વડા પ્રધાન શ્રી મનમોહન સિંઘ જવાબ આપશે ?

વડા પ્રધાન શ્રી મનમોહન સિંઘ જવાબ આપશે ?
હમણાં થોડા દિવસ પહેલાં કાનપુર ( ઉત્તર પ્રદેશ ) માં આઈ.ટી.આઈ૴ના એક સમારંભમાં વડાપ્રધાન શ્રી મનમોહન સિઘ ગયા ત્યારે એ જ્યાંથી પસાર થવાના હતા તે તમામ રસ્તાઓ કલાકો સુધી બંધ કરી દેવાયા હતા. ચો-તરફ પોલીસ ખડકી દેવાઈ હતી અને આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલંસ અટવાઈ પડી. આમાં એક અમન નામનો કિશોર હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો હતો. એ ગંભીર રીતે બિમાર હતો અને તાત્કાલિક સારવારની જરૂરિયાત હતી તેમ છતાં આ એમ્બ્યુલંસને અટકાવી દેવામાં આવી. તેના મા બાપની કાકલુદી ભરી આજીજીએ પણ આ જાડી ચામડીના અને નિંભર પોલીસો ઉપર કોઈ અસર ના થઈ

પરિણામે આ અમન હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું અવસાન થઈ ગયું. ઉષા નામની એની મા હૈયા-ફાટ કલ્પાંત કરતા વડાપ્રધાનને પૂછે છે કે કોનો સમય કિમતી ? આપનો સમય કિમતી હોય તો અમરા જેવા નાગરિકોનો સમય અને તે પણ એવા કે જે જીવન-મૃત્યુ વચ્ચે જોલા ખાતા હોય તેનો સમય કિમતી ?

મારા પુત્રના મૃત્યુ માટે કોણ જવાબદાર ? વડાપ્રધાનશ્રી જવાબ આપો !
પોતાની સલામતી માટે કમાંડો અને અસંખ્ય સલામતી રક્ષકોની ફોજ સાથે/વચ્ચે ફરતા આ દેશના તમામ રાજકારણીઓ/સત્તાધીશો આપ સૌ એવા તે કયા કાર્યો કરી રહ્યા છો કે આપને પોતાના જાનની નાગરિકોના જાનની ભોગે રક્ષણ જોઈએ છીએ ? સામન્ય જન સમુદાયને ખરેખર તો આવા સત્તાધીશો/રાજકારણીઓથી બચવાની જરૂરિયાત છે.

જે લોકોના મતથી આપ સૌ ચૂંટાઈ, સત્તા મેળવી ગાદી ઉપર બિરાજમાન થાઓ છો તેના જાન માલની રક્ષા અગ્રતાક્રમમાં કરવાને બદ્લે આપ પોતાની રક્ષા કરવા સલામતી રક્ષકોની ફોજ ઉભી કરી દો છો જે બિલકુલ બીનલોકશાહી ગણાવું જોઈએ. સ્વતંત્રતા પહેલાં રાજા-મહારાજઓ પણ લોકો વચ્ચે સલામતી રક્ષકો સીવાય ફરી શકતા હતા અને ભાગ્યે જ તેઓ પસાર થવાના હોય તે માર્ગો કલાકો સુધી બંધ કરવામાં આવતા હતા. પરંતુ આપ સૌ તો તદન બેશરમ બની ગયા છો આપને રક્ષાની જરૂર પડે છે કારણ આપે આચરેલા ગુન્હાહિત કૃત્યોથી આપનો દોષિત આત્મા આપને સતત ડંખી રહ્યો હોય છે અને તેથી સતત ભયના ઓથાર નીચે આપ જીવી રહ્યા હો છો.

મનમોહનસિંઘ આપને માના ઋજુ હ્ર્દયની સમજ છે ખરી ? જે માનો દીકરો સારવારના અભાવે અને તે પણ કોઈકને ( અર્થાત આપની મુલાકાતને કારણે ) પાપે જ્યારે હોસ્પિટલે ના પહોંચાડી શકાય ત્યારે આવી માના વલોપાત્-વિલાપ અને આક્રંદ સમજવા માનું દિલ હોવું જોઈએ જ્યારે આપ તો રાજકારણી- વળી દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજમાન વડાપ્રધાન પરંતુ મૂળભુત રીતે એક બ્યુરોક્રેટ કે જે પાષાણ હ્રદય ધરાવતા હોય છે તે માની સંવેદના કયાંથી સમજી શકે ?
આ દેશના કમનસીબ છે કે આપના જેવા કે તેથી પણ વધારે પથ્થરદિલના નિષ્ઠુર અને નિંભર ઉપરાંત 10 ફૂટના આરસીસી સ્લેબ જેટલી જાડી ચામડી વાળા રાજકારણીઓ /સત્તાધારી રાજ કરી રહ્યા છે ! અને સમજે છે કે માના વલોપાતને શાંત પાડવા કે ખરીદી લેવા થોડી રકમ સરકારની તિજોરીમાંથી આપી દેવાથી માનો રોષ ઓછો થઈ જશે!

આપને આ દેશના લોકોને જવાબ આપવો પડશે કે આ રકમ જાણે દાનમાં આપતા હો તે રીતે આપ અને અન્ય સત્તા ઉપર બેઠેલા આપના ખિસ્સામાંથી ફાળવો છો કે લોકોના પરસેવાના પૈસા જે કરવેરા દ્વારા મેળવાયા છે તેમાંથી ફાળવાઈ રહ્યા છે ?

પારકે પૈસે દાન ધર્માદા કરનારા આ સત્તાધારીઓ નાગરિકોની કિમત માત્ર પૈસામાં કરે છે અને જે માટે તેઓને કોઈ શરમ આડી આવતી નથી ઉલ્ટાનું કેટલાક તો આ વિષે ગૌરવ અનુભવે છે. જનતાના નાણામાંથી આ રીતે રકમો ચૂકવી આપ સૌ પોતાની બેદરકારી અને બેજવાબદારી માટે છટકી જતા કોઈ ક્ષોભ કે શરમ અનુભવતા નથી.

આ અમન ની જેમજ આપના કોઈનો દીકરો/દીકરી કે કોઈ અન્ય સ્વજન હોસ્પિટલે લઈ જતા રસ્તામાં આપ જેવા કોઈ વીઆઈપીની મુલાકાત અંગે રસ્તા બંધ હોત અને મૃત્યુ પામ્યો હોત તો શું કરત ? પેલી અમનની માની જગ્યાએ આપમાના કોઈ ના હોઈ શકે તેવું માનવું નહિ ! રખેને આવું બને તો આપ કે આપના સાથીઓ ને કેટલી રકમ ચૂકવવી પડે તે માટે કોઈ આચારસંહિતા ના ઘડી હોય તો ઘડી રાખવી તે અગમચેતી ગણાય !

આપ શ્રી મનમોહંસિંઘ આ વિષે શું માનો છો તે જનતાને વહેલી તકે જાણ કરશો ખરા ?

24 comments

    1. ભાઈશ્રી ચિરાગ

      આપે બ્લોગની મુલાકાત લીધી આભાર ! ફરી પણ અનુકૂળતાએ પધારશો અને પ્રતિભાવ પણ જણાવશો ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  1. મેં કરેલી કોમેન્ટ તમને ગમી નથી ; તે ખબર પડી. એ તમારો વિશેષાધિકાર છે. એ બાબત મને કશો ખેદ નથી.
    તમે અને પ્રતિભાવકોએ રજૂ કરેલ મંતવ્યો અંગે કશા વિવાદ કે અલગ મતને આ વિષયમાં અવકાશ જ નથી. આ બાબત ખેદજનક કોઈ પણ દેશમાં, કોઈ પણ લોકશાહી અને મૂક્ત સમાજમાં રહેવાની જ.

    મારું નમ્ર મંતવ્ય એ જ છે કે, આવી ચર્ચાઓ તો જ અસરકારક નીવડે – જો તે માટે આયોજન પૂર્વકનાં પગલાં લેવામાં આવે.
    આપણા દેશમાં કે કોઈ પણ દેશમાં કાયદો અને વ્યવસ્થા તો જ અસરકારક નીવડે – જો કાયદાનું ચૂસ્ત પાલન થાય. અહીં પોલિસનો દોષ ગણીએ; પણ વધારે દોષિત એ સિસ્ટમ છે , જેમાં કશી બાંધછોડને અવકાશ નથી. વિદેશોમાં પણ બ્યુરીઓક્રસી હોય છે જ. પણ કાયદામાં જરૂરી ફેરફાર કરવાની , બહુ આયોજનબદ્ધ સિસ્ટમ હોય છે. વિકાસના 500-600 વર્ષના કારણે ત્યાં આ બહુ જરૂરી મનાયું છે. અને આને કારણે કાયદો અફર અને જ્ડ નથી. બદલાતા સમય સાથે રેને બદલવાની પદ્ધતિ પણ અહીં વિકસી છે.
    દા.ત. અમારા પ્રોજેક્ટમાં ટ્રા ન્સફોર્મર ખરીદવા માટે ક ન્સલટ ન્ટે બનાવેલ સ્પેસિફિકેશન્માં ચાર વર્ષ બાદ , બીજા પ્રોજેક્ટ વખતે , મેં ઘણા ફેરફાર થયેલા જોયા છે. વર્ઝન બદલાયું હતું . હું ભૂલતો ન હો ઉં તો 2.1 ની જગ્યાએ 4-3 હતું.
    1992માં વિન્ડો 2.1 વાપરેલું છે. આજે વિન્ડો – વિસ્ટા વાપરું છું – અને બજારમાં વિ ન્ડો 7.0 મળે છે. ગુણવતા સતત સુધરતી જ રહે છે.
    આ જ બાબત કાયદામાં પણ છે.

    ભારતમાં વેદવાક્ય, બ્રહ્મ વાક્ય – એવા શબ્દો વધારે પ્રચલિત છે. એ રીત બદલવાની જરૂર છે.
    કદાચ કોર્ટમાં, આ બાબત પરિવર્તન લાવવા, આ કિસ્સો વિગતવાર , સાક્ષીઓ સાથે ટાંકીને પબ્લિક ઈ ન્ટ રેસ્ટ લિટિગેશન ચલાવી શકાય.
    આ માટે જાગૃત નાગરિકોએ એક પ્લેટફોર્મ બનાવવૌં ઘટે ; જ્યાં આ માટે આયોજન બદ્ધ તંત્ર , નિષ્ણાત સેવાઓ વિ. મળી શકે.
    બધાથી અલગ મત રજૂ કરવા બદલ ક્ષમાયાચના .

    Like

      1. મારા સ્વાનુભવ પર આપના વિચારો વ્યકત કર્યા ; તે માટે આભાર.
        ત્યાં મેં મૂકેલ જવાબ અહીં તમારા વિચારને પુષ્ટિ આપશે; તે વિચારથી અહીં દોહરાવું છું

        ————–
        આ વિચાર સ્વાતંત્યનું પ્લેટફોર્મ આપીને અમેરિકાએ જગત પર મોટો ઉપકાર કર્યો છે. માત્ર ગુજરાતી જ નહીં ; દુનિયાની બધી ભાષાઓમાં આઈ.ટી.એ એક વૈચારિક ક્રાન્તિ આણી છે.
        આ તમારા, મારા જેવા સામાન્ય માણસની તાકાતને ઉજાગર કરતું , વિચારતા કરતું પ્લેટફોર્મ છે. આપણા હયાતિકાળમાં કદાચ આ પ્રયત્નોનું પરિણામ ન આવે; પણ
        કોઈ સામૂહિક પ્રયત્ન નિષ્ફળ નથી જતો. જગતમાં અનેક ઠેકાણે થયેલી પ્રજાકીય ક્રાન્તિઓ આનો પૂરાવો છે.
        તમારા ઉમદા ધ્યેયને વલગી રહેવા પ્રભુ તમને બળ આપે. લગે રહો…

        Like

  2. મા. શ્રી અરવિન્દભાઈ

    આપે ખુબ સરસ વાત કહી,

    કોઈ પણ મહત્વની વ્યક્તિ માટે સુરક્ષા જરૂરી હોવા સાથે સામાન્ય નાગરિકના જીવનની રક્ષા પણ એટલી જ
    જરૂરી બની રહે છે. એમની સુરક્ષા માટે રસ્તો બંધ કરે, ઠીક છે તો પણ જ્યારે કોઇની જીંદગીનો સવાલ આવે ત્યારે તો આવુ કડક વલણ અપનાવવા પહેલાં પરિસ્થિતી જોવી જરૂરી હતી.

    અહીં અધિકારીની ફરજ અને માનવતાભરી વિવેક દ્રષ્ટિ વચ્ચે સમન્વય જરૂરી હતું.

    Like

    1. શ્રી પોપટભાઈ
      આબાહ મુલાકાત માટે અને પ્રતિભાવ માટે પણ ! સીક્યુરીટીની સીસ્ટીમ આમુલ ફેરફાર માંગે છે અને તે વિષે લોકે જાગૃત થઈ જરૂર પડે તો આંદોલાનાત્મક પગલાં પણ વિચારવા પડશે ! આ તમામ રાજકારણીઓ/સત્તાધીશો પોતાની અંગત સલામતિ સીવાય જન સમુદાયનું જીવન ભાજી-મૂળા જ સમજે છે અને તે રીતે જ વર્તે છે. લોકો જાગૃત થશે ? ખેર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  3. માનનીય વડીલ અરવીંદભાઇ,

    આપે ખુબ સરસ વાત કહી,આ વાત આપે ના લખી હોત તો ક્યાંય દબાઇ જાત…

    અને મોટા માણસો એટલે કે વડાપ્રધાન,મુખ્યમંત્રી…વગેરે પસાર થાય ત્યારે એમની સુરક્ષા માટે રસ્તો બંધ કરે એ કદાચ ચલાવી લેવાય પણ જ્યારે કોઇની જીંદગીનો સવાલ આવે ત્યારે તો આવુ કડક વલણ ન જ અપનાવવું જોઇએ…તમને તમારા જાનની પડી છે તો અમારે નહિ હોય??? સરસ વાત…

    આપના લેખ હુ નિયમિત રીતે વાંચુ છુ પણ સમય ના અભાવે પ્રતિભાવ નથી આપી શકતો..

    આશા છે આપ મારા બ્લોગની મુલાકાત લેતા હશો…

    આવજો…જય માતાજી

    Like

    1. ભાઈશ્રી સોહમ
      આપનો આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપ મારાં લેખ નિયમિત વાંચો છો તે જાણી વિશેષ આનંદ ! આ સીક્યુરીટીની સીસ્ટમ આમુલ બદલવી જ જોઈએ ! જરૂર પટે તો આંદોલન પણ લોકોએ કરવું રહ્યું ! આમ આદમી જાગૃતિ ક્યારે થશે ?
      ખેર ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  4. The insensitivty of political system and sensitivy of public in increasing day by day. Our PM has to take concrete initiative therefore in future, such tragic incident not repeat again.

    1. If our politician are feeling insecure, they should avoid to go in public, those are fully insecure. The security system of politician is normally affecting the daily routine of common man in India.
    2. The security system should laid down that during emmergency, the person can get help.
    3. Security persons can also take initiative to help the “fateless” common people of India.

    Like

    1. શ્રી સર્વેશ ભાઈ
      આપ વ્યવસાયે ડોકટર હોવા છતાં આપના અત્યંત વ્યસત સીડીયુલમાંથી સમય ફાળવી મારા બ્લોગ ઉપર પધારી પ્રતિભાવ આપવા માટે હાર્દિક આભાર ! આપની વાત સાથે હું પણ સહમત છું કે આપણાં દેશના આ રાજકારણીઓ/સત્તાધીશો ને પોતાના મોતનો ભય સતત ડરાવ્યા કરતો હોય તો જાહેર સમારંભોમાં જવાનું ટાળવું જોઈએ ! પરંતુ કોઈ પણ સંજોગોમાં સામાન્ય લોકોની જાનને સસ્તી નહિ ગણવી જોઈએ. સામાન્ય જનતાની જાન અને સલામતીને જ હંમેશા અગ્રતા મળવી જોઈએ. વીઆઈપીઓ પસાર થવાના હોય તે માર્ગો કલાકો સુધી લોકો માટે બ6ધ કરી દેવા તે તો અમાનુષી અને આતંકવાદી પ્રવ્રતીથી પણ હલકું ગણાવું જોઈએ ! કાશ ! આ દેશના રાજકારણીઓ/સત્તાધીશોને આ સમજ બહુ મોડું થાય તે પહેલા મળે !
      સીસ્તમ બદલવી પદે તો તે પણ તુરતા તુરત અને આવા અન્ય બનાવોનું પુનરાવર્તન થાય પહેલાં તાકીદે બદલવા ના હુકમો છૂટી જવા જોઈએ ! આવા અમાનવીય કૃત્યોને ઈશ્વર ક્યારે ય માફ નહિ કરે !
      ખેર ! ફરીને આભાર ! મળતા રહીશું ! મારા અન્ય વિષયો ઉપરના વિચારો વિષે આપના પ્રતિભાવો જણાવશો તો મને પ્રોત્સાહન મળતું રહેશે !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  5. કર્તવ્ય પાલન વેળા જે કઈ વચ્ચે ભોગ લેવાય તેમાં વડાપ્રધાનનો દોષ કે કોઈનો દોષ શું કાઢવો …જો કાઢવો હોય તો બધાનો ને ન કાઢવો હોય તો કોઈનો ય નહિ …પણ જવાબદારી પ્રત્યેકની બની રહે છે ..મારા બીમાર પડવાથી ..વડાપ્રધાન સુધીની અરે દોષ તો ભગવાનનોય કાઢીએ ..પોતાની ફરજ પર વધુ ધ્યાન અપાય … એક માણસ સર્વ્વાતનું ધ્યાન ન રાખી શકે ..અને બધા રાખે તો આમ પણ બને નહિ ..

    Like

    1. શ્રી દિલીપભાઈ
      કર્તવ્ય પાલન કરતી વખતે પણ વિવેક બુધ્ધિ વાપરવી આવશ્યક ગણાય ! માત્ર જડતા પૂર્વક કોઈ પ્રકારનું કર્તવ્ય પાલન ના હોઈ શકે ! એક વાત તો સ્પષ્ટ છે કે આટલી હદની જો સલામતી જોઈતી હોય તો જાહેરમાં આવો છો શા માટે ? લોકોની સેવા કરવાની મોટી મોટી વાતો કરી લોકોને જ મારનારા આ નિંભર અને અમાનુષી સત્તધારીઓથી કમનસીબે આ દેશ ઉભરાઈ રહ્યો છે અને આવા તદન નિર્દોષ લોકોની હું તો આને હત્યા જ કહીશ થતી રહે છે ! અસ્તુ !
      આવજો ! મલતા રહીશું ! આભાર
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  6. ખુબ જ સરસ પોસ્ટ લખી તે બદલ ધન્યવાદ. પણ આમાં ડૉ. મનમોહનસિંહે કોઈ જ જવાબ આપવાનો ના હોય.
    કેમ કે ભારતના બંધારણ માં જોગવાઈ છે જ કે કોઈ પણ ઉચ્ચ કક્ષાનો નેતા…જેવા કે….પ્રધાન મંત્રી, નાયબ પ્રધાન મંત્રી, મુખ્યમંત્રી, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, વિદેશ ના મહેમાન નેતા…..દરેક ને આ પ્રકારની સુરક્ષા આપવી જોઈંએ. આમાં સામન્ય પ્રજા હસ્તક્ષેપ કારી સકતી નથી…..હા પણ બંધારણ માં જોગવાઈ છે…જો કોઈના જીવન-મરણ નો સવાલ હોય તો તેને આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે. આ ઘટનામાં એક અમન નામના કિશોર નો જીવ ગયો….કારણ કે પોલીસવાળા કોઈ જ વાત સાંભળતા ન હતા….આમાં પ્રધાનમંત્રી નો વાંક ક્યાં આયો..કે અમને જવાબ આપવો પડે???? આમાં વાંક પોઈસ્વલાનો પણ ના કાઢી શકાય….કારણકે, એમની જવાબદારી હોય છે સુરક્ષા જાળવવાની…..આ શર્મનાક ઘટના માં વાંક ફક્ત અને ફક્ત અમન ના માતા-પિતા નો, એ સમયે ટ્રાફિકમાં ઉભા રહીને તમાશો જોઈ રહેલા ભારત દેશના બીમાર અને બાયલા નાગરિકોનો….જેમને ભારતના બંધારણ ની જોગવાઈ ની કોઈ જ ખબર નથી…..અથવા ખબર છે પણ વિરોધ કરવો નથી….કે પાછી હિમ્મત નથી…..કે પાછી આ બધી બાબલો માં ફસાવું નથી…..મારા માટે આમાં વાંક ફક્ત સામન્ય પ્રજા નો જ છે…..જો કે આવે પ્રધાન મંત્રી વિરૃધ્ધ અખબારપત્રમાં ગમે તેવા નિવેદનો આવે,,,,એમના પુતળા બળવામાં આવે….કદાચ પ્રધાનમંત્રી માફી પણ માગે….આશ્વાસન પણ આપે….પણ એનાથી શું સાબિત થશે????? ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીથી ના થાય અનુ શું?????બધું જ સરકાર પર છોડ્યા વગર સામન્ય પ્રજા એ જાતે જ નક્કર કદમો ઉઠાવવા પડશે……નહિ તો…..
    ” યથા રાજા તથા પ્રજા “

    Like

    1. ભાઈશ્રી યશ
      આપે મુલાકાત લીધી આભાર ! કાયદા/બંધારણની જોગવાઈઓ વ્યક્તિ જાણતી હોય તો પણ આવી કટોકટીમાં શું થઈ શકે તે કાયદા ટાંકે ? અને કાયદા ટાંકવાથી માર્ગ આપી દેત ? જડ જેવા અધિકારીઓ અને સત્તાધારીઓ નિંભર અને દયાહીન હોય છે તેમને પોતાના સ્વાર્થ સીવાય એક પણ બાબતમાં રસ હોતો નથી.જરૂર છે આ સીસ્ટમને આમુલ/મૂળભુત રીતે બદલવાની !
      ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિડ

      Like

  7. અપને જાણીએ છીએ કે
    ઉન્ઘતાને જગાડી શકાય છે
    પરંતુ જાગતાને ને કેવી રીતે ઉઠાડી શકાય?
    દંભી રાજનીતીગનો બધું જાણે છે તેને કઈ રીતે સમજાવાય?

    Like

    1. શ્રી દિનેશભાઈ
      આપે ખૂબ સાચી વાત કરી આ ધરાર ઉંઘતા હોવાનો ડોળ કરી રહેલા રાજકારણીઓ છે તેને જો લોકો જાગૃત થાય અને આકરે પાણીએ નવડાવે તો જ આંખ ઉગડે પણ વો દિન કહાં ? આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  8. The Comment of Mukund Desai is the Eye-opener to many such situations.
    The Safety of the Public Servant is needed….but then you must read the 2nd Comment of Dr. Rajendrabhai…..there must be a provision to allow Ambulance to reach the place of the needed treatment.
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Arvindbhai…Nice Post !…..Hope this incident opens the Eyes of our LEADERS & the Police !

    Like

    1. શ્રી ચન્દ્રવદનભાઈ
      આભાર મુલાકાત માટે અને પ્રતિભાવ માટે પણ ! ચાલો આપણે આપે કહ્યું તેમ આશા રાખીએ કે આ બનાવ આ સત્તાધારીઓ માટે આંખ ખુલનારો બની રહે અને જડભરત જેવા પોલીસો પણ ધડો લે જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ના થાય ! અવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. શ્રી મુકુંદભાઈ
      આભાર મુલાકાત અને પ્રતિભાવ માટે ! આવજો ફરી પણ મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ જણાવતા રહેશો
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. શ્રી રાજેન્દ્રભાઈ
      આભાર બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે ! આપની વાત સાચી છે પણ આ સરકારી અમલદારોમાં મૂળભુત રીતે વિવેક બુધ્ધિનો જ અભાવ હોય છે તેઓની જડ બુધ્ધિને કારણે એક નિર્દષ કિશોરનુ અકાળ મૃત્યુ થયુ અને તેની મા વલોપાત કરી રહી છે પરંતુ આ દેશના જદબુધ્ધિના સત્તાધીશો આ સીસ્ટમ બદલવા પણ કોઈ પ્ર્યાસ નહિ કરે ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

Leave a comment