Skip to content

ગંદકી–ઘોંઘાટ–ગિરદી– નાબુદી અભિયાન ! !”

“ ગંદકી—-ઘોંઘાટ—-ગિરદી— નાબુદી અભિયાન ! ! !”

આપણે સૌ આપણી સંસ્કૃતિ અને સંસ્કાર 5000/7000 વર્ષ જૂના છે. અને આપણે દુનિયાભરમાં સૌથી સુસંસ્કૃત અને સંસ્કારી અને સુખી હોવાનું ગૌરવ અનુભવીએ છીએ.પશ્ચિમના દેશોને છીછરા અને ભૌતિક સુખ પાછળ પાગલ ગણાવી રહ્યા છીએ. જે આપણી આત્મશ્ર્લાઘા અને મિથ્યાભિમાન સિવાય કંઈ નથી. કારણ કે ,આપણાં લોકો સ્વકેન્દ્રી અને સ્વાર્થી બન્યા છે. દંભ અને પાખંડ, આપણી જીવન શૈલી બની ચૂકી છે.

હું જાણું છું કે આ આત્મ નિરીક્ષણ્/પરીક્ષણ કરનારા આકરા શબ્દો ,કોઈને પસંદ પડવાના નથી. અને મારા આવા નિવેદનને સખ્ત અને કડક શ્બ્દોમાં વખોડી કાઢવામાં આવશે .તેમ છતાં મેં એક સંકલ્પ કર્યો છે કે મારે જે કહેવાનું છે તે હું કહીને જ રહીશ.

આપણાં દેશના સાધુ-સંતો-સંપ્રદાયોના વડાઓ-મંદિરના ટ્ર્સ્ટીઓ-પુજારીઓ-કથાકારો-વ્યાખ્યાન/પ્રવચન કરનારા- ઉપરાંત મુલ્લાઓ-મૌલવીઓ-પાદરીઓ અને સામાજિક- કાર્યકર્તાઓ વગેરે સામાન્ય જન સમુદાય સમક્ષ ગંદકી—ઘોંઘાટ-અને ગિરદી નો ખાત્મો બોલાવી સ્વચ્છ અને સુથરી આપણી જીવન શૈલી બનાવવા કેમ કોઈ પ્રકારનું અભિયાન ચલાવતા નથી ?

આપણાં મંદિરો- વ્યાખ્યાન કે કથાના સ્થળોમાં જે ગંદકીના થરો જામ્યા હોય છે તે -આ પોતાની જાતને સામાન્ય જન સમુદાય કરતા ઉચ્ચ સમજનારાઓને આ ગંદ્કી-ઘોંઘાટ અને ગિરદી દેખાતી નથી કે કોઠે પડી ગઈ હશે ?

ખેર ! જે હોય તે ! પરંતુ આ દૂષણો કઈ રીતે દૂર કરી શકાય તે માટે મેં ખૂબ મનો-મંથન કર્યું છે. એક વાત તો આપણે સૌ સમજી શકીએ કે આવા દૂષણો દૂર કરવામાં માત્ર સરકાર સફળ ના જ થઈ શકે. આ માટે સમજ્દાર તમામ વર્ગના નાગરિકોનો સક્રિય સહકાર અને સહિયારો પ્રયત્ન અનિવાર્ય બની રહે. ઉપરાંત જો ઉપર જણાવેલી તમામ વિભૂતિઓ આ વિષે સક્રિય બને તો ચમત્કાર સર્જી શકાય ..આ વિષે એક નમ્ર સુચન કરી રહ્યો છું. ખૂબ મનોમંથનને અંતે મેં એક પ્રતિજ્ઞા/સંકલ્પ પત્ર તૈયાર કર્યું છે.

1. હું ઈશ્વરને સાક્ષી રાખી આજથી પ્રતિજ્ઞા/સંકલ્પ કરું છું કે મારાં/અમારાં થકી ઉત્પન થતી ગંદકી/કચરો ઘરની કે અન્ય જગ્યાએ એવી રીતે નહિ ઠાલવું કે જે મારાં આડોશી/પાડોશી કે વટેમાર્ગુઓને અવરોધ રૂપ થાય્. આ પેદા થતી ગંદકી/કચરો નિશ્ચિત થયેલ સ્થળે જ ઠાલવવા હું અને અમારો પરિવાર કૃત નિશ્ચયી બની આ પ્રતિજ્ઞા/સંકલ્પ કરીએ છીએ.

