પચાસ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ VIS-À-VIS દેશના ગૃહ મંત્રાલય અને ગૃહ પ્રધાન દ્વારા અત્યંત શરમ જનક છ્બરડો ! ગંભીર બેદરકારી !

પચાસ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ VIS-À-VIS દેશના ગૃહ મંત્રાલય અને ગૃહ પ્રધાન દ્વારા અત્યંત શરમ જનક છ્બરડો ! ગંભીર બેદરકારી !

એક સમાચાર મુજબ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સરકારને મોકલેલી મોસ્ટ વોન્ટેડ પચાસ આતંકવાદીઓની યાદીમાં એવા બે આતંકવાદીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે જે દેશમાં જ વસી રહ્યા છે આ બનાવે સરકાર માટે અત્યંત ક્ષોભ જનક પરિસ્થિતિ ઉપસ્થિત કરી છે. આ યાદીમાં સમાવેશ કરેલ એક ભાગેડુ અપરાધી પાકિસ્તાનને બદલે મુંબઈની જેલમાં હોવાનું બહાર આવ્યુ છે તો બીજો મુંબઈના થાણા વિસ્તારમાં વસતો હોવાનું ખૂલ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ 1993ના વિસફોટ કેસના આરોપીને ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં નવી મુંબઈના એક ગામમાંથી પકડવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ માટે તેની સોંપણી સીબીઆઈને કરવામાં આવી હતી, તપાસ સંસ્થાએ 1994માં તેની સામે ઈન્ટરપોલની રેડ .કોર્નર નોટીસ બહાર પાડી હતી, પણ સીબીઆઈને કસ્ટડી મળી ગયા છતાં પણ આ નોટીસ પાછી ખેંચવામાં આવી નહોતી. આ વ્યક્તિ ખાનનો સમાવેશ આ યાદીમાં 24મા ક્ર્મે કરાયો છે.

ગૃહમંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ યાદી તૈયાર કરવામાં સીબીઆઈના પક્ષે ભૂલ થઈ હોવાની માહિતી સીબીઆઈએ આ વોંટેડની યાદી ગૃહમંત્રાલયને સોંપી ત્યારે આ નામ તેમાંથી દૂર કરવાનું ભૂલી ગઈ હતી.

આ દેશના ગૃહપ્રધાનને આ બાબત ક્ષમા યાચના કરવા જેવી જણાઈ નથી. તેઓ કહે છે કે અમે આ ભૂલ માટે ખેદ પ્રગટ કર્યો જ છે. આવી એક બે ભૂલો તો થાય. વધુમાં કહ્યું કે જે બે શખ્સો ભારતમાં જ હતા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેઓ ધરપકડ પહેલાં તો ભાગેડુઓ જ હતા અને તેઓ એટલા જોખમી હતા કે તેમને માટે ઈન્ટરપોલને રેડ-કોર્નર નોટિસ પાઠવવા જણાવી દેવાયું હતું અને આ નોટિસ પ્રસિધ્ધ પણ કરાઈ હતી. આ બંન્ને ઉપર ઘણાં ગંભીર આરોપો છે.

આ 50 આતંકવાદીઓની યાદીમાં એક નવો ફણગો ફુટ્યાનું જાણવા મળે છે. ભૂતકાળમાં ઈંડીયન નેવીમાં ફરજ બજાવતા અબ્દુલ રશીદ ખાને કહ્યું છે કે, તેનો દીકરો ખરેખર મોસ્ટ વોંટેડની યાદીમાં પાકિસ્તાનમાં છૂપાયેલો હોય તો સરકારે તેને તાત્કલિક જેલ મુક્ત કરી ફરીને તપાસ હાથ ધરવી જોઈએ. તેમનો દીકરો ફીરોઝ મોસ્ટ વોંટેડ આતંકવાદી પાકિસ્તાનમાં છૂપાયેલો ગણાવાય છે પરંતુ વાસ્તવમાં તે 1993ના બોમ્બ બ્લાસ્ટના આરોપ હેઠળ આર્થર જેલમાં કેદ છે જ્યારે સરકારી યાદીમાં તે પાકિસ્તાનમાં છૂપાયેલો હોય તો આર્થર જેલમાં કેદ છે તે કોણ છે ?

એક અન્ય પ્રશ્નના જવાબમાં ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, આ પૂર્વે 2004,2007 અને 2011માં પણ આવી યાદીઓ મોકલાઈ હતી પરંતુ તેમાંથી એક પણ યાદી ઉપર પાકિસ્તાને તે ભાગેડુઓ સામે પગલાં લીધા જ નથી. આથી આવી પ્રમાણિક ક્ષતિથી વાસ્તવિકતામાં કૈં ફેર પડતો નથી.

દેશના ગૃહપ્રધાન નિવેદન કરે છે કે આપણે એક દુશ્મન દેશની પડોશમાં જીવી રહ્યા છીએ ત્યારે ગુપ્ત/જાસુસી દળોએ સતત સતર્ક અને સજાગ રહી કામગીરી બજાવવી અનિવાર્ય જરૂરિયાત બની રહે છે.

પચાસ આતંકવાદીઓની યાદીમાં સમાવિષ્ટ બે આતંકવાદીઓ આપણાં જ દેશમાં મળી આવે જે આપણી ફરજ પ્રત્યેની પ્રતિબધ્ધતાની ક્રુર મજાક જ ગણવી રહી. દેશના ગૃહ પ્રધાનની આવી ગુન્હાહીત બેદરકારી અને લાપરવાહી માટે, સીબીઆઈ તથા અન્ય ઈન્ટેલીજંન્સ દળોને જવાબદાર ઠેરવવાની તથા મહારાષ્ટ્ર સરકાર અને તેના ડીપાર્ટમેંટને જવાબદાર ઠેરવવાની કસરત પોતાના ઉત્તરદાયિત્વને ચાલાકીથી ભૂલાવી પોતાની જવાબદારીમાંથી છટકી જવાની યુક્તિ માત્ર છે. મેરા ભારત મહાન !

