Skip to content

લગ્ન સંબંધ પવિત્ર શા માટે ?

 

 

લગ્ન પવિત્ર સંબંધ શામાટે?

(1)દુનિયાના કોઈ પણ દેશમાં લગ્નને પવિત્ર સંબંધ ગણાવવામાં આવતો હોઇ તેવું જાણવામાં આવ્યું નથી સિવાયકે આપણાં એટલે કે હિન્દુસ્તાન/ભારત દેશમાં આપણી હિન્દુ સંસ્ક્રુતિમાં આ સંબંધને પવિત્ર સંબંધ ગણાવાયો છે તો એની પાછળ કોઇ તર્ક જરુર હોવો જોઈએ.તો તે શું હોઇ શકે?

 

(2)આપણે ત્યાં લગ્નની વિધિ ધાર્મિક ગણાય છે માટે આ સંબંધને પવિત્ર ગણ્યો હશે? કારણ આ વિધિ શરુ કરતા પહેલાં ગણેશનું પુજન કરવામાં આવેછે કે જેથી પરિવારના આ પ્રસંગ દરમિયાન કોઇ વિઘ્ન ના આવે અને પ્રસંગ આનંદથી ઉકલી જાય.આ સિવાય પણ અનેક પ્રકારની ધાર્મિક વિધિ કરવામાં આવતી હોઇ છે માટે આ સંબંધને પવિત્ર ગણાવ્યો હશે તેમ માનવા કે મનાવવામાં આવતું જણાય છે.

શું આજ માત્ર કારણ હોઈ શકે?

 

(3)ખૂબ ઉંડો વિચાર કરતા એક બીજો પ્ર્શન મનમાં ઉઠે છે કે લગ્ન એટલે શું?

માત્ર સ્ત્રિ અને પ્રુરૂષ વચ્ચેનો જાતિય સંબંધ કે જે પ્રજોત્પતિ માટે સ્થપાય?

પરંતુ ખૂબ ઉંડાણથી વિચારતા મને એવું લાગે છે કે પ્રુથ્વિની ઉત્પતિ થયા પછી કદાચ લાખો વર્ષો પછી જીવ સ્રષ્ટિ પેદા થઈ છે તેમ ભૂસ્તર શાસ્ત્રિઓ કહે છે અને તે દાવો વ્યાજબી ઠરાવવા અનેક પ્રમાણો આપે છે.

 

(4)એમ માનવાને પણ કારણ રહે છે કે પ્રુથ્વિ પેદા કર્યા પછી તેના ઉપર જીવ સ્રષ્ટિના સર્જન માટે ઇશ્વ્રરે બ્રહ્માને આદેશ આપી પ્રુથ્વિની શોભા વધારવા કહ્યુ હશે અને બ્રહ્માજી એ આ કામગીરી સંભાળી લઈ અનેક પ્રકારની જીવ સ્રુષ્ટિનું સર્જન શરૂ કર્યુ હોવું જોઈએ. કરોડોની સંખ્યામાં વિવિધ જાતના જીવ અને જંતુઓનું સર્જન કર્યા બાદ એક જ પ્રકારની કામગીરીથી થાકી અને કંટાળી જઈ બ્રર્હ્માજીએ ઇશ્વરની પ્રાર્થના કરી કે હે, પ્રભુ ,કાં તો આ કામગીરીમાં કોઈ ફેરફાર કરી મને રસ પડે કે જળવાઈ રહે તેવો કોઈ ઉપાઈ બતાવો અથવા કોઇ અન્ય

કામગીરી સોંપો. આ પ્રાર્થનાને સ્વિકારી ઇશ્વરે મનુષ્યનું સર્જન કરવા સૂચના આપી હશે.

એમ કહેવાય છે કે જીવ સ્રષ્ટિ પેદા થયા પછી પણ અનેક વર્ષો પછી મનુષ્ય જન્મયો હશે. સૌ પહેલાં મનુષ્ય તરીકે આદમ જન્મેલો તેવુ મનાય છે અને તેને આ પ્રુથ્વી ઉપર એકલાપણું લાગતું હોઈ તેણે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી કોઇ સાથીદાર આપવા વિનંતિ કરેલ અને તેની પ્રાર્થના સ્વીકારી ઈશ્વરે ઈવનું સર્જન કરેલું.

