{{{ વર્ક કલ્ચર }}} — ( 1 )હોતી હૈ ચલતી હૈ બધું જ નિરાંતે કરવાનુ

{{{{{ વર્ક કલ્ચર }}}}} ——– ( 1 )

હોતી હૈ ચલતી હૈ બધું જ નિરાંતે કરવાનુ

આપણાં દેશમાં પ્રવર્તતી કામ કરવાની પધ્ધતિ અર્થાત વર્ક કલ્ચર ઉપર કંઈક લખવા થોડા સમય થયા વિચારી રહ્યો હતો ત્યાં હમણાં 26/09/2010ની ગુજરાત સમાચારની રવિ પૂર્તિમાં આવેલા શ્રી જય વસાવડાના સ્પેક્ટ્રોમિટર હેઠળની કોલમમાં આવેલા લેખે મને ધક્કો મારી આ લેખ લખવા પ્રેર્યો !

અલબત્ત શ્રી જયે તો માત્ર કાઠિયાવાડ અર્થાત સૌરાષ્ટ્રને લક્ષ્ય બનાવી, પોતાનો લેખમાં કામ કરવાની કાઠિયાવાડી સ્ટાઈલ ઉપર, સુંદર પણ વેધક શબ્દો દ્વારા રજૂઆત કરી છે. ખાસ તો મોડી પડતી સવાર અને બપોરની 3-4 કલાકની વામકુક્ષી અર્થાત લંચ બ્રેક વિષે ખૂબ જ સુંદર શબ્દોમાં, હળવા કટાક્ષ દ્વારા, અહિના લોકોની આ વિશિષ્ટ ખાસિયત ઉજાગર કરી છે.

હોતી હૈ ચલતી હૈ જેવી કાર્ય પધ્ધ્તિ અર્થાત બધું જ નિરાંતે કરવાનું કે, કોઈ પણ પ્રકારના અને ગમે તેવા અગત્યના કામથી પણ બિલકુલ વિચલીત થયા વગર અહિની પ્રચલિત રીત પ્રમાણે નિરાંતવા થઈ કરતા રહેવું !

જય વસાવડાના લેખમાં કાઠિયાવાડના ધંધા-દારીઓ-વ્યાપારીઓ VIS-A-VIA કોરપોરેટ કલ્ચરની મોટે ભાગે તુલના કરવામાં આવી છે. જેમાં કોરપોરેટ ઓફિસોમાં જો કાઠિયાવાડી બોસ હોય તો, બપોરના લંચ બાદ વામકુક્ષી કરી લેવાની લાલચ રોકી શક્તો નથી તે મહદ અંશે સત્ય કથન છે.

જ્યારે સરકારી-અર્ધ સરકારી ઓફિસો પબ્લીક સેકટર જેવી કે બેંકો અને વિમાની ઓફિસોમાં આ વર્ક કલ્ચર કેવું પથરાયેલું છે તે વિષે જય ભાઈ લગભગ મૌન રહ્યા છે. સરકારી અને અર્ધ્-સરકારી ઓફિસોમાં સામાન્ય રીતે કામના કલાકો 7 ½ સાડા કલાકનાં હોય છે જેમાં અર્ધો કલાક લંચના સમયનો સમાવેશ કરવામાં આવેલો છે. જયારે બેંકો અને વિમાની ઓફિસોમાં કામના કલાકો 7 કલાક્ના અર્ધા કલાકના લંચના સમયના સમાવેશ સાથે હોય છે.

આ કામના કલાકો દરમિયાન કર્મચારીઓ અધીકારીઓ સહિત કામ પ્રત્યે કેવું વલણ ધરાવતા હોય છે તેનું જો કોઈ ઓફિસમાં કામ પડે તો અને ત્યારે જ પ્રત્યક્ષરીતે અનુભવી શકાય ! અરજદારનું કામ કરવું -નિપટાવવું- ટાળવું કે ટલ્લે ચડાવવું વગેરે યુક્તિઓ આ તમામ ઓફિસોના કર્મચારીઓ રોજ રોજ નવી નવી શોધી કાઢે છે. અને જો દુનિયામાં કામ ટાળવા-કે યુક્તિ પૂર્વક નહિ કરવાની હરીફાઈ યોજવામાં આવે તો આપણાં દેશના કર્મચારીઓ અને અધિકારીઓ પ્રથમ નંબર મેળવી દેશને ગૌરવ ( ? ) અપાવે તે નિઃશંક છે.

આ કામ ટાળવાની -નહિ કરવાની- વિલંબમાં નાખવાની – અન્ય કર્મચારી ઉપર હવાલો નાખવાની/ઢોળવાની યુક્તિઓ કઈ રીતે અમલમાં મૂકાય છે

તેના કેટલાક જાત અનુભવો અત્રે પ્રસ્તુત કરું છું. મને 100% વિશ્વાસ/શ્રધ્ધા છે કે, આ લેખ વાચનાર મિત્રોને આવાજ અથવા તેના જેવા સમાન સ્વરૂપના અનુભવો અચુકપણે થયા જ હશે અને ત્યારે સમસમીને બેસી રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હોવાની સંભાવના વધારે રહે છે.

*** સૌ પ્રથમ શરૂઆત કરીએ ઓફિસોના કામકાજ શરૂ કરવાના-લંચ અર્થાત રીસેસ તથા ઓફિસના પૂરા થવાના સમય બાબત. સામાન્ય નાગરિકોનો અનુભવ બોલે છે કે સરકારી-અર્ધ-સરકારી કે બેંકો કે વિમા ઓફિસો તેના નિયત સમયમાં ભાગ્યેજ કામ ચાલુ કરતી જોવા મળે છે. મોટા ભાગના કર્મચારીઓ નિયત સમય કરતા 15-30 મિનિટ મોડા ઓફિસમાં હાજર થતા હોવા છતાં મસ્ટર રોલમાં સમય સર આવી ગયાની હાજરી પૂરતા રહે છે .જે સમય સર આવી ગયા હોય છે તે પોતાને સોંપેલી કામગીરી ચાલુ કરવાને બદલે અંદરો અંદર દેશમાં-રાજયમાં કે પોતાના શહેરમાં બનેલા કરંટ બનાવો વિષે તથા જો ક્રિકેટ મેચ ચાલતો હોય તો પોતાના નિષ્ણાત અભિપ્રાય ઉપર પિષ્ટ પીજંણ કરતા રહે છે આ રીતે કામના કલાકો વેડફાય છે .આ દરમિયાન જો કોઈ અરજદાર પોતાના કામની તપાસ કરવા આવે તો, એવા તો તોછડાઈ ભરેલી ભાષા સાથે વળચકા ભરવા લાગે છે અને તેનું કામ કેમ ટલ્લે ચડાવવું કે વિલંબમાં નાખવું તેની યુક્તિ કરવા લાગે છે.

*** લંચ માટે 30 મિનિટનો સમય નિયત થયેલો હોવા છતાં મોટા ભાગના કર્મચારીઓ આ દોઢ/બે કલાક ભોગવતા નજરે પડે છે અને પરત આવ્યા બાદ ફરી એક વાર અંદરોઅંદરની વાતચીતનો દોર તો ચાલુ જ રહેતો હોય છે. ઓફિસ પૂરી થવાના નિયત સમય પહેલાં મોટા ભાગના કર્મચારીઓ 30-45 મિનિટ પહેલાં પોતાની કામગીરી આટોપી બાથરૂમમાં ફ્રેશ થવા ચાલ્યા જાય છે.

*** કામ કરવાની ઉપરોક્ત વર્ણવેલ સ્ટાઈલ દરેક ઓફિસોમાં પ્રવ્રતે છે. હવે કામના કલાકો જે સાત કલાક/સાડા છ કલાક ( બેંકો-વિમા કચેરીઓ) નિયત થયેલા છે તેમાંથી વાસ્તવમાં કર્મચારીઓ કેટલા કલાક કામગીરી બજાવે છે તે ગણત્રી કરવાનું વાચકો ઉપર છોડી દઉ છું.

