Skip to content

ગણપતિ

 

 

 

આપણા સમાજમાં કોઇપણ પ્રસંગે સૌ પ્રથમ ગણપતિનું સ્થાપન કરીને પૂજન કરવાનો અનુક્રમ વરસો થયા ચાલ્યો આવે છે. આ એક પ્રણાલિકા તથા રુઢિગત કરવામાં આવતી  ક્રિયા જણાય છે. આવું પૂજન કરાવનાર બ્રાભણ કે ગોરને આ પૂજન ગણપતિનું જ કેમ કરાવાય છે ? ભગવાન કૃષ્ણ કે શંકર કે રામ્ કેમ નહિ ? તેવું પૂછતા કોઇ સંતોષ કારક કે બુધ્ધિગમ્ય તાર્કિક જવાબ આપવાને બદલે દંત કથા કે ભગવાન શંકરે ગણેશને આપેલા વરદાન  કે પુરાની માન્યતાને આગળ કરીને આ પૂજન ને વ્યાજબી ગણાવાની કોશિષ કરે છે. હવે જો આપણે ભગવાન શંકરે ગણેશને આપેલા વરદાન વિષે કે તેવી પ્રવર્તી રહેલી માન્યતા વિષે તલ્ઃસ્પર્શી વિચાર કરીએ તો મનુષ્યના વિકાસ સાથે માનવીએ અનેક સંશોધનો દ્વારા વિવિધ સિધ્ધીઓ મેળવેલ છે. અને આપણાં દેશમાં જ્યારે આવો કોઈ પ્રસંગ બન્યો હશે કે કોઈ વ્યક્તિએ ગુસ્સાના આવેશમાં પોતાના જ પુત્રનું માથું વાઢી નાખ્યું હશે અને ગુસ્સો શાંત થતા પોતે આ કેટ્લું અઘટિત કૃત્ય કરી નાખ્યાનું ભાન થયું હશે ત્યારે પુત્રને ફરીને સજીવન કરવા ઋષિ/મુનિઓ કે જે તે સમયે બીમારી કે અન્ય રોગોની સારવાર કરતા હતા તેમની સમક્ષ આજીજી પૂર્વક પુત્રને ફરીને જીવન બક્ષવા વિનવ્યા હશે. અને આ સમયે આપણાં દેશમાં મેડિકલ સાયંસે વૈજ્ઞાનિક સંશોધન કરી કોઈ પણ શરીરના અંગો-ઉપાંગોનું પ્રત્યારોપણ થઈ શકે તેવી સિધ્ધિ મેળવી હોવી જોઈએ ! ઉપરાંત માનવીના શરીરમાં પ્રાણીઓના અંગ-ઉપાંગોનું  પણ પ્રત્યારોપણ થઈ શકે ત્યાં સુધીની મેડીકલ સાયંસે પ્રગતિ કરી હોવી જોઈએ અને તે પધ્ધ્તિનો ઉપયોગ કરી હાથીના મસ્તક્નું પ્રત્યારોપણ શક્ય બન્યું હોઈ શકે ! આપણે જાણીએ છીએ કે આજે આવા પ્રત્યારોપણ સહજ બની રહ્યા છે !

કાળક્ર્મે આવા પ્રસંગોને આપણાં કહેવાતા સાધુ-સંતોએ ધાર્મિક લાગણી સાથે જોડી-ચમત્કારનું સ્વરૂપ આપી પોતાનો પ્રભાવ જમાવવા કોશિશ કરેલી હોવી જોઈએ !

આપણાં પુરાણા ગ્રંથો જેવાકે રામાયણ્-મહાભારત્-શ્રીમદભાગવત સહિત દરેકમાં અનેક પ્રકારના સાધનો શસ્ત્રો-અસ્ત્રોનો ઉલ્લેખ આવે છે! વિમાન-અગન્યાશસ્ત્ર્-સુદર્શંનચક્ર અને અનેક પ્રકારના તીર-કામઠા વગેરે કે જેનો ઉપયોગ યુધ્ધ દરમિયાન કરવામાં આવેલો છે અને જે દૂરથી દુશ્મન ઉપર છોડી શકાતા અને પરત પણ મેળવી શકાતા ! આ ઉપરાંત મહાભારતના યુધ્ધ વખતે આંખે દેખ્યો અહેવાલ સંજય ધૃતરાષ્ટ્રને સંભળાવે છે તે પણ આજના ટેલિવિઝ્ન સાથે સમાનતા ધરાવે છે. ટૂકમાં આ સમય દરમિયાન આપણો દેશ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા  અનેક સિધ્ધિ મેળવી ચૂકયો હતો તે નિઃશંક છે. અર્થાત આપણું વૈજ્ઞાનિક સંશોધન જગતભરમાં ચરમસીમાએ પહોંચેલું હતું તે વાતમાં કોઈ શક નથી.

આ વૈજ્ઞાનિક સિધ્ધિઓને યશ આપવાને બદલે દેશમાં-સમાજમાં  સ્થાપિત હિતો ધરાવનારા કહેવાતા સાધુ-સંતોએ  ધર્મને નામે ચમત્કાર તરીકે ખપાવી પોતાનો પ્રભાવ સ્થાપવા પ્રયાસ કર્યો હોવાનું જણાય છે. અને આપણી અબુધ-અજ્ઞાન-અને અભણ પ્રજાએ કોઈ પણ શંકા/પ્રશ્ન ઉઠાવ્યા સિવાય આવા બનાવોને સાધુ-સંતો દ્વારા થતી ચમત્કારો તરીકે સ્વીકારી લીધુ અને તેમના પ્રભાવ હેઠળ સમાજનો મોટૉ ભાગ અવલંબિત બની રહ્યો જે આજે પણ ચાલુ છે !

ઉપર જણાવેલ તર્ક વિષે કદાચ કોઈના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય અને આ તર્ક સ્વીકારવા મન ના પણ પાડે  અને કહેવાતી દંતકથાને જ સ્વીકાર કરવા માને તેવી વ્યક્તિઓ માટે વધારે સ્પષ્ટતા કરવી યોગ્ય જણાતાં મારા તર્કને લંબાવી  મારી વાત ઉપર વિચાર કરવા વિનંતિ કરું છું.

શક્ય છે કે મનુષ્યના ધડ ઉપર હાથીનું મસ્તક બેસાડવાનું ત્યારના મેડિકલ સાયંસના સંશોધન પ્રમાણે પ્રત્યારોપણ માટે યોગ્ય ગણાતું હોય કારણ હાથી શાકાહારી છે પ્રાણીજગતમાં ચતુર અને બુધ્ધિશાળી ગણવામાં આવે છે. ઉપરાંત તાકાતથી ભરપૂર, મજ્બૂત અને જાજરમાન –પ્રતિભાશાળી વ્યકતિત્વ ધરાવે છે.

આ રીતે જે વ્યક્તિના ધડ ઉપર હાથીનું મસ્તક પ્રત્યારોપણ કરવામાં આવ્યું હશે તે વ્યક્તિ કાળક્ર્મે સમાજમાં એક સેવાભાવી-પરોપકારી-નિસ્વાર્થ-પ્રામાણિક અને નિખાલસ વગેરે તમામ સદગુણો ધરાવનારી ઉભરી આવી હોવી જોઈએ. અને સમાજે તેની પ્રતિષ્ઠા અને વ્યક્તિત્વ અને નેતાગીરી સ્વીકારી તેનુ  માન અને આદરથી   જાહેરમાં સન્માન કરી સમાજે તેના તરફ કંત્જ્ઞતા વ્યકત કરી પૂજ્યભાવ દર્શાવ્યો હશે !

કાળક્ર્મે તેના અનુયાયીઓ ( આજે જે રીતે સાધુ-સંતો અભિનેતાઓ અને રાજકારણીઓના મંદિરો બનાવામાં આવી રહ્યા છે તે જ રીતે)એ પણ તેમનું મંદિર બનાવ્યું હશે ! અને આવા મંદિરોને ગણેશ કે ગણપતિ જેવા નામાભિધાન કર્યા હોવા જોઈએ ! કારણ કે ગણેશ કે ગણપતિ અર્થાત ગણ એટ્લે ટોળું કે જે જ્ઞાતિ-સમાજ્ કે દેશ પણ હોઈ શકે. સમય જતાં તેનામાં   ઈશ્વર નું આરોપણ કરી  ગણેશ નામાભિધાન કર્યું હોવું જોઈએ આમ એક સામાન્ય માનવીને ઈશ્વર તરીકે સ્થપાતાં અને તેના નામના મંદિરો બનાવવામાં આવતાં તેની યોગ્ય સંભાળ રાખવા અને પાઠ-પૂજા વગેરે માટે વ્યકતિઓને જવાબદારી સંભાળવા નીમવામાં આવી હશે ! અને સમય જતાં આવી વ્યક્તિઓએ આવા મંદિરોનો કબજો મેળવી લઈ પોતાના સ્થાપિત હિતો પોષવા સમાજમાં અનેક પ્રકારની વાતો ચાલાકીથી ફેલાવી આવા મંદિરોની માનતાઓ તથા બાધા-આખડી રાખવા અને તમામ પ્રસંગોમાં આ દેવતાનું સ્થાપન કરી પાઠ-પૂજા કરવા લોકોને દોર્યા હશે. આવા લોકો કે જે માત્ર મંદિરની સાર-સંભાળ રાખવા નિયુકત થયેલી તે સાધુ-સંતો બની બેઠા અને આવા મંદિરો વિષે અનેક અફવાઓ ફેલાવી જેવી કે “વિઘ્નો નિવારવા” અને ધારેલી “સિધ્ધિઓ મેળવવા”માટે આ ગણેશ કે ગણપતિનું પૂજન કરવાથી તમામ વિઘ્નો દૂર થશે અને મનમાં ધારેલી સિધ્ધિઓ પ્રાપ્ત થશે. અને તેથી જ ગણેશ કે ગણપતિને” વિધ્નહર્તા” કે “સિધ્ધિ વિનાયક” ગણાવી લોકોને અવલંબિત બનાવવા શરૂ કર્યા અને સમય જતાં જેમ જેમ આવી માન્યતાઓ વધુ દ્ર્ઢ  થતી ગઈ તેમ તેનો તેનો લાભ લઈ ગણેશ કે ગણપતિને ઈશ્વરી સ્વરૂપ તરીકે થોકી બેસાડી ઉપર દર્શાવેલ દંતકથા શરૂ કરી હોવાનું માનવાને કારણ રહે છે. તેમ છતાં જે પણ વ્ય્કતિએ ગણેશ કે ગણપતિનો સ્વરૂપ વિચાર્યું છે તેણે ખૂબ જ બુધ્ધિગમ્ય રીતે વિચાર્યું જણાય છે. તો ચાલો તેના સ્વરૂપ વિષે વાત કરીએ-

 

 (1) જ્યારે સ્વરૂપ વિષે વિચાર કરવાનું શરુ કરીએ કે સૌ પ્રથમ આપણી સમક્ષ ગણપતિનું સ્વરૂપ આવે છે. હાથીનું મસ્તક્, સુપડાજેવા કાન્, મોટું પેટ, નાના પગ, અને વાહનમાં નાનકડો ઉંદર કે જે ક્યારેય વાહન તરીકે ઉપયોગમાં ના આવી શકે.આ રીતે જોઇએ તો રહસ્ય ઉંડું અને સામાન્ય સમજમાં જલ્દીના ઉતરે તેવું બની રહે છે.આગળ વિચાર કરીએ તે પહેલાં સૌ પ્રથમ ગણપતિના સ્વરુપને સમજવું જરૂરી બની રહે છે.આપણે સૌ જાણીએ છીએ કે હાથી શાકાહારી પ્રાણી છે તેમજ તમામ પશુ-પ્રાણી જગતમાં ચતુરમાં ચતુર ગણાય છે.આમ હાથીના મસ્તક દ્વારા  ગણપતિને ચતુર ગણવામાં આવ્યા હોવાની પૂરેપૂરી શક્યતા છે.

