મુબઈ બ્લાસ્ટ —–26/11


મુબઈ બ્લાસ્ટ —–26/11/08

!!! તલાશ છે એક મર્દની !!!

 

 

26/11 ના મુબંઈમાં આતંકવાદીઓએ બોમ્બ બ્લાસ્ટ અને આડેધડ ગોળીબાર કરી લગભગ 200 નાગરીકોને મોતને ઘાટ ઉતાર્યા.અને અનેકને ઘાયલ કર્યા જેમાં વિદેશીઓ પણ હતા.જેના અનુસંધાને રાબેતા મુજબની સ્ક્ર્રીપ્ટ્ના સંવાદો આપણા દેશના સત્તાધારી રાજકારણીઓએ ઉચ્ચાર્યા અને જેની તમામ મીડીયાએ નોંધ લીધી.

*** આ તબ્બકે મને એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે ગુજરાતના સાસંદ શ્રી.પિલુ મોદીએ એકવાર નિવેદન કરેલું કે સમગ્ર સંસદમાં એકજ મર્દ છે અને તે છે શ્રીમતિ ઈંદિરા ગાંધી. યાદ રહે કે શ્રી પિલુ મોદી વિરોધ પક્ષ સ્વતંત્ર પક્ષના સાંસદ હતા . અને આજે આ વાત યથાર્થ સ્વરૂપે સિધ્ધ થઈ આપણી સમક્ષ આવી છે. શ્રીમતિ ઈંદિરા ગાંધીની અનેક નીતિઓ સાથે આપણે સહમત થઈએ કે નહિ તે મહત્વનું નથી. પરંતુ રાષ્ટ્રયિતા અને તેના રક્ષણ માટે ગમે તે કરી છૂટવાની -પોતાની જાતને ભોગે પણ- પ્રતિબધ્ધતા દાદ માંગે તેવી હતી.એમ કહેવાય છે કે પંજાબમાં ભિન્દરનવાલેને ઈંદીરાએ જ પ્રોત્સાહન આપી ઉભો કરેલો પણ જ્યારે તે તેની મર્યાદા ચૂકી ઈંન્દીરાજીને જ નહોર ભરાવા લાગ્યો ત્યારે કોઈની પણ પરવા કર્યા સિવાય સુવર્ણ મંદિરમાં લશ્કર મોક્લી ભિન્દરણવાલેને મોતની સજા કરેલી. આના પ્રત્યાઘાત રૂપેજ તેમના જ અંગ રક્ષકે તેણીની હત્યા કરી નાખેલી. મને યાદ છે ત્યાંસુધી ઈંદીરાજીને તેમના અંગરક્ષકો માં જે શિખો હતા તે બદ્લાવી નાખવાની સલાહ મળેલી તેમ છતાં તેણીએ તે સ્વીકાર્યું નહિ હતુ.

*** એક અન્ય પ્રસંગ પણ આ તક્કે યાદ કરવાનું મન રોકી શકાતું નથી. બંગ્લાદેશના યુધ્ધ સમયે અમેરિકાએ પોતાના યુધ્ધવાહક જહાજ એંટરપ્રાઈસની બંગાળના ઉપસાગરમાં લાવી લશ્કરી કવાયત કરાવેલી. આની પાછળ નાપાક ઈરાદો તો ઈદિરાજીને ડરાવી યુધ્ધ બંધ કરાવાનો હતો. પરંતુ આ મર્દ બાઈને ઓળખવામાં અમેરિકી પ્રમુખ થાપ ખાઈ ગયા અને બંગલાદેશનું યુધ્ધ 90000/- થી પણ વધારે પાકિસ્તાનના લશ્કરને શરણાગતી સ્વીકારવાની ફરજ પડેલી .આ ઈતિહાસ તાજો જ છે અને મોટા ભાગના દેશવાસીઓને યાદ હશે .હાલ સંસદમાં બિરાજમાન સભ્યોમાંથી આવા કોઈ મર્દ છે ખરા ?!?

 

*** આ તકે મને આપણા શારીરિક રીતે વામન વડા પ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીની યાદ પણ આવે છે કે જેમણે સમયનો તકાજો ઓળખી પાકિસ્તાનના આક્રમણના જવાબમાં કોઈની પણ શેહ-શરમ કે સલાહ લીધા વગર વિરાટ સ્વરૂપ ધારણ કરી પાકિસ્તાનના દાંત ખાટા કરી દીધેલા અને મોટો પ્રદેશ કબ્જામાં લઈ લીધેલો.

***કમ ભાગ્ય છે આ દેશના અને દેશવાસીઓના કે આજે આ દેશના સામન્ય લોકોની રક્ષા કરી શકે એવો કોઈ મર્દ રાજ્સત્તા ઉપર બેઠો નથી. જે બેઠેલા છે તેમાના મોટા ભાગના તાણી કાઢેલા અને નપુસંકો છે.આ તમામ રાજકારણીઓ નફફટ , નકટા, નીચ અને નામર્દ છે. જેનો પુરાવો જ્યારે આતંકવાદીઓ મુંબઈની તાજ માં-ઓબેરોય અને નરીમાન હાઉસમાંથી બ્લાસ્ટ અને ગોળીબાર કરતા હતા ત્યારે આ બધા પોતાની એસી ચેમ્બરમાં બેસી કાજુ-બદામ ખાતા બેઠા હતા. લોકોના જીવનની આતશ બાજી ખેલાતી હતી ત્યારે ટીવીમાં થતા જીવંત પ્રસારણને આ હલકા અને નપુસંકો જાણે કોઈ સ્ટટ સીનેમા ચાલી રહ્યુ હોય તેમ માણી રહ્યા હતા.

*** પોતાના જીવનની રક્ષા માટે સતત સભાન આ નેતાઓ કમાંડોથી ઘેરાયેલા રહે છે અને આમ જનતાને બહાદુરી દર્શાવાના પાણી પાતા રહે છે. આ કમાંડોનું કરોડો રૂપીયાનું ખર્ચ આમ જનતાના કરવેરામાંથી ચૂકવાતું હોય છે. તેમ છતાં આમ જનતા તો હંમેશા ભગવાનને ભરોસે જ જીવી રહી છે અને આવા બદમાશોના રક્ષણ માટે કમાંડોનો ગુન્હાહીત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

*** હવે વખત આવી ગયો છે કે આ કમાન્ડોને પરત બોલાવી લેવામાં આવે અને આ રાજકારણીઓને રક્ષાની જરૂર હોય તો પોતાને ખર્ચે રાખે. આ દેશનો એક પણ રાજકારણી ગરીબ નથી એટ્લું જ નહિ કરોડો રૂપીયા ઘર ભેગા કરી ચૂકયો છે અને કરોડો સ્વીસ બેંકમાં જમા પડ્યા છે.

