંદેગીને ..possitiveway લીધી છે જાણી ઘણોજ આનંદ થયો. બસ લખતા રહો..આપના જ્ઞાન-અનુભવની પ્રસાદી પિરસ્તા રહો..
    -વિશ્વદીપ્.

    Like

    1. ભાઈશ્રી વિશ્વદીપ
      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને આપને પસંદ પડ્યો તે જાણી આનંદ અને આભાર્ આપ મારા બ્લોગની આપની અનોકુળતાએ લેતા રહેશો અને આપના પ્રતિભાવો મોકલશો તો મને વધારે આનંદ તો થશે જ પણ સાથો સાથ પ્રોત્સાહન પણ મળશે.
      આભાર અને ધન્યવાદ્
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  103. Dear Arvindbhai,

    I would like to make following suggestions for your kind consideration…..

    *that old blogs be removed as soon as it was possible for yourself,because length of blog-page is rapidly-increasing.

    *that instead of copying and pasting the same ACKNOLEDGEMENT to bloggers, you find some time and write ACKNOWLEDGEMENT however SHORT to each blog.

    Think about that for a moment..!!

    rkpatel,
    wn,nz.

    Like

    1. હીનાજી
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ મોકલ્યો આભાર. આપ મારાં અન્ય વિષય ઉપરના લેખો પણ આપની અનૂકુળતાએ જરૂર વાંચશો અને આપના પ્રતિભાવો પણ મોકલશો જે મને વધુ વિચારવા અને લખવા પ્રોત્સાહિત કરશે. ફરીને આભાર્
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈશ્રી વિકાસ
      આપે પણ મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને મારાં વિચારો ગમ્યા તે જાણી આનંદ થયો. આપ આપની અનૂકુળતાએ અન્ય લેખો વાચી આપના પ્રતિભાવા જણાવશો તો મને વધુ આનંદ થશે. આપને પણ જરુર સફલતા સાંપડશે ! બસ લગે રહો !!!! ફરી મળીશું. આવજો.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. ભાઈ શ્રી દર્શન
      આપે મારા બ્લોગની મુલાકત લીધી આભાર્ મારા વિચારો વિષે આપના પ્રતિભાવોની અપેક્ષા રાખુ છું જે મને વધારે ઉત્સાહિત કરશે. આપશો ને ?
      ફરી ને આભાર.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  104. Dear Arvindbhai…Namaste ! Thanks for the invitatation to your Blog. After reading about you I am really impressed about your “positive attitude” & I see your love for ” friendship ” with others. You do not claim to be a Sahityakar & yet you have the love for Gujarati Bhasha. Well,it is here that we both have the similarity. I just had 5 Standard og Gujarari Shala & I love Gujarat & Gujarati Bhasha. You had visited my Blog & your comments mean a LOT to me. PLEASE do REVISIT when possible. Welcome to GUJARATI WEBJAGAT ! I wish you all the BEST !
    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com

    Like

    1. ભાઈશ્રી
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને મારાં વિચારો પસંદ પડ્યા તેજાણી આનંદ થયો. આભાર. આપે આપના અત્યંત વ્યસ્ત સમયમાંથી સમય કાઢી આપ પણ ગુજરાતી અને ગુજરાતી સાહિત્ય માટે જે પ્રાયાસો કરો છો તે ખૂબ જ સરાહનીય છે. હું પણ મારી અનૂકુળતાએ આપના બ્લોગની મુલાકાત લેતો રહીશ અને પ્રતિભાવો પણ મોકલતો રહીશ્ આવજો. ફરી મળીશું.
      સ-સ્નેહ અરવિંદ

      Like

  105. ભાઇ શ્રી અરવિંદભાઇ,
    આપે મારા બ્લોગની મુલાકાત લઇ તે પ્રત્યે પાડેલા આવકારમય પ્રતિભાવ માટે આપનો આભાર માનું છું.સાથે સાથે ગુજરાતી બ્લોગ જગતમાં આપે પ્રવેશ કર્યો તે બદલ મારા હાર્દિક અભિનંદન પાઠવું છું, તમારા બ્લોગની આજે મુલાકાત લીધી.તમારો ગણપતિ અંગેનો લેખ
    વંચ્યો અને આપણા બેઉના વિચારમાં સામ્યતા અનુભવી. સચું કહું તો ” આવ ભાઇ હરખા આપણે બેઉ સરખા”. તમે લખ્યું કે
    “ એવું નથી લાગતું કે આપણો સમાજ કોઇ પણ વિધિ વિધાનની પુરી સમજ કેળવ્યા સિવાય માત્ર બાહ્યયાચારને વધારે મહત્વ આપી પોતાની જાતને ખુબજ ધાર્મિક તરીકે ઓળખાવી સમાજમાં વિશિષ્ટ સ્થાન મેળવવા માટે દંભિ જીવન શૈલી જાણ્યે અજાણ્યે અપનાવી ખોટું ગ્રૌરવ લેતો થઈ રહ્યો છે.”
    ” .”