2 હું/અમે પાન/મસાલા/ગુટકા ખાઈ કોઈ પણ સ્થળે/જ્ગ્યાએ -ખાનગી કે જાહેર સ્થળો કે માર્ગો- ઉપર પીચકારી/થૂકી ગંદકી નહિ ફેલાવીએ. આદત વશ પીચકારી/થુકવાની ફરજ પડ્શે તો મારી/અમારી પોતાની વ્યવસ્થા એ રીતે કરીશું કે જાહેરમાં ગંદકી ના ફેલાય્ !

3. મારા ધુમ્રપાનથી અન્યને તક્લીફ/મુશ્કેલી ના પડે તે માટે પૂરતી તકેદારી રાખીશ. જ્યાં સમૂહ એકઠો થયો હશે કે મુસાફરી દરમિયાન બસમાં કે ટ્રેઈનમાં ધ્રુમપાન કરવાનું ટાળીશ્.

ઘોંઘાટ વિષે

1. હું/અમારો પરિવાર ક્યારે ય મોટેથી રેડિયો/ટીવી કે અન્ય પ્રસંગોએ વગાડવામાં આવતા માઈક વગેરે એટ્લા મોટા અવાજે/વોલ્યુમથી નહિ વગાડીએ કે જેથી બાળકો/અભ્યાસ કરતા વિધાર્થીઓ/બિમાર પડોશીઓને ખલેલ પહોંચે.

ગિર્દી વિષે

જે જે સ્થળોએ અને જગ્યાઓએ સમૂહ એક્ઠો થવાની સંભાવના હશે ત્યાં અમે સૌ શાંતિથી હાર/કતારમાં ઉભા રહી વારો આવવાની ધીરજ પુર્વક રાહ જોઈશું અને ભીડભાડ કરી અવ્યવસ્થા ઉભી નહિ કરતા વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ સહકાર આપીશું.

આ સ્થળો મંદિરો પણ હોઈ શકે અને તેવા સ્થાનોમાં મંદિરના ટ્ર્સ્ટીઓની એ ફરજ બની રહેવી જોઈએ કે દર્શનાર્થીઓને શાંતિથી એક પછી એક ક્રમમાં દર્શન થઈ શકે.

આપણે સૌ એ સ્વીકારવું જ રહ્યું કે ગંદકી-ઘોંઘાટ અને ગિર્દી નીવારવા માત્ર સરકારી પ્રયાસો જાગૃત નાગરિકોના સહકાર વગર ક્યારે ય સફળતા ના પામે.આ માટે દંડનીય જોગવાઈ કરાતી હોવા છતાં અસરકારક રીતે કાર્ય થતું નથી. આપણી માનસિકતા આમૂલ/સમૂળી ના બદલાય ત્યાં સુધી કદાચ આમ જ ચાલ્યા કરશે. ગંદકી-ઘોંઘાટ અને ગિર્દી નાબુદ કરવામાં કોઈ પૈસાનો ખર્ચ ના હોવા છતાં આવી પરિસ્થિતિ આપણે સદીઓ થયા સહન કરી રહ્યા છીએ અને કદાચ એ જ જીવન શૈલી બની જવાનું મુખ્ય કારણ હોઈ શકે !! સામાન્યજનની આવી માનસિકતા બદલાવી શકવાનું અસંભવ નથી.મારી દ્રષ્ટિએ જો ઉપર ઉલ્લેખેલા તમામ ,સમાજમાં ઉચ્ચ દરજ્જે બીરાજેલા, તેમના વ્યાખ્યાન/પ્રવચન કે પ્રાર્થના કે આરતીની શરૂઆત /અંતમાં સર્વે હાજર શ્રોતાઓ પાસે સામૂહિક રીતે બોલવા અર્થાત પ્રાર્થનાના એક ભાગ તરીકે જ આદેશ આપે અને પોતાની સાથે બોલાવડાવે અને ઉપર દર્શાવેલ સંકલ્પ્/પ્રતિજ્ઞા પત્રો ઉપર દરેક શ્રોતા/દર્શનાર્થીઓ પાસે સહી કરાવવામાં આવે તો મારાં મતે ખૂબ જ ટૂંકા સમયમાં ચમત્કારીક રીતે પરિવર્તન થવાની પૂરેપૂરી સંભાવના છે.

