મુંબઈ બ્લાસ્ટ ( 2 ) 26/11

મુંબઈ  બ્લાસ્ટ  ——–   (  2   )

 

પહેલાં મેં મારા વિચારો આ સંદર્ભે વ્યકત કરેલા છે તેના અનુસંધાને થોડું વધારે લખી રહ્યો છું. ખાસ કરીને આ બોમ્બ બ્લાસ્ટ પછી મુંબઈગરાઓએ જે ગેટ વે ઓફ ઈંડિયા પાસે એકઠા મળી સ્વ્યંભુ એકતાનું પ્રદર્શન કર્યું એટ્લું જ નહિ પણ મીણબતીઓ  જલાવી પ્રકાશ પાથરવાનો/ફેલાવવાનો પ્રશંસનીય પ્રયાસ કર્યો તો એકાદ મીડીઆ વાળાએ પ્રતિજ્ઞા પત્રો ઉપર સહી કરાવાની ઝુંબેશ ચલાવી અને માનવ સાંકળ બનાવી સૌએ પોતાનો આક્રોશ્ અને રોષ પ્રદર્શિત કર્યો. અને આ  આક્રોશ્ આતંકવાદીઓ કરતાં પણ વધારે દેશના સત્તાધીશોની અનિર્ણાયકતા અને નપુસંકતા તરફ વધુ હતો તેમાં કોઈ શંકા નથી.

##### તેમ છતાં મને દહેશત છે કે આ આક્રોશ્  સત્તાધીશોના બહેરા કાન સુધી પહોંચ્યો નથી. અને આ આક્રોશ  જયાં સુધી છેક છેવટનો આદમી પ્રદર્શિત નહિ ક્રે ત્યાં સુધી આ રાજકારણીઓ/સત્તાધીશોની શાન ઠેકાણે આવવાની કોઈ સંભાવના દેખાતી નથી.

##### મુંબઈમાં થયેલા આ એકતાના પ્રદર્શનમાં સક્રિય રીતે ભાગીદાર થવાને બદ્લે  લતા (મંગેશકરે) માઈએ 300 વખત રડી લેવાનું પસંદ કર્યું. અને તેની જાહેરાત પત્રકારો સમક્ષ કરી પણ ખરી. રડતી વખતે પેલી  સ્ટોપવોચ જેવું કોઈ સાધન રાખ્યું હોવું જોઈએ અને તોજ ગણત્રી કરી શકાય હશે ને ? આ જ લતામાઈએ ભૂતકાળમાં  ગાયેલું અને ખૂબ જ પ્રસિધ્ધી પામેલું ગીત મને યાદ આવી ગયું. – યે મેરે વતન કે લોગો જરા આંખમેં ભરલો પાની ,-  જરા યાદ કરો ——–કુરબા ની  – અને લતામાઈએ એ જ કર્યુ. આંખમાં પાણી ભરી લઈ ઈતિશ્રી માની લીધી. એનો એક અર્થ એ પણ કરી શકાય કે આવા ગીતો ગાનારા કે પ્રવચનો કે વ્યાખ્યાન આપનારા ક્યારેય આવા ભાવવાહી શબ્દોને જીવનની શૈલી બનાવતા હોતા નથી તે સર્વે તો વ્યવસાયિક ધોરણે નાણાં મેળવવા ગાતા કે પ્રવચનો કે વ્યાખ્યાનઓ આપતા હોય છે.

#####   એમ કહેવાય છે કે આ બંને દિવસો એટલેકે 26/11 અને 27/11 ના રોજ અરબી સમુદ્રમાં બે વખત ભરતી આવેલી અને દરિયાનું પાણી પણ વધારે ખારાશ વાળુ જણાયેલું . એમને પોતે સાંસદ છે અને તે પણ સત્તાધારીપક્ષના તે યાદ આવી જતા કદાચ આ બનાવને સખ્તરીતે વખોડી કાઢ્વાનું યોગ્ય નહિ લાગ્યું હોય. પક્ષની શિસ્ત આડી આવે ને ? એટલે કદાચ રડી લેવાનો વિકલ્પ સ્વીકાર્યો હોઈ શકે. આજ લતાજીએ મારી યાદદાસ્ત દગો ના દેતી હોય તો મુંબઈમાં એક ફ્લાય ઓવર તેમના ફ્લેટની બાજુએથી

બનાવાનું આયોજન હતું ત્યારે જો આ ફ્લાયઓવરની જગ્યા બદલવામાં ના આવે તો મુંબઈ છોડી જવાની ધમકી આપેલી. આવા કહેવાતા સેલીબ્રરેટીશ કેટ્લા સ્વાર્થી અને સ્વકેંઢ્રી હોય છે તેનું આ આબેહુબ ઉદાહરણ નથી ?

##### અરે સમખાવા પૂરતું  પણ આ આતંકવાદીના હુમલાને વખોડી કાઢ્યો હોત તો પણ મુંબઈગરાઓએ લતામાઈને  માફ કર્યા હોત્ પણ માત્ર રડ્વાનું અને તેની ગણત્રી  કર્યા કરવાથી અને પ્રેસમાં છ્પાવાથી આવા હુમલા ના અટ્કી શકે .