આ પહેલા તમામ જીવ સ્રષ્ટિ નું સર્જન્ કરવાનું કામ શ્રમ વિભાજનની નીતિને અનુસરી ઈશ્વરે બ્રહ્માજીને સોંપેલું.

 

(5)આપણે જોઈએ તો પ્રુથ્વી ઉપર અનેક પ્રકારની જીવ સ્રષ્ટિ અસ્તિત્વ ધરાવે છે.કદાચ કરોડોની સંખ્યામાં સંભવી શકે છે.આ તમામ જીવોને તેમની નિયત કરેલું આયુષ્ય હોયછે.

અને સમયે સમયે તેમના વંશ પેઢી દર પેઢી પેદા થતાં રહે તે જોવાની જવાબદારી બ્રહ્માજી એ નિભાવવાની રહેતી હોઈ તેઓશ્રીએ ભગવાન સમક્ષ રજૂઆત કરી હોવી જોઈએ કે આ કામગીરી અતી કઠિન હોઇ તેમજ એક જ પ્રકારની હોઈ –MONOTONUS- બની રહે છે અને જેથી અત્યંત કંટાળાજનક બની જતી હોઈ  તેઓશ્રીને કોઇ સહાયક મળવો જોઈએ કે જેથી આ કામગીરી બરાબર વ્યવસ્થિત અને નિયમિત રીતે ચાલી શકે કે જેથી પ્રુથ્વી ઉપર જીવ સ્રષ્ટિ યોગ્યરીતે વિહરી અને વિકસી પણ શકે.

ઇશ્વરે પણ શ્રમ વિભાજન માટેની માંગણી ઉપર વિચાર કર્યો હોવો જોઈએ અને અન્યો તેમજ બ્રહ્માજી પાસેથી પણ આ માટે સૂચનો માંગ્યા હોવા જોઈએ કારણ એક વાતતો બહુજ સ્પષ્ટ જ છે કે કરોડોની જીવ સ્રષ્ટિ ઉપર યોગ્ય નિયમન તથા તેની ઉત્પતિ જળવાઈ રહેવી જોઈએ જો તેમ ના થાય અને તો અનેક જાતનાં નવાં પ્રશ્નો પેદા થાય તેટ્લું જ નહિ પણ પ્રુથ્વિનું બેલેંસ તેમેજ હેતુ પણ ના જળવાઈ રહે પરિણામે શક્યછે કે પ્રુથ્વિનો સમય પહેલાં જ વિલય થઈ જાય.

 

(6)આથી  બ્રહ્માજી તેમજ અન્યો સાથે વિચાર વિનિમય કરી જીવ સ્રષ્ટિ બરાબર ફાલે ફૂલે અને વિકસે તે માટે શ્રમ વિભાજન કરવાનું સ્વિકારવામાં આવ્યું હોઈ શકે તેમ માનવાને કારણ રહે છે.

 

(7)હવે આ માટે કઈ યુક્તિ અજમાવવી કે જેથી જેના ઉપર આ કામગીરી નાખવામાં આવે તે તમામ રાજી ખુશીથી સ્વિકારી લે અને આ પ્રવ્રતિ કરવામાં તેનો ભાર ના લાગે પણ આનંદ મળે તે માટે અનેક પ્રકારના પ્રયોગો પણ ઇશ્ર્વરે કર્યા હશે.

 

(8)અનેક પ્રકારના પ્રયોગો બાદ તમામે તમામ જીવ સ્રષ્ટિમાં એક પ્રકારની એવી વ્રતિ મુક્વાનું નક્કિ કર્યુ  કે જે વ્રતિ અમુક સમયે જે તે જીવાત્મામાં એવી તો ઉત્તેજના પેદા કરે કે તે જીવ એમાં એવોતો પરોવાઈ જાય કે તે શું કરી રહ્યો છે તે પણ ઘડીભર ભૂલી જાય અને તે વ્રતિને સંપૂર્ણ્ આધીન થઈ જાય. અને નવા જીવોનું સર્જન  કરવામાં પ્રવ્રુત થઈ જાય અને જેનાથી તે આનંદવિભોર  બને અને સ્વર્ગિય આનંદની અનુભૂતિ મેળવે.