(2) ગણપતિના કાન વિષે વિચારતા સૂપડા જેવા કાન એટ્લા માટે પ્રયોજવામાં આવેલ હોઇ શકે કે તેઓ તમામ અને ચોતરફ થતી વાતો સાંભળી શકે અને ના સાંભળવા જેવી વાતો તરફ દુર્લક્ષ સેવે અને જે વ્યાજબી લાગે તે નિર્ણય સમુહના હિત માટે લઈ શકે.

(3) મોટું પેટ પણ ખુબજ સુચક છે.ચોતરફ થી આવતી અનેક પ્રકારની સાચી/ ખોટી વાતો પોતાના પેટ્માં સંગ્રહી રાખે અને સમય આવે ત્યારે જે તે વ્યક્તિને યોગ્ય સલાહ્ સુચનો આપી પ્રશ્નોનું નિરાકરણ કે સમાધાન સુચવી શકે. આમ એક વડા તરીકે ગાગર/સાગર પેટા થવું ખૂબજ આવશ્યક ગણાયુ હોઇ શકે.સંસારની સારી-નરસી વાતો ઉદરસ્થ કરી સહિષ્ણુતા રાખવી તે વડાનુ કર્તવ્ય ગણાય છે.
(4) સૂક્ષ્મ આંખો પણ ખુબજ સૂચક છે. આંખો અત્યંત તેજસ્વી છે કારણકે આંખોથી સૂક્ષ્મ વસ્તુઓને જોનાર શાસક જ પ્રશંસા પામે છે.
(5) સૂંઢ ભય ઉપજાવનાર તથા તાકાતથી ભરપૂર હોઈ  કોઈને પણ જડમૂળથી ઉખેડી શકવાની શક્તિ દર્શાવે છે.

(6) હાથમાં મોદક છે તે મીઠાશ સુચવે છે અને   આ મીઠાશ્ સર્વે વચ્ચે  વહેચવાનું સુચન હોઇ શકે.
(7) તેમના પગ નાના હોવા છતાં એક્દમ મજ્બૂત અને મોટા શરીરનો ભાર ઉંચકી મંથર ગતિએ ચાલનારા ગણપતિ જન્મજાત જાજરમાન વ્યક્તિત્વ ધરાવે છે કે જે અત્યંત પ્રભાવશાલી છે.
(8) ખૂબજ વિચિત્ર લાગે તેવી વાત તો તેમના માટે પ્રયોજેલા વાહનની ગણાવી સકાય. આવડું મોટું શરીર મૂષક/ઊંદર  થી ઉંચકવું અસભવિત જ ગણાય તો મૂષક્/ઊંદર પસંદ કરવા પાછળ શું કારણ હોઈ શકે?
ખૂબ વિચાર કરતાં એમ માનવાને કારણ રહે છે કે આ વાહન તો માત્ર પ્રતિક હોઈ શકે. જ્યારે ખરું કારણ તો મૂષક વિષે વિચારીએ તો સમજી શકાય તેમ જણાય છે.મૂષક પ્રક્રુતિથી ચંચળ છે તેમજ એ એક જ એવુ પ્રાણી છે જે માનવ સમાજ કે સમુ દાય વચ્ચે ઘરોમાં તેમજ ખૂણે ખૂણે છુટ્થી ફરી શકેછે. અર્થાત પરિવાર કે સમાજ કે કોઇ પણ ની તમામે તમામ માહિતિ મેળવીને વડાને પહોંચાડી શકે છે  અર્થાત તે વડાના ગુપ્તચરની ગરજ સારે છે અને તેવી જ કામગીરી બજાવવા મૂષક્/ઉંદરની પસંદગી બિલકૂલ વ્યાજબી જણાય છે.કારણ કે કોઇપણ ક્ષેત્રના વડા પાસે આવી ગુપ્ત માહિતિ મેળવવાની વ્યવસ્થાહોવી અનિવાર્ય ગણાવી જોઈએ. કારણ તો જ સામુહિત હિત અને કલ્યાણ માટે સમયસર પગલાં લેવા માટે
યોગ્ય કાર્યવાહી થઈ શકે.
(9) આ સિવાય પણ ગણપતિના સ્વરુપ ઉપર નજર નાખતા તેમના શરીર ઉપર અનેક આભૂષણો નજરે પડે છે. પરંતુ તે બાબતને તેમના પૂજન માટે મહત્વની નહિ ગણતા હવે ગણપતિ નામ વિષે વિચારીએ તો ગણ એટ્લે ટોળું અર્થાત પરિવાર કે જન સમુદાય અર્થાત જ્ઞાતિ કે સમાજનો કોઇ હિસ્સો- વધારે વિસ્તૃત અર્થ્ માં રાષ્ટ્ર કે દેશ્ ને પણ ગણી શકાય્. આપણે અત્રે માત્ર એક પરિવાર કે જનસમુદાય ના અર્થમાં વિચારીએ તો જે પરિવારનો વડો હોય તેમનામાં ઉપર પ્રયોજેલા તમામ ગુણો તથા તેવુ પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય તો જ તે પરિવાર કે સમુદાય નો વિકાસ સંભવી શકે, અર્થાત ફાલી-ફૂલી શકે અને જ્યારે પણ કોઇ એવા પ્રસંગો આ પરિવાર કે સમુદાય માં આવે ત્યારે પરિવાર કે સમુદાયના સભ્યોની એ ફરજ બની રહે છે કે જેમના નેતૃત્વથી કે વડપણ થકી જે તે પરિવાર ફાલ્યો-ફૂલ્યો છે તેમનો માન્ આદર અને સત્કાર જાહેરમાં સર્વેની સમક્ષ થવો જોઈએ તેમના તરફ તમામે તમામ સભ્યોએ કૃત્જ્ઞતાની લાગણી પ્રદર્શિત કરી આભાર વ્યાકત કરવો જોઈએ !!
આમ કરવાને બદ્લે આપણે મોટા ભાગના પરિવાર કે સમુદાયમાં  તેના વડાની થતી અવજ્ઞા, અવહેલના,  અવગણના કે અપમાન થતું જોઇએ છીએ ! અરે કેટલાક પરિવારોમાં તો  આવા શુભ પ્રસંગે પણ પરિવારના વડા વૃધ્ધાશ્રમમાં જીવન વિતાવતા જણાય છે !  અને સ્થુળ ભાવે એક પથ્થર લાવી તેમાં ગણપતિ પ્રયોજી પૂજન થતું જોઈએ છીએ !  જે કેટ્લે અંશે ધાર્મિક કે ન્યાયી કે વ્યાજબી ગણી શકાય્?
એવું નથી લાગતું કે આપણો સમાજ કોઇ પણ વિધિ વિધાનની પુરી સમજ કેળવ્યા સિવાય માત્ર બાહ્યયાચારને વધારે મહત્વ આપી પોતાની જાતને ખુબજ ધાર્મિક તરીકે ઓળખાવી સમાજમાં વિશિષ્ટ સ્થાન મેળવવા માટે દંભી જીવન શૈલી જાણ્યે અજાણ્યે અપનાવી ખોટું ગ્રૌરવ લેતો થઈ રહ્યો છે !!
મારા મકકમ અને દ્ઢ મત પ્રમાણે ગણપતિના પુજન સાથે જ પરિવારના કે જે તે સમુદાયના વડાનું પણ  પુજન કરીને  તેમનો માન-આદર અને સત્કારતો જાહેરમા સૌની સમક્ષ કરવાનું ઉતરદાયિત્વ નીભાવવુ અનિવાર્ય બની રહેવું જોઈએ કારણે કે આ વડાને કારણે જ પરિવાર ફાલ્યો ફૂલ્યો અને સમાજમાં પ્રતિષ્ઠા પામ્યો હોય છે.!
મારાં મત મુજબ આવોજ કોઇ તર્ક ગણપતિના પુજન પાછળ આ પુજન પ્રયોજનારે વિચાર્યો હોવો જોઈએ.