એક વાત સ્પષ્ટ બની ચૂકી છે કે ગૃહપ્રધાનનો પોતાના ખાતા ઉપર કોઈ પ્રભાવશાળી અસરકારક વહિવટ નથી, કે નથી કોઈ અંકુશ. ઉપરાંત આવા બેજવાબદાર નિવેદનો કરવા માટે પણ તેઓ જાણીતા છે. આ પહેલાં પણ નક્સલવાદીઓ માટે- દિલહીમાં થતી ગુંડા-ગીર્દી બીજા રાજ્યના લોકો આવી કરાવે છે તેવી, આ ઉપરાંત જો ઉત્તરપ્રદેશ આ દેશનું રાજ્ય ના હોત તો ભારત ક્યારનું સુપર પાવર બની ચૂકયું હોત વગેરે, જેવી બેજવાબદાર,અનેગૃહપ્રધાનના હોદાની ગરિમા ઘટાડતી ટિપ્પ્ણીઓ અગાઉ પણ કરી ચૂક્યા છે.

એક અન્ય પ્રશ્નના જવાબમાં ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, આ પૂર્વે 2004,2007 અને2011માં પણ આવી યાદીઓ મોકલાઈ હતી પરંતુ તેમાંથી એક પણ યાદી ઉપર પાકિસ્તાને તે ભાગેડુઓ સામે પગલાં લીધા જ નથી. આથી આવી પ્રમાણિક ક્ષતિથી વાસ્તવિકતામાં કૈં ફેર પડતો નથી.

ફરીને આ 50 આતંકવાદીઓની યાદી ઉપર આવીએ તો ધારો કે પાકિસ્તાન આંતકવાદીઓ સોંપવાના પ્રશ્ને એવો જવાબ પાઠવે કે સૌ પ્રથમ તમારા દેશનો ખૂણે ખૂણો છાન બીન કરી ચોકસાઈ કરી અમોને જણાવો કે આમાંના કેટલા ભારતમાં જ વસે છે. દાઉદ માટે પાકિસ્તાનને બદનામ કરવું રહેવા દો અમોને શંકા છે કે તે ત્યાં જ વસે છે પરંતુ પાકિસ્તાનને જગત ભરમાં બદનામ કરવાની ભારત સરકારની સાઝિશ છે. શકય છે કે
આપના દેશનું ઈંટેલીજન્સ ડીપાર્ટ્મેંટના અમલદારો પૂરતા ઈંટેલીજંટ ના હોય પરંતુ તેને કારણે પાકિસ્તાનને બદનામ કરવાનું કૃપા કરી બંધ કરો નહિ તો અમારે અમારી રીતે જે યોગ્ય લાગશે તેવા એકશન લેવા ફરજ પડ્શે.

આવા લાપરવાહ, બેદરકાર, બે જવાબદાર ગૃહપ્રધાને આ છબરડા વડે દુનિયા ભરમાં દેશને નીચા જોણું કરાવી મજાકનું સાધન બનાવ્યું છે. આ પહેલાં 9/11 ના મુંબઈ ઉપરના આતંકવાદી હુમલા બાદ મહારાષ્ટ્રના તત્કાલિન ગૃહપ્રધાને પણ કહ્યું હતું કે, “મોટા શહેરોમાં આવા બનાવો તો બન્યા કરે !” પરિણામે ગૃહપ્રધાને નોકરી ગુમાવવી પડી હતી.

વડાપ્રધાનશ્રી પાસેથી હવે સૌ પ્રધાનો શીખી ગયા છે કે .” હું જાણતો નથી.” અને “ અને આપ ધારો છો તેટલો કસુરવાન નથી.” આ સમયે મને શ્રીલાલ બહાદુર શાસ્ત્રીજીની યાદ આવે છે કે જ્યારે તેઓ રેલ્વે પ્રધાન હતા ત્યારે એક અકસ્માત થતા તેઓએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી એક ક્ષણમાં રાજીનામું આપી દીધેલુ. આજે આવા કનવીકશન અને મોરલ ધરાવનારાને તો દિવસે પણ દીવો સાથે લઈને શોધવા નીકળવું પડે તેમ છે અને તેમ છતાં મળી આવવાની કોઈ સંભાવના નથી. ઘાસના ભારામાંથી સોઈ શોધવા જેવું કપરું અને કઠિન કામ છે.

આ તબક્કે મને યાદ આવે છે કે શ્રી શેસાન દેશના ઈલેકશન કમિશ્નર તરીકે નિમાયા બાદ ચૂંટણી સમયે થતી ગુંડા-ગીર્દી જે તે વિસ્તારના રાજકારણીઓ અને સરકારી અમલદારોની મીલી ભગત દ્વારા શક્ય બનતી હતી. જે શેસાનના અતિ કડક અને અસરકારક વહિવટ દ્વારા લગભગ બંધ થયેલી. સામાન્ય સંજોગોમાં જીલ્લા અધિકારીઓ જેવાકે કલેકટર આમ જનતાને દાદ નહિ દેતા, લાંચ-રુશ્વત સિવાય કામ નહિ કરતા અને ધરાર કામને વિલંબમાં નાખતા આ તમામ અમલદારો ચૂંટણીના કામમાં શેસાનના આદેશોનું અક્ષરશઃ પાલન કરવા લાગી જતા કારણ શેસાન કોઈના બાપની પરવા કર્યા વગર નિયમોનું કડકાઈ અને ચુસ્ત રીતે પાલન ના કરનારની કેરીયર ખત્મકરી દેતા અચકાતા નહિ.