*** આ રાજકારણીઓ કેટલા નફ્ફટ અને નીચ છે તે તેમના ઉચ્ચારો દ્વારા સિધ્ધ્ થઈ ગયું છેં આ દેશનો ગૃહ્પ્રધાન એક કરતાં વધારે વાર બેફામ અને બીન જવાબદાર અને આવા દરેક આતંકવાદી હુમલા બાદ એક જ પ્રકારના નિવેદનો માટે તથા વારંવાર કપડાં બદલવા માટે જાણીતા થઈ ચૂકયા છે. તો મહારાષ્ટ્રના ગૃહ્પ્રધાન એવું બેફામ નિવેદન કરે છે કે મોટા શહેરોમાં તો આવા નાના છમકલા થયા કરે ! અને મુખ્યપ્રધાન પોતાના નામ પ્રમાણે જ વિલાસમાં રચ્યા પચ્યા રહે અને બધુ જ્યારે થાળે પડી જાય ત્યારે પોતાના પુત્રો અને તેમના મિત્રો સીનેમાના ડાયેરક્ટર સાથે જાણે સાઈટ સીઈંગમાં નીકળ્યા હોય તેમ તાજ હોટેલની મુલાકાત લે. અને એવું નિવેદન પણ કરે કે હું મારા કાફલામાં સાથે આવેલા રામ ગોપાલ શર્માને ઓળખતો નથી.. અર્થાત આટલા ગંભીર આતંકવાદી હુમલા પછીના માહોલમાં પણ જો કોઈ અજાણ વ્યક્તિ ઘુસી જઈ શકતી હોય કે જેમને મુખ્યપ્રધાન જાણતા ના હોય તો સામાન્ય સંજોગોમાં તો કદાચ તેમની ચેમબરમાં કોઈ ઘુસી જાય અને તેમને પણ ઠાર કરે તો કોઈ એ આશ્ચર્ય નહી પામવું જોઈએ. અને વિચિત્ર અને નવાઈ જેવી વાત તો એ છે કે આજ હોટેલના માલિક રતન ટાટાને સીક્યુરીટીને નામે હોટેલમાં પ્રવેશ માટે 2 કલાક કરતાં પણ વધારે સમય રાહ જોવી પડે.!!!! વાહ ! સીક્યુરીટી અને વાહ વિલાસ રાવ !!!!!

*** આ ઉપરાંત કેરળના મુખ્યપ્રધાનના ઉચ્ચારણો પણ તેમના હોદાને કોઈ ગરીમા આપતો નથી. તેમના ઉચ્ચારણો એકદમ હલકી કક્ષાના તેમના માનસનુ આબેહુબ પ્રતિબિંબ છે. એ દર્શાવે છે કે દેશ માટે શહીદ થતાં સૈનિકો માટે આવા થઈ પડેલા નેતાઓ કેટ્લું માન કે આદર ધરાવે છે ?

*** એવો દાવો કરવામાં આવે છે કે આ દેશના અત્યંત બુધ્ધિશાળી લોકો પશ્ચિમ બંગાળ અને કેરાલામાં જ વસે છે. અને જ્યારે આ બુધ્ધિશાળી લોકોની બુધ્ધિ અતિ ક્રમી જાય છે ત્યારે પાગલપણામાં પલટી જતી હોય છે. એવું જ કંઈક કેરાલાના મુખ્યપ્રધાને સંદીપ ઉન્નીક્રિષ્નન કે જે મુંબઈ બ્લાસ્ટમાં શહીદીને વર્યો છે તેમના પરિવારને સાંત્વના આપવા તેમના ઘરે જતા પહેલાં, કૂતરાઓની સ્ક્વોડ સલામતી ચેક માટે મોક્લેલી ,અને આ કૂતરાઓને જોઈ સંદીપના પિતાએ અમારે કોઈ રાજકારણીઓના આશ્વાસનની જરૂર નથી કૃપા કરી આપ તાત્કાલિક અમારું ઘર છોડી જાવ તેમ કહેતા આ કહેવાતા બુધ્ધિજીવીની બુધ્ધિ અતિ ક્રમી ગઈ અને કહ્યુ કે આ સંદીપ મરાયો છે માટે હું અહીં આવ્યો છું બાકી કોઈ કૂતરો પણ તમારા ઘરે ના ઢુકે !!! અને આવા અભદ્ર અવિવેકી અને તદન હલ્કી કક્ષાના ઉચ્ચારણો માટે દેશભરમાં સખત ટીકાઓ થઈ ત્યારે પણ આ પાગલપણામાં પહોંચી ગયેલ મુખ્યપ્રધાને માફી માંગવાનો ધરાર ઈંકાર કર્યો અને જ્યારે પક્ષના વડા મી. કરાટે આવા અભદ્ર અને મુખ્યપ્રધાન્ ના હોદાની ગરિમાને હલ્કા પાડ્તા ઉચ્ચારણો માટે મુખ્યપ્રધાન વતી ખેદ વ્યકત કર્યો ત્યાર્ બાદ પણ આ પાગલ મુખ્યપ્રધાને ધારાસભામાં મારા કોઈ ઉચ્ચારણોથી જો કોઈ વ્યકતિને દુખ પહોચ્યું હોય તો હું એ માટે ખેદ વ્યકત કરું છું તેવું નિવેદન કરેલું. ઉપરોક્ત બનાવ આ નફ્ફ્ટ અને નીચ રાજ્કારણીઓ સામાન્ય આમ જનતાને કેટ્લે અંશે ક્ષુલ્લ્ક ગણે છે તેનો પુરાવો છે.