માત્ર લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ ગંદકી-ઘોંઘાટ અને ગિર્દી નાબુદ કરવાના અભિયાનની પહેલ કોણ કરશે ?

માર્ગ અકસ્માત અને વાહન વ્યવ્હારના કાયદાઓનું પાલન

આ ઉપરાંત આપની જાણ માટે કે દુનિયાભરમાં માર્ગ અકસ્માતમાં મરનાર /જાન ગુમાવનારની સંખ્યામાં આપણો દેશ પ્રથમ નંબરે છે. હવે જો આ ક્ર્મ બદલવો હોય ,અને આપણાં નાગરીકોની જાન આપણને વહાલી હોય તો ,આવો જ ,અર્થાત ઉપર લખ્યો તેવો એક બીજો સંકલ્પ્/પ્રતિજ્ઞા પત્ર ઉપર તમામ વાહન ચાલકો પાસે સ્વૈચ્છિક રીતે સહીઓ કરાવવાની ઝુબેશનું પણ આયોજન કરી શકાય્.

આ માટે જરૂર છે માત્ર કોઈએ પહેલ કરવાની. કોણ કરશે ?

15 Comments leave one →
  1. February 13, 2010 3:37 am

    ગંદકી–ઘોંઘાટ–ગિરદી– નાબુદી અભિયાન નો લેખ ખુબ ગમ્યો ખરેખર ભારતની અનેક શરમોમાં સૌથી મોટી શરમ આપણી ગંદકી છે કોઈએ પહેલ કરવી રહી અને મે એ દિશામાં શરૂઆત કરી છે તે માત્ર સમાજ પ્રત્યેની એક લાગણી થી. માટુંગા સાયન વડાલા દાદર ની 40 સંસ્થા ના પ્રમુખ તેમજ શાળાઓ-કોલેજોના પ્રિન્સીપાલ દેરાસર મંદિર મસ્જીદ ના ટ્રસ્ટી ઓ ની એક મીટીંગ બોલાવાવનો છું આવા સંકલ્પ્/પ્રતિજ્ઞા પત્રો બનાવી દરેક સંસ્થા ના મેમ્બર ભાઈઓ ને સંકલ્પ્/પ્રતિજ્ઞા પત્રો પર તેમજ પ્રવેશ પત્રો સાથે જ તમામ વિધાર્થિઓ અને વાલીઓ પાસેથી મેળવવામાં આવે કે જે એક નૈતિક જવાબદારી ઉભી કર્યાની સમજ પેદા કરી શકે. હું અત્યારે અમેરિકામાં છું ૭ મી માર્ચના મુંબઈ પહોચીને તરતજ આનો અમલ કરીશ

    ગાંગજી દેઢિયા
    પ્રમુખ શ્રી માટુંગા ગુજરાતી સેવા મંડળ

    • arvind adalja permalink*
      February 14, 2010 2:51 pm

      ભાઈશ્રી ગાંગજી

      આપની મેલ મળી ! આપે જે વિચાર કર્યો છે તે જો અમલી કરવા તનતોડ મહેનત કરવી પડશે તે વાત સતત યાદ રાખજો ! આપે જે નિર્ધાર કર્યો છે તે ખૂબ જ સરાહનીય અને અભિનંદનને પાત્ર છે. આજે સમાજ્ના નાગરિકોને આ વિષે સભાન કરવાની ખૂબજ આવશ્યકતા છે અને હું આપને આપના આ પ્રયાસની સફલતા ઈચ્છું છું. આપની જાણ માટે મેં અહીં જામનગરની તમામ કોલેજો-શાળાઓ-મંદિરો અને ધાર્મિક આશ્રમોના વડાઓ તથા અમારી બાજુમાં રહેતા તમામ લતા વાસીઓને આ વિષે વ્ય્કતિગત પત્રો મારા ખર્ચે અંદાજે રૂ1.500/- ખર્ચી મોકલ્યા છે બહારમાં મોરારીબાપુ-રમેશ ઓઝા-સ્વામી સચ્ચ્કિદાનંદ વગેરેને તથા મ્યુનિસિપલ કોરપોરેશનં- કલેક્ટર્-ડીડીઓ જેવી સરકારી કચેરીઓમાં પણ મોકલ્યા છે પણ કોઈ ઉપર આ વિષે ગંભીરતાથી વિચારવાની અસર થઈ હોય તેવું જણાયું નથી. To be very frank our people are used to these type of ગંદકી-ઘોંઘાટ અને ગીર્દીથી તેઓને આ વસ્તુ કનડતી જ નથી અને ફરિયાદ કર્યા કરે છે પણ પોતે સુધરવું નથી તેવી માનસિકતા ધરાવનાર નાગરિકોને કઈ રીતે આ બાબત સભાન કરવા તે જણાતું નથી ! તેમ છતાં આપને સફળતા ઈચ્છુ છું અને મને તે વિષે જણાવતા રહેશો તો મને આનંદ થશે !

      આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિદ

  2. મે 31, 2009 10:03 am

    કાયદો અને તેનું અમલીકરણ થાય તો થોડું પરીણામ મળે.

    બાકી તો બસ બધા એક બીજાને સલાહ સુચનો કરતા રહેશે.

    પોતાનો સ્વ જાગે નહી ત્યાં સુધી કાંઇ થતું નથી.

    ડો.સુધીર શાહ

    http://drsudhirshah.wordpress.com

  3. March 21, 2009 1:30 pm

    Dear Arvindbhai,
    Aaape mara blog par mukeli comments thi aa blog par aavavanu thayu.
    Ghana badha vishayo ni yadimathi sau pratham aa lekh vanchvanu nakki karyu.
    Vanchi khub anand thayo ke aa “kadva” vishay ma pan ek mantavy dharavnar ghana loko chhe. tame janavyu tem aani sharuaat to “I” thi j karvani rahi. hu gandaki nahi felavu. e joi kadach mara thoda mitro em karva prerashe. e pachhi thoda emna. ane aa badha na balko pan.
    Dr abdul kalaam jeva vyakti ke jena shabdo ni asar yuvano par bahu j thay chhe te aa vishay ke aana jeva “self discipline” vishay par aahvahan kare to pan ghano farak pade em chhe.

    Aabhar,

    • arvindadalja permalink*
      March 22, 2009 8:42 am

      ભાઈ શ્રી નવનીત
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી. આભાર્ સૌ પ્રથમ ગંદ્કી……ઉપરના વિષય વિષે વાંચવાનું પસંદ કર્યું જે આપને પણ આ આપણી કુટેવો માટે કેટલી વ્ય્ગ્રતા રહેતી હશે તેની સાબિતિ છે. આપણે સૌ આપણાથી જ અને આપણા પરિવારના સભ્યોને આ વિષે સભાન કરી શકીએ તો આવનારા દિવસોમાં જરૂર કંઈક સુધારો થઈ શક્શે તેવી મને શ્રધ્ધ છે. આપણી માનસિકતા હંમેશા અન્ય ઉપર આંગળી ચિંધવાની રહી છે. કોર્પોરેશન અને સરકારને દોષ દેતા આપને ક્યારે ય એ વિચાર નથી કરતા કે તેમનું કામ ગંદ્કી દૂર કરવાનું છે ગંદ્કી ફેલાવવાનું નહિ.જ્યારે આપણે ગંદ્કી ફેલાવી રહ્યા હોવા છતાં પોતાનો કચ્રો.ગંદ્કી પાડોશીના આંગણામાં ઠાલવી પોતાનું આંગણું સ્વચ્છ રાખનાર ને શું કહેવું ફ્લેટમા રહેનારા ઉપલા માળેથી જ ગંદ્કીને બિન્દાસ નીચે ફેંકનારાને ગંદકી જણાતી નથી. ચો-તરફ પાણી ઢોળી સમગ્ર શેરીમાં ગંદકી ફેલાવનારઓ કોરપોરેશન ગંદ્કી દંર કરતું નથી તેવી ફરિયાદ ક્ર્યા કરતા રહે છે. આવી માનસિકતા જડમૂળથી ના બદલાય ત્યાં સુધી આ ગંદ્કી અને તેનાથી ફેલાતા મચ્છરો અને રોગચાળાથી આપણે પરેશાન તતાજ રહેવાનું રહેશે ! લોકોને આ વિષે સભાન અને અજાગ બનાવવા તમામ મીડીયા/પત્રકારો મહત્ત્વનો ફાળો આપી શકે પણ તેમને પણ સરકાર્/કોરપોરેશન જ આ માટે જવાબદાર જણાતા હોય તેવું લાગ્યા કરે છે. ખેર ! આપણા પ્રયાસો થાક્યા વગર ચાલુ રાખીએ ! એ સિવાય અન્ય વિકલ્પ નથી. ફરીને બ્લોગની જરૂર મુલાકત લેતા રહેશો અને પ્રતિભાવો પણ અચૂક મોકલશો જે મને વધુ લખવા પ્રોત્સાહિત કરશે. આવજો. ફરી મળીશું.
      સ-સ્નેહ
      અરવિંદ્