##### ધન્ય છે ! અમિતાભને કે પોતાના બ્લોગ ઉપર કોઈની  પણ પરવા કર્યા વગર પોતાનો રોષ અને આક્રોશ અને દેશવાસીઓની અસહાયતા વિશે અને સત્તાધીશોની નપાવટ અને નપુસંકતા ઉપર વ્યાજબી રીતે જ પ્રહાર કરી વખોડી કાઢ્યા છે. અરે ! શાહરુખખાને – સલમાનખાને પણ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યા છે !

#####   આ તબ્બકે અમિતાભને અભિનંદન સાથે એક વાત યાદ કરાવાનું મન રોકી શકાતું નથી. ભાઈ અમિતાભ ! આપે જે રીતે આતંકવાદી હુમલાને વખોડી કાઢી દેશવાસીઓની અસહાયતા વિષે અને જયારે સત્તાધીશો આમ જનતાનું રક્ષણ કરવા નિષ્ફળ જાય ત્યારે પોતાનું જાતે રક્ષણ કરવા જે કોઈ સાધન ઉપલબ્ધ બને તે રાખવુ જોઈએ તેમ કહ્યુ તે ખૂબજ વ્યાજબી હોવાછ્તાં એક પ્રશ્ન પુછવાનું મન થાય છે કે આપના પરિવારના અંગત મિત્ર અને હિતેચ્છુ  કે જેમના કારણે આ સરકાર પોતાનું અસ્તિત્વ ટકાવી શકી તે અમરસિહ આ વિષે જવાબદાર ગણાય કે કેમ ? એમણે આ વિષે કોઈ નિવદન કર્યું છે કે કેમ તે જાણવાનું હજુ બાકી છે.

#####  હા , એટલી જાણ છે કે દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ જીવતા પકડાયેલા આતંકવાદીને બચાવવા તેઓશ્રી એ આર્થિક સહાય આપવાનું સ્વીકાર્યુ છે  ! અને દેશના જાણીતા એડવોકેટ શ્રી રામ જેઠમલાણીએ તેનો બચાવ કરવાનું સ્વીકાર્યુ છે. ! અને જેમની ફી અમરસિંહ ચૂકવવાના છે. ! આમ પ્રથમ દૃષ્ટિએ જ આપના અને આપના પારિવારિક મિત્રોનો આ બાબત અભિગમ વિરોધીભાષી જણાય છે.આ વિષે આપની સ્પષ્ટતા આવકાર્ય બની રહેશે.

#####  ઉપરોકત વિરોધાભાષી વલણ હોવા છતાં અમિતાભજીનો મીણબત્તી પ્રગટાવવાનો સ્પષ્ટ ઈંકાર પણ દાદ માંગી લે છે. માફી માંગતા જણાવ્યું છે કે – પછી શું ? અને આ વાત ખરેખર વિચારવા જેવી છે કે જનતાના રોષને વાચા આપવા કંઈક નક્કર અને સચોટ કાર્યવાહી કરવાનું આયોજન જો સમયસરના કરી શકાય તો થોડા સમયમાં જ આ રોષ અને એકતા છેતરામણી સાબિત થાય છે અને જો આપણો ઈતિહાસ તપાસાય તો આ વાત વજુદ વાળી જણાશે. તમામ લોકો  ફરીને એ જ પ્રવૃતિમાં પ્રવૃત થઈ જતા હોય છે.

#####  સમયની માગ તો એવા નેતા શોધવાની છે કે જે મજબૂતાઈથી અને ખાત્રીબંધ રીતે કંઈક કરી બતાવે. વાસ્તવમાં સામૂહિક શક્તિ પ્રગટાવવાની સમયની માંગ છે અને તે આજના કોઈ પણ રાજકર્તા કે રાજકારણીઓમાં નથી જ્ અને એ સંદર્ભે મેં મારા અગાઉના લેખમાં કહ્યું છે કે આપણો કૃષ્ણ આપણે જ શોધવાનો છે. ત્યારે અનેક રીતે  આપણને વિભાજિત કરતા આ રાજકારણીઓ આમ જનતાને પોતાનો કૃષ્ણ શોધવા દેશે કે કેમ તે માટે મને દહેશત છે.

#####  વાર્ તહવારે ગુજરાતની  કોમી એખલાસની વાત આવે ત્યારે શબાના-આઝમી અને જાવેદ અખ્તાર અને તિષ્તા સેતલવડ વગેરે  ગુજરાતને વખોડવા લાગે છે આ સંદર્ભે કેમ આ તમામની જીભ સીવાય ગઈ છે ?  કે પછી  કહેવાતા આ બિનસાંપ્રદાયી લોકોને માત્ર હિન્દુઓ જ ત્રાસ્ વાદી દેખાય છે. મને તો આ તમામની   અમરસિહ-મુલાયમસિંઘ વગેરે સહિતની માનસિકતા કોઈ મનોવૈજ્ઞાનિક પાસે તપાસ કરાવવા યોગ્ય જણાય છે. અને હવે તેમાં ઉમેરો કરી રહ્યા છે પ્રધાનમંડળના એક પ્રધાન એ.આર.અંતુલે. કે જેઓએ સંસદમાં નિવેદન કરી હેમત કરકરેની શહિદી માટે આશંકા પ્રદર્શિત કરેલી છે. કમભાગ્ય છે આ દેશના અને જનતાના કે આવા બેજવાબદાર લોકો પ્રધાનમંદળમાં બેઠા છે. આમ તો બંધારણ પ્રમાણે કોઈ પણ બાબતો માટે પ્રધાનમંડળની સંયુકત જવાબદારી  રહે છે. અને આવા વિધાન માટે પ્રધાનમંત્રી પણ જવાબદાર ગણાય જ અને આ માટે સમ્રગ પ્રધાનમડળે રાજીનામું આપી દેવું રહે. પણ એવી નૈતિકતા તો શોધવા માટે દૂરબીન પણ કામ આવે તેમ નથી તે વાસ્તવિકતા આપણે સૌએ સ્વીકારવી રહી.