આપ સૌ મિત્રો આ વિષે શું વિચારો છો તે મને મારાં બ્લોગ ઉપર મોકલવા વિનંતિ છે કે જેથી મારાં વિચારોમાં વધુ સ્પષ્ટતા આવી શકે.

 

 

 

 

 

 

 

.

 

—————————————————————————

18 Comments leave one →
  1. January 9, 2012 11:29 am

    માનનીય વડીલ શ્રી

    ગણપતિ વિષે તાત્વીક અને સમાજને દર્શનરૂપ આપનું વિષ્લેષ્ણ ખૂબજ સુંદર છે.ભગવાન ! આપણાં લીડરો -નેતાઓને ગણપતિ જેવા ગુણવાન-નેતૃત્વ આપવા પ્રેરણા આપે અથવા અરબી સમુદ્રમાં નેતા વિસર્જન માટે 100 કરોડની આમ જનતાને પ્રેરણા અને શક્તિ આપે.

  2. January 9, 2012 11:26 am

    માનનીય સાહેબ,

    તમારા જણાવ્યા અનુશાર મેં લેખ વાંચ્યો.અને ખરેખર લેખ વાંચી ને ઘણી બધી સારી માહિતી મળી તમે મને સુચન કર્યું તે બદલ આપનો આભાર.

  3. September 2, 2011 1:35 pm

    માનનીય સાહેબ,

    તમારા જણાવ્યા અનુશાર મેં લેખ વાંચ્યો.અને ખરેખર લેખ વાંચી ને ઘણી બધી સારી માહિતી મળી તમે મને સુચન કર્યું તે બદલ આપનો આભાર.

  4. October 2, 2010 4:39 am

    વડીલ શ્રી
    એક બાબત ગળે મને નાં ઉતરે કે હાથી નું મસ્તક માનવ નાં ધડ પર ફીટ થાય.બાકી બીજું બધું ઘણું વિચારવા લાયક છે.ગણપતિ એક લીડર નું પ્રતિક હોઈ શકે.બીજું હાથી ની સુંઢ વિષે ઉમેરું તો તાકાત ની સાથે આવનાર ભય સુંઘવાની ગજબ ની તાકાત અને ક્ષમતા છે.મેં હાથીઓ વિષે ખુબ જોયું છે.એનામાં બે માઈલ દુર થી કોણ આવી રહ્યું છે તે સુંઘી લેવાની ક્ષમતા છે.બાકી ગણપતિ ના નામે વેપલો થાય છે તે બાબતે હું તમારી સાથે સુર પુરાવું છું.હવે આપજ કહો મુંબઈ નાં લાલબાગ ગણપતી ઉત્સવ માં કરોડો રૂપિયા લોકોએ વેર્યા જે કોના ગજવા ભરાશે?ક્રીમીનલ્સ લોકોના ગજવા ભરાઈ જવાના.એમાં કોઈ દેશ સેવા થવાની નહિ.કે સમાજ સેવા પણ થવાની નહિ.પણ આ લોકો ગણપતિ ના બહાને દેશ ભક્ત ગણવાના જે ખરેખર દેશ નો કાયદો તોડી ને દેશદ્રોહ કરતા હોય છે.આ પ્રતીકો માંથી કોઈ પ્રેરણા લેવાની વાત બાજુ પર ધકેલાઈ જાય છે.એવુજ હનુમાનજી નું છે.મારો લેખ એના પર આવી રહ્યો છે.હવે આવી શ્રદ્ધા અને વિશ્વાસ નું શું આપણે ધર્મ અને હિન્દુત્વ નાં નામે શું અનુમોદન જ કર્યા કરવાનું?આતો ગાંડપણ છે.આપ શું માનો છો?

