Skip to content

જૈન સમાજનો સ્તુત્ય અને આવકારદાયી નિર્ણય

!!!!! જૈન સમાજનો સ્તુત્ય અને આવકારદાયી નિર્ણય !!!!!

હમણાં તાજેતરમાં જ અખબારો દ્વારા જાણવા મળ્યું કે રાજકોટ મુકામે જૈન સમાજના ચારેય ફીરકાઓની બેઠક મળી હતી. જેમાં લગ્ન પ્રસંગોમાં થતા રાત્રિ ભોજન સમારંભો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નિર્ણય અનુસાર રાત્રિ ભોજન ઉપર પ્રતિબંધ માટે પ્રચાર ઝુંબેશ શરૂ કરવા માટે એક કમીટી પણ રચવામાં આવી હતી.

* આ મિટિંગમાં દિલ્હી,મુંબઈ,મદ્રાસ અને અમદાવાદમાં લગ્ન પ્રસંગોએ રાત્રિ ભોજન ઉપર પ્રતિબંધ મૂકીને ખોટા લાઈટ અને ડેકોરેશન સહિત અન્ય ખર્ચાઓ નિયંત્રિત કરવા અને સુક્ષ્મ જીવહિંસા બંધ કરવા માટે જે પ્રવૃતિ ચાલે છે તેને રાજકોટના ચારેય ફીરકાના આગેવાનોએ સ્વીકાર્યો હતો અને આગેવાનોએ જણાવ્યું હતુ કે રાજકોટના 80 હજાર પરિવારો આ નવી કેડી કંડારવા પ્રતિબધ્ધ છે અને રાત્રિ ભોજન આરોગ્ય્માટે પણ હાનિ કરતા છે. જીવહિંસા પ્રેરક છે તેમજ લાઈટ ડેકોરેશનના ખર્ચાઓને પ્રોત્સાહિત કરે છે. આ બધા ઉપર નિયંત્રણ મૂકવા રાત્રિ ભોજન બંધ કરવાનું સ્વૈચ્છીક રીતે નક્કી કર્યું છે.

* જૈન સમાજ નો આ નિર્ણય ખરેખર ખૂબજ અભિનંદન તેમજ ધન્યવાદને પાત્ર છે.આ નિર્ણય અન્ય જ્ઞાતિના લોકો માટે પણ ઉદાહરણ રૂપ અને અનુકરણીય બની રહેવો જોઈએ. જૈન સમાજનું આ પગલું પશંસનીય તો છે જ પરંતુ આ સમગ્ર સમાજ માટે દૂરગામી અસર ઉપજાવનારું પણ બની રહેવાની તમામ સંભાવનાઓ ધરાવે છે. ખાસ કરીને સમાજના મર્યાદિત આવક વાળા તથા નીચલા સ્તરના સમાજના લોકો કે જેઓ આવા પ્રસંગે સહુ સાથે રેહવા માટે ગજા ઉપરાત ખર્ચ કરી કરજમાં ડૂબેલા રહે છે તે સૌ માટે આ નિર્ણય આશીર્વાદ બની રહેવો જોઈએ.

* સમાજના તમામ વર્ગે જૈન સમાજના આ પગલાંની માત્ર પ્રશંસાથી અટકી નહિ જતાં પોતાની જ્ઞાતિઓમાં પણ આવા સમય લક્ષી સુધારા માટે આગળ આવવું રહ્યુ. જૈન સમાજે આ સુધારાની આગેવાની લીધી છે તો તેઓએ પણ આ અને આવા હેતુ લક્ષી સુધારા સમાજનો દરેક વર્ગ સ્વીકારે તેવા સંનિષ્ઠ પ્રયાસો કરવા રહ્યા.

* આપણાં દેશના નેતાઓ તથા ઉધ્યોગપતિઓ તેમજ અગ્રણી વ્યાપારીઓ સર્વે એક મતે કહે છે કે આપણૉ દેશ આવનારા આગામી 10 વર્ષોમાં સુપર પાવર બનવા જઈ રહ્યો છે ત્યારે અને સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઉપરોક્ત તમામ ક્ષેત્રોમાં જૈનો અગ્રણી રહ્યા છે. ત્યારે અને જ્યારે હવે આ જાતના પ્રગતિશીલ પગલા દ્વારા પહેલ કરી મશાલચી બની સમ્રગ દેશને એક નવી દિશામાં દોરી જવાની તેમની ફરજ નહિ પણ પવિત્ર કર્ત્વય બની રહેવું જોઈએ..

* આપ સૌ જાણો છો અને આપણો સૌનો રોજ-બરોજનો અનુભવ છે કે આપણાં દેશમાં ખાદ્ય ચીજ-વસ્તુઓમાં જેટલી ભેળ્-સેળ થાય છે તેટલી કોઈ દેશમાં થતી નથી. ઉપરાંત તોલ્-માપમાં પણ જેટ્લી ગરબડ થાય છે તેટ્લી કોઈ દેશમાં થતી નથી. જે દેશોમાં 90% પ્રજા માંસાહારી છે ત્યાં પણ ખાદ્ય ચીજો એક્દમ શૂધ્ધ મળે છે એટ્લું જ નહિ પેકીંગ ઉપર તે ચીજ શામાથી બનાવેલ છે તેની સંપૂર્ણ વિગતો સાથે ઉત્પાદન અને વાપરવાની આખરી તારીખ સૌને સહેલાઈથી વાંચી શકાય તે રીતે કિમંત સહિત પ્રસિધ્ધ કરવામાં આવે છે.

* આપણાં દેશને જો ખરેખર સુપરપાવરની કક્ષામાં લાવવો હોઈ તો આપણે પણ વિશ્વના અન્ય દેશોની કક્ષામાં આવવું જ રહ્યુ અને તે માટે જૈન સમાજે આગેવાની લઈ મહત્વનો સંદેશ સમગ્ર દેશના ઉધ્યોગપતિઓ, વ્યાપારીઓને આપવો જ રહ્યો.અને ખાસ કરીને જે જૈન ઉધોગપતિઓ અને વ્યપારીઓ આ જાતના વેપાર ઉધ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોય્ તેઓએ તો આ બાબતમાં અગ્રેશર બની રહેવું રહ્યુ કારણ કે ખાદ્ય પદાર્થમાં થતી ભેળ્-સેળ તો મનુષ્યના જીવનને જોખમમાં મૂકી દે છે.અને સૂક્ષ્મ હિંસા નહિ જ પરંતુ કયારે ક સુધારી ના શકાય તેવું માણસને નુકશાન કરે છે.

* આ ઉપરાંત આપણા દેશમાં ગંદ્કી સમગ્ર નાગરિકોને એટ્લી તો કોઠે પડી ગઈ છે કે સ્વચ્છતાની આપણને ખબર છે કે નહિ તે વિષે શંકા ઉદભવે. ગંદકીને કારણે અનેક પ્રકારનો રોગ ચાળો ફાટી નીકળે તે આપણે સૌને નવાઈ લાગતી નથી. તેના કારણે થતી જીવાતોની હિંસા કદાચ માંસાહારી દેશોમાં ખોરાક માટે થતી હિંસાથી પણ વધારે માત્રામાં આપણે ત્યાં થતી રહે છે અને તેને આપણે ક્યારેય ગંભીરતાથી જોવાની દ્રષ્ટિ કેળવી નથી કે કોઈ સાધુ-સંતોએ આ વિષે ટ્કોર કરી. અરે દિવસના કે રાત્રિના કોઈ પણ સમયે યોજાતા ભોજન સમારંભોના સ્થળે પણ એટ્લો ગંદવાડ એક્ઠો થતો હોય છે અને જે દિવસો સુધી સફાઈ પણ થતો હોતો નથી..સાધુ-સંતોના યોજાતા 2/4 દિવસો કે સપ્તાહના વ્યાખ્યાનો દરમિયાન જે સમૂહ એકઠો થતો હોય છે તે આવા સ્થળની આસપાસ કેટ્લી ગંદ્કી કરે છે તે આપણે સૌ અને સાધુ-સંતો પણ જાણતા હોવા છતાં ક્યારેય કોઈ ટ્કોર કરી આવી ગંદ્કી નહિ કરવા જણાવતા હોતા નથી. પોતાનું આંગણું સાફ કરી કચરો પડોશીના આંગણાંમાં ઠાલવી દેવો કે જાહેર રસ્તા ઉપર ફેક્વો તે જાણે આપણાં સંસ્કાર અને ઓળખ બની રહ્યા છે અને જે માટે આપણે કોઈ શરમ કે ક્ષોભ અનુભવતા નથી. જાણે ગંદ્કી સાથે જ રહેવું તે આપણી જીવન પધ્ધ્તિ ના હોય ? ક્યારે ક તો શંકા થાય કે અહીં જન્મતા માનવીઓ ગયા જન્મમાં ભૂંડ હોવા જોઈએ કારણ કે ભૂંડ એવું પ્રાણી છે કે તે ગંદ્કી વગર જીવી શક્તું નથી.