 

(9)આમ બ્રહ્માજીની વિનંતિને સ્વિકારી ઈશ્વરે તમામે તમામ પ્રુથ્વિ ઉપર રહેલી અને સર્જન્ કરેલી જીવ સૃષ્ટિમાં એક એવી રસી દાખલ કરવાનો વિચાર મુકયો કે જેથી જે તે જીવ્ પોતે જ પોતાની જાતી એટલે કે વંશ પેદા કરે ને આ રીતે પ્રુથ્વિ ઉપરની તમામે તમામ જીવ સૃષ્ટિ ટ્કી રહે.ફાલે ફુલે ને સમય જતા વિકાસ પણ સાધે અને સમગ્ર પ્રુથ્વિ ઉપર ફેલાઈ પણ જાય્.

 

(10)આ રસીમાં ટાઈમર પણ ગોઠવવામાં આવ્યો કે જે તે યોગ્ય સમયે જ અર્થાત પુખ્ત ઉંમરે પહોંચ્યા બાદ જ સક્રિય બને અને નર અને માદામાં એવી ઉતેજના પેદા કરે કે બંને પોતાનો વંશ વધારવા માટે આપો આપ જ પ્રવ્રુત થાય અને તે પ્રવ્રુતિમાં બંનેને આનંદ પણ મળે.

 

(11)આ રીતે ઈશ્વ્રરે પ્રથ્વિ ઉપર સર્જન ચાલુ રાખવાની કામગીરી બ્રહ્માજી પાસેથી પરત લઈ પ્રુથ્વિ ઉપર રહેલી તમામ જીવ સ્રષ્ટિને સોંપી દીધી તેમ માનવું રહ્યુ. અને વર્ષો થયા આ જ પ્રમાણે અનેક જીવ સ્રષ્ટિ પેદા થઈ પોતાનું અસ્તિત્વ ધરાવી રહી છે

હવે જો આપણે મનુષ્યવિષે વિચારીએ તો તમામ મનુષ્યોમાં તે સ્ત્રિ હોઈ કે પુરૂષ બંનેમાં વિજાતિય આકર્ષણ રોપવામાં આવ્યું છે જેથી બંને પુખ્તથતાં જ એક બીજા તરફ આપોઆપ એટ્લેકે કુદરતી રીતે જ પ્રક્રુતિદત આકર્ષાય છે અને સંતતિ પેદા કરવા જાતિય સંબંધ બાંધે છે અને એ રીતે પોતાનો વંશ આગળ વધારવા પ્રુવ્રુત થાય છે.

 

(12)મનુષ્યની ઉત્પ્તિથી જો ઈતિહાસ તપાસીયે તો માલુમ પડેછે કે શરૂઆતથી મનુષ્ય ટોળામાં રહેતો અને ટોળાના પુરૂષો અને સ્ત્રિઓ એક બીજા સાથે જાતિય સંબંધ ધરાવતા કે જે આજના સમાજમાં વર્જ્ય ગણાય છે. સમય જતાં એક ટોળાના પુરૂષો બીજા ટોળાની સ્ત્રિઓના અપહરણ કરીને કે બળજબરીથી પણ ભોગવવા લાગ્યા આમ કાળ ક્રમે જેમ જેમ બુધ્ધિનો તેમજ સમજનો વિકાસ થતો ગયો તેમ તેમ મનુષ્ય સમાજ માટે કેટલાક નિયમો પણ ઘડ્તો થયો.

 

(13)જેને આપણે સંસ્કૃતિના વિકાસ તરીકે ગણીએ છીએ.આમ ધીમે ધીમે મનુષ્યનો સર્વાંગી વિકાસ થતો ગયો તેમ તેમ પુરૂષ અને સ્ત્રિના સંબંધો વિષે પણ અનેક પ્રકારના નીતિ-નિયમો પણ રચવામાં આવતા ગયા અને સમય અને કાળની સાથે તેમાં આવશ્યક સુધારા પણ કરાતા ગયા.

ટોળામાં ટોળા દ્વારા થતા સ્ત્રિ અને પુરૂષોના સંબંધો ઉપર પાબંધી લાદવામાં આવી.એક જ વંશના સ્ત્રિ અને પુરૂષો વચ્ચેના જાતિય સંબંધો ઉપર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા. તેમ છતાં બહુ પતિ કે બહુ પત્નિત્વ ઉપર અંકુશ લાદવામાં લાંબો સમય ગાળો પસાર થયો તેવું મનુષ્યના વિકાસનો ઈતિહાસ વાંચતા જણાય છે.

 

(14)એક પતિ/પત્નિનો સંબંધ દુનિયાના લગભગ તમામે તમામ દેશોએ સમય જતાં સ્વિકાર્યો ઉપરાંત એકજ વંશના આ પ્રકારના સંબંધોનો પણ સમય જતાં ત્યાગ કરવા લાગ્યા.

 

(15)સ્ત્રિ અને પુરુષના આ પ્રકારના અર્થાત જાતિય સંબંધ વંશ વ્રુધ્ધિ માટે બંધાતા રહ્યા પરંતુ તે સંબંધનું કોઇ યોગ્ય નામ અપાયું ના હોઈ આવા સંબંધોને કેવીરીતે ઓળખાવવા તે પ્રશ્ન પ્રુથ્વિ ઉપર અલગ અલગ પ્રદેશ કે જ્યાં જયાં મનુષ્ય વસવાટ કરતો થયેલો ત્યાં ત્યાં ઉપસ્થિત થવા લાગ્યો હોવો જોઈએ.

 

(16)આથી તમામ દેશો અને જયાં જયાં માનવ વસવાટ કરતો હશે તે બધી જ જગ્યાઓએ પોત પોતની બોલી/ભાષામાં આ સંબંધને જાહેર કે અંગત રીતે ઓળખવા કે ઓળખાવવા કંઈ ને કંઈ નામ આપવાનું શરૂ થયેલ જણાય છે.

આ સંબંધ મુખ્યત્વે પ્રજોત્પતિ કરવા બંધાતો જણાય છે અને આ રીતે પ્રુથ્વિ ઉપર મનુષ્ય જાતિનું અસ્તિતવ જળવાઈ રહ્યુ જણાય છે.

 

(17)આપણો દેશ વેદો અને ઉપનિષદોથી તેમજ ઋષિ પરંપરાથી ઓળખાય છે.અને અનેક પ્રકારની ધાર્મિક્તા, ઈશ્વર પ્રત્યેની અનન્ય શ્રધ્ધા ધરાવનાર તરીકે આપણા લોકોની ઓળખ હજારો વર્ષોથી જાહેર છે.

 

(18)આપણા દેશમાં આ સંબંધને લગ્ન જેવું નામ આપવામાં આવ્યું.અને સમાજની જાહેરમાં સ્વીક્રુતિ માટે જે પણ પ્રુરૂષ અને સ્ત્રિ આવા સંબંધથી જોડાય તેનો સમાજની રુબરુમાં સમારંભ યોજવાનું વિચારાયું જણાય છે.

 

(19)આ સંબંધથી પ્રજોત્પાદન કરી પ્રુથ્વિ ઉપર મનુષ્ય જાતિને વિહરવા તથા વિકસાવવાનું આયોજન આપોઆપ થયા કરે તેવું ઈશ્વરે બહુજ સિફત અને યુક્તિ પુર્વક ગોઠવી કાઢુયું માનવાને કારણ રહે છે. કારણકે આવો લગ્ન સંબંધ બંધાયા પછી આ યુગલ જાતિય સંબંધ સ્થાપી પ્રજોત્પદનની જ મુખ્ય ભૂમિકા ભજવતા રહેછે.ઉપરાંત મનુષ્યનાં માનસમાં ઈશ્વરે એક એવી પ્રબળ ઈચ્છા મુકી છે કે તેને પોતાનો વંશ પેદા કરવાનું મન અને ઈચ્છા પાગલ પણા જેટલી થયા કરે.