  4. pravin permalink
    March 4, 2009 9:52 pm

    arvind,
    everybody dislikes garbages but no body can remove it,b’cos it is solely a Gov;ment’s work it should have a system that is all over the world,garbage disposal is very well required in our country,people are eager to be clean,they never spit in temples or any holy place,so ask goverment to implement a very well system of garbage disposal like UK or US.

    • arvindadalja permalink*
      March 6, 2009 9:19 am

      માફ કરજો પણ આપણી આ અન્ય ઉપર જવાબદારી ફેંકીદેવાની માનસિકતા જ આ ગંદ્કી-ઘોંઘાટ અને ગીર્દી નું કારણ છે. સરકાર અનેક કાયદાઓ કરેછે તેનું પાલન કરવાનું આપણું ઉતરદાયિત્વ હોવા છતાં કોણ પાલન કરે છે. બીજું સમુહ અને સમાજ્માં રહેતા આપણે સમાજ પ્રત્યે કોઈ ફરજ કે પ્રતિબધ્તા સમુહના હિત કે કલ્યાણ માટે બજાવવાની ખરી કે નહિ ? હું સરકાર કરતા આપણાં લોકોની કુટેવોને વધારે જવાબદાર ગણુ છું કોઈ પણ નાગરિક માત્ર મંદિરોમાં ના થુકે એટ્લે તે સંસ્કારી બની ગયો ? આપણાં મંદિરોમાં જે ગંદકી દરેક પ્રકારની જોવા મળે છે તેટ્લા પ્રમાણમાં અન્ય કોઈ સ્થળે કેમ જોવા નથી મળતી ? આપે કોઈ મોલમા ક્યારેય ગંદ્કી-ગીર્દી કે ઘૉઘાટ જોયા ? ત્યાં કેમ આજ નાગરિકો શિષ્ત બધ્ધરીતે વર્તતા હોય છે જ્યારે પોતાનો કચરો કે ગંદકી પાડોશીના આંગણામાં ઠાલવતા જરા પણ હિચકિચાટ અનુભવતા નથી. યુએસ્/યુકે માં જનારા આ જ નાગરિકો કેમ સારી રીતે વર્તે છે. હું તો બહુ જ સ્પષ્ટરીતે માનું છું કે સ્વચ્છ્તા– વગેરેના સંસકાર બાળકોને આપવામાં આપણા અને આપણાં સહિત તમામ વડિલો સરિયામ નિષ્ફળ ગયા છે અને એ માટે ક્યારેય કોઈ ગંભીરતાથી જ્યાંસુધી કોઈ રોગ ચાળૉ ફાટી ના પડે ત્યાંસુધી વિચાર કરવા પણ તૈયાર નથી. માફ કર્જો પણ આપણે સૌ ગંદકી-ઘોંઘાટ કે ગિર્દીથી એટ્લા ટેવાયેલા છીએ કે અમુક પ્રકારની ગંદકી-ઘોઘાટ કે ગિર્દી આપણને ક્યારે ય ખલેલ પહોંચાડતી we are used to it.
      આપે મારા બ્લોગની મુલાકત લીધી અને પ્રતિભાવો પણ મોક્લ્યા તે માટે આભાર્ અન્ય વિષય ઉપર પણ આપના પ્રતિભાવોની હું રાહ જોઈશ્
      આવજો. ફરી મળીશુ.
      અરવિંદ