#####  સંસદમાં અને અન્ય લોકો આ વિધાન સામે વિરોધ ઉઠાવશે એટ્લે રાબેતા મુજબ કોંગ્રેસ પક્ષ આ વિધાન. અંતુલેનું વ્યક્તિગત છે તેવી ટિપ્પણી કરી જવાબદારી ખંખેરવાની કોશિશ્ કરશે. !પરંતુ આવા વિવાદાસ્પદ અને અત્યંત સંવેદનશીલ બનાવ માટે  અંતુલેની હકાલપટી જેવા સખ્ત અને કડક દાખલારૂપ પગલા લેવાનું ટાળશે.  !  આજ પક્ષે મારગ્ર્રેટ  આલ્વાને પક્ષના મંત્રી તરીકે રાજીનામું આપવાની ફરજ પાડેલી કારણકે  તેમાં પક્ષના માંધતાઓના ચારિત્ર્ય ઉપર પ્રહાર થતા હતા તેમ મનાવામાં આવી રહ્યુ હતું. જ્યારે આ તો એક સાધારણ સીપાઈ શહિદ થયાની તદન સામાન્ય વાત છે. આ રાજકર્તાઓને આવા તેમના જ રક્ષણ કરતા સીપાઈઓના જીવનની કેટલી કિમત છે તે ઉપરોક્ત વિધાનો સાબિત કરે છે.

# # # # #    અંતુલે જેવા લુચ્ચા-હરામખોર અને હલકા અને નીચ જેવા રાજકારણીઓથી જ આ દેશ ખદબદી રહ્યો છે. એક વાત તો ચોક્કસ સાબિત થઈ કે કરકરેના મૃત્યુ વિષે વિવાદ ઉભો કરવાનો હેતુ  અંતુલે એ સિધ્ધ કરી લીધો છે  ! અને હવે ભલેને (ક) રાજીનામું લેવામાં આવે. આવી નીચ મનો વૃતિ ધરાવનારની હકાલપટી માત્ર સરકારમાંથી જ નહિ પણ પક્ષમાંથી પણ થવી જોઈએ. છે હિમત કે ઈચ્છાશક્તિ મનમોહનસિંહ કે સોનીયા ગાંધી પાસે ? અત્રે યાદ આવે છે કે આજ અંતુલે એ ઈંદીરા ગાંધીની પરવાનગી લીધા વગર અને જાણ વગર સિમેંટ ઉત્પાદ્કો પાસેથી લાંચ લઈ ઈંદીરા ગાંધીને નામે એક ટૃસ્ટ બનાવેલુ અને તેણીના ધ્યાન ઉપર આવતાં અંતુલે પાસેથી રાજીનામું લઈ લીધુ હતું. આ સમયે અંતુલે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન હતા.

#####  ટુંકમાં જે થાય તે –COME, WHAT MAY – એકવાર તો મર્દાંનગી દેખાડો. ! આ દેશની પ્રજામાં તો કૌવત છે જ- લાલ બહાદુર શાસ્ત્રીની એક હાક્લે લોકોએ સોમવારે એક સમય જમવાનું સ્વીકારેલું અને ચોખા ખાવા પણ બંધ કરેલા. આજ પણ કેટ્લાક બુઝર્ગો સોમવારે એક સમય જ જમે છે.જે પરિસ્થતિ ઉભી થશે તે આ દેશનો સામાન્યજન સામનો કરવા સમર્થ છે અને દ્ર્ધ્ધ નિશ્ચ્યી છે અને તમામ પરિણામોનો સામનો કરવા સક્ષમ છે..ત્યારે કૌવત અને મર્દાનગી દેખાડી સિધ્ધ કરવાની જવાબદારી સત્તાધારીઓના ખભ્ભા ઉપર છે.આપ મર્દ છો ?  તો પુરવાર કરવાની ઘડી આવી પહોંચી છે.!

#####  મનમોહન સિંહ કહે છે કે સખ્ત હાથોથી કામ લેવામાં આવશે .ત્યારે પૂછ્વવાની લાલચ રોકી શકાતી નથી  કહો મનમોહનસિંહ આપના હાથ એટલા સખ્ત છે ખરા ?  અમને તો કોઈ કોમલાગીના હોય તેવા લાગ્યા કરે છે. માઠુંના લગાડ્શો પણ એક વાત કહ્યા વગર રહેવાતું નથી કે દાઢી અને મૂછ રાખ્યે કદાચિત શીખ ધર્મનું પાલન થતું હશે –મર્દાનગી પુરવાર ના થાય્.—મેરા ભારત મહાન !!!