હવે વિવિધ ઓફિસોના મને થયેલા સ્વાનુભવો વાચકોની જાણ માટે પ્રસ્તુત કરું છું

ટેલિફોન ડીપાર્ટમેંટ

( 1 ) જુન 2010ના રોજ હું મારાં ટેલિફોન અને બ્રોડ-બેંડના ભાડાની રકમ એક વર્ષના એડવાંસ ભરવા મુખ્ય કચેરીએ સવારના 10-30 વાગે ગયેલો અને ત્યાં કાઉંટર ઉપર બેઠેલા કલાર્કને મારા ટેલિફોન નંબરની માહિતિ આપી કેટલી રકમ ભરવાની થશે તે જણાવવા વિનંતિ કરતા તેણે કોમપ્યુટર ઉપર જોઈ એક ચીટ બનાવી આપી અને મને તેમના સાહેબની કેબીનમાં જવા જણાવ્યું અને તેઓ શ્રી પેમેનેટ સ્વીકારાવા માટેનુ ઈનવોઈસ બનાવી આપશે તેમ કહેતાં હું સાહેબની કેબીનમાં દાખલ થયો, બાદ ત્યાં બેઠેલા સાહેબે મારી સામે જોઈ આંખથી મને શું કામ છે તે જણાવવા જાણે ઈશારો કર્યો. જવાબમાં મેં તેમને પેલી ચીટ દેખાડી અને પેમેનેટ માટે ઈન વોઈસ બનાવી આપવા વિનંતિ કરી. સાહેબ જરા કચવાયા હોય તેમ તેમની મુખાકૃતિ ઉપરથી મને જણાયું. ત્યાં જ મારી દ્રષ્ટિ સાહેબાના કોમ્પ્યુટર સ્કીન પર પડી જેમાં સાહેબ પાનાની રમત રમતા હતા. તે નજરે પડતા તેમના મોઢા ઉપરના કચવાટનું કારણ મને સમજાયું. અલબત્ત સદભાગ્યે સાહેબે રમત અટકાવી ઈનવોઈસ બનાવી આપતા તે લઈ હું કેશીયર પાસે જતો હતો ત્યાં મારી નજર ઓફિસની અંદર કેશીયર ઉપર પડતા મેં તેમને ત્યાંથી જ રકમ સ્વીકારી લેવા વિનંતિ કરી પણ તેણે ઈનકાર કર્યો અને બહાર કાઉંટર ઉપર આવવા જણાવ્યું. ત્યાં પણ કોમ્પ્યુટર ઉપર પાનાની રમતના પાના પથરાયેલા મારી નજરે પડ્યા. આમ દિવસની ઓફિસના શરૂઆતના કલાકો દરમિયાન જ જો સાહેબો અને કર્મચારીઓ ઓફિસના કોમપ્યુટરો નો ઉપયોગ રમવા માટે કરતા હોય તો તે અન્ય કર્મચારીને કઈ જાતના સંદેશા પાઠવે છે તે વાચક મિત્રો આપ જ કહો !

( 2 ) નગર પાલિકામાં હાઉસ ટેક્ષ ભરવા ગયેલો ત્યારે જે તે બારીઓ ઉપર કોઈ વ્યક્તિ રકમ સ્વીકારવા હાજર ના હોય જો લાઈન હોય તો કરદાતાઓ માટેની જગ્યાએ કોઈ બેસવાની કે પંખાની પણ વ્યવસ્થા નાહોય તે જાણે સ્વાભાવિક ક્રમ હોય તેમ જણાય છે. આવા એક પ્રસંગે મારે એક અધિકારી પાસે તેમની કેબીનમાં પ્રવેશી કહેવું પડેલું કે, “સાહેબ, અમે અહિ નગર પાલિકા લોકોભોગ્ય કામગીરી કરે કે ના કરે તો પણ કરવેરા ભરવા આવીએ છીએ. અમે કોઈ માગણ ભીખારી નથી. અમે માગવા નહિ આપવા આવીએ છીએ ત્યારે આપના કર્મચારી તેમની જ્ગ્યાએ હાજર ના હોય ત્યારે બેસવાની સુવિધા કરદાતાઓને પંખા સાથે આપવાની નગર પાલિકાની કોઈ ફરજ નથી કે શું ?”

આ ઉપરાંત નગર પાલિકાને કેટલાક સુચનો કરતો એક પત્ર લખેલો કે શહેરના અનેક રાજ માર્ગો કે જેની લંબાઈ 5-7 કીલો મીટર જેટલી થવા જાય છે તે માર્ગો ઉપર રાહદારીઓ માટે એક પણ જાહેર ટોયલેટ કે મુત્રાલય ના હોય, ત્યારે ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ ક્ષોભ અને શરમજનક સ્થિતિ સર્જાતી હોય, આ માર્ગો ઉપર જાહેર ટોયલેટ અને મુત્રાલય બનાવવા જોઈએ. સામાન્ય રીતે આવા સુચનોના કોઈ જવાબ નગરપાલિકા કે સરકારી કચેરીઓ તરફથી મળતા હોતા નથી. પરંતુ મારાં આશ્ચર્ય વચ્ચે નગરપાલિકાએ જવાબ આપતા મને જણાવ્યું કે, આપે સુચવેલા માર્ગો ઉપર કોઈ જગ્યા ઉપલબ્ધ ના હોય આવી સુવિધા ઉભી કરી શકાય તેમ નથી. તેમ છતાં જો આપ- અર્થાત સુચન કરનાર – આવી જ્ગ્યા દર્શાવશો તો નગરપાલિકા આ વિષે વિચાર કરશે ! નગરપાલિકાને આવા કામ માટે સ્થળો સુચવવાનું કામ પણ સુચન કરનારે કરવું જોઈએ એવા બેહુદા બહાના હેઠળ આખી વાત ટાળી દેવાની કેટલી સુંદર ચાલાકીભરી રમત લોકોના આરોગ્યને ભોગે આ સત્તાધીશો રમી રહ્યા છે, .તે આ જવાબ સચોટ પુરાવો છે આ જવાબ સાથે મારો પત્ર ગુજરાતના મુખ્ય મંત્રી તથા આરોગ્ય પ્રધાનને મેં મોકલી આપ્યા હોવા છતાં આજ સુધી કોઈ પ્રત્યુત્તર મળવામાં નથી. સવર્ણિમ ગુજરાતની ઉજવણીમાં લાખો રૂપિયા ખર્ચવા વ્યસ્ત સમગ્ર તંત્રને, ગંદકી દૂર કરવા આવા જાહેર ટોયલેટૉ કે મુત્રાલયો ઉભા કરવાનું સુઝતું નથી ! સફાઈ/સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાને બદલે લોકોના કરોડો રૂપિયા બાહ્ય દેખાવો અર્થાત સુશોભન પાછળ ખર્ચાઈ રહ્યા છે !

( 3 ) પોસ્ટ ઓફિસો

મહિનામાં ઓછામાં ઓછા 3-4 દિવસ એવા આવે કે, કોઈ પણ વ્યક્તિ પોસ્ટને લગતા કે ટેલિફોન બીલ/બચત ખાતાના કામ માટે પોસ્ટ ઓફિસે જાય ત્યારે જવાબ મળે કે, આજે કોમ્પ્યુટર બંધ હોય કોઈ કામગીરી થઈ શકશે નહિ. આશ્ચર્યની વાત તો એ છે કે, કામગીરી કોમ્પ્યુટરને કારણે નિયમિત રીતે અટકી પડતી હોવા છતાં કોઈ સાહેબો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા વિચારતું નથી. અને ગ્રાહકોને ટલ્લે ચડાવી રોજ રોજ ધક્કા ખવડાવી રહ્યા છે !

( 4 ) ઈંકમ ટેક્ષ ( આવક વેરા કચેરી )

મારી આવક આવક વેરો ભરવા જેટલી નહિ હોવા છતાં અને બેંકમાં આ વિષે નિયત કરેલા ફોર્મમાં જાણ કરેલ છતાં બેંકે ભૂલથી મારી વ્યાજની આવકમાંથી ટીડીએસ કાપી લીધેલો જે રકમ પરત મેળવવા મારે ફરજિયાત રીટર્ન ફાઈલ કરવું પડેલું. લાંબા સમય બાદ મને મારી રીફંડ રકમનો ચેક આવક વેરા કચેરી તરફથી મળ્યો. રીફંડ ઓર્ડરની અને ચેકની તારીખ 03/11/2009 હતી જે મને એક જ શહેરમાં હોવા છતાં અને મારા ઘર અને આવકવેરાની કચેરી વચ્ચે માત્ર 1 કીલો મીટર જેટલું અંતર હોવા છતાં 19/01/2010ના મળ્યો. ઠીક 77 સીતોતેર દિવસ બાદ ! આથી નારાજ થઈ એક પત્ર મેં આઈટીઓને 01/02/2010ના રીફંડ આપવામાં જે વિલંબ ડીપાર્ટ્મેંટે કર્યો છે તે સમયનું વ્યાજ ચૂકવી આપવા લખ્યો અને તે પત્ર ઓફિસમાં દેવા માટે હું રૂબરૂ ગયેલો ત્યારે આવકવેરાની જે કચેરીનું શરનામુ હતું ત્યાં જઈ પત્ર કોને આપવો તે પૂછતાં મને તેમની બીજી ઓફિસ કે જે રસ્તો ઓળંગી સામી સાઈડમાં ચોથે માળે આવેલી છે તેમ જણાવતા, મેં વિનંતિ કરી કે જો આપ મારી મોટી ઉંમર જોઈ અહિ સ્વીકારીલો તો સારું. પરંતુ તેનો અસ્વીકાર કરતા હું તે ઓફિસે ગયો જ્યાં મારા કમભાગ્યે લીફ્ટ બંધ હતી જેથી ક્ષણભરતો મને થયું કે, પત્ર દીધા વગર પરત ચાલ્યો જઉ અને ફરી આવતીકાલે આવીશ પણ ફરી વિચારતા થયું કે કાલે પણ લીફટ ચાલુ નહિ હોય તો શું ? માટે આજે જ જે કામ માટે આવ્યો છું તે પૂરું કરીને જવા નિર્ધાર કરી ધીમે ધીમે દાદરા ચડવા શરૂ કર્યા. આખરે ચડેલા શ્વાસે મારી મંઝિલ સુધી પહોંચ્યો. અને હાંફતા હાંફતા જ્યાં પેલા કલાર્કે સુચવેલા તે કર્મચારી પાસે જઈ આ પત્ર સ્વીકારવા વિનંતિ કરતા, તેણે પત્ર વાંચી, તે પત્ર બીજા રૂમમાં આપવા જણાવ્યું . તેથી બીજા રૂમમાં જઈ જે તે કલાર્કને શોધી પત્ર આપતા તેણે પણ અન્ય રૂમમાં આપવા જણાવતાં આમ એક ટેબલ ઉપરથી બીજા ટેબલ ઉપર ફૂટબોલની જેમ ફંગોળાતો ફરીને નવા રૂમમાં નવા ક્લાર્ક સમક્ષ પત્ર સ્વીકારવાની વિનંતિ સાથે ઉપસ્થિત થયો તેણે પણ સામેના રૂમમાં પત્ર આપવા જણાવતા ત્યાં કોઈ વ્યક્તિ હાજર નથી તેમ કહ્યું એટલે ત્યાં જ ઉભેલ એક કલાર્કે કહ્યું કે, આવો તમારો પત્ર મને આપી દો ! તેના રૂમમાં ગયા બાદ મે જરા નાખુશ અને નારાજ થઈ કહ્યું કે, તમારા જેવા કર્મચારીઓ જ આ દેશની આબરૂની પાડ પીટે છે. અમારા જેવા સીનયર સીટીઝન અને ઉમર લાયક વ્યક્તિઓએ સહાય રૂપ થવાને બદલે નિર્દયતા પૂર્વક હેરાન કરતા શરમ આવવી જોઈએ તેને બદલે માત્ર અને માત્ર કામ ટાળવા આ રીતે અરજદારોને ફુટબોલની જેમ અહિથી ત્યાં અને ત્યાંથી અહિ ફંગૉળી વિકૃત આનંદ માણો છો !