  5. arvindadalja permalink*
    February 28, 2009 10:52 am

    ઉપરોક્ત લેખની નકલ સ્વામી શ્રી સચ્ચિદાનંદજીને ટપાલથી મોકલેલી તેમના દ્વારા આજે જે જવાબ મને મળ્યો છે તે તેમના શબ્દોમાં જ આપ સૌ ની જાણ માટે અહિ પ્રસ્તુત કરું છું.
    “25/02/09 ભાઈશ્રી અરવિંદ ભાઈ ,
    “હરિ સ્મરણ .
    “પત્ર મળ્યો.
    “ભારતની અનેક શરમોમાં સૌથી મોટી શરમ આપણી ગંદકી છે.આટલી અને આવી ગંદકી મેં વિશ્વના કોઈ દેશમાં જોઈ નથી.તેનું કારણ આપની કુટેવ છે.આપણે કચરો પાડતા રહીએ છીએ.કાગળ , બીડી ,થૂકવું વગેરે બધુ જ જ્યાં નું ત્યાં રસ્તામાં જ ફેંકતા રહીએ છીએ એટલે વાળનારા ગમે તેટલા રાખો પણ સ્વચ્છ્તા આવવાની નથી.બચપણથી જ આ કૂટેવ સુધારવાની જરૂરી છે.પ્રત્યેક નવદંપતિને આ મહામંત્ર આપવામાં આવે. પોતે પાલન કરે અને કરાવે તો વાળનારા ઓછા હશે તો પણ સ્વચ્છ્તા સારી રહેશે. જરૂર છે કુટેવ સુધારવાની.
    સચ્ચિદાનંદ”

  6. Ramesh Patel permalink
    February 20, 2009 3:38 am

    સમાજમાં ચેતના જગાવી કંઈક કરી બતાવવા ડગલું આપે ભર્યું છે.

    આ સૌના લાભની વાત છે. સંતને બદલે શિક્ષક જગત

    આગળ આવે અને આ યગ્ન્યમાં એક દિવસ પણ

    સપ્તાહમાં આપે તો સોનામાં સુંગંધ ભળે.

    આપણે તો વાત ઝીલી છે અને કારવાં બનાવીશું

    રમેશ પટેલ(આકાશદીપ)

    • arvindadalja permalink*
      February 20, 2009 9:16 am

      ભાઈ રમેશ
      આપના પ્રતિભાવ બદલ આભાર્ આપે શિક્ષક જગત વિષે સુચન કર્યું તે વિષે આપને જણાવું કે મેં અમારા શહેર જામનગરમાં મારા આ લેખની નક્લ તમામ શાળા અને કોલેજોના સંચાલકોને મોકલવા નક્કી કરેલું છે અને નવા શરૂ થતાં સત્રમાં પ્રવેશ પત્ર સાથે આ સંકલ્પ્/પ્રતિજ્ઞા પત્ર તમામ વિધાર્થીઓ/વાલીઓ પાસે ભરાવવા પણ જણાવું છું. જોઈએ કેટલા આ બાબતને ગંભીરતા અને નિષ્ઠાથી સ્વીકારે છે. વિશેષમાં આ અભિયાન મને યોગ્ય લાગ્યું એટલે મેં એકલ પંડે અને એકલો જાને રે તેવી ભાવના સાથે શરૂ કર્યું છે. હું પોતે મારા કોલેજના દિવસોથી જ આ વિષે ખૂબ જ સભાન છું અને સદભાગ્યે મારાં પરિવારના તમામ સભ્યો પણ આ વિષે સભાન અને સતર્ક્ છે. કોઈએ પહેલ કરવી રહી અને મે એ દિશામાં શરૂઆત કરી છે તે માત્ર સમાજ પ્રત્યેની એક લાગણી થી કોઈ યશ કે કીર્તિ મેળવવા શરૂ કર્યું નથી. તે સહેજ્
      બ્લોગની મુલાકાત લેતા રહેજો અને આપના પ્રતિભાવો જરૂર મોકલતા રહેશો જે મને પ્રોત્સાહિત કરતા રહેશે.
      સ-સ્નેહ
      અરવિંદ

  7. TEJAS PATEL permalink
    February 19, 2009 10:21 am

    SARAS AANI JARUR CHEJ ANE TAME KHUB SARU KAM UPADYU CHE BEST OF LUCK.
    THANKS.

  8. February 19, 2009 6:13 am

    શ્રી અરવિંદભાઈ,

    તમારા આ મુદ્દાઓ સો ટકા સાચા છે અને સાધુ સંતોથી માંડીને રાજકારણીઓ સુધી બધાએ આ અભિયાન ઉપાડવાની જરૂર છે. મારા ઘરની સામે જ લગ્નહોલ આવેલો હોવાથી લગ્નગાળામાં જે ઘોંઘાટ થાય છે અથવા તો રોજબરોજ જે રીતે મોટેથી ટેપ ટીવી વગાડવામાં આવે છે તેની સામે વર્ષોથી મારો બોલકો વિરોધ રહ્યો છે.