 

(20)આપણો દેશ પરંપરાવાદી ઉપરાંત વેદ અને ઉપનિષદો તેમજ ઋષિઓથી અત્યંત પ્રભાવિત હોઈ આ સંબંધને ધાર્મિક ક્રિયાઓથી પણ અભિભૂત કરવામાં આવ્યો જણાય છે.આ સંબંધ બાંધતા સમયે અનેક ધાર્મિક ક્રિયાઓ કરવામાં/કરાવવામાં આવે છે,જ્યારે જો અભ્યાસ કરવામાં આવે તો અન્ય કોઈ દેશમાં આ સંબંધને ધાર્મિક્તા સાથે કે કોઇ પવિત્રતા સાથે જોડેલો નહિ જણાય તો માત્ર આ જ દેશમાં એવું તો કયું કારણ કે પરિબળ હોઇ શકે કે આ સંબંધને પવિત્ર ગણાવાયો છે?

 

(21)ખૂબ ઉંડો અને પ્રુથ્વિના સર્જંનથી માંડી મનુષ્ય જાતિના જન્મસુધી અને તેના વિકાસ સુધી તેમજ સર્જન કરતા રેવાની બ્રહ્માજી પાસેથી કામગીરી નો હાથ બદ્લો ઈશ્વરે કર્યો ત્યારથી વિચાર કરતાં મને એમ માનવાનું મન થાય છે કે સર્જન પછી તે માનવ જાતનું હોઈ કે અન્ય જીવ જંતુ કે પશુ કે પક્ષીનું હોઈ તે એક ઈશ્વ્રરી ક્રુત્ય છે અને ઈશ્વરે પોતા વતી દરેક યોનીમાં જન્મતા જીવ/જંતુ ,પશુ કે પક્ષી કે મનુષ્યમાં આ વ્રુતિ મુકી છે કે આપોઆપ દરેક યોનીમાં રહેલા જીવંત તત્વો અમુક સમયે પોત પોતાની યોની/જાતિમાં સર્જન કરવા પ્રેરાય અને આમ પ્રુથ્વિ ઉપર જીવંત સ્રુષ્ટિનું નિર્માણ નિયમિત રીતે ચાલ્યા કરે.

 

(22)આ તમામ વિચારોનું સંયોજન કરી એક સાથે વિચારતા આપણા ઋષિઓએ આ સર્જન કરવાની પ્રક્રિયાને ઈશ્વર્ વતી કરવામાં આવતી હોવાની સમજ પેદા કરી તે ક્રિયાને પવિત્ર ગણાવી છે તે એકદમ વ્યાજબી છે.દરેક જીવ જંતુ કે પશુ-પક્ષી કે મનુષ્યમાં આ વ્રુતિને ખુબજ સ્વાભાવિક ગણાવેલ છે અને તે વ્રુતિનું દમન કરી ઈશ્વરની આજ્ઞાનું પાલન નહિ કરનારને ઈશ્વરનો ગુન્હેગાર ગણાવ્યો છે.આમ આ સર્જન સમાજની શાક્ષીએ તથા તેના સ્વિકાર સાથે થતું હોવું જોઈએ અને એ માટે જ કદાચ આ સંબંધ શરુ કરવા સમયે અનેક પ્રકારની ધાર્મિક વિધિઓ પ્રયોજેલી હોવી જોઈએ કે જેથી આવા સંબંધ સ્વીકારનાર યુગલ પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી તથા નવા જન્મનાર બાળકોના ઉછેર વગેરેની ફરજો નિભાવવા પ્રત્યે ગંભીર રહે અને બરાબર બજાવે કારણ આ સંબંધ ઈશ્વરીય છે અને તેમના વતી નવું સર્જન કરેલું છે તે સભાનતા સતત રહેવી અનિવાર્ય ગણાવી જોઈએ.

 

(23)આમ મારાં દ્ર્ધ મત પ્રમાણે આ લગ્ન સંબંધને પવિત્ર ગણવામાં આવ્યો છે તે એક્દમ વ્યાજબી છે અને જે દેશોમાં આ સંબંધને માત્ર કરાર ગણાવાય્ છે ત્યાં પણ આ સંબંધ એ ઈશ્વ્રરીય ક્રુત્ય છે તેવી સમજ ફેલાવી આ સંબંધને પવિત્ર ગણાવાય તેમ સમજાવવા માટે ઝુબેશ ચલાવવી જોઈએ.

