–જીગીષા જૈન
‘‘સ્વજનનાં પાછા આવવાની પાંગળી આશા, ડૉક્ટર્સ પરનો અવીશ્વાસ અને જાતજાતની આશંકાઓમાં ઘેરાયેલો પરીવાર, પોતાનું દુ:ખ ભુલી, બીજાને નવજીવન બક્ષવા માટે અંગદાનનો નીર્ણય લે છે. આ નીર્ણય બીલકુલ સહેલો હોતો નથી. જેમણે આ અઘરો નીર્ણય લેવાની હીમ્મત દાખવી છે એવા લોકોને આજે મળીએ. આ નીર્ણય લેવામાં આપણને મદદ કરી શકે એવી અમુક જરુરી વાતો નીષ્ણાત પાસેથી પણ જાણીએ.’’
અંગદાનનુંમહત્ત્વ દરેક નાગરીકને સમજાય અને દરેક નાગરીક આ માટે પ્રતીબદ્ધ થાય એ માટે 13 ઓગસ્ટને ‘ઑર્ગન ડોનેશન ડે’ ઉજવવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તીનું કોઈ અંગ નબળું હોય કે વ્યવસ્થીત કામ ન આપતું હોય, ત્યારે તેને કોઈ બીજી વ્યક્તીના સ્વસ્થ અંગ સાથે બદલીએ એટલે કે ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો એ વ્યક્તીને નવું જીવન મળે છે, નહીંતર આંખ અને ચામડી સીવાયનાં જેટલાં પણ અંગો છે એ ખરાબ થઈ જાય તો માણસ જીવી શકતો નથી. અંગદાન અન્તર્ગત જેની બહોળા અર્થમાં જરુર પડે છે એવાં અંગો છે– આંખ, હૃદય, કીડની…
View original post 2,383 more words
વહાલા અરવીન્દભાઈ,
‘અંગદાનનો નીર્ણય લેવો કેટલો અઘરો?’ લેખને આપના બ્લૉગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike