<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	xmlns:georss="http://www.georss.org/georss" xmlns:geo="http://www.w3.org/2003/01/geo/wgs84_pos#" xmlns:media="http://search.yahoo.com/mrss/"
	>

<channel>
	<title>અરવિંદ અડાલજાનો  બ્લોગ</title>
	<atom:link href="http://arvindadalja.wordpress.com/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://arvindadalja.wordpress.com</link>
	<description>My little different Thoughts</description>
	<lastBuildDate>Tue, 31 Jan 2012 16:58:45 +0000</lastBuildDate>
	<language>gu</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.com/</generator>
<cloud domain='arvindadalja.wordpress.com' port='80' path='/?rsscloud=notify' registerProcedure='' protocol='http-post' />
<image>
		<url>http://0.gravatar.com/blavatar/4ca5b3596f1f58567db19fbd9bdda905?s=96&#038;d=http%3A%2F%2Fs2.wp.com%2Fi%2Fbuttonw-com.png</url>
		<title>અરવિંદ અડાલજાનો  બ્લોગ</title>
		<link>http://arvindadalja.wordpress.com</link>
	</image>
	<atom:link rel="search" type="application/opensearchdescription+xml" href="http://arvindadalja.wordpress.com/osd.xml" title="અરવિંદ અડાલજાનો  બ્લોગ" />
	<atom:link rel='hub' href='http://arvindadalja.wordpress.com/?pushpress=hub'/>
		<item>
		<title>પ્રજા સત્તાક ભારત !&#8212;અનાવૃત—જય વસાવડા</title>
		<link>http://arvindadalja.wordpress.com/2012/01/28/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%9c%e0%aa%be-%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%95-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%85%e0%aa%a8%e0%aa%be%e0%aa%b5%e0%ab%83%e0%aa%a4/</link>
		<comments>http://arvindadalja.wordpress.com/2012/01/28/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%9c%e0%aa%be-%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%95-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%85%e0%aa%a8%e0%aa%be%e0%aa%b5%e0%ab%83%e0%aa%a4/#comments</comments>
		<pubDate>Sat, 28 Jan 2012 06:41:06 +0000</pubDate>
		<dc:creator>Arvind Adalja</dc:creator>
				<category><![CDATA[Prakirna]]></category>

		<guid isPermaLink="false">http://arvindadalja.wordpress.com/?p=1301</guid>
		<description><![CDATA[પ્રજા સત્તાક ભારત ! અનાવૃત—જય વસાવડા ગુજરાત સમાચારની 25,જાન્યુ, 2012 ને બુધવારની “શતદલ પૂર્તિં” માં જય વસાવડાની કોલમ અનાવૃતમાં પ્રસિધ્ધ થયેલો લેખ તેઓ બંનેના આભાર અને સૌજન્ય સાથે આપ સૌને પસંદ પડશે તેમ ધારી અત્રે રજૂ કરેલ છે. વળી એક પ્રજાસત્તાક દિન. ફરી પાછી એ જ લુખ્ખી-સુક્કી થઈ ગયેલી ભારતની ભૂતકાળની ભવ્યતાની વાતો, ભવિષ્યની ચંિતાની [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1301&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p><strong>પ્રજા સત્તાક ભારત !</strong></p>
<p><strong>અનાવૃત—જય વસાવડા</strong></p>
<p>ગુજરાત સમાચારની 25,જાન્યુ, 2012 ને બુધવારની “શતદલ પૂર્તિં” માં જય વસાવડાની કોલમ અનાવૃતમાં પ્રસિધ્ધ થયેલો લેખ તેઓ બંનેના આભાર અને સૌજન્ય સાથે આપ સૌને પસંદ પડશે તેમ ધારી અત્રે રજૂ કરેલ છે.</p>
<p><strong>વળી એક પ્રજાસત્તાક દિન.</strong></p>
<p>ફરી પાછી એ જ લુખ્ખી-સુક્કી થઈ ગયેલી ભારતની ભૂતકાળની ભવ્યતાની વાતો, ભવિષ્યની ચંિતાની વાતો.<br />
દિલ કો બહેલાને કે લિયે ખયાલ અચ્છા હૈ.</p>
<p>પ્રજાસત્તાક? જ્યાં પોતાને ધાર્મિક કોમવાદ અને કટ્ટરવાદથી ઉપર સેક્યુલર આદર્શોને વરેલી કહેવડાવતી સરકાર બીક્કણબિલાડી બની બે પગ વચ્ચે પૂંછડી દબાવી લેખક સલમાન રશદીને જયપુર લિટરરી ફેસ્ટિવલમાં આવવાથી જ રોકે છે, એ પ્રજાસત્તાક? જે રશદીને ભારતમાં જન્મેલા બિનખ્રિસ્તી હોવા છતાં, સેક્યુલર સિદ્ધાંતને ખાતર દુનિયાભરના ફતવાબાજ ત્રાસવાદીઓની વચ્ચે આટલા વર્ષોથી લોખંડી સુરક્ષાકવચ પુરું પાડીને અડીખમ, અણનમ સાચવ્યા છે. એમને ગર્લફ્રેન્ડસથી લઈને નવી કહાનીઓ રચવાની મોકળાશ આપી છે, એ બ્રિટન પ્રજાસત્તાક છે! શું કામ બ્રિટને આપણી પર રાજ કર્યું, એનો આ સબૂત છે!</p>
<p>બ્રિટિશર્સ પાસેથી આઝાદ થયાનો પ્રજાસત્તાક દિન આપણે માનવીએ છીએ. પણ બિચારી પ્રજા પાસે ક્યાં સત્તા આવી છે? પાવર તો એના લુચ્ચા, લબાડ, અભણ અને આળસુ જેવા નેતુંડાઓએ પડાવી લીધો છે!<br />
કયા મોંએ પ્રજાસત્તાક દિન ઉજવવાની આપણે વાતો કરીશું? લેલીલેન્ડ ગાંધીજી વિશે એલફેલ લખે એટલે એચ.પી. (હરખ-પદૂડા) થઈ આપણે બાન મૂકીએ. ગાંધીજીના ગુજરાતી પત્રોના અનુવાદમાં શબ્દોને પકડવા જતાં જે હોમોસેકસ્યુઆલિટીનો અનર્થ તારવવામાં આવ્યો, એની ચર્ચા ન કરીએ! જીન્નાહ વિશે જશવંતસંિહ કંઈક લખે, તો વળી ગુજરાતીઓ અકળાઈ જાય, અને જીન્નાહ ગુજરાતી હતા એ ય ભૂલીને ચહેરો ચોખ્ખો કરવા અરીસા પર પોતું મારતા હોય, એમ બાન મૂકે! શિવાજી વિશે કશીક ઐતિહાસિક છણાવટ થતી હોય, તો શિવાજીને ઘરની ધોરાજીની માફક રાજકીય કારણોસર પોતાની પેટન્ટેડ બ્રાન્ડ બનાવી દેનારા ઘૂંધવાઈ જાય! મરહૂમ હુસેને તો મરતા પહેલા એમના એક બાયોગ્રાફરને ઓન રેકોર્ડ કહેલું કે દિલ્હીમાં બેઠેલી સરકારનું સેક્યુલરિઝમ દંભી છે. એ લોકોને ખરેખર કળામાં સમજ નથી, અને કળાકારના બચાવની દાનત નથી. આના કરતા મારા મિત્ર વાજપેયીનું સેક્યુલારિઝમ વઘુ નિષ્ઠાવાન હતું, એમની હાજરીમાં મારે દેશ છોડવો પડ્યો નહોતો!</p>
<p>ભારત શું શરિઅત મુજબ ચાલતો મુલ્લાઓનો દેશ છે કે અહીં સરકારે ખોંખારો ખાઈને ‘થાય તે કરી લેવા’નો પડકારો કરવાને બદલે ઠંડીમાં ઠુંઠવાતું ગલુડિયું ભેંકડો તાણતું હોય, એમ સલમાન રશદીને જ એમના વતનથી દૂર રાખવા પડે? તસ્લીમા અને રશદીને સુરક્ષા ન આપી શકતો દેશ અજમલો અને અફઝલોને ભર્યા ભાણે સલામત સાચવે છે! આ આપણા તટસ્થતા અને ન્યાયના પ્રજાસત્તાક આદર્શો છે? ફટ્‌ છે! ધિક્કાર હો!<br />
ભારત પ્રજાસત્તાક નથી. વૉટબેન્કસત્તાક છે. અહીં સરકાર જનતાને સાચું હોય ત્યારે મુઠ્ઠી પછાડીને   વટ્ટથી કહી નથી શકતી કે તમારું ટોળું જે રીતે વર્તે છે, એ ગલત છે. અહીં લશ્કરના જવાનો હર હર મહાદેવ બોલે તો ટીવી પર ચશ્મેઢબ ચતુરસુઝાણો સેક્યુલર આદર્શોની ડિબૅટ માંડે છે, પણ ત્રાસવાદીઓ ‘અલ્લાહો અકબર’ બોલે ત્યારે ખા&#8230;મોઓઓઓ&#8230;શ થઈ જાય છે!</p>
<p>કેમ જેની વારંવાર દુહાઈઓ દેવામાં આવે છે, એ બંધારણ અને સંસદીય લોકશાહીની ગરિમાને ગજવે ઘાલીને ઠાકરે પરિવારથી બજરંગદળ જેવા ઉગ્ર હિન્દુત્વવાદી સંગઠ્‌ઠ્‌નો પોતાનો કક્કો મારી ઠોકીને ખરો બેસડવા જાય છે, ત્યારે સ્વતંત્ર સાર્વભૌમ ભારતનો વહીવટ ચલાવતા વડાપ્રધાનો અને મુખ્યમંત્રીઓ લાલ આંખ કરીને એમને બીજી વાર ગાંડા કાઢવાની ખુજલી થાય તો ય રૂંવાડે રૂંવાડે કાંટા ભોંકાય એવો કડક શિસ્તનો પદાર્થપાઠ ભણાવતી નથી? કેમ સલમાન રશદી ભારત આવે કે નહિ, એ માટે સરકારે પોતાની અક્કલ લધુમતી લાગણીઓના વહીવટદારોને ત્યાં ગિરવે મૂકવી પડે? શું ભારત સરકારે ઈમિગ્રેશન ખાતું શાહી ઈમામને સોંપી દીઘું છે?<br />
***</p>
<p>એક વખત એવું બન્યું કે અમેરિકાના ફ્‌લોરિડા રાજ્યમાં સુલ્તાના ફ્રીમેન (ધર્માંતર અગાઉની સાન્ડ્રા કેલર) અને નજાત તમીમ ઉલ મુહમ્મદનો કેસ ખૂબ ચગ્યો. વ્યક્તિસ્વાતંત્ર્યની હદ વટાવી જનાર અમેરિકામાં આ બંને બાનુઓએ ધાર્મિક અધિકારના નામે ડ્રાઈવંિગ લાયસન્સમાં ફુલફેસ ફોટોને બદલે બુરખા પહેરીને જ ફોટો પડાવવા જીદ પકડી. એ અરસામાં જ ત્રાસવાદી હુમલા પછી સંવેદનશીલતા અને સહિષ્ણુતાના ગાંધીશાઈ અતિરેકમાં ડુબેલા એ ઈમોશનલ દેશે બીજી બે-ચાર ઘટનાઓ જોઈ. ઓકોલહોમાની સ્કૂલના સંચાલકોએ ‘ગોડ બ્લેસ અમેરિકા’નું સ્લોગન સ્કૂલોમાંથી હટાવવાની શરૂઆત કરી, કારણ કે એમને ડર હતો કે આવા ‘ધાર્મિક’ સૂત્રથી કોઈની લાગણી દુભાઈ જશે. લોંગ આઈલેન્ડ, ન્યૂયોર્કમાંથી ટેલિકાસ્ટ થતી ‘ચેનલ ૧૨’ના ન્યૂઝરૂમમાં અમેરિકી ઘ્વજ અને રેડ, બ્લ્યુ ઈન્ટિરિયર હતું, જે હટાવી દેવાયું એટલે ‘કોઈ’ને એના સમાચારો ‘પૂર્વગ્રહપ્રેરિત’ ન લાગે! ફ્‌લોરિડાની ગલ્ફ કોસ્ટ યુનિવર્સિટીની પબ્લિક લાયબ્રેરીમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સને માઠું ન લાગે, માટે ‘પ્રાઉડ ટુ બી એન અમેરિકન’ લખેલા સાઈનબોર્ડસ હટાવી દેવાયા. બર્કલી, કેલિફોર્નિયાના બંબાઓ પરથી અમેરિકન ઘ્વજ કોઈની લાગણી ન દુભાય, માટે હટાવી દેવાયા.<br />
આ બઘું જોઈને જ્યોર્જીયા રાજ્યના એક સ્થાનિક સમાચારપત્રમાં એર ફોર્સના એક નિવૃત્ત ઉચ્ચાધિકારી બેરી લોઉડરમિલ્કે ઉકળતા લોહી સાથે એક એડિટોરિયલ લખ્યો. જેના અંશો કંઈક આવા છે ઃ</p>
<p>‘‘હું ઈમિગ્રેશન (બહારથી અમેરિકા રહેવા આવતા વસાહતીઓ)નો વિરોધી નથી. કોઈ બહેતર જીવન જીવવા અમેરિકા આવે તેની સામે મને કોઈ પૂર્વગ્રહ નથી. આ તો દેશ જ બહારના વસાહતીઓનો બનેલો છે. પણ કેટલીક એવી બાબતો છે, જે બહારથી આવેલાઓએ સમજવી પડે.</p>
<p>પહેલી વાત તો એ, કે સતત તમારી લાગણી ન દુભાય, એવા પ્રયત્નો કર્યે રાખવા, એ કંઈ અમારી જવાબદારી નથી. અમેરિકા મલ્ટી કલ્ચરલ છે, એ વાતથી કંઈ એની રાષ્ટ્રીય ઓળખ કે સાર્વભૌમત્વને ઓગાળી નાખવાના ન હોય. અમેરિકન તરીકે અમારી પોતાની એક સંસ્કૃતિ છે, ભાષા છે, જીવનશૈલી છે, સમાજ છે. અમારા પૂર્વજો એના માટે લડ્યા છે, લોહી રેડ્યું છે અને મર્યા છે.</p>
<p>‘ઈન ગોડ વી ટ્રસ્ટ’ એ અમારું રાષ્ટ્રીય સૂત્ર છે. આ કોઈ રાજકીય નારો કે જમણેરી ખ્રિસ્તીઓનો   પ્રચાર નથી. એ કેપિટલ હિલ (સંસદ ભવન) પર પથ્થરથી કોતરાયેલું છે, અને અમારી કરન્સી નોટો પર છપાય છે. આ ‘મોટ્ટો’ અમે એટલે અપનાવ્યો છે કે આ દેશની સ્થાપના ખ્રિસ્તી સ્ત્રી-પુરૂષોએ &#8211; કે જે ખ્રિસ્તી સિદ્ધાંતોને અનુસરતા હતા &#8211; એમણે કરી છે, અને આ ઐતિહાસિક હકીકત છે.<br />
‘ગોડ’ અમારા રાષ્ટ્રગીતમાં, રાષ્ટ્રભક્તિના દરેક ગીતમાં છે, અમારા પ્રાચીન દસ્તાવેજોમાં છે. અમે એના (પૃથ્વી પરના) જન્મ, મૃત્યુ, પુનરાવતારને આદર આપીએ છીએ. જ્યારે કટોકટી હોય, ત્યારે એની પ્રાર્થના કરીએ છીએ. જો આ ‘ગોડ’થી તમારી લાગણી દુભાતી હોય, તો હું સૂચન કરીશ કે તમારું ઘર ધરતીના બીજા છેડે ક્યાંક બનાવો. કારણ કે, અમને ‘ગોડ’ના હોવા ઉપર ગર્વ છે. અમને અમારા વારસા પર અને એનું માનભેર રક્ષણ કરનારી વિભૂતિઓ પર પણ ગર્વ છે. અમેરિકન કલ્ચર અમારું ‘વે ઓફ લાઇફ’ છે. અમે એમાં ખુશ છીએ અને બદલાવા માંગતા નથી. એન્ડ વી ડૉન્ટ કેર કે તમે જ્યાંથી આવો છો, ત્યાં શું કરો છો.</p>
<p>અમારા બંધારણનો પહેલો સુધારો જ દરેક નાગરિકને અમારી સંસ્કૃતિ, સરકાર, સમાજ વિશે જાહેર અભિપ્રાય આપવાનો હક આપે છે. અને અમને જરૂર ગમશે કે તમને પણ એની ભરપૂર તક મળે. પણ જો તમે સતત રોતલ બની અમારી રાષ્ટ્રીયતા, શ્રદ્ધા કે જીવનશૈલી સામે ફરિયાદો અને કંકાસિયો ગણગણાટ જ કરવાના હો &#8211; તો અમેરિકન ફ્રીડમનો મહાન લાભ ઉઠાવો &#8211; ‘રાઈટ ટુ લીવ’ (છોડી જવાના હક)ને અનુસરો.’’<br />
***</p>
<p>એક વખત એવું પણ બન્યું કે બ્રિટનમાં ટ્રેન બોમ્બંિગ જેવી ઘટનાઓ અને બાલિ પરના ત્રાસવાદી હુમલાઓ પછી આતંકવાદનો ઓછાયો ઓસ્ટ્રેલિયા પર પડતા ૨૦૦૫માં ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન જ્હોન હાવર્ડ અકળાયા. બેરીભાઈની સ્પીચમાંથી પ્રેરણા લઈ, એક એમણે પણ રાષ્ટ્રને નામ સંદેશ વહેતો મૂક્યો. એ અગાઉ ઓસ્ટ્રેલિયન સરકારના હંિસા સામેના કડક પગલાથી ધર્મને થતાં અન્યાયના મુદ્દે એમને મુસ્લીમ વિદ્વાનો, ધાર્મિક આગેવાનોનું પ્રતિનિધિમંડળ મળવા પણ આવેલું. હાવર્ડભાઈએ વિવિધ સંદર્ભે જે ટુકડે-ટુકડે કહ્યું એનો સામૂહિક સારાંશ કંઈક આવો છે (યાદ રહે, એ મુસ્લીમોને ત્રાસવાદના સંદર્ભે જ કહેવાયું છે) ઃ</p>
<p>‘‘ઈમિગ્રન્ટસ, યાને કે બહારથી આવેલા વિધર્મી વસાહતીઓએ શીખવાનું સમજવાનું અને ‘એડજસ્ટ’ થવા બદલાવાનું છે. અમારે ઓસ્ટ્રેલિયનોએ નહિ. ટેઇક ઇટ ઓર લીવ ઈટ. આ દેશથી કોઈની લાગણી તો નથી દુભાતી ને, કોઈની સંસ્કૃતિનો વિરોધ તો નથી થતો ને એવી ચંિતા કરી કરીને હું થાકી ગયો છું. ત્રાસવાદી હુમલાઓ પછી બહુમતી ઓસ્ટ્રેલિયનોમાં દેશપ્રેમનો જબ્બર ઉછાળો આવ્યો છે.’’</p>
<p>અમારી સંસ્કૃતિ પણ સદીઓના સંઘર્ષ, પ્રયાસો અને વિજયોથી વિકસી છે, લાખ્ખો-કરોડો નર-નારીઓના યોગદાનથી આજની આઝાદી સુધી પહોંચ્યા છે. અમે મુખ્યત્વે અંગ્રેજી બોલીએ છીએ. સ્પેનિશ, લેબનીઝ, અરેબિક, રશિયન, ચાઈનીઝ, જાપાનીઝ કે બીજી કોઈ ભાષા નહિ. માટે જો તમે અમારા સમાજનો હિસ્સો બનવા માંગતા હો, તો પહેલા અમારી ભાષા શીખો.</p>
<p>મોટા ભાગના ઓસ્ટ્રેલિયનોને ‘ગોડ’માં શ્રદ્ધા છે, કારણ કે આ ખ્રિસ્તી લોકોએ સ્થાપેલો, શોધેલો દેશ છે. એટલે જ એની (ગોડની) વાતો અમારી સ્કૂલની દીવાલો પર છે. તમને એનાથી અકળામણ    થતી હોય તો તમે ચાલ્યા જાવ &#8211; ઈશ્વર તો અમારી સંસ્કૃતિનો ભાગ રહેશે જ.</p>
<p>અમે તમારી માન્યતાઓ સ્વીકારીએ છીએ, અને ‘આવું કેમ?’ એવો પ્રશ્ન પૂછતા નથી. અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે તમે પણ મોકળા મને અમારી માન્યતાઓ સ્વીકારો, શાંતિ-સંવાદિતા-સુમેળથી રહો અને અમારી સાથે મજા કરો.<br />
આ અમારો દેશ છે, અમારી ભૂમિ છે. અમારી જીવનશૈલી છે. અને તમને એ અનુભવવાની, માણવાની દરેક તક અમે આપીશું. પણ અમારી લાઈફસ્ટાઈલ જો તમને પસંદ ન હોય અને તમારે એની વિરૂઘ્ધ બખાળા જ કાઢવા હોય તો તમે અહીંથી ચાલ્યા જવા માટે આઝાદ છો. તમે અહીં ખુશ ન હો, તો ચાલતા થાવ. અમે કંઈ તમને અહીં પરાણે લઈ આવ્યા નથી. તમારી મરજીથી તમે અહીં રહો છો. માટે, જે દેશનું નાગરિકત્વ તમે સ્વીકારો છો, તેને (મતલબ, તેની સંસ્કૃતિને) પણ સ્વીકારો.’’</p>
<p>આટલું કહ્યા પછી ઓસ્ટ્રેલિયન સરકારે મસ્જીદો-મદ્રેસાઓ પર ખુલ્લેઆમ ત્યાં ‘ત્રાસવાદ’નું સમર્થન તો નથી થતું ને, એ જોવા માટે તપાસ અને ‘વૉચ’ ગોઠવી. હાવર્ડસાહેબે રોકડું કહી દીઘું કે ‘‘કોઈ ધર્મના પાલન બાબતે કંઈ સરકાર દખલગીરી કરવા નથી માંગતી. પણ જો ધર્મના નામે કોઈ ચોક્કસ જૂથ હંિસાત્મક ત્રાસવાદનો પ્રચાર કરવાની પેરવી કરે, તો એવું ન થાય એ માટે નજર રાખવી એ રાષ્ટ્રીય સલામતીનો મુદ્દો છે.’’</p>
<p>જો જે-તે ધર્મગુરૂઓ કે સંસ્થાઓ નિર્દોષ જ છે, તો એમણે આનાથી ડરવાની જરૂર નથી. ભલે ને કોઈ આવીને નિરીક્ષણ કરે, તપાસ કરે&#8230; તમે ગુનેગાર જ નથી તો શા માટે વિરોધ કરો છો? સહયોગ આપો ને!’’<br />
અને ૨૩ ઓગસ્ટ ૨૦૦૫,ના લેટલાઈન ટીવી ન્યૂઝ પ્રોગ્રામમાં ઓસ્ટ્રેલિયાના નંબર ટુ ગણાતા ટ્રેઝરર કેબિનેટ મિનિસ્ટર પીટર કોસ્ટેલોએ સખ્તાઈથી કેટલીક વાતો તડ-ફડની ભાષામાં કરી&#8230; એના અંશ પણ વાંચી લો ઃ</p>
<p>‘‘આ દેશ લોકશાહી ઢબે ચાલે છે. બંધારણ મુજબ એ એક સેક્યુલર સ્ટેટ છે. અમારા કાયદા ઓસ્ટ્રેલિયન પાર્લામેન્ટે ઘડેલા છે. જો એ તમારા મૂલ્યો સાથે સુસંગત નથી, અને તમે શરિઅતના કાયદા મુજબનો દેશ ઝંખો છો &#8211; તો ઓસ્ટ્રેલિયા તમારા માટેનો દેશ નથી. અહીંના કાનૂનો, અદાલતો, સંસદીય કાર્યપ્રણાલી વગેરે સાથે જો તમે કમ્ફર્ટેબલ નથી, તો બીજા એવા ઘણા દેશો છે જ &#8211; જે શરિઅત મુજબ ચાલે છે, એ તમને વઘુ અનુકૂળ આવતા હોય તો તમે ત્યાં ચાલ્યા જાઓ.</p>
<p>ઓસ્ટ્રેલિયામાં એક જ કાયદો છે. ઓસ્ટ્રેલિયન કાયદો. શરિઅતનો કે અન્ય કોઈ ધર્મગ્રંથનો કાનૂન નહિ. જેમને ઓસ્ટ્રેલિયા આવીને રહેવું હોય, એ આ બાબતે એકદમ ક્લીઅર થઈને રહે. અમારી ઓસ્ટ્રેલિયન વેલ્યૂઝને માન આપતા શીખો. અમારા કાયદા સંસદ ઘડે છે, અને અદાલતો એનો અમલ કરાવે છે. તમને એ ન ફાવે, અને તમારે તમારું ધાર્મિક સ્વાતંત્ર્ય આપતી સમાંતર વ્યવસ્થા ઉભી કરવી હોય તો અહીં તેને સ્થાન નથી. તમે અહીં આવો ત્યારે શપથ લો છો, ઓસ્ટ્રેલિયન લોકશાહીમાં માનવાના. ઓસ્ટ્રેલિયાની સ્વતંત્ર ઓળખ છે, સ્વતંત્ર ન્યાયપાલિકા અને જીવનશૈલી છે. તમારી માન્યતાઓ એની સાથે શેર ન થતી હોય તો રહેવાના બીજા ઓપ્શન શોધી લો. અહીં એક જ કાનૂન છે, અને સરકાર ઇચ્છે કે નાગરિકો એનું પાલન કરે! તમારા બાળકોને ઓસ્ટ્રેલિયન   સંસ્કારો શીખવાડો!’’<br />
***</p>
<p>રીડરબિરાદર, શાંતિથી વાંચજો. વાત એમાં કંઈ ઈસ્લામના અપમાનની નહિ, પણ પોતાના દેશની અસ્મિતા અને ઓળખની શાન માટેની નક્કરતાની છે. રશદી વખતે કોઈ મુસ્લીમ ચરમપંથી કે હુસેન વખતે કોઈ હિન્દુ ફેનેટિક દોઢડાહ્યા થાય, ત્યારે આવો સ્ટ્રિક્ટ મેસેજ ગવર્નમેન્ટ તરફથી મુલ્કને જવો જોઈએ. પ્રજાસત્તાક એટલે પોતાની ઘરની ધાર્મિક વ્યાખ્યાઓ મુજબ ચાલતો સંકુચિત મિજાજનો દેશ નહિ. પ્રજાસત્તાક એટલે જ્યાં ન્યાય અને નીતિમત્તાના ત્રાજવે બધાનો તોલ સરખો ચાલતો હોય, એવો સમરસ સમાજ. જ્યાં જનલોકપાલને ડામવા માટે નહિ, પણ વાસ્તવમાં સંવૈધાનિક સંસ્થાઓની ગરિમા જળવાતી હોય. જ્યાં વારતહેવારે કોઈને કોઈ સમાજની દુભાતી ધાર્મિક લાગણીઓ નજરઅંદાજ થતી હોય. કોઈ પણ સર્જક-કલાકાર ખાતર સરકાર પોતાનો પ્રચંડ પાવર બતાવી પ્રજાને શિસ્તના પાઠ ભણાવતી હોય. ઓસ્ટ્રેલિયા પાસેથી ક્રિકેટ સિવાય પણ કશુંક શીખવાનું છે. અમેરિકા પાસેથી કોલા સિવાયના ય ધૂંટ ભરવાના છે.</p>
<p>ઈન ફ્રીડમ ઓફ ધેટ હેવન, લેટ માય કન્ટ્રી અવેક!</p>
<p>ઝંિગ થંિગ<br />
શીત લહર હૈ &#8211; લંકા ફિલ્મનું શિયાળાની ઠંડી રાતે સાંભળવા જેવું બેનમૂન ગીત.</p>
<br />Filed under: <a href='http://arvindadalja.wordpress.com/category/prakirna/'>Prakirna</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/arvindadalja.wordpress.com/1301/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/arvindadalja.wordpress.com/1301/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/arvindadalja.wordpress.com/1301/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/arvindadalja.wordpress.com/1301/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/arvindadalja.wordpress.com/1301/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/arvindadalja.wordpress.com/1301/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/arvindadalja.wordpress.com/1301/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/arvindadalja.wordpress.com/1301/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/arvindadalja.wordpress.com/1301/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/arvindadalja.wordpress.com/1301/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/arvindadalja.wordpress.com/1301/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/arvindadalja.wordpress.com/1301/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/arvindadalja.wordpress.com/1301/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/arvindadalja.wordpress.com/1301/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1301&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://arvindadalja.wordpress.com/2012/01/28/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%9c%e0%aa%be-%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%95-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%85%e0%aa%a8%e0%aa%be%e0%aa%b5%e0%ab%83%e0%aa%a4/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/b05b403cfb79f21c2c0e63a623b1d940?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">arvindadalja</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>છેલ્લાં ત્રીસ વર્ષમાં ધર્મનો રાજકીય પરિબળ તરીકેનો ઉદ્‌ભવ માનવજાતને ખતમ કરી શકે તેમ છે&#8212;-નવું વાચન નવા વિચાર &#8211; ધવલ મહેતા</title>
		<link>http://arvindadalja.wordpress.com/2012/01/27/%e0%aa%9b%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%82-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%b8-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a7%e0%aa%b0/</link>
		<comments>http://arvindadalja.wordpress.com/2012/01/27/%e0%aa%9b%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%82-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%b8-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a7%e0%aa%b0/#comments</comments>
		<pubDate>Fri, 27 Jan 2012 17:12:47 +0000</pubDate>
		<dc:creator>Arvind Adalja</dc:creator>
				<category><![CDATA[Prakirna]]></category>

		<guid isPermaLink="false">http://arvindadalja.wordpress.com/?p=1297</guid>
		<description><![CDATA[.છેલ્લાં ત્રીસ વર્ષમાં ધર્મનો રાજકીય પરિબળ તરીકેનો ઉદ્‌ભવ માનવજાતને ખતમ કરી શકે તેમ છે નવું વાચન નવા વિચાર &#8211; ધવલ મહેતા ગુજરાત સમાચારની 25,જાન્યુઆરી 2012ની “ શતદલ” પૂર્તિમાં નવું વાચન નવા વિચારની શ્રી ધવલ મહેતાની કોલમમાં પ્રસિધ્ધ થયેલ લેખ તેઓ બંનેના આભાર અને સૌજન્યથી બ્લોગ ઉપર રજૂ કરેલ છે સ્ત્રોત (૧) બીયોન્ડ ધ હોક્ષ ઃ [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1297&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>.<strong>છેલ્લાં ત્રીસ વર્ષમાં ધર્મનો રાજકીય પરિબળ તરીકેનો ઉદ્‌ભવ માનવજાતને ખતમ કરી શકે તેમ છે</strong></p>
<p><strong>નવું વાચન નવા વિચાર &#8211; ધવલ મહેતા</strong></p>
<p>ગુજરાત સમાચારની 25,જાન્યુઆરી 2012ની “ શતદલ” પૂર્તિમાં નવું વાચન નવા વિચારની શ્રી ધવલ મહેતાની કોલમમાં પ્રસિધ્ધ થયેલ લેખ તેઓ બંનેના આભાર અને સૌજન્યથી બ્લોગ ઉપર રજૂ કરેલ છે</p>
<p>સ્ત્રોત (૧) બીયોન્ડ ધ હોક્ષ ઃ એલન સોકાલ (ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૨૦૦૮)<br />
(૨) ધ એન્ડ ઓફ ફેઇથ, રીલીજીયન, ટેરર, એન્ડ ધ ફયુચર ઓફ રીઝન ઃ સામ હેરીસ (ન્યુયોર્ક, ડબલ્યુ, ડબલ્યુ નોરેન ૨૦૦૪) (૩) આજના યુગની ધર્મ ભાવના ઃ વિનોબા ભાવે (યજ્ઞ પ્રકાશન, વડોદરા ૨૦૧૧)</p>
<p><strong>રાજકારણમાં ધર્મ સત્તા </strong>ઃ-  ધર્મ એક રાજકીય પરિબળ તરીકે જગતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ઊભરી રહ્યો છે. તે જગત માટે વિનાશક સાબિત થઇ શકે તેમ છે. અમેરિકા, ભારત અને મોટા ભાગના મુસ્લિમ દેશોમાં તેમ બની રહ્યું છે. દુનિયાના દરેક ધર્મની મર્યાદા એ છે કે તેના અનુયાયીઓ એમ માને છે કે તે દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ છે, તેઓ જે માન્યતાઓ ધરાવે છે તે જ આખરી સત્ય છે અને ઈશ્વર પર તેમનો એકલાનો અધિકાર છે. તેમના મતે જે ગીતામાં, વેદોમાં, બાઇબલમાં, કુરાનમાં કે અવેસ્તામા કે ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં કે અન્ય ધર્મગ્રંથોમાં લખ્યું છે તે ભગવાનો કે ભગવાનના પયગમ્બરનો સંદેશો છે. દરેક ધર્મ જયારે એમ માને કે સત્ય માત્ર તેની પાસે છે અને અન્ય ધર્મો પાસે સત્ય નથી કે અર્ધસત્ય છે તેમાંથી સંઘર્ષ થાય જ. આમ અસહિષ્ણુતા દરેક ધર્મમાં ઇન-બીલ્ટ છે. વળી જુદા જુદા ધર્મના અનુયાયીઓ પાસે (કે તેમની સરકારો પાસે) જગતનો નાશ કરે તેવા અણુ શસ્ત્રો આવી ગયા છે એટલે ધર્મની બાબત માનવજાત માટે ગંભીર બની ગઈ છે. ધર્મમાં શ્રઘ્ધા રાખવી એ અનિવાર્ય છે અને આ શ્રઘ્ધા માટે કોઇ સાબિતિની જરૂર નથી. ધાર્મિક શ્રઘ્ધાને સૌ કોઈએ સ્વીકારવી અને તેને પડકાર ના ફેંકવો આ માન્યતા જગતમાં હંિસા ફેલાવે છે- અલબત્ત જગતમાં હંિસા અને સંઘર્ષ માટે ધર્મ સિવાયના (દા.ત. આર્થિક) અનેક કારણો પણ છે પરંતુ તેની અહીં ચર્ચા કરી નથી.</p>
<p><strong>મોડરેટ ધાર્મિકો પણ ભયજનક </strong>ઃ- સામ હેરીસ તેમના ‘્‌રી ઈહગર્ ંક ખચૈાર’ નામના પુસ્તકમાં કહે છે કે આજના જગતમાં ધાર્મિક ઝનૂનીઓ ઉપરાંત ધર્મમાં માનનારા બીનઝનૂની અને સહિષ્ણુ ગણાતા ધાર્મિકો પણ વિનાશક ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ આત્યંતિક નથી પરંતુ તેમણે ધાર્મિક શ્રઘ્ધાને માન્યતા (લેજીટીમસી) આપીને એવી આબોહવા ઉભી કરી છે જેથી ધાર્મિક હંિસા અને ધાર્મિક પુસ્તકના લખાણો સામે લડવાનું મુશ્કેલ બની ગયું છે.<br />
ધાર્મિક માન્યતા ભ્રમણાજનક ઃ- વિશાળ બહુમતી ધરાવતા ધાર્મિક ઉદારમતવાદીઓ પોતે (અંધ) શ્રઘ્ધાયુકત હોવાથી આતંકવાદીઓને પડકારી શકતા નથી.</p>
<p>જગતના તમામ ધાર્મિકો એમ માને છે કે આ સૃષ્ટિના સર્જક તેમની પ્રાર્થના સાંભળે છે અને તેનો લાભદાયક પ્રતિભાવ પણ આપે છે.આ માન્યતા જો જગતના કરોડો લોકો ધરાવતા ના હોત તો તે માન્યતા પાગલપણાનો કે ભ્રમણાનો એક પ્રકાર ગણાત. પરંતુ કરોડો લોકો પૂજા અને પ્રાર્થનામાં શ્રઘ્ધા ધરાવતા હોવાથી તેને સાચી માનવામાં આવે છે. એકલદોકલ માનવી આવી માન્યતાઓ ધરાવતો હોય (પૃથ્વી શેષનાગ પર ઊભી છે) તો કદાચ પાગલ ગણાય. ધાર્મિક માન્યતાઓને ચકાસી શકાતી નથી. તે પુરાવા આધારિત હોતી નથી તે તેની એક મોટી મર્યાદા છે. ન્યુટનનો ગુરૂત્વાકર્ષણનો સિઘ્ધાંત કે આઇનસ્ટાઇનની થીયરી ઓફ રીલેટીવીટી તેની સાબિતિને આધારે સાચી મનાય છે. કોઇ સાઘુ સંતના કથનને આધારે નહીં.<br />
<strong><br />
આજનો યુગ ધર્મ </strong>ઃ- વિનોબાજી આજના યુગની ધર્મભાવના નામની પુસ્તિકામાં કોઇપણ પુરાવા વિના, માત્ર (અંધ) શ્રઘ્ધાને આધારે નીચેના વિધાનો કરે છે. તેમના શબ્દોમાં ‘બાકી દરેક જણ આત્માની અનુભૂતિ તો કરી જ શકે છે અને આત્મા કરતા વધારે મારી ઈશ્વરની નિશાની આપણે માટે હોઈ ન શકે. આપણા દેહમાં દેહથી ભિન્ન અને સાક્ષીરૂપે આત્મા છે તેના પરથી સૃષ્ટિમાં પરમાત્મા છે તે સિઘ્ધ થશે. પંિડ અને બ્રહ્માંડની એકતાનો અનુભવ આપણે ડગલે ને પગલે કરીએ છીએ. જે પંિડયા છે તે બ્રહ્માંડમાં છે. ‘યથા પંિડે તથા બ્રહ્માંડે’. અહીં મારી પાસે આંખ છે તો સૃષ્ટિમાં સૂર્ય છે મારામાં પ્રાણ છે તો સૃષ્ટિમાં વાયુ છે આ રીતે બંિબરૂપ બ્રહ્માંડમાં જે તત્વ છે તેના પ્રતિબીંબરૂપ શરીરમાં અને પીંડમાં છે. પંિડમાં આત્મતત્વ છે તે પ્રતિબંિબરૂપ સૃષ્ટિમાં ય કોઇ તત્વ હોવું જોઈએ અને તેને પરમ તત્વ કહે છે.</p>
<p>વિજ્ઞાન અને લોજીકની દ્રષ્ટિએ ઉપરનું દરેક વિધાન જો બહુ જ ઉદારતા દાખવીએ તો તેને સ્પેકયુલેટીવ ગણી શકાય. ‘મારામાં જે ચેતના છે તેવી જ બ્રહ્માંડમાં ચેતના છે જેને ઇશ્વર કહેવાય’ આવા વિધાનની વિશ્વસનીયતા (ક્રેડીબીલીટી) લગભગ શૂન્ય ગણાય. ગંભીર ફીલોસોફીકલ ચર્ચામાં લીજીવીસ્ટીક (ભાષાકીય) યુકતિઓ ના ચાલે. આત્મા કરતા વધારે સારી ઇશ્વરની નિશાની આપણે માટે હોઇ ના શકે તે વિધાન શ્રઘ્ધાજન્ય છે. પરંતુ તેની અનુભવજન્ય (એમ્પીરીકલ) સાબીતી નથી. જે વિધાનમાં આઘ્યાત્મિક શબ્દ હોય અને આવો એક શબ્દ પણ હોય જેનો અર્થ સ્પષ્ટ ના હોય, સંદેહાત્મક હોય તો તે વિધાનને મીનીંગલેસ ગણવું તેમ વીસમી સદીના મહાન ફીલોસોફર વીરજનસ્ટાઇને કર્યું છે તે ઉપરના શ્રાઘ્ધાજન્ય વિધાનોને પણ લાગુ પડે છે. આવા વિધાનો પર માનવ સમાજની નૈતિક (એથીકલ) સીસ્ટમ ઊભી ના કરાય.<br />
<strong><br />
નૈતિકતાના ઘડતરમાં ધર્મ ના ચાલે ઃ</strong>-</p>
<p>ધર્મને આધારે જે રીલીજીઅલ એથીકસ ઉભુ થયું તેણે માનવજાતનું (ખાસ કરીને સ્ત્રીઓનું અને દલીતોનું અને મૂળ નિવાસીઓનું) દમન કર્યું છે આને બદલે સીકયુલર એથીકલ ફ્રેંચ ક્રાંતિના મૂલ્યો &#8211; લીર્બટી, ઇકવોલીટી અને ફ્રેટર્નીટી પર ઉભુ થયું છે. તેનો હજી પૂર્ણ પણે સમય થયો નથી પરંતુ પશ્ચિમ જગતમાં ઉદારમતવાદી, સમાજવાદી અને માર્કીસ્ટ વિચારસરણીઓ પાછળ ફ્રેંચ ક્રાંતિ તથા અમેરિકન ક્રાંતિના મૂલ્યો હતા તેમાં મનુષ્ય જાતિવાદ કે વૈદિક બ્રાહ્મણીઝમ ન હતું કે તેમાં ઇસ્લામીક શહીખાના નિયમો પણ સામેલ કરવામાં આવ્યા ન હતા. આ નવા વાદો સીકયુલર એથીકલની દિશાના પગલા છે &#8211; ભલે તેમાં બહુ મોટી સફળતા મળી નથી પણ દિશા સાચી છે. ધાર્મિક માન્યતાઓનો એપીસ્ટેમીક એટલે કે જ્ઞાનને લગતો પાયો નબળો હોવાથી અજ્ઞાનને આધારે નૈતિકતા ના ઘડી શકાય પણ વિજ્ઞાનને આધારે ઘડી શકાય.</p>
<p>અહીં એક બાબત યાદ રાખવી જરૂરી છે. વિનોબા સહિત ભારતના અને જગતમાં મોટાભાગના ધાર્મિક ચંિતકો એમ માને છે કે નૈતિકતાનો આધાર ધર્મ છે. ધર્મને કારણે માણસ ખરાબ કૃત્યો કરતો અટકે છે. હંિસાને ત્યાગે છે અને અન્ય વ્યકિતઓને મદદ કરે છે. પરંતુ એકબીજાને મદદ કરવી, કુટુંબ ઉભુ કરવું અને સંતાનોને ઉછેરવા, મિત્રોની સહાય લેવી અને તેમને સહાય કરવી. ભાઈભાંડુઓને પ્રેમ કરવો, પરોપકાર વગેરે માનવતા જેનેટીક વારસામાં પ્રોગ્રામ્ડ છે. તે વિના માનવજાત ટકી શકી જ ન હોત. દા.ત. ભ્રાતૃભાવના વિના માણસ ગુ્રપ્સ જ ઉભા ના કરી શકે અને ગુ્રપ્સ કે જૂથો ઊભા કર્યા વિના માનવજાત નાશ પામત. ટૂંકમાં એકબીજાને મદદ કરવી, પ્રેમ દાખવવો, દુઃખી લોકો માટેની અનુકંપા અને સહાનુભૂતિ તે કોઇ ધર્મનો ઇજારો નથી. ધર્મ તો બહુ પાછળથી આવ્યો. તે પહેલા ઉપરના ગુણોને કારણે જ માનવજાત ટકી રહી. આવી નૈતિકતાના પાયામાં ધર્મ ના રહે તો પૃથ્વી કે માનવ સમાજ રસાતાળ થઇ જશે તેમ માનવાની જરૂર નથી. ઉલટાની માનવજાત જેના પરોપકારવૃત્તિ અને પરસ્પર સહાય પ્રોગ્રામ્ડ છે તે સીકયુલર સમાજમાં વઘુ સુખી થાય તેવો સંભવ છે. નજીકના ભૂતકાળમાં ધર્મ સંસ્થાએ લોકોને ત્રાસ આપનારા આતતાયી રાજયકર્તાઓમાંથી ઉગાર્યા પણ છે. પોલૅન્ડમાં સામ્યવાદના લોખંડી શાસન સામે ત્યાંના કેથોલીક ચર્ચે અવાજ ઉપાડયો હતો. દુષ્ટ અમેરિકાએ ઇરાનના ત્રાસવાદી શાહને ગાદી પર બેસાડી દીધો હતો તેને દૂર કરવા હોમીની અને તેની મુસ્લિમ સંસ્થાઓએ મદદ કરી હતી</p>
<p>સામાન્ય રીતે ધર્મ અને ધાર્મિક સંસ્થાઓ સમાજમાં જે હિતધારકો છે અને શોષણકર્તા છે તેમને જ બહુધા સપોર્ટ કરતી હોય છે.</p>
<p>ઇસ્લામ સામે પડકાર ફેંકયો છે અને તેના જવાબ રૂપે જગતના મુસ્લિમોના એક નાનકડા વર્ગે જેહાદનો મંત્ર ફૂંકયો છે. અહીં એ યાદ રાખવું જોઈએ કે ઇસ્લામમાં માનનારો અતિ વિશાળ વર્ગ ‘મોડરેટ’ એટલે કે ઉદારમતવાદી છે. બહુ જ નાનો વર્ગ કે નાના નાના જૂથો જ આતંકવાદી છે અને તેઓ જગતને ભયમાં મુકી રહ્યા છે. વળી જેમ હિન્દુ ધર્મનો માનવજાતના ઇતિહાસમાં મોટો ફાળો છે (વિજ્ઞાન કળા, આર્કીટેકચર, સંગીત વગેરેમાં) તેવો જ ઇસ્લામીક જગતનો ફાળો છે. પરંતુ ઇસ્લામ અને ખ્રીસ્તી ધર્મ પોતાના પ્રસાર (એકપાન્સ)માં માને છે તે ભૂલવું ના જોઈએ. વળી પાકિસ્તાન અને સાઉદી અરેબીયામાં જે લોકો ઇસ્લામની નીંદા કરે તેને માટે મોતની સજા છે અને બંને ધર્મો પોતાના પુસ્તકોને ભગવાનનો અવાજ ગણે છે. હિન્દુ ધર્મમાં કોઇ એક સ્ટેન્ડર્ડ સર્વ માન્ય ધાર્મિક ગ્રંથ નહીં હોવાથી હિન્દુ ધર્મ વધારે ફલેકસીબલ રહ્યો છે. </p>
<p><strong><br />
ભાષા ચાતુરી </strong>ઃ  દરેકના હૃદયમાં ભગવાન<br />
ઉપર્યુકત પુસ્તકમાં વિનોબા લખે છે, ‘હું કહીશ કે આ જ છે આજના યુગનો ધર્મ સંદેશ. હવે એવું નહીં ચાલે કે આપણે ભગવાનને મંદિરમાં પૂરી રાખીએ અને બાકીની આખી દુનિયાને ઇશ્વર શૂન્ય સમજીએ. આપણે તો હવે એવું કરવાનું છે કે દરેક દરેક મનુષ્યના હૃદયમાં જે ભગવાન છે તેની ઉપાસના કરવાની છે અને ગામ આખાને મંદિર બનાવવાનું છે’ આ કટાર લેખકને દરેકે દરેક મનુષ્યના હૃદયમાં ઈશ્વર દેખાતો નથી. તેમાં તો દરેક દરેક મનુષ્યના હૃદયમાં ઇશ્વર હોય કે ના હોય પરંતુ તેમને તો શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને સુખસગવડવાળું દીર્ધ જીવન મળે તેની ખેવના છે. તે માટે વિજ્ઞાન અને ટેકનોલોજી જોઈએ. તેમને મન ફ્રેંચ ક્રાંતિના આર્દશો (લીબર્ટી, કિવોલીટી, ફ્રીટર્નીટી) ધાર્મિક આદર્શો કરતા વઘુ મહત્વના લાગે છે. તેથી તેઓ ઇશ્વરશૂન્ય સૃષ્ટિને ઇશ્વરથી ભરી દેવા માંગતા નથી. કોઇપણ સીકયુલર વિચારધારામાં ઇશ્વર કે ધર્મ કે સંપ્રદાયનો પ્રવેશ થાય તો તેનાથી અનિષ્ઠ થયા વિના રહેતું નથી. રાજકારણમાં કે વિચારસરણીમાં ધર્મ બીલકુલ ના જોઈએ તેવું આ કટાર લેખક માને છે. વળી ધાર્મિક ઉદારમતવાદીઓ પણ સર્વધર્મ સહિષ્ણુતાના નામે શ્રઘ્ધાજન્ય માન્યતા ધરાવીને આતંકવાદ માટે અનુકૂળ આબોહવા ઊભી કરે છે.</p>
<p><strong>ઉપસંહાર-</strong><br />
કોઇની પણ ધાર્મિક લાગણી દુભાવ્યા વિના અને કોઇપણ ધર્મની પ્રત્યક્ષ ટીકા કર્યા વિના એવું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન આ લેખમાં થયો છે કે રાજકારણમાં ધર્મના પ્રવેશે ધીમે ધીમે આતંકવાદને જન્મ આપ્યો છે. આતંકવાદીઓના હાથમાં અણુ શસ્ત્રો આવી જાય તો તેમના ધાર્મિક ઝનૂનને કારણે તેઓ પૃથ્વીનો નાશ કરી શકે તેમ છે. વળી ધાર્મિક વિધાનોને શ્રઘ્ધાપૂર્વક સાચા માની લેવાને બદલે તેના પુરાવા છે કે નહીં તેનો આગ્રહ રાખવો જોઈએ. તેને પડકારો. જે વિધાનો અટકળવાળા હોય તેના પર શાણો સમાજ નૈતિક સીસ્ટમ રચી શકે નહીં. વળી વિનોબાની જેમ એવું ના માનવું કે માનવીની નૈતિકતાનો પાયો ધર્મ છે. તે જેનેટીક છે. ઊલટાનું સીકયુલર પાયા પર રચાયેલી નૈતિકતા લોકો માટે વઘુ કલ્યાણકારી હોવાનો સંભવ છે. તે માટે ઇશ્વર અને ધર્મ ઇરેલેવન્ટ છે.</p>