*** એ ભૂલી જાય છે કે તેમનું રક્ષણ કરતાં રક્ષકો-કમાંડો –પણ તેવીજ કેટેગરીમાંથી આવતા હોય છે અને તેમના જ સાથીઓ માટે કરવામાં આવતા આવા અભદ્ર અને અસંસ્કારી ઉચ્ચારણૉ તેમનુ દિલ અને લાગણી દુભવી શકે છે અને ક્યારેક જો સહન શક્તિની હદ વટાવી જશે તો રક્ષણ માટે આપેલા હથિયાર ક્યાંક ભક્ષક ના બની જાય !

*** આવા બનાવો માટે મોટે ભાગે કુશળતા પૂર્વક જવાબદારી નહિ નિભાવવા માટે કોઈ અધિકારી-બકરો -શોધી કઢાય છે અને તેના ઉપર દોષનો ટોપલો નાખી બધું ભૂલવાડી દેવામાં આવતુ હોય છે. ત્યારે એક પ્રશ્ન ઉપસ્થિત કરવાનુ મન થાય છે. આપણે ઉપરના પારામાં જોયું કે રાજ કર્તાઓની નિષ્ફળતાને હંમેશા નજર અંદાઝ કરી વધુમાં વધુ સજા રાજીનામું દેવડાવાથી વિશેષ કંઈ થતું નથી. આવા રાજ કર્તાઓ સામે અસરકારક રીતે ઉતરદાયિત્વ નહિ નિભાવા માટે ફોજ્દારી ગુન્હો ગણી સજા શા માટે ના કરી શકાય ? આજના કાયદાઓ જો આ માટે પર્યાપ્ત ના હોય તો નવા કાયદાઓ આ માટે લાવવા જોઈએ જેથી રાજકર્તાઓ દરેક ક્ષણે સભાન રહે કે તેમને જે કાંઈ હોદાઓ આપવામાં આવેલા છે તેના અમલની જવાબદારી તેમની જ છે અને તે જો અસરકારક રીતે નહિ નિભાવવામાં આવે તો અન્ય અમલદારો સાથે તેમને પણ આકરામાં આકરી –ફાંસી સુધીની-સજા થઈ શકે છે. જાણવા મળ્યા પ્રમાણે આંતકવાદીઓનો સામનો કરી રહેલ ફોજ પાસે તદન હલકી કક્ષાના અને એક્ષ્પાયરી ડેટ વીતી ચૂકી હોય તેવા હથિયારો અને દારૂ ગોળો હતા અને એ તો જાણીતી વાત છે કે હથિયારોના ઓર્ડર જે તે ખાતાના મંત્રીશ્રીની મંજૂરી પછી જ આપી શકાતા હોય છે. અને તો આ કિસ્સામાં આજ સુધી કોઈ મંત્રીનુ ઉતરદાયિત્વ નક્કી કરી આટ્લી ગંભીર પ્રકારની બેદરકારી દાખવવા માટે હકાલપટી પણ થઈ હોય તેવું જાણવામાં નથી. અને તો અન્ય પ્રકારના પગલાંની તો કોઈ સંભાવના જ ના હોઈ શકે ને ?

*** આ ક્ષણે પણ મને શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીનું સ્મરણ થઈ આવે છે. તેઓ જ્યારે રેલ્વે પ્રધાન હતા અને રેલ્વેનો એક અકસ્માત થયેલો અને તેજ ક્ષણે તેઓએ તત્કાલીન વડાપ્રધાન સમક્ષ પોતાની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધેલું. આવા ચારિત્ર્યશીલ અને મુલ્યનિષ્ઠ રાજકર્તાઓને હવે ક્યાં શોધવા ? ઉપરોક્ત બ્લાસ્ટ પછી એક પણ પ્રધાને રાજીનામું આપવાને બદ્લે હું શા માટે રાજીનામું આપું તેવો હું કાર કરેલો તે પ્રજાએ સાંભળેલું છે અને ટીવીમાં જોયું પણ છે.તેમ છતાં જ્યારે લોકોનો જ્વાળામુખી ફાટ્યા જેવો રોષ જોઈ હાઈકમાંડે રાજીનામા આપવાનો હુકમ કર્યો ત્યારે નૈતિકતાની વાતો આડી ધરી લોકોને મુર્ખ સમજી નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામાં (?) આપતા હોવાનો ડોળ અને દંભ કરી રહ્યા.અરે ભાઈ ! જો તમારી નૈતિક જવાબદારી હતી તો આ બનાવ બન્યો કે તુરતજ રાજીનામા કેમ ના આપ્યા ? તમારી નૈતિક જવાબદારીનુ ભાન તમને અન્ય કોઈ કરાવે ત્યારે જ થાય એટ્લા તમે અજ્ઞાન અને અબુધ છો ? ના આપ તો એક નંબરના મોટા તકવાદી અને નફ્ફ્ટ-નઠોર અને નગ્ન અને દંભી અને તદન નીચ કક્ષાના માનવી છો કે જે પોતાની આકાંક્ષા પૂરી કરવા પોતાની મા કે સંતાનોના સોદા કરી શકતા અચકાય નહિ અને જરૂર પડ્યે તેમની લાશ ઉપરથી પોતાના લક્ષ્ય સુધી પહોચવાનો માર્ગ કંડારી શકો એટલા લાગણીશૂન્ય અને સંવેદન હીન છો.

*** જ્યારે બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબાર થતા હતા ત્યારે આ રાજકર્તાઓમાં કોઈ એવો માઈનો પુત નહિ હતો કે તે બનાવના સ્થળે પહોંચી વ્યુહ રચના કરી લડત આપતા આપણા જવાનોનો હોંસલો બઢાવે.