 

(24)અંતમાં સ્પ્ષ્ટ માનવું છે કે આ લગ્ન પ્રસંગ મનુષ્યના જીવનમાં આવતો એક ખુબજ અમૂલ્ય પ્રસંગ છે કે જે તેના જીવનનું આમુલ પરિવર્તન કરી આ સંબંધથી સીધી ઈશ્વર સાથે તાદાતમ્યતા સાધવી  શક્ય બનવાની સંભવિતતા ઉપસ્થિત કરે છે.

 

(25)ઓશોએ પણ તેમના પુસ્તક્ સંભોગથી સમાધિમાં કહ્યુ છે કે સંભોગની પરાકાષ્ટાની ક્ષણે માનવીનું મન વિચાર શૂન્યતાની અનૂભુતિ કરતું હોય છે.પછી ભલે તે ક્ષણની સમય અવધિ 1-2-કે 5 ક્ષણ માટેની જ હોઈ શકે.પરંતુ એક્વાત નિશ્ચિત છે કે  મનુષ્યનું મન  વિચાર શૂન્ય અવસ્થાએ પહોંચી શકે છે.અને આ અવસ્થાએ તે પરમ આનંદ-ઈશ્વરીય આનંદ-ની લાગણી અનુભવતો હોય છે. હવે આ  વિચાર શૂન્ય  અવસ્થાની (સંભોગમાં પ્રવ્રત થયા સિવાય્) આ ક્ષણની સમય અવધિ લંબાવી શકવા જો માનવી સમર્થ બની શકે તો ઈશ્વરની પ્રાપ્તિ અસંભવ નથી.

 

(26)એટ્લું જ નહિ પણ અદભૂત અનુભૂતિ થઈ શકે.સામાન્ય મનુષ્યો માટે આટ્લી ઊંચી કક્ષાએ પહોંચવુ કદાચ અસંભવ નહિ તો પણ અતિ કઠિન તો બની જ રહે.પરંતુ આ વ્રુતિનુ યોગ્ય રીતે સમન કરી યોગ્ય દિશામાં વાળી ઉર્ધ્વગામી બનાવી શકાય તો ઈશ્વરીય આનંદની અનુભૂતિ અવશ્યપણે મેળવી શકાય તેમ મારું માનવું છે

 

(27)હિન્દુ ધર્મની અખિલાઈથી અપરિચિત હોય તેવા દેશો અને સંસ્ક્રુતિના મનુષ્યો સર્જકતત્વમાં સંભોગ્ચેછામાં ઈશ્વિરીય અંશ હોવાનું કદાચ સ્વિકારી શકતા ના હોઈ,લગ્ન સંબંધને માત્ર ઔપચારીક સ્ત્રિ અને પ્રુરુષ વચ્ચેનો વિજાતિય સંબંધ ગણી કરાર જેવું સ્વરૂપ આપતા રહ્યા છે.જ્યારે હિન્દુ ધરમમાં ઈશ્વરત્વ સર્વ વ્યાપી છે અને એક માત્ર તત્વ છે કારણકે સમ્રગ સ્રુષ્ટિ એક માત્ર ઈશ્વરથી રચાયેલ છે અને માટે જ આ લગ્ન સંબંધને પવિત્ર ગણવામાં આવી રહ્યો છે.

 

(28)અર્થાત આ સ્થિતિને જો યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલવવામાં આવે તો આ સંભોગની ક્રિયા સર્જન માટે જ પ્રયોજવામાં આવતી હોઈ આ ક્રિયામાં પ્રવ્રુત થતાં યુગલો ઈશ્વર વતી સર્જન કરી રહ્યા છે તેવી  સમજ સાથે આ સંબંધને અર્થાત લગ્નને પવિત્ર સંબંધ ગણવો તે ખૂબજ યોગ્ય છે. અને તે માટે આપણા ઋષિઓ તથા વડ્વાઓ ખુબજ અભિનંદનને પાત્ર છે કે જે ઓએ આ સંબંધને પવિત્રતાનું નામ આપ્યુ અને પરિણામે આજ આ 21મી સદીમાં પણ અન્ય દેશોની સરખામણીમાં આપણાં દેશમાં લગ્ન જીવન નિષ્ફળ જવાની ટ્કાવારી અત્યંત ઓછી જોવા મળે છે કારણ સમાજનો મોટો વર્ગ લગ્નને પવિત્ર ગણે છે.હું માનું છું કે આપ પણ મારાં આ મત કે અભિપ્રાય સાથે સહમત થશો.