આ પત્રનો 21/04/2010 સુધી અર્થાત અંદાજે 51 દિવસ થયા છતાં, કોઈ જવાબ નહિ આવતા મેં એક રજી.એડી. પત્ર ચીફ કમીશ્નર આવક વેરા રાજકોટને આ વિષે જાણ કરી. તે ઓફીસે જામનગર આવકવેરા અધિકારીને મારી રજુઆતનો જવાબ 15 દિવસમાં આપવા સુચના આપવા છતાં 31/05/2010 જામનગર ઓફિસનો કોઈ જવાબ મને મળ્યો ન હોય તેની જાણ ફરી રાજકોટ ચીફ કમીશ્નરને કરતા આખરે લગભગ બીજા 15 દિવસ બાદ ( મને રીફંડનો ચેક સહી સિક્કા થઈ ગયા પછી પણ 77 દિવસ મોડો મોકલતા ) તે વિલંબીત સમયના વ્યાજ પેટે રૂપિયા 50/- નો ચેક મોકલવામાં આવ્યો ! આમ આ પ્રકરણનો મારા ધકકા ઉપરાંત ફરિયાદ અર્થાત ટપાલ ખર્ચ વગેરે અંગે થયેલા અંદાજે રૂપિયા 125/- થી પણ વધારે ખર્ચ છતાં મને વ્યાજ પેટે માત્ર રૂપિયા 50/- જેવી નાની રકમ મળતાં પણ આનંદ થયો !

હજુ અન્ય સરકારી ઓફિસો અને બેંકો-વિમા કંપનીઓ વગેરેના સ્વાનુભવો જણાવવાના બાકી હોય આ લેખ વધુ લાંબો નહિ કરતા આ લેખને બે વિભાગમાં વહેંચી નાખવો મુનાસીબ માન્યો છે કે, જેથી વાચકોને લાંબુ વાંચવામાં કંટાળો/થાક ના લાગે ! બીજો લેખ બ્લોગ ઉપર મૂકાય તે દરમિયાન આ લેખ વાંચનાર તમામ મિત્રોને મારી નમ્ર વિનંતિ છે કે આ લેખને અંતે આપ સૌ મિત્રો આપના સ્વ અનુભવો આપના પ્રતિભાવ મારફત અવશ્ય જણવશો.

29 comments

  1. બહુ સાચી વાત- જે લોકો ભારત હવે સુપર પાવર બની જશે એમ કહે છે તેમને એક સંદેશ-દેશને સુપર પાવર કોમ્પ્યુટર કે અણુ શસ્ત્રો નથી બનાવતા-લોકો બનાવે છે-લોકોની કામ કરવાની વૃત્તિ બનાવે છે.એક એક વ્યક્તિ પોતાની ફરજ બજાવે તો દેશ આગળ વધે-.
    દેશને જઋર છે એક ગાંધીની-નટવર ગાંધીની-જે ગુજરાતીએ વોશિંગ્ટન ડી સી-નું ખોટ ખાતાં અર્થ તંત્રને નફાકારક બનાવ્યું અને અમેરિકનોને પણ દસ દસ કલાક કામ કરાવી દોડતા રાખ્યા-નોકરી લીધા પછી એક જ મહિનામાં સેંકડો આળસુઓને પાણીચું પકડાવી દીધું હતું- હા,તેમના હાથ નીચે ૬૦૦૦૦ કર્મચારીઓ છે-
    (આંકડાઓમાં ભુલચૂક લેવા દેવી)

    Like

    1. શ્રી હરનીશભાઈ
      આભાર મુલાકાત અને સુંદર અને સચોટ પ્રતિભાવ માટે ! આપની વાત 100% સાચી છે જ્યાં સુધી કામ પ્રત્યેની નિષ્ઠા અને પ્રતિબધ્ધ્તા છેક તળીયા સુધી પેદા નહિ કરી શ્કાય ત્યાં સુધી સુપર પાવર બનવાના ખ્વામોમાં જ રાચવાનું રહેશે અને આવી નિષ્ઠા અને પ્રતિબધ્ધતા ઉપરથી નીચે સુધી પહોંચાડવા ઉચ્ચ સ્થાનમાં બીરાજેલા તમામે રાજકારણ છોડી તમામ સ્તરે દેશાભિમાન પ્રગટાવવા પરિશ્રમ કરવો પડશે ! હાલના સત્તાધારી રાજકારણીઓ આ કરી શકશે કે કમ તે યક્ષ પ્રશ્ન છે ! ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  2. I do NOT think that work culture is an issue ONLY with govt./public sector employees. It is an issue across all cross sections of Indian society. Whether it is bank clerk or a plumber or your maid or internet service provider; we, in general, do NOT believe in keeping our word. We do not worry that others will suffer if I don’t do my job or keep my word. We don’t believe in helping our brothers/sisters by driving on the ‘right’ side. We do not like to apply break; look both sides and then drive. We just want to drive. Who cares if I am driving on the ‘right’ side or not?

    We as people, are short sighted and narrowly self-centered. We do not know what professionalism is because we don’t respect other human beings. Especially when I have (or I think I have) power! If I am a policeman, I feel I have power to harass regular citizens. If I am a watchman in a Mall, I feel I have power to stop and harass customers. If I am a lineman in BSNL, I feel I have power to keep ‘Saheb’s phone down for days together. If I were a builder, I feel powerful in cheating my customers and robbing them of their rights.
    If I were a doctor, I feel powerful in giving out appointments 2 hours earlier than I actually reach my clinic; thus keeping them waiting for no good reason.

    What is wrong with us???

    Somewhere, somehow, we got this wrong notion of wrongly exercising power and feeling powerful! I have no idea where this came from? Does all above things will make you feel powerful? NO! I feel powerful if…
    I were a policeman , and I help a senior citizen on the road who is in trouble.
    I were a maid, and I don’t take leave when my employer needs me the most.
    I were a watchman in the garden, and I help walkers’ group by removing hurdles from the walking trail.
    I were a builder, by taking care of all required infrastructure for my customers before handing over the key.

    If I were not a watchman in the garden, I won’t have luxury to think and act on walkers’ group’s problems. This makes me feel powerful; just because I am a watchman in the garden, I can use my position to help my fellow citizens. This is real POWER!

    I know there are few amongst us who exactly think this way and that’s the reason our society is still surviving. But most of ‘us’ need to feel powerful in right way if we want to make our lives livable and society a respectful society.

    As one Gujarati Saying goes :

    Koova maa hoi to haveda maa aave !

    One can be called a cultured person if one understands that the power is in helping my fellow citizens and not in harassing them. If whole society is full of people who are NOT cultured in this sense, how can we expect a good work-culture from a small class of people?

    We need to spread culture first before we can really spread Work culture.

    Hope I could put my point across.

    This is good discussion, thanks Uncle.

    Regards,
    -Bipin.

