–કાસીમ અબ્બાસ
આ જગતમાં સમાજમાં અતી મહત્ત્વના સભ્ય તરીકે રહેતો માનવી પોતાનું ટુંકું જગતજીવન વીતાવ્યા પછી તેનો એક નક્કી કરેલો ચોક્કસ સમયનો ગાળો પુર્ણ કર્યા પછી આ પામર જગતમાંથી વીદાય લે છે. પોતાના જગતજીવન દરમીયાન તે એક મનુષ્ય હોવાના કારણે પોતાના જેવા અન્ય મનુષ્યોના કલ્યાણ તથા ઉત્કર્ષ કાજે તથા તેમને સહાય કરવાના હેતુથી ઘણાં સુકર્મો કરે છે. અને આ અનુસાર તે પોતાના મૃત્યુ પછી પણ જગતમાં પોતાનું નામ, પોતાની સારી શાખ, પોતાની ઓળખ અને પોતે કરેલ ભલાં કાર્યોની યાદ છોડી જાય છે.
આ પ્રકારનો પરદુ:ખભંજન માનવી પોતાના મૃત્યુ પછી પણ શું અન્ય માનવીઓને કામ આવી શકે કે કેમ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે અવશ્ય તે પોતાના મૃત્યુ પછી પણ અન્ય માનવીઓને કામ આવી શકે છે. એક રીત એ કે તે પોતાના જીવન દરમીયાન એવી સંસ્થા કે સંસ્થાઓ સ્થાપીત કરી જાય અને એવો બન્દોબસ્ત કરી જાય કે તે સંસ્થાઓનાં કાર્યો થકી તેના મૃત્યુ પછી પણ અન્ય માનવીઓને ફાયદો પહોંચતો રહે.
View original post 1,205 more words
વહાલા વડીલ અરવીન્દભાઈ,
‘ઈસ્લામ અનુસાર અવયવોનું દાન’ આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
–ગો. મારુ
LikeLike