    • arvind adalja permalink*
      October 2, 2010 5:15 am

      આપણે અંગ પ્રત્યારોપણ થઈ શકે તેટલું મેડીકલ સાયંસ અસ્તિત્વ ધરાવતું હશે તે વાત સ્વીકારી લઈએ અને બાદમાં કાળક્ર્મે જેમ અનેક વિધ્યા સાચવી રાખવાની આપણી અણઘડતાને કારણે વિસ્મૃતિ થઈ ગઈ અને થઈ પડેલા સાધુ-સન્યાસીઓ-બાવાઓ-ગુરૂઓએ આ મસ્તકના પ્રત્યારોપણને ચમત્કાર ગણાવી સામાજિક શોષણ શરૂ કર્યું અને જેને આપણી અબુધ અને અજ્ઞાની અને અંધશ્રધ્ધાળુ પ્રજાએ ચૂપચાપ સ્કીકારી લીધું જે કોઈ મારા-આપના જેવા વિચારો તે સમયે ધરાવતા હશે તેઓ પણ નાસ્તિક ગણાઈ જવાની કે સામાજિક બહિસ્કાર થવાની દહેશતથી મૌન બની ગયા હશે.
      વાત લાલબાગના ગણેશોત્સવ પૂરતી મર્યાદિત નથી પરંતુ આવા ધર્મને નામે થઈ રહેલા અનેક ગતકડા આજે સમાજના કેટલાક વર્ગ માટે વ્યવસાય બની ચૂકયો છે અને તેનો લાભ અસામાજિક તત્ત્વો અને થઈ પડેલા સાધુઓ-સંતો-બાવાઓ-ગુરૂઓ ભરપૂર રીતે લઈ રહ્યા છે અને મારા-આપના જેવા નાસ્તિક ગણાય છે. ખેર ! એથી આપણે આપણાં વિચારો બદલવાની કોઈ આવશ્યકતા મને જણાઈ નથી. આત્મા અથવા માહ્યલો અવાજ જ સાચો છે અને તેને વળગી રહી જીવન વિતાવીએ તો કોઈ મુશ્કેલી/તકલીફ ક્યારે ય આવતી હોતી નથી.
      હાથીના મસ્તક જેવું કદાચ લાંબુ નાક ધરાવતું કોઈનું મસ્તક પણ હોવા સંભવ છે.
      ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિદ

  5. September 15, 2010 12:01 am

    મા.શ્રી અરવિન્દભાઈ

    પ્રસંગોચિત્ત સરસ લેખ વાંચવા મળ્યો. અંગોનુ ન.૧ થી ૭ માં અંગો – અવય્વોનું તર્કીક વિશ્ર્લેષણ કર્યું સારું છે, વિજ્ઞાન જ્યાં નથી પહોચ્યું શ્રધ્ધા-વિશ્રવાસ અને પુરૂસાર્થ પહોચી વળે છે.

    માનવી ચેતન હોવા છતાં જડ એવા ધાતુ,પથ્થર-લાકડાંની પૂજા શ્રધ્ધ પૂર્વક કરે છે.પણ લાકડું,પથ્થર કે ધાતુ માનવીમાં શ્રધ્ધા રાખે એવું કહેવું મુશ્કેલ છે. આ પણ એક રહસ્ય છે.

    વેદમા શ્રી ગણેશજીને પ્રથમ પુરુષ કહેવામાં આવે છે પૌરાનીક કથા નથી ( ફક્ત સાંભળ્યું છે, મને કોઈ જ્ઞાન નથી ) . વૈદિક રહસ્ય સ્થળ કાળ મુજબ વિધ્વાનો ઉકેલતા રહેતા હોય છે

    • arvind adalja permalink*
      September 17, 2010 6:34 am

      શ્રી પોપટભાઈ
      આપને પ્રસંગોચિત ગણપતિ ઉપરનું મેં કરેલું વિશ્લેષણ ગમ્યું તે જાણી આનંદ થયો ! આપ અવાર નવાર બ્લોગની મુલાકાત લઈ મને પ્રોત્સાહન આપી રહ્યા છો તે માટે ખૂબ ખૂબ આભારી છું. પ્રત્યુત્ત્રર પાઠવવામાં કેટલાક પરિવારીક કારણોસર મોડું થયું છે તો દરગુજર કરશો. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

  6. September 6, 2010 10:14 pm

    આદરણીય અરવિંદભાઈ
    ભગવાન ગણેશજી વિશે લખેલ આ લેખ ખુબ જ સુંદર છે કારણ કે તેને ખરા અર્થ માં

    વેજ્ઞાનીક રીતે આપે રજુવાત કરેલ છે તે અને ત્યાર ના સમય માં વિજ્ઞાન કેટલું

    આગળ હતું .પરંતુ અફસોસ કે હાલ ના કહેવાતા ધર્મ ગુરૂઓ કે જેવો આવા સત્ય

    વિજ્ઞાન ની જગ્યા એ ના સમજાય તેવા લોજીક આપણા ગળે ઉતારે છે,અને આપનો

    હિન્દુ ધર્મ ને પાછળ રાખવા માં આ ધર્મગુરૂ નો સિંહ ફાળો છે.થોડાક એવા લોજીક કે

    જેને આપણા કહેવાતા ગુરૂ ઓ એ કુરૂપ આપ્યું છે.
    શ્રી કૃષણ ભગવાને ગોવર્ધન પર્વત ટચલી આંગળી એ ઉપાડ્યો જે ખરેખર ગો એટલે