    Like

    1. ભાઈ બીપીન
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપે સાચું જ નિદાન કર્યું છે કે નાની વ્યક્તિથી શરૂ કરી છેક ઉપર સુધી પોતે જે કરે છે તે સાચુ છે તેમ જ માને છે અને પોતાને કારણે કેટલાને અગવડ પડે છે તે મોટા ભાગના લોકો વિચારતા નથી અને સ્વાનંદમાં મસ્ત થઈ સોટા પાડ્યા કરતા રહે છે. આવું વર્તન નાના લોકો મોટા અર્થાત ઉચ્ચ હોદા ઉપર બેઠેલાઓને જોઈને કરતા હોય છે. આ દેશના વડાપ્રધાન કોઈ માર્ગ ઉપરથી પસાર થવાના હોય તે પહેલાં તે રસ્તાઓ 4-5 કલાક અગાઉથી આમજનતા માટે બંધ થઈ જાય અને પરિણામે અનેક અગવડો ઉભી થાય ક્યાએ ક કોઈ દર્દી રસ્તા બંધ હોવાને કારણે મૃત્યુ પામે કે કોઈ પ્રસુતાની પ્રસુતિ રસ્તામાં એમબ્યુલન્સમાં જ થઈ જાય અને કોઈના પેટનું પાણી પણ ના હાલે ! મોટાભાગના આ સત્તાધીશો સમય આપયો હોય તેના કરતાં મોડા ના આવે તો તેમનું મહત્વ ઝૂંટવાઈ જતું માનતા હોવા જોઈએ. સમયની પા-બંધી જળવવાની વાત તો મોટાભાગના લોકો જરૂરી સમજતા જ નથી. સાચી વાત છે દર્દીને સમય આપ્યા બાદ ડૉક્ટર પોતે જ 2-3 કલાક મોડા આવે તે કેમ માફ કરી શકાય ? આવુ તો દરેક સ્તરે જોવા મળે છે. અરે લગ્નમાં હસ્ત મેળાપ કે રીસેપ્શનમાં 2-3 કલાક મોડું ના થાય તો જેમનો પ્રસંગ હોય તેમની પ્રતિષ્ઠા જોખમાતી અનુભવયા છે. ડ્રાઈવીંગ અને ટ્રાફિકના નિયમોને આ દેશમાં કોઈ સંબંધ નથી અને એથી તો માર્ગ અકસ્માતમાં આપણો દેશ દુનિયા આખીમાં પ્રથમ સ્થાન ભોગવી રહ્યો છે ! ઉત્સવ ખાનગી કે જાહેર જો ઉન્માદમાં ફેરવ્યા વગર અર્થાત બેફામ ઘૉઘાટ અને ગીર્દી જાહેર રસ્તા ઉપર અનેક લોકોને અગવડ ઉભી કર્યા સીવાય ઉજવી જ ના શકાય્ ફુલ વોલ્યુમથી વાગતા માઈક કે માર્ગો ઉપર ફોડવામાં આવતા ફટાકડા તો પ્રતિષ્ઠા ગણાય છે મારા ભાઈ !
      ટૂંકમાં આપણા મોટા ભાગના લોકોની માનસિકતાનું ઘડતર જ એવું કરવામાં આવી રહ્યું છે કે દરેક્ને પોતાની જાતને પાવરફુલ બનાવી જ્યાં શકય હોય ત્યાં પાવર દેખાડવાની જાણે આદત પડી ગઈ છે ! આ વિષય ઉપર તો જેટલુ લખો તેટલું ઓછું છે ! મારો પ્રયાસ આવી આદત છોડવા માટે લોકોને સભાન બનાવવા એક ટકોર માત્ર છે !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  3. અરવિંદભાઇ. આપનો આક્રોશ વ્યાજબી છે. આવા અનુભવો તો સરકારી ઓફિસોમાં સામાન્ય વાત બની ગઇ છે. એક તો કામચોરી તો કરતાં જ હોય અને પાછાં ઉદ્ધતાઇ પણ એટલી જ હોય છે. અને કામ કરે તે પણ જાણે આપણા પર ઉપકાર કરતાં હોય તેવું એમનું વલણ હોય.

    Like

    1. મીતાજી

      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપની વાત સાચી છે કર્મચારીઓ માત્ર કામ ટાળતા કે વિલંબમાં જ નથી નાખતા હોતા પણ ખરાબ શબ્દો સાથે ઉધ્ધતાઈથી ગ્રાહકો/અરજદારો સાથે વર્તતા પણ જણાય છે અને કામ જાણે ઉપકાર કરતા હોય તે રીતે કરતા રહે છે. બીજા ભાગમાં થોડા વધારે અનુભવો સાથે 3-4 દિવસમાં બ્લોગ ઉપર આવીશ દરમિયાનમાં આપ સૌ બ્લોગર મિત્રો પણ આપના કે આપના મિત્રોના આવા કડવા અનુભવો કહેવા તૈયાર રહેશો તેવી આશા સાથે

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  4. શ્રી અરવિંદભાઇ,
    આપનો લેખ એકદમ ચોખ્ખા આયના જેવો છે, જેમાં આપણી આ કામચોરીની આદત (ખાસ તો સરકારી કચેરીઓમાં) નું સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે. હમણાં ટેલિફોન કચેરીએ જવાનું થયેલું, બપોરે ૧-૦૦ વાગ્યે પહોંચ્યો તો કહેવામાં આવ્યું કે સૌ લોકો જમવા ચાલ્યા ગયા છે, હવે ૩-૩૦ વાગ્યા પછી જ આવો. મારા બાપુજી પણ સરકારી કર્મચારી હતા તેઓ સવારે ૯-૩૦ વાગ્યે જમીને જતા તે ફરી સાંજે જમતા. (હાલ નિવૃત થયા છતાં જમવાનો સમય એ જ રહ્યો છે) તેથી મને એમ જ કે સરકારી કચેરીઓમાં બપોરે જમવાની રજા પડતી જ નહીં હોય !! વેપારીઓ તો પોતાના જોખમે પ્રમાદ કરે છે, જેમ કે અહીં બધે જ બપોરે ૧ થી ૪ મોટાભાગની દુકાનો બંધ રહે છે, સામે તેઓ સવારે ૭-૮ વાગ્યે ધંધે ચઢે અને રાત્રે ૯ વાગ્યા સુધી તો ધંધે બેસે જ છે. પરંતુ આ ૧૦ વાગ્યે કામે ચઢી અને ૫ વાગ્યે છુટનારાઓ બપોરે વળી સાડાત્રણ કલાક આરામમાં કાઢે (એ પણ પ્રજાના પૈસાના પગારે !) તેમાં દેશનું શું ધુળ ભલું કરશે ?
    આપનો આક્રોશ વ્યાજબી છે, હજુ આગળ થોડું કહેવું છે પણ તે ભાગ-૨ માં વાત. આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ
      આભાર મુલાકાત ને પ્રતિભાવ માટે ! આપનો અનુભવ તે માત્ર આપનો જ નથી સામાન્ય ગ્રાહકો/અરજદરોનો રોજ બરોજ નો થઈ પડ્યો છે અને તેનું કારણ મારાં મતે દરેક ઓફિસોમાં ઉપરથી છેક નીચે સુધી વ્યાપેલો ભ્રષ્ટાચાર મુખ્ય છે. ઉપલા અધિકારીઓ બીનકાર્યક્ષમ અને ભ્રષ્ટાચારી હોવાની જાણ નીચેના કર્મચારીઓને હોય જ છે કેટલીક ઓફિસોમાં તો ઉપલા અધિકારીના એજંટ તરીકે નાના ઈવન પટાવાળા જેવા કર્મચારીઓ ગ્રાહકો/અરજદારો પાસેથી ભ્રષ્ટાચારની રકમ લઈ મોટા સાહેબોને પહોચાડતા હોઈ આ સાહેબો તેની નીચેનાઓને કઈ હેસિયતથી કામચોરી નહિ કરવા આદેશ આપી શકે ! બીજા અનુભવો સાથે 2-3 દિવસમાં જ આવી રહ્યો છું ત્યાંસુધી રજા આપશો ! આવજો ! મળતા રહીશું ! પ્રત્યુત્ત્રર મોડો થવાનું કારણ પણ વર્ક કલ્ચર નો છેલ્લા 4-5 દિવસ થયા ભોગ બનેલ હોઈ વિલંબ થયો છે જે વિષે બીજા પાર્ટમાં –
      સ-સ્નેહ
      અરવિદ