    ગંદકીની તો વાત જ જવા દો. જ્યાં પાનની પિચકારી ન મારવી તેવું લખ્યું હોય છે ત્યાં જ પિચકારીઓ મરાય છે. વાહન બાબતે સેન્સ કરતાં નોનસેન્સ વધુ છે. આના માટે સખ્ત કાયદા હોવા જરૂરી છે. જેમ કે અમદાવાદમાં સિગ્નલ તોડો તો દંડ થાય છે, માટે પોલીસ ઊભો હોય ત્યારે તો કમ સે કમ કોઈ સિગ્નલ તોડતું નથી, તે ન હોય તો જુદી વાત છે. માટે રોંગસાઇડ આવવું, ડાબી બાજુથી ઓવરટેક કરવું એ બધા માટે સખ્ત કાયદા જરૂરી છે. આકરા દંડ જરૂરી છે. 50 કે 100 રૂપિયાના દંડથી કંઈ નહીં થાય. બિનજરૂરી હોર્ન મારવા પર પણ પ્રતિબંધ જરૂરી છે. ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા માટે વિચારવું પડશે. ખાસ કરીને અમદાવાદમાં. પાર્કિંગની વ્યવસ્થા વગરના બાંધકામને મંજૂરી જ ન મળવી જોઈએ.

    આ ઉપરાંત વરયાત્રા (વરઘોડા) પણ ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે. તેના પર પ્રતિબંધ હોવો જોઈએ. તમારે નાચવું ગાવું હોય, ફટાકડા ફોડવા હોય તો જે તે વાડી કે હોલમાં જ એ કરી લો ને. જાહેરમાં નાચો તો કેટલા ભૂંડા દેખાવ છો તે જોવું જોઈએ. અને તેનાથી ટ્રાફિક કેટલો અટવાય છે તે પણ જોવું જોઈએ. મોટા ભાગની વરયાત્રા ઓફિસ જવાના સમયે કે છૂટવાના સમયે જ હોય છે અને તે સમયે સાંકડા રસ્તાઓ બ્લોક થઈ જાય છે. ફટાકડા આડેધડ લાપરવાહીથી ફોડવામાં આવે અને તે જો ભૂલે ચૂકે બાઈક કે રિક્ષા પર જઈને પડે તો ધડાકા થવાની સંભાવના પૂરી છે. ઉનાળામાં ભરતડકામાં જાહેરમાં વરઘોડા કાઢવા તે સહુ કોઈને તકલીફકર્તા છે.

    દિવાળીમાં પણ, એવા ફટાકડા ફોડવામાં આવે છે જે સાંભળીને કાન ફૂટી જાય અને તાજેતરમાં અમદાવાદમાં બોમ્બ ધડાકા થયા તે પછી આ ફટાકડા એવો આભાસ કરે કે સાચે જ ક્યાંક બોમ્બ નથી ફૂટ્યો ને. ફોડવા જ હોય તો રંગીન પ્રકાશ થાય અને શાંત હોય તેવા ફટાકડા ફોડો ને.

    જાહેરમાં ધાર્મિક યાત્રાઓ પર પણ પ્રતિબંધ હોવો જોઈએ. ભાગવત સપ્તાહ હોય કે જૈનોની દીક્ષાનો કાર્યક્રમ, સ્વામિનારાયણ સંપ્રદાય કે અન્ય કોઈ સંપ્રદાયના કાર્યક્રમો તમામ પર જાહેરમાં યાત્રા કાઢવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ધાર્મિકતા અંગત બાબત છે, તેને પ્રદર્શનની બાબત ન બનાવવી જોઈએ.

    જેમ વિધવાનાં લગ્ન, સતીપ્રથા, અસ્પૃશ્યતા એ બધાં દૂષણો છે તેમ આ બધાં પણ દૂષણો જ છે.