    ગાય અને વર્ધન એટલે વિકાસ.ભગવાને ગાયો નો વિકાસ કરેલ.તે સમય માં ત્યાં

    ગાયો ખુબ જ હતી જેથી સાંજ પડતા જ બધું દૂધ ફેકી દેવું પડતું એટલે જ

    ગોકુળ-મથુરા માં દૂધ ની નદી વહેતી આમ ત્યારે ડેરી ઉદ્યોગ નો શ્રી કૃષ્ણે પાયો

    નાખેલ અને ટચલી આંગળી શરીર ની એવું અંગ છે કે જેના થી કશું જ ઉપાડી ન

    શકાય છતાં કહેવત માં કઠીન કામ ને જે સહેલાઈ થી કરે ત્યારે તેને આવી કહેવત કહે

    છે.
    કૌરવોં કે જેવો ૧૦૦ ભાઈઓ હતા જેને આજે ક્લોનીગ કહે છે,ત્યાર ની વિમાન સેવા,યુદ્ધ દરમ્યાન વાપરતા શસ્ત્રો,ત્યાર ની ઔષધીઓ,પુન્રસજીવન થવું જેવી અનેક બાબતો માં આપણને અગડમબગડમ સમજાવવા માં આવે છે જેથી નવી પેઢી ધાર્મિક બાબતો ને સ્વીકારતું નથી ને વેજ્ઞાનીક રીતે તેમને કોઈ સમજાવતું નથી અને આ રીતે આપણી મહાન હિન્દુ સંસ્કુર્તી થી આપણી નવી પેઢી વિમુખ થતી જાય છે
    આ બાબતે આપ થોડીક વધુ ચર્ચા છેડો એવી મારી દિલ ની ઈચ્છા છે .

    • arvind adalja permalink*
      September 7, 2010 10:29 am

      શ્રી રમેશભાઈ
      આપને ગણપતિ વિષેનો લેખ ગમ્યો જાણી આનંદ થયો. આપની વાત સાચી છે કે પુરાણોમાં કે અન્ય જૂના ગ્રંથોમાં કહેવાયેલી અનેક વાતો આજના સંદર્ભમાં તાર્કિક રીતે ફરી વિચારવું જોઈએ પણ તે કરે કોણ ? કોઈ સાધુ-સંતો-મહંતો કે ગુરૂઓ તો નથીજ કરવાના કારણ તો તેમનો ધંધો બંધ થઈ જાય અને તેમ ના થાય માટે તો તેઓ આવી બાબતોને ચમત્કાર તરીકે જ સમજાવતા રહ્યા છે અને રહેશે ! આપની એ વાત સાથે પણ હું સહમત છું અને હું તો તેમ માનું છું કે આપણાં દેશને દેશના લોકોને પછાત રાખવામાં કાયર અને નમાલા બનાવવામાં આ સાધુ-સંતોની જમાતનો મોટો ફાળો છે નાલાયક નરાધન અને સ્વાર્થી રાજકારણીઓ તો હમણાં છેલ્લાં 40-50 વર્ષ થયા પેદા થયા છે જ્યારે આ તો વર્ષો થયા આપણાં લોકોને પોતાના સ્થાપિત હિતો પોષવા માટે અગડંમ બગડંમ સમજાવી પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે. રહી વાત 100 કૌરવોના જન્મની તો એ વિષે લખવા મારાં ટેબલ ઉપર પેન્ડીંગમાં પડેલ જ છે પરંતુ કંઈક ને કંઈક કારણોથી હજુ લખવા માટે હાથ ઉપર લઈ શકાયું નથી તેમ છતાં બનતી ત્વરાએ જરૂર લખવા પ્રયાસ કરીશ !
      આ ઉપરાંત મેં મારા બ્લોગ ઉપર એક પ્રશ્ન મૂકેલો કે મહાદેવને દૂધ શા માટે ચડાવવામાં આવે છે અને હનુમાનને તેલ અને સીંદૂર શા માટે ચડાવવામાં આવે છે પરંતુ આજ સુધી મને કોઈ વાચકે/બ્લોગર મિત્રોએ જવાબ આપ્યા નથી.આ જ પ્રશ્ન મારા બ્લોગ ઉપર ગુજરાતીકાવ્યગઝ્લ ઉપર પઁ ચર્ચાના સ્વરૂપે મૂકેલ પણ કોઈ રેશનલ અર્થાત તાર્કિક જવાબ નથી મળ્યો. આપ આ વિષે વિચારી મને જણાવશો તો આનંદ થશે !
      ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

  7. Praful Thar permalink
    September 6, 2010 11:49 am

    શ્રી અડાલજા સાહેબ

    શક્ય છે કે મનુષ્યના ધડ ઉપર હાથીનું મસ્તક બેસાડવાનું ત્યારના મેડિકલ સાયંસના સંશોધન પ્રમાણે પ્રત્યારોપણ માટે યોગ્ય ગણાતું હોય કારણ હાથી શાકાહારી છે પ્રાણીજગતમાં ચતુર અને બુધ્ધિશાળી ગણવામાં આવે છે. ઉપરાંત તાકાતથી ભરપૂર, મજ્બૂત અને જાજરમાન –પ્રતિભાશાળી વ્યકતિત્વ ધરાવે છે.

    આપણે બધા જ શ્રી ગણેશજીના ભક્તો છે જ અને રહેવાના !ઉપરનું વિજ્ઞાન હજી દિલમાં ઓછું ઉતરે છે. ખાસ કરીને જો ભગવાન ગુસ્સો કરી પોતાના જ બાળકનું મસ્તક ઉડાડી દે તો પછી આજના યુગમાં અનેકો ઘર્ષણ માનવી માનવી વચ્ચે થાય છે તો તેનું શું ? આ એક ગુસ્સાનો સળગતો પ્રશ્ર્ન છે.