    તમારી આ વાત સો ટકા સાચી છે. એટલું જ નહીં પણ તે જગતાના બધા જ સમાજને લાગુ પડે છે. વેદિક કાળમાં પણ આજ સ્થિતિ હતી. અને તે દૂષણ ટાળવા માટે જ વેદાંતનો અર્થાત ઉપનિષદો ઉદ્ભવ થયો એમ હું માનું છું. જયાં સુધી કોઇ પણ સમાજ ધાર્મિકતા અને આધ્યાત્મિક વચ્ચેનો તફાવત નહીં સમજે ત્યાં સુધી તેના આ જ હાલ રહેવાના.

    ખેેર, આ તો કેવળ મારી માન્યતા છે. સાચું ખોટું તો ભગવાન જાણે.
    બસ એજ

    Like

  106. આભાર, અરવીંદભાઈ. શાંતીથી તમારો બ્લોગ વાંચીશ અને જણાવીશ. દર રવીવારે મારાં કાર્ટુંન્સ માણવાં હોય તો તમારું ઈ મેઈલ સરનામું મોકલાવશો.
    .

    મહેન્દ્ર.
    mahendraaruna1@gmail.com
    http://www.ameamericanamdavadi.com

    Like

    1. મહેન્દ્રભાઈ
      આપની અનૂકુળતાએ મારો બ્લોગ જરૂર જોશો અને વાંચી આપના પ્રતિભાવો મોકલશો તો મને આનંદ થશે. મારું ઈ-મેલ અડ્રેસ arvind_adalja@yahoo.com
      આભાર. આપના કાર્ટુંસ અવશ્ય મોકલશો.

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  107. આદરણીય અરવિંદકાકા,

    નમસ્કાર,

    તમે આ રીતે તમારું અનુ્ભવ-જ્ઞાન અમને આપશો તો અમે સપ્રેમ સ્વીકારીશું જ !

    આપશ્રીને હું બ્લોગર મિત્રો વતી બ્લોગ જગતમાં સપ્રેમ આવકારું છું.

    Like

    1. ભાઈશ્રી કમલેશ
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને બ્લોગર મિત્રો વતી આવકાર્યો તે બદલ ખૂબખૂબ આભાર્ મેં રજૂ કરેલા વિવિધ વિષયો ઉપરના વિચારો વિષે આપના પ્રતિભાવની ઉત્સુકતા પૂર્વક રાહ જોઈ રહ્યો છુ. આપની અનૂકુળતાએ અવશ્ય મુલાકાત લશો અને મને પ્રતિભાવો પણ જણાવશો જેથી મારાં વિચારોમાં પણ સ્પષ્ટતા આવી શકે.
      આવજો અને આભાર ફરી મળતા રહીશું.
      સ-સ્નેહ
      અરવિંદ્

      Like

  108. શ્રી અરવિંદભાઈ

    તમારા બ્લોગની પહેલીવાર મુલકાત લીધી, હજુ માત્ર આ પેજ પર પરિચય જ વાંચ્યો છે, ઇન્સ્ટોલમેન્ટના યુગમાં જેમ જેમ સમયનો હપ્તો મળશે તેમ તેમ વાંચતો રહીશ.

    60થી વધુ કોમેન્ટ હોવાથી દરેક કોમેન્ટ વાંચવી તો શક્ય નથી એટલે ઉપર ઉપર નજર નાંખી એના પરથી એટલું સ્પષ્ટ થયુ કે તમે (મારી જેમ) ડિટેઇલના આગ્રહી છો. તો આ રહ્યા મારા મુદ્દા…

    * તમે જે ઉંમરે જીવન પ્રત્યે આટલો ઉત્સાહ દર્શાવ્યો એ પ્રસંશનિય છે નહિંતર લોકો આ ઉંમરે અને એમાંયે તમે જે સ્થિતિમાં છો એમાં નેગેટીવ વાતો કરતા થઈ જાય અને આખું વાતાવરણ નેગેટીવ કે ઉદાસ કરી મુકે.

    * હું જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના ધૂળકોટ નામના નાના ગામડાનો છું બે દાયકાથી ગાંધીધામા-કચ્છમાં છું. 1983માં 6 મહિના અને ત્યારબાદ 1985થી ત્રણેક સાલ જામનગરમાં રહી ચુક્યો છું.

    આજે આટલું ..વધુ વધુ મુલાકાતે અને પરિચયે..આવજો.

    Like

    1. ભાઈશ્રી રજની
      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી તેજાણી આનંદ થયો. આપના અનૂકુળ સમયે જરૂર મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવો પણ અવશ્ય જણાવશો જે મને વધારે લખવા પ્રોત્સાહિત કરશે. આવજો અને ફરી ફરીને મળતા રહીશું. હું પણ મારી બેંકની નોકરી દરમિયાન કચ્છ્માં ભૂજમાં 3 વર્ષ હતો. કચ્છ અને ક્ચ્છી લોકો બહુજ પ્રેમાળ અને પરગજુ છે જે હું મારા અનુભવ ઉપરથી કહી શકુ છું. ખેર ! આવજો. ધન્યવાદ !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  109. DEAR ARVINDBHAI,
    IT IS A PLEASURE TO VSIT YOUR BLOG. I CONGRATULATE YOU FOR UPDATING YOUR SELF & MOULDED TOWARDS COMPUTER KNOWLEDGE. HATS OFF TO YOUR ENTHUSIASM. I WILL VISIT YOUR BLOG AGAIN & AGAIN & COME WITH SOME MORE INTERESTING DISCUSSIONS. I DEFINATELY LIKED YOUR EAGERNESS TO KNOW THE DIFFERENCE BETWEEN MILK & OIL.. I TOO WILL THINK ON THE SAME LINE…O.K. JAISHRI KRISHNA..

    Like

    1. ભાઈ શ્રી
      આપે મારા બ્લોગની મુલકાત લીધી અને આપને ગમ્યો તે જાની મને આનંદ થયો. આપના પ્રતિભાવ બદલ આભાર્ આપ અન્ય વિષય ઉપરના મારા વિચારો વિષે પણ આપના પ્રતિભાવો અનૂકુળતાએ જરૂર લખશો જે મને વધુ વિચારવા અને લખવા માટે પ્રોત્સાહિત કરશે. આપ પણ મહાદેવને દૂધ અને હનુમાનને તેલ અને સીંદૂર વિષે વિચારવાના છો તે જાણી મને ખૂબજ આનંદ થયો. આપ જે કાંઈ વિચારો તે મને જરૂર જણાવશો. ફરી એક વાર આભાર. આવજો. મળતા રહીશું.

      અરવિંદ

      Like

    1. ભાઈ કપિલ
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને બ્લોગ ગમ્યો તે જાણી આનંદ અને આભાર્ આપ મારા અન્ય વિષયો ના લેખ વાચી આપના પ્રતિભાવો જરૂરથી મોકલશો તો મને વધારે આનંદ થશે. આપના પ્રતિભાવોની રાહ જોઈશ્ આવજો અને આભાર. ફરી મળીશુ

      અરવિંદ

      Like

    1. ભાઈ અજીત
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી આનંદ થયો. આભાર. મારાં જુદા જુદા વિષયો ઉપરના વિચારો વિષે આપના પ્રતિભાવો પણ મોકલશો તો મને વધુ આનંદ થશે અને વધારે પ્રોત્સાહન મળશે. ફરી ને એક વાર આભાર અને ધન્યવાદ!!
      અરવિંદ

      Like

    1. ભાઈ સંજય
      આપે મારા બ્લોગની મુલાકત લીધી આભાર્ મારા વિવિધ વિષયો ઉપરના
      વિચારો વિષે આપના પ્રતિભાવોની અપેક્ષા રાખું છું તો જરૂર લખશો જે મને વધુ પ્રોત્સાહિત કરશે. ફરી મુલાકાત માટે આભાર્ મળત રહેશું અને આપના સુચન મુજબ મેલ પણ કરતો રહીશ્
      અરવિંદ્

      Like

  110. ખૂબ સરસ બ્લોગ
    થોડા લેખો માણ્યા
    આનંદ થયો
    હાલ જામનગરમા છો જાણી –
    નોસ્ટેલજીક યાદ તાજી થઈ
    જા મ ન ગ ર
    ૧૯૫૫ની મે ની ૧૨મી તારીખ
    મારી મારા પતિ સાથે પહેલી મુલાકાત થઈ હતી
    વધુ જાણવા
    અમારી ૫૦મી વૅડીંગ ઍનીવરસરી અહેવાલ
    જુઓ ૮મી ડીસેમ્બરની પોસ્ટ
    niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક

    Like

  111. શ્રી નવીન ભાઈ

    આપની વાત એકદમ સાચી છે.આપના જેવા જ અનુભવ મને પણ અવાર-નવાર થાય છે અને થયા છે.
    કમભાગ્યે આપણા લોકો માત્ર પોતાની જ અનૂકુળતા અને સગવડ જોતા થયાછે સ્વ-કેન્દ્રિત બની ગયા છે.
    વાતો નિસ્વાર્થ અને દયા ભાવના અને પ્રમાણિકતા-સત્યનિષ્ઠા વગેરે સદગુણોની કરનાર પોતાનું આંગણું સાફ કરી બાજુના પાડોશીના આંગણામાં પોતાનો કચરો ઠાલવી રહ્યા છે.અને તેમને આ ખોટુ છે તેમ કહેનારા આપણાં કહેવાતા ધાર્મિક અને સંપ્રદાયોના વડા-સાધુ-સંતો સહિત એક નંબરના દંભી અને પાખંડી હોય છે તે હવે કોઈથી અજાણ્યું કે છૂપું રહ્યું નથી અને તેને કારણે કથાઓ-વ્યાખ્યાનો કે પ્રવચનોમાં આપવામાં આવતો ઉપદેશ માત્ર શાબ્દિક બની રહી ગયો છે.ગંદ્કી અને ઘોઘાટ વિષે જો યોગ્ય દોરવણી આપવામાં આવે તો તેમાં કોઈ ખર્ચ પણ નથી.પણ આપણી કહેવાતી આધ્યાત્મિકતા કે ધાર્મિકતા તદન ખોખલી અને પોકળ બની ચૂકી છે.લોકોમાં આવી સમજ કેળવવાનિષ્ઠાવાન અને ખંતીલા નિસ્વાર્થી એવા સમજ્દાર સમાજ સેવકો કોશિષ કરે તો કદાચ્ અંશત સફળતા મળે તેમ માનુ છું. અને વધારેમાં આપણા પોતાથી આ બાબતની શરૂઆત કરવી રહી.
    જે મને નથી પસંદ કે મને નડ્તર રૂપ જણાય છે તે અન્યને પણ આવી જ લાગણી પેદા કરે માટે આવું વર્તન નહિ કરવું જોઈએ તેવો દ્રધ સંકલ્પ દરેકે કરવો રહ્યો.
    સરકાર કાયદાઓ કરે પણ અમલ વારી તો લોકોના હાથમાં જ રહે છે અને જે કાયદાઓ છે તેનો પણ કેટલો અનેકેવો અમલ થઈ રહ્યો છે તે આપણે સૌ જાણીએ જ છીએ. માટે સરકાર ઉપર ભરોસો રાખવાનો કોઈ મતલબ મને જણાતો નથી.

    આપે મારાં બ્લોગની મુલાકત લીધી અને પ્રતિભાવ પણ મોક્લયો આપનો આભાર્ મારાં અન્ય વિષય ઉપરના આપના પ્રતિભાવની હું ઉત્સુકતા પૂર્વક રાહ જોઈશ્.

    આભાર- આવજો.

    સ-સ્નેહ

    અરવિંદ્

    Like

  112. There are people – literate and illiterate who have developed their minds and attitude in such a way that for every advice, they react and believe not to take action against whatever advice is given -surely good advice.
    After my hardwork I get sleep but my neghbour starts TV by 5.30 a.m. with big volume and sometimes play upto 1 at night – Inspite of my request he turns deaf ears – Now govt should pass an act that TV channels telecast should be stopped after 10.30 p.m. as is being done for Navratri – I consider the above situation as curse of my earlier birth – god save