<br />Filed under: <a href='http://arvindadalja.wordpress.com/category/prakirna/'>Prakirna</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/arvindadalja.wordpress.com/1297/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/arvindadalja.wordpress.com/1297/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/arvindadalja.wordpress.com/1297/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/arvindadalja.wordpress.com/1297/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/arvindadalja.wordpress.com/1297/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/arvindadalja.wordpress.com/1297/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/arvindadalja.wordpress.com/1297/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/arvindadalja.wordpress.com/1297/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/arvindadalja.wordpress.com/1297/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/arvindadalja.wordpress.com/1297/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/arvindadalja.wordpress.com/1297/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/arvindadalja.wordpress.com/1297/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/arvindadalja.wordpress.com/1297/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/arvindadalja.wordpress.com/1297/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1297&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://arvindadalja.wordpress.com/2012/01/27/%e0%aa%9b%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%82-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%b8-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a7%e0%aa%b0/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/b05b403cfb79f21c2c0e63a623b1d940?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">arvindadalja</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>ભારતીય મઘ્યમ વર્ગે હિંદ ધર્મમાં ‘ઇનોવેશન્સ’ કરીને સીક્યુલારીઝમને પડકાર્યું છે અને સામાજિક ક્રાંતિને અટકાવી દીધી છે</title>
		<link>http://arvindadalja.wordpress.com/2012/01/21/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80%e0%aa%af-%e0%aa%ae%e0%aa%98%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%97%e0%ab%87-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%82%e0%aa%a6-%e0%aa%a7/</link>
		<comments>http://arvindadalja.wordpress.com/2012/01/21/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80%e0%aa%af-%e0%aa%ae%e0%aa%98%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%97%e0%ab%87-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%82%e0%aa%a6-%e0%aa%a7/#comments</comments>
		<pubDate>Sat, 21 Jan 2012 08:43:23 +0000</pubDate>
		<dc:creator>Arvind Adalja</dc:creator>
				<category><![CDATA[Prakirna]]></category>

		<guid isPermaLink="false">http://arvindadalja.wordpress.com/?p=1291</guid>
		<description><![CDATA[ભારતીય મઘ્યમ વર્ગે હિંદ ધર્મમાં ‘ઇનોવેશન્સ’ કરીને સીક્યુલારીઝમને પડકાર્યું છે અને સામાજિક ક્રાંતિને અટકાવી દીધી છે નવું વાચન નવા વિચાર &#8211; ધવલ મહેતા ગુજરાત સમાચારની 18,જાન્યુઆરી 2012ની “ શતદલ” પૂર્તિમાં નવું વાચન નવા વિચારની શ્રી ધવલ મહેતાની કોલમમાં પ્રસિધ્ધ થયેલ લેખ તેઓ બંનેના આભાર અને સૌજન્યથી બ્લોગ ઉપર રજૂ કરેલ છે. ધ ગોડ માર્કેટ ઃ [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1291&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p><strong>ભારતીય મઘ્યમ વર્ગે હિંદ ધર્મમાં ‘ઇનોવેશન્સ’ કરીને સીક્યુલારીઝમને પડકાર્યું છે અને સામાજિક ક્રાંતિને અટકાવી દીધી છે</p>
<p>નવું વાચન નવા વિચાર &#8211; ધવલ મહેતા</strong></p>
<p>ગુજરાત સમાચારની 18,જાન્યુઆરી 2012ની “ શતદલ” પૂર્તિમાં નવું વાચન નવા વિચારની શ્રી ધવલ મહેતાની કોલમમાં પ્રસિધ્ધ થયેલ લેખ તેઓ બંનેના આભાર અને સૌજન્યથી બ્લોગ ઉપર રજૂ કરેલ છે.</p>
<p>ધ ગોડ માર્કેટ ઃ હાઉ ગ્લોબલાઇઝેશન ઇઝ મેઇકંિગ ઇન્ડિયા મોર હીન્દુ (રેન્ડમ હાઉસ, ઇન્ડીઆ ૨૦૦૯)<br />
આ પુસ્તકના લેખિકા પૂછે છે કે ભારતમાં છેલ્લા વીસ વર્ષમાં આર્થિક વૃદ્ધિ થઈ પરંતુ તે સામાજિક ક્રાંતિ (ઇન્કલ્યુઝીવ)માં કેમ ન પરિણમી ? ભારતના પ્રખર રેશનાલીસ્ટ ચંિતક અને સીક્યુલારીઝમના સમર્થખ મીરા નંદાના ઉપરના પુસ્તકની સમીક્ષાનો આ બીજો ભાગ છે. આ પુસ્તકના નિરીક્ષણો ભારતના સીક્યુલારીઝમના ભવિષ્ય માટે ચંિતા જન્માવે છે. લેખિકા વિજ્ઞાન અને વૈજ્ઞાનિક દ્રષ્ટિબંિદુનો સામાજિક ક્રાંતિને વરેલા છે તેમજ સીક્યુલારીઝમ તથા ઇનક્લ્યુમઝીવ કમિટેડ છે. બાબા સાહેબ આમ્બેડકરની જેમ મીરા નંદા ભારતમાં સામાજિક ક્રાંતિ (સોશીયલ રીવોલ્યુશન) લાવવા તાકે છે.<br />
મીરા નંદા શરુઆતમાં જ ત્રણ મુદ્દાઓ પર ભાર મૂકે છે. પ્રથમ, ભારતમાં વૈશ્વીકરણે મઘ્યમવર્ગને બહોળો કર્યો છે અને આ ઉભરતો મઘ્યમ વર્ગ ગરીબોની હૃદય પીગળાવી દે તેવી દયાજનક સ્થિતિ માટે તદ્દન બેપરવા (ઇનડીફરન્ટ) છે. આ નવા મઘ્યમ વર્ગે હિન્દુ ધર્મના નવા નવા સ્વરૂપો ઉપજાવીને પોતાની જાતને ‘ઇન્સ્યુલેટેડ’ કરી નાંખી છે. આ મઘ્યમ વર્ગે ભારતમાં ઇ.સ.૧૯૯૧ પછી આર્થિક ક્રાંતિ કરવામાં પોતાનો ફાળો આપ્યો છે પરંતુ તેણે ભારતમાં ‘સોશીઅલ રીવોલ્યુશન’ કરવામાં ફાળો આપ્યો નથી. ઉલટાનું તેમાં તે બાધારૂપ બન્યો છે. બીજો મુદ્દો વધારે ગંભીર છે. ભારતના અને જગતના લગભગ તમામ ચંિતકો એમ માનતા હતા કે આર્થિક પ્રગતિને કારણે ભારતમાં અને જગતમાં ધાર્મિકતા અને ધર્માંધતા કે અંધશ્રદ્ધા ઓછી થઈ જશે અને રાજ્ય વઘુ ધર્મનિરપેક્ષ બનશે. આ માન્યતા ખોટી પડતી જાય છે. લેખિકા સીક્યુલારીઝમના જગપ્રસિદ્ધ ચંિતક પીટર બર્ગરના ‘ધ ડીસીક્યુલરાઇઝેશન ઓફ ધ વર્લ્ડ’ (૧૯૯૯) નામના ક્લાસીક પુસ્તકમાં આ પીટર બર્ગરના શબ્દો નીચે પ્રમાણે ટાંકે છે. ‘‘અત્યાર સુધી ચાવીરૂપ વિચાર એ હતો કે આઘુનીકીકરણ (મોર્ડનાઇઝેશન)ને કારણે માનવીની ચેતના અને સમાજ એ બન્ને ક્ષેત્રોમાં ધર્મ નબળો પડશે. આ વિચાર ખોટો પડ્યો છે.’’ બર્ઝર કહે છે કે કે અત્યારનું જગત સીક્યુલર નથી તે ઝનૂની રીતે ધાર્મિક બન્યું છે. ઇસ્લામીક જગતમાં તેમ બન્યું છે અમેરિકા અને ભારતમાં તે ભલે બહુ હંિસક બન્યુ ના હોય પરંતુ ભારત, અમેરિકા અને જગતના ઘણા દેશોમાં ચમત્કાર અને અલૌકિક (સુપર નેચરલ) માન્યતાઓથી ખદબદતા ધર્મોનું પુનરુત્થાન થઈ રહ્યું છે. આઘુનિક જગતમાં માત્ર પરંપરાગત ધર્મ જ નહીં પરંતુ અલૌકિકતા (સુપર નેચરલ)નાં માનસવાળો ધર્મ ઉભરી રહ્યો છે. ભારતના સંદર્ભમાં લેખિકાનો એક બ્રિલીયન્ટ મુદ્દો એ છે કે ભારતના નવજાગરણના સમય દરમિયાન ધાર્મિક સુધારણા કરનારાઓએ (બ્રહ્મોસમાજ, રાજા રામમોહનરાય વગેરેએ) વ્યક્તિગત દેવ- દેવીઓ અને તેમની અંધશ્રદ્ધાપૂર્ણ પૂજા કરનારા અંધશ્રદ્ધાળુઓની સામે આમ કરવા બ્રહ્મનનો વિચાર (કન્સેપ્ટ) ફેલાવવાની કોશિષ કરી હતી તેમણે લોકપ્રિય સગુણ પુજાથી ખુશ થઈ પ્રસન્ન થતા ઇશ્વરોને નકાર્યા હતા. પરંતુ નિર્ગુળ અને મૂર્તિપૂજાના વિરોધી બ્રહમનનો વિચાર (કન્સેપ્ટ) ભારતની આમ પ્રજાએ અપનાવ્યો નથી. તેને બદલે હનુમાનજી અને કાળકા માતા (ખાસ કરીને બંગાળમાં) અને અંબા માતા (ગુજરાતમાં) જેવા વ્યક્તિગત ફળ આપતા દેવ-દેવીઓ કે રામસેવકો બહુ લોકપ્રિય થયા છે. કદાચ ઝડપી વૈશ્વીકરણ અને આઘુનિકીકરણે લોકોમાં પુષ્કળ અનિશ્ચિતતાઓ ઉભી કરી તે છે. તેની સામે આ પ્રતિક્રિયાઓ ઉભી થઈ હોય તેમ માનવું ખોટું નથી.<br />
ત્રીજો અગત્યનો મુદ્દો લેખિકાએ બહુ સરસ રીતે વિકસાવ્યો છે. લેખિકા જણાવે છે કે, ભારતના મઘ્યમ વર્ગ (દુકાનદારો, બીઝનેસમેન, સરકારી નોકરી કરનારા, અઘ્યાપકો અને શિક્ષકો, પત્રકારો, જમીન ધરાવનાર ખેડૂતો, વકીલો, ડોક્ટરી, ખાનગી ક્ષેત્રના સારા પગારે નોકરી કરનારાઓ વગેરે) વૈશ્વીકરણના પ્રતિભાવરૂપે સમાજવાદને જાકારો આપ્યો છ. તેણે મુક્ત બજારને અપનાવ્યું છે અને સમાજવાદને નકાર્યો છે. ભારતનો આ મઘ્યમ વર્ગ ૨૫થી ૩૦ કરોડ લોકોનો મનાય છે પરંતુ તે ભારતના ગરીબોના મહાસમુદ્રમાં એક નાનકડો ટાપુ છે. આ નાનકડા ટાપુને સાચવી રાખવા તેણે એવી વ્યૂહરચના ધર્મના ક્ષેત્રે અપનાવી છે જેને કારણે ભારતના ગરીબો માટેની સહાનુભૂતિમાંથી તેઓ બચી જાય છે અને તેમના અંતઃકરણ આ ગરીબોને તરછોડવાથી જે અપરાધવૃત્તિ ઉભી થાય તેનાથી તેને રક્ષણ મળે છે.<br />
ભારતના મઘ્યમ વર્ગે તે માટે ત્રણ વ્યૂહરચનાઓ અપનાવી છે.<br />
(૧) નવા વિધિ-વિધાનો (રીચ્યુઅલ્સ) ઉભા કર્યા છે.<br />
(૨) જૂના ભગવાનો- દેવીઓને પ્રમોશન આપીને તેમને મઘ્યમવર્ગ માટે સ્વીકાર્ય બનાવ્યા છે.<br />
(૩) ગુરૂ- સ્વામીઓનું કલ્ચર વિકસાવ્યું છે.<br />
ઉપરના દરેક મુદ્દાને સમજવો જરૂરી છે.<br />
(૧) નવા વિધિ- વિધાનો ઉભા કર્યા છે ઃ<br />
ભારતમાં ુદા જુદા પ્રકારની યજ્ઞોની સંખ્યામાં અપરંપાર વધારો થયો છે. યજ્ઞો કરવાનું ફેશનેબલ થતું જાય છે અને ભારતનો મઘ્યમ વર્ગ જે પહેલા યજ્ઞો કરાવવાને પછાતપણાની નિશાની ગણતો હતો તેવા યજ્ઞો હવે ફેશનેબલ બન્યા છે. યજ્ઞોમાં લાખો લોકો ભાગ લઈ રહ્યા છે.</p>
<p>ભારતમાં ુદા જુદા પ્રકારની યજ્ઞોની સંખ્યામાં અપરંપાર વધારો થયો છે. યજ્ઞો કરવાનું ફેશનેબલ થતું જાય છે અને ભારતનો મઘ્યમ વર્ગ જે પહેલા યજ્ઞો કરાવવાને પછાતપણાની નિશાની ગણતો હતો તેવા યજ્ઞો હવે ફેશનેબલ બન્યા છે. યજ્ઞોમાં લાખો લોકો ભાગ લઈ રહ્યા છે. જુદા જુદા ફળો મેળવવા (દા.ત. પુત્ર કામેષ્ઠી યજ્ઞ) યજ્ઞોનું રીઇન્વેન્શન થયું છે. રાજકારણમાં સફળતા મેળવવા કે સફળતા મળ્યા પછી ઇશ્વરનો આભાર માનવા પણ યજ્ઞો યોજાય છે. મંદિરો પોતાની આવક વધારવા માટે પણ નવા વિધિ-વિધાનો (રીરચ્યુઅલ્સ) ઉભા કરી રહ્યા છે. મદુરાઈમાં આવેલા મીનાક્ષી મંદિરમાં મસમોટું દાન આપીને દેવી મીનાક્ષીનું સુંદરેશ્વર (શિવનું એક સ્વરૂપ) સાથેના લગ્નની ઉજવણી કરાવી શકાય છે. આ જ મંદિરમાં નવા ઉભા કરવામાં આવેલા કલ્યાણસુંદર નામના ભગવાનની પૂજા (દાન- દક્ષિણા આપીને) કરી શકાય છે. વળી ભગવાનને હીરાનો મુગટ પહેરાવવાની નવી વિધિ શરુ કરવામાં આવી છે જેનો મોટે ભાગે સ્ત્રીઓ (ફી આપીને) ભરપુર ઉપયોગ કરે છે કારણ કે આ વિધિ દ્વારા તેમને સારો પતિ મળશે તેવી માન્યતા ફેલાવવામાં આવી છે. વળી મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાની કુંભાભિષેકની ધાર્મિક વિધિને ‘રીઇન્વેન્ટ’ કરવામાં આવી છે. તમિલનાડુના મુખ્યપ્રધાન જયલલિતાએ (૧૯૯૧થી ૧૯૯૬ અને ૨૦૦૧થી ૨૦૦૬) સેંકડો મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવવા માટે પુષ્કળ પૈસાનું ડોનેશન મેળવ્યું હતું અને તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાતમાં સંતોષી મા એક મેન્યુફેકચર્ડ દેવી ઉભી કરવામાં આવી હતી તે સૌ કોઈ જાણે છે. વળી ગુજરાતમાં જુદા જુદા પ્રદેશોની કેટલીક અંધશ્રદ્ધાળુ વિધિઓ (દા.ત. કડવા ચોથ)ની આયાત થઈ રહી છે તે પણ સર્વવિદિત છે. મદ્રાસમાં અડયાર નામના આઇઆઇટીની પાસે એક જગ્યાએ અડધા ગણેશજી અને અડધા હનુમાનજીનું મિશ્ર મંદિર ઉભું કરવામાં આવ્યું છે જેના દર્શન માટે આઇ.આઇ.ટી.ના વિદ્યાર્થીઓ, અઘ્યાપકો અને અન્ય લોકો હોંશેહોંશે જાય છે. ગુજરાતમાં હજી અડધા હનુમાનજી અને અડધા ગણેશજીની મૂર્તિવાળું મંદિર ઉભું થયું નથી આ બાબતમાં તે તામિલનાડુથી પાછળ છે. અક્ષયતૃતિયાના દિવસે સોનું ખરીદવાની વિધિ એ ભારતના લોકોનું ધાર્મિક ઇન્વેન્શન છે. ગુજરાતે આ નવો વિધિ હોંશભેર અપનાવી લીધો છે. યજ્ઞનો ઘુમાડો શ્વાસમાં લઈએ તો લેનારનું સ્વાસ્થ્ય સુધરે કે તેને આઘ્યાત્મિક લાભ થાય છે તે યજ્ઞનો ફાયદો ગણાવાય છે જેને વિજ્ઞાનનું કોઈ સમર્થન નથી. વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના જન્મદિને યાત્રિકોમાં અંબાજીના મંદિરમાં ડ્રાયફ્રુટ અને માખણ મિશ્રિત કેકની પ્રસાદી પોષી પુનમના દિવસે વહેંચવામાં આવ્યો હતો. મા અંબાજીના જન્મદિને મંદિર કેકનો પ્રસાદ ભક્તોને વહેંચે તેને નોબેલ પ્રાઇઝ વિજેતા શોધ ગણવી જોઈએ.<br />
(૨) જૂના દેવ- દેવીઓને પ્રમોશન ઃ<br />
સ્થાનિ દેવ- દેવીઓ હવે રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિષ્ઠિત બનતા જાય છે. દેશના કે રાજ્યના કોઈ ખૂણામાં પડેલા અને અરક્ષિત મંદિરોને પુનઃ પ્રતિષ્ઠા કરીને તેમને પ્રમોશન અપાય છે. હનુમાનજી થોડાક વર્ષો પહેલા રામના સેવક તરીકે જ મુખ્યત્વે પૂજાતા. હનુમાનજી હવે સ્વતંત્ર દેવ તરીકે ઠેર ઠેર પૂજાય છે અને તેમના મંદિરોની સંખ્યા ઘણી વધી છે. ઉત્તર ભારતમાં જુદી જુદી માતાઓના મંદિરો અને શક્તિપીઠોનું મહત્ત્વ વઘ્યું છે. દક્ષિણ ભારતમાં ગામડાની દેવીઓ (જે લોકોની તંદુરસ્તી અને ફળદ્રુપતાનું પ્રતીક હતી) અને જેને ‘અમ્મા’ તરીકે ઓળખાતી હતી તે હવે બ્રાહ્મણ પૂજારીની સાથે શહેરોમાં પ્રવેશ્યા છે અને તેની નગજરનો અને મઘ્યમવર્ગના લોકો પૂજા કરે છે તે પહેલા આ દેવીને ગામડાના ગરીબ લોકો જ પૂજા કરતા હતા વળી દલિત પ્રજાની કેટલીક દેવીઓનું બ્રાહ્મણીકરણ થયું છે અને તેમને માત્ર શાકાહારી જ ભોજન પ્રસાદ ધરાવવામાં આવે છે અને હવે કેટલાક સવર્ણો પણ તેને ‘પૂજ્ય’ માને છે. આ દેવીઓનું સંસ્કૃતાઇઝેશન કે બ્રાહ્મણીકરણ થવાથી તેઓ આમ જનતામાં સ્વીકૃત બની છે. ભવિષ્યમાં શીતળા માતા અને બળિયા બાપજી પણ પોતાના શીતળા અને બળિયા મટાડવાના જરી-પુરાણા કામને ત્યજીને સુખ- સમૃદ્ધિ આપવાના નવા કામ સાથે હિન્દુ માનસમાં પુનરાગમન કરે તો નવાઈ નહીં !! શીતળામાતા અને બળિયા બાપજી તેમની આ નવી ફરજો બજાવવા તૈયાર થશે કે નહીં તેની આપણને ખબર નથી કદાચ તેમને આ પ્રમોશન મળે તો રાજી પણ થાય !!<br />
(૩) ગુરૂ- સ્વામીઓની સંખ્યામાં વધારો ઃ<br />
ભારતના શંકરાચાર્યો ચાર પીઠોમાં બિરાજે છે તેઓ બહુ લોકપ્રિય નથી. કાંચીના શંકરાચાર્ય પણ લોકોને બ્રાહ્મણવાદી કે શુષ્ક લાગે છે. લોકોને પોતાની નજીક ગણતા સાઘુઓ- સંતો બહુ ગમે છે. લોકોને સ્વામી રામદેવ, આશારામ, સત્ય સાંઇબાબા, શ્રી શ્રી રવિશંકર, મુરારીબાપુ, પ્રણવ પંડ્યા વગેરે જેઓ ટી.વી.ની ચેનલો પર વારંવાર દેખા દે છે (અલબત્ત સત્ય સાંઇબાબા અવસાન પામ્યા છે.) તે બહુ ગમે છે હિન્દુ ધર્મના તેઓ પ્રસારકો અને પ્રચારકો છે. પુરોહિતો અને પૂજારી બ્રાહ્મણો તો માત્ર જુદી જુદી િધિઓ જ કરી જાણે માટે તેઓને એક કારીગર વર્ગ ગણવામાં આવે છે. ગુજરાતના ગામડાઓમાં ‘બામણ’નું ઉંચુ સ્થાન હોતું નથી પરંતુ આ હિન્દુ ધર્મના પ્રસારકોને જોઈને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો ઘણા ખુશ છે. આ સંતો હવે માત્ર ધર્મની નહી પણ ધાર્મિક માન્યતાઓ અને આચારવિચારો પર્યાવરણને કેવી રીતે બચાવે છે તથા સુદર્શન યોગ ક્રિયાથી કેવી પરમ શાન્તિ મળે છે તેની વાત કરે છે. ધર્મનું જે અઘ્યાત્મિક રૂપ ગણાય છે તેને આ સ્વામીઓએ ભૌતિક સ્વરૂપ આપ્યું છે. આ પહેલા ગરીબો તેમની ગરીબી નિવારવા ધર્મની ઘેલછા ધરાવતા હતા પરંતુ હવે મઘ્યમ વર્ગ અને ઉચ્ચ આર્થિક વર્ગા લોકોમાં કેમ ધાર્મિક ઘેલછા ઉભી થઈ છે તે એક કોયડો છે. કદાચ ભારતના આઘુનિકીકરણ અને પશ્ચિમીકરણનું જે પુર આવ્યું છે તેેને ખાળવા આ એક રક્ષક (ડીફેન્સીવ) પ્રતિભાવ હોઈ શકે. વળી હિન્દુ ધર્મ તેની થીયરીમાં ભોગને ભોગવવાનું એ સંયમી જીવન પણ જીવવાનું કહે છે પરંતુ વ્યવહારમાં તેના અનુયાયીઓ સમૃદ્ધિ પ્રાપ્ત કર્યા પછી અમર્યાદ ભોગોનું જીવન જીવે છે. એ હિસાબે હિન્દુ ધર્મમાં સૌથી વઘુ દંભ જોવા મળે છે. પશ્ચિમને ભોગવાદી કહીને આપણે જગતને આઘ્યાત્મિક સંદેશો આપવાનો છે તેમ કહેવું અને વ્યવહારમાં નવો મઘ્યમવર્ગ અને ભદ્ર વર્ગ ભોગવિલાસમાં આળોટે છે તે હવે તો મોટા ભાગના ગાંધીવાદીઓ અને સર્વોદયવાદીઓ સંયમ અને સાદા જીવનની વાત કતા જાય છે અને ગરીબોને ઇર્ષ્યા આવે તેવું ભોગવાદી જીવન જીવે છે. તે પછી એમના ત્યાગવાદી જીવનના ઉપદેશને કોઈ પણ માણસ ગંભીરતાથી લેતો હશે ? ભારતમાં સાઘુઓ અને ગુરૂઓ (હવે ભારતના કેટલાક ધનિકો કે ઉચ્ચ મઘ્યમ વર્ગના લોકોના ટેઇલરમેઇડ વ્યક્તિગત ગુરૂ હોય છે.) નો એક પ્રોફેશનલ વર્ગ ઉભો થતો જાય છે. કેટલાક સાઘુ- સંતો અને કથાકારો હવે બૌદ્ધિકો અને સાહિત્યકારોના પણ માનીતા થતા જાય છે. ભારતમાં અને ગુજરાતમાં સીક્યુલારીઝમ નીચે ને નીચે ઉતરતું જાય છે. ઉપલા પુસ્તકમાં સીક્યુલારીઝમની થીયરીઝ વિષે પણ ઉંડી ચર્ચા છે</p>
<p>જે સીક્યુલારીઝમના મુરબ્બા જેવા અધકચરા અને છીછરા લખાણોથી ગંભીર ચંિતા દર્શાવે છે. આ પુસ્તક વાંચવાની ભલામણ છે. અલબત્ત મીા નંદાના ‘પ્રોફેટ્‌સ ફેસીંગ બેકવર્ડ’ નામના પુસ્તકને પ્રથમ વાંચવું.</p>
<br />Filed under: <a href='http://arvindadalja.wordpress.com/category/prakirna/'>Prakirna</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/arvindadalja.wordpress.com/1291/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/arvindadalja.wordpress.com/1291/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/arvindadalja.wordpress.com/1291/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/arvindadalja.wordpress.com/1291/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/arvindadalja.wordpress.com/1291/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/arvindadalja.wordpress.com/1291/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/arvindadalja.wordpress.com/1291/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/arvindadalja.wordpress.com/1291/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/arvindadalja.wordpress.com/1291/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/arvindadalja.wordpress.com/1291/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/arvindadalja.wordpress.com/1291/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/arvindadalja.wordpress.com/1291/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/arvindadalja.wordpress.com/1291/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/arvindadalja.wordpress.com/1291/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1291&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://arvindadalja.wordpress.com/2012/01/21/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80%e0%aa%af-%e0%aa%ae%e0%aa%98%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%97%e0%ab%87-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%82%e0%aa%a6-%e0%aa%a7/feed/</wfw:commentRss>
		<slash:comments>5</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/b05b403cfb79f21c2c0e63a623b1d940?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">arvindadalja</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>હિન્દુ કલ્ચરે રેશનાલીઝમને અપનાવ્યા વિના છૂટકો નથી *****નવું વાચન નવા વિચાર &#8211; ધવલ મહેતા</title>
		<link>http://arvindadalja.wordpress.com/2011/12/24/%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%81-%e0%aa%95%e0%aa%b2%e0%ab%8d%e0%aa%9a%e0%aa%b0%e0%ab%87-%e0%aa%b0%e0%ab%87%e0%aa%b6%e0%aa%a8%e0%aa%be%e0%aa%b2%e0%ab%80%e0%aa%9d%e0%aa%ae%e0%aa%a8/</link>
		<comments>http://arvindadalja.wordpress.com/2011/12/24/%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%81-%e0%aa%95%e0%aa%b2%e0%ab%8d%e0%aa%9a%e0%aa%b0%e0%ab%87-%e0%aa%b0%e0%ab%87%e0%aa%b6%e0%aa%a8%e0%aa%be%e0%aa%b2%e0%ab%80%e0%aa%9d%e0%aa%ae%e0%aa%a8/#comments</comments>
		<pubDate>Sat, 24 Dec 2011 08:46:22 +0000</pubDate>
		<dc:creator>Arvind Adalja</dc:creator>
				<category><![CDATA[Prakirna]]></category>

		<guid isPermaLink="false">http://arvindadalja.wordpress.com/?p=1287</guid>
		<description><![CDATA[ગુજરાત સમાચારની 21/12/11ની “ શતદલ” પૂર્તિમાં નવું વાચન નવા વિચારની શ્રી ધવલ મહેતાની કોલમમાં પ્રસિધ્ધ થયેલ લેખ તેઓ બંનેના આભાર અને સૌજન્યથી બ્લોગ ઉપર રજૂ કરેલ છે. હિન્દુ કલ્ચરે રેશનાલીઝમને અપનાવ્યા વિના છૂટકો નથી નવું વાચન નવા વિચાર &#8211; ધવલ મહેતા કલ્ચર કેન કીલ ઃ એમ સુબોધ (પબ્લીશર્સ ઃ ઓથર હાઉસ, યુએસએ. ૨૦૦૫) ઉપર્યુક્ત પુસ્તકની [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1287&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>ગુજરાત સમાચારની 21/12/11ની “ શતદલ” પૂર્તિમાં નવું વાચન નવા વિચારની શ્રી ધવલ મહેતાની કોલમમાં પ્રસિધ્ધ થયેલ લેખ તેઓ બંનેના આભાર અને સૌજન્યથી બ્લોગ ઉપર રજૂ કરેલ છે.</p>
<p><strong>હિન્દુ કલ્ચરે રેશનાલીઝમને અપનાવ્યા વિના છૂટકો નથી</strong></p>
<p><strong>નવું વાચન નવા વિચાર &#8211; ધવલ મહેતા</strong></p>
<p>કલ્ચર કેન કીલ ઃ એમ સુબોધ (પબ્લીશર્સ ઃ ઓથર હાઉસ, યુએસએ. ૨૦૦૫)<br />
ઉપર્યુક્ત પુસ્તકની સમીક્ષાનો આ બીજો ભાગ છે. તેના લેખક એસ. સુબોધ એટલે કે સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથી અમેરિકાના ન્યુજર્સી સ્ટેટમાં રહે છે. તેઓ પ્રખર રેશનાલીસ્ટ છે. આ પુસ્તકમાં તેમણે ધર્મ અને ધાર્મિક વિધિઓથી તથા રૂઢિઓથી લથપથ હિન્દુ કલ્ચરની સખત આલોચના કરી છે. લેખકે ન્યુજર્સીમાં રેશનાલીસ્ટ મિત્રવર્તુળ ઊભું કર્યું છે. કરી શકાશે. લેખકનું તારણ એ છે કે ભારતીય કલ્ચરે ખાસ કરીને હિન્દુ ધર્મે તેની જડતા અને અંર્તમુખતાને બહારના લોકો સામે સતત હાર ખાધી છે છતાંય દંભ છોડ્યો નથી.<br />
<strong><br />
માત્ર હારનો જ ઇતિહાસ </strong></p>
<p>હિન્દુ સંસ્કૃતિને જગતની શ્રેષ્ઠ સંસ્કૃતિ અને હિન્દુ ધર્મને જગતનો શ્રેષ્ઠ ધર્મ સમજનારને લેખક એક પ્રશ્ન કરે છે. ઈ.સ. ૧૧૯૮માં વિદેશી મુસ્લીમ (મહમ્મદ ઘોરી)ને હાથે પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયા પછીના લગભગ ૮૦૦ વર્ષ કેમ વિદેશીઓએ સતત આપણા પર રાજ કર્યું? છેક ઈ.સ. ૧૯૪૭ સુધી કેમ આપણે પરદેશીઓને રાજ કરવા દીઘું? આપણને ગઝની, તૈમુર, ચંગીઝખાન, નાદીરશાહ તથા હૂણો લૂંટી ગયા, આપણા લોકોની કત્લેઆમ ચલાવી અને આપણે કોઈપણ પ્રતિકાર વિના બેસી રહ્યા તે શું હિન્દુ ધર્મ અને હિન્દુ કલ્ચરની શ્રેષ્ઠતા બતાવે છે? કેમ આપણે પરદેશીઓ સામે (ઈ.સ. પૂવે ૩૦૦ થી પણ પહેલાં એલેકઝાંડર નામના ગ્રીક સેનાપતિએ પણ આપણને હરાવી દીધા હતા) હંમશા માર ખાધો છે! અહીં એક આડ વાત કરી લઈએ કે ભારતના હજારો વર્ષના ઇતિહાસમાં માત્ર પહેલી જ વાર ઈન્દીરા ગાંધીએ વિદેશી રાષ્ટ્ર (પાકીસ્તાન)ને નિર્ણાયક પરાજય આપ્યો હતો. હજી પણ આપણે એ સવાલ કરતા નથી કે છેલ્લા પાંચસો વર્ષોથી ભારત કે ચીને કેમ દુનિયાનું આર્થિક, બૌઘ્ધિક કે સાંસ્કૃતિક નેતૃત્વ ગ્રહણ કર્યું નથી? કેમ પશ્ચિમ જગતે (યુરોપ અને અમેરિકા) દુનિયાનું નેતૃત્વ લીઘું છે? યુરોપના એક દેશ પોર્ચુગલના વાસ્કો-ડી-ગામાએ કેમ ભારત ખોળ્યું અને ભારતે કેમ પોર્ચુગલ કે સ્પેન કે અમેરિકાને ના ખોળ્યાં? વળી પશ્ચિમ જગતે મૂડીવાદ, સામ્યવાદ, સમાજવાદ, ડેમોક્રસી, ઉદ્યોગવાદ જેવી માનવકેન્દ્રી, સીક્યુલર વિચારસરણીઓ ખોળી અને ભારતે તે કેમ ના ખોળી? વળી ભારતમાં આર્યભટ્ટ, વરાહમીહીર, ભાસ્કરાચાર્ય જેવા વૈજ્ઞાનિકો થઈ ગયા પરંતુ પશ્ચિમ જગતની જેમ ભારતે વૈજ્ઞાનિક પરંપરા કેમ ના સ્થાપી અને વૈજ્ઞાનિક પઘ્ધતિ (સાયન્ટીફીક મેથડ)ની ખોળ કેમ ના કરી? તેણે બ્રહ્મન, આત્મન, જીવ, માયા, મનોભયકોષ જેવી મિથ્યા ફીલોસોફી કેમ વાગોળ્યા કરી? ચાર્વાક અને કણાદની તથા તેના અનુયાયીઓની વિજ્ઞાનને જન્મ આપે તેવી ભૌતિકવાદી ફીલોસોફીનો ભારતીય બ્રાહ્મણવર્ગે નાશ કર્યો. ટૂંકમાં પશ્ચિમ જગતે એશિયાને ખોળ્યું અને ખુંદ્યુ પરંતુ ભારતે તેમ ના કર્યું. આ સવાલ આપણને ભારતીય કલ્ચરના મૂલ્યોની ચકાસણી કરવાનું સૂચવે છે. એક બાબત સ્પષ્ટ છે &#8211; જ્યારે પશ્ચિમ જગત ઈ.સ. ૧૪૫૦ અને તે પછી રેનેઝાં (પુર્નજાગરણ) અને રેર્ફમેશન (એટલે કે પોપની સત્તા અને કૅથલિક ધર્મ સામે પ્રચંડ વિરોધ)માંથી તથા વૈજ્ઞાનિક પઘ્ધતિની સ્થાપનામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે સમગ્ર ભારત ભક્તિયુગમાંથી પસાર થઈ રહ્યું હતું. સાઘુ, સંતો, પ્રાર્થના, ગુરૂ પૂજન, ભજન, પદો, પૂજા વગેરેમાં તે લથપથ હતું. હજી પણ તે ચાલુ છે. ભારતના અને ગુજરાતના મઘ્યમવર્ગમાં (ખાસ કરીને નવા ધનિક બનેલા વર્ગમાં) ભક્તિનું પુર ઉમટ્યું છે. નવધનિક લોકોમાં ગુરૂઓની કે સ્વામીજીઓની, કથાકારોની સેવા કરવાની કે તેમને હાથે ઉદ્ધાટન કરાવવાની તીવ્ર હરીફાઈ જામી છે. આ પુસ્તકના લેખક હિન્દુ ધર્મની આલોચના કરતા કહે છે કે દુનિયાના દરેક ધર્મમાં રીતરિવાજો કે વિધિઓ (ઇૈોચનજ)હોય છે પરંતુ હિન્દુ ધર્મે વિધિઓની બાબતમાં હદ વટાવી દીધી છે. ઘરમાં, મંદિરમાં, મેળાવડાઓમાં, નદી પર, ધર્મસ્થળો પરની વિધિઓ) સ્નાનવિધિ, મંત્રોચ્ચાર વિધિ, પૂજા વિધિ, વાળ ઉતરાવવાની વિધિ, તર્પણ વિધિ, નદીમાં અસ્થિ પધરાવવાની વિધિ, મોટા મોટા ઘાંટા પાડીને ભજનો ગાવાની વિધિ, સત્યનારાયણની કથાની વિધિ, મંદિરોના ફેરા કરવાની વિધિ, જનોઈ વિધિ, લગ્ન વિધિ, મૃત્યુ વિધિ, નાગપૂજા, વડપૂજા, પીપળાની પૂજા વગેરેનો હિન્દુ ધર્મમાં પાર નથી. હવે ગુજરાતના સોફીસ્ટીકેટેડ ધનિકજનોમાં મઘ્યમવર્ગમાં સત્યનારાયણની કથાને બદલે સુંદર કાંડના પઠનની વિધિ વઘુ લોકપ્રિય બની છે કારણ કે હનુમાન વઘુ આક્રમક છે. વળી ગુજરાતમાં પતિના આયુષ્ય માટે કડવા ચોથનું વ્રત કે વિધિ ન હતા પરંતુ હિન્દીભાષી પ્રદેશોમાંથી આયાત થયેલી કડવા ચોથનું વ્રત ગુજરાતી સ્ત્રીઓએ ઉત્સાહપૂર્વક અપનાવી લીઘું છે. ચાર્વાક અને બુઘ્ધ સિવાય અહીં હિન્દુ ધર્મ, તેની માન્યતાઓ તથા બ્રાહ્મણો અને પુરોહિતો સામે કદાચ રીબેલ થયો નથી. માત્ર ડૉ. આંબેડકરે આ રીબેલ શરૂ કર્યો હતો.</p>
<p><strong>ભારતીય (હિન્દુ) સંસ્કૃતિ * કશું ગમ્યું તો મર્યા જ સમજો *</strong></p>
<p>હિન્દુ સંસ્કૃતિના અનેક પાસાં છે તે કુદરતના તત્ત્વોને ઉલ્લાસમય રીતે સ્વીકારે છે. તે અંગે નાચ કે નૃત્યો કરે છે, સમૂહમાં એકબીજા પર રંગ છાંટે છે, પીચકારીનું પાણી છોડે છે, રાસ કરે છે વગેરે. પરંતુ તેની બીજી બાજુ પણ છે. તમે કોઈ સાઘુ, સંત, મહાત્માનો ઉપદેશ સાંભળવા ગયા તો તેમાં આ સંસાર અસાર છે અને માનવીનું ખરૂ ઘ્યેય પ્રભુની ભક્તિનું છે અને સંસારના મોહમાયાથી અળગા થવાનું છે. તેવા જ વ્યર્થ ઉપદેશો સાંભળવાના મળશે. તમને સારૂં ખાવા પીવામાં મઝા પડે છે? ના, તેનાથી તમે જીભને લાડ લડાવો છે અને તેનાથી શરીર બગડે માટે દેહશુઘ્ધિ માટે ઉપવાસ કરો. તમને આઈસક્રીમ કે ચોકલેટ ભાવે છે? ના ખાશો &#8211; તેનાથી દાંત બગડે. તમને ચા ભાવે છે? ચો-કૉફી છોડી દો. તમને પૈસા કમાવાનું ગમે છે? પૈસો તો હાથનો મેલ છે &#8211; તેને છોડી દો તેવું બોલતો કથાકાર, સાઘુ, સંત કે સ્વામીજી પુષ્કળ ધન એકઠું કરે છે. શું તમને જીટ ગમે છે? છીછીછી. તે અધઃપતનની નિશાની છે. શું તમને શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું ગમે છે? તેવું ના કરતા કારણ કે તમે ઇન્દ્રીયસુખને વશ થઈ જશો. રેફ્રીજરેટરનું ઠંડુ પાણી પીવાનું ગમે છે? ના પીતા તેનાથી શરદી થઈ જશે. શું મીઠાઈઓ ખાવાની ગમે છે કે રૂની પોચી પથારીમાં સુવાનું ગમે છે? એમ ના કરતા. ઈન્દ્રીયોને વશમાં રાખો. ચટાઈ કે શેતરંજી પર સૂઓ. હોટેલમાં શું કામ ખાઓ છો? માંદા પડશો. ચા કે કૉફી ના પીતા. સિનેમા જોવા કેમ જાઓ છો? તમારો કીંમતી સમય બગડે છે. જે કાંઈપણ આનંદ પમાડે તેનાથી દૂર રહો. એક વૃઘ્ધ પત્રકાર દર થોડે થોડે દિવસે નવો વિષય ના જડતા જગતના તમામ લોકોને ખબર છે તેવી વાત લખે છે ઃ દા.ત. જંક ફૂડ ના ખાતા, ચરબીયુક્ત ખોરાક ના ખાતા. કઠોળ તથા ફળફળાદિ, શાકભાજી અને ફળોના રસ ખાઓ. વળી શું ખાવાથી કેન્સર મટી જાય કે ના થાય તેની જગતના નિષ્ણાતોને પૂરેપૂરી ખબર નથી પરંતુ કોઈપણ સાબિતિના આધાર વિના તેમને કેન્સર મટાડતા આહાર-વિહારનું પૂર્ણ અંતરજ્ઞાન કે સ્ફુરિત જ્ઞાન છે. કોઈપણ વિધાન માટે કે દાવા માટે વૈજ્ઞાનિક સાબિતિ જોઈએ તેની ભારતના લોકોને ખબર નથી. આ પ્રકારના ઈરેશનલ વલણ સામે પણ આ લેખક લાલબત્તી ધરે છે. બઘું જ કુદરતી સારું અને માનવકૃત ક્રિયાઓ, ચીજો કે પદાર્થો (દવાઓ, ઈન્જેક્શન્સ, ફિલ્મો વગેરે) ખરાબ કે નુકસાનકારક એવું ગાંધીજી અને વિનોબામાં તથા તેમના અનુયાયીઓમાં વઘુ જોવા મળે છે. આ વિચારધારા નેગેટીવ છે. સામાજીક કે કલ્ચરલ ક્રાંતિ માટે આવા વળગણો (ઓબસેશન્સ)ની કોઈ જરૂર નથી. અબ્રાહમ લીંકન, માર્ક્સ, એન્જલ્સ, કાસ્ટ્રો માઓ, માર્ટીન લ્યુથરકીંગ, દક્ષિણ આફ્રિકાના તારણહાર મેન્ડેલા વગેરેએ જબરજસ્ત બૌઘ્ધિક રાજકીય ક્રાંતિઓ આવા વળગણો વિના કરી છે. જગતને બદલી નાખનાર પ્રખર વૈજ્ઞાનિકો પણ ઉપર પ્રકારના ગાંડપણભર્યા નિષેધોમાં માનતા નથી. તેઓ વારંવાર ઉપવાસ કરતા નથી કે ચટાઈ પર સૂતા નથી કે બ્રહ્મચર્ય પાળતા નથી પરંતુ જગતને બદલી નાખે તેવી જબરદસ્ત શોધો કરે છે. સ્ટીવ જોબ્સ, માર્ક ઝુકરબર્ગ કે આઈનસ્ટાઈન કે ન્યુટન આના ઉદાહરણો છે. ઈન્દ્રીયો પર સંયમ જરૂર જોઇએ પરંતુ તેની કોઈ આત્યંતિક ઘેલછામાં જગતના ચંિતકો અને ક્રાંતિકારો જીવતા નથી. તેમનું જીવન બહુધા ‘બેલેન્સ્ડ’ (સંતુલિત) હોય છે. તમારે વહેલા સૂઈને વહેલા ઉઠવું કે સ્નાન કરીને જ જમવું, સાંજ પહેલા સાદું ભોજન લેવું, ભગવાનમાં મન પરોવવું &#8211; આ અર્થહીન ઉપદેશો છે. તેને મીનીંગલેસ ગણવા.<br />
આ પુસ્તકના લેખક ગીતામાં પ્રબોધેલા નિષ્કામ કર્મ અને સ્થિતપ્રજ્ઞના વિચારોની વિરૂઘ્ધ છે. ફળની આશા વિના કોઈપણ કામમાં ‘મોટીવેશન’ જ કેવી રીતે ઊભું થાય? વળી માણસ સુખ દુઃખમાં સંતુલન જાળવે તે સ્થિતપ્રજ્ઞતાનો વિચાર ઠીક છે પરંતુ આનંદમાં કે સુખમાં કે દુઃખમાં લાગણીઓ જ ના અનુભવવી કે તેની અભિવ્યક્તિ ના કરવી તેવો સ્થિતપ્રજ્ઞતાનો વિચાર અવ્યવહારુ છે. સમાજમાં આટલો બધો અન્યાય હોય અને મન ખળભળી ના ઊઠે તેવું સ્થિતપ્રજ્ઞાનું લક્ષણ અરૂચિકર છે.</p>
<p><strong><br />
ધર્મની વિરૂઘ્ધ ઃ</strong> લેખક ધર્મની વિરૂઘ્ધમાં છે કારણ કે દુનિયાનો દરેક ધર્મ એવો દાવો કરે છે કે તે સર્વશ્રેષ્ઠ છે. જો દરેક ધર્મ પોતાને શ્રેષ્ઠ માને તો ધર્મને નામે યુઘ્ધો થવાનાં જ છે. દુનિયામાં અસંખ્ય ધર્મયુઘ્ધો થઈ ચૂક્યા છે. દરેક ધર્મ ઈરેશનલ છે અને નાનપણથી જ વ્યક્તિનું તેના ધર્મમાં બ્રેઇનવોશીંગ કરવામાં આવે છે જેથી તે તેના ધર્મને શ્રેષ્ઠ માને છે. અમેરિકામાં સાઘુ, સંતો, મહાત્માઓ, મહંતો, ગુરૂઓની પધરામણીને તથા તેમની પધરામણીઓ કરાવનાર લોકો માટે લેખક સખત નારાજગી પ્રગટ કરે છે. લેખક કટાક્ષપર કહે છે કે પહેલા એવું મનાતું કે જે કોઈ સાઘુ સંત કે યોગીએ હિમાલયમાં તપસ્યા કરી ના હોય તેઓને સાચો યોગી કે મહાત્મા ગણવામાં આવતા ન હતા. હવે ભારતના લોકો જે યોગીઓ, સંતોની કે સ્વામીઓની પશ્ચિમ જગતમાં પધરામણી ના થઈ હોય કે જેમના પશ્ચિમ જગતની ધોળી પ્રજાના ભક્તજનો ના હોય તેમને સાચા સંત કે મહાત્મા ગણતા નથી. એવું જણાય છે કે આવતા સો કે બસો વર્ષ પછી હિન્દુ ધર્મના વ્રતો, ફીલોસોફી અને રીતરીવાજો માત્ર પશ્ચિમ જગતમાં જ બચ્યા હશે!! લેખક આ પુસ્તકના સારરૂપ મુદ્દાને રજૂ કરતા કહે છે કે જ્યાં સુધી ભારતમાં હિન્દુ ધર્મ અને તેની ફીલોસોફી તથા સાઘુસંતોની સત્તા સામે રીબેલ નહીં થાય ત્યાં સુધી આપણે પછાત જ રહીશું.</p>
<p><strong><br />
શોધોનો વિરોધ ઃ</strong> ભારતનું કલ્ચર નવી ચીજવસ્તુઓ કે નવા વિચારોની શોધ (ઈનોવેશન્સ) અને સ્વતંત્ર વિચારશક્તિને રૂંધે છે. અંગ્રેજી પ્રજાએ જગતને બદલી નાખનાર ઔદ્યોગિક ક્રાંતિની શોધ કરી. ઇંગ્લૅન્ડના જેમ્સ વોટે સ્ટીમ એન્જીન ખોળ્યું. આપણે કેમ ના ખોળ્યું? આપણે તો માત્ર ઈન્દ્રીયજન્ય સુખો પર કાબૂ મેળવવામાં જ આપણી તાકાત વેડફી નાંખી. વળી હિન્દુ ધર્મ સહિષ્ણુ છે તેને આ લેખક નીચ માને છે. હિન્દુ રાજા પુષ્યમીત્ર શુંગે (ઈ.સ. પૂર્વે ૧૮૭ થી ઈ.સ. પૂર્વે ૧૫૭) જે કોઈ બુઘ્ધધર્મના અનુયાયીનું માથું રજૂ કરે તેને સોનું આપવાની જાહેરાત કરી હતી. બુઘ્ધ ધર્મ શું કોઈ હંિસા વિના એકાએક ભારતમાંથી અદ્રશ્ય થઈ ગયો? વળી લેખક કહે છે કે આપણે બધી બહુ વિદેશી પ્રજાઓને હાથે પરાજયનો સ્વાદ ચાખ્યો છે અને હારેલી પ્રજાને સહિષ્ણુ બનવું જ પડે છે. (જેમ અત્યાર સુધી દલિતોને ગામડાઓમાં ફરજિયાત સહિષ્ણુ બનવું પડ્યું હતું અને બનવું પડે છે.) ટૂંકમાં લેખકના મતે ધાર્મિક માન્યતાઓ પ્રજાના પગની બેડીઓ છે. વળી હિન્દુધર્મીઓ હિન્દુ-મુસ્લીમ હુલ્લડો દરમિયાન બહુ સહિષ્ણુ હોય તેમ જણાતું નથી. બન્ને પક્ષો અસહિષ્ણુ હોય છે. હિન્દુ ધર્મ શ્રેષ્ઠ છે અને જગતે તેના શરણે આવવું પડશે તેવી કપોળ કલ્પના હેઠળ ઘણા લોકો જીવે છે. લેખક ભારપૂર્વક માને છે કે આપણી ગરીબીનું કારણ બાહ્ય પરિબળો નથી. આપણે બહારના વિલનો એટલે કે ખલનાયકો (બ્રિટન, અમેરિકા, પાકિસ્તાન)ને શોધવાની જરૂર નથી. અંગ્રેજોની હકૂમત પહેલા પણ આપણે ગરીબ હતા. આપણો અંદરઅંદરનો કુસંપ અને ધાર્મિક માન્યતાઓ તથા તદ્દન નબળું રાજ્ય (સોફ્‌ટ સ્ટેટ) આપણી ગરીબી માટે જવાબદાર છે.</p>
<br />Filed under: <a href='http://arvindadalja.wordpress.com/category/prakirna/'>Prakirna</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/arvindadalja.wordpress.com/1287/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/arvindadalja.wordpress.com/1287/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/arvindadalja.wordpress.com/1287/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/arvindadalja.wordpress.com/1287/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/arvindadalja.wordpress.com/1287/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/arvindadalja.wordpress.com/1287/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/arvindadalja.wordpress.com/1287/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/arvindadalja.wordpress.com/1287/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/arvindadalja.wordpress.com/1287/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/arvindadalja.wordpress.com/1287/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/arvindadalja.wordpress.com/1287/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/arvindadalja.wordpress.com/1287/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/arvindadalja.wordpress.com/1287/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/arvindadalja.wordpress.com/1287/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1287&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://arvindadalja.wordpress.com/2011/12/24/%e0%aa%b9%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8d%e0%aa%a6%e0%ab%81-%e0%aa%95%e0%aa%b2%e0%ab%8d%e0%aa%9a%e0%aa%b0%e0%ab%87-%e0%aa%b0%e0%ab%87%e0%aa%b6%e0%aa%a8%e0%aa%be%e0%aa%b2%e0%ab%80%e0%aa%9d%e0%aa%ae%e0%aa%a8/feed/</wfw:commentRss>
		<slash:comments>4</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/b05b403cfb79f21c2c0e63a623b1d940?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">arvindadalja</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>“ગરીબની વહુ સૌની ભાભી.”</title>
		<link>http://arvindadalja.wordpress.com/2011/12/14/%e0%aa%97%e0%aa%b0%e0%ab%80%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%b9%e0%ab%81-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ad%e0%aa%be%e0%aa%ad%e0%ab%80/</link>
		<comments>http://arvindadalja.wordpress.com/2011/12/14/%e0%aa%97%e0%aa%b0%e0%ab%80%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%b9%e0%ab%81-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ad%e0%aa%be%e0%aa%ad%e0%ab%80/#comments</comments>
		<pubDate>Wed, 14 Dec 2011 09:41:06 +0000</pubDate>
		<dc:creator>Arvind Adalja</dc:creator>
				<category><![CDATA[Prakirna]]></category>

		<guid isPermaLink="false">http://arvindadalja.wordpress.com/?p=1281</guid>
		<description><![CDATA[શ્રી ભુપેંદ્રસિંહ રાઉલે તેમના બ્લોગ કુરૂક્ષેત્ર ઉપર ગરીબની શ્રધ્ધા અંધશ્રધ્ધા અને અમીરની અંધ શ્રધ્ધા શ્રધ્ધા કહેયાય વિષે મૂકેલ સુંદર લેખ “ગરીબની વહુ સૌની ભાભી.” આપ સૌ મિત્રોને પસંદ પડશે તેમ ધારી અત્રે રજૂ કરેલ છે. ગરીબની શ્રદ્ધા અંધશ્રદ્ધા, અને અમીરની અંધશ્રદ્ધા શ્રદ્ધા કહેવાય ખરુંને!!! આ ગરીબ પછાત ગણાતી દેવી પૂજક કહેવાતી જાતોનાં લોકો માતા મેલડીને [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1281&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>શ્રી ભુપેંદ્રસિંહ રાઉલે તેમના બ્લોગ કુરૂક્ષેત્ર ઉપર ગરીબની શ્રધ્ધા અંધશ્રધ્ધા અને અમીરની અંધ શ્રધ્ધા શ્રધ્ધા કહેયાય વિષે મૂકેલ સુંદર લેખ<br />
“ગરીબની વહુ સૌની ભાભી.” આપ સૌ મિત્રોને પસંદ પડશે તેમ ધારી અત્રે રજૂ કરેલ છે.<br />
ગરીબની શ્રદ્ધા અંધશ્રદ્ધા, અને અમીરની અંધશ્રદ્ધા શ્રદ્ધા કહેવાય ખરુંને!!! આ ગરીબ પછાત ગણાતી દેવી પૂજક કહેવાતી જાતોનાં લોકો માતા મેલડીને માનતા હોય છે. અને માતાજીને ખુશ કરવા ડાકલા વગાડતા હોય છે. ભૂત ભગાડવા પણ ડાકલા વગાડતા હશે. મૂળ તો દેવી પૂજક એટલે દેવી એટલે કે ભગવાનને સ્ત્રી રૂપે, માતા રૂપે, શક્તિ રૂપેણ પૂજતાં લોકો. શું ભગવાનને ફક્ત પુરુષ તરીકે જ પૂજી શકાય? માતા તરીકે નહિ? રામ તરીકે જ પૂજી શકાય? અંબા તરીકે નહિ? રામજીની ભક્તિ શ્રદ્ધા કહેવાય અને દેવી પૂજા અંધશ્રદ્ધા? રામ અને હનુમાનજીને પૂજનારા ધાર્મિક મહાન ભક્તો અને મેલડીને પૂજતાં ગરીબ લોકો અંધશ્રદ્ધાળુ?</p>
<p><a href="http://raolji.com/2011/12/14/%e0%aa%97%e0%aa%b0%e0%ab%80%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%b9%e0%ab%81-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ad%e0%aa%be%e0%aa%ad%e0%ab%80/">વધુ વાંચવા માટે અહિ લીંક ઉપર ક્લીક કરો !</a></p>
<br />Filed under: <a href='http://arvindadalja.wordpress.com/category/prakirna/'>Prakirna</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/arvindadalja.wordpress.com/1281/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/arvindadalja.wordpress.com/1281/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/arvindadalja.wordpress.com/1281/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/arvindadalja.wordpress.com/1281/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/arvindadalja.wordpress.com/1281/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/arvindadalja.wordpress.com/1281/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/arvindadalja.wordpress.com/1281/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/arvindadalja.wordpress.com/1281/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/arvindadalja.wordpress.com/1281/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/arvindadalja.wordpress.com/1281/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/arvindadalja.wordpress.com/1281/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/arvindadalja.wordpress.com/1281/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/arvindadalja.wordpress.com/1281/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/arvindadalja.wordpress.com/1281/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1281&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://arvindadalja.wordpress.com/2011/12/14/%e0%aa%97%e0%aa%b0%e0%ab%80%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b5%e0%aa%b9%e0%ab%81-%e0%aa%b8%e0%ab%8c%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ad%e0%aa%be%e0%aa%ad%e0%ab%80/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/b05b403cfb79f21c2c0e63a623b1d940?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">arvindadalja</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>અને જોંતજોતામાં બની ગયો ઐતિહાસિક તમાચો&#8230;!</title>
		<link>http://arvindadalja.wordpress.com/2011/12/11/%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%9c%e0%ab%8b%e0%aa%82%e0%aa%a4%e0%aa%9c%e0%ab%8b%e0%aa%a4%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80-%e0%aa%97%e0%aa%af%e0%ab%8b-%e0%aa%90/</link>
		<comments>http://arvindadalja.wordpress.com/2011/12/11/%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%9c%e0%ab%8b%e0%aa%82%e0%aa%a4%e0%aa%9c%e0%ab%8b%e0%aa%a4%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80-%e0%aa%97%e0%aa%af%e0%ab%8b-%e0%aa%90/#comments</comments>
		<pubDate>Sun, 11 Dec 2011 06:18:40 +0000</pubDate>
		<dc:creator>Arvind Adalja</dc:creator>
				<category><![CDATA[Prakirna]]></category>

		<guid isPermaLink="false">http://arvindadalja.wordpress.com/?p=1278</guid>
		<description><![CDATA[શ્રી વિનોદ ભટ્ટ દ્વારા દિવ્ય-ભાસ્કરની 11,ડીસેમ્બર,2011,ની સંડેપૂર્તિમાં “ઈદમ તૃતિયમ” કોલમમાં પ્રસિધ્ધ થયેલો શરદ પવારને પડેલા તમાચા વિષે વ્યંગાત્મક સુંદર લેખ.લેખકશ્રી તથા દિ.ભાસ્કરના સૌજન્ય અને આભાર સાથે ! અને જોંતજોતામાં બની ગયો ઐતિહાસિક તમાચો&#8230;! પ્રિય મનમોહનસિંઘજી મને ખબર છે કે અમુક પત્રો કચરાટોપલીના લાભાર્થે જ લખાતા હોય છે, જેનો આર્થિક ફાયદો ટપાલખાતાને થાય છે ને મારા [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1278&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>શ્રી વિનોદ ભટ્ટ દ્વારા દિવ્ય-ભાસ્કરની 11,ડીસેમ્બર,2011,ની સંડેપૂર્તિમાં “ઈદમ તૃતિયમ” કોલમમાં પ્રસિધ્ધ થયેલો શરદ પવારને પડેલા તમાચા  વિષે વ્યંગાત્મક સુંદર લેખ.લેખકશ્રી તથા દિ.ભાસ્કરના સૌજન્ય અને આભાર સાથે !</p>
<p>         <strong>અને જોંતજોતામાં બની ગયો ઐતિહાસિક તમાચો&#8230;!</strong></p>
<p>પ્રિય મનમોહનસિંઘજી</p>
<p>મને ખબર છે કે અમુક પત્રો કચરાટોપલીના લાભાર્થે જ લખાતા હોય છે, જેનો આર્થિક ફાયદો ટપાલખાતાને થાય છે ને મારા જેવા નિવૃત્ત માણસનો આથી ટાઇમપાસ થાય છે. લગભગ ચારેક દિવસ અગાઉના અખબારમાં એક એવા બ્રેકિંગ ન્યૂઝ છે કે છેલ્લા બે વર્ષમાં ભૂખમરાથી ભારતમાં એક પણ મરણ થયું નથી. મારા ગીધુકાકાને લાગ્યું કે કદાચ આ આજની નવી જોક હશે, પરંતુ ધ્યાનથી જોતાં ખબર પડી કે આ તો કેન્દ્ર સરકારની પ્રેસનોટ છે.</p>
<p>મને પણ એ સાચું લાગે છે. આપણી પ્રજા તો અકરાંતિયાની પેઠે વધુ પડતું ખાવાને કારણે જ મરે છે એવું તો અમેરિકન પ્રેસિડેન્ટ ઓબામાએ બે-ત્રણ વખત કહ્યું છે છતાં તમે એનો વિરોધ સુધ્ધાં નથી કર્યો. ઓબામાએ તો ફરિયાદરૂપે કહેલું કે ઇન્ડિયનો વધારે પડતું અનાજ ખાઇ જાય છે ને ગજા બહારનું પેટ્રોલ પી જાય છે એટલે અમને આ બંનેની ખેંચ પડે છે, તૂટ પડે છે.</p>
<p>હું તો માનું છું કે આપણે ત્યાં કોઇ ભૂખમરાથી, ડાયેટિંગ એટલે કે ડાઇ વિથાઉટ ઇટિંગથી અથવા તો ઉપવાસ કરવાથી દેવલોક પામતું નથી. આ વાતની તમને કે સરકારને જાણ નથી, પણ અણ્ણા હજારેને પાકી ખબર છે, એ કારણે તે બધા સામે આમરણ ઉપવાસની બંદૂક છાશવારે તાકે છે ને તમે ઘાંઘા થઇ એમને મનાવવા દોડી જાવ છો. </p>
<p>ખોટો ગભરાટ! તમારા કે શ્રીમતી સોનિયા ગાંધીના શ્રીમુખેથી જે માણસનો નામોલ્લેખ ક્યારેય અમે સાંભળ્યો નથી એ મહાત્મા ગાંધીને ઉપવાસ કરવાની હોબી હતી. તેમને લોકશાહીમાં શ્રદ્ધા હતી છતાં પોતાનું ધાર્યું કરાવવા તે ઉપવાસનું શસ્ત્ર ઉગામતા. થોડી અતિશયોક્તિ કરીને કહી શકાય કે તેમના ભાગે જમવા કરતાં લાંઘણ કર્યાના ટંક વધારે હશે. </p>
<p>એક વાર તો કોઇ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા નહીં, બસ એમ જ તેમણે ૪૦ ઉપવાસ કર્યા હતા તો પણ તે નહોતા મર્યા, પણ તે મર્યા ત્યારે ખાવાના કારણે જ મરણ પામ્યા. ગોડસેની ત્રણ ગોળી તે પચાવી ના શક્યા. ગીધુકાકા એવું માને છે કે ગાંધીબાપુએ ત્રણ બંદર પાળ્યા હતા એટલે ગોડસેએ તેમના પર ત્રણ ગોળીઓ છોડેલી. આ બાબત તમે શું માનો છો?</p>
<p>આ ટી.વી. ચેનલવાળા ખરેખર બદમાશ છે. કેન્દ્રિય મંત્રી શરદ પવારને મોટા અવાજે ચોર અને ભ્રષ્ટ કહી હરવિન્દર નામના એક શીખ યુવાને તેમના ગાલ પર એક જોરદાર તમાચો રસીદ કરી દીધો. આ તમાચો જાણે કોઇ અતિ દુર્લભ ઐતિહાસિક ઘટના હોય તેમ ટી.વી. ચેનલ્સવાળા ઉત્સાહઘેલા થઇ આ ર્દશ્ય બતાવતા હતા. </p>
<p>વધુ વખત તેમજ વારંવાર ટી.વી. ચેનલ પર શરદ પવારને લાફો ખાતા બતાવવાથી પોતાની ચેનલનો ટી.આર.પી. રાતો-રાત વધી જશે એવું માનીને કેટલીક ચેનલો તો અન્ય સમાચારોને હાંસિયામાં ધકેલીને આખો દિવસ બસ, આ જ બતાવતા. પ્રજાને-દર્શકોને શું જોવામાં વધારે પ્રસન્નતા થાય છે એની ટી.વી. વાળાને જાણ છે. હરવિન્દરે તો શરદના ગાલ પર એક જ થપ્પડ મારેલી, ટી.વી. ચેનલોએ તેને એક હજાર બનાવી દીધી. ટી.વી. પર આ બધું જ જો શરદભાઇએ જોયું હોત તો તેમનું જડબું એમ જ ખડી ગયું હોત.</p>
<p>પણ હેં મનમોહનસાહેબ, આ લાફા-પ્રકરણ બાબત તમે-તેમજ સોનિયાબહેન કેમ કશું ખોંખારીને ન બોલ્યાં? પેલાએ ચોર અને ભ્રષ્ટ કહીને તમાચો ઝીંકી દીધો એટલે આપણે એમ માની લેવાનું કે લાફો એ એમનો અંગત પ્રશ્ન હતો?&#8230; મારા મત પ્રમાણે એ ચાંટો કંઇ એકલા શરદના જ ગાલ પર નહીં, મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચારના ગાલ પર મારવામાં આવ્યો છે.</p>
<p>આ તમાચા અંગે તમે તો ખાસ કોઇ પ્રતિભાવ પ્રગટ નથી કર્યો, પણ અણ્ણા હજારેએ તો આ સમાચાર જાણીને આઘાતથી તરત જ પૂછ્યું હતું કે બસ, એક જ તમાચો? ત્યાં જ તેમને ખ્યાલ આવ્યો કે બોલવામાં આનંદને લીધે જરા ઉતાવળ થઇ ગઇ, આજે તો તે ગાંધીજીનો અવતાર છે એવો વહેમ તેમને ખુદને પડવા માંડ્યો છે, એટલે તેમણે ઉમેર્યું: ‘હિંસા સારી વાત નથી.’ ખરેખર તો તેમણે એવું કહેવું જોઇતું હતું કે બસ, એક જ તમાચો? એ મારા અંતરાત્માનો અવાજ હતો.</p>
<p>એમ તો એક ભાઇએ ફોન પર મારી સલાહ માગતાં પૂછ્યું હતું કે શરદ પવારને તમાચો મારનાર શીખ યુવાન હરવિન્દર જેલમાંથી છુટીને બહાર આવે એટલે એનું સન્માન કરી મારે તેને રૂપિયા અગિયાર હજાર આપવા છે, તમે શું કહો છો? મેં તેને ધમકાવી નાખતાં કહ્યું કે આવી મૂખૉઇભરી વાત કરી શહેરનું ને દેશનું વાતાવરણ ડહોળવા પ્રયત્ન ના કરશો. દરેક પ્રજાજને તેના જેવા હોય એવા નેતાનું સન્માન કરવું જોઇએ. </p>
<p>ગાંધી, સરદાર પટેલ અને સુભાષાબાબુ જેવા રાજપુરુષો પામવાનું સદ્ભાગ્ય ભૂલી જઇને, આપણી પાસે આજે જે સિલકમાં જે છે એ નેતાઓથી ચલાવી લેવાનું છે અને સાહેબ, એ ભાઇને મેં તો એમ પણ કહેલું કે કોઇની આગળ જાહેર પણ ના કરીશ કે હરવિન્દરને ૧૧ હજાર રૂપિયા ઇનામ આપવાની તારી મંછા હતી, નહીં તો પછી થશે એવું કે કેટલાક લોકોને રૂપિયા અગિયાર હજાર કુરબાન કરવાની ને વધારે યુવાનોને તે લાઇફ ટાઇમ એચીવમેન્ટ લેખે મેળવવાની પ્રેરણા મળશે, લાલચ થશે અને આપણી પાસે એટલી સંખ્યામાં મંત્રીઓ પણ ક્યાં છે!</p>
<p>કહે છે કે પવાર સાહેબને થપ્પડ મારનાર હરવિન્દર પાગલ છે. આવું હું નથી કહેતો, તેના વકીલે જામીન માગવાની અરજી કરતાં કોર્ટને જણાવ્યું છે કે મારો અસીલ માનસિક બીમારીથી પીડાઇ રહ્યો છે, આ કારણે કેટલીકવાર તેને ખબર પડતી નથી કે તે શું કરી રહ્યો છે. તેના પર વચ્ચે વચ્ચે પાગલપનનો હુમલો આવી જાય છે. </p>
<p>મને એમ લાગે છે કે તેના વકીલે હરવિન્દર પર પાગલપનનો હુમલો બીજી વાર આવે એ પહેલાં પોતાની ફી વસૂલી લીધી હશે અને મારા ગીધુકાકાના મતે શરદ પવારને તમાચો મારતી વખતે હરવિન્દર પાગલ નહીં હોય, શાણો હશે. આપણે જાણીએ છીએ કે શાણો માણસ ચોવીસે કલાક શાણો નથી હોતો ને પાગલ પાગલ નથી હોતો. મનમોહનસિંઘજી, પત્ર જરા લાંબો લખાઇ ગયો, પણ એથી તમને કોઇ ફેર પડવાનો નથી, વાંચે એને ફેર પડેને!</p>
<p>મજામાં હશો,<br />
તમારો પણ<br />
વિનોદ ભટ્ટ</p>
<p>ઈદમ્ તૃતીયમ્, વિનોદ ભટ્ટ </p>
<br />Filed under: <a href='http://arvindadalja.wordpress.com/category/prakirna/'>Prakirna</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/arvindadalja.wordpress.com/1278/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/arvindadalja.wordpress.com/1278/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/arvindadalja.wordpress.com/1278/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/arvindadalja.wordpress.com/1278/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/arvindadalja.wordpress.com/1278/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/arvindadalja.wordpress.com/1278/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/arvindadalja.wordpress.com/1278/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/arvindadalja.wordpress.com/1278/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/arvindadalja.wordpress.com/1278/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/arvindadalja.wordpress.com/1278/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/arvindadalja.wordpress.com/1278/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/arvindadalja.wordpress.com/1278/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/arvindadalja.wordpress.com/1278/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/arvindadalja.wordpress.com/1278/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1278&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://arvindadalja.wordpress.com/2011/12/11/%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%9c%e0%ab%8b%e0%aa%82%e0%aa%a4%e0%aa%9c%e0%ab%8b%e0%aa%a4%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80-%e0%aa%97%e0%aa%af%e0%ab%8b-%e0%aa%90/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/b05b403cfb79f21c2c0e63a623b1d940?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">arvindadalja</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>આ રીતે આચરાતાં હોય છે ઇશ્વરના નામે કૌભાંડો</title>
		<link>http://arvindadalja.wordpress.com/2011/12/11/%e0%aa%86-%e0%aa%b0%e0%ab%80%e0%aa%a4%e0%ab%87-%e0%aa%86%e0%aa%9a%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%b9%e0%ab%8b%e0%aa%af-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%87%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5/</link>
		<comments>http://arvindadalja.wordpress.com/2011/12/11/%e0%aa%86-%e0%aa%b0%e0%ab%80%e0%aa%a4%e0%ab%87-%e0%aa%86%e0%aa%9a%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%b9%e0%ab%8b%e0%aa%af-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%87%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5/#comments</comments>
		<pubDate>Sun, 11 Dec 2011 06:02:49 +0000</pubDate>
		<dc:creator>Arvind Adalja</dc:creator>
				<category><![CDATA[Prakirna]]></category>

		<guid isPermaLink="false">http://arvindadalja.wordpress.com/?p=1275</guid>
		<description><![CDATA[શ્રી વિધ્યુત ઠાકર દ્વારા દિવ્ય-ભાસ્કરની 11,ડીસેમ્બર,2011 ની સનડે પૂર્તિમાં “ સમુદ્ર મંથન” કોલમમાં પ્રસિધ્ધ થયેલો લેખ, લેખક તથા દિ.ભાસ્કરના સૌજન્ય અને આભાર સાથે આ રીતે આચરાતાં હોય છે ઇશ્વરના નામે કૌભાંડો&#124; મધ્ય યુગમાં જ્યારે પુસ્તકો નહોતાં છપાતાં ત્યારે યુરોપમાં પાદરીનો શબ્દ આખરી ગણાતો. કેથલિક સંપ્રદાય મુજબ પાપ કરનારે રવિવારે દેવળમાં જઇને પાપની કબૂલાત કરવી પડતી. [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1275&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>શ્રી વિધ્યુત ઠાકર દ્વારા દિવ્ય-ભાસ્કરની 11,ડીસેમ્બર,2011 ની સનડે પૂર્તિમાં “ સમુદ્ર મંથન” કોલમમાં પ્રસિધ્ધ થયેલો લેખ, લેખક તથા દિ.ભાસ્કરના સૌજન્ય અને આભાર સાથે </p>
<p><strong>આ રીતે આચરાતાં હોય છે ઇશ્વરના નામે કૌભાંડો</strong>|    </p>
<p>મધ્ય યુગમાં જ્યારે પુસ્તકો નહોતાં છપાતાં ત્યારે યુરોપમાં પાદરીનો શબ્દ આખરી ગણાતો. કેથલિક સંપ્રદાય મુજબ પાપ કરનારે રવિવારે દેવળમાં જઇને પાપની કબૂલાત કરવી પડતી. પછી પાદરી આ કબૂલાત સાંભળી ઇશ્વરના નામે માફી આપતા. આ પ્રક્રિયામાં પાપી અને પાદરી સિવાય કોઇની હાજરી ન રહેતાં ધીમે ધીમે પાદરીઓએ પૈસા લઇને પાપમુક્તિના પરવાના વેચવાનું શરૂ કર્યું. પાદરીઓનું આ કૌભાંડ ઘણું ચાલ્યું પછી જર્મનીના ગુટેનબર્ગમાં પ્રથમ બાઇબલ છપાયું, લોકોએ વાંચ્યું અને જાણ્યું કે ઇશ્વર તો માફી આપે જ છે. પાદરી ખોટી રીતે પૈસા ઉઘરાવે છે. માર્ટિન લ્યુથરે બળવો કરીને પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય સ્થાપ્યો પછી પાપમુક્તિના પરવાના વેચવાનું કૌભાંડ ઓછું થયું.</p>
<p>માનવી ઇશ્વરની, પરમાત્માની, સર્વશક્તિમાનની ખોજ કરે અને પોતાની સમજણ કે શ્રદ્ધા મુજબ તેની ભક્તિ, પૂજા, પ્રાર્થના કે અર્ચના કરે તેમાં કશુંય ખોટું નથી. આ બાબત શ્રદ્ધાની છે, લાગણીની છે. જીવનમાં જેટલી બુદ્ધિની જરૂર છે તેટલી જ લાગણીની પણ જરૂરી છે. સમસ્યાઓનું વિશ્લેષણ બુદ્ધિથી (અને માત્ર બુદ્ધિથી) થઇ શકે, પરંતુ જીવન જીવવા માટે, સંબંધો ટકાવવા માટે, બાળકોને ઉછેરવા માટે કે પરાઇ પીડમાં મદદ કરવા માટે લાગણીની જરૂર પડે છે. આપણા એક લોકપ્રિય શાયર જલન માતરીએ કહ્યું છે,</p>
<p>‘શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર,<br />
કુરાનમાંયે ક્યાંય પયગમ્બરની સહી નથી.’</p>
<p>માનવીના જીવનમાં બુદ્ધિ અને લાગણી બંને છે. બંનેનાં ક્ષેત્રો અલગ છે. જ્યારે એકના ક્ષેત્રમાં બીજું તત્વ ઘૂસણખોરી કરે છે ત્યારે સમસ્યા સર્જાય છે. વળી, દરેક વ્યક્તિમાં લાગણી અને બુદ્ધિની સમતુલા હોય તેવું પણ બનતું નથી. કેટલાક લોકો બુદ્ધિપ્રધાન તો કેટલાક લોકો લાગણીપ્રધાન હોય છે. ગ્રીસના મહાન દાર્શનિક સોક્રેટિસે મન (વૈચારિક પાસાં)ના બે ભાગ પાડ્યા છે. લાગણીશીલ મન અને બુદ્ધિશીલ મન. આમ કર્યા પછી સોક્રેટિસ કહે છે કે જાતની (આત્માની) અને જગતની સાચી ઓળખ મેળવવા માટે લાગણીનાં પાસાંને ઘટાડતાં જઇને બુદ્ધિનાં પાસાંને વધારતા જવું જોઇએ.</p>
<p>માનવી જ્યારે અલૌકિક પાસાઓ વિશે વિચારવા લાગે છે અને પોતાની બૌદ્ધિક મર્યાદાને લીધે તે અમુક અંશથી આગળ વિચારી શકતો નથી ત્યારે વિચારવાની અને તેથી કરીને લોકોને સમજાવવાની ક્ષમતા ધરાવનારા લોકો આ બાબતમાં તેમને મદદ કરે છે. લોકોને તેમના સવાલોના થોડા ઘણા જવાબો મળે છે તેથી સરેરાશ લોકો આવા લોકોને ગુરુ, ધમૉત્મા, દાર્શનિક, બાપુ, ઓલિયા, ફકીર જેવાં વિવિધ નામોથી ઓળખી તેમનામાં શ્રદ્ધા ધરાવતા થાય છે. </p>
<p>પછીથી આ લોકો જે કહે તેને સરેરાશ લોકો શંકા કર્યા વિના શ્રદ્ધાથી માનવા લાગે છે. નાનું બાળક મા-બાપમાં શ્રદ્ધા રાખી તેમની વાત માને છે તેવી જ આ સ્થિતિ છે. સમસ્યાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવતા આવા વિશિષ્ટ લોકો તરફ સરેરાશ લોકો આકષૉય છે અને પોતે જે નથી કરી શકતા (સમસ્યાનું વિશ્લેષણ અને ઉકેલ) તે આ માણસ કરી શકે છે, માટે તે સરેરાશ લોકો કરતાં વધુ ક્ષમતાવાન છે. </p>
<p>ઇશ્વર જો સર્વશક્તિમાન છે તો આવા લોકો ઇશ્વરના પ્રતિનિધિ અને વધુ ને વધુ ક્ષમતા તરફ ગતિ કરવાવાળા છે તેમ માને છે. સરેરાશ લોકો તેમના તરફ આકષૉય છે અને આવા લોકોમાં અતિમાનવીય ગુણોનું આરોપણ કરે છે. વધુ ને વધુ લોકો તે વ્યક્તિ તરફ આકષૉતા ધીમે ધીમે તે સંબંધોનું સંસ્થીકૃત સ્વરૂપ અને તેમાંથી સંપ્રદાય રચાય છે. ધર્મ પોતે તો અસંગઠિત (અનઓર્ગેનાઇઝડ), અવ્યવસ્થિત (અનસ્ટ્રકચર્ડ) અને બિનસાંપ્રદાયિક (નોનસેકટોરિયલ) છે. </p>
<p>પરંતુ ઇશ્વર અને ભકતની વચ્ચે કોઇ પ્રવેશીને એક પરંપરા શરૂ કરે છે તેમાંથી સંપ્રદાય બને છે અને સંપ્રદાય આવતા આશ્રમ બનાવવો, મંદિર, દેવળ કે મસ્જિદ બનાવવાં, પાઠશાળા કે મદરેસા કરવી વગેરે માટેનાં આર્થિક હિતો ઊભાં થાય છે, જે આગળ જતાં સ્થાપિત હિત બને છે અને કૌભાંડોની હારમાળા સજેઁ છે. આથી તો જે. કૃષ્ણમૂર્તિ, સચ્ચિદાનંદ કે મોરારિબાપુ પોતાનો સંપ્રદાય સ્થાપવાની ના પાડે છે, પરંતુ બધા આ લાલચ રોકી શકતા નથી. </p>
<p>લોકો જો એક પણ સવાલ પૂછ્યા વિના કે રસીદ માગ્યા વિના પૈસા આપતા હોય તો એવી લાલચને રોકવાની ક્ષમતા ભલભલા સંતો-મહંતો-પાદરીઓ-મુલ્લાઓ કે કોઇ પણ સાંપ્રદાયિક ગુરુમાં ભાગ્યે જ હોય છે. આમાંથી કેટલાક લોકો વિશ્લેષણ કરવાની વિશેષ ક્ષમતા સિવાય કોઇ સરેરાશ લોકોથી વધુ ક્ષમતા ધરાવતા હોતા નથી. જેમ સારો કવિ કે સારો કલાકાર અન્ય બાબતોમાં સરેરાશ હોય છે તેવું જ આ સંતો-મહંતો-મુલ્લા-પાદરીનું હોય છે. </p>
<p>આમાંથી સર્જાય છે ધર્મને નામે- ઇશ્વરના નામે કૌભાંડોની હારમાળા. જેમ સંપ્રદાય નાનો અને ઓછો સંગઠિત તેમ કૌભાંડોનું સ્વરૂપ નાનું. સંપ્રદાય જેમ મોટો અને વધુ સંગઠિત તેમ કૌભાંડોનું સ્વરૂપ મોટું. મધ્યયુગમાં કેથલિક સંપ્રદાય એટલો પાવરફુલ બની ગયો હતો કે યુરોપની બેતૃતીયાંશ જમીન દેવળના કબજામાં હતી. પશ્ચિમ ભારતમાં સમાજ સુધારણા શરૂ થઇ ત્યારે અમુક મહારાજની લીલાને કરસનદાસ મૂળજી નામના સમાજ સુધાર કે ન્યાયની દેવડીએ પડકારી હતી. આ કેસ ‘મહારાજ લાયબલ કેસ’ તરીકે ભારતની કાનૂન વિદ્યામાં બહુ જાણીતો બન્યો હતો.</p>
<p>અનુયાયીઓની અતિશુદ્ધાનો ગેરલાભ લઇને આચરવામાં આવતાં કૌભાંડો જર, જમીન અને જોરુ એમ ત્રણેય પ્રકારનાં હોય છે. કાળાં નાણાંને સફેદ કરવાનું એક મોટું કૌભાંડ સંસ્થાનો દ્વારા ચલાવવામાં આવે છે. દા.ત. એક ધાર્મિક સંસ્થા પાંચ લાખ રોકડા લઇને સાડા ત્રણ-ચાર લાખની રસીદ આપે છે. રસીદ હોવાથી દાન આપનારને કરમુક્તિનો લાભ મળે છે. પરદેશથી બિન હિસાબી નાણું દેશમાં મોકલવામાં પણ કેટલાંક સાંપ્રદાયિક સંસ્થાનો ‘કુરિયર’ કે ‘કેરિયર’ની ભૂમિકા ભજવે છે. </p>
<p>ભારતની અમેરિકન એમ્બસીને ધાર્મિક વિઝા માગનારાઓમાં કૌભાંડની ગંધ આવે છે, આથી તો ૨૦૦૭ની સાલમાં બાવન ટકા ધાર્મિક વિઝા નકારવામાં આવ્યા હતા. પછીથી ઝીણવટભરી તપાસ થઇ અને સન ૨૦૦૮માં મુંબઇની વિઝા ઓફિસમાંથી સિત્તેર ટકા ધાર્મિક વિઝા નકારવામાં આવ્યા હતા. પછીથી ન્યાયિક તપાસ થતાં ઓગણસિત્તેર ટકા વિઝા નકારાયા, માત્ર એક ટકા કેસમાં વિઝા આપવામાં આવ્યા. </p>
<p>આ નકારાયેલા વિઝા કેસીસમાં ગુજરાતના કેટલાક બહુ જાણીતા ધાર્મિક સંપ્રદાયોના સંતો-સાધુઓના કેસીસ પણ હતા. કોલકાતાની વિઝા ઓફિસના આંકડાઓ પણ લગભગ આવા જ છે. આ બાબતોથી કોઇ એમ માનવા ન પ્રેરાય કે આવાં કૌભાંડો માત્ર ખ્રિસ્તી, હિંદુ અને મુસ્લિમ ધર્મના સંપ્રદાયોમાં જ થાય છે. શીખ, બૌદ્ધ અને જૈન ધર્મોની સાંપ્રદાયિક સંસ્થાઓ આમાંથી મુકત નથી. તેમાં વળી કેટલાક સંપ્રદાયો પોતાના સાધુ-સંતો પર કડક શિસ્ત લાદે છે. નાની અને કાચી વયમાં શ્રદ્ધાથી પ્રેરાઇને સંસારત્યાગ કરનાર વ્યક્તિ યુવાનીમાં આવતાં ઇચ્છાઓનો સળવળાટ અનુભવે છે. કેટલાક પાછા સંસારમાં પ્રવેશ્યાના બહુ જાણીતા કિસ્સાઓ છાપામાં ચર્ચાયા છે, તો કેટલાક ત્યાગીઓનાં સેક્સકાંડની સીડી પણ ફરતી થઇ છે.</p>
<p>જમીન કૌભાંડોમાં ગેરકાયદે જમીનનાં દબાણો અને કાળાંનાણાંથી તથા બેનામી જમીનનાં કૌભાંડોની તપાસ કરવા ખાસ અને ઉચ્ચ સત્તાધારી કમિશન બેસાડવું પડે. કોમી હુલ્લડો પછી ‘હુલ્લડિયા હનુમાન’ની સ્થાપના થયાના સમાચારો સાથે રસ્તા વચ્ચે દબાણ કરીને બાંધવામાં આવેલ દરગાહો અને દેરીઓ તોડી પાડવાના સમાચાર પણ આવ્યા હતા. ધાર્મિક અને સાંપ્રદાયિક સંસ્થાઓ દ્વારા થયેલાં જમીનનાં દબાણોમાં સરકારી જમીન કે યુનિવર્સિટીઓની જમીન પણ બાકાત નથી. શરૂમાં થોડી જમીન દાનમાં મળે પછી આજુબાજુની જમીન પાર્કિંગ સુવિધાઓ, ચોકીપહેરો વગેરેના નામે પણ પચાવાયી હોવાનું જાણવા મળે છે.</p>
<p>સરેરાશ લોકોની અતિશુદ્ધાનો ગેરલાભ ઉઠાવતી આવી સાંપ્રદાયિક સંસ્થાઓ માટે એક શાયરે કહ્યું છે,‘લીલી, ધોળી ને ભગવી કફની દંભીઓનો લિબાસ થઇ ગઇ છે,બોલબાલા છે બધે બદબૂની આજ બદબૂ સુવાસ થઇ ગઇ છે, વાડ મેંદીને બદલે લોહીની આશ્રમો આસપાસ થઇ ગઇ છે.’</p>
<p>vidyutj@gmail.com </p>
<br />Filed under: <a href='http://arvindadalja.wordpress.com/category/prakirna/'>Prakirna</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/arvindadalja.wordpress.com/1275/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/arvindadalja.wordpress.com/1275/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/arvindadalja.wordpress.com/1275/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/arvindadalja.wordpress.com/1275/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/arvindadalja.wordpress.com/1275/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/arvindadalja.wordpress.com/1275/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/arvindadalja.wordpress.com/1275/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/arvindadalja.wordpress.com/1275/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/arvindadalja.wordpress.com/1275/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/arvindadalja.wordpress.com/1275/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/arvindadalja.wordpress.com/1275/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/arvindadalja.wordpress.com/1275/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/arvindadalja.wordpress.com/1275/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/arvindadalja.wordpress.com/1275/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1275&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://arvindadalja.wordpress.com/2011/12/11/%e0%aa%86-%e0%aa%b0%e0%ab%80%e0%aa%a4%e0%ab%87-%e0%aa%86%e0%aa%9a%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%be%e0%aa%82-%e0%aa%b9%e0%ab%8b%e0%aa%af-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%87%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/b05b403cfb79f21c2c0e63a623b1d940?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">arvindadalja</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>&gt;*****પગ/ચરણ&#8212;એસસી/ એસટી કે ઓબીસી ? *****&lt;</title>
		<link>http://arvindadalja.wordpress.com/2011/12/06/%e0%aa%aa%e0%aa%97%e0%aa%9a%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%8f%e0%aa%b8%e0%aa%b8%e0%ab%80-%e0%aa%8f%e0%aa%b8%e0%aa%9f%e0%ab%80-%e0%aa%95%e0%ab%87-%e0%aa%93%e0%aa%ac%e0%ab%80%e0%aa%b8%e0%ab%80/</link>
		<comments>http://arvindadalja.wordpress.com/2011/12/06/%e0%aa%aa%e0%aa%97%e0%aa%9a%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%8f%e0%aa%b8%e0%aa%b8%e0%ab%80-%e0%aa%8f%e0%aa%b8%e0%aa%9f%e0%ab%80-%e0%aa%95%e0%ab%87-%e0%aa%93%e0%aa%ac%e0%ab%80%e0%aa%b8%e0%ab%80/#comments</comments>
		<pubDate>Tue, 06 Dec 2011 17:19:49 +0000</pubDate>
		<dc:creator>Arvind Adalja</dc:creator>
				<category><![CDATA[Prakirna]]></category>

		<guid isPermaLink="false">http://arvindadalja.wordpress.com/?p=1270</guid>