    પ્રફુલ

  8. September 5, 2010 6:12 pm

    માનનીય અરવિંદભાઈ,
    ગણેશજીનો જન્મદિવસ, ગણેશ-ચતુર્થી, ગણેશ-વિસર્જન પાછળના સાંસ્કૃતિક રહસ્યને લગતો લેખ મારી પાસે તૈયાર છે, જે હું આવનારા સમયમાં મારી સાઈટ પર મુકવાનો હોવાથી એની વિગતો અહિં જણાવતો નથી.
    આપે પુરાણના અર્થઘટનનો જે પ્રયાસ કર્યો છે, એ મને ખુબ જ પ્રશંસાપાત્ર જણાયો છે. આભાર.

    • arvind adalja permalink*
      September 6, 2010 9:46 am

      ભાઈશ્રી કલ્પેશ
      આભાર મુલાકાત માટે અને પ્રતિભાવ માટે પણ ! આપે પણ ગણપતિ વિષે અભ્યાસ કરી વિચારી કંઈક તૈયાર કરેલ છે તે જાણી આનંદ થયો ! આપ તે લેખ લઈ જલ્દી અમારા જેવા અન્ય બ્લોગર મિત્રોના લાભાર્થે પ્રસિધ્ધ્ કરો તેવી વિનંતિ સાથે આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

  9. arvind permalink
    March 25, 2009 5:55 am

    શ્રી ગિરિશભાઈ

    આપનો આભાર આપે પણ મારા બ્લોગની મુલાકાત લીધી અને સૌથી વધારે તો મને ગમ્યું કે આપે બ્લોગ જાવાની અને વાંચવાની શરૂઆત પણ ગણપતિથી જ કરી. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે ત્યાં ગણેશની સ્થાપના કે ગણેશને યાદ કરી ને જ થતી હોય છે પછી ભલે તે સ્થૂળ રીતે હોય ! આપની વાત સાચી છે આપણા લોકો હંમેશા સ્થૂળ રીતે જ દરેક કહેવાતી ધાર્મિક પ્રવૃતિ કરતા રહે છે અને આવા લોકોના બાહ્યાચારો જ સમગ્ર સમાજને અવળે રસ્તે દોર્યા કરે છે. એટલું જ નહિ કહેવાતા સાધુ-સંતો પણ પોતાના સ્થાપિત હિતો આજ પધ્ધ્તિ અપનાવી પોષે છે અને આપણા દેશનો મોટા ભાગનો સમાજ અબુધ અજ્ઞાન અને અંધશ્રધ્ધાળુ હોય આવં બધું ચાલ્યા કરે છે અને ચાલશે ! આમ તો આપણું આ અરણ્યઋદન જ છે ! મને વિશ્વાસ છે કે આપણા જેવા તર્કની કસોટીએ ચડાવીને વિચારનારાને નાસ્તિક જેવા લેબલ આપવામાં આવશે ! આપ શું માનો છો મારા અન્ય લેખો ખાસ કરીને મંદિરોની સ્મૃધ્દ્ધિ વગેરના આપ વાંચશો એટલે મારા વિચારો વિષે આપ મને બરાબર સમ્જી શક્શો તેમ માનુ છું ચાલો આજે તો આટલું જ્ ફરી મળીશુ.આવજો.