*** મુંબઈ બ્લાસ્ટ પછી અમેરિકાના વિદેશ પ્રધાન તુરતાતુરત અહીં દોડી આવ્યા શા માટે ? રખે માનતા કે તે આપણા હિતના રક્ષણ માટે દોડી આવ્યા હતા. દુનિયા આખી જાણે છે કે અમેરિકા જેવું સ્વાર્થી અન્ય કોઈ નથી. તેમના દોડી આવવા પાછળ તેમના સ્વાર્થ સિવાય કોઈ કારણ ના હોઈ શકે તેટ્લું પણ આપણા આ તાણી કાઢેલા રાજકર્તાઓ સમજતા નથી અને તેમની જી હજુર કહી કુરનીશ બજાવી રહ્યા. આની સામે શાસ્ત્રીજીના સમય દરમિયાન અને ઈંદીરાજીના સમય દરમિયાન પાકિસ્તાન સાથે થયેલા યુધ્ધને વિષે થોડું પણ જાણે છે તેમને યાદ હશે કે આ બંને હસ્તીમાંથી કોઈએ પણ અમેરિકા કે અન્ય સત્તાની પરવા કરી નહિ હતી કારણકે બંનેને મન આપણો દેશ અને રાષ્ટ્ર પોતાની જાત કરતાં પણ વહાલા હતા.અનેક દેશોના દબાણની પરવા કર્યા વગર બંને એ પાકિસ્તાન ઉપર પૂરેપૂરો વિજય મેળવીને જ જંપ્યા હતા

*** ત્યારે આજના આ નેતાઓ યુધ્ધ કરવાની વાતો કરે છે ત્યારે મને અમે અમારી શાળાના દિવસોમાં એક નાટક ભજવતા તેનો એક સંવાદ યાદ આવે છે. જેમાં વ્યંગોક્તિ કરી નાયક કહે છે કે પેલા ખલનાયક જે મોટી મોટી વાતો કરતો હતો તેણે ખરેખર યુધ્ધ દરમિયાન જે પરાક્રમ કર્યુ તેનો ઉલ્લેખ કરતા કહે છે કે તલવાર ઉપાડી ………. દૂધીનું ડીટ્યું જ કાપ્યુ ! આપણાં રાજકર્તાઓ તો કદાચ દૂધીનું ડીટ્યું કાપવા પૂરતા પણ શુરવીર નથી રહ્યા.

*** આપણા દેશના નેતાઓ તો એટ્લા નપાવટ છે કે જો ઓલમ્પીકમાં નફ્ફટાઈ કે નીચ કક્ષાની હરિફાઈ રખાય તો આ નેતાઓને જ તમામ ચંદ્રકો મળે. આ તબક્કે મને ગુજરાત સમાચારમાં રવિવારની પૂર્તિમાં આવતો એનકાઉંટરના વિભાગમાં વાંચેલો એક સવાલ અને તેનો અપાયેલો જવાબ યાદ આવે છે. સવાલોના જવાબો હાસ્ય લેખક -અશોક દવે- આપે છે. એક વાચકે થોડા સમય પહેલા આ વિભાગમાં એક સવાલ પૂછેલો કે આપણા દેશના વડાપ્રધાન મનમોહન સિઘ છે આપને આ વિષે શું કહેવું છે ? જવાબમાં અશોક દવે એ કહેલું કે આપને માટે વડાપ્રધાન હશે મારે માટે તો સરદારજી છે.અને કદાચ એ જ વાસ્તવિકતા છે.

*** કહે છે કે મુંબઈ બ્લાસ્ટ પછી વડાપ્રધાને રાષ્ટ્ર જોગ વાયુ પ્રવચન કરેલું. અને તેમ છતાં કોઈ પણ મીડીયાએ ટીવી કે સમાચાર પત્રોએ તેની નોંધ પણ લીધી હોય તેવું મને યાદ નથી. અર્થાત આ વાયુ પ્રવચન કેટ્લું નિરસ અને નિરાશાજનક હશે તેનો વિચાર કરતા પણ ધ્રુજી જવાય છે.આમે ય તેઓ શું બોલે છે તે સમજવું ખૂબ જ કઠિન શ્રમ માંગે છે કારણ કે શબ્દો દાઢીની બહાર આવવા આના કાની કરતા હોય તેવું જણાય છે.

*** મને તો ભય છે કે કદાચ આ આતંકવાદીઓ તેમનું લક્ષ્ય ચૂકી ગયા છે.આમેય કેટ્લી સંખ્યામાં હતા તેની કોઈ ચોક્ક્સ જાણકારી આજ સુધી ઉપ્લબ્ધ થઈ શકી નથી અને તે માટે આપણાં ગુપ્તચર વિભાગના અમલદારો અને તેના પ્રધાનને શામાટે જવાબદાર ના ઠરાવવા ? માત્ર સંસદમાં જાહેર માફી માંગી છૂટી પડાય તેવી આ સામાન્ય ઘટ્ના નથી જ્.સંખ્યા ચોકકસ કરવાની અત્યંત અનિવાર્ય આવશ્યકતા ગણાવી જોઈએ. કારણકે આપણે ભૂલવું નહિ જોઈએ કે સંસદ ઉપર હુમલો કરનાર મુખ્ય આતંકી અફઝ્લને હજુ ફાંસી દેવાની હિમત આજ ના રાજકર્તાઓએ મેળવવાની બાકી છે અને તેમની મહેરબાનીથી જ હજુ જીવીત છે અને આમ જનતાના પરસેવાના પૈસાથી ચૂકવાયેલા કરવેરાની રકમથી અને આ નપાવટ અને નપૂંસક રાજકરતાઓની મહેરબાનીથી જેલમાં તમામ આધુનિક સગવડો ભોગવી ચમન કરી રહ્યો છે. આ આતંકવાદીઓનુ મૂળ લક્ષ્ય દેશી-વિદેશી નાગરિકોને બાન પક્ડી બદલામાં અફ્ઝલને મુક્ત કરવાની વ્યુહ રચના પણ હોય તો આશ્ચ્રર્ય નહી થવું જોઈએ. અને જેમ ભાજપની સરકારે ખાસ વિમાન દ્વારા આતંકવાદીઓને મુસાફરોની સલામતી માટે મુક્ત કરેલા તેવો જ કદાચ રોલ ભજવવાની આ સરકારમાં બેઠેલા ખેરખાંઓ- અમે પણ ભાજપથી નીચા નથી –નો અભિગમ હોય તો નવાઈ નહિ પામવાની. અને આ સંદર્ભે જ ખરેખર કેટલી સંખ્યામાં આતંકવાદીઓ આવેલા તે ચકાસી લેવું જ રહ્યુ.આપણાં રાજકર્તાઓ પાસેથી જો કે આવી અપેક્ષા રાખવી વધારે ગણાય જશે તેમ ધારું છું.

 

*** આવા નપુંસક-નપાણિયા-નફ્ફટ્-નક્ટા અને નીચ રાજકર્તાઓથી આ દેશના લોકોને છૂટવા માટે શું કોઈ ઉપાય જ ઉપલબ્ધ નથી ? મને જે કેટ્લાક સુજાવો સુઝે છે તે અહિં જણાવું છું .