		<description><![CDATA[*****પગ/ચરણ&#8212;એસસી/ એસટી કે ઓબીસી ? ***** આપણાં શરીરમાં અનેક અંગ-ઉપાંગો છે. અલગ અલગ અંગોના અલગ અલગ કાર્યો છે. જેમ કે આંખ જુએ છે, કાન સાંભળે છે, નાક સુંઘે છે દાંત ચાવે છે વગેરે વગેરે. આ સીવાય હાથ અને પગ પણ અગત્યના-મહત્વના કાર્યો કરતા રહે છે અને આપણું જીવન સરળ બનાવતા રહે છે. હાથ વડે અનેક [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1270&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>           <strong>*****પગ/ચરણ&#8212;એસસી/ એસટી કે ઓબીસી ? *****</strong></p>
<p>આપણાં શરીરમાં અનેક અંગ-ઉપાંગો છે. અલગ અલગ અંગોના અલગ અલગ કાર્યો છે. જેમ કે આંખ જુએ છે, કાન સાંભળે છે, નાક સુંઘે છે દાંત ચાવે છે વગેરે વગેરે. આ સીવાય હાથ અને પગ પણ અગત્યના-મહત્વના કાર્યો કરતા રહે છે અને આપણું જીવન સરળ બનાવતા રહે છે. હાથ વડે અનેક કાર્યો થતા રહે છે તો પગ આપણાં શરીરનું વજન ઊંચકવાનું અને આપણને આપણાં ગંતવ્ય સ્થાને પહોંચાડવાનું કામ કરે છે. જો પગ આપણાં શરીરનું વજન ઊંચકવા અસમર્થ બને તો આપણે ગંતવ્ય સ્થાને પહોંચી શકતા નથી અને આપણું હરવા-ફરવાનું સ્થગિત થઈ જાય છે. અરે, વોકર કે વ્હીલચેરનો ઉપયોગ કરવા માટે પણ પગ અંશતઃ સક્ષમ/શક્તિ ધરાવતા હોવા આવશ્યક છે. આમ પગ ખૂબ જ ઉપયોગી અને અનિવાર્ય અંગ ગણાવું જોઈએ તેમ છતાં કદાચ <strong>સમગ્ર શરીરમાં કોઈ </strong><strong>ઉપેક્ષિત અંગ હોય તો તે કદાચ પગ છે.</strong></p>
<p>બાળક જન્મે અને 4-5 માસનું થાય ત્યાં જ પોતાના ઘૂંટણ વડે<strong> ગોઠ્ણિયા </strong>ભેર ખસતા શીખે છે અને નાના કુદકા લગાવતું થતા મા-બાપ સહિત પરિવારના તમામ સભ્યો હર્ષની કીકીયારી વડે બાળકના ખસવાના શ્રમને વધાવી લે છે. 8-10 માસનું થતાં જ પોતાના પગ ઉપર સ્થિર થઈ <strong>પા-પા પગલી પાડી, ડગુ મગુ </strong>ચાલવા લાગતા, સૌ જાણે હિમાલય સર કર્યો હોય તેમ બાળકને શાબાશી અને વ્હાલથી ભીંજવી દે છે. અને તે સ્વતંત્ર રીતે ચાલવા લાગે તે માટે પ્રોત્સાહિત કરતા રહે છે.</p>
<p>આમ આપણાં <strong>પગ-ઘૂંટણ/ગોઠણનો ઉપયોગ જન્મના 4-6 માસમાં જ ચાલુ થઈ જતો હોય છે અને જે </strong><strong>મૃત્યુ પર્યંન્ત ચાલુ રહે છે.</strong> આથી પગ-ઘૂંટણ આપણને મૃત્યુ સુધી ગંતવ્ય સ્થાને પહોંચાડવા મજબૂતને સક્ષમ રહેવા જોઈએ તે અનિવાર્યતા ગણાવી જોઈએ.</p>
<p>તેમ છતાં મોટા ભાગના લોકો <strong>પગને તદન ઉપેક્ષિત અંગ </strong>તરીકે જ જોતા જોવા મળે છે. <strong>પગની-પગના તળીયાની સફાઈ વગેરે હોતી હૈ, ચલતી હૈ </strong>ના ધોરણે થયા કરતી જોવા મળે છે. પરિણામે પગના તળીયામાં ચીરા, કપાસી તથા આંગળીઓ વચ્ચે ફંગસ. ખરજવા જેવા ચામડીના રોગો વગેરે થતા હોય છે. <strong>સ્નાન કરી કેટલાં લોકો પગને પૂરેપૂરા લુછી છેક તળીયાને સ્વચ્છ કરે છે ? તે યક્ષ પ્રશ્ન બની રહે છે.</strong></p>
<p>હા, અલબત્ત સ્ત્રીઓ <strong>પગની કાળજી નહિ, પણ શોભા વધારવા </strong>વેક્સીંગ, નખ રંગવા, મ્હેંદી તો કોઈક વાર અલતા વગેરે  દ્વારા પગને કલર ફુલ બનાવતી રહે છે તથા પાયલ પહેરી ખાસ વિશેષ શણગારે છે. નવા નવા ડીઝાઈનર ચપ્પલ, સેંડલ કે જુતા પણ પહેરે છે. પરંતુ પગ કે ઘૂંટણની વજન ઊંચકવાની શક્તિ-સમર્થતા કે સક્ષમતા વિષે ભાગ્યે જ વિચારે છે. પરિણામે ખાસ કરીને લગ્ન બાદ સ્ત્રીઓનું વજન વધ્યા કરે છે. અને આ રીતે પગ ઉપર દિન-પ્રતિ-દિન ભાર વધે છે. કેટલીક સ્ત્રીઓને જોતાં જ જાણે પગ ઉપર ખાંડ કે ચોખાની ગુણી ચડાવી દેવામાં આવી હોય તેવું દ્રશ્ય સર્જાતું હોય છે. કેટલીક સ્ત્રીઓનો કમરનો ફેલાવો એટલો વિશાળ હોય છે કે તેણી પોતે પણ <strong>પોતાના પગ ફુલ સાઈઝના અરીસા સામે ઉભે ત્યારે જ જોઈ શકે છે.</strong> તો <strong>કેટલીક સ્ત્રીઓ ચાલતી હોય ત્યારે તેણીના હીપ્સ ઉપર તબલાં બાંધી દીધા હોય તેવો ભાસ થતો હોય છે. જાણે મદનિયું ચાલી રહ્યું હોય !</strong></p>
<p>જોકે પગના રક્ષણ માટે પુરૂષો પણ કોઈ વિશેષ કાળજી લેતા જણાયા નથી. બૂટ, મોજા કે ચપ્પલ, અલબત્ત પહેરે છે પરંતુ કેટલાક જ્યારે બૂટ ઉતારે ત્યારે ભયંકર દુર્ગંધ છોડે છે અને આવા ગંધાતા પગને કાળજી પૂર્વક સાફ કરવાની ભાગ્યેજ પરવા કરતા હોય છે પરિણામે આંગળીઓ વચ્ચે ફંગસ, ખરજવું વગેરે ચામડીના રોગો થતા રહે છે. વજન વધારવામાં પુરૂષો સ્ત્રીઓથી પાછળ રહેનારા નથી. સ્ત્રીઓ કમર વધારે છે તો <strong>પુરૂષો ફાંદ ! ફાંદનો ફેલાવો નાના તંબુ જેવો લાગે છે</strong> ઈન શર્ટ કરનારાઓને પેન્ટ ઉપર પટ્ટો બાંધવો અનિવાર્ય બને છે અને.<strong>જાણે જીવતું </strong><strong>જાગતું બેડીંગ ચાલતું હોય </strong>તેવો ભાસ ઉભો થાય છે. અહિં પણ પોતાના જ પગ જોવા માટે પૂર્ણ કદના અરીસાની જરૂર પડે છે.</p>
<p>આટલા ભારેખમ વજનને ઉંચકી કાળક્ર્મે <strong>પગ અને ઘૂંટણ બળવો પોકારે છે.</strong> અને આથી આખરે ઘૂંટણ બદલવાની અર્થાત ની-રીપ્લેસમેંટનું ઓપરેશન કરાવવાનું અનિવાર્ય બની રહે છે.<br />
આપને થશે કે આ પગ-ઘૂંટણ બદલાવ કે ની-રીપ્લેસમેંટની પિષ્ટ-પિંજણ શા માટે ? તો મને કહેવા દો, કે હાલ ગુજરાતમાં એનઆરઆઈની મુલાકતની મોસમ ચાલે છે અને તમામ માર્કેટો આ લોકોથી ઉભરાઈ રહી છે. </p>
<p>એ તો જાણીતી વાત છે કે અમેરીકનો તેમની શારીરિક સ્થુળતા અર્થાત ઓબેસીટીથી પીડાઈ રહ્યા છે અને ત્યાં સ્થાઈ થયેલા ગુજરાતીઓ સ્થુળતામાં કેમ પાછળ રહે ?  આ સમય દરમિયાન ગુજરાતભરની ઓર્થોપેડીક અને હાર્ટ માટે એન્જીઓ ગ્રાફી-એન્જીઓપ્લાસટી તથા બાય પાસ સર્જરી કરતી તમામ હોસ્પિટલો ભરચક રહે છે. જાણે કેરી-ચીકુ-સંતરા કે દ્રાક્ષ વગેરેની સીઝન ચાલુ ના થઈ હોય ! વિશેષમાં વિદેશમાં આ ની-રીપ્લેસમેંટની સર્જરી અત્યંત મોંઘી હોઈ ઓર્થોપેડીક સર્જનોને આ સીઝનમાં તડાકો પડે છે.  NRI પાસેથી RI અર્થાત દેશના રહેવાશીઓ કરતાં 3-4 ઘણી ફી વસુલ કરતાં આવા નિષ્ણાત ડૉકટરો આપણી સારવાર કે ઓપરેશનમાં પણ વધુ ફી માંગવા લાગતા હોય છે આથી કાં તો આપણે સારવાર વગર ચલાવી લેવું પડે છે અથવા નિર્દયતાથી કત્લ કરતાં આવા ડૉકટરોને શરણે જવું પડું છે ટૂંકમાં NRI તો ટૂંકી મુલાકાતે કામ પતાવી વિદેશ પાછા ફરે છે જ્યારે વધુ ફી વસુલવાનો સ્વાદ ચાખી જનારા ડૉક્ટરો બેરહમ રીતે આપણી પાસેથી પણ NRI સમક્ક્ષ ફી વસુલવાની યેન કેન પ્રકારેણ પેરવી કરતા રહે છે. .( આ વિષે વધુ, ફરી ક્યારે ક ! )</p>
<p>આ તીવ્ર હરીફાઈના માહોલને કારણે   <strong>ક્યારે ક તો ડર લાગે કે આ હોસ્પિટલો સેલ ચાલુ કરી જાહેરાત કરશે કે બે સામે એક ફ્રી અર્થાત ( એક દર્દીના બે પગ સામે અન્ય દર્દીનો એક પગ હા&#8230;હા&#8230;હા&#8230;હા..).</strong><br />
ઘૂંટણ બદલવાનું શક્ય બન્યું છે પરંતુ પગની વેદના તો જેમની તેમજ રહી છે. પગનો પંજો, પેની અને આંગળાની હાલત તો કદાચ વધુ બદતર થઈ છે. ત્યાં સફાઈ કરવાની કોઈ ભાગ્યે જ દરકાર કે તકેદારી રાખતા જણાય છે.</p>
<p>તેમ છતાં રખેને પગ વિદ્રોહ કરી ના બેસે તે માટે ચબરાક અને મુત્સદી ગુજરાતીઓએ પગને મધ્યમાં રાખી તેના નામ સાથે જોડી કેટલીક ઉક્તિઓ વહેતી કરી છે. જેવી કે, <em><strong>ધરતી ઉપર પગ ન રહેવા, પગ ઉપર પગ ચડાવી બેઠા રહેવું, પગ ઉઠાવી ચાલવું, પગે કહ્યું ના કરવું, પગ ઠેરવવો, પગ વાળવો, પગ ઘુસેડવો, પગ ચંપી કરવી, પગ છૂટો કરવો, પગ જમાવવો, પગ ટકાવવો, પગ ડગ મગવા, પગ ખેંચવો, પગ ઢીલા પડવા, પગ તૂટવા, પગ તોડવા, પગ થાકવા, પગ નહિ ઉપડવો, પગ પકડવા, પગ નીચેથી નીકળી જવું, પગ પર કુહાડી મારવી, પગમાં માથું નાખવું, પગ લાંબા કરવા, પગ પાછા પડવા, પગ પાણી પાણી થવા, પગ પછાડવા, પગ પેસારો કરવો, પગ બાંધીને બેસવું, પગ પહોળા કરવા, પગ ભાંગી નાખવા, પગ ભારે થવો, પગ મોકળા કરવા, પગ વાળીને બેસવું, પગ સંકોડવા, પગના તળીયા ઘસી નાખવા, પગમાં બેડી પડવી, પગે કીડીઓ ચડવી, પગે મેંદી મૂકવી, પેટમાં પગ ઘુસેડવા વગેરે વગેરે. </strong></em><br />
આ ઉપરાંત <strong>પગને માન અને આદર પૂર્વક સન્માનવા પગને ચરણ પણ કહે છે.</strong> અને આ શબ્દ મોટે ભાગે વડિલો-સાધુ-સંતો,ગુરૂઓ-સ્વામીઓ વગેરેના પગને  માન સન્માન આપવા મોટે ભાગે વપરાતો રહે છે. જેમ કે, <strong>ચરણ-રજ લેવી, ચરણ સ્પર્શ કરવા, ચરણ સેવવા, ચરણામૃત પીવું, ચરણના દાસ બનવું, ચરણકમળ, ચરણ ચાંપવા( દાબવા), વગેરે.</strong><br />
કેટલાક ભક્તો/ભક્તાણીઓ આવા સાધુ-સ્વામીઓની સેવા ચરણચંપી કરી કરતા હોય છે તો કેટલાક ચરણરજ માથે ચડાવતા જોવા મળે છે, કેટલાક ચરણ સ્પર્શ કરી પાણી વડે ચરણ ધોઈ ચરણામૃત ગણી પીનારા પણ જોવા મળે છે</p>
<p>આ ચરણ સ્પર્શ દ્વારા અહલ્યાનો પુનઃઉધ્ધાર ભગવાન રામે પોતાના ચરણ સ્પર્શ વડે કરેલો તેવું રામાયણમાં કહેવાયું છે. તો ભાઈ ભરતે રામ વનવાસમાં જતાં તેમની ચરણ પાદુકા સિંહાસન ઉપર પધરાવી અયોધ્યાનું રાજ રામની ગેરહાજરીમાં સંભાળેલું તેમ પણ રામયણમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત નરસિંહ મ્હેતાના ભજન “જળ કમળ છાંડી જાને બાળક”માં  “ચરણ ચાંપી, મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો” તેવો ચરણ ચાંપવા અર્થાત દાબવાનો ઉલ્લેખ મળે છે. આ લખતાં લખતાં એક ફિલ્મની લાઈન યાદ આવી ગઈ “પગ ઘૂંઘર બાંધ, મીરાં નાચી રે !” મોટે ભાગે ફિલ્મમાં અમિતાભ ઉપર ફિલ્માવાયુ છે !</p>
<p>આ રીતે પગની લાગણીનું શોષણ કરી, ભારેખમ ઉક્તિઓ બનાવી, કે ચરણ જેવા માન આદર ભર્યા છેતરામણા નામથી પોકારવાથી તેની ઉપેક્ષા મટી જતી ના હોય, મને ડર છે, કે આવનારા દિવસોમાં જો <strong>આપણાં શરીરના ઉપેક્ષિત પગને એસસી, એસટી કે ઓબીસી જેવો  દરજ્જો આપવાનું ટાળવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં પગ/ચરણને અનામતનો લાભ આપવો પડશે. જો તેમ નહિ કરાય તો સંભવ છે કે પગ/ચરણ અનામતનો દરજ્જો મેળવવા આંદોલનનો રાહ પણ અજમાવે ! </strong></p>
<br />Filed under: <a href='http://arvindadalja.wordpress.com/category/prakirna/'>Prakirna</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/arvindadalja.wordpress.com/1270/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/arvindadalja.wordpress.com/1270/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/arvindadalja.wordpress.com/1270/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/arvindadalja.wordpress.com/1270/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/arvindadalja.wordpress.com/1270/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/arvindadalja.wordpress.com/1270/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/arvindadalja.wordpress.com/1270/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/arvindadalja.wordpress.com/1270/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/arvindadalja.wordpress.com/1270/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/arvindadalja.wordpress.com/1270/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/arvindadalja.wordpress.com/1270/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/arvindadalja.wordpress.com/1270/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/arvindadalja.wordpress.com/1270/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/arvindadalja.wordpress.com/1270/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1270&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://arvindadalja.wordpress.com/2011/12/06/%e0%aa%aa%e0%aa%97%e0%aa%9a%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%8f%e0%aa%b8%e0%aa%b8%e0%ab%80-%e0%aa%8f%e0%aa%b8%e0%aa%9f%e0%ab%80-%e0%aa%95%e0%ab%87-%e0%aa%93%e0%aa%ac%e0%ab%80%e0%aa%b8%e0%ab%80/feed/</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/b05b403cfb79f21c2c0e63a623b1d940?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">arvindadalja</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>આટલી અમથી વાત&#8230;! &#8212;-  શ્રી વિનોદ ભટ્ટ</title>
		<link>http://arvindadalja.wordpress.com/2011/12/04/%e0%aa%86%e0%aa%9f%e0%aa%b2%e0%ab%80-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8b%e0%aa%a6/</link>
		<comments>http://arvindadalja.wordpress.com/2011/12/04/%e0%aa%86%e0%aa%9f%e0%aa%b2%e0%ab%80-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8b%e0%aa%a6/#comments</comments>
		<pubDate>Sun, 04 Dec 2011 11:15:41 +0000</pubDate>
		<dc:creator>Arvind Adalja</dc:creator>
				<category><![CDATA[Prakirna]]></category>

		<guid isPermaLink="false">http://arvindadalja.wordpress.com/?p=1265</guid>
		<description><![CDATA[દિવ્ય ભાસ્કરની 4, ડીસેમ્બર, 2011ની રવિ પૂર્તિમાં શ્રી વિનોદ ભટ્ટનો હાસ્ય કટાક્ષ લેખ તેમના અને ભાસ્કરના સૌજન્ય અને આભાર સાથે ! આટલી અમથી વાત&#8230;! &#8212;- શ્રી વિનોદ ભટ્ટ ડોક્ટરોની ટુકડીએ મંદિરમાં જઇ હાથીનું સફળ ઓપરેશન કરી પેટ સીવી પણ લીધું. ઓપરેશનનાં હથિયારો સાફ કરી યાદી સાથે મેળવી લીધાં. તમામ ઓજારોનો મેળ મળી ગયો. ત્યાં જ [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1265&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>દિવ્ય ભાસ્કરની 4, ડીસેમ્બર, 2011ની રવિ પૂર્તિમાં શ્રી વિનોદ ભટ્ટનો હાસ્ય કટાક્ષ લેખ તેમના અને ભાસ્કરના સૌજન્ય અને આભાર સાથે !</p>
<p><strong>આટલી અમથી વાત&#8230;! &#8212;-  શ્રી વિનોદ ભટ્ટ</strong></p>
<p>ડોક્ટરોની ટુકડીએ મંદિરમાં જઇ હાથીનું સફળ ઓપરેશન કરી પેટ સીવી પણ લીધું. ઓપરેશનનાં હથિયારો સાફ કરી યાદી સાથે મેળવી લીધાં. તમામ ઓજારોનો મેળ મળી ગયો. ત્યાં જ ડો. મહેતાએ ચિંતાથી પૂછ્યું: ‘ડો. શાહ કેમ દેખાતા નથી? મને લાગે છે કે આપણે ફરીથી મંદિરમાં હાથી પાસે જવું પડશે.</p>
<p>આ છાપાવાળાઓ તો જુઓ! એક નાની અમથી વાતનું કેવું વતેસર કરી નાખે છે! બનાવ અતિ, અતિ સાધારણ છે. આ ગઇ તે ૧૪મી નવેમ્બરે, બાળદિનની ઉજવણીના એક ભાગરૂપે અમદાવાદની એલ. જી. હોસ્પિટલના ત્રણ જુનિયર ડોક્ટરોએ હસતાં-રમતાં ને મોબાઇલ પર ગીતો સાંભળતાં નવ વર્ષના બાળકના ડાબા હાથનું ઓપરેશન સફળતાપૂર્વક કરી નાખ્યું ને તેમાં સળિયો પણ નાખી દીધો. ડોક્ટરોના પક્ષે વાર્તા પૂરી થઇ, પણ એમાં પેલો વિદેશી વાર્તાકાર ઓ. હેન્રી વચ્ચે આવી ગયો. </p>
<p>ટેવવશ તેણે વાર્તાનો અંત બદલી નાખ્યો. અંતમાં ચોટ લાવવાના લોભમાં દરદીનો હાથ બદલી નાખ્યો. ઓપરેશન જમણા હાથનું કરી તેમાં સળિયો ફિટ કરવાનો હતો પણ ડાબો હાથ હાથમાં આવ્યો એટલે ડોક્ટરોએ તેનું ઓપરેશન કરી તેને સાજો કરી દીધો. માંદો અથવા તો ફ્રેકચરવાળો હાથ તો હતો ત્યાંનો ત્યાં જ રહ્યો, સાજા હાથને બિલકુલ સાજો કરી આપ્યો અને આટલી અમથી વાતને લઇને છાપાવાળા કહે છે કે વગર ઓપરેશને એલ. જી. હોસ્પિટલનું નાક કપાઇ ગયું.</p>
<p>આમાં વાંક તો ખરેખર બાળક કૌશિકનાં મા-બાપનો જ ગણાય. શો વાંક, આવી હોસ્પિટલમાં સારવાર માટે બાળકને લાવ્યા એ? ના, એવું નથી, કોઇ પણ હોસ્પિટલમાં આવું બની શકે, અહીંની લગભગ તમામ જાહેર હોસ્પિટલ્સ આ પ્રકારની સારવાર આપવા સક્ષમ છે. બાળકને ઓપરેશન થિયેટરમાં લઇ જતાં પહેલાં બાળકના જે હાથનું ઓપરેશન કરવાનું હતું એ સિવાયના હાથના કાંડા પર લાલ દોરાની રાખડી કે નાડાછડી બાંધીને ડોક્ટરોની ટીમને મા-બાપે કહી દેવું જોઇતું હતું કે આ લાલ રાખડીવાળા હાથની આમન્યા રાખશો તો એ તમારા દાણા-પાણીનુંય ધ્યાન રાખશે. </p>
<p>જો તેમ થયું હોત તો પેલા ત્રણ જુનિયર-બાળુડા ડોક્ટરોને અન્ડરગ્રાઉન્ડ-પાતાળલોકમાં પેસી જવાના દહાડા તો ન આવત!એટલે કાળજી રાખવાની જવાબદારી ડોક્ટર કરતાંય દરદીના માથે વધારે રહે છે. મારા એક સ્નેહી ઓર્થોપેડિક સર્જન પાસે ગયા. ડાયાબિટીસને લીધે તેમને પગમાં ગેગરિંગ થઇ ગયું હતું, પગ કપાવવો પડે તેમ હતો. ડોક્ટરે કહ્યું:‘લાવો તમારો પગ. હા, જરા વધારે લાંબા કરો.’</p>
<p>‘ડોક્ટરસાહેબ, તમે મારો ખોટો પગ તપાસો છો, જે કાપવાનો છે એ ડાબો પગ છે.’‘ભલા માણસ, અત્યારે બોલ્યા એ રીતે ઓપરેશન વખતેય બોલજો પાછા, નહીં તો તમે ડોક્ટરનો જ વાંક કાઢશો.’ ડોક્ટરે કહ્યું.</p>
<p>*** *** *** </p>