આવી ધાક ઉચ્ચ સ્થાને બેઠેલા પદાધિકારીઓ એ સ્થાપવી કોઈ પણ પ્રકારનો વહિવટ ચલાવવા
પૂર્વ શરત બની રહે છે. યાદ રાખો લૂઝનેસ હંમેશા ઉપરથી નીચે આવે છે. ઉપલો અધિકારી પ્રધાન કે અમલદાર જેટલો ફરજ પ્રત્યે કર્તવ્યનિષ્ઠ અને પ્રતિબધ્ધ હોય તેટલો જ નીચેનો સ્ટાફ હોઈ શકે. ફરજ પ્રત્યેની બેદરકારી કે લાપરવાહી ઉચ્ચ પદાધિકારીઓની અણ આવડત મનાવી જોઈએ !

જ્યારે વાસ્તવમાં આવા લાપરવાહ અને બેજવાબદાર પ્રધાનોને રાજીનામાં માટે ના કહેવાય પરંતુ એક ઝાટકે હકાલપટી કરી ઘર ભેગા કરવા જોઈએ. જેથી અન્ય પ્રધાનો અને અમલદારો ઉપર એક દાખલો બેસે. મગર દુર્ભાગ્ય હૈ યે દેશકે લીયે, વો દિન કહાં …કિ મીંયા કે પાંવ મેં જુતી.! મેરા ભારત મહાન !

25 comments

  1. Dear Arvindbhai;
    Love;
    I do not know, whether one can change the format of his/her Blog or not. But if that feature is available, you need to change the format of your Blog. Present format is not much suitable and after three four responses, it takes one word only in one line and occupies too much space and becomes difficult for the readers and respondents. You must have experienced this problem. Please look in to the matter and do needful.
    His Blessings;
    Sharad

    Like

  2. આતંકવાદીઓના છબરડાની વાત દેશને માટે શરમજનક તો કહેવાય પરંતુ આની અસર કોઈ પ્રધાનને થઇ હોય એવું લાગતું નથી. બે-ત્રણ વર્ષ અગાઉ પણ ત્રણ આતંકવાદીઓને આંખ ચેક કરાવવા હોસ્પિટલમાં લઇ ગયા હતા અને પોલીસ ચા પીવા માટે આઘી-પાછી થઇ તો તેનો મોકો જોઈ ભાગી ગયા હતા. હજી મળ્યા નથી. સરકાર બિચારી શું કરે? મને એવું લાગે છે કે તેમને લાંચ ખાઈને જાણી જોઇને ભગાડી દેવામાં આવ્યા હતા.

    જો સરકારમાં જોડાયેલી દરેક વ્યક્તિ પાર્ટી પોલીટીક્સને ભૂલી જઈ, રાષ્ટ્રની ચિંતા કરે, રાષ્ટ્રવાદી બને તો કોઈની મજાલ નથી કે કોઈ દેશનું ભૂડું કરી શકે. દેશની દરેક વ્યક્તિ રાષ્ટ્રવાદી બને તેમાંજ દેશની સલામતી છે. અહિયાં તો લોકોમાં જ્ઞાતિવાદ છે, કોમવાદ છે, સંપ્રદાયવાદ, સમાજવાદ, સગાંવાદ છે પરંતુ રાષ્ટ્રવાદ કોઈનામાં નથી.

    અંગ્રેજો કહેતા કે અમે ભારત પર ૨૦૦ વર્ષ રાજ કર્યું તેનું મૂખ્ય કારણ, ભારતના લોકોના ચારિત્રની શીથીલતા. એક અંગ્રેજ પોલીસ-ઘોડેસ્વાર કુંભ મેળામાં ગયેલો અને ગભરાય ગયેલો કે આ લાખોની સખ્યામાં ભેગી થયેલી પ્રજા જો અમને એક એક આંગળી અડાડે તો પણ અમે બધા મરી જઈએ, પરંતુ બીજીજ પળે એને જોયું અને મુસ્કુરાયો કે આ પ્રજા તો વેર વિખેર છે અને પોતાની સગવડતા માટે એકબીજાને ધક્કા મારી રહી છે, આના પરતો સેંકડો વર્ષો સુધી રાજ કરી શકાય છે, અને કર્યું તે હકીકત છે. આ પ્રજાએ આખી દુનિયા પર રાજ્ય કર્યું તેનું મૂખ્ય કારણ એજ કે તેમનામાં ઠાંસી ઠાંસીને રાષ્ટ્રવાદ ભર્યો હતો.

    એક અંગ્રેજે શાહજહાંની દીકરીનો અસાધ્ય રોગ (હકીમો અને વૈદ્યોને અજમાવ્યા પછી) સારો કરેલો તે બદલામાં તેને ઇનામ માટે પૂછવામાં આવ્યું તો તેણે પોતાના દેશના માલ પર કરમુક્તિ માગેલી. એ ધારત તો થોડા ગામ અથવા સોના મહોરો માંગી શકત પરંતુ એવું કર્યું નહિ, આને કહેવાય રાષ્ટ્રવાદ. આપણે હોઈએ તો શું માંગીએ, તેનું અનુમાન કરી લેવું.

    આ લેખમાં નૈતિક જવાબદારી, કર્તાવ્યનીષ્ટતા, મોરલ વિગેરેની ચર્ચા કરવામાં આવી પરંતુ મારું માનવું છે કે પ્રજાને પહેલાં રાષ્ટ્રવાદી બનાવવી જોઈએ. બાકીના ગુણો એની મેળેજ ચાલ્યા આવશે.