*** મારા સુજાવો જણાવું તે પહેલા મારે અમદાવાદથી પ્રસિધ્ધ થતાં સાપ્તાહિક અભિયાન ને તેના 13 ડિસેમ્બર 2008 ના અંકમાં એક પણ રાજકર્તાઓના ફોટા નહિ છાપી જે રોષ પ્રગટ કર્યો છે તે માટે અભિનંદન પાઠ્વુ છું.

*** આ ફોટા નહિ છાપવાની રસમને જ આગળ વધારી શકાય્. આમેય જોઈએ તો રાજકર્તાઓને મોટા તો મીડીયા- ટીવી કે સમાચાર પત્રો -જ્ બનાવે છે .અવારનવાર તેમના નામ અને ફોટાઓ પ્રસિધ્ધ કરી કે ટીવીમાં તેમના ચહેરાઓ દેખાડી લોકોના મન ઉપર જેમ જાહેરાતોનો પ્રભાવ જાણ્યે-અજાણ્યે પડે છે તે જ રીતે આવા રાજ કર્તાઓને જોઈ લોકો તેઓને મોટા માનવા દોરાય જતા હોય છે..પ્રસિધ્ધિની અમર્યાદિત ભૂખથી આ રાજકર્તાઓ પીડાતા હોય છે. અને જો આજ બંધ કરીદેવામાં આવે તો ?

*** આ માટે દરેક મીડીયાએ એક આચાર સંહિતા બનાવવી જોઈએ જેવી કે કોઈ પણ યાદી-સમાચાર સ્વરૂપે- સરકાર તરફથી કે અન્ય રાજ્કીય પક્ષ કે કોઈ પણ રાજકર્તાઓ તરફથી પ્રસિધ્ધિ માટે આવે ત્યારે કોઈ રાજકર્તાના નામ નો ઉલ્લેખ ટાળી માત્ર હોદાનો જ ઉલ્લેખ્ કરવા નો રહે. જેમ કે મુખ્ય મંત્રીના નામ જોગ લખવાને બદલે તેમના હોદાનો જ ઉલ્લેખ થાય. રાજકારણીઓ તરફથી પ્રસિધ્ધાર્થે મળતી કોઈ પણ યાદી તમામે તમામ મીડીયામાં નામના ઉલ્લેખ વગર માત્ર હોદાના ઉલ્લેખ સાથે જ પ્રસિધ્ધ કરવાની આચારસંહિતા જો તમામ મીડીયા સ્વીકારે તો ટુંકા સમયમાં આ રાજ્કર્તાઓની શાન ઠેકાણે આવે તેમ મારું માનવું છે.

*** મીડીયા ઉપરાંત લોકોએ પણ સામાજીક બહિષ્કાર કરવો રહ્યો. અર્થાત કોઈ પણ પ્રકારના સામાજિક્ ધાર્મિક્-કે અન્ય કોઈ સમારંભો / અધિવેશનો /સભાઓ /કે નાના મોટા કાર્યક્રમોમાં રાજકર્તાઓ કે રાજ કારણીઓને નિમંત્રવાની કેટલાક વ્યક્તિગત કે સંસ્થાકીય લોકોને આદત પડી ગઈ છે- તે આમૂલ રીતે સમૂળગી બદલાવી આવા કોઈ પણ પ્રકારના સમારંભોમાં નિમંત્રણો આપવાનું બંધ કરવાનું સૌએ એક મતિ થી સ્વીકારવુ રહ્યુ. સરકારી સમારંભો કે જ્યાં હાજરી સરકારી હોદાને કારણે ફરજીયાત બનતી હોય ત્યાં પણ શક્ય હોય તેટલા નિષ્ક્રિય થઈ ભાગ લેવો. જ્યારે રાજકર્તાઓ કે રાજ્કાર્ણીઓ સભા-સરઘસના આયો જન કરે ત્યારે તેમાં હાજર રહેવાનું મહેનતાણું મળવાનું હોય તો પણ બહિષ્કાર કરી હાજરી આપવાનું ટાળવું.શક્ય છે કે આવા અંતિમ નિર્ણયથી સૂકાં સાથે કોઈ લીલા પણ બળી જાય પણ જો મૂળમાંથી સમૂળગું પરિવર્તન લાવવા આપણે મકકમતાથી કટિબધ્ધ હોઈ એ તો આવા કેટલાક તરફ અનિવાર્ય કેસ્યુલટી ગણી ભૂલી જવું જ રહ્યુ. મોટા ભાગના લોકોના હિત અને કલ્યાણ માટે કેટ્લાક સારા લોકોનો ભોગ પણ લેવાઈ જતો હોય છે.

*** દેશભરના દરેક શહેરો અને ગામડાઓની સોસાયટીઓ અને શેરીઓના પ્રવેશ દ્વાર ઉપર દરેક નાગરિકના ઘરના પ્રવેશદ્વાર ઉપર રાજકારણીઓને પ્રવેશ નથી તેવા સાઈન બોર્ડ મુકાવા જોઈએ

 

*** આ ઉપરાંત એક ખુબજ અને મહત્વપૂર્ણ નિર્ણય કરવાની પણ ઘડી આવી ચૂકી છે અને જે માટે લોક મત ખૂબજ ઉગ્ર અને મક્ક્મતાથી રજૂ કરી જરૂરી કાયદાઓ બદલાવાની સમયની માંગ છે.

*** કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારના હોદા ઉપર બે મુદતથી વધુ સમય ના રહી શકે .પછી ભલે તે હોદો પંચાયતના સભ્યનો હોય કે દેશના ઉચ્ચતમ હોદાઓ જેવાકે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો હોય્. અને એક્વારની મુદત ચાર વર્ષથી વધારે નહિ હોવી જોઈએ. અર્થાત કોઈપણ વ્યક્તિ કુલ આઠ વર્ષથી વધારે મુદત માટે એકના એક હોદ ઉપર ચાલુ ના રહી શકે.