* ઘોંઘાટ પણ આપણી લાક્ષણિકતા બની રહી છે.કોઈ પણ પ્રસંગ હોઈ અને જો આપણે તે ઘોંઘાટ કર્યા સિવાય ઉજવીએ તો જાણે કંઈક ખૂટતું હોય તેવું લાગે છે.આપણે ક્યારેય આજુબાજુના લોકોની અગવડ્તાનો વિચાર કરતાં નથી.શક્ય છે કે બાજુમાં જ કોઈ માંદુ હોઈ શકે કે વિધાર્થી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હોય અને આવા બધાને આપણો ઘોંઘાટ- ખલેલ પહોંચાડી રહ્યા હોઈએ .પણ આપણે તો આપણી ધૂનમાં મસ્ત રહી એ છીએ.ઘોંઘાટ પણ હિંસા નોતરે છે તેવી સમજ ક્યાં લેવા જવી કેમ ?

* ગિર્દી આપણુ અન્ય વિશિષ્ટતા ધરાવતું લક્ષણ છે. કમભાગ્યે કોઈએ આપણને શિસ્ત શીખવી જ નથી અને એટ્લે જ્યાં પણ સમૂહ એકઠો થવાનો હોય ત્યાં કતારમાં વારા ફરથી જવા માટેની આપણી ધીરજ રહેતી નથી પરિણામે ધક્કા-મુક્કી કરી પ્રથમ જવાની જાણે હોડ લાગે છે.આવા પ્રસંગો જમણ માટે હોઈ કે કોઈના દર્શન માટે હોય કે અન્ય પ્રસંગો હોઈ પણ ગિર્દી કરવી અને પરિણામે કેટ્લીક વાર આવી ભીસાંભીસ/ધક્કા મુકીથી અનેક મનુષ્યો દબાઈ/કચડાઈને મૃત્યુ પામે છે અને પછી આપણે રડા રોડ કરી મેલીએ છીએ તે કેટ્લું વ્યાજબી છે ? અને આવુંતો વારંવાર બનતુ રહે છે અને આપણે જાણે સંવેદનહીન બની ગયા હોઈએ તેમ થોડા સમયમાં આવા બનાવો ભૂલી જઈએ છીએ.

* ઉપરોક્ત દર્શાવેલ ગંદ્કી, ઘોંઘાટ અને ગિર્દી પણ જે હિંસા પેદા કરે છે તે અટ્કાવવા પણ જૈનોએ જ પહેલ કરવી રહી. આ વિષે અગ્રતા નક્કી કરવી રહી અને સૌ પ્રથમ તો ખાધ્ય ચીજ-વસ્તુઓમાં ભેળ-સેળ અટ્કાવી મનુષ્યના જીવન સાથે થતાં ચેડાં બંધ કરાવાને પ્રથમ અગ્રતાક્રમએ મૂકવં રહ્યું.મને વિશ્વાસ છે કે જૈન સમાજ આ બાબતની ગંભીરતા બરાબર સમજે છે અને તે વિષે આગેવાની લઈ સમગ્ર સમાજને નવો માર્ગ ચીંધશે.

* જ્યારે જૈન સમાજે એક થઈ પોતાના સમાજ માટે નવો માર્ગ ચૂટ્યો છે ત્યારે આજ માર્ગ ઉપર સમાજનો અન્ય વર્ગ પણ આકર્ષાય તેવા કદમ ઉથાવી મશાલચી બની રહેવું રહ્યું.

* એક એવા સમાચાર પણ વાચવામાં આવ્યા કે જૈન સમાજ એવું માનવા લાગ્યો છે કે જૈન સંઘમાં ચિંતાનું વાતાવરણ પેદા થયું છે અને આ સંકટોમાંથી સંઘને બહાર લાવવા સંવત 2065ના માગશરમાસમાં દેશના લગભગ 10000 જિનાલયોમાં મહાભિષેકનું ભવ્ય આયોજન પહેલી વખત કરવામાં આવી રહ્યું છે.અને આ આયોજન પાછ્ળ અંદાજે રુપિયા 10 કરોડનુ ખર્ચ થશે. અને એવું પણ કહેવાય છે કે આ તમામ ખર્ચ એક જ જૈન શ્રેષ્ઠી કરી રહ્યા છે. જયારે આવા ધર્મના નામે ખર્ચ થતા હોઈ ત્યારે એ વિષે કોઈ ટીપણી કરે તો ધાર્મીક લાગણી દુભાઈ જતી હોય છે. તેમ છતાં આવા ધાર્મિકતા સાથે સંકળાયેલા પ્રસંગોનું ખર્ચ એક જ વ્યક્તિ ઉઠાવાની જવાબદારી સ્વૈચ્છિક રીતે લેવાનુ સ્વીકારે ત્યારે તેમને સમગ્ર સમાજે બિરદાવવા જોઈએ અને ધન્યવાદ પણ આપવા જોઈએ. જેથી સમાજના આવા વર્ગના લોકોને એક સંદેશો મળી રહે અને તેઓ પણ સમય સમયે સમાજના હિત અને કલ્યાણ માટે હાથ ધરાતી પ્રવૃતિ માટે આગળ આવવા પ્રેરાય.

* જૈન સમાજના ઉચ્ચાશને બિરાજતા સંતો અને વડાઓએ આવા દાન સ્વીકારવા સમયે અને જ્યારે આ દાન ધાર્મિક વિધિઓ જેવી કે મહાભિષેક કે મંદિરો બનાવવા વગેરે કાર્યો માટે વપરાવાનું હોય ત્યારે દાનની રકમ દાની પોતાની કઈ પ્રવૃતિમાંથી મેળવી આ દાન આપી રહ્યા છે તે પણ જાણવું અત્યંત આવશ્યક મનાવું જોઈએ કે જેથી આ કરવામાં આવતી વિધિઓથી ક્યારેક ઉભા થતા વિપરીત પરિણામથી બચી શકાય. ઘણીવાર આપણે અનુભવ્યું છે કે ખૂબ શ્રધ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવેલી વિધિઓનું ધાર્યું પરિણામ આવવાને બદલે ઉલ્ટું નુકશાન કરે તેવા પરિણામો આવે છે અને પરિણામે આપણે શ્રધ્ધા ગુમાવી બેસીએ છીએ. શક્ય છે કે આમ વિપરીત બનવાનું કારણ આ વિધિ પાછ્ળ ખર્ચવામાં આવેલ રકમ કોઈ એવી અનીતિ કે ગેરરીતિ મારફત મેળવાય હોઈ અને જેની આપણને જાણ ના હોય્

* આથી મારુ તો સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ પ્રકારની સામૂહિક કલ્યાણ માટે કોઇ પણ રકમ દાન સ્વરૂપે આપવા કોઈપણ વ્યક્તિ ઈચ્છે ત્યારે આ રકમ ક્યા પ્રકારની પ્રવૃતિમાંથી મેળવાઈ છે તે સ્ત્રોત્ર જાણવું ખૂબ જ જરૂરી ગણાવું જોઈએ. આ વાત એક નાના દ્ષ્ટાંત દ્વારા સમજાવાની કોશિશ કરું છું અને મને વિશ્વાસ છે કે આપ સૌ મારી વાત સાથે સહમત થશો. આપ જાણો છો કે આપનો પૂત્ર/પૂત્રી માસિક રૂપીયા 15000/- ક્માય છે અને અચાનક એક મહિને તે/તેણી રૂપીયા500000/- પાંચ લાખ આપના હાથમાં આપે છે.આ સંજોગોમાં સૌ પ્રથમ આપનો પ્રતિભાવ શું હશે ? આટ્લી મોટી રકમ ચૂપચાપ સ્વીકારી લેશો ? કે તેને પૂછ્શો કે કોઈ બઢ્તી મળી કે કોઈ લોટરી લાગી કે કોઈ ઈનામ મળ્યું કે જુગારમાં કમાયા ? કે કોઈ ચોરી કે લૂંટ કરી ?

સ્વાભાવિક છે કે પરિવારના વડા તરીકે જ્યાં સુધી આ રકમનું સાચું સ્ત્રોત્ર નહિ જાણવા મળે ત્યાં સુધી તમારુ પ્રેસર વધી જશે અને અનેક જાતની સાચી-ખોટી શંકા-કુશંકા કર્યા કરશો. આ વાત તો માત્ર એક વ્યક્તિ પૂરતી મર્યાદિત છે જ્યારે સામૂહિક કલ્યાણ માટે જે રકમ દાન સ્વરૂપે મળતી હોય ત્યારે જો તેનું સ્ત્રોત્ર જાણ્યા વગર સ્વીકારાય તો અલબત્ત તેનુ કોઈ સારું અને ધારેલું પરિણામ ના જ મળે અને એટ્લે જ એમ કહેવાય છે કે અન્ન્ન તેવો ઓડ્કાર અને આથી હું દૃઢ રીતે માનું છું કે કોઈ પણ સમુદાયના સંઘપતિઓ કે સાધુ-સંતોએ દાન સ્વીકારતા પહેલાં રકમ કેવી પ્રવૃતિ દ્વારા મેળવાય છે તેની ચકાસણી કરવી જ જોઈએ અને બાદ જ આવી રકમનો સ્વીકાર થવો જોઈએ અને સામુહિક હિત કે કલ્યાણ માટે વાપરવા માટે સહમતિ અપાવી જોઈએ

* મોટી રકમ માટે કીર્તિ દાન આપનારા દાનવીરે આ ધન રાશી કયા ધંધા કે ઉધ્યોગ દ્વારા મેળવી છે તે જાણ્યા સિવાય રકમ સ્વીકારી લેવી તે તો કદાચ ભવિષ્યમાં સમાજનું અહિત કરનારું પણ નીવડી શકે.

* અને જ્યારે આજે જૈન સમાજ એકી અવાજે સમયોચિત સુધારા કે પરિવર્તન માટે સંકલ્પીત થયો છે અને તે દિશામાં દીવાદાંડી બની રહી દાનમાં આપવામાં આવતી રકમનું સ્ત્રોત્ર જાણવામાં પણ પહેલ કરી સમગ્ર સમાજને-જૈન સિવાયના ધર્મો/સંપ્રદાયોમાટે પણ – એક નવી કેડી કંડારી આપી મશાલચી બની સત્યના માર્ગે દોરશે એવી અભ્યર્થના


13 Comments leave one →
  1. February 26, 2012 1:11 pm

    અરવીંદભાઈ કેમ છો તબીયત સારી હશે ? તમારો લેખ વાંચ્યો ઘણો સુદર લેખ છે.

  2. DHYAN permalink
    December 7, 2010 2:19 pm

    वास्तविक धार्मिक व्यक्ति वही है, जिसने सब धर्म छोड़ दिये हैं, जिसका अपना कोई धर्म नहीं है। और इस भांति धर्मो को छोड़कर वह ‘धर्म’ हो जाता है। मुझसे लोग पूछते हैं कि मैं किस धर्म का हूं? में कहता हूं कि मैं धर्म का तो हूं, पर किसी ‘धर्म’ का नहीं हूं। धर्म भी अनेक हो सकते हैं, यह मेरी अनुभूति में नहीं आता है! विचार भेद पैदा करते हैं, पर विचार से तो कोई धर्म में नहीं पहुंचता है। धर्म में पहुंचना तो निर्विचार से होता है और निर्विचार में तो कोई भेद नहीं है। समाधि एक है और समाधि में जो सत्य ज्ञान होता है, वह भी एक ही है। सत्य एक है, पर मत अनेक हैं। मतों की अनेकता में जो एक को चुनता है, वह सत्य के आने के लिए अपने ही हाथों द्वार बंद कर देता है। मतों को मुक्त करो और मतों से मुक्त हो जाओ और सत्य के लिए द्वार दो

  3. ashok gandhi permalink
    February 6, 2010 5:11 pm

    dan mate tax chori karo avu ghana loko kehta hoi che, jo tame praminik pane tax bharso to sarkar atle ke ajna na netoa jalsa j karse to aa shu sachu kehvya?

    • arvind adalja permalink*
      February 8, 2010 5:31 pm

      શ્રી અશોકભાઈ
      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી આભાર ! જીવનમાં દરેક ક્ષેત્રે પ્રમાણિક રેહેવું જોઈએ તેમ હું મકક્મ રીતે માનું છું. કોઈ પણ ક્ષેત્રે અપ્રમાણિક કે ખોટું કરવાની ટેવ પડે તો તે સમગ્ર જીવન ઉપર વિપરીત અસર કરેજ જે નિઃશંક છે. ટેક્ષ ભરવાની વાત હોય કે અન્ય કોઈ તે વિષે કોઈ વિવેક બુધ્ધિથી નહિ વિચારે પણ પોતાને કેટલો અને ક્યાં ફાયદો થશે તે જ વિચાર કરશે ! અને બાદમાં ખાધ્ય ચીજ-વસ્તુઓમાં કે પીણામાં દવા-ઔષ્ધીઓમાં પણ ભેળસેળ કરી વધુ અને વધુ કમાવાની લાલચમાં પડી જશે ! અને આ ટેવ અંત હીન છે ! અસ્તુ ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

  4. hiral permalink
    January 5, 2010 4:07 pm

    Jain, Patel, Bhramin, Vaishnav, Islam, etc..
    every where the lesson is same: sara bano, manas bano, saru vicharo ane koine dukhi na karo..every mythology explains karma theory and importance of soul (living being).
    (in one form or anothere lesson is same.)

    but still we fight for community and don’t implement the basic phylosophy for higher merits for our own..

    Your points are valid here. There are more Hinsa (violence) then late night eating…..but people will not implement new kharda togather. they will just go blindly for what rituals are there in their community. (I am a stict Jain…Many things I personally admire in Jainism…But basic phylosophy is don’t hurt anyone (by thought, action or deed : you could explain your points in a better way for more clarity while reading)

    Nice to read yr thoughts.

  5. June 24, 2009 1:00 am

    koi pan dharm vishe kai kahevu j barobar nathi..badhe baju gnadvaad che j…koi pan ek vat nu vatesar kari ne hobalo machaavvo ena karta samji ne koi pan kam thay to shu khotu..jo jain loko ne sanj nu bhojan bandh rakhvu hatu to thik che rakhe pan potani samjan thi kare to.. sachchu…karan shu tya jami chukela o ratna nahi jamta hoy?? shu vahelu patavathi kai kharcha ma farak padiyo hashe ?/ na kharcho to etlo j thay che..shu light bandh rakhi hashe divas na time ma..ane emni baldikshaa nu shu ?? java dyo charchaa karvaa besiye to divso viti jay..
    haveli panth ma juo ..hu je haveli ma darshan karva jati hati tyana bavashree na dikra nu yagnopavit hatu..lakho re no dhumado thayo hato…ane vaishnvo pagalo ni jem paisa kharche ..emni pachad..kutumb ma koik heran hashe enu ghar nahi bhari aapta hoy..
    aa badhi charchaa o j paya vagar ni che..kai badlavanu nathi…

  6. મધુકર માંકડ્ permalink
    December 14, 2008 9:50 am

    તમારા દરેક મુદા સચોટ છે અને ભારતીય સમાજ દરેક ધર્મ માં પાયાના સિધ્ધાંતોને ભૂલીને પોતાનો ધર્મ સાચો અને સારો એમ બતાવવા બીન જરૂરી લક્ષણો ધરાવે છે.
    માત્ર શિક્ષણ અને શિસ્ત જ બચપણથી જ યોગ્ય રીતે આપવામાં આવે તો ધર્મ અને સમાજનું પરિવર્તન શક્ય છે.માત્ર જરૂર છે સ્વયંશિસ્તની અને ઘરથી જ શરૂઆત. ઈઝ્રાયેલની જેમ થોડુંક કડક પાલન્ માનું છું કે જૈન લોકો પોતાના ઘરથી જ શરૂઆત કરશે અને દંભ નહિ કરે.
    એક મનોવૈજ્ઞાનિક લક્ષણ છે કે બધા જૈન કે અન્ય બધુ સમજે છે કે આ દંભ છે કે આ નહિ કરવું જોઈએ. પરંતુ પોતાના ધર્મની અને ખુદ પોતાની મહ્ત્તા અને કહેવાતી ધાર્મિકતા ને નીચે પછાડવા કે સ્વીકારવા તૈયાર નથી થતા. પોતાની મહ્ત્ત્તા કે ઓળખ માટે નાનોં બાળક પણ પ્રયત્નશીલ હોય છે.બસ આજ basic ને કારણે ચડ્સા-ચડસી છે જે જોવાની પણ એક મજા છે.

  7. arvindadalja permalink*
    November 13, 2008 3:16 pm

    હું પણ કોઈ સંપ્રદાય સાથે જોડયેલો નથી.આપનો પ્રતિભાવ વાંચ્યો. આ લેખ લખવાનો મૂળભૂત હેતુ કદાચ બર કાં તો હું બરાબર રજૂ કરી શક્યો નથી તેમ જણાય છે.મારો ઉદેશ સાંજના જમણમાં થતી હિંસા તો બહુ જ મામુલી ગણાવી જોઈએ તેમ છે. મારો ઉદેશ ખરેખર તો ખાધ્ય સામગ્રીમાં થતી હિંસા તથા ગંદ્કી-ગીર્દિ અને ઘોંઘાટને કારણે થતી હિંસા રોકવા માટે જૈન સમાજ તેમના જૈન ઉધ્યોગપતિઓ અને વ્યાપારીઓ કે જેઓનું આ બધા ઉધ્યોગ અને ધંધામાં વર્ચસ્વ છે તે સર્વેને આદેશ આપે અને અમલ કરાવે તેવો અનુરોધ કરવાનો છે. કારણ કે ખાધ્ય ચીજો અને ગંદ્કી વધુ અને વધુ માનવની હિંસા કરે છે અને ખરેખર જો આવી હિંસા થતી રોકવાની જૈન સામાજના વડાઓની નિષ્ઠા હોય તો આવી રાત્રિ ભોજનને કારણે થતી હિંસા તો બહુજ સૂક્ષ્મ હોવાની માટે ઉપરોકત બાબતોને પ્રાથમિકતા આપી તેમાં આગેવાની લઈ દેશમાં એક નવો ચિલ્લો પાડશે તો અન્ય જ્ઞાતિઓ પણ તેમને સમય જતાં ચોક્કસ અનુસરશે તેની મને ખાત્રી છે. જૈન સમાજ સમગ્ર સમાજના મશાલચી બની રહે તેવી શુભ્ચેછા સાથે મારો હેતુ સ્પષ્ટતાથી વાંચકો સમજી શક્શે તેવી અપેક્ષા સાથે વિરમું છું તેમ છતાં કોઈ પણ વાચકને હજુ વધ સ્પ્ષ્તા જોઈતી હોય તો તેમના પ્રતિભાવો દ્વારા જણાવવા અનુરોધ કરુ છુ. મારાં અન્ય લેખો વિશ્વ શાંતિ માટે યજ્ઞ અને મંદિરોની સમૃધ્ધિ ઉપરના વાંચશો તો પણ મારા વિચારોના ખુલ્લાપણાની પ્રતીતિ થશે. આપ સર્વેના પ્રતિભાવોની અપેક્ષા સાથે.

    • January 27, 2010 6:02 pm

      welcom yur cominet

      • arvindadalja permalink*
        January 29, 2010 9:48 am

        શ્રી માયા

        આપ મારા બ્લોગ ઉપર પધાર્યા અને પ્રતિભાવ જણાવ્યો આભાર ! આવજો ! મળતા રહીશું !

        સ-સ્નેહ

        અરવિંદ

  8. November 13, 2008 9:33 am

    i am not against Jain or swaminarayan or any samaj.
    But i have just one question.
    જો તેઓ ખરેખર સુધારો કરવા જ માગતા જ હોય તો મોટા મોટા મંદિરો બાંધવા કરતા તે બધા રુપીયા ગરીબો ના ઉધ્ધાર માટે ના ખર્ચવા જોઈએ ?

    • vikram raval permalink
      March 6, 2010 5:40 pm

      how much you spend for poor people, & how much you donate for mandir

Trackbacks

  1. રાત્રી ભોજન સમારંભ « મનીષ શાહ ( અલ્પ લીમડીવાળા)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 79 other followers