    Like

    1. શ્રી ભિખુભાઈ
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપની વાત સાચી છે આપણાં દેશના નેતાઓથી માંડી આમ જનતામાં રાષ્ટવાદ અને દેશાભિમાનની મૂળભુત ખામી છે અન એતે લાગણી વિકસે તે માટે કોઈએ કોઈ પ્રયાસ કર્યો જણાતો નથી. વિભાજન જાણે આપણાં જીન્સમાં જ છે. અને તેથી જ અનેક જ્ઞાતિ-ધર્મ-સંપ્રદાયોમાં જનતા છેક તળિયા સુધી વિભાજીત છે અને તેનો તમામ લોકો લાભ ઉઠાવે છે પછી ભલે તેઓ દેશી રાજકર્તા હોય કે વિદેશી. આ વિભાજિત અવસ્થાને કારણે જ અંગ્રેજો, ફ્રેંચો અને પોર્ટુગલો આપણાં ઉપર રાજ કરી શકય. આ પહેલાં મોગલો અને મુસલમાનો એ રાજ કર્યું આને દેશને લૂંટ્યો ત્યારે પણ આપણે અંદરો અંદર લડતા રહ્યા. આમ લોકોની માનસિકતા જ ગુલામી બની ગઈ છે. ખેર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  3. Dear Arvindbhai,
    At present I am in Palanpur and unfortunately this PC does not have fascility to type in Gujarati language. Excellent observation and analysis. in context with “WHAT” and “WHY”. Where does the solution lie ? Lets now voice up to find “WHO” will “ACT” to “GET” the “RESULT”. Recently on facebook a group of 3800 members in support to Annaji Hazare are also “TALK”ing and “DISCUSS”ing many “ENDLESS” aspects. I had posted a request to give / arange me a fully loaded AK47 so that I can give a try to “DO” what AFZAL or KASAB could not do. I know if I dont succeed I will surely be hanged for the intended attempt. All plans / Drawings of important buildings can easily be seen via “GOOGLE BABA”. An alternative I offered was a request to Bio-science experts to come forward to produce bio-poison for adding it up to meals / tea / coffee – in LOKSABHA / VIDHANSABHA Canteens. How does it sound ??

    Like

    1. Dear Akhilbhai;
      Love;
      I can understand the anger of literate people of India after experiencing chaos in our mother land. But killing 500-600 politicians is not a solution of the problem. There are other five lacs people of same quality and categories are standing in the queue to snatch the power chairs, and they will not allow good and intelligent people to rule the country.
      To my view, we need to change the entire system. The present so called democracy is a miserably failed and we need to have meritocracy. I wish the readers and visitor here rethink about the proper solution, which can cut the very roots of such chaos in the country. I shall appreciate, if any other readers do have alternative system suitable to our country and its progress.
      His Blessings;
      Sharad

      Like

      1. શ્રી શરદભાઈ
        આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે પણ ! આપની વાત સાથે સહમત થવા છતાં એક વાત તો સ્પષ્ટ છે કે જે સીસ્ટમ તદન સડી ગઈ છે તેને છેક મૂળમાંથી ઉખેડી ફેંકી દેવામાં ના આવે ત્યાં સુધી નવી સીસ્ટમ અર્થાત સડેલ ઈમારતનું નવસર્જન કરવા તેનો વિધ્વંસ પૂર્વ શરત બની રહે. સમુળી ક્રાંતિ સીવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. આપ કહો છો કે 500-600 રાજકારણીઓનો ખાત્મો બોલાવવો તે સમસ્યાનું સમાધન નથી. હું આપને ખાત્રી આપી કહેવા મંગુ છું કે હાલના રાજકારણીઓ જેવા નમાલા-કાયર અને બીકણ ક્યારેય પેદા થયા નથી. આપ 500-600ની વાત કરો છો પણ માત્ર દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ મીલાવી 50-60 રાજકારણીઓને જાહેરામા પ્રજા ખતમ કરે તો આવનારા ઓછામા ઓછા બે-ત્રણ દશકા સુધી આવા ભ્રષ્ટ રાજકારણીઓ ચૂંટણીમાં ઉભા રહેવાની પણ હિમત નહિ દાખવે. અસ્તુ !
        ફરી આભાર ! આવજો ! મળતા રહીશું !
        સ-સ્નેહ
        અરવિંદ
        આપે જો કે આપનો પ્રતિભાવ શ્રી અખિલભાઈના પ્રતિભાવના સંદર્ભે આપ્યો છે તેમ છતાં મારી આ નુક્તેચીની સહન કરી લેશો તેવી અપેક્ષા રાખું છૂં.

        Like

        1. પ્રિય અરવિંદભાઈ;
          પ્રેમ.
          રાજાશાહી માં તો કહેતાં “જેવો રાજા તેવી પ્રજા” પરંતુ લોકશાહી માં “જેવી પ્રજા તેવો પ્રધાન” (રાજા) એવું હોય છે. જો પ્રજા સમજુ હોય અને આ ભ્રષ્ટ લોકોને ચુંટવાનુ કે માનપાન આપવાનુ બંધ કરે તો બીજું કાંઈ કરવાની જરુર રહેતી પણ નથી. પરંતુ સમસ્યા અબુધ પ્રજાની છે જે દારુની બાટલી કે થોડા ઘણા રુપિયા માટે કે પોતાના ન્યસ્ત સ્વાર્થ માટે આવા સત્તાધીશોને સમર્થન આપે છે, માનપાન આપે છે અને ચુંટણી મા જીતાડી શાશનના અધિકાર આપે છે કે લુંટવાના પરવાના આપે છે. પ્રજાને ખબર જ નથી કે તેઓ શું કરી રહ્યા છે. ખરેખર તો પોતાની કબર જ ખોદી રહ્યા છે. એટલે મને લાગે છે કે મેરિટોક્રસીમા ફક્ત મેરીટ ધરાવતા લોકો જ ચુંટણી લડી શકે તેવા કાયદા કરવામા આવે અને મતાધિકાર પણ જે તે વિષયમા પારંગત લોકોને જ આપવામા આવે તો જે આપણી લોકશાહીના ઘણા બધા દુષણો છે તેનો નાશ કરી શકાય અને વોટની હાલની રાજનીતિ જે જાતીવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ કે ધર્મવાદ પર નિર્ભર છે તેના મૂળીયા ઉખડી જાય. એવું મને લાગે છે.
          શેષ શુભ.
          પ્રભુશ્રિના આશિષ;
          શરદ.