    Like

    1. શ્રી નવીન ભાઈ

      આપની વાત એકદમ સાચી છે.આપના જેવા જ અનુભવ મને પણ અવાર-નવાર થાય છે અને થયા છે.કમભાગ્યે આપણા લોકો માત્ર પોતાની જ અનૂકુળતા અને સગવડ જોતા થયાછે સ્વ-કેન્દ્રિત બની ગયા છે.વાતો નિસ્વાર્થ અને દયા ભાવના અને પ્રમાણિકતા-સત્યનિષ્ઠા વગેરે સદગુણોની કરનાર પોતાનું આંગણું સાફ કરી બાજુના પાડોશીના આંગણામાં પોતાનો કચરો ઠાલવી રહ્યા છે.અને તેમને આ ખોટુ છે તેમ કહેનારા આપણાં કહેવાતા ધાર્મિક અને સંપ્રદાયોના વડા-સાધુ-સંતો સહિત એક નંબરના દંભી અને પાખંડી હોય છે તે હવે કોઈથી અજાણ્યું કે છૂપું રહ્યું નથી અને તેને કારણે કથાઓ-વ્યાખ્યાનો કે પ્રવચનોમાં આપવામાં આવતો ઉપદેશ માત્ર શાબ્દિક બની રહી ગયો છે.ગંદ્કી અને ઘોઘાટ વિષે જો યોગ્ય દોરવણી આપવામાં આવે તો તેમાં કોઈ ખર્ચ પણ નથી. પણ આપણી કહેવાતી આધ્યાત્મિકતા કે ધાર્મિકતા તદન ખોખલી અને પોકળ બની ચૂકી છે.લોકોમાં આવી સમજ કેળવવા નિષ્ઠાવાન અને ખંતીલા નિસ્વાર્થી એવા સમજ્દાર સમાજ સેવકો કોશિષ કરે તો કદાચ્ અંશત સફળતા મળે તેમ માનુ છું. અને વધારેમાં આપણા પોતાથી આ બાબતની શરૂઆત કરવી રહી. જે મને નથી પસંદ કે મને નડ્તર રૂપ જણાય છે તે અન્યને પણ આવી જ લાગણી પેદા કરે માટે આવું વર્તન નહિ કરવું જોઈએ તેવો દ્રધ સંકલ્પ દરેકે કરવો રહ્યો. સરકાર કાયદાઓ કરે પણ અમલ વારી તો લોકોના હાથમાં જ રહે છે અને જે કાયદાઓ છે તેનો પણ કેટલો અને કેવો અમલ થઈ રહ્યો છે તે આપણે સૌ જાણીએ જ છીએ. માટે સરકાર ઉપર ભરોસો રાખવાનો કોઈ મતલબ મને જણાતો નથી. આપે મારાં બ્લોગની મુલાકત લીધી અને પ્રતિભાવ પણ મોક્લયો આપનો આભાર્ મારાં અન્ય વિષય ઉપરના આપના પ્રતિભાવની હું ઉત્સુકતા પૂર્વક રાહ જોઈશ્.

      આભાર- આવજો.

      સ-સ્નેહ

      અરવિંદ્
      આપને ઈ-મેલથી જવાબ મોકલેલો આપનું મેલ એડ્રેસ નહિ મળતા યાહુ એ પરત મોક્લેલ છે તો આપનું મેલ અડ્રેસ બરાબર ચકાસી લેવા વિનંતિ.

      Like

    1. વડિલ શ્રી બાલકૃષ્ણભાઈ
      ચાલો હવે આપ આપના પ્રતિભાવો મને ગુજરાતીમાં લખશો તે જાણી ખુશી થઈ. હું આપના પ્રતિભાવોની ઉત્સુકતા પૂર્વક રાહ જોઈશ્
      આવજો.

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  113. Respected Arvindkaka,
    Today I have visited your blog. Though it was bird view but I have to salute for your sharing of knowledge through this blog on the various subjects and that even at this Age when generally the retired persons spend their time in Gossip Type of talking (either in family or else where). Thus its really a good social service I wish that i can also learn from your thoughts as well as your enthusiasm towards the life regarding subjects I will again visit the blog for the same. Wish for your good health for ever.
    With regards, Bharat Oza

    Like

    1. ભાઈ ભરત
      તમારા અત્યંત કામના બોજા હેઠ્ળમાંથી મારા બ્લોગની મુલાકાત લેવાનો સમય કાઢ્યો તે જાણી મને ખૂબ જ આનંદ સાથે ખુશી પણ થઈ. હું તો એવી અપેક્ષા રાખું છું કે તમારા જેવા નવયુવાનો લેટેસ્ટ ટેકનોલોજીનો પોતાના ધંધા/ઉધ્યોગ માટે તો કરેજ પરંતુ સાથોસાથ નવા વિચારો ફેલાવવામાં પણ આનો ભરપુર ઉપયોગ કરવા થોડો સમય ફાળવતા રહે. આપણું સ્વત્વ અને સ્વમાન જાગૃત કરવાનું મક્કમતાથી એક અભિયાન શરૂ કરવાની તાતી જરૂરિયાત મને જણાય છે. ખાસ કરીને આપણા સહિત ગુજરાતીઓમાં આજની તારીખે પણ લઘુતા ગ્રંથી અને ગુલામી માનસિકતા નરી આંખે જોઈ શકાય છે. આ માટે યુવાન પેઢીએ મશાલચી બની નેતૃત્વ પૂરુ પાડ્વું જ રહ્યું. અને જે માટે જો વૃધ્ધ અને ઉંમરે પહોંચેલા જગ્યા ના કરી આપે તો તેમનું સ્વમાન જળવાય તે રીતે ખસેડવા રહ્યા. હું ધારું છું કે હું જે કહેવા માગું છું તે તમે સમજો છો.
      મારા અન્ય વિષય ઉપરના વિચારો પણ જ્યારે સમય મળે ત્યારે વાંચી તમારા પ્રતિભાવો જાણવાની મને ખૂબજ ઉત્કંઠા રહેશે.
      આભાર ભાઈ ભરત્ આવજો.
      સ-સ્નેહ
      અરવિદ્કાકા