      Like

  5. વડીલ શ્રી, આપની વાત બિલકુલ સાચી છે. આવા અનુભવો અસંખ્ય વાર થતા હોય છે. ખાસ કરી ને ગવર્મેન્ટ સેટઅપ માં …. અરે , બેંકમાં જઈએ તો પણ … જાણે આપની ઉપર ઉપકાર કરતા હોય તેવા મુખભાવ દર્શાવી ને કામ કરે છે. લગભગ તો અમારા બેંક નાં કામ સ્ટાફ ના ભાઈ જ કરતા હોય . એક વાર તેમની ગેરહાજરી માં મારે જવાનું થયું , સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં FD મુકેલી તેનું certificate લેવાનું હતું . જે ટેબલ ઉપર થી લેવાનું હતું તે ભાઈ મોબાઇલ પર વાતો માં મગ્ન હતા ….. ખાસ્સી ૧૦ મિનીટ તેમની સામે ઉભી રહી …. પણ જોવાની દરકાર પણ કરી નહિ . પછી ચાલુ ફોનેજ તેઓ ઉઠી અને ક્યાંક ચાલ્યા ગયા …. વળી ૧૦ …૧૫ મિનીટ રાહ જોઈ અને પછી બાજુના ટેબલ ઉપર પૂછ્યું તો કહે ચા પીવા ગયા હશે … હમણાં આવશે ….. ત્યાર પછી લગભગ ૮ થી ૧૦ મીનીટે તે આવ્યા પાન ચાવતા ચાવતા….. પછી કહે હં બોલો … એટલે મેં રશીદ બતાવી અને FD certificate માગ્યું એટલે તેમને તેમના ટેબલ નું ખાનું ખોલ્યું અને અંદર કૈક થોડા કાગળો આમતેમ કરી ને જોયા … પછી પટાવાળા ને બુમ પાડી ને પૂછ્યું , ‘ફલાણા’ ભાઈ કાલે કંઈ આપી ગયા હતા ? તો પટાવાળો કહે ” હા , પણ પછી તમે પાછા આવ્યા નહિ એટલે સાંજે ઓફીસ બંધ કરતી વખતે તમારા ટેબલ પર થી લઇ ને મેં પાછુ એમનેજ આપી દીધું હતું.” ને આજે તો એમને લગન માં જમવા જવાનું હતું તે હમણાજ ૧૫ મિનીટ પહેલા નીકળી ગયા !!!! એટલે મને કહેવા માં આવ્યું કે …હજી તૈયાર નથી થયું …એક બે દિવસ માં તપાસ કરજો ને ….
    ત્યાર પછી હું એ બેંક માં ગયી નથી ક્યારેય …. હા પણ નીકળતા પહેલા એક કામ જરૂર કર્યું હતું …. બ્રાંચ મનેજર ની ઓફીસ માં જઈને વાત કરવાનું ..અને account close કરી અને FD withdraw કરવાનું . હવે HDFC bank as a preferred customer ઘરે બેઠા દરેક સેવા આપે છે .

    Like

    1. આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપની વાત 100% સત્ય છે આવા અનુભવો અનેક ગ્ર્રાહકોને અવાર નવાર થતા રહે છે પરંતુ બેંકોના કર્મચારીઓનું સંગઠન આવા કામચોર કર્મચારીઓના બચાવ માટે હડતાલ ઉપર જવાના સુધીના પગલા લેતા અચકાતા નથી અને કમભાગ્યે ઉપરના સંચાલકો પણ મેનેજરના કડક પગલાંનો બચાવ કરવાને બદ્લે આવા મેનેજરોને હેરાન કરી હતોશા કરતા હોય કોઈ મેનેજર કડક પગલાં લેતા અચકાતા હોય છે. નોકરીની સલામતીએ આજના આ સમયમાં જાણે કર્મચારીઓ ગ્રાહકો અને સંચાલકોનું શોષણ કરવાનો પરવાનો આપી દીધો છે. સર્વીસમાં સુધારા લાવવા માટે ગ્રાહ્કોએ બેંક બદલવાને બદલે સંગઠિત થઈ અવાજ બુલંદ બનાવવાનો સમય આવી ગયો છે. દરેક શહેરમાં ગ્રાહકોના સંગઠનો શરૂ થવા જોઈએ !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  6. શ્રી અરવિંદ ભાઈ,
    મને તો આવા ખુબ જ અનુભવો થયા છે,અને હું તો ઝઘડી પડતો.હવે ભારત માં આ પ્રમાદ ને કામચોરી જ કહેવાય.અમેરિકામાં કામચોરી નથી,આ દેશ મંદી માં સપડાયો છે તેના કારણો બીજા છે,ખાસ તો ઈરાક નું યુદ્ધ.પણ આવી વાત કરીએ તો અમારા જેવા ને દેશદ્રોહ કરીએ છીએ તેવું કહેવામાં આવે છે,અને એજ ભાઈ આજે તમારા લેખ ના વખાણ અહી કરે છે.કામચોરી અને દંભ આપણાં દેશ ના બે મુખ્ય મહાન ગુણો છે.અવગુણો તો ના કહેવાય પાછા દેશદ્રોહી બનાવી દે.
    માણસા ની પોસ્ટ ઓફીસ નો એક ક્લાર્ક જે ટીકીટો ની બારી પર રહેતો તે કદી બારી ઉપર હોય જ નહિ.અંદર જ ફરતો હોય.હું એકવાર ગયેલો.ખસી વાર રાહ જોઈ મને બારી ઉપર જોયા છતાં આવે જ નહિ.અંદર વાતો કર્યા કરે.મારો ગુસ્સો ધીમે ધીમે વધતો જતો હતો.પછી મેં થાકી ને સિક્કા વડે બારી પર ટકોરા માર્યા જેથી એનું ધ્યાન જાય.તો મને કહે આવીએ છીએ,શું કોઈ ટ્રેન છૂટી જાય છે?મારી હટી ગઈ.મેં જોરથી બુમો પાડી ને કહ્યું કે ક્યારનો ઉભો છું,તું જોયા કરે છે,તારી ફરજ છે અહી બારી ઉપર હાજર રહેવાની,હવે તું બહાર આવ તને ખબર પાડું છું કે ટ્રેન કોની છૂટી જાય છે.મારો ગુસ્સો અને તેવર જોઇને સમજી ગયો.તરત બારી પર આવ્યો.ટીકીટ આપી.મેં પૂછ્યું કેટલા વાગે તું અહી થી છૂટે છે તે કહે.હું બહાર હાજર રહું તને સમજ પાડું.પછી માફી માગવા લાગ્યો.પછી તો હું જયારે પોસ્ટ માં જાઉં કે તરત દોટ મુકે.પણ અંદર ફરવાની ટેવ નાં ભૂલે.જોકે એને એમાંઅમારી રાજપૂત જાત ની ખબર પડી ગઈ એટલે સીધો થઇ ગયો.બાકી તો બીજા ને ગાંઠે નહિ.પણ દરેક વખતે ઝઘડવાનું પોસાય નહિ.ક્યારેક સમસમી ને બેસવું પડતું હોય છે.પણ ઘણી વાર અનુભવ્યું છે કે ખાલી આંખો ના તેવર badalaay ને કામ થઇ જાય.

    Like

    1. સાચું લાગે તો તરફદારી પણ કરવી પડે, હા પણ સાથે એનો ઉકેલ પણ લખ્યો છે ખાલી પોતાના અનુભવો નથી લખ્યા.અને એક બીજી વાત બેંકમાં કે સરકારી ઓફિસમાં જે કામચોરો છે તે આપણામાંથીજ કોઈના મિત્રો અને સંબંધીઓ જ છે……કોઈ બહારના નથી.સાહેબશ્રી તમને ખોટું લાગી ગયું છે મને એની જાણ છે એટલેજ મારી ૨ કોમેન્ટ જે તમે અપ્રૂવ નહોતી કરી…મને એની કોઈ ફરિયાદ નથી.પણ એટલું અહિયાં જરૂર કહીશ કે તમને હિંદુ ધર્મ પ્રત્યે નફરત હોય તો તમારા દિલમાં રાખો જાહેરમાં એનો ઢંઢેરો પીટવાની જરૂર નથી.તમારો ગણપતિ પરનો લેખ વાંચ્યો, એક વિનંતી જરૂર કરીશ કે,હિંદુ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરવાનું બંધ કરી દેજો, કેમકે એમની સાથે કરોડો હિંદુ ભક્તોની આસ્થા અને શ્રધ્ધા જોડાયેલી છે,કામની વાત કોઈ ધર્મના દેવી-દેવતાનું અપમાન કરવું અમેરિકામાં કાનૂનન ગુનો બને છે …..ધ્યાનમાં લેવા વિનંતી.

      Like

      1. હિંદુ ધર્મ પ્રત્યે મને નફરત હોય તેવું મને જણાયું નથી.હા એમાં લેભાગુ લોકો એ ઘુસાડેલી નકલી રોટલા રળવાની વાતો થી નફરત હોઈ શકે.એમાં રહેલી ગરબડો વિષે નફરત હોઈ શકે.હવે મેં લખ્યું છે કે ગણપતિ એટલે ગણ એટલે લોકો ના પતિ એટલે કોઈ લીડર હોઈ શકે.એક લીડર ના કેવા ગુણો હોવા જોઈએ તે દર્શાવતું કાલ્પનિક પાત્ર કોઈ બુદ્ધિના સાગરે રચેલું હોવું જોઈએ.મોટું માથું બુદ્ધિશાળી,નાની આંખો તીક્ષ્ણ દ્રષ્ટિ,મોટું પેટ બધું પેટ માં રાખવાની આવડત માને સિક્રેટ રાખી શકવાની ક્ષમતા,હાથ માં હથિયાર યાને દંડ દેવાની પણ તાકાત હોવી જોઈએ.લાંબુ નાક,આવનાર ભયો ને અગાઉથી સુંઘી ને જાણી લેવાની આવડત.હાથી ની સુંઘવાની શક્તિ ગજબ ની છે.પવન અનુકુળ હોય તો બે માઈલ દુર થી એને ખબર પડે કે કોણ આવી રહ્યું છે.માટે હાથી અવારનવાર સુંઢ હવામાં ઉંચી કરતા હોય છે.કુતરા કરતા અનેક ઘણી એની સુંઘવાની ક્ષમતા છે.બસ એક પ્રજાનો લીડર કેવો હોવો એટલું કહેવા માટે આ કલ્પના કરવામાં આવી છે.પણ આપણે મુરખો એને સાચી માની ને હજુ આજે પણ એની પાછળ ધૂમધડાકા કરીએ છીએ.આપણ મુરખો ને ખબર હોવી જોઈએ કે જે ગણેશોત્સવ થાય છે તે બધા નહિ પણ મોટાભાગે બુટલેગરો યોજતા હોય છે,કે કરોડો રૂપિયા તમે લાલબાગ નાં ગણેશોત્સવ માં ચડાવો છો તે કોના ગજવા ભરે છે?એટલા રૂપિયા કોઈ સમાજ સેવા માં વપરાયા હોય તો લેખે લાગે અને ગણ ની સેવા થાય તો ગણપતિ રાજી થાય.હવે આમાં ગણપતિ નું અપમાન ક્યા આવ્યું?