          Like

        2. શ્રી શરદભાઈ
          આપ જે સુચન કરો છો તે અમલી બનાવવા માટે પણ હાલની પ્રવર્તમાન સીસ્ટમનો ખાત્મો જડમૂળમાંથી કરવો રહ્યો અને તે કોણ કરશે તે યક્ષ પ્રશ્ન છે કારણ વર્તમાન રાજકારણીઓ તો આ કરવા તૈયાર થવાના નથી જ માટે શ્રી અખિલભાઈ કહે છે તેવું કંઈક શકય બને તો જ આપનું સુચન મેરિટ્રોક્રસી કદાચ અમલી બનાવાની સંભાવના ઉભી થાય ! મારાં મતે તો આપણાં જીન્સમાં જ કંઈક એવું છે કે આપણને પ્રાંતવાદ-ભાષાવાદ ધર્મવાદ અને અલગતા અર્થાત વિભાજન કોઠે પડી ગયું છે. સમૂળી ક્રાંતિ સીવાય કોઈ પરિવર્તન આવી શશે કે કેમ તે શંકાસ્પદ છે. અને આવી ક્રાંતિ માટે કોઈ નેતા નજીકના ભવિષ્યમા ઉભરી અઅવે તેવું પણ જણાતું નથી. હા, મારા ધારવા મુજબ આપણાં વિચારો એક નવી દીશામાં વિચારવાનું બીજનું વાવેતર ગણાવી શકાય !
          સ-સ્નેહ
          અરવિંદ

          Like

        3. પ્રિય અરવીંદભાઈ;
          પ્રેમ;
          તમે વર્ષે બે વર્ષે એંશીએ પહોંચશો ને હું સાંઇઠે. તમે કે હું તો આવી ક્રાંતિ કરવાના નથી તે તો નક્કી જ છે. આટલાં વર્ષે અનુભવોમાંથી આપણે જે શિખ્યા છીએ અને આપણને એમ લાગતું હોય કે રાજકારણીઓની હાલની જે ચુંગાલ છે તેમાંથી છુટવા માટેનો મેરિટોક્રસી કે અન્ય કોઈ માર્ગ છે તો તેને પ્રમોટ કરવાથી એક નવો વિચાર લોકો સમક્ષ જરુર મુકાશે. આપણે અત્યારે મેરિટોક્રસીના દરેક પાસાઓનો વિચાર ન કરી શકીએ પણ આ વિચાર જો એક નવો માર્ગ છે અને તેમાં કાંઇક દમ છે તેમ લાગશે તો અનેક લોકો તેના વિષે વિચારતા થશે, તેના લાભાલાભ અને મેરિટોક્રસીનુ બંધારણ કેવું હોવું જોઈએ તે પણ વિચારતા થશે અને તે વિચારને ૫-૫૦ કે ૫૦૦ વર્ષે મુર્તિમંત કરી શકાશે. કદાચ આવનારી પેઢીને માટે તે શુભ પણ નીવડે. પણ વિચારીશું અને મંથન કરશું તો એક દિવસ માખણ જરુર નીકળશે. કોણ ક્રાંતિ કરશે? કરીને હતાશ થવાથી તો કાંઇ નહી વળે. આજે એકલો હું જ આ વિચારને સમર્થન આપું છું કાલે તમે સમર્થન આપશો પરમદિવસે બીજા બે સમર્થન આપશે અને ધીમે ધીમે બીજા લોકો પણ તેમા જોડાતાં જશે તો પાંચ પચ્ચીસ વર્ષે હજારોની સંખ્યામા એક વિચારધારા વહેતી થશે અને એક દિવસ તે મૂર્તિમંત પણ થશે. આપણે તો હવે કાંઠે બેઠેલાં છીએ ક્યારે બુલાવો આવે તેની ખબર નથી પણ જતાં જતાં આવનાર પેઢીના ઉત્કર્ષ માટે કાંઈક કરીને જઈએ તો કશું ખોટું નથી.
          શેષ શુભ.
          પ્રભુશ્રિના આશિષ,
          શરદ.