 

(29)આ અંગે તમામ વર્ગના લોકોનો અભિપ્રાય કે મત જાણવા ખુબજ આતુર છુ અને તેથી જે કોઈ આ વાંચે તે પોતાનો મત અવશ્ય જણાવે જેથી મને પણ કંઈ નવું જાણવા મળશે.

12 Comments leave one →
  1. Aashish Shah , Bharuch permalink
    January 23, 2012 6:22 am

    Respected sir,
    u r right , aaje aapna bharat des ma sanskrutini khubaj jarur che karan k boys ane girls banne ma sanskar jevu kai rahyu chej nahi. je khub dikhni vaat che. khas kari atyarni girls khubaj sanskar vagar ni hoy che tyare jarur che aava lekho dwara tevo ne aapni sankruti ane strini pavitrata vise janavanu.. tamaro khub khub aabhar k tame aa lekh lakyo bhagwan haju tamne aava lekh lakhvani shakti aape.

  2. July 14, 2011 10:38 am

    Ek pchi Be ane pchi Apne, aa badhani shkti ektra thay vishalatama ek bijane huf apine sfaltana margma pragti kri shke.Eke Hajaro pan kyare? jyare pame te vakhte,ghar ek vyktithi shobha nathi detu.Jma vadil ma bap bacha aa badhthi raliyamnu lage che ane je gharma Stri ane Purush baneni chahk nathi tya sump ke jump nathi.etle sathi ke mitra,dost je nam apo te.JYA VIVAH KE LGNA NE PVITRA STHAN CHE TYA VIVEK AROGY ANE RISPOSIBILITY CHE.

    • Arvind Adalja permalink*
      July 18, 2011 5:13 pm

      પુશ્પાજી
      બ્લોગની મુલાકાત અને પ્રતિભાવ માટે આભાર ! નેટ,પાવર અને અસ્વસ્થ તબિયતને કારણે જવાબ લખવામાં વિલંબ થવા બદ્લ દરગુજર કરશો ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

  3. Maulik patel permalink
    મે 25, 2011 6:19 am

    amane tamara vichar bahu sara lagya

    • Arvind Adalja permalink*
      મે 26, 2011 9:59 am

      ભાઈશ્રી મૌલિક
      આભાર મુલાકાત માટે અને પ્રતિભાવ માટે પણ ! ફરીને મુલાકાત લેતા રહેશો અને પ્રતિભાવ પણ જણાવશો. આવજો ! મળતા રહીશું !
      સસ્નેહ
      અરવિંદ

  4. Himu permalink
    December 30, 2010 5:59 am

    Khubaj saral shabdo ma aape lagna ni vyavastha, jaroorat ane bhavishya varnavyu chhe.

    Abbhar

  5. sushir bhatt permalink
    October 29, 2010 12:20 pm

    aap sree ae lagna vishe bahu j saras lakhel chhe.

  6. hirals permalink
    મે 10, 2010 3:12 pm

    અંકલ જો લગ્ન સંબંધ પવિત્ર છે તો પછી આપણાં સમાજે લીવ- ઇન તરફ શું કામ જવું જોઇએ? જેમણે સાથે રહેવું હોય તે લગ્ન કરીને એક-બીજાંનો દિલથી જીવનભર સાથ આપે તે વધુ યોગ્ય નથી?