      Like

  114. આજે પહેલી વાર તમારો બ્લૉગ નજરે ચઢ્યો. બ્લૉગ મજાનો છે. નવું નવું લખતાં રહેજો. ઉપરછલ્લી મુલાકાત લીધી છે- સમય મળ્યે નીરાંતે લેખો વાંચી ઈમેલ કરીશ.

    Like

    1. ભાઈશ્રી પંચમ શુક્લ

      આપે મારા બ્લોગની મુલાકાત લીધી આભાર. આપની અનુકૂળતાએ ફરી મુલાકત લઈ મેં લખેલ તમામ વિષયો ઉપરના આપના પ્રતિભાવોની હું આતુરતા પુર્વક રાહ જોઈશ. જરૂરથી પરતિભાવો મોકલતા રહેશો જે મને પ્રોત્સાહિત કરશે.

      સ-સ્નેહ

      અરવિંદ

      – Arvind Adalja

      Like

    1. વદિલ શ્રી બાલક્રિષ્નભાઈ
      આપ 77 ની ઉમરે કોમ્પ્યુટર શીખ્યા તે જાણી મને ખૂબ જ આનંદ થયો. ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપને અને આપને જેમણે શીખવવા પ્રોત્સાહિત કર્યા હોય તેમને પણ્ આપને ગુજરાતીમાં લખ્વું છે તે જાણી મને આનંદ થયો છે. આ માટે આપને ટૂક સમયમાં અલગથી મેલ દ્વારા જણાવીશ્
      આભાર અને મારાં અન્ય વિષયો ઉપરના આપના પ્રતિભાવો ને આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો છું.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  115. પહેલી જ વાર તમારો બ્લોગ જોયો
    સ્વાગત.
    we are home away from home.
    Real home is back to God head.
    Even now! Your wife is in your heart and mind.
    We wish you stay connected with all of us away from home via Internet.
    Let us wish that You have good support of your childrens,grandchildren and friends and continue.

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

    Like

    1. ભાઈ રાજેન્દ્ર

      આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને મારો પ્રયાસ ગમ્યો તે જાણી ખૂબ જ આનંદ થયો૴ આપની વાત સાચી છે મારી પત્નિ આજે પણ મારા દિલની ધડકન સાથે ધડ્કી રહી છે. આપની જાણ માટે સહજ ઉલ્લેખ કરું છું ગઈ કાલે જ તેણીની 9 મી પૂણ્ય તીથી હતી અને તે જ દિવસે આપ તરફથી શુભેચ્છાઓ મળી.મારાં તમામ બાળકો પણ મને ખૂબજ સહકાર આપે છે જે ઈશ્વરની કૃપા અને આશીર્વાદ જ ગણું છું . આપની શુભેચ્છાઓ માટ્ટે ખૂબ ખૂબ આભાર્ મળતા રહીશું અવારનવાર આ જ રીતે. ખરું ને ?

      આપ સૌ મિત્રોનો સહકાર્-પ્રોત્સાહન અને હુંફ અને લાગણી મળતા રહે તેવી ઈશ્વરને પ્રાર્થના.

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  116. બ્લોગ વિશ્વમાં આપનું સ્વાગત અને શુભેચ્છાઓ…

    સુન્દર શરૂઆત..ખૂબ લખતા રહો…

    બધું વાંચવાનો સમય તો હજુ મળ્યો નથી. નિરાંતે વાંચીને જરૂર લખીશ.

    nilam doshi
    http://paramujas.wordpress.com

    Like

    1. આભાર ભાઈ મેહુલ્ આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને અવાર નવાર લેતા પણ રહેશો અને પ્રતિભાવો દ્વારા મને પ્રોત્સાહિત કરતારહેશો.

      Like

    1. આભાર્ માર્ગ દર્શન તો આપે આપવાનું રહેશે કારણ હું તો આ બ્લોગની દુનિયાનો એકડૉ ઘૂટી રહ્યો છું. આપ તો લાંબા સમય થયા લખી રહ્યા છો અને બ્લોગ ઉપર સુંદર સેવા ગુજરાતી ભાષાની કરી રહ્યા છો.