          Like

        4. શ્રી શરદભાઈ
          આપની ભૂલ થાય છે હું એંસીએ આઠ વર્ષ બાદ જો ઈશ્વરની કૃપા હશે અને હરતો-ફરતો મારાં કામ જાતે કરી શકવા સમર્થ અને સશકત હોઈશ તો પહોંચીશ. આપ તો મારાં કરતા ઘણાં નાના અને યુવાન છો તેથી આપ આ દીશામાં ઘણું કાર્ય કરી શક્શો તેમ ધારુ છું. આપની વાત સાથે સહમત છું કે કોઈ પણ નવો વિચાર વહેતો કરવમાં આવે તો કયારેક અમલી પણ બની શકે. અને તે આશા સાથે જ હું મારાં બ્લોગ ઉપર મારાં વિચારો ઠાલવતો થયેલો ત્યારે મારાં વિચારો કોઈ વાંચશે અને મારાં વિચારોને બિરદાવશે કે મારા જેવાજ વિચારો ધરાવનારા મિત્રો મળશે તેવી કોઈ ધારણા કે કલ્પના પણ નહિ હતી. અગાઉ લખેલું તેમ હું તો મારા નિજાનંદ માટે બ્લોગ ઉપર લખતો થયેલો અને આજે અનેક મિત્રો દુનિયા ભરમાંથી મારાં વિચારો વાંચે છે તે મને અભિભુત અને ભાવવિભોર બનાવી દે છે. આપ પણ આપનો બ્લોગ બનાવો તો કેવું ? વિચારી જોજો ! આવજો ! મળતા રહીશું !
          સ-સ્નેહ
          અરવિંદ

          Like

    2. શ્રી અખિલભાઈ
      આપ પાલનપુર હોવા છતાં બ્લોગની મુલાકાત લઈ સુંદર પ્રતિભાવ પણ જણાવ્યો ખૂબ ખૂબ આભાર. આપના જેટલો જ આક્રોશ મારાં હૈયામાં પણ છે. આપ જે વિચારો છો તેવું વાસ્તવમાં આ સડેલી સીસ્ટ્મ જડમૂળમંથી ઉખેડી નાખવી હોય તો અતિંમ પગલાનો જ આશરો લેવો પડે. નવ સર્જન કરવા વિસર્જન કરવું જ રહ્યું. ધારો કે આપની ઈચ્છા સંભવ બને તો મને આપનો એક સાથીદાર જ સમજશો. મારાં એક લેખમાં મેં ગાંધીજી વિષે પણ આવું જ લખ્યું છે. ગાંધીજીને ઈશ્વરે બોલાવી પુનર્જન્મ આપવા કહ્યું અને પૂછ્યું કે ક્યા દેશમાં જન્મવું ગમશે ? તમે કહો તે દેશમાં જન્મ આપવામાં આવશે. જવાબમાં ગાંધીજીએ કહ્યું કે જો મને પુનર્જન્મ મારી પસંદ પ્રમાણે આપ આપવા માંગતા હો તો મારે મારા દેશ હિંદુસ્તાનમાં જ જન્મવું છે પણ તે સાથે મારી એક શરત છે કે મને જન્મ સાથે જ એક એવી મશીનગન આપવામાં આવે કે જેમાં બૂલેટ અનંત સમય સુધી અર્થાત જ્યાં સુધી હું ઈચ્છું ત્યાં સુધી ખૂટવી નહિ જોઈએ. જો આ શરત મજૂંર હોય તો મને પુનર્જન્મ સ્વીકારવામાં વાંધો નથી. જો આ સંભવ બને તો દુનિયા હિટલરને પણ ભૂલી જાય તેવી હિંસક વ્યક્તિ જોવા મળે. ફરી આભાર. આવજો ! મળતા રહીશું.!
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  4. અરવિંદ કાકા,
    જે આતંકવાદીઓ આપણા દેશની જેલોમાં બેઠા બેઠા લીલા લહેર કરે છે એમનું આપણી સરકાર કશું બગડી નથી શકતી અને વાત કરે છે પાકિસ્તાનમાંથી આતંકવાદીઓને પકડવાની. પાકિસ્તાનમાંથી આ બધાને પકડીને પછી એમના ઉપર પણ વર્ષો વર્ષ કેસ ચલાવતા રહેશે અને છેલ્લે આ બધા પુરાવાના અભાવે ચૂતી જશે અને પછી આવતી લોકસભાની ચૂંટણીઓમાં આ લોકો ઉમેદવાર તરીકે ઉભા રહેશે અને ચૂંટાઈ પણ આવશે અને પછી એમને પકડવા માટે લોહીનું પાણી કરનાર સૈનિકો અને અધિકારીઓએ એમનીજ સુરક્ષા માટે ખડે પગે ઉભા રહેવું પડશે.
    રહી વાત છબરડાની તો આવો ગોટાળો કંઈ પહેલી વાર નથી થયો. પુરુલિયા શસ્ત્રકાંડના એક આરોપીને પકડવા માટે ગયેલી સી.બી.આઈ ની ટીમ સમય મર્યાદા વટાવી ચૂકેલું વોરંટ લઈને ગયી એટલે આર્જેન્ટીનાની કોર્ટે એની કસ્ટડી આપવાની ના પડી દીધી આની પહેલા ક્વોત્રોચ્ચીને પકડવા માટે અપાયેલી સમય મર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી સી.બી.આઈ પલાંઠી વાળીને બેથી હતી અને જયારે સમય મર્યાદા પૂરી થઇ ત્યારે આ લોકોએ કઈ દીધું કે હવે તો કશું કરી શકાય એમ નથી કારણકે કોર્ટે એને છોડી દીધો છે. અને સૌથી મહત્વનું ભોપાલ ગેસ કાંડના આરોપીને તે સમયના તત્કાલીન કોંગ્રેસી મુખ્ય મંત્રી જાતેજ પોતાના પ્લેનમાં બેસાડીને અમેરિકા છોડી આવ્યા અને હવે એના પ્રત્યાર્પણ માટે અમેરિકા સાથે વાતચીત કરવાના નાટક કરી રહ્યા છે. હરખ હવે તું હિન્દુસ્તાન.