##### દેશની ગરિમા પાછી લાવવા છેક છેવાડેથી આમૂલ પરિવર્તન કરવું રહ્યું. જીતવા માટે જીવ ઉપર આવી લડવાની તૈયારી હોય તો જ જીતે મળે.

#####  ઈતિહાસ તપાસો આ દેશમાં વૈરાગ્ય અને બ્રહ્નમચારીઓ અને અહિંસા પ્રધાન રહેલો અને અનેક વિદેશીઓએ હજારો માઈલનો પગપાળા પ્રવાસ કરી લડાઈઓમાં વારંવાર હરાવેલો છે. મને તો ડર લાગે છે કે જો આ સત્તાધીશો આ ત્રાસવાદ નહિ મીટાવી શકે તો સિવીલ વોર પણ થઈ શકે છે અને જે કદાચ આ રાજકર્તાઓ અને રાજ્કારણીઓની નપૂંસકતાને કારણે દરવાજે ટ્કોરા મારી રહ્યુ છે. તાજેતરના બનવો તો એવું પણ સુચવી જાય છે કે આમને આમ ચાલ્યું તો આવનારા 50-100 વર્ષમાં  ઈતિહાસનું પુનરાવર્તન થાય અને દેશ ફરીને 600 કે વધારે રજવાડામાં વહેંચાઈ જાય્  !  ઈતિહાસમાંથી પદાર્થપાઠ ના શીખનાર દેશને ઈતિહાસનું પુનરાવર્તન જોવાનો વારો આવે છે.!  જે દેશમાં  40લાખ મંદિરો -25000થી વધારે સંપ્રદાયો અને અગણિત રાજકીય પક્ષો હોય ત્યાં એકતા અને એક્સંપ અને એક અવાજ ક્યાંથી ઉભો થાય ? આવો એક અવાજ બુલંદ બનતો રોકવા આ દેશના નપાવટ રાજકારણીઓ અનેક અવરોધો ઉભા કરી શકે છે જે આપણે અંતુલે — અમરસિંહ — મુલાયમસિંહ અને શબાના આઝ્મી અને જાવેદ અખ્તર અને તિષ્તા સેતલવડ વગેરેના વલણથી સ્પ્ષ્ટતાથી જોઈ શકાય છે.

##### અમીચંદો અને ઘરના ઘાતકી આપણી વચ્ચે જ છે બહારના કોઈની જરૂર નથી આ રાજકારણીઓમાં કેટ્લાક ગુન્હાહિત ઈતિહાસ ધરાવે છે અને તેમનું રક્ષણ આ દેશના નાગરિકોના ભોગે કમાંડો કર્રી રહ્યા છે –મારો ભારત દેશ મહાન !!!

#####  આ સત્તાધીશો અને અન્ય રાજકારણીઓ જ્યારે મત માગવા આવે છે ત્યારે લોકોની સેવા કરવાની વાતો કરતા હોય છે અને તો એમને આવા રક્ષણની શું જરૂર રહે ? પરંતુ આ સૌને પોતાના ગુન્હાહિત કરતુકોને કારણે -પોતે પોતાની જાતથી જ ડરતા હોય છે  એટ્લે બાહ્યરીતે આવા રક્ષણ ની જરૂર પડે છે  ! જે તાત્કાલીક અસરથી બંધ કરવી જોઈએ અને આ બધાને જો રક્ષણની જરૂર મહેસુસ કરતા હોય તો પોતાના હિસાબે ને ખર્ચે રાખે તેમ ઠરાવવુ જોઈએ. !  લોકોના પરસેવાના પૈસાથી કર મારફત થતી સરકારની આવક આવા ફિજુલ ખર્ચમાં  જે કોઈ વાપરે તેના ઉપર ફોજદારી રાહે કામ ચલાવવુ જોઈએ. આ દેશનો એક પણ રાજકારણી આમ જનતાની સેવા કરતો નથી જ નથી  ! અને તમામ પાસે પૂરતા નાણા છે તો તે થકી પોતાના રક્ષણની વ્યવસ્થા કરવાનુ જણાવી દેવું જ રહ્યુ.