        Like

        1. ભાઈ શ્રી યશ
          મારાં બ્લોગ ઉપર મૂકેલ ગણપતિ ઉપરના બે લેખો જોઈ લેવા વિનંતિ જેમાં મારાં બ્લોગ ઉપર સૌ પ્રથમ ગણપતિ ઉપર ઓગષ્ટ 2008માં લેખ મુકેલ અને ગત ગણેશ ચતુર્થી ઉપર આ દિવસ વડિલ અભિવાદન દિન તરીકે ઉજવવા સુચન કરતો લેખ મૂકેલો. બંનેની લીક નીચે આપી છે.

          ગણપતિ

          ***** ગણેશ ચતુર્થી – “વડિલ અભિવાદન દિન મનાવો !!!” *****

          સ-સ્નેહ
          અરવિંદ

          Like

    2. શ્રી ભુપેન્દ્રસિંહ
      આપની વાત સાચી છે મેં પણ ઘણી વાર મગજ ગુમાવી કામ કરાવ્યા છે અને હજુ પણ ક્યારેક કરાવવા પડે છે. કામ ટાળવું/વિલંબ કરવો અને બીજા ઉપર કામ નિપટાવવાની જવાબદારી ફંગોળવી જાણે સરકારી-અર્ધ સરકારી -જાહેર ક્ષેત્રની બેંકો-વિમા કંપનીઓ વગેરે માટે સ્વાભાવિક વલણ બની ગયું છે. આ ક્ષેત્રમાં નોકરીની ચુસ્ત સલામતિ અને સંગઠન શક્તિનો ગેર ઉપયોગ અને તાણી કાઢેલા રાજકારણીઓ મત બેંક જાળવવા અથવા ભ્રષ્ટાચારમાં આવા કર્મચારીઓની ઓથે ચલાવ્યા કરતા રહેતા હોય છે.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  7. Sir,
    I agree with you on most of the matter.
    But still want to clarify regardin the income tax office.

    Regarding shuffle : in case the refund order is from one officer say ward 1, no other officer can react on it. In case the officer concerned is ward 1, in every IT office the details are placed. So, when work is of particular office, and one attends to the other office. will result in to “dhakka”..

    Regarding the refundorder. You know that ITO is having 20000+ assessee to respond half of them are for refund, the staff are in acqute shortages. After verification of the TDS certificate one prepares the refund order. that is not in one case there in numbers of cases in which refund is arises. The refund order is than to put in cover, the RPAD slip is to prepared and required to enter in register to despatche, than it goes to postal department. And again i repeat for not one case but number of cases per day. Shortages of staff , kills time in doing all this procedure. This is manual refund order.

    Now a days a refund banker scheme is introduce to overcome this situation. The computer is generating the refund order, than it electronically send to the SBI on next day. The SBI credits the refund in case of ECS, and otherwise, the refund order is printed and sent by SBI to the address mentioned by the assessee in his PAN card.

    The scheme is working well from more than one year.
    I wonder that how you got the manual refund order.

    If the staff are not working , no refunds could be issued.

    Please visit any Income tax office on saturday. you will find people working hard.

    For shortages of staff and infrastructure, the staff association has raised the issue time and agian. Nothing has been done from last 10 years. No significant recruitments.

    Dear sir, I am not advocating the non functioned employee. But want to press, that even though working hard, we have to hear such comments.
    Please do not take personnally.
    regards.

    Like

    1. ભાઈશ્રી રાજકુમાર

      આભાર બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપનો વિગતવાર પ્રતિભાવ વાંચ્યો પરંતુ આપની વાત સાથે હું સહમત થઈ શક્તો નથી કારણ કે, આપે અલબત્ત પ્રતિભાવના અંતે જણાવ્યું છે કે આપે આ ઈંકમટેક્ષ ખાતાના બચાવ માટે લખ્યું નથી પણ વાસ્તવમાં જે પરિસ્થિતિ પ્રવર્તે છે તેનું નિરૂપણ કરેલ છે. આ વિષે મારા મનમાં કેટલીક ગુંચવણો છે તે અંગે સ્પષ્ટતા કરશો તેવી આશા અને અપેક્ષા સાથે પૂછી રહ્યો છું. આવકવેરા કચેરીનો કામ કાજનો સમય મારા ખ્યાલ મુજબ સાત કલાકનો છે. (અર્ધા કલાકનો લંચ બાદ કરતા ) કામકાજ શરૂ કરવાનો સમય સવારના દસ વાગ્યાનો ધારી આ લખી રહ્યો છુ. મને કહેશો આ સમયે કેટલા કર્મચારીઓ- અધિકારીઓ સહિત – ઓફિસમાં હાજર થઈ પોતાના ટેબલો ઉપર પોતાની કામગીરી ચાલુ કરી દે છે ? મારી થોડી સમજ પ્રમાણે ઓફિસમાં કામગીરી શરૂ કરી દેવાનો સમય દસ વાગ્યાનો છે, ઓફિસે પહોંચવાનો નહિ ! કોઈ ટ્રેન પકડવાની હોય અને જો તેનો છૂટવાનો સમય દસ વાગ્યાનો હોય અને મુસાફરી કરનાર દસને એક મિનિટે સ્ટેશને પહોંચે તો ટ્રેન ચાલુ થઈ જ ગઈ હોય ખરું ને ? પરિણામે મુસાફરે કાંતો ચાલુ ટ્રેને ચડવું પડે અથવા ચૂકી જવી પડે ! આજ વાત લંચના સમયને અને ઓફિસની કામગીરી પૂરી કરવાના સમયને પણ લાગુ પડે છે. મારા સહિત અનેકના અનુભવે મોટા ભાગે કર્મચારીઓ-અધિકારીઓ સહિત-ઓફિસની
      કામગીરી શરૂ કરવાના સમયને પહોંચવાનો સમય ગણે છે અને તેવું જ લંચ અને ઓફિસમાંથી છૂટવાના સમયને ! જયારે તમામ કર્મચારીઓ મસ્ટર-રોલમાં આવવા–જવાનો અને રીસેસનો સમય તો નિશ્ચિત શીડ્યુલ પ્રમાણે જ લખતા હોય છે.
      આ ઉપરાંત ઓફિસ સમય દરમિયાન ચા-કોફી કે પાન અને ગુટકા પીવા/ખાવા નાના રીસેસો અન-અધિકૃત રીતે તો લેવાતા જ રહે છે. હવે મને કહો સાત કલાકમાંથી ખરેખર કેટલા કલાક કર્મચારીઓ-અધિકારીઓ સહિત-પોતાની કામગીરી સંપૂર્ણ રીતે પ્રતિબધ્ધતાથી બજાવી રહેલા જોવા મળે છે ? અને જો પૂરેપૂરી સાત કલાકની કામગીરી બજાવાતી હોય તો ખરા અર્થમાં સ્ટાફની અપૂરતા ( INSUFFICENT ) હોવાની વાતમાં કેટલું તથ્ય હોઈ શકે ? સ્ટાફ ઓછો હોવાની ફરિયાદ દરેક સરકારી-અર્ધ સરકારી-બેંકો વિમા કંપનીઓમાં આવા વર્ક કલ્ચરને કારણે પ્રવર્તે છે અને જેને અધિકારીઓ સ્ટાફ પાસેથી પૂરેપૂરા કલાકો કામ લઈ શકવા અસમર્થ હોવાને કારણે ટેકો આપી બહેકાવી રહેતા જોવા મળે છે ! અરે ! કેટલાક તો ઘેર મહેમાન આવ્યા હોય તેને પણ ઓફિસે આવવા જણાવે છે જેથી નિરાંતે વાતો થઈ શકે ! ઘેર તો બાળકો ખલેલ પહોંચાડે !
      સંગઠિત કર્મચારીઓની સ્ટાફ ઓછો હોવાની બૂમો પાડ્યા કરવાની આ અદભુત સાઝિશ છે અને તે અસક્ષમ અને બીન કાર્યક્ષમ અધિકારીઓ માટે કામમાં વિલંબ થવાનું કારણ દર્શાવવા માટેનું એક પોકળ બહાનું છે.
      શનિવારે કે રજાના દિવસે ઓફિસે આવી કામ કરનારા કે ઘેર કામ લઈ જનારા કર્મચારીઓ કે અધિકારીઓ મારા મતે કાંતો બીનકાર્યક્ષમ હોય શકે અથવા ઓફિસ સમય દરમિયાન પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવતા ના હોય પોતે કેટલા કર્મનિષ્ઠ છે તેની જાહેરાત કરવા આવા ગતકડા કરતા હોય છે. કેટલીક ફાઈલો અધિકારીઓને ક્યારે ક શાંતિથી અભ્યાસ કરવા ઘેર લઈ જવી પડે તે સમજી સકાય પરંતુ જો નિયમીત રીતે ઘેર કામ લઈ જનારા નિશ્ચિત દેખાડો કરનારા જ હોય છે !
      આ માટે એક ઉદાહરણ આપું તો અસ્થાને નહિ ગણાય ! એક બેંકમાં થોડા વર્ષો પહેલાં 150 એકસો પચાસ કર્મચારીઓનો સ્ટાફ હતો અને ત્યારે કર્મચારીઓ અને સાહેબો અપૂર્તા સ્ટાફની ફરિયાદો સતત કરતા રહેતા ! સમય જતાં બેંકોમાં કોમ્પ્યુટર આવ્યા અને મહદ અંશે કામકાજ તેના મારફત થવા લાગ્યું સાથે જ કામ પણ ખૂબ જ વધ્યું. આજે તે બેંકમાં પહેલાના સમય કરતા અંદાજે 20 ગણું કામ વધ્યું છે અને સ્ટાફની સંખ્યા 30ની આસપાસ છે છતાં અપૂર્તા સ્ટાફની ફરિયાદ આજે પણ ચાલુ છે. ઉપરાંત ઉપર લખ્યા પ્રમાણે મોટા ભાગનો સ્ટાફ દસ વાગ્યાને બદલે 10-15 કે 10-30ની આસપાસ બેંકમાં પધારે છે અને ખરી કામગીરી લગભગ 10-45 કે 11-00 આસપાસ શરૂ થતી હોય છે. અહીં પણ અગાઉ જણાવ્યું તેમ મસ્ટર-રોલમાં તો આવવા-જવાનો અને રીસેસનો સમય શીડ્યુલ પ્રમાણે જ લખવામાં આવતો રહે છે. એ જ રીતે રીસેસના સમયમાં અને બેંકના બંધ કરવાના સમયમાં સ્ટાફ પોતાની મરજી મુજબ વર્તતો જોવા મળે છે. અર્થાત ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે સમગ્ર દેશમાં પ્રવર્તી રહેલા વર્ક કલ્ચરમાં મોટે ભાગે કોઈ બાકાત નથી અને તેનું કારણ મારા મતે તો આ દેશના નપાવટ રાજકારણીઓ/સત્તાધીશો અને બ્યુરોક્રેટો જ છે.
      ( 2 ) મારાં રીફંડ ઓર્ડરની વાત ઉપર આવું તો જે ઓર્ડર અને રીફંડની રકમનો ચેક( 7 7 ) સીતોતેર દિવસ પહેલાં સહી-સિક્કા થઈ ચૂકેલા હોવા છતાં મારા સુધી પહોંચવામાં( 77 ) સીતોતેર દિવસ થાય તે માટે ડીપાર્ટમેંટ પાસે શું ખુલાસો હોઈ શકે ?