    Like

    1. ભાઈશ્રી ભાવિન
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપની વાત સાથે 100% સહમત છું. આ સરકાર નપુસંકોની બનેલી છે. આપે મારાં લેખમાં રહી ગયેલા પ્રસંગો દર્શાવી પૂર્તિ કરી તે માટે આભાર. આ પહેલાંના મારાં 2010માં અફ્સલ અને કસાબને ક્યારે ભગાડો છો તેવા ટાઈટલ નીચે મૂકેલ લેખમાં તો મેં લખેલ છે કે દાઉદ મૂર્ખ હતો કે આ દેશ છોડી ચાલ્યો ગયો. જો દેશમાં રહ્યો હોત તો ચૂંટણી લડી સાંસદ બની શક્યો હોત અને માત્ર આંખના એક ઈશારે આ પોતડી દાસો એ તેને વડાપ્રધાન તરીકે પણ ચૂંટી કાઢ્યો હોત ! એટલે ભવિષ્યમાં આ આતંકવાદીઓ સાંસદ કે ધારા સભ્યો તરીકે ચૂંટાઈ આવે તો કોઈને આશ્ચ્રર્ય નહિ થવું જોઈએ ! આમેય હાલ પણ અંદાજે સંસદમાં 30 થી 40% ક્રીમીનલ્સ બેઠા જ છે અને ધારા સભાઓમાં દરેક રાજયોમાં પણ અંદાજે 30 થી 40 % ક્રીમીનલ્સ બીરાજે છે. અને તે સીવાયના પ્રધાનો બની દેશને લૂંટી રહ્યા છે. ખેર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

      1. અરવિંદ કાકા,
        તમે ધારો છો એટલો મુર્ખ દાઉદ નથી. કદાચ તમને ખબર ના હોય પણ વર્ષો પહેલા દાઉદે પોતાની સરકાર બનાવવાનો કારસો ઘડેલો. જયારે ભારતમાં અસ્થિર સરકારોનો યુગ ચાલતો હતો ત્યારે દાઉદે બે કરોડ લેખે એક એમ ૨૭૫ સંસદ ખરીદીને તેમના સમર્થન દ્વારા પોતાના એક સાગરિત વીકી મલ્હોત્રાને વડા પ્રધાન બનાવવાનો પ્લાન બનાવેલો. આના માટે તેણે ૫૫૦ કરોડનું બજેટ પણ તૈયાર રાખેલું અને ઘણા સાંસદો તો ખરીદી પણ લીધેલા આ તો સમયસર મુંબઈ પોલીસને આ કારસ્તાનની જન થઇ ગઈ અને જે હોટલમાં વીકી મલ્હોત્રા રહેતો હતો ત્યાં છાપો મારીને તેણે અરેસ્ત કરી લીધો. એની ડાયરીમાંથી ઘણા મોટા નેતાઓ અને અમલદારોના નામ નીકળેલા એમાંથી ઘણા ચૂતી ગયા, કેટલાકને સજા થઇ અને બાકીનાનું રામ જાણે. આ દેશની ભુલકણી પ્રજા ખુબજ જલ્દી બધું ભૂલી જતી હોય છે. વધારે લખવાનો સમય નથી, પરીક્ષાને કારણે અત્યારે થોડા દિવસથી વ્યસ્ત રહું છું એટલે વધારે લખવા કરતા ઘણા સમય પહેલા ગુપ્તચર સંસ્થાઓની નિષ્ફળતા વિષે મારા બ્લોગ પર લખેલા બે લેખની લીનક મુકું છું તે જોઈ લેજો જેથી તમને સંરક્ષણ અને આતંકવાદને મુદ્દે આ દેશમાં કેવી ગોબાચારી ચાલે છે તે વિષે જાણ થશે.
        http://www.bhavinsangoi.com/2010/12/intelligence-failure-2.html

        http://www.bhavinsangoi.com/2010/12/intelligence-failure-1.html

        Like

        1. ભાઈશ્રી ભાવિન
          મને ખરેખર આપે લખેલી વાત કે દાઉદે પોતાના સાગ્રિતને વડાપ્રધાન બનાવવાનો પ્લાન બનાવેલો આ સમાચાર આપની પાસેથી સૌ પ્રથમ જ સાંભળુ છું. આપે આપે આપેલ લીંક્ની અનુકૂળતાએ મુલાકાત લઈશ. અપ શાની પરીક્ષા આપી રહ્યા છો ? ફુરસદે ફરી બ્લોગની મુલાકાત લેતા રહી પ્રતિભાવો જણાવતા રહેશો તો આનંદ આવશે. આવજો ! મળતા રહીશું ! આપને પ્રત્યુત્તર આપવામાં થોડું મોડું થયું હોય દરગુજર કરશો.
          સ-સ્નેહ
          અરવિંદ

          Like

        2. આ ઘટના લગભગ ૯૫-૯૬ ના સમયની છે. એ વખતે છીંક આવે અને સરકારો પડી જતી હતી એવી રાજકીય સ્થિતિ હતી ભારતમાં. પાછળથી ગુજરાત સમાચારના ક્રાઈમ લેખક આશુ પટેલે પોતાની મુંબઈના અંડરવર્લ્ડની ઉપર લખેલી લેખમાળામાં પણ આ ઘટનાનો ઉલ્લેખ કરેલો. જોકે આ લેખમાળા ઘણા વર્ષો પહેલા લખાયેલી એટલે એનું નામ તો બરાબર યાદ નથી આવતું પણ અંધારી આલમની દુનિયા કે એવુંજ કશું નામ હતું.

          હું યુનિયન પબ્લિક સર્વિસ કમીશન દ્વારા લેવાતી સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરું છું. મારી ઈચ્છા આઈ.પી.એસ.(ઇન્ડિયન પોલીસ સર્વિસ) ઓફિસર બનવાની છે.