<p>મોટાભાગના ડોક્ટરો માણસ પણ હોય છે એટલે માણસની પેઠે ડોક્ટર માત્ર ભૂલને પાત્ર હોય છે અને ભૂલકણા હોવાનો ઇજારો કંઇ એકલા પ્રોફેસરોનો જ નથી હોતો, ડોક્ટરો પણ ક્યારેક કશું ભૂલી જાય તો દરદીએ મોટું મન રાખીને જે તે ડોક્ટરને વગર માગે ક્ષમા આપી દેવી જોઇએ. ઉતાવળના કારણે તો ઘણીવાર એવરેજ માણસથીય ભૂલ થઇ જતી હોય છે&#8230; ડોક્ટરને એક નર્સના મેરેજ રિસેપ્શનમાં જવાનું હતું. ડોક્ટરની એ ધર્મની બહેન હતી. પહેલાં તો એ ધર્મની પત્ની થવાની હતી, પણ ગ્રહોએ ગરબડ કરી એટલે નસેg તેને રાખડી બાંધી દીધી. એ દિવસે તેના લગ્નના સત્કાર સભારંભમાં જવાની ઉતાવળ હતી. </p>
<p>એ છોકરીને લગ્ન નિમિત્તે આપવાનું કાંડા ઘડિયાળ ડોક્ટરના ખિસ્સામાંથી ભૂલમાં એક દરદીના ખુલ્લા પેટમાં પડી ગયું, ને ડોક્ટરને એનો ખ્યાલ પણ ના રહ્યો. ડોક્ટર ત્યાં ગયો ત્યારે ખબર પડી કે ઘડિયાળ ક્યાંક પડી ગયું છે. બહુ મગજ દોડાવ્યું, પણ યાદ જ ન આવે. પછી થયું કે લાવ દરદીના પેટમાં જોઇ લઉં, ઓપરેશન દરમિયાન કદાચ ત્યાં પડી ગયું હોય- એટલે પાછા દોડતા આવીને દરદીનું પેટ ખોલ્યું તો ઘડિયાળ તેના પેટમાં હતું એટલું જ નહીં, ચાલુ પણ હતું. </p>
<p>એ ઘડિયાળ જોતાં જ ડોક્ટર આનંદની ચિચિયારી પાડતાં બોલી ઊઠ્યો: ‘થેંક ગોડ, જો ઘડિયાળ અહીંથી ન મળ્યું હોત તો એ છોકરી મને જિંદગીભર માફ ના કરત’ અને ડોક્ટર દરદીને ‘આઇ એમ સોરી’ કહે ત્યાર પહેલાં ગદ્ગદ અવાજે દરદીએ કહ્યું કે ડોક્ટર સાહેબ, તમારે લગ્ન સમારંભના અધવચ્ચે દોડી આવવું પડ્યું એ બદલ દિલગીર છું. આવા સારા દરદીઓ હોય છે, ખરા.</p>
<p>અલબત્ત ડોક્ટરો સમૂહમાં હોય છે ત્યારે પોતાનું ભુલકણાપણું ભૂલવા માટે હૃદયપૂર્વક પ્રયાસ કરતા હોય છે. આ અંગેની એક જૂની-પુરાણી લોથલ જોક યાદ આવે છે&#8230; એક દિવસ અમદાવાદના જગન્નાથના મંદિરના એક હાથીના પેટમાં સારણગાંઠની તકલીફ ઊભી થઇ. વજનદાર હાથીને વી. એસ. હોસ્પિટલમાં લાવવાને બદલે ડોક્ટરોએ મંદિરમાં જઇને હાથીના હર્નિયાનું ઓપરેશન કરવું એવું નક્કી થયું. આ માટે સાત ડોક્ટરોની ટીમ તૈયાર થઇને બહાર પડી. ડોક્ટરોનો સ્વભાવ ભુલકણો હોય છે એ કારણે કેટલીકવાર દરદીના પેટમાં જ કાતર, છરી, નેપકિન ને એવું બધું રહી જતું હોય છે. આ કિસ્સામાં એવી ગફલત ન થાય એ માટે હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે જ સાથે લીધેલાં ઓજારોની યાદી પણ બનાવી લેવામાં આવી હતી.</p>
<p>ડોક્ટરોની ટુકડીએ મંદિરમાં જઇ હાથીનું સફળ ઓપરેશન કરી પેટ સીવી પણ લીધું. ઓપરેશનનાં હથિયારો સાફ કરી યાદી સાથે મેળવી લીધાં. તમામ ઓજારોનો મેળ મળી ગયો. ડોક્ટરો એ વાતે રાજી થયા કે ભગવાનની મહેરબાની કે કોઇ સાધન હાથીના પેટમાં રહી ગયું નથી. હોસ્પિટલની વાનમાં ડોક્ટરો ગોઠવાઇ ગયા. એમના ચહેરા પર પ્રસન્નતા હતી. ડ્રાઇવરે ગાડી ચાલુ કરી. ત્યાં જ ડો. મહેતાએ ચિંતાથી પૂછ્યું: ‘ડો. શાહ કેમ દેખાતા નથી? મને લાગે છે કે આપણે ફરીથી જગન્નાથના મંદિરમાં હાથી પાસે જવું પડશે.’</p>
<p>*** *** *** </p>
<p>ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને ભલે કહ્યું કે, આ બધું એ જ કરે છે, મારવા-જિવાડવાનો કોન્ટ્રાકટ એનો જ છે, હે પરંતપ, તું તો નિમિત્ત માત્ર છે. પેલા બાળકના કિસ્સામાંય બરાબર આવું જ થયું ને! ભગવાન શ્રીકૃષ્ણની સૂચનાથી જ ત્રણ જુનિયર-બાળ ડોક્ટરોએ બાળકના એકને બીજા-સાજા હાથનું ઓપરેશન કરી નાખ્યું, નિમિત્ત એ બની ગયા, બેકાળજી દાખવવાનો દોષ એમના કપાળે ચોંટ્યો ને હોસ્પિટલવાળાઓએ એમને નોકરી વગરના કરી દીધા-શ્રીકૃષ્ણની નોકરીને સહેજ પણ આંચ આવી? એમ ત્યારે.</p>
<p>*** *** *** </p>
<p>અને છેલ્લે, અમે પોઝિટિવ થિંકિંગના માણસ છીએને પોઝિટિવ થિંકિંગ એ કંઇ આજ-કાલની નવી વાત નથી, બુદ્ધકાલીન જેટલી જૂની છે. ગૌતમ બુદ્ધના પ્રિય શિષ્યની સ્ટાઇલમાં જણાવું તો ‘પ્રભો! એ જુનિયર ડોક્ટરોને હું ભલા જ ગણીશ, કેમ કે એ લોકોએ જે બાળકના હાથનું ઓપરેશન કરવાનું હતું તે હાથને બદલે બાળકના પગનું ઓપરેશન તો નથી કરી નાખ્યુંને!&#8230;’‘ </p>
<p>ઈદમ્ તૃતીયમ્, વિનોદ ભટ્ટ </p>
<br />Filed under: <a href='http://arvindadalja.wordpress.com/category/prakirna/'>Prakirna</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/arvindadalja.wordpress.com/1265/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/arvindadalja.wordpress.com/1265/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/arvindadalja.wordpress.com/1265/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/arvindadalja.wordpress.com/1265/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/arvindadalja.wordpress.com/1265/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/arvindadalja.wordpress.com/1265/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/arvindadalja.wordpress.com/1265/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/arvindadalja.wordpress.com/1265/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/arvindadalja.wordpress.com/1265/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/arvindadalja.wordpress.com/1265/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/arvindadalja.wordpress.com/1265/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/arvindadalja.wordpress.com/1265/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/arvindadalja.wordpress.com/1265/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/arvindadalja.wordpress.com/1265/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1265&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://arvindadalja.wordpress.com/2011/12/04/%e0%aa%86%e0%aa%9f%e0%aa%b2%e0%ab%80-%e0%aa%85%e0%aa%ae%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a8%e0%ab%8b%e0%aa%a6/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/b05b403cfb79f21c2c0e63a623b1d940?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">arvindadalja</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>;###   પોલિસ અધિકારીનું અવિવેકી અને અભદ્ર વર્તન&#8212;એક અનુભવ !!! ###</title>
		<link>http://arvindadalja.wordpress.com/2011/11/22/%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%aa%bf%e0%aa%b8-%e0%aa%85%e0%aa%a7%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%85%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%ab%87%e0%aa%95/</link>
		<comments>http://arvindadalja.wordpress.com/2011/11/22/%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%aa%bf%e0%aa%b8-%e0%aa%85%e0%aa%a7%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%85%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%ab%87%e0%aa%95/#comments</comments>
		<pubDate>Tue, 22 Nov 2011 17:16:50 +0000</pubDate>
		<dc:creator>Arvind Adalja</dc:creator>
				<category><![CDATA[Prakirna]]></category>

		<guid isPermaLink="false">http://arvindadalja.wordpress.com/?p=1259</guid>
		<description><![CDATA[મારાં વ્હાલા બ્લોગર મિત્રો, કેટલાક સમય થયાં નાદુરસ્ત તબિયતને કારણે બ્લોગ ઉપર નિયમિત રીતે કોઈ નવી પોસ્ટ મૂકી શકાતી નથી તો અન્ય બ્લોગર મિત્રોના લેખો પણ વાંચવા મૂડ આવતો ના હોય કોઈ માટે પ્રતિભાવ જણાવી શક્તો નથી હા, ક્યારે ક બ્લોગની મુલાકાત લેવા મૂડ જાગે અને કોઈ પોસ્ટ વાંચી “લાઈક” ઉપર ક્લીક કરી મારો પ્રતિભાવ [...]<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1259&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>મારાં વ્હાલા બ્લોગર મિત્રો,</p>
<p>કેટલાક સમય થયાં નાદુરસ્ત તબિયતને કારણે બ્લોગ ઉપર નિયમિત રીતે કોઈ નવી પોસ્ટ મૂકી શકાતી નથી તો અન્ય બ્લોગર મિત્રોના લેખો પણ વાંચવા મૂડ આવતો ના હોય કોઈ માટે પ્રતિભાવ જણાવી શક્તો નથી હા, ક્યારે ક બ્લોગની મુલાકાત લેવા મૂડ જાગે અને કોઈ પોસ્ટ વાંચી “લાઈક” ઉપર ક્લીક કરી મારો પ્રતિભાવ આપતો રહું છું. આ દરમિયાન જ મારો ઈ-મેલ એકાઉંટ સાથે પૂરેપૂરી એડ્રેસ બૂક હેક થઈ જતાં કોઈ પણ મિત્રોનો સંપર્ક સાધવો અતિ મુશ્કેલ બની રહ્યો. આખી એડ્રેસ બૂક રી બીલ્ટ કરવી ખૂબ કપરી કામગીરી ઉપરાંત સમય પણ માંગી લે  અને તે માટે  નાદુરસ્ત<br />
તબિયત અડચણ રૂપ બની રહે તે સ્વાભાવિક છે. આપ જે કોઈ મિત્રો આ પોસ્ટ વાંચવા બ્લોગની મુલાકાત લો તેમને હાર્દિક વિનંતિ કે આપની ઈ-મેલ આઈડી જરૂર જણાવતા જશો તો મને મારી એડ્રેસ બૂક રી-બીલ્ટ કરવામાં સરળતા રહેશે !તબિયત અંશતઃ સુધરી રહી છે ત્યારે તાજેતરમાં જ થયેલો <strong><em>“પોલીસ અધિકારીના અવિવેકી અને અભદ્ર વર્તન</em></strong>”નો અનુભવ મિત્રો વચ્ચે શેર કરવા આતુર હતો જેના પરિણામે આજે ફરી આપ સૌ મિત્રો માટે  બ્લોગ ઉપર આ નવી પોસ્ટ દ્વારા પદાર્પણ કરી રહ્યો છું આશા છે કે આપ સર્વેને પસંદ પડશે ! આપના પ્રતિભાવોની આતુરતા પૂર્વક રાહ જોઈશ.<br />
સ-સ્નેહ<br />
અરવિંદ</p>
<p><strong>###   પોલિસ અધિકારીનું અવિવેકી અને અભદ્ર વર્તન&#8212;એક અનુભવ !!! ###</strong></p>
<p>થોડા દિવસ પહેલાં મારાં પાસપોર્ટ્ના રીન્યુઅલ માટેની અરજી રજૂ કરવા અને સાથોસાથ અન્ય ઓરિજીનલ દસ્તાવેજોની ચકાસણીની કાર્યવાહી પૂરી  કરાવવા  પોલિસ સ્ટેશને રૂબરુ જવાનું થયેલું.  હું અંદાજે સવારે 10/45 વાગ્યે ત્યાં પહોંચ્યો ત્યારે મારા અગાઉ સાત-આઠ અરજદારો બેઠેલા હતા અને વધુ લોકોને બેસવાની સવલત ના હોય, એક અરજદારે મને વરિષ્ઠ નાગરિક ગણી પોતાની બેઠક ખાલી કરી મને બેસવા જણાવી પોતે ઉભા રહેવાનું પસંદ કર્યું. તેનો આભાર માની હું તેની જગ્યાએ બેઠો.. આ દરમિયાન જે અરજદારે મને જગ્યા આપેલી તે બાથરૂમ માટે ગયા અને પરત આવી ફરી પોતાની જગ્યાએ ઉભા રહ્યા. આ દરમિયાન બીજા બે-ત્રણ અરજદારો આવી ગયેલા  જેઓ પેલા અરજદારની બાજુમાં પણ તેમના આગળના ક્રમે ઉભા રહી ગયેલા. </p>
<p>થોડીવાર બાદ પોલિસ અધિકારી અરજદારો પાસેથી અરજીઓ સ્વીકારવા આવતા પ્રથમ ક્રમથી શરૂ કરી મારી પાસે આવતા પેલા અરજદાર કે, જેઓએ મને બેસવા જગ્યા આપેલી, તેઓ પોતાની અરજી મારાં ક્રમ પહેલા આપવા લાગ્યા જેથી પેલા અધિકારીએ તેમને ક્રમમાં આવવા જણાવતા તેઓએ કહ્યું કે, હું આ વડિલ પહેલાં જ આવેલો, મેં તો માત્ર તેમની મોટી ઉમર જોઈ, કોઈ જગ્યા બેસવા માટે ખાલી નહિ હોવાથી મારી બેઠક બેસવા આપેલ અને દરમિયાનમાં હું બાથરૂમ ગયેલો માટે મારી અરજી તેમના પહેલાં સ્વીકારવી જોઈએ. તેમની આ વાતને મેં અનુમોદન પણ આપ્યું અને તેઓની અરજી મારી પહેલાં સ્વીકારવા વિનંતિ પણ કરી, તેમ છતાં તેમની અરજી છેક છેલ્લે ક્રમે સ્વીકારી એટલું જ નહિ પણ<strong> “અહીં પોલીસ સ્ટેશનમાં કોઈ પ્રત્યે આવી ભલમનસાઈ/સારપ દેખાડી &lt;/strong</strong><strong>&gt;કોઈને પોતાની જ્ગ્યાએ બેસવા દેવાની કોઈ જરૂર નથી” </strong>તેમ  જણાવી અને ધરાર તેમની અરજી  ના જ સ્વીકારી અને <strong>બેહુદા શબ્દો વડે અવિવેકી </strong><strong>અને અભદ્ર વર્તન દાખવી </strong>પોતાની સત્તા અને હોદાનું બિભત્સ પ્રદર્શન કર્યું. આવા અવિવેકી પોલીસ અધિકારી સાથે વધુ વાદ-વિવાદમાં ઉતરવાનું મુનાસીબ નહિ લાગતા તે અધિકારીની જો હુકમી સ્વીકારી પરિણામે આ ભલા આદમીને વધારે સમય રોકાવાની ધરાર ફરજ પડી. </p>
<p>વક્ર્તા તો એ છે કે, ખરેખર તેમના પછી આવેલા અરજદારોની અરજી તેમના પહેલાં સ્વીકારાઈ અને માત્ર તેમના બાથરૂમ જવાને કારણે તેમની અરજી છેક છેલ્લા ક્રમે સ્વીકરાવામાં આવી અને આ રીતે તેઓને બમણી સજા પડી. સીનીયર સીટીઝન માટે કોઈ માન/આદર દર્શાવે તે આવા પોલીસ અધિકારીઓ સહન કરી શકતા નથી અને પોતાના હોદાની સત્તાનો રોફ માર્યા ફરતા રહે છે. આપણાં દેશમાં આવો વર્તાવ કરનારા આમ તો તમામ સરકારી/અર્ધ સરકારી  કચેરીઓમાં મળતા જ રહેતા હોય છે. કોઈ પણ બહાના હેઠળ લોકોના કામ કેમ વિલંબમાં નાખવા કે ટાળવા તેની દુનિયામાં હરિફાઈ રાખવામાં આવે તો આપણાં દેશના વડાપ્રધાનથી (વડાપ્રધાને એક કરતાં વધુ વાર જાહેરમાં કહ્યું છે કે હું લાચાર/મજબૂર છું ) માંડી છેક નીચેના કર્મચારીઓ વચ્ચે જ તમામ ઈનામો વહેંચાઈ જાય તે નિઃશંક છે ! </p>
<p>અલબત્ત આ સંસ્કાર કદાચ આપણી સંસ્કૃતિનો જ એક ભાગ હોય તેવો અનુભવ અવારનવાર જુદી જુદી જગ્યાઓએ થતો રહે છે. રસ્તા ઉપર ચાલતા જતા કે ચાલવા નિકળેલા સીનીયર સીટીઝન કે ડીસેબલ્ડને સહાય કરવાને બદલે<strong> “ઘરમાં બેઠા રહો”  “ઘણું ભોગવ્યું, હજુ શું બાકી છે ?”  “ધરાયા </strong><strong>નથી કે શું ?” </strong>તેવા ઉપાલંભો વારંવાર યુવાનો કે, જે ધૂમ સ્ટાઈલથી મોટર કે બાઈક ચલાવતા અને ચાલુ વાહને મોબાઈલ ઉપર વાંકી ગરદને વાતો કરનારા તરફથી સાંભળવા મળતા રહે છે. જાણે તેમના પરિવારમાં કોઈ વૃધ્ધ/વડિલ ના હોય કે, તેઓ પોતે જિંદગી ભર યુવાનીનો પટ્ટો લખાવીને આવ્યા હોય !</p>
<p>જ્યારે વિદેશમાં આથી તદન ઉલ્ટો વ્યવહાર જોવા મળે છે. ગમે તેટલી લાંબી લાઈન હોવા છતાં સીનીયર સીટીઝન કે ડીસેબલ્ડ માટે હંમેશા પ્રાથમિકતા આપી સૌથી પ્રથમ ક્રમે તેઓની અરજી કે અન્ય પ્રશ્નોનો હલ કરવામાં આવતો રહે છે. અને આ કોઈ સાંભળેલી કે વાંચેલી વાત નથી પરંતુ મારાં જાત અનુભવ ઉપરથી કહી રહ્યો છું.</p>
<p>મને દહેશત છે કે, પેલા અરજદાર સહિત આ પ્રસંગ નજરે જોનારા અન્ય લોકો શકય છે કે, ભવિષ્યમાં આ રીતે કોઈ પણ સ્થળે સીનીયર સીટીઝન કે ડીસેબલ્ડને પ્રાથમિકતા આપવાનું બંધ કરે ! </p>
<p><strong>સીનીયર સીટીઝનો કે ડીસેબલ્ડ તરફ તેમની શારીરિક મર્યાદાઓ તરફ સહાનુભુતિ પૂર્વક વિચારી તમામ સ્થળોએ પ્રાથમિકતા આપવાની સમજ આપણાં લોકોમાં ક્યારેય નહિ ઉગે કે શું ?</strong></p>
<br />Filed under: <a href='http://arvindadalja.wordpress.com/category/prakirna/'>Prakirna</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/arvindadalja.wordpress.com/1259/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/arvindadalja.wordpress.com/1259/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/arvindadalja.wordpress.com/1259/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/arvindadalja.wordpress.com/1259/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/arvindadalja.wordpress.com/1259/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/arvindadalja.wordpress.com/1259/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/arvindadalja.wordpress.com/1259/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/arvindadalja.wordpress.com/1259/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/arvindadalja.wordpress.com/1259/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/arvindadalja.wordpress.com/1259/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/arvindadalja.wordpress.com/1259/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/arvindadalja.wordpress.com/1259/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/arvindadalja.wordpress.com/1259/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/arvindadalja.wordpress.com/1259/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=arvindadalja.wordpress.com&amp;blog=4489521&amp;post=1259&amp;subd=arvindadalja&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://arvindadalja.wordpress.com/2011/11/22/%e0%aa%aa%e0%ab%8b%e0%aa%b2%e0%aa%bf%e0%aa%b8-%e0%aa%85%e0%aa%a7%e0%aa%bf%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%85%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%ab%87%e0%aa%95/feed/</wfw:commentRss>
		<slash:comments>14</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/b05b403cfb79f21c2c0e63a623b1d940?s=96&#38;d=identicon&#38;r=G" medium="image">
			<media:title type="html">arvindadalja</media:title>
		</media:content>
	</item>
	</channel>
</rss>