      ( 3 ) હું પત્ર દેવા પ્રત્યક્ષ જઉં ત્યારે મને ફૂટબોલની જેમ કીક મારી એક ટેબલ થી બીજા ટેબલ ઉપર ફંગોળવાનો શું ખુલાસો હોઈ શકે ? ઓફિસની રોજ બરોજ આવતી ટપાલો પોષ્ટ મારફત આવે છે તે તમામ અલગ અલગ ટેબલો ઉપર રીસીવ કરવામાં આવે છે કે એક જ ટેબલ ઉપર ? મારી સમજ પ્રમાણે તમામ ટપાલો એક જ ટેબલ ઉપર રીસીવ થતી હોય છે અને બાદમાં ડીપાર્ટમેંટ વાઈસ અલગ પાડી અલગ રજીસ્ટરમાં ચડાવી જે તે ડીપાર્ટમેંટમાં મોકલી આપવામાં આવતી હોય છે.
      ( 4 ) મારા 01/02/2010ના પત્રનો કોઈ પ્રત્યુત્તર આપવાની કે એકનોલેજ કરવાની પરવા 21/04/2010 અર્થાત એંસી ( 80 ) દીવસ સુધી કોઈ અધિકારીએ નહિ કરતા ફરીને મારે ચીફ કમિશ્નરને 31/05/2010ના લખવાની ફરજ પડી અને નકલ આવકવેરા અધિકારીને આપતા સીતોતેર દિવસના વિલંબ પેટે મને વ્યાજ ચૂકવી આપવાની ફરજ પડી. આ 80 દિવસનો વિલંબ માટે કોણ જવાબદાર ?
      જો રીફંડ ઓર્ડર અને ચેક સહી થયા બાદ ઓફિસમાં જ લાંબો સમય પડી નહિ રહ્યા હોત તો આવો કોઈ પ્રશ્ન ઉભો નહિ થયો હોત.
      આ વિલંબ એ મારી દ્વષ્ટીએ ગુન્હાહિત બેદરકારી અર્થાત CRIMINAL NEGLIGENCE ગણી જે તે અધિકારી અને કર્મચારી પાસેથી વ્યાજની રકમ વસુલ કરવા ઉપરાંત અન્ય પ્રકારની દાખલા રૂપ સજા થવી જોઈએ કે જેથી ભવિષ્યમાં આ બંને સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ પ્રત્યે વધુ સભાન-સતર્ક અને જવાબદાર બની રહે !
      એક વાત યાદ રહે કે અનેક કરદાતાઓ આવી પળોજણમાં પડવાનું પસંદ કરતા નથી પરંતુ સમસમીને બેસી રહી અનેક ખાતાઓ દ્વારા આ પ્રકારના અન્યાય થતા હોવા છતાં કોઈ અવાજ ઉઠાવતા નથી અને મૂંગે મોઢે સહન કરતા રહે છે !
      આપના પ્રતિભાવના જવાબમાં મારા આ પ્રત્યુત્તરથી આપની લાગણી દુભાઈ હોય તો દરગુજર કરવા વિનંતિ. મારો આ પ્રયાસ સમગ્ર દેશમાં જે રીતે વર્ક કલ્ચર ફાલ્યુ અને ફુલ્યું છે તે વિષે નાગરિકોને સજાગ-સભાન-સતર્ક કરી ઉજાગર કરવાનો છે અને તેથી તેને યોગ્ય પરીપ્રેક્ષ્યમાં સમજવા આગ્રહ ભરી વિનંતિ છે.
      આપના પ્રતિભાવનો પ્રત્યુત્તર મોડો થયો છે કારણ કે અહિ છેલ્લા 4 ચાર દિવસ થયા બ્રોડ-બેંડની કનેકટીવીટીની સમસ્યા ઉભી થયેલી અને જે BSNL માં આ ચાર દિવસ દરમિયાન વારંવારની ફરિયાદ કરવા અરે ! રૂબરૂ જવા છતાં દૂર કરવાની કોઈ પરવા નહિ કરવામાં આવતા વર્ક કલ્ચરનો ભોગ બન્યા હોવાથી વિલંબ થયો છે. ચાલો આવજો ! ફરી એક વાર આપનો આભાર ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  8. અરવિંદકાકા સત્યદર્શી લેખ બદલ ધન્યવાદ. તમારી અને બીજા મહાનુભાવોની વાત સાચી છે કે ભારત અને ખાસ કરીને ગુજરાતના સરકારી કર્મચારીઓ આળસુ અને રિશ્વતખોર થઇ ગ્યા છે.પશ્ચિમના દેશ આપણા કરતાં કેમ પાછળ છે એનું એક કારણ છે કે એ લોકો કામના સમયે કામ કરે છે…નહિ કે પત્તા રમે છે.

    હવે તો મહાત્માની ગાંધીગીરી અને મુન્નાભાઈની ગાંધીગીરીથી આગળ વધીને ચંદ્રકાંત બક્ષી સાહેબ કહેતાં તેમ “હિંસક ગાંધીગીરી”ની તત્કાળ જરૂરિયાત છે.

    હવે તો નવયુવાનો આગળ આવે તો જ કઈ ઉદ્ધાર…..

    Like

    1. ભાઈ યશ
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! પ્રતિભાવ લખવામાં આપની કંઈક ભૂલ થઈ હોય તમ જણાય છે.આપે લખ્યું છે કે ,
      “પશ્ચિમના દેશ આપણા કરતાં કેમ પાછળ છે એનું એક કારણ છે કે એ લોકો કામના સમયે કામ કરે છે…નહિ કે પત્તા રમે છે.”
      મિત્ર પશ્ચિમના દેશો તેમની કામ નિપટાવવાની અને કામના સમય માત્ર કામ જ કરવાની આદતને કારણે પાછળ નહિ પરંતુ આપણાં કરતા સદીઓ આગળ છે.આપણા યુવા ધન સીવાય કોઈ આશા નથી આ દેશને આગળ લઈ જઈ શકે તેવી અને તે પણ જો રાજકારણીઓ કે સાધુ-સંતો-સ્વામીઓ-બાવાઓ-ગુરૂઓની ચાલમાં ના ફસાય અને માત્ર દેશના ઉત્થાન માટે પક્ષા પક્ષીથી દૂર રહી કાર્યશીલ બનવા પ્રતિબધ્ધ થઈ શકશે તો !

      આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  9. તમારી વાત સાથે હુ બીલકુલ સહમત છુ. મને 76 વર્ષ થયા, હેમિપ્લેજિયાથી 30 વર્ષોથી પિડાઉ છુ. છતા કોક વખત ના છુટકે મારે પોસ્ટ, બેંક કે કોઇ અન્ય કચેરીમા જવાનુ થાય, તો તોબા પોકરાવે. નાણા, સમય, વગેરેનો બગાડ થાય તે વધુ. અમેરિકાનો મને અનુભવ છે. આપણો દેશ ક્યારે સુધરશે?

    Like

    1. શ્રી મુકુંદભાઈ
      આપ પ્રત્યે સહાનુભુતિ ધરાવું છું સાથે આપનો આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે પણ ! આપણા દેશમાં જો પક્ષાપક્ષીથી પર રહી કોઈ યુવા ધન શુકાન સંભાળે તો કદાચ આપણાં દેશમાં પણ સુધારા આવી શકે બાકી તો હોતાહૈ ચલતા હૈ સાથે આપણે આપણી તમામ લાગણી અને સંવેદનાઓ ભૂલી જઈ જે ચાલે છે તેમાંથી જ માર્ગ શોધવાનો રહેશે !
      આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. શ્રી રાજેન્દ્રભાઈ
      આભાર અને પ્રતિભાવ માટે ! પ્રમાદ ઉડાડવા આવા લેખો મૂકી પ્રયાસ કરતો રહુ છું. કોઈકમાં તો રામ વસશે તેવી આશા સાથે ! આવજો ! મળતા રહીશું.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  10. શ્રી અડાલજા સાહેબ,

    તમારા અનુભવોને, વિચારોને અને સિધ્ધાંતોના ચાબખાને ખરેખર દાદ આપવી પડે.

    મને યાદ છે કે હું લંડન હતો ત્યારે ધણી સરકારી કે બીજી ઓફિસોમાં કે ડૉકટરો અને હોસ્પિટલોમાં જવાનું થતું પણ અમને ક્યાંય અગવડતા પડી હોય કે ત્યાંના એક પણ કર્મચારી કે ઓફિસરો વિષે ખરાબ બોલવાનો વારો આવ્યો હોય ! ઉપરથી કામ પત્યા પછી મનોમન બડબડવું પડતું કે ક્યાં ભારત અને ક્યાં બ્રિટિશરોની સીસ્ટમ ! ત્યાંના કર્મચારીઓને લંચમાં જવું હોયતો એક સાથે ન જતાં તેની જગ્યા બીજા સંભાળી લેતા અને કામ સરળતાથી ચાલતું અને આપણો સમય બરબાદ ન થતો.

    હોસ્પિટલોમાં કે દવાખાનાં પણ કાં તો પ્રેકટીશ નર્સો કે આસિસ્ટંટ એકનું કામ થઇ જાય કે તરત જ બહાર આવીને આપણને માનથી અંદર લઇ જાય કે ડૉક્ટરો વળી કેબીનમાંથી જ માઇકમાં બોલે ” Mr. Thar, please see Dr. in cabin no. so…..and so..

    કહેવાનું તાત્પર્ય એજ કે ત્યાંના નાગરિકો પોતાની મેળે જ શિસ્રતાનું આચરણ કરે છે સાથે સાથે મોં ઉપર પણ એક માન અને હસતું મોઢું રાખે છે.

    આવી તો ઘણી બાબતો છે કે જેટલી વર્ણવીએ એટલી ઓછી જ છે બાકી તો પોત પોતાના અનુભવો…

    લી. પ્રફુલ ઠાર

    Like

    1. ભાઈશ્રી પ્રફુલ્લ
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! ખરુ પૂછો તો દુઃખની વાત એ જ છે કે આપણાં લોકો પાશ્ચાત્ય દેશોને વખોડે છે અને જે અનુકરણ કરવા યોગ્ય ના હોય તેનું આંખ મીંચી અનુકરણ કરી પોતાની જાતને આધુનિક વ્યક્તિ સમજે છે. પરંતુ ત્યાંનું જે સારું છે તે સ્વીકારવાની કે અનુકરણ કરવાની કોઈ તૈયારી કે સમજ ધરાવતા નથી. પરિણામે આ દેશ આજે પણ ભિખારી જ રહ્યો છે. આપણે ઈચ્છીએ કે યુવાધન આ દેશને યોગ્ય દિશામં દોરે !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  11. વર્કોહોલિક અમેરિકામાં રહીને આ બાબત શું કહું? આપણો દેશ પાછળ રહી ગયો ; તેનું એક કારણ આ પ્રમાદિતા છે.
    સિક્કાની બીજી બાજુ – ખાનગી કમ્પનીઓમાં આનાથી ઉંધું શોષણ ચાલે છે. મારા એક આવી કમ્પનીના છ મહિનાના અનુભવે –
    કામના કલાકો સવારના 9 થી સાંજના 8-9 ; દરેક ફ્લોર પર એક જ પટાવાળો – દરેકે પોતાના કાગળો એક જગ્યાએથી લઈ આવવાના અને મૂકી જવાના
    ખાનગી ક્ષેત્ર કેમ નફો કરે છે – એનો આટલો જ ઉત્તર પૂરતો નથી?
    મારી આખી જિંદગી ખાનગી કમ્પનીમાં ગઈ. અમારી કમ્પનીની સેવાઓ ઈલે. બોર્ડ કરતાં ઘણી વધારે સારી હતી -પ અને એણે કદી ખોટ ખાધી નથી.

    Like

    1. શ્રી સુરેશભાઈ
      આપણો દેશ પાછળ રહેવામાં કામ નીપટાવવાનો પ્રમાદ અને ભ્રષ્ટાચારે તમામ લીમીટ ઓળંગી છે. આપણા સમયમાં ખાનગી કંપનીઓ ભયંકર શોષણ કરતી અને પગારો પણ ભૂખડી બારસ જેવા હતા તે વાત તદન સત્ય છે. મારો પગાર બેંકની નોકરી જોઈન કરી 1960માં ત્યારે રૂપિયા 100/ હતો. પરંતુ આજે સંજોગો અને કર્મચારીઓ પ્રત્યેનો વ્યવહાર મહદ અંશે બદલાયો છે. અગાઉ શોષણને કારણે ટ્રેડ યુનિયનો ફાલ્યા-ફૂલ્યા હતા અને જેમના ઉપર સામ્યવાદી વિચારોની જબરજસ્ત પકડ હતી પરિણામે સમય જતાં શોષણ ઘટ્યું પરંતુ કામ કરવાની જે પધ્ધતિ યુનિયનોએ કર્મચારીઓને શીખવેલી/સમજાવેલી તે કમભાગ્યે આજે પણ ચાલુ રહી છે અને પરિણામે યુનિયન ટ્રેડ બની ગયા ! જાણે શોષિત કર્મચારીઓ ભૂતકાલનું વેર ના વાળતા હોય ? માલિકોને પરેશાન કરવા ધીમા કામ કરવાનું કર્મચારીઓને આ યુનિયનોએ શીખવેલું જે આજે રાજ રોગ બની ચૂકયો છે અને આમ જનતાની પરેશાની વધી છે અને તેથી જ પોતાનું કામ ઝ્ડપથી કરાવવા ભ્રષ્ટાચર્નો વિકલ્પ લોકોએ અપનાવ્યો હોય કે તેવી મજબુરી પેદા થઈ હોય તેમ નથી જણાતું ?
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે !

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  12. Mr,Arvindbhai, aaje aa vat sachi che, teno mane savde malel che, telphone,nagarpalika,

    i t office,post,bank.sarkari kacheri,gam panchyat all r eqavl che ,office ma commuter par

    playing card & other game, i t no anubhav jani vat karu ke my uncale is sinieyer citizen

    hata, tayre mane sathe lai gaya hata my gam thi nadiad it office 40 k m dur che,

    i t officere mara kakane khu hatu ke tamare office nahi avvanu tapal lkhi man bolavi devo,

    pan tena jaeva kok hase tamari a vat ne maro sath che

    Chandrakant patel, Navagam,

    Like

    1. ભાઈશ્રી ચન્દ્રકાંત
      આપના પ્રતિભાવ માટે આભાર્ આપે જણાવેલા અધિકારી જેવા માનવીય અભિગમ ધરાવતા જે કોઈ 5-10% બચ્યા છે તેમને કારણે જ આ દેશ આજ સુધી ટકી રહ્યો છે પરંતુ આવું ક્યાં સુધી ચાલી શકશે ?
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

Leave a comment