*** આપણા સૌનો અનુભવ છે કે આપણા દેશમાં કોઈ પણ જાતની પ્રવૃતિમાં જોડાયેલ વ્યક્તિ જો કોઈ હોદો ગ્રહણ કરી લે તો કયારેય છોડ્વો ગમતો નથી. સિવાય કે હોય તે કરતા ઉચ્ચ હોદો મળતો હોય્ આવી સંસ્થાઓ સામાજીક –ધાર્મિક્-રાજ્કીય-ટ્રેડ યુનિયન- સંપ્રદાય કે અન્ય પ્રકારની પણ હોય શકે. મોટાભાગના હોદેદારો મૃત્યુ સુધી આ હોદાઓ છોડતા હોતા નથી. આપણા રાજકર્તાઓ ની ઉમર અન્ય દેશના રાજકર્તાઓ સાથે સરખાવો એટ્લે આપોઆપ ફેર દેખાય આવશે. મારા મતે તો એ સમય આવી ગયો છે કે આ તમામે તમામ 60 વર્ષ્ ઉપરના ને હવે હાંઉ કરવાનું કહી દેવું જોઈએ. અને તમામે તમામ પક્ષો-સંસ્થાઓમાંથી નિવૃત કરી દેવા જોઈએ. મને આ તબક્કે સ્વતંત્રતાની લડત સમયે ગાંધીજીએ અંગ્રેજોને QUIT INDIA ની હાકલ કરેલી ત્યારે કહેલું અમને અમારા નસીબ ઉપર છોડી દો, અમારુ જે થવું હોય તે થાય ,આપ ટળો આપણે પણ આ તમામે તમામ બુઢિયા રાજકર્તાઓને –રાજકારણીઓને આ જ શબ્દો કહી દેવાનો સમય આવી ગયો છે. આપણે જોઈએ છીએ કે આ બુઢાઓ પોતાની જાતે નથી ઉભા રહી શકતા કે નથી ચાલી શક્તા ,નથી સાંભળી શક્ર્તા ,તો કેટ્લાક નથી દેખી શક્તા ,તો પોતની જાતે વિચારી તો ક્યાં થી શકતા હશે ? મારું તો સ્પષ્ટ અને ચોક્ક્સ પણે માનવું છે કે આ દેશનું સુકાન જુવાનીયાઓના હાથમાં નહિ સોંપાય ત્યાં સુધી આ દેશે અવદશા ભોગવવાની રહેશે અને આંતર્-રાષ્ટ્રિય ધોરણે પણ સ્વમાનના ભોગે સમાધાનો સ્વીકારવા પડ્શે.

*** હમ સબ એક હે તેવા માત્ર નારાઓ વડે નહિ તો આંતકવાદીઓ ને હુમલા કરતા અટ્કાવી શકાય કે નહિ તો આ નપાવટ-નીચ્-નફ્ફટ –નક્ટા-અને અનિર્ણાયક અત્યંત સ્વાર્થી-લાલચુ અને ભ્રષ્ટાચારી રાજકર્તાઓ અને રાજકારણીઓથી છેડો ફાડી શકાય. એ માટે તો આવશ્યક છે મકક્મ નિર્ધાર.

*** હાલમાં જે જુવાળ ગેટ્-વે-ઓફ-ઈંડિયા પાસે સમૂહમાં કેંડલ પ્રગટાવી પ્રકાશ પ્રગટાવાયો , સામૂહિક શપથ લેવાયા કે લેવાય રહ્યા છે ,સાંકળ બનાવી અદભૂત એકતાનું દર્શન મુંબઈ ગરાઓએ કરાવ્યું . આવો જ આક્રોશ દેશના ખૂણે ખૂણેથી સ્વંયભૂ બુલંદ બની રહેવો જોઈએ અને આ બુલંદી અવાજ જ આજના આ સત્તાધીશોની શાન ઠેકાણે લાવવા સમર્થ થશે. આ અને આવા અન્ય માર્ગો દ્વારા મુખ્ય ઉદેશ્ તો આમ જનતાનો આતંકવાદ તરફના રોષ કરતાં પણ વધારે તો આ રાજકર્તાઓની ગુન્હાહિત નિષ્ક્રિયતા જ છે તેમ મારું દ્રઢ માંનવું છે. આ રોષ ,આ ક્રોધ ,જો સમય સર અને વ્યવસ્થિત્ રીતે ચેનેલાઈઝ નહિ કરવાંમાં આવે તો આમ જનતામાં આવનારા દિવસોમાં ભયંકર હતાશા ફરી વળશે તેવો ડર લાગ્યા કરે છે. આ રોષ અને ક્રોધ કોઈનો પ્રેરાયો નથી. આ સ્વ્યંમ્ભૂ છે અને બહુજ થોડા સમય બાદ માનો કે 3-4 માસમાં જ ચૂટણીઓ આવી રહી છે અને ત્યાં સુધી આ રોષ અને ક્રોધ ભભૂકતો જ રહેવો અત્યંત આવશ્યક છે તે વાત દરેક દેશવાસીઓ એ બરાબર સમજી લેવાની રહે છે. આ તબક્કે મને ગુજરાતમાં થયેલા નવ્-નિર્માણ આંદોલનની યાદ આવે છે અને તે પણ સ્વંયભૂ જ પ્રગટેલુ અને રાજકર્તાઓમાં પરિવર્તન આવેલુ. પરંતુ આ શક્તિનું યોગ્ય સમયે વ્યવસ્થિત ચેનાલાઈસ નહિ થતાં તેના જે ફળ ગુજરાતને મળવા જોઈતા હતા તે વેડ્ફાઈ ગયા . માટે હાલનો જે જુવાળ્ મુંબઈમાં લોકેલાઈસ્ડ થઈ ગયેલો જણાય છે તેને સમ્રગ દેશમાં વ્યાપક રીતે ફેલાવવા તમામ સાધનો કામે લગાડવાના રહે. આ કામ મીડીયા અદભૂત રીતે કરી શકે. કરી શક્શે ? કારણ ટીરપી , સરકારમાં બેઠેલા રાજકર્તાઓનોની વગ ,અને ભય , અન્ય સ્ત્રો કે જે પણ આ પ્રકારની ઝૂબેશમાં સક્રિય રીતે જોડાય તેને જાહેરાતો અને અન્ય સવલતોથી વંચિત કરી દેવા વગેરે અનેક પ્રકારના અનેક ખૂણાઓમાંથી દબાણૉ ઉભા કરી આવી પ્રવૃતિમાં જોડાતા રોકવા માટે યેન કેન પ્રકારેણ કોશિષો થવાની પૂરી સંભાવનાઓ છે. અને ત્યારે જ આ દેશના યુવાનો અને યુવતીઓએ આગેવાની લઈ મશાલચી બની એકતાનો અવાજ એવો તો બુલંદ બનાવો રહ્યો કે આતંકવાદીઓ અને દિલ્હી દરબારમાં બેઠેલા તમામ રાજકર્તાઓ અને અન્ય રાજ્કારણીઓ હચમચી જવા જોઈએ. આ જુવાળમાં આવા સર્વે તક્વાદીઓ-નીચ્-નફ્ફ્ટ-નપાવટ અને હલકા-ભ્રષ્ટાચારીઓ-ને પોતાનો કાળ આવ્યાની પ્રતીતિ થવી જોઈએ. જ્યાં સુધી સમૂળી ક્રાંતિ નહિ થાય અને છેક નીચેના સ્તરેથી આવી ચળવળ માટેની તૈયારી અને થાક્યા સિવાય મચ્યા રહેવાની સભાનતા અને ખપી જવાની ખુમારી પેદા નહિ થાય ત્યાં સુધી આતંકવાદીઓ અને આ રાજકર્તાઓ આમ જનતાનો એક ય બીજી રીતે શોષણ કરતાજ રહેશે.