      Like

    2. આભાર. મારા બ્લોગની મુલાકાત લેવા માટે. માર્ગદર્શનતો આપે આપવાનું રહેશે. કારણ હું તો બ્લોગ જગતમાં એક્ડો ઘુંટી રહ્યો છુ જયારે આપ તો લાંબા સમય થયા આ પ્રવૃતિ કરી ગુજરાતી ભાષાની સેવા કરી રહ્યા છો. અવાર નવાર મારાં બ્લોગની મુલાકાત લઈ આપના પ્રતિભાવો જરૂર જણાવશો જે મને વધુ લખવા પ્રોત્સાહિત કરશે. આભાર્
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. આભાર સુરેશ ભાઈ આપે સમય કાઢી મારા બ્લોગની મુલાકાત લીધી.આ માટે આપના સૂચનો અને સલાહ આવકાર્ય બની રહેશે. મારા વિવિધ વિષયો ઉપર આપના પ્રતિભાવની પણ હું ઉત્કંઠા પૂર્વક રાહ જોઈ રહ્યો છું. અનૂકુળતાએ જરૂર જણાવશો.

      Like

  117. bhai aapno prem ne lagni badal aabhar hu distik ko benkma as.menejat hato ne ahi mari dikarina pati gujari jata temna be balkone sachavava aavelo chu tmara badhaj lekho vachi gyo chu tmone mara raday puravakna abhi nndan pathavu chu tmara vicharo ej mara vicharo che manse shanti pamvi hotyo madiro nahi ape pan shanti to antarmathi j male ch tetyag ne anasktithij male che tevu hu manuchu ne anubhavu chu dhadpanma aajkarva jevu che anasktbhave jivo toj shanti male che mara abhinndan pathavu chu aavjo

    Like

  118. heloo
    sear.
    jamanagar nu nam sabhali ne maru ek vers me jamnagar ma kadhyu teni yad taji thai. jo jamanagar ma hu hot ne me tamara bloog ni mulakat lidhi hot to jarur aapene rubaru malet.
    keer hu jyare gujarat na jamanagar ma mari vehali kolleg panchavati(V.M.Maheta coolege) aavish tyare aapene jarur malis.aapeno bloog mane khub gamyo.jya joothi sahityik sadhana nathi tya critisisam ne aavecas nathi pan aapena bloog no gujarati tarice aavekar jarur chhe.
    aabhar.
    from:- hareshgujarati@gmail.com

    Like

    1. આપે મારો બ્લોગની મુલાકાત લીધી અને ગમ્યો તે જાણી ખુશી થઈ. આભારા. આપ જામનગરમાં એક વર્ષ સુધી હતા તે જાણી વધુ આનંદ થયો.હાલમાં ક્યાં છો અને જામનગર આવો ત્યારે જરૂર મળવાનું રાખશો અને અવાર નવાર મારાં બ્લોગ્ની મુલાકાત લઈ બધા જ વિષય ઉપર આપના પ્રતિભાવ લખ્શો તો મને ખૂબજ પ્રોત્સાહન મળશે. ફરી એક વાર આભાર્
      આપનો
      અરવિંદ

      Like

  119. પ્રિય ભાઈ રાજીવ ,

    આપે મારા બ્લોગની મુલાકાત લીધી આપની શુભેચ્છા માટે આભાર. આપે કોઈ વિષય ઉપરના મારાં વિચારો વાંચ્યા કે કેમ તે સ્પ્ષ્ટા કરી નથી તો આપના વિચારો જણાવશો તો મને આનંદ થશે.

    અરવિંદ

    Like

  120. આદરણીય અરવિંદકાકા,

    આપના બ્લોગની મુલાકાત લીધી અને ખુબ આનંદ થયો… આપ મારા બ્લોગ પર પધાર્યા અને આપના અભિપ્રાય આપ્યા તે બદલ આભાર…

    આપની આ બ્લોગ સફર ખુબ જ સફળ અને આનંદદાયક નિવડે તેવી શુભકામનાઓ સાથે…

    રાજીવ

    Like

    1. ‘‘TUSHAR permalink
      March 26, 2011 9:16 am
      SWAMINARAYAN SAMPRADAY NU TAME BHUNDU BOLYA CHHO je hathe type karyu chhe te lakvo mari jase jamava nahi pamo’’

      ‘‘રાજેશ પડાયા
      વડિલ્શ્રી, હુ ઘણા દિવસથી આપની ટીપ્પ્ણીઓ તો હતો, પણ ડિસ્ટન્સ રાખતો હતો, કે રખેને કોઈને… પણ આજે જ્યારે આ પેજ વાંચ્યુ ત્યારે આપને લખ્યા વગર રહિ શક્યો નહિ. હુ આપની રાય જાણવા માંગુ છુ, મારા બ્લોગ વિશે, બધા જ પાના વાંચીને મને આપનો અમુલ્ય વિચાર જણાવશો પ્લીઝ..’’