    સ-સ્નેહ
    અરવિંદ

  10. arvindadalja permalink*
    March 15, 2009 9:37 am

    ભાઈ પ્રવીણ
    જે પ્રશ્ન આપના મનમાં ઉઠ્યો તે પ્રશ્ન મારા મનમાં પણ ઉઠેલો છે અને તે વિષે હું આપને જણાવું તે પહેલાં મારે વધુ એક વાર સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે હું કોઈ વિઢ્વાન કે અભ્યાસુ નથી જ નથી.! નથી મેં કોઈ શાસ્ત્રો કે ઉપનિષદો વાંચ્યા. પણ જો તાર્કિક રીતે વિચારીયે તો ગણપતિનું માથું કાપી નાખ્યા બાદ જે હાથીનું મસ્તક લગાડવામાં આવ્યુ તેનો અર્થ મારી દ્ર્ષ્ટિએ જ્યારે વિચારું છું ત્યારે એ સમયમાં આપણા દેશમાં મેડીકલ સાયંસ શરીરના કોઈ પણ અંગનું પ્રત્યારોપણ કરી શક્તું હોવાની પૂરેપૂરે સંભાવના છે અને ગણપતિના ધડ ઉપર હાથીનું મસ્તક લગાડવામાં આવ્યું તે વિરલ સિધ્ધિ જે તે સમયમાં ગણાય હશે.! હવે હાથીનું જ મસ્તક શા માટે ? તે વિષે વિચારી એ તો 2 વાત નજર સમક્ષ આવે છે કે ( ! ) કોઈના અંગ ઉપર અન્ય અંગનું પ્રત્યારોપણ કરવું હોય તો તે અમુક સમય મર્યાદામાં જ થઈ જવું અનિવાર્ય હોય છે. એટલે મસ્તકના વધ પછી અમુક સમય મર્યાદામાં આ પ્રત્યારોપણ કરી નાખવા જે કોઈનું તાત્કાલિક મસ્તક મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હોઈ શકે અને તેમાં પણ સમય મર્યાદા તો હોય જ અર્થાત જે મસ્તક મળે તે પણ અમુક સમય પહેલાં જ અલગ પડેલુ હોવું જોઈએ અને તેવા પ્રયાસોમાં તુરતના સમયમાં જ છુટું પડેલું હાથીનું મસ્તક મળી આવ્યું હોઈ શકે. ! ( 2 ) હાથીનું મસ્તક મેળવવા કદાચ ઘનિશ્ટ પ્રયાસો પણ કરવામાં આવ્યા હોય શકે ! કારણ કે આપણે જાણીએ છીએ એ પ્રમાણે હાથી શાકાહારી છે. તમામ પ્રાણી જગતમાં ચતુર અને બુધ્ધિશાળી ઉપરાંત બળવાન અને જાજરમાન અને પ્રતિભાશાળી છે. જ્યારે બીજા પ્રાણીઓમાંના મોટા ભાગના માંસાહારી અને કેટલાક બિહામણા પણ જણાય છે. જ્યારે ગણપતિએ તો આવનારા સમયમાં મનુષ્યો સાથે રહેવાનું હતુ અને તેના શરીરના અન્ય ભાગો પણ મનુષ્યના જ હોવાથી જો આવું બિહામણું વ્યક્તિત્વ મળે તો માનવીઓ તેમનાથી દૂર ભાગે ! રહી વાત ગણપતિના શરીર ઉપર આવડું મોટું મસ્તક રહી શકે ખરું ? તો એ વિષે જો આપ ગણપતિના શરીરને જોશો તો આપોઆપ સમજાય જશે. ગણપતિના શરીરનું કદ સામાન્ય માનવીના કદથી ઘણું જ મોટું પ્રયોજેલ છે કે જે શરીર આ મસ્તકનું વજન ઉંચકવા સશક્ત ગણી શકાય તેમ છે.!
    આવા કારણો ઉપરાંત કદાચ તે સમયના મેડિકલ સર્જરીના સિધ્ધાંતો અનુસાર હાથીનું જ મસ્તક પ્રત્યારોપણ માટે યોગ્ય ગણાતું હોઈ શકે.! હું ભગવાન શંકરે ચમત્કાર કરી હાથીનું મસ્તક બેસાડ્યું તે સ્વીકારી શક્તો નથી. આવા કોઈ ચમત્કારો ના હોઈ શકે ! અલબત્ત હું દ્રધ રીતે માનું છું કે પ્રાગઐતિહાસિક કાળમાં આપણાં દેશમાં વિજ્ઞાને ખૂબ પ્રગતિ કરી હોવી જોઈએ પણ તે વારસાનો અભ્યાસ કરીને વધારે સંશોધન કરવાને બદ્લે આપણા કહેવાતા ગુરૂઓએ પોતાનો પ્રભાવ સમાજ ઉપર વધારવા આવા બનાવોને ઈશ્વરી કે પોતાને નામે ચમત્કાર ગણાવી સામાન્ય લોકોને ગેર માર્ગે દોરી પોતાના સ્થાપિત હિતો ઉભા કર્યા હોય તેમ સ્પષ્ટ સમજાય છે અને જે આજે પણ આપણાં દેશના અબુધ અને અજ્ઞાની લોકો નવું વિચારવાને બદ્લે ચમત્કાર સમજી આ થઈ પડેલા ગુરૂઓની ચશમપોશી કરતા રહે છે અને જેને આ ગુરૂઓ પોતાની સિધ્ધિ ગણાવતા રહે છે !!!
    મને આશા છે કે મારો આ તર્ક આપને આપની શંકાનું સમાધાન કરી શક્શે. આપ અથવા આ જવાબ વાચનાર અન્ય કોઈ આ વિષે વધારે સારો તર્ક કે વિચાર રજુ કરશે તો મારા વિચારોમાં વધુ સ્પષ્ટતા આવશે. આભાર. ફરી મળીશુ. આવજો.

  11. pravin permalink
    March 14, 2009 9:31 pm

    Since childhood I wondered that How Lord Shiv had joined the Elephant’s head on child Ghnesha, the diameter of Elephant’s head is too bigh for child,s head. Can you explain it pl,.

  12. arvindadalja permalink*
    February 4, 2009 2:37 am

    yes Bipin you are right at some extent as when the regards n respect cross its limit and convert in to worship it damage the society at large and in some section of the society it result in to blind faith.Not only that people who do not have rational thinking starts believing the devotees ic.BHAKAT as GOD and the Jalaram and Saibaba are the best example of such belief.Not only that some of so called GURUS also statrts posing them as GOD and they got some section from the society to believe them as GOD> Even political Leaders are also take the advantage of all irretional thinking and approach to builg their personalities.It will be not only surprising but shoking too to know that some section of the society of the people have build TEMPLES of such gurus and political leaders as well as Actors and actresses in Indiaand no such persons have said against any thing or asked to stop all such non sense activites. meaning that all such people not only like but encourage or inspire to do all such irretional activites by their followers.So actually if you do not realized or appreciate the real objective of such GANPATI then as supreme court judges were right wwwwwhen they commented that EVEN GOD CANT SAVE HIS COUNTRY.

  13. Bipin permalink
    February 4, 2009 2:34 am

    This sounds like great analysis. This makes lot of sense as in ancient Hinduism we have dedicated forms of Gods for different dimensions of life. Ganesh God seems to be the God for ‘leadership’ qualities of human society. It will be only logical to extend this reasoning to family and pay respect to the head of the house-hold. In fact this was the case few decades before but it has its own dangers. Remember how nuclear families came into existence? Leader has to be strong and just otherwise group will break. If paying respect goes to the level of worship, it can really create problems especially in fields of larger groups like Raja and Praja. I personally think it has pros and cons.

    it is really thought provoking and I will start questioning my beliefs after reading this post.

    Please keep posting.

    -Bipin.

  14. મધુકર માંકડ્ permalink
    December 14, 2008 9:27 am

    ગણપતિ વિષે તાત્વીક અને સમાજને દર્શનરૂપ આપનું વિષ્લેષ્ણ ખૂબજ સુંદર છે.ભગવાન ! આપણાં લીડરો -નેતાઓને ગણપતિ જેવા ગુણવાન-નેતૃત્વ આપવા પ્રેરણા આપે અથવા અરબી સમુદ્રમાં નેતા વિસર્જન માટે 100 કરોડની આમ જનતાને પ્રેરણા અને શક્તિ આપે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 79 other followers