*** એક વાત સ્પષ્ટ રીતે સમજી લેવાની રહે છે કે રક્ષા કરવા કોઈ ઉપરથી નહિ ઉતરી આવે.આપણે જ આપણો કૃષ્ણ શોધવાનો છે.અને મને શ્રધ્ધા છે કે આપણાં દેશના યુવાનો/યુવતીઓ જેમ સમુદ્ર મંથન થયેલુ તેવું જ આ ચળવળ દરમિયાન યુવા ધનનું થશે અને અધર્મના નાશ માટે અને ધર્મની સંસ્થાપના માટે આ યુવાધનમાંથી જ કોઈ કૃષ્ણ પગટ્શે.

*** અને આ બંધ કરાવા અને કાયમ માટે આતંકવાદીઓથી અને આજના આ રાજકર્તાઓ અને રાજ કારણીઓથી રક્ષણ મેળવવા કરવાની રહે છે તલાશ એક મર્દની કે જે આ દેશને , આ દેશના લોકોને , આવા નમાલા ,નફ્ફટ, નીચ ,હલકા અને નપુંસક અને એક નંબરના સ્વાર્થી રાજકર્તાઓથી આવનારા દિવસોમાં બચાવી નિર્ભય બનાવી સ્વમાન ભેર જીવતા શીખવાડે. આપનો શું મત છે ?

૳૳૳૳૳૳૳ ##### મળશે કોઈ આવો મર્દ આપણા આ દેશને !!! ????? ##### ૳૳૳૳૳૳૳

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

8 comments

  1. Very Nice ! I am waiting to your next edition, when u publish it?
    PLease write about our present problem about how we are facing it?
    Please write for a detil life of Mumbai cop And RPF.
    They are honest or ?
    Please, write about Mumbai Mahnagar Palika’s (BMC) Employee are such a doing his work honestly ?

    Like

  2. VAH KAKA KHUBNAJ SARAS LAKHYU CHE ANE LAKHTA PAN REJO
    PAN YUDDH KARAVA MATRE SENA JOVE PACHI BIJU BADHU ANE INDIAN ARMY MA GUJRAT NA KETLA JUVANO CHE 2 THI 5% KADACH. KHALI AVU BADHU VACHE KE LAKHE KASHUJ NAHI THAY AAPSA DAR 1 GHAR DITH 1 JUVAN LASHKAR MA HOVO J JOIYE TEVO PAN KAYDO LAVAVO JOIYE.
    AA ATANKWADIO BHARAT MA HUMLA KARE CHE TEMA TENO JETLO VAK CHE TENA KARTA 1000 GANO VAK AAPDA BHARTIYO NO CHE K J AAVA AATANKWADIO N AMUK LOBH MA AAVI NE MADAD KARE CHE ANE TE KAI NAVU NATHI JYARE ANGREJO NI SATTA HATI TYARE PAN AAVA DESHDROHI BHARTIYO HATA J ANE JYA SUDHI AAVA HINDUSTANI DESHDROHI NO SAFAYO NAHI KRAVA MA AVE TYA SUDHI AVA HUMLAO BANDH PAN NAHI J THAY MARD BANVA KARTA PAN LOBH MUKTA BANVU KADACH VADHRE JARURI CHE ANE JYARE AAPDA J BHAIYO AAPDI MARE NE TYRE VADHRE DUKHTU HOY CHE ANE TABIYAT SACHVJO KEMKE TAMARA JEVA VADILO NI DESH NE AMARA JEVA YUVANO NE JARUR CHE.
    JAI HIND,
    JAI GUJRAT,

    Like

    1. ભાઈશ્રી પરાગ
      આપે મારા બ્લોગની મુલાકાત લિધી અને આપનો પ્રતિભાવ પણ લખ્યો તે માટે આભાર્ મારા બ્લોગ ઉપર વિવિધ વિષયો ઉપર મે મારાં વિચારો પ્રદર્શિત કર્યા છે અને અવાર નવાર લખ્તો રહુ છુ તો મુલાકાત લેતા રહેશો તો મને ખૂબ આનંદ થશે અને પ્રોત્સાહન પણ મળશે. મર્દ પણ મળી રહેશે તેવી મને શ્રધ્ધા છે કારણ એક અવાજ રાજ્કર્તાઓની અનિર્ણાયકતા અને અને નિષ્ક્રિયતા સામે ઉઠી રહ્યો છે તે વધુ અને વધુ બુલંદ બનતો જશે.મુંબઈ બ્લાસ્ટ ઉપર થોડા વધારે વિચારો 2-3 દિવસમાં મૂકી રહ્યો છુ. હાલમાં નરમ તબિયતને કારણે વધારે સમય લખી શકાતું નાહોય થોડો સમય લાગશે.
      ફરીને આભાર અને આપના પ્રતિભાવોની અપેક્ષા સાથે
      આપનો
      અરવિંદ

      Like

  3. dearsir,
    thanks for this article
    ava 1 mard che shree NARENDRA MODI k jene aatankwad ne padkaryo ane yoganuyog gujarat ma pan bomb blast thya jivtabomb pan pkdaya ane shu thayu loko a kahyu ke narendra modi sahebe padkar kryo atle bomb blast thaya mate kadach have te aavu nahi karta hoy. apdne badha ne avu che ke kai karvu pan nahi ane karva devu pan nhi ane rahi vat praja ni to te bhulakni che j jeni darek ne khabar pan che exemple. aasharambapu ne have kon yad kare che jena santan bhog banya hata teni sivay.2.gujrat na bombblast ane aapde gujrati smaje to badhu bhuli j javu joiye kemke aapdi upar ishwar na 4 hath che mate aapne kashu j nathi thavanu nathi aapde koi moti kudrati honarat joi nathi ladai joi nathi kranti joi ane kai jovu pan nathi kemke aemathi paisa(MONEY) NATHI MALVANA ane jema ropiyo na hoy tya gujarati pan na hoy jemke armi,nevy,airforse, kamando,ke ava koi pan kam ke jema gam khali GAM K CITY pan mukvu paade tevu kashu j aapde karat nathi mate aapde koi a aavi kranti ni vat karay pan nahi ane visharay pan nahi.rah jovo koi nava samachar ni k jaene vachi ne maja mani sakay.karan ke gujrat ma ahamdabad,baroda,surat jeva city ne bad karata bombblast pan kyay thva na nathi ane jya sudhi mara ane tamara 25-50 saga vahala ava humla ma marse nahi tya sudhi aapde mard j chiye
    mari vat koi ne khoti lagati hoy to koi vandho nahi. pan marava mate marvu pade avu me kyak vachyu che.

    ARVIND KAKA TME LAKTA J REJO

    THENKS.

    Like

    1. આભાર ભાઈ તેજસ આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપનો પ્રતિભાવ પણ લખ્યો.આપ્ મરાં અન્ય વિષયો ઉપરના વિચારો પણ વાંચજો અને આપન પ્રતિભાવ દરેક ઉપરના લખશો તો મને પ્રોત્સાહન મળતું રહેશે. એક વાત તો નક્કી જ છે કે જ્યાંસુધી મક્ક્મ નિર્ધાર અને ઠોસ આક્રમતા દેશ્વાસીઓમાં નહિ આવે ત્યાં સુધી આમ જ ચાલ્યા કરવાની પૂરેપૂરી દહેશ્ત રહે છે. એટ્લું જ નહિ આપણે ગુજરાતીઓ પણ સૌ પ્રથમ ભારતિયો છીએ તે ભૂલ્યા વગર આપણી માનસિકત બદાલાવવાનો સમય આવી ગયો છે. એક બીજી વાત નરેંન્દ્ર મોદી ગુજરાતી જ છે તેમની પાસેથી પ્રેરણા લેવી રહી અને તેમના જેવી આક્રમકતા અને દ્રધ્ધ નિર્ણયાકતા પણ કેળવવી જ રહી.
      ફરી ને આભાર્ આપના પ્રતિભાવોની અપેક્ષા સાથેમુબઈ બ્લાસ્ટ ઉપર વધારે વિચારો લખી રહ્યો છુ તે 3-4 દિવસમાં બ્લોગ ઉપર ઉપલબ્ધ થશે.હાલમાં નરમ તબિયતને કારણે લાંબો સમય લખી શકાતું નથી.
      આપનો
      અરવિંદ્

      Like

  4. મુરબ્બી શ્રી અરવિંદભાઈ,
    હું ‘અભિયાન’માં કોપી એડિટર છું. તમારો ઇમેઇલ મળ્યો અને તેના દ્વારા મળી આ લિંક. આ બ્લોગપોસ્ટ (26 નવેમ્બર અંગેની) વાંચ્યો. ખૂબ જ ગુસ્સો આવે છે, યુદ્ધ કેમ નથી કરતા તેવો સવાલ થાય પરંતુ જવાબ શોધવા દૂર જવું નથી પડતું. એ.આર.અંતુલે જેવા લોકો આપણા દેશમાં જ છે જે લઘુમતી બાબતના પ્રધાન છે.તેઓ આક્ષેપ કરે છે કે હેમંત કરકરે અને તેમના સાથીઓનાં મોત ત્રાસવાદીઓ દ્વારા નથી થયાં, પણ તેમની હત્યા કરવામાં આવી છે કે કેમ તે તપાસ કરવી જોઈએ. આવા લોકો હોય ત્યાં આપણને પાકિસ્તાનની પણ જરૂર નથી.

    તમે આ ઉંમરે (69)ની ઉંમરે પણ ઇન્ટરનેટ અને બ્લોગ જેવા ટેક્નોલોજીના માધ્યમોનો ઉપયોગ કરો છો તે જાણી આનંદ થયો. તમારો પ્રયાસ સ્તુત્ય છે. તમારા બીજા બ્લોગપોસ્ટ (કન્યાદાન, જૈનોનો આવકારદાયક નિર્ણય) વાંચ્યા. બસ, તમારા આરોગ્ય માટે શુભેચ્છા અને આવું જ સરસ લખતા રહેજો. નવું લખો તો મને નીચેના ઇમેલ પર જાણ કરવા વિનંતી.

    jaywant.pandya@gmail.com

    મારો પણ બ્લોગ છે. તેની મુલાકાત લઈ શકો છો
    jaywantpandya.wordpress.com

    Like

  5. It is truly a very unfortunate event and really unfortunate handling of such a sad incident by our mediocre politicians. I think people have become more aware and more disillusioned. The political system in India has become too corrupt and dirty for any wise person to enter into. It is a bitter truth of our Indian reality. It is chicken or egg situation now. Current politicians are un-acceptable bunch of morons and no ‘no-nonsense’ person will become a politician. So, what are our options? Wait for Messiah ? Don’t know. But at least someone of that much caliber can only deliver. Well, not sure that is true either, we had Gandhiji. What we made of him? Does this have something to do with the way we(Indians) are ? Probably… probably not. We have some of the brightest people with brightest ideas. So why not in politics? Why non-nonsense folks distance themselves from Politics? I think the truth is politics in India is truly ‘jungle raaj’. It is full of ‘gunda-gardee’ and a decent person does not want to risk his/her life and his/her family in jeopardy by associating him/herself with politics in any way. So, again , what are our options? Let’s hope something good will come out of this chain of events,,,,

    Thanks for the article.

    Like

Leave a comment