    • arvindadalja permalink*
      February 19, 2009 9:26 am

      ભાઈ શ્રી જયવંત
      આપનો પ્રતિભાવ મળ્યો આભાર્ આપને મારો લેખ ગમ્યો એટ્લુ જ નહિ પણ આપે બીજા કેટલાક મુદાઓ વિષે વાત કરી તે પણ આ અભિયાનમાં સમાવવા જોઈએ એમ હું પણ માનુ છું. આ અભિયાન રાજકારણીઓથી દૂર રહે અને આપણા કહેવાતા સાધુ-સંતો અને સંપરદાયોના વડાઓ સાથે કથાકારો અને વ્યાખ્યાનકર્તાઓ દ્વારા જિ નિષ્ઠા અને પૂરી ગંભીરતાથી હાથ ધરાય તો ચોક્કસ ચમત્કારિક પરિણામ આવી શકે તેવી મને ખાત્રી છે. વળી આપ જેવા પત્રકારો પણ આ અભિયાનને પ્રષિધ્ધી આપી વેગીલું બનાવી શકે.હું જામનગર સ્થિત તમામ સંપ્રદાયોના વડાઓને આ પત્ર મોકલી રહ્યો છું. ઉપરાંત તમામ શાળાઓ-કોલેજોના વડાઓને પણ લખી રહ્યો છુ અને અપીલ કરી રહ્યો છું કે આવા સંકલ્પ્/પ્રતિજ્ઞા પત્રો પ્રવેશ પત્રો સાથે જ તમામ વિધાર્થિઓ અને વાલીઓ પાસેથી મેળવવામાં આવે કે જે એક નૈતિક જવાબદારી ઉભી કર્યાની સમજ પેદા કરી શકે. હું સ્પષ્ટ રીતે માનું છું કે આ અભિયાનથી રાજકારણીઓ દૂર રહે અને દૂર જ રાખ્વા જોઈએ કારણ દંડનીય જોગવાય કે જે હાલ અસ્તિત્વમાં છે તેની અમલવારી આ રાજકારનીઓના પાપે અસરકારક રીતે થઈ શક્તી નથી તે આપણા સૌનો અનુભવ છે. પણ આ અભિયાનમાં દરેક શહેરના પત્રકારો પણ જોડાય અને આ સમગ્ર અભિયાન બીલકુલ સ્વૈચ્છીક રીતે અને શાક્ય હોય ત્યાં સુધી સાધુ-સંતો અને કથાકારો અને સપ્રદાયોના વડાઓ મારફત ચ્લાવાય તો સો ટકા ચમ્તકારિક પરિણામ મળ્શે તેવો મને વિશ્વાસ છે.
      ફરીને આભાર્ લખતા રહેશો મને ખૂબજ ઉત્સાહ અને નવું બળ આપતા રહેજો.
      આવજો.
      સ-સ્નેહ
      આપનો
      અરવિંદ

  9. Geeta Vora permalink
    February 18, 2009 4:35 am

    Dear Arvind,

    I support you on this issue more than millions of time.

    If this compain starts with great leaders and saints people will pick it up and take it to long way.

    This is a great idea for all those who you have mentioned here but above and beyond I believe that everyone need to work on the issue every day as volunteer. Make family members to act to maintain the cleanliness not their own house but in street too.

    I visited India in 2002; I visited some of my favorite area in Bombay specially Bhuleshwar. It was very ugly and no space to keep the feet on the ground as the spits were all over the ground, seeing that I was feeling puking, when I lived there (1960-80′s) it was not that dirty and it was fun to visit even in Bhuleshwar.

    why people spit every where? whatever reason it is they need to stop it. Every building and stirs corner are so dirty with spits on all the floors.

    People need to take their responsibility to keep the India clean and beautiful, instead of being enemy and destroy it. People should feel proud of the our country, city, and streets to own.

    Thank you

    Geeta Vora

    • arvindadalja permalink*
      February 19, 2009 9:36 am

      આપને મારો લેખ અને પ્રયત્ન ગમ્યા તે જાણી આનંદ થયો. આ લેખની નકલ કેટલાક સંપ્રદાયોના વડા તથા કથાકારો અને શાળા/કોલેજોના સંચાલકો પ્રવચન કારો/વ્યાખ્યાનકરનારાઓને ટપાલથી મોક્લી રહ્યો છું. જોઈએ કોણ કેટલા ગંભીર છે આ વિષે. સામાન્ય લોકોને કેળવવા હશે તો થાક્યા વગર નિષ્ઠા પૂર્વક પ્રયાસો કરવાના રહેશે.
      અરવિંદ્

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 79 other followers