    • મે 11, 2010 8:33 am

      હિરલજી
      લગ્ન સબંધ પવિત્ર ગણવાથી કે ગણાવવાથી આવનારા સમયમાં આવી રહેલું પરિવર્તન કોઈ અટકાવી શકે તેમ નથી. વળી લગ્નને માત્ર પવિત્રતાની મહોર મારી દેવાથી યુગલનું સહજીવન પ્રેમ અને સમજ પૂર્વકનું બની રહેશે તેની કોઈ ખાત્રી આપી શકાય ખરી ? આપણાં દેશ સીવાય અન્ય કોઈ દેશમાં લગ્નને પવિત્ર સબંધ ગણવામાં આવતો નથી માત્ર એક કરાર જેવો દરજ્જો આપવામાં આવે છે. આપણે ત્યાં પવિત્ર ગણવામાં આવવા પાછળ પણ વંશ વૃધ્ધિ માટે સ્ત્રી અને પુરૂષ પુખ્ત ઉમરના થતા જાતિય સબંધ બાંધે છે તેને કદાચ ઈશ્વર વતીનું કૃત્ય ગણવામાં આવતું હોય આ સબંધને પવિત્ર ગણાયો હોય તેવું મારું અનુમાન માત્ર છે એ વાસ્તવમાં હકિકત ના પણ હોઈ શકે ! બીજું જે તે સમયે દુનિયા બહુ મોટી હતી અને દેશ પરદેશ વચ્ચે કોઈ સંદેશ કે પ્રત્યાયન થતું નહિ હતું જ્યારે આજે ટેકનોલોજીએ દુનિયાને એક ગામડાં જેવડી નાની બનાવી દીધી હોય જે કોઈ વાત અહિ બને છે કે ત્યાં બને છે તે બીજી જ મિનિટે સારી દુનિયા જાણે છે ત્યારે અને આવનારા સમયમાં તો આ ઝ્ડપ અનેક ગણી વધવાની સંભાવના હોય ત્યારે એક દેશમાં બનતા બનાવો ની સીધી અસ્રર અન્ય દેશના નાગરિકો ઉપર થતી કોઈ રોકી નહિ શકે ! સમય સાથે જ દરેક મૂલ્યો-સંસ્કાર અરે નૈતિકતાના ખ્યાલો પણ બદલતા જ રહે છે ત્યારે આપણો દેશ કે દેશના લોકો આ અત્યંત ઝ્ડપથી બદલાતી સામાજિક પરિસ્થિતિથી કેવીરીતે અલગ રહી શકશે ? કેટલીક બાબતો આપણને ગમે કે ના ગમે સ્વીકારવી જ પડે છે ! હું ધારું છું કે આપ મારી આ વાત સાથે સહમત થશો !
      સ-સ્નેહ
      અરવિંદ

  7. tejas patel permalink
    December 20, 2008 11:24 am

    vah kaka khubaj saras vichar che aapni mahenat pan khubaj hashej
    pan lagan karva mate j dharm ni jarur pade che divorse mate to vakil j jove che aa pan vastvikta che ane sabandh lagan no hoy k bijo koy tene takava mate ni bhavna hoy to kadach koi dhram na sikka ni jarur j nathi
    baki j chale che te pan saru j che bija desho karta

  8. મધુકર માંકડ્ permalink
    December 14, 2008 1:11 pm

    લગ્ન પવિત્ર સંબંધ્ ગણીએ નહિ તો 100 કરોડની જનતા તેની કામના દબાવી બેઠી છે તે નર-નારી પશુ વર્તન કરે તેવી પૂરી સંભાવના છે. પવિત્રતાને કારણે કુટુંબ ભાવના ટકી છે.દાદા-દાદી,પુત્ર-પુત્રી પિતા-ભાઈ વગેરે સંબંધની વણઝાર ——— અને પ્રેમ-વ્યવહાર મદદ મુશ્કેલીમાંથી માર્ગ કાઢ્વો વગેરે લગ્નની પવિત્રતાની નીપજ છે. આજ વસ્તુ અમેરિકા-યુરોપ વગેરે પાશ્ચાત્ય દેશોમાં જડ અને મૂળને તોડે છે કારણકે લગ્ન સંબંધ એ માત્ર ક્ષણિક સુખ અને સ્વાર્થ અને સગવડ માટે છે તે પૂરુ થતાં છૂટા. સંતાનોની જવાબદારી પણ નહિ.- કારણ્ કે બેકારી ભથ્થુ કામ કરવાની સગવડતા. વધારામાં મનફાવે તે મોજ મજા અને પછી મનો વેદના-હતાશા. આ બધુ પણ લગ્ન સંબંધને મહત્વ્-પવિત્રતા એક ઉંચાઈ નહિ આપવાને કારણે છે. ભારતિય સમાજમાં લગ્ન પવિત્ર બંધન ને કારણે કુટુંબ ભાવના વિકસી છે તે હકિકત સ્વીકારવી પડે.

Trackbacks

  1. 2010 in review « અરવિંદ અડાલજાનો બ્લોગ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 79 other followers