# # # # #    એક એવા સમાચાર વાંચવા મળ્યા કે સમાજવાદી પક્ષના અમરસિંહે કલિંટન ફાઉંડેશનને 5000000/ પચાસ લાખ ડોલરનુ દાન કર્યું છે  જરા આ રકમને રૂપીયામાં ગણત્રી કરી જુઓ તો આ રકમ 25.00.000.00 / લગભગ પચીસ કરોડ જેવી થવા જાય છે.! આવા ધનપતિઓને પણ આ દેશના રાજકર્તાઓ સુરક્ષા લોકોના કરસેવાની રકમમાં થી પૂરી પાડે છે  ! જે અત્યંત શરમજનક ગણાવું જોઈએ. !આ ઉદાહારણ સાબિતી સ્વરૂપ છે કે આ દેશનો કોઈ રાજકારણી લોકોની સેવા માટે આ ક્ષેત્રમાં આવતો નથી તેટલું જ નહિ કોઈ ગરીબ પણ નથી જ નથી  ! અને એટલે બીજી જે કોઈ ચળવળ  હાથ ધરવામાં આવે તે પહેલા પ્રાથમિકતાતો આ સુરક્ષા તાત્કાલિક પાછી ખેચાય  જાય તે માટે એકી અવાજે આંદોલન કરવાનો સમય પાકી ગયો છે.-જાગો ! લોકો  જાગો  ! ખરેખર તો લૂટારા દેશના રાજકારણીઓ જ  રક્ષકોના વાઘા પહેરી આપણી વચ્ચે જ વસી રહ્યા છે .સંયુકત રીતે અવાજ એવો તો બુલંદ બનાવો કે એવો તો તાપ પેદા થાય કે આ તમામ આપ મેળેજ શાનમાં આવી પોતાની મર્યાદા સમજી જાય્.

#####  ઉપરાંત આ સાંસદોને શહીદ થયેલા કે થતા  જવાનો માટે કેટ્લો આદર-માન અને લાગણી છે તે પણ સ્પષ્ટરીતે 13 ડીસેમ્બરે શહીદ થયેલા જવાનો—સંસદ ઉપરના હુમલાનો દિવસ હતો- ને અંજ્લી આપવા માત્ર 10 સાંસદો હાજર હતા તે સાબિત થઈ ચૂકયું છે. અને તેમાં પણ કેટ્લાક તો હાજર રહેવુ અનિવાર્ય હોય હાજર રહેલા.!

##### મને એક સ્વપ્નું આવેલું જેમાં ભગવાન ગાંધીજીને પોતાના દરબારમાં બોલાવે છે અને પૂછે છે કે પૃથ્વી લોક્ના મહાત્મા આપને ફરીથી પૃથ્વી ઉપર જન્મ લેવા માટે પસંદ કરવામાં આવ્યા છે તો કહો આપની ક્યા દેશમાં જ્ન્મ લેવાની ઈચ્છા છે ? “ જવાબમાં ગાંધીજી એ કહ્યુ કે મને મારાં હિન્દુસ્તાનમાં જ  જન્મ લેવો છે પરંતુ એ માટે મારી એક શરત છે જે આપે મારા જન્મ સાથે જ પૂરી કરવાનું વચન આપવું પડ્શે. ભ્ગવાને સ્વીકાર કરતા શરત જણાવવા કહ્યુ. ગાંધીજીએ ભગવાનને કહ્યુ આમ તો મનુષ્યને જ્ન્મ લીધા બાદ પુખ્ત ઉમરે પહોંચતા લગભગ 16 થી 20 વર્ષ થતા હોય છે પણ હું ફરીને જન્મતાજ  પુખ્ત ઉંમરે પહોંચી જઉં અને સાથે જ મને એક એવુ હથિયાર જોઈએ કે જેમાં હું ના ધારું ત્યાં સુધી બૂલેટ ખૂટે નહિ. ભગવાને પૂછ્યું કે મહાત્મા તમે તો અહિંસાના સમર્થક અને પૂજારી છો અને તમેજ આ સંદેશો દુનિયા ભરમાં ફેલાવેલો છે ત્યારે આપની આવી માંગણી વિસ્મય પમાડે છે તો તેનુ એવુ તો શું કારણ આવી પડ્યુ છે કે આપને આવા ભયંકર હથિયારની જન્મલેતા સાથે જ જરૂર જણાય છે.?” ગાંધીજી એ પ્રત્યુતરમાં કહ્યુ કે હે ભગવાન ! અમારા દેશમાં રાજકારણીઓનો એટ્લો ત્રાસ ફેલાયેલો છે કે સામાન્ય નાગરિકની કોઈ સલામતી રહી નથી અને તમામ પ્રકારના રક્ષકોનો ઉપયોગ આવા હરામખોરોની રક્ષામાટે થઈ રહ્યો છે. એટ્લે આવા સંજોગોમાં આપ ખરેખર મને ફરી જન્મ દેવા માંગતા જ હો તો હિન્દુસ્તાનમાં જ જન્મ આપો કે જેથી જન્મતાની સાથે જ આ લુચ્ચા દંભી સ્વાર્થી અને નપાવટ અને નીચ રાજકારણીઓનો ખાત્મો બોલાવી આ ગભરુ પ્રજાને બચાવી શકુ. !  ભલે દુનિયા આખી આ અસાધારણ અને અત્યંત ક્રૂર હિંસા જોઈ મને હિટલર કે મુસોલીની સાથે મૂકે.  જેથી મને પણ અહિંસા અહિંસા જીવન આખી કર્યા કર્યુ તેનું પ્રાય્શ્ચિત કરવાનો મોકો મળશે.