          Like

        3. ભાઈશ્રી ભાવિન
          આપ આઈપીએસ ઓફિસર બનો અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ !

          સ-સ્નેહ
          અરવિંદ

          Like

  5. જયારે પ્રધાનમંત્રી જ મજબૂર હોવાનું નિવેદન આપે ત્યારે ગૃહપ્રધાન પાસે આથી વિશેષ શું અપેક્ષા રાખી શકાય? દરેક ને માત્ર પોતાની ખુરસી બચાવવાની જ પડી છે.

    — આવું જાણી ને તો એવું જ લાગે કે દેશ ખરેખર રામ ભરોસે જ ચાલે છે.

    Like

    1. પ્રીતિજી
      આભાર ! આપની દેશ રામ ભરોસે જ ચાલે છે તે વાત સાચી હોવા છતાં થોડા સમય પહેલાં આ દેશના સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની એક બેંચે કોઈ કેસમાં રીમાર્ક કરેલો કે અ દેશનું સંચાલન ઈશ્વર પણ કરી શકે તેમ નથી અને આ ન્યાયાધીશો દેશનૂ સર્વોચ્ચ બુધ્ધિધન ગણાય ત્યારે હવે શું માનવું તે યક્ષ પ્રશ્ન બન્યો છે. ખેર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  6. ભલે આવે આ પચાસ પાછા, શરદભાઈ !બિચારા પચાસ વકીલો તો કમાશે. પચાસ કમિશનો બનશે એમાં પચાસ રિટાયર્ડ જજો પાંચેક વર્ષ કમાશે. આને નવી રોજગાર યોજના જ માનો ને!

    Like

    1. પ્રિય દિપકભાઈ;
      પ્રેમ;
      તમે તો આ આતંકવાદીઓની મહેનત પર પાણી ફેરવી દીધું. બસો પાંચસો નહી કરોડો લોકોની રોજગારીનુ કારણ છે આ આતંકવાદીઓ, જો તમે વિશ્વની દૃષ્ટિએ વિચારો તો. ભારતમા પણ લાખો લોકોને આ લોકો રોજગારી પુરી પાડે છે. સી સી ટીવી કેમેરા થી માંડીને કેટકેટલી સિક્યુરીટિ સિસ્ટમના ઉદ્યોગો આતંકવાદીઓને કારણે વિક્સ્યા છે. એ સિવાય એરપોર્ટથી માંડીને કેટલાય જાહેર ક્ષેત્રોના સ્થળોના રક્ષણ માટે સુરક્ષા કર્મચારીઓ, આઈબી ,ઈડી, સીબીઆઈ,સીઆઈડી ના કર્મચારીની નોકરી આ આતંકવાદીને કારણે જળવાયેલી છે. બીજા આડકતરી ઉભી થતી રોજગારી ગણો તો અધધધ થઈ જવાય. એ સિવાય વસ્તી વિસ્ફોટને લગામ તો બાય પ્રોડક્ટ છે.પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવું કહેવામા કદાચ ખોટું ન પણ હોય.
      પ્રભુશ્રિના આશિષ;
      શરદ

      Like

    1. શ્રી દીપક ભાઈ
      મુલાકાત માટ અને પ્રતિભાવ માટે આભાર ! શરદભાઈના પ્રતિભાવનો પ્રતિભાવ જણાવ્યો છે તે વાંચી લેવા વિનંતિ. અત્રે ફરી લખતો નથી. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  7. પ્રિય મિત્રો;
    પ્રેમ;
    ધારો કે આ પચાસે પચાસ આતંકવાદીઓને પાકિસ્તાન ભારતને સોંપી દે તો ભારતના કાયદાઓ તેમનુ શું બગાડી શકે? દીવા જેવી સ્પષ્ટ વાત છે કે આપણે ૨૫-૫૦ વર્ષસુધી તો કોર્ટોમા લડ્યા કરી શું અને ૨૫-૫૦ વર્ષ સુધી આ આતંકવાદીને સંઘરવાનો ખર્ચ આ ગરીબ દેશને કેટલો લાગે? આભર માનો પાકિસ્તાનનો અને આનંદો.
    પ્રભુશ્રિના આશિષ.
    શરદ.

    Like

    1. શ્રી શરદભાઈ
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપની વાત સાથે હું સહમત છું. હકિકતે દરેક આતંકવાદીઓ અફસલ અને કસાબની આપણાં દેશમાં જે રીતે ખાતર બરદાસ્ત થઈ રહી છે તે જોઈ મનોમન ઈચ્છતા હોવા જોઈએ કે તેઓને પણ ભારતને સોંપી દેવામાં આવે. આવા જ સંદર્ભ સાથે મેં 15/12/2009ના એક લેખ” હેડલી ડેવીડ અને રાણા” અમેરિકામાં પકડાયા બાદ અમેરિકાની સરકાર સમક્ષ અરજ ગુજારે કરે છે કે માઈ બાપ આપ અમોને સજા નહિ કરતા પરંતુ ભારત સરકારને સોંપી આપજો ! આવા જ સંદર્ભ સાથે હવે અફસ્લ અને કસાનબે ક્યારે ભગાડો છૉ તે મથાળા સાથે 2010માં લખેલૂં જેમાં જો દાઉદ ભાગી જવાને બદલે દેશમાં રહ્યો હોત તો કદાચ ચૂંટણી લડી સાંસદ બન્યો હોત અને વડોપ્રધાન પણ બની શક્યો હોત ! હાલ તો એ પેટા ભરીને પસ્તાતો હશે ! ખેર ! આવજો ! મળતા રહીશૂં.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

Leave a reply to ભાવિન સંગોઇ જવાબ રદ કરો