      બહુ આંચકો લાગે એવી ભાષા તુષારભાઇએ પ્રયોજી નાંખી છે. મુરબ્બી શ્રી અરવિંદભાઇએ તે કોમેન્ટ રાખી છે – અને પ્રત્યુત્તર પણ આપ્યો છે.

      શ્રી રાજેશભાઇએ રાખેલી અપેક્ષાનો પણ પ્રત્યુત્તર આપ્યો છે – તટસ્થાપૂર્વક . આવી કોમેન્ટ અને તેના અરવિંદભાઇએ આપેલા પ્રત્યુત્તરો ખૂબ જ પ્રભાવક લાગે છે. આ વાંચવાની મઝા આવી.કોમેન્ટમાં જ ઘણી બારીક વિચારણાની બાબતો છે જે એક એક અલગ અલગ પોસ્ટ બને તેવી પણ છે.અલબત્ત બધી કોમેન્ટો વાંચવાની ઇચ્છા હોવા છતાં વાંચી નથી શકાઇ. પણ જે કંઇ વંચાયુ તે વિચાર પ્રેરક અને એકદમ સચોટ લાગ્યું છે. જેનો અંશઃ

      ‘‘..આપણાં દેશના કેટલાક લોકોની અન્યનું બધું જ શ્રેષ્ઠ અને આપણું હલકું તેવી એક જડ માન્યતા ઘર કરી ગઈ છે. આપણી જ કોઈ પણ વાત વાયા પશ્ચિમ થઈ આવે તો એ સ્વીકાર્ય છે પણ આપણાં જ દેશમાં આ વાત કોઈ કરે તો તે માન્ય નથી. આ આપણાં દેશની ગુલામી માનસિકતા છે. આપણું સ્વમાન. આત્મ-સન્માન. અને સ્વત્વ વિષે આપણે બિલકુલ સભાન નથી…’’

      આ કોમેન્ટમાં સૌથી વધારે વખતની કોમેન્ટસ શ્રી rkpatel દ્વારા થઇ છે. જેમાંની એક શબ્દસઃ નીચે મુજબ છે.
      April 28, 2010 10:47 am
      Are you SELFISH or UNSELFISH..!!

      DO YOU like INSECTS,BIRDS,BEASTS,BRUTES or ANIMALS LOVE or CARE FOR ONLY YOURSELF and or YOUR NEAR and DEAR..!!

      Think about that for a moment..!!

      rkpatel,
      wn,nz.

      કેટલાકના જવાબો આપીને અને કેટલાકના જવાબો ના આપીને પ્રેમાળ સંયમ રાખવામાં આવ્યો છે તે મારા જેવા માટે એક શીખવાલાયક બાબત છે. અરવિંદભાઇને સલામ !!

      Like

      1. ભાઈશ્રી
        આપે બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવ પણ જણાવ્યો આભાર ! એક વાત કહું કે હું મેં જે કંઈ વાંચ્યું છે અને મારી નાની સમજ પ્રમાણે સમજ્યો છું તે વિષે મારાં નીજાનંદ માટે મારા વિચારો અત્રે વ્યકત કરતો રહું છું. કેટલાક મુલાકાતીઓને આ વિચારો ગમતા હોય છે તો કેટલાક નારાજ પણ થતા રહે છે અને આ આ માતે તો સૌની પોત પોતાની વ્યક્તિગત સમજ અને પૂર્વ ધારણાઓ તથા આગુસે ચલી આતી હે માટે તે વિષે અલગથી વિચારી જ ના શકાય તેવી માનસિકતા ઉપરાંત જડ જેવી અંધશ્રધ્ધા પણ વિરોધ કરવા મજબુર બનાવી શાપ આપતી મનોદશા પ્રગટ કરતા રહે છે. સૌ સૌની સમજ ! વિશેષ શું કહું ? ફરીને આભાર ! અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો સાથે આપના કિમતિ પ્રતિભાવો પણ જણાવતા રહેશો ! આવજો ! મળતા રહીશું !
        સ-સ્નેહ
        અરવિંદ

        Like

Leave a comment