શ્રીગોવિંદ ભાઈ, સુંદર લેખ ! મારાં બ્લોગ ઉપર રી બ્લોગ કરું છું. આભાર અને શ્રી કરશનદાસ ભાઈને તથા આપને ધન્યવાદ ! સ્ત્રીને ભોગવ્યા વગર મારાજશ્રીને સોંપવા વિષે મેં ઘણાં વર્ષો પહેલાં એક પુસ્તક વાંચેલું. પુસ્તકનું નામ અને લેખકનું નામ યાદ રહ્યું નથી. જો ભૂલતોના હોઊં તો મારા કોલેજ્કાળ દરમિયાન આ પુસ્તક વાંચેલું અને કદાચ આ દિવસો દરમિયાન અમદાવાદની હવેલીના મારાજના શયન ખંડમાંથી સોનાની બ્રા પણ મળી આવેલી. ખેર ! ધરમને નામે આવા પાખડીઓને અંધ શ્રધ્ધળુઓ પોષી રહ્યા છે.
હીન્દુનાં પુરાણ ઈત્યાદી શાસ્ત્રોમાં કહેલું છે કે કળીયુગના વખતમાં જુદા ધર્મ અને પાખંડો ઉભાં થશે તથા ધુતારા અને પાખંડીઓ આડા પંથો અને આડા માર્ગો ઉપર ચલાવશે. હીન્દુશાસ્ત્ર પ્રમાણે કળીયુગને આરમ્ભ થયાને આજે પાંચ હજાર વર્ષ થઈ ચુક્યાં છે. એ પાંચ હજાર વર્ષની મુદતમાં જેટલા નવા પંથો તથા માર્ગો હીન્દુઓમાં ઉભા થયા છે તે સઘળાં ખોટાં પાખંડ સમજવાં, એવું હીન્દુશાસ્ત્ર ઉપરથી સીધ્ધ થાય છે. હવે મહારાજોનો મુળ પુરુષ વલ્લભ જન્મ્યાને હજુ ચારસો વર્ષ થયાં નથી. વૈષ્ણવમાર્ગનાં પુસ્તકોમાં લખ્યું છે કે વલ્લભાચાર્યનો જન્મ સંવત 1535ના વૈશાખ વદ 11 વાર રવીને દીને થયો હતો. એ વાતને આજ 381વર્ષ થયાં. અને કળીયુગ બેઠાને પાંચ હજાર વર્ષ થઈ ચુકેલાં ત્યારે વલ્લભાચાર્યનો પંથ કળીયુગના જ વખતમાં ચાલુ થયો. જેમ દાદુપંથી, સાધુ પંથી, રામસ્નેહી, રામાનન્દી, સહજાનન્દી ઈત્યાદી પંથો ઉભા થયા તેમ વલ્લભાચાર્યનો પંથ ઉભો થયો. એ સઘળાં પંથો, કળીયુગમાં ઉભા થયા માટે હીન્દુશાસ્ત્રના વચન પ્રમાણે પાખંડી છે!
જદુનાથજી મહારાજ કહે છે કે…
View original post 737 more words
વહાલા અરવીન્દભાઈ,
‘હીન્દુનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
–ગો. મારુ
LikeLike