!#####  હા ,મને માનવ અધિકાર વાળાની કાગારોળ યાદ આવી. !  મુંબઈ બ્લાસ્ટ પછી આ સાહેબોનો અવાજ સંભળાયો નથી. પરંતુ આ માનવ અધિકારવાળા મૃત્યુ પામેલા માટે ક્યારેય સહાનુભૂતી પૂર્વક બોલ્યા હોય તેવું યાદ નથી. પણ જે જીવતા રહ્યા અને જેમણે આવા અમાનુષી કૃત્યો કર્યા છે અને જીવતા પક્ડાયા છે તેમના માનવ અધિકાર માટે કાગડાઓની જેમ કલબલાટ કરતા આપ સૌએ જોયુ હશે. કદાચ તેમના શાસ્ત્રમાં મૃત્યુ પામેલા માટે બે શબ્દો બોલવા સિવાય કંઈ શીખવવામાં આવતુ નહિ હોય્ !  ઉદાહરણ રૂપે જો આ માનવ અધિકાર વાળા હિટલ્રરે  ભલે લાખોની સંખ્યામાં યહુદીઓને મોતને ઘાટ ઉતાર્યા પણ હિટલર જીવીત હોય તેના માનવીય અધિકાર માટે કાગરોળ મચાવે તેવા અમાનવીય છે. મૃત્યુ પામેલા માટે શું વાત કરવી તેવી અમાનૂષિ માનસિકતાથી  પીડાતા આ માનવ પંચના સભ્યો જણાય છે.— મેરા ભારત મહાન !!!

#####  આ પહેલા મારા મુંબઈ બ્લાસ્ટ ઉપરના વિચારોમાં મેં આ તમામ રાજકારણીઓનો સામાજિક બહિષ્કાર કરવા અને શેરી- સોસાયટી-ટીવી-સભા-સરઘસ વગેરેમાં જ્યાં જ્યાં આવા કોઈ રાજકારણી આવવાના હોય ત્યાં હાજરી નહિ રહેતા આવા સમારંભોથી દૂર રહેવા જણાવેલું તેના અનુસંધાને કોઈને પ્રશ્ન થાય કે આ કેવી રીતે શક્ય છે તો મને  કહેવા દીઓ કે છેલ્લા લગભગ 10 વર્ષ થયા મે જે કોઈ સ્થળે સભા-સરઘસ્-સમારંભ્-સામાજિક- ધાર્મિક કે અન્ય પ્રકરના હોય ત્યાં જો કોઈ રાજકારણી આવવાનો હોય તો કાંતો તદન જતો નથી અથવા તેની વિદાય પછી જવાનું રાખુ છું અરે ! ટીવીમાં પણ કોઈ વાર સમાચાર કે અન્ય કાર્યક્રમમાં જો રાજકારણી દેખાય તો ચેનલ બદલાવી નાખું છું.! સમાજ બદલવા માટે વ્યકતિએ જ પહેલ કરવી પડે છે સમાજ એ વ્યકતિઓનો સમૂહ છે એટ્લે માત્ર એક જ વ્યકતિથી થતી શરૂઆત  સમય જતાં સામૂહિક રીતે અમલી બનતા અચૂક ધાર્યા પરિણામ લાવીને રહેશે. જરૂર છે માત્ર નિષ્ઠા પૂર્વક કરેલા નિર્ણયનો અમલ. કોઈની પણ રાહ જોયા વગર કરાતી પહેલ. !

#####  અશોક દવેએ તેમના એંકાંઉટરની કોલમમાં  એક પ્રશ્ન કર્તાના સવાલ નો જે જવાબ આપ્યો છે તે સવાલ અને જવાબ રજૂ કરવાનું મન રોકી શક્તોના હોઈ અત્રે રજૂ કરુ છું. સવાલ છે કે પ્રજાને આતંકવાદીઓ કરતા નેતાઓ ઉપર વધુ ગુસ્સો કેમ આવે છે ?” જવાબમાં અશોક દવે કહે છે કે આતંકવાદીઓની સ્ટુપિડિટિ ઉપર —— ડોબાઓને એ પણ ખબર નથી કે પહેલાં કોને મરાય ?”

#####   આ સવાલ-જવાબ એટલા માટે રજૂ કર્યા છે કે જવાબમાં રહેલી વેધક સત્યતા કદાચ સામાન્ય જન સમુદાયની લાગણી અને સંવેદનાનો સચોટ પડઘો પાડે છે.

##### છેલ્લે અંતમાં દિવ્ય ભાષ્કરની 14 ડિસેમ્બર 2008 ને રવિવારની પૂર્તિમાં વિનોદ ભટ્ટ્ ના ઈદમ તૃતીયમમાં જે છેલ્લો ફકરો લખ્યો છે તેનાથી આ મુંબઈ  બ્લાસ્ટના 2 ભાગનુ સમાપન કરુ છુ. વિનોદ ભટ્ટ લખે છે કે “” એક કિન્નર તાલી-ના તાબોટા પાડીને ફરિયાદના ટોન માં મને કહેતો હતો કે તમે તમારે પોલિટિશિયનનોને આવડે એટલી-દેવી હોય એટ્લી ગાળોદો પણ મહેરબાની કરીને કોઈ રાજ કારણીને હિજડો ,છ્ક્કો, સિક્સર ,વ્યંઢળ  સેમિ-નાર ,કે કિન્નર કે નપાણિયો ના કહેશો કેમ કે એમાં અમને અમારું ઘોર અપમાન લાગે છે.-સાચુ કહેજો આપણાં દેશનું આજ દિન સુધી અમે જરા પણ નુકશાન કર્યું છે  ? આવું  બોલતી વખતે તેની આંખોના ખૂણા થોડા ભીના જણાયા હતા.

#####  ઉપરોકત સંવાદ પણ આ દેશનો છેક છેવાડાની વ્યકતિ- નાગરિક-ને આ રાજકારણીઓ પ્રત્યે કેટલી હાડો હાડ નફરત અને ઘૃણા છે તે સ્પષ્ટ  વાંચી શકાય છે.!

#####  છેલ્લા સમાચાર જાણવા મળે છે તે પ્રમાણે કોંગ્રેસ અંતુલેના રાજીનામાના સ્વીકાર માટે ધ્વિઢા અનુભવે છે કારણકે અંતુલે ના સમર્થનમાં એમપીના દિગ્વિજયસિહ બહાર આવ્યા છે. થઈ રહ્યું છે ને ઈતિહાસનું પુનરાવર્તન જેમ રાણા પ્રતાપના ભાઈ માનસિંહ અકબર સાથે થયેલા તેવું જ હાલના રાજકારણીઓ કરી રહ્યા છે.કોગ્રેસની અનિર્ણાયકતા ઉડીને આંખે વળગી તેવી છે. મેરા ભારત મહાન !!!!

#####  આપના પ્રતિભાવની અપેક્ષા સાથે

13 comments

    1. ભાઈશ્રી અરૂણ

      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી આભાર. પ્રતિભાવ માટે પણ ધન્યવાદ ! આપની અનૂકુળતાએ અન્ય લેખો વિષે પણ આપના પ્રતિભાવો જણાવતા રહેશો તો મને ખૂબજ ગમશે અને પ્રોત્સાહન પણ મળતું રહેશે.

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને મેં વ્યકત કરેલા વિચારો આપને ગમ્યા જાણી આનંદ થયો. ફરી પણ આપની અનૂકુળતાએ મુલાકાત લેતા રહેશો અને આપના પ્રતિભાવો પણ જણાવશો.
      ફરીને આભાર્
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    1. આ વિષે પણ હું આપની સાથે સહમત થઈ શક્તો નથી. સરકારમાં એક પણ મર્દ નથી તે સાબિત થઈ ચૂકયું છે. હા શકય છે કે મીલીટરી તૈયાર હશે પણ તેને ઓર્ડર કરનાર નપુસંકો છે તે હવે મીલીટ્રીને પણ જાણ થઈ હશે. એક વાત બહુ જ સ્પષ્ટા છે કે જ્યાં સુધી આ કહેવાતા સત્તાધીશોના પરિવારના કોઈ આવા આતંકવાદી હુમલામાં ભોગ ના બને ત્યાંસુધી સામાન્ય માણસોના મૃત્યુથી આ જાડી ચામ્ડીના રાજકાર્ણીઓના પેટ્નું પાણી પણ હલે તેમ નથી. જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા તેમની વેદના કે વ્યથા કે દુખની આ નિંભર લોકોની કોઈ સંવેદના જાગૃત થાય તેમ નથી. આ બધાતો થોડી રકમ આવા ભોગ બનનારના પરિવારને આપી મૃત્યુના સોદા કરના રાઓ છે. અને આ રકમ પણ કોઈ નેતા તેના ગજવામાં થી આપતો નથી. આ રકમ પણ મારાં અને તમારા ગજવામાં થી કરવેરાના સ્વરૂપે મેળવાયેલી હોય છે. આ દેશના કમ ભાગ્ય છે કે નિંભર-નપાવટ અને નપૂસકો રાજ કરનારા મળ્યા છે. આ વિષે વધારે શું લખું ?
      તેમ છતાં આપે મારા વિચારો વાંચ્યા અને પ્રતિભાવ લખ્યો માટે આભાર્ અન્ય વિચારો વિષે પણ આપના પ્રતિભાવોની પતિક્ષા કરું છું .
      આભાર અને આવજો. ફરી મળીશુ.
      અરવિંદ

      Like

  1. SAHEB SARKAR NAMALI K NAPUNSAK CHEJ NAHI PAN PRAJA J NAMALI ANE NAPUNSAK CHE AJE TAME TAMRA GHAR NA DARVAJA KHULA RAKHO ANE PACHI CHOR NO VAK KADHO TO TE VYAJBI NATHI.TME KYAREY AEVU SAMBLYU CHE K KOI GYATI A ANAMAT NE JAKARO APYO HOY TEMA AA NAVA LAGHUMATI JAINO PAN AAVI GAYA PLESE JO TAMNE KHABAR HOY TO KEJO. BAKI SARKAR NE PAN PRAJA J BANAVE CHE 1 KAHEVAT CHE K JANANRI MA J JOR NO HOY TO SOYANI PAN SHU KARE

    Like

  2. kaka tame khubaj saras lakhyu che pan khotu no lagadta aavu to have lagbhag darek newspaper ma pan lakhay j che.ane lakhtu pan raheshe tame kashuk aevu lakho ke jema navu hoy, jemke DR.A.P.J ABDUL KALAM kem bani shakay,DHIRUBHAI AMBANI KEM BANI SHAKAY,NARENDRA MODI KEM BANI SHAKAY,LALBAHADUR SHASTRI KEM BANI SHKAY, KARNKE BADHA NE KAIK KARVU CHE PAN KOI CHANKYA NATHI MALTA KE JE AAVA HAJARO DHARM,PAKSHO, ANE ALAG ALAG PRANT NI PRAJA NE TUTATION AAPI SHAKE.BAKI TAMARU LAKHAN KHOTU NATHI J.ANE FARI 1 VAR MAFI MANGU CHU JO MARA VICHARO THI AAPNE KHOTU LAGYU HOY TO.PAN PAISA VAGAR KRANTI NATHI AAVTI ANE AATANKWADI KE RAJKARNI PAN LUKKHA K ABUDHO NATHI J BANI SHAKTA

    Like

    1. આભાર ભાઈ પરાગ આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપને મારા વિચારો મુંબઈ બ્લાસ્ટ ઉપરના ગમ્યા તે જાણી આન%દ થયો. આપ મારા અન્ય વિષયો ઉપરના વિચારો પણ અવશ્ય આપની અનૂકુળતાએ વાંચી આપના પ્રતિભાવો જણાવશો તે મને ખૂબ આનંદ તો થશે જ પણ લખવા માટે પ્રોત્સાહન પણ મળશે.

      Like

  3. અંતુલેએ હેમંત કરકરે બાબતમાં જે શંકા ઉઠાવી તે પછી સંસદની નજીકની મસ્જિદમાં તેમનું સન્માન થયું અને તેમના ટેકેદારો વધતા જાય છે. પરિણામે કોંગ્રેસીઓ તેમની સામે પગલાં લેતા અચકાય છે, રખે ને, લોકસભા ચૂંટણીમાં મુસ્લિમોના મત ગુમાવવા પડે તો! હવે અંતુલેએ એવી માગણી પણ ઉઠાવી છે કે વકફ બોર્ડની સંપત્તિ પર મુસ્લિમોનો જ અધિકાર છે, સરકારનો નહીં.

    જોકે ઉર્દૂ અખબારો અંતુલેની ટિપ્પણીને બેજવાબદાર લેખી રહ્યા છે. તેઓ કહે છે કે અંતુલેએ ક્યારેય મુસ્લિમોના હિતની વાત છેલ્લાં ચાર વર્ષમાં કરી નથી, એકાએક તેઓ કેમ બોલવા લાગ્યા છે?

    અંતુલેને બસપ (માયાવતી) અને સપ (મુલાયમ)ના મુસ્લિમ સાંસદોએ ટેકો આપ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના શકીલ અહેમદ જેઓ ગૃહ રાજ્યમંત્રી છે, દિગ્વિજયસિંહ જેવા ‘સેક્યુલર’નેતાઓએ ટેકો આપતા અંતુલેની હિંમત હવે વધતી જાય છે. આમ ને આમ ટેકો મળતો રહેશે તો તેમની મુસ્લિમ કાર્ડ રમવાની હિંમત પણ વધતી જશે. તેમણે તો નવા કાયદાનો પણ વિરોધ કરતા કહ્યું છે કે તે સારો છે પણ તેનો દુરુપયોગ થવાની સંભાવના છે.

    અંતુલે જેવા પ્રધાનને તગેડી મૂકાતા નથી તે જ વર્તમાન કોંગ્રેસની ‘વોટબેન્ક પોલિટિક્સ’ની મજબૂરી દર્શાવે છે. અને એટલે જ આ સરકાર દેશહિતને પ્રાધાન્ય આપશે તે વિચારવું જ મૂર્ખામીભર્યું છે.

    Like

    1. આપની વાત સાથે હું સપૂર્ણ સહમત છુ. અને દ્રધ રીતે માનું છું કે આ નમાલી અને નપૂસંકોની સરકાર ક્યારેય કોઈ પગલાં લઈ શકવાની સક્ષમતા ધરાવતી નથી જ નથી. શાસ્કોનિ નિર્માલ્યતા અને વોટબેંકના રાજકારણે અંતુલે એ જે હેતુથી વિવાદ ઉભો કર્યો હતો તે સિધ્ધ થયો છે જ્યા સુધી બહુમતિ અને લઘુમતિ ના રાજકારણને વિદાય નહિ અપાય ત્યાં સુધી આપણા કમ ભાગ્યે આવુંજ બેહુદુ રાજકારણ આ હરામ્ખોર રાજ્કારણીઓ ચલાવતા રહેવાના. હમણાં થોડા સમય પહેલાં જ સમાચાર વાંચેલા કે હવે જૈનોને પણ લઘુમતિ ગણવા માટે બંધારણમાં સુધારો લાવવામાં આવશે. આમ બ્રિટિશરોથી પણ ચડીજાય તેવા આપણા દેશના રાજકારણીઓ છે અને તે આખરે આ દેશના વધુ અને વધુ ટૂકડા -ભાગલા કરો અને રાજ કરોની નીતિથી-કરાવીને જ રહેશે તેમાં મને કોઈ